[9/23, 12:05 AM] Maya Desai.Bombay.MeM.NOG: *NOG SS NO.0081*
*વિષય : અહેસાસ*
*પ્રકાર : પદ્ય*
*શબ્દો: ૧૩૨*
*શીર્ષક: શીખી લે તું!*
કર ના ફિકર ,ભલે હોય કાદવ આસપાસ,
કમળની જેમ તું, નિત્ય ખીલવાનું શીખી લે.
તરસ તો રહે ઉપજતી,બુઝે ના બુઝે,
ચાતકની જેમ તું, નભેથી ઝીલવાનું શીખી લે.
રંગ ભલે તારો શ્યામ, ઉજળું મન છે તારું,
ભ્રમરની જેમ તું, હરદમ ગુંજવાનું શીખી લે.
એક પછી મોસમ, બીજી અવિરત આવશે,
પાનખરને માણવાનું પણ તું શીખી લે.
આરંભ કરીશ,તવ અંતરાય જરુર આવશે,
ઝરણાંની જેમ તું, નિત્ય વહેવાનું શીખી લે.
મનમાં ભરીને ભાર, ક્યાં સુધી જીવશે?
વાદળની જેમ હેતથી,બસ વરસવાનું શીખી લે.
કંટક ભરી છે જિંદગી, એ તો ચુભવાની જ,
બસ એમાં જ તું ,ફૂલોની જેમ હસવાનું શીખી લે.
રાગ દ્વેષ, વેરઝેર તો, વવાતાં રહેશે આજીવન.
બાળકની જેમ એ બધું તું, ભૂલવાનું શીખી લે.
તારાં હોવાનો અહેસાસ, હર કોઈને થશે,
પતંગિયાની જેમ તું, બસ ફૂલે ફૂલે ઊડવાનું શીખી લે!
#©️માયા દેસાઈ
મુંબઈ ભારત.
[9/23, 4:17 PM] A Nishant Mother.MeM.NOG: NOG SS 0092
પ્રકાર:- પદ્ય
વિષય :- અણસાર – આભાસ
શિર્ષક :- પ્રેરકબળ કે આભાસ
પડું છું, આખડું છું ને,
ફરી દોડ લગાવું છું.
કોણ છે આ પ્રેરકબળ,
સતત હું શોધ લગાવું છું.
નિરાશા મનને ઘેરી વળે,
ઉદાસ મનને રસ્તો કોઈયે ના જડે.
કોઈ અણસાર આપી,
મનમાં સતત ઉત્સાહવર્ધન કરે.
પ્રયત્નો પુરી શ્રદ્ધાથી કરું,
પરિણામ ના મળે પારોઠના પગલાં ભરું.
થપાથપાવી ખભો એ,
આગળ ને આગળ વધવા પ્રેરે.
ગુસ્સો ને નારાજગી જાત પર આવે,
મન ને કોઈ વસ્તુ કે વ્યક્તિ ના બહેલાવે.
પોકારે અંતરમાંથી એ ને,
સાચી શાંતિનો અહેસાસ કરાવે.
બાજી તમામ ઊંઘી વળતી લાગે,
સગાં ને સ્નેહીઓ જોજનો દૂર ભાગે.
નવો વિશ્વાસ બની અંતરમાં એ જાગે,
બસ એની કૃપા સિવાય આ જીવ કાંઈ ના માંગે.
દુનિયા સ્વાર્થી ને કૃપણ લાગે,
મન આ સંસાર તરફથી ભાગવા લાગે.
નવો એક હાથ લંબાવી,
સહારો મજબૂત બનાવી જીવનમાં રસ જગાવે.
ડગમગે ખુદમાંથી શ્રદ્ધા,
મન સતત અનુભવે દ્વિધા.
ઉગાડી આશાની કૂંપણો,
સ્વ અને જગમાં શ્રદ્ધા જગાવે.
એ આભાસ છે કે અણસાર છે,
જોડાયા એની જ સાથે સઘળાં તાર છે.
જે મારા આંતરિક ને બાહ્ય,
બ્રહ્માંડમાં સદૈવ બિરાજે.
ના પડવા દે, ના લથડવા દે,
હાથ મજબૂતીથી પકડી રાખે.
ભૂલું હું મારી જીવનદિશા તો,
બની દીવાદાંડી મને રસ્તો સુઝાડે.
આ જો આભાસ છે તો ‘ ખાસ ‘ છે,
મનમાં નિવાસિત એ વિશ્વાસ છે.
અણસાર આપે છે જીવનની ઘટનાઓમાં,
ભૂમિકા ભજવે વિવિધ ને ફેલાવે ઉજાસ છે.
નથી જોયો એને કદીયે,
ના સ્પર્શયો છે ક્યારેય.
નથી વેદો કે ગીતામાંથી એ જડ્યો,
પણ અનુભવું એ સદૈવ મારી પાસ છે.
– અલકા નવિનચંદ્ર મહેતા
ગાંધીનગર
૨૩ /૦૯ / ૨૨.
[9/23, 7:41 PM] Bhavna Mistry.Mem.-2: NOG. SS/0099
વિષય :- આભાસ- અણસાર
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- ઈશ્વરનો અંશ છું.
શ્રમ કરીને ઘણી જ થાકી મારી કાયા,
મનડું શોધે છે મારું, આરામ ને છાયા.
મુઠ્ઠી શા મગજને આટલું શીદને સતાવું?
નયનોને હવે ભીતરની સુંદરતા બતાવું.
ભાસ્કર ધખે, થાય સંધ્યાએ નમણો,
રાત્રે એનેય મળતો આરામ બમણો.
હું મનેખદેહ સ્વરૂપે માવતરનો વંશ છું,
અણસાર છે મને, હું ઈશ્વરનો અંશ છું.
© ભાવનાબેન મિસ્ત્રી “અભય”
વલસાડ.
[9/24, 7:07 AM] Jagdish Ranodara.MeM Shankheshwar: NOG – સાહિત્ય સરિતા
NOG NO – 119
શબ્દ – અણસાર-આભાસ
પ્રકાર – ગદ્ય
શિર્ષક – અનુપમ શાળાનો અણસાર
*અનુપમ શાળાનો અણસાર*
પ્રાથમિક શાળાઓમાં મૂલ્યલક્ષી શિક્ષણને આજીવન જીવંત રાખવા માટે પાટણ -મહેસાણા જિલ્લાઓ માં અનુપમ શાળા પ્રોજેક્ટ ડૉ જી એન ચૌધરી સાહેબનાં માર્ગદર્શન હેઠળ ૧૯૯૨ થી અમલમાં મૂકીને ગુણવત્તા સુધારણામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અનુપમ શાળા પ્રોજેક્ટથી બાળકોને મૂલ્યના પાઠો પ્રવૃત્તિઓ દ્રારા શિખવવામાં આવે છે.
જેમાં *સફાઈ, પ્રાર્થના,આજનું ગુલાબ,આજનો દિપક,ખોયા-પાયા,રામદુકાન, અક્ષયદ્રવ્ય* જેવા પ્રકલ્પો મૂકીને મૂલ્ય શિક્ષણને જીવિત રાખવાનો સરાહનિય પ્રયાસ કર્યો છે.
શાળાની શરૂઆત *સફાઈ* એટલે *સર્વે નો ફાયદાકારક ઈલાજ* નો વિદ્યાર્થીઓમાં ભાવ જાગે છે.
*પ્રાર્થના* સર્વ ધર્મ અને ૐ તત્ સત્ તેમજ ગાંધીનું પ્રિય ભજન વૈષ્ણવ જન તો… સાથે મનુષ્ય ગૌરવ ગાન અને ઘડિયા તથા અભિનય બાળગીત ફરજીયાત થાય છે. તેની સાથે વાર્તાઓ તો ખરી જ. પ્રાર્થનાના મધ્યમાં *આજનું ગુલાબ* આ પ્રકલ્પ દ્રારા બાળકોમાં સ્વચ્છતા શિખવા મળે છે. જેમાં કુમાર અને કન્યા બંન્ને જે બધાથી વધુ સ્વચ્છ હોય તેમને મહામંત્રી અને પ્રાર્થનામંત્રીની મસલતથી *આજના ગુલાબ* તરીકે પસંદગીનો કળશ ઢોળીને ઉભા કરી તેમનું અભિવાદન કરવામાં આવે છે. સાથે-સાથે *આજ મારી શાળામાં ખિલ્યા છે ગુલાબ* જેવું ગીત ગાઈને અભિવાદન કરવામાં આવે છે. બાળક આજનું ગુલાબ થયાનો આનંદ મેળવી આખો દિવસ ઉત્સાહમાં રહે છે. બીજા બાળકોને પ્રેરણા મળે છે.
આપણા હાલના વડાપ્રધાન સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કદાચ એમને *આજનાગુલાબ* માંથી નિર્મળ ગુજરાતનો વિચાર આવ્યો હશે.
*આજનો દિપક* જે દિવસે બાળકનો જન્મ દિવસ હોય એની ઉજવણી કરવામાં આવે છે. કંકુ-ચોખા થી તિલક કરીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવવામાં આવે છે. બાળક રાજી થાય છે.
પ્રાર્થના બાદ વર્ગખંડમાં શૈક્ષણિક કામગીરી થાય. રિશેષના સમયમાં *રામદુકાન* માં થી શાળાપયોગી ચીજવસ્તુઓ મળે. જે સ્વયંશિસ્તથી ચાલે. વસ્તુ લેવાની અને લખેલ કિંમત ચૂકવી પૈસા મૂકી દેવાના. સાંજે શિક્ષક-વિદ્યાર્થી સાથે મળીને હિસાબ ચકાસે એટલે વસ્તુઓ અને નાણાં નો હિસાબ મળી રહે એનું નામ રામના ભરોંસે ચાલતી દુકાન એટલે જ *રામદુકાન*.
*અક્ષયપાત્ર* આ પાત્રમાં દર અઠવાડિયે એક સામાન્ય બાકસ નાં ખાલી ખોખામાં મૂઠી અનાજ લાવી અક્ષયપાત્રમાં અનાજ એકઠુ કરે અને પછી ચબુતરે ચણ નાખવામાં આવે. *હાથીને મણ અને કીડીને કણ* એ કહેવત અહીં સાકાર થાય છે.અક્ષયપાત્ર એ એવું પાત્ર છે કે જેનાથી બાળકો જીવદયાપ્રેમી બને. પક્ષીપ્રત્યે પ્રેમ વધે.
અક્ષયપાત્રને કારણે અમારી શંખેશ્વર (તિર્થ) ખાતે એક શાળામાં પ્રાર્થના સમયે વિહાર કરતાં-કરતાં જૈન મહારાજ સાહેબ આવ્યા. જોગાનુજોગ તે દિવસે ગુરુવાર હતો.દર ગુરુવારે અક્ષયપાત્રમાં અનાજ વિદ્યાર્થીઓ લાવતા.મહારાજ સાહેબે અક્ષયપાત્ર જોતાં જીવદયાપ્રેમી શાળામાં અપાતા શિક્ષણથી પ્રભાવિત થઈ શાળાને રપ૦૦૦૦(પચીસ) લાખનું દાન આપવામાં આવ્યું.
*ખોયા-પાયા* કોઈની વસ્તુ ખોવાઈ હોય અને જડે તે આ પાત્રમાં મૂકે.જેની વસ્તુ ખોવાઈ હોય તે પહેલા ખોયા-પાયા માં શોધ કરે. સામાન્ય ટાંકણી થી સોનાના દાગીના ખોવાયા સુધીની ખોવાયેલી વસ્તુઓ અહીં ખોયા-પાયા પાત્રમાં હોય.
મારી સોનાની વીંટી ખોવાઈ હતી તે પણ બાળકોએ પરત આપેલાના અનેક દાખલાઓ છે. જેનાથી પ્રમાણિકતા આપોઆપ આવે છે.
*અક્ષય દ્રવ્ય* જરુરીયાત મંદ બાળકને આર્થિક મદદરૂપ થવાય અને પ્રવાસ પર્યટનમાં ઉપયોગી થાય છે.
ગુજરાત રાજ્યની તમામ શાળાઓમા આ બધા પ્રકલ્પો ને બવધુને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગુણોત્સવમાં ગુણવત્તા લક્ષી શિક્ષણ સાથે મૂલ્યલક્ષી શિક્ષણનાં ગુણાંક પણ આપવામાં આવે છે.
દરેક બાળક માં સત્ય-પ્રેમ-કરુણા, પ્રમાણિકતા,વફાદારી અને નિષ્ઠા જેવા ભાવો પ્રગટ થાય છે.
આ પ્રોજેક્ટ નાં જન્મદાતા ડૉ જી એન ચૌધરી સાહેબ છે. જેઓ તે વખતે એટલે કે ૧૯૯૨-૯૩ માં આ અનુપમ શાળા પ્રૉજેકટ ની નોંધ ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી અને હાલના ઉત્તર પ્રદેશના મહામહીમ રાજ્યપાલ ડૉ આનંદીબેન પટેલ તેના સાક્ષી છે. જેમણે પાટણ-મહેસાણા જિલ્લાની *અનુપમ શાળા* ઓનું વિજાપુર તાલુકાના ફતેપુરા ગામે સ્વાગત કર્યું હતું. તે ઉપરાંત તેમણે અમરેલી, સુરેન્દ્રનગર અને પાલનપુર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન (ડાયટ) માં પ્રાચાર્ય તરીકે ઉમદા ફરજ બજાવેલ છે.
ડૉ ચૌધરી સાહેબ હાલે વય નિવૃત્ત હોવા છતાં પ્રવૃત્ત રહીને મહેસાણા ખાતે *આલોક એજ્યુકેશન ટ્રસ્ટ* બનાવી તે અંતર્ગત રાજ્યની અનેક શાળાઓ સ્વૈચ્છિક અનુપમ – તિર્થ શાળામાં જોડાઈ છે અને મૂલ્યલક્ષી શિક્ષણની જ્યોત સદાયને માટે જલતી રાખવા સલાહ સૂચનો આપવામાં આવે છે. તેમનાં ઉમદા વિચારો સાથે તેમણે આપેલ સૂત્ર *શિક્ષકમાં ક્ષણ અને શિક્ષણમાં જણ* ને સકારાત્મકતા થી લેવા મહત્વનુ યોગદાન છે.
અહીં રામદુકાનને લગતું એક બાળગીત મૂક્યું છે જે સૌને ગમશે એવી આશા છે.
બાળગીત
*ચાલતી દુકાન*
રામના નામની શાળામાં ચાલતી દુકાન,
બાળકો આવતાં હો ચાલતી દુકાન…
એક આવેને બીજો આવે દુકાન જોવા,
દુકાનદાર વિનાની હો ચાલતી દુકાન…
ભાવ-તાલ જોઈને વસ્તુઓ વેચાતી,
એ સ્વયં શિસ્તથી હો ચાલતી દુકાન…
સાંજે વધાવતી વખતે હિસાબ મળતો,
શેઠ વિનાની હો વિશ્વાસે ચાલતી દુકાન…
અચરજ પમાડે તેવો થાતો વેપાર,
તાળા વગરની હો ચાલતી દુકાન…
વ્યાજબી ભાવે મળી રહેતી વસ્તુઓ,
હરતી-ફરતીને સસ્તી હો ચાલતી દુકાન…
ગણેશજીનાં ગુણલા કદીયે ન ભૂલાય,
શિખવે પ્રમાણિકતા હો ચાલતી દુકાન…
જગદીશ વખાણે વિચાર વાવનારને,
યોગેશ્વરની કૃપાથી હો ચાલતી દુકાન…
બંધવ બોલે સૌ જોડાઈ જાજો,
અનુપમ શાળામાં હો ચાલતી દુકાન…
અનુપમ શાળા પ્રોજેક્ટથી પ્રાથમિક શાળાઓમાં મૂલ્યલક્ષી શિક્ષણનો પાયો મજબૂત થયો છે.અણસાર અને આભાસ નજર સમક્ષ સતત રમ્યા કરે છે.
ડૉ જગદીશ કે રણોદરા (બંધવ)
વીસાવડી-વરણોસરી-શંખેશ્વર-વાહેદપુરા
[9/24, 4:48 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: *N.O.G. S. S. No.0102*
નામ:- *રતીલાલ વાયડા*
વિષય:- “**અણસાર-આભાસ*.
પ્રકાર:- ગદ્ય વાર્તા.
શીર્ષક:-. અણસાર – આભાસ.
તારીખ:- ૨૪/૯/૨૦૨૨. શનિવાર.
રચના:-
રમેશ તેની પત્ની કામિનીને પોતાના સ્કૂટર પાછળ બેસાડી અને રોડ ઉપર જઈ રહ્યો હતો. એવામાં એક પોલીસે હાથ ઉચ્ચો કરી અને તેને ઊભા રહેવા માટે સંકેત કર્યો.
રમેશ સ્કુટર પરથી નીચે ઉતર્યો તેની સાથે જ પોલીસવાળાએ સટ્ટા સટ કરી અને તેને બે ડંડા મારી દીધા. રમેશે કહ્યું ” સાહેબ મને ડંડા શા માટે મારો છો? “પોલીસે કહ્યું ” પારકી સ્ત્રીને સ્કૂટર ઉપર ફેરવે છે અને વળી પાછો મને પૂછે છે કે ડંડા કેમ માર્યા?”
રમેશે કહ્યું,”આ તો મારી પત્ની કામિની છે.”પોલીસે રમેશ નો કાંટલો પકડી અને કહ્યું,” ચાલ પોલીસ સ્ટેશને બધી ખબર પડી જશે” ! રમેશ પત્ની સાથે પોલીસ સ્ટેશન આવ્યો. ત્યાં ઇન્સ્પેક્ટરે એક સ્ત્રીનો ફોટો બતાવ્યો અને કહ્યું કે આ બેન નું અપહરણ થયું છે ,અને તે તારી સાથે રહેલી સ્ત્રી સાથે તેનો ચહેરો અને અણસાર મળતી આવે છે.
રમેશ અને તેની પત્નીએ પણ ફોટો જોયો તેની પત્નીના જેવો જ તેનો ચહેરો હતો અને આભાસ પણ એ જ થતો હતો. કામિનીની તદ્દન પ્રતિકૃતિ હોય તેવો જ ફોટો જણાતો હતો. રમેશે પોતાની અને પોતાની પત્નીની ઓળખાણ અને બીજા સગા સંબંધીઓની માહિતી આપી. આ ઉપરાંત કાનમાં પહેરેલા બુટી હાથની બંગડી અને થોડી શારીરિક બનાવટ પણ થોડી તફાવત જેવી લાગતી હતી. તેથી પોલીસે ખાતરી કરી અને તેઓ બંનેને જવા દીધા .આમ અણસાર અનેઆભાસને કારણે બંનેને ખૂબ હેરાન પરેશાન થવુંપડ્યુ.
ઘણી વાર અણસાર ઉપરથી આભાસ પણ થાય છે અને આવી આકસ્મિક ઘટનાઓ બનતી હોતી હોય છે.
લેખક:- રતીલાલ વાયડા
નવી મુંબઈ.
૨૪/૯/૨૦૨૨. શનિવાર.
[9/24, 5:33 PM] Jagdish Ranodara.MeM Shankheshwar: NOG – સાહિત્ય સરિતા
NOG NO – 119
શબ્દ – અણસાર-આભાસ
પ્રકાર – ગદ્ય
શિર્ષક – અનુપમ શાળાનો અણસાર
*અનુપમ શાળાનો અણસાર*
પ્રાથમિક શાળાઓમાં મૂલ્યલક્ષી શિક્ષણને આજીવન જીવંત રાખવા માટે પાટણ -મહેસાણા જિલ્લાઓમાં અનુપમ શાળા પ્રોજેક્ટ ડૉ જી એન ચૌધરી સાહેબનાં માર્ગદર્શન હેઠળ ૧૯૯૨ થી અમલમાં મૂકીને ગુણવત્તા સુધારણામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
જેમાં *સફાઈ, પ્રાર્થના,આજનું ગુલાબ,આજનો દિપક,ખોયા-પાયા,રામદુકાન, અક્ષયદ્રવ્ય* જેવા પ્રકલ્પો મૂકીને મૂલ્ય શિક્ષણને જીવિત રાખવાનો સરાહનિય પ્રયાસ કર્યો છે.
*સફાઈ* એટલે *સર્વે નો ફાયદાકારક ઈલાજ* નો વિદ્યાર્થીઓમાં ભાવ જાગે છે.
*પ્રાર્થના* સર્વ ધર્મ અને ૐ તત્ સત્ તેમજ ગાંધીનું પ્રિય ભજન વૈષ્ણવ જન તો… સાથે મનુષ્ય ગૌરવ ગાન અને ઘડિયા તથા અભિનય બાળગીત ફરજીયાત થાય છે. તેની સાથે વાર્તાઓ તો ખરી જ. પ્રાર્થનાના મધ્યમાં *આજનું ગુલાબ* આ પ્રકલ્પ દ્રારા બાળકોમાં સ્વચ્છતા શિખવા મળે છે. જેમાં કુમાર અને કન્યા બંન્ને જે બધાથી વધુ સ્વચ્છ હોય તેમને મહામંત્રી અને પ્રાર્થનામંત્રીની મસલતથી *આજના ગુલાબ* તરીકે પસંદગીનો કળશ ઢોળીને ઉભા કરી તેમનું અભિવાદન કરવામાં આવે છે. સાથે-સાથે *આજ મારી શાળામાં ખિલ્યા છે ગુલાબ* જેવું ગીત ગાઈને અભિવાદન કરવામાં આવે છે. બાળક આજનું ગુલાબ થયાનો આનંદ મેળવી આખો દિવસ ઉત્સાહમાં રહે છે. બીજા બાળકોને પ્રેરણા મળે છે.
*આજનો દિપક* જે દિવસે બાળકનો જન્મ દિવસ હોય એની ઉજવણી કરવામાં આવે છે. કંકુ-ચોખા થી તિલક કરીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવવામાં આવે છે. બાળક રાજી થાય છે.
*રામદુકાન* માં થી શાળાપયોગી ચીજવસ્તુઓ મળે. જે સ્વયંશિસ્તથી ચાલે. વસ્તુ લેવાની અને લખેલ કિંમત ચૂકવી પૈસા મૂકી દેવાના. સાંજે શિક્ષક-વિદ્યાર્થી સાથે મળીને હિસાબ ચકાસે એટલે વસ્તુઓ અને નાણાં નો હિસાબ મળી રહે એનું નામ રામના ભરોંસે ચાલતી દુકાન એટલે જ *રામદુકાન*.
*અક્ષયપાત્ર* આ પાત્રમાં દર અઠવાડિયે એક સામાન્ય બાકસ નાં ખાલી ખોખામાં મૂઠી અનાજ લાવી અક્ષયપાત્રમાં અનાજ એકઠુ કરે અને પછી ચબુતરે ચણ નાખવામાં આવે. *હાથીને મણ અને કીડીને કણ* એ કહેવત અહીં સાકાર થાય છે.અક્ષયપાત્ર એ એવું પાત્ર છે કે જેનાથી બાળકો જીવદયાપ્રેમી બને. પક્ષીપ્રત્યે પ્રેમ વધે.
અક્ષયપાત્રને કારણે અમારી શંખેશ્વર (તિર્થ) ખાતે એક શાળામાં પ્રાર્થના સમયે વિહારમાં જૈન મહારાજ સાહેબ આવ્યા. જોગાનુજોગ તે દિવસે ગુરુવાર હતો.દર ગુરુવારે અક્ષયપાત્રમાં અનાજ વિદ્યાર્થીઓ લાવતા.મહારાજ સાહેબે અક્ષયપાત્ર જોતાં જીવદયાપ્રેમી શાળામાં અપાતા શિક્ષણથી પ્રભાવિત થઈ શાળાને રપ૦૦૦૦(પચીસ) લાખનું દાન આપવામાં આવ્યું.
*ખોયા-પાયા* કોઈની વસ્તુ ખોવાઈ હોય અને જડે તે આ પાત્રમાં મૂકે.જેની વસ્તુ ખોવાઈ હોય તે પહેલા ખોયા-પાયા માં શોધ કરે. સામાન્ય ટાંકણી થી સોનાના દાગીના ખોવાયા સુધીની ખોવાયેલી વસ્તુઓ અહીં ખોયા-પાયા પાત્રમાં હોય.
સોનાની વીંટી અને રોકડ રકમ પરત મળેલ છે.
*અક્ષય દ્રવ્ય* જરુરીયાત મંદ બાળકને આર્થિક મદદરૂપ થવાય અને પ્રવાસ પર્યટનમાં ઉપયોગી થાય છે.
ગુજરાત રાજ્યની તમામ શાળાઓમા આ બધા પ્રકલ્પો ને બવધુને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગુણોત્સવમાં ગુણવત્તા લક્ષી શિક્ષણ સાથે મૂલ્યલક્ષી શિક્ષણનાં ગુણાંક પણ આપવામાં આવે છે.
દરેક બાળક માં સત્ય-પ્રેમ-કરુણા, પ્રમાણિકતા,વફાદારી અને નિષ્ઠા જેવા ભાવો પ્રગટ થાય છે.
આ પ્રોજેક્ટનાં જન્મદાતા ડૉ જી એન ચૌધરી સાહેબ છે.જેઓ પાટણ-મહેસાણા,અમરેલી, સુરેન્દ્રનગર અને પાલનપુર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન (ડાયટ) માં પ્રાચાર્ય તરીકે ઉમદા ફરજ બજાવેલ છે.
ડૉ ચૌધરી સાહેબ હાલે વય નિવૃત્ત હોવા છતાં પ્રવૃત્ત રહીને મહેસાણા ખાતે *આલોક એજ્યુકેશન ટ્રસ્ટ* બનાવી તે અંતર્ગત રાજ્યની અનેક શાળાઓ સ્વૈચ્છિક અનુપમ – તિર્થ શાળામાં જોડાઈ છે અને મૂલ્યલક્ષી શિક્ષણની જ્યોત સદાયને માટે જલતી રાખવા સલાહ સૂચનો આપવામાં આવે છે. તેમનાં ઉમદા વિચારો સાથે તેમણે આપેલ સૂત્ર *શિક્ષકમાં ક્ષણ અને શિક્ષણમાં જણ* ને સકારાત્મકતા થી લેવા મહત્વનુ યોગદાન છે.
અનુપમ શાળા પ્રોજેક્ટથી પ્રાથમિક શાળાઓમાં મૂલ્યલક્ષી શિક્ષણનો પાયો મજબૂત થયો છે.અણસાર અને આભાસ નજર સમક્ષ સતત રમ્યા કરે છે.
ડૉ જગદીશ કે રણોદરા (બંધવ)
વીસાવડી-વરણોસરી-શંખેશ્વર-વાહેદપુરા
[9/24, 6:38 PM] Pravina Kadakiya.MeM NOG Houston: NOG SSN 0089
પ્રવિણા કડકિઆ
પદ્ય
વિષય આભાસ— અણસાર
શીર્ષક અનિશ્ચિત
——
તારા આગમનનો ન કોઈ અણસાર
તને ભેટીને જીવન રિસાય
તારું આવવું અનિશ્ચિત છે
—
વારે વારે થાય તેનો આભાસ
સાજે માંદે દેખાડે ચમત્કાર
તારું આવવું અનિશ્ચિત છે
–
આજે કે કાલે સવારે કે સાંજે
વરસાદ ઠંડી કે બળતે બપોરે
તારું આવવું અનિશ્ચિત છે
–
આભાસ અણસાર દિલમાં છુપાયા
ભલભલાનાં કાળજા કંપાયા
તારું આવવું અનિશ્ચિત છે
–
આભાસ જેને સ્વપ્ના માં થાતો
અણસાર સુણી થર થર કાંપતો
તારું આવવું અનિશ્ચિત છે
–
તારા મહિમાની ચર્ચા થાય
મોટા યોગીઓથી ભેદ ના કળાય
તારું આવવું અનિશ્ચિત છે
–
મૃત્યુનો “આભાસ યા અણસાર”
ગમે કે ન ગમે અનિવાર્ય છે
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
[9/25, 7:10 AM] Nikhil Kinariwala.MeM: *NOG SS No* : *0110*
*પ્રકાર : ગદ્ય- *લઘુવાર્તા*
*વિષય* : *અણસાર – આભાસ*
*શબ્દો* : *૩૪૬*
*શીર્ષક* :*’દીકરી વ્હાલનો દરિયો’*
*લેખકનું નામ* : *નિખિલ કિનારીવાળા (અમદાવાદ)*
દીકરી શ્વેતાના લગ્ન થયે ૧૫ દિવસ વીતી ગયા. સાસરે વિદાય કર્યા પછી જતીનભાઈને હજુ એવો આભાસ થાય છે કે શ્વેતા ક્યાંક આજુબાજુમાં જ છે. લગ્નના ત્રીજા દિવસે તો તે પતિ રાકેશ સાથે હનીમૂન ઉપર મોરેશિયસ ચાલી ગઈ. આમેય દીકરી અને તેમાંય સૌથી નાની એટલે પપ્પાની વધુ લાડકી. મમ્મી સ્મિતાબેન તરફથી શ્વેતાને ક્યારેક વઢ પડી જતી પરંતુ પપ્પા માટે તો તે હંમેશા વ્હાલનો દરિયો જ રહી. અને કેમ ન હોય? એવી હસમુખી, મીઠડી, વાચાળ અને ટીખળી છોકરી. તેની એક એક વાતમાં નિર્દોષતા છુપાયેલી રહેતી.
શ્વેતાની જ પસંદના યુવક રાકેશ સાથે તેના લગ્ન લેવાયા. રાકેશ ખૂબ સમજુ, સંસ્કારી, ઓછાબોલો પણ સરળ સ્વભાવનો યુવક હતો. બંને વચ્ચે ખૂબ પ્રેમ હતો અને માતા-પિતા તરીકે જતીનભાઈ અને સ્મિતાબેનને પૂરો વિશ્વાસ હતો કે શ્વેતાને રાકેશ જિંદગીભર સુખી રાખશે. લગ્ન પહેલાં જતીનભાઈ શ્વેતાના માથે હાથ ફેરવીને કહેતાં કે, તું હવે અમને એકલા મૂકીને ચાલી જવાની. અમને કેમ ગમશે? મીઠડી શ્વેતા પપ્પાને ભેટી પડીને ટીખળમાં જવાબ આપતી “હું ક્યાં જવા માગું છું તમે જ મને તમારા ઘરમાંથી વિદાય કરવા તત્પર થયાં છો.”અને જતીનભાઈની આંખો ભીની થઈ જતી.
સ્મિતાબેન જતીનભાઈ ની લાગણી સમજતા હતા. વારંવાર તેમને સમજાવતા કે દીકરી તો પારકી થાપણ જ કહેવાય. આપણી લેણદેણ પૂરી થાય એટલે દીકરીને વિદાય કરવી જ રહી. લગ્ન વખતે શ્વેતાએ પપ્પા જતીનભાઈ પાસે વચન લીધું હતું કે, વિદાય વેળાએ પપ્પા કે મમ્મી આંખમાં આંસુ સુધ્ધાં નહીં લાવે અને તે પોતે પણ નહિં રડે. અને સુંદર ઢીંગલી જેવી તૈયાર થયેલી શ્વેતા હસતાં ચહેરે ચહેકતી ચહેકતી પપ્પા-મમ્મીને એક ટાઈટ હગ આપીને બાય બાય કહેતી સાસરે ચાલી ગઈ.
સાસરે વિદાય થયા બાદ બીજા દિવસે પગફેરા માટે શ્વેતા ઘરે આવી. તેના મોં ઉપર તાજગી અને ખુશી છલકતી જોઈને જતીનભાઈ અને સ્મિતાબેનને ખૂબ સંતોષ થયો. “હવે પાછી ક્યારે આવીશ?”ના જવાબમાં પપ્પા જતીનભાઈને શ્વેતાએ આંખો મિચકારી ટીખળ કરતાં જવાબ આપ્યો “તમે બોલાવશો ને હું હાજર થઈ જઈશ.” સહુ હસી પડ્યાં. બીજા દિવસે તો શ્વેતા અને રાકેશ હનીમૂન માટે મોરેશિયસ જવા નીકળી ગયા. પાછા આવીને તેઓ રાકેશની જોબ બેંગ્લોર હોવાથી બેંગ્લોર ચાલ્યા જવાના છે. આ બધાનો અણસાર હોવા છતાં હજુ જતીનભાઈનું મન તેમની દીકરી તેમનાથી દૂર જઈ રહી છે તે સ્વીકારવા તૈયાર નહોતું. શ્વેતાની ચહલ પહલ અને તેના મસ્તીખોર અવાજનો સતત આભાસ થયા કરતો હતો.
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨
[9/25, 10:16 AM] Devyani.Bombay.MeM: NOG SS No :
પ્રકાર : પદ્ય
શિર્ષક : છે
વિષય : અણસાર
રચનાઃ
પ્રેમ માં પડ્યાનો એ અણસાર છે.
જિંદગીને સાંપડી પતવાર છે.
આજ તો વરસાદ ના એંધાણ છે.
મોરલાના ગીતનો ટહુકાર છે.
બોલવામાં હોય નમ્રતા ઠીક છે.
મૌન જાણે મ્યાનમાં તલવાર છે.
વાત નાની થી જ અહમ ઘવાય છે.
શબ્દ સાચો એક બસ આભાર છે.
‘દિવ્ય’જીવન ને મરણ નિશ્ચિત છે.
શ્વાસ ને લાગે જતાં પળવાર છે.
નામ : દિવ્યા દેઢિયા’દિવ્ય’
સ્થળ :વડાલા (મુંબઈ)
[9/25, 3:03 PM] Jyotindra Maheta.MeM.NOG: NG/022
વિષય: અણસાર – આભાસ
પ્રકાર: ગદ્ય
શીર્ષક: હ્રદય પરિવર્તન
તેણે ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. ચારેતરફ નીરવ શાંતિ હતી. વૃક્ષોનાં પાંદડાં પવનને અભાવે સ્થિર થઈ ગયાં હતાં. તે બદનામ ગુંડો હતો, પણ આજે પહેલીવાર તેના મનમાં ભય ઉત્પન્ન થયો હતો. તેને લોકો પવા ભારાડીના નામે જાણતા હતા. આમ મૂળ નામ પવન હતું અને ગામડામાંથી શહેરમાં નોકરી કરવા આવ્યો હતો.
ફેક્ટરીના ચોકીદાર તરીકે નોકરીએ લાગ્યો ખરાબ મિત્રોની સોબતને લીધે તેના ખર્ચા વધવા માંડ્યા અને વધુ પૈસા મેળવવા તેણે ફેક્ટરીમાં ચોરી કરાવી. પોલીસ તપાસમાં તેનું નામ ખુલતાં તેને જેલ થઈ ગઈ. જેલમાં ગયા પછી તે એક ગેંગ સાથે જોડાઈ ગયો અને જેલમાં તેની નિયમિત અવરજવર શરૂ થઈ ગઈ.
તેની ખ્યાતિ વધવા લાગી, તેને મોટાં કામ મળવાં લાગ્યાં અને તે ગેંગના બોસનો જમણો હાથ બની ગયો.
તે સમયમાં તેની મુલાકાત રાજેશ સાથે થઈ. રાજેશ સમાજસેવક હતો. તેની સાથે વાત કર્યા પછી પવનનું હ્રદય પરિવર્તન થઈ ગયું. પવનને લાગ્યું કે તે ખોટા રસ્તે જઈ રહ્યો છે. પવને ગેંગની માહિતી આપવાનું અને આત્મસમર્પણ કરવાનું નક્કી કર્યું, પણ ગેગના બોસને માહિતી મળી ગઈ અને તેણે રાજેશનું ખૂન કરાવી દીધું.
પવન હવે એકલો પડી ગયો હતો. તેના ખભા ઉપર લટકી રહેલ થેલામાં ગેંગના સભ્યો વિશે માહિતી હતી. તે ચાલી રહ્યો હતો ત્યારે તેને આભાસ થયો કે કોઈ સાથે ચાલી રહ્યું છે જાણે કોઈ રક્ષક. તે પોલિસ સ્ટેશન જવા નીકળ્યો ત્યારે લાગ્યું હતું કે રસ્તામાં જ તેનું ખૂન થઈ જશે. અચાનક કોઈ જૂનો સાથીદાર તેની સામે આવી જશે અને તેને મારી નાખશે. તેને લાગ્યું કે રાજેશ તેની સાથે જ ચાલી રહ્યો છે અને તે વિચારથી તેનો આત્મવિશ્વાસ પાછો ફર્યો અને મક્કમ મને પોલિસ સ્ટેશન તરફ આગળ વધ્યો.
જ્યોતિન્દ્ર મહેતા
[9/25, 3:55 PM] Kajal.MeM: NOG SS No :
પ્રકાર : પદ્ય
શિર્ષક : આભાસ
વિષય :અણસાર
માનવી ભલે મોહ વશ લાચાર હોય છે,
સત અસતનો એને પણ અણસાર હોય છે.
જિંદગી ભર હો ચાલતી શબ્દો તણી ભરમાર,
બસ પ્રાર્થનામાં શબ્દોનો શણગાર હોય છે.
ફોગટ કશું મળતું જ નથી આ જગતમાં, તોય –
માવતર રૂપી વરદાનની ક્યાં દરકાર હોય છે!
શોધવા નીકળ્યાં છીએ ખુશીઓનાં કારવા,
સંસારમાં કેવળ દુઃખોની વણઝાર હોય છે.
લાગણીઓનાં પૈંડે જ પડી જાય છે પંક્ચર,
બાકી તો જિંદગીની ઠાકઠીક રફ્તાર હોય છે.
રૂગણાલયોની ક્યાં કમી છે આ શહેરમાં’કાજ’,
પણ દર્દે દિલની ક્યાં અહીં સારવાર હોય છે!
આમ તો સૌએ એ લણ્યું જે વાવ્યું હતું,
તોય સ્વ કર્મફળની ઈશને તકરાર હોય છે.
નામ : કાજલ શાહ
સ્થળ :મુંબઈ.
[9/25, 4:55 PM] Ragini Shukla.MeM.NOG.Bombay: ,NOG SS NO – 0050
વિષય – અણસાર -આભાસ
પ્રકાર – પદ્ય મૌલિક
શીર્ષક – અણસાર આપજે
તા -૨૫/૯/૨૦૨૨.
………………………..……..
આપો અમને અણસાર એવો..?
એક વાર ખબર લેતાં જજો પ્રભુ..?
અમે તમારાં નાનાં બાળ..!
સફળ થવા અમને વિજય રથ પર સવાર થતાં આવડે એવી મતી આપજો..!
ભોગ ,ત્યાગ, માયાની ઉલઝન ઘણી..!
હર કદમ તારી માયાજાળ લાગે…!
મુસીબતો હજારો આવે પ્રભુ..!
પણ મુકામે પહોંચાડી દીધાં તમે..!
નયનોથી કર્યું તે નિમંત્રણ,
સંઘ બની સમાધિમાં બંધ નયનો કર્યા..!
વરસોની તન્હાઈ તૂટી,
નવો રંગ ખીલે અંધારી રાતે..!
તન્હાઈ તૂટી , રંગ ખીલિયા નોખા…!
અહમનું હું પણું ઓગળી ગયું…!
હું તારામાં સમાઈ જાવ એવાં અણસાર આપજે પ્રભુ ..!
અશક્ય તો ક્યાંય કશું જ છે..!
જો શક્ય હતું તે પામવા માટે વર્ષો વીતી ગયાં…!
તને ખોળતા ખોળતા જિંદગીનાં મારાં અનુપમ વર્ષો વહી ગયાં..!
પણ તમે તો મુંજ હૃદયે નયનોમાં જ વસો છો..!
આજ મને અણસાર થયો એવો..!
ને તમે આંખ મીંચામણાં કરો છો આ જગત મહીં..!
આંખ બંધ કરું ને અંતરની દ્રષ્ટિથી તમે દેખાવ છો માત્ર..!
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ.
[9/25, 5:39 PM] meghna.MeM: NOG SS NO 0117
વિષય: આભાસ/અણસાર
‘આભાસ ‘
આજે ૫ વર્ષ બાદ સ્કૂલની રીયુનિયન પાર્ટીનું આયોજન થયું હતું. બધા જ લોકો એકબીજાને મળવા ખુબ ખુશ હતા. મીરા પણ એકદમ સરસ તૈયાર થઈને આવી હતી.એ હોટેલ પર પહોંચી.મોટા ભાગના લોકો આવી ગયા હતા પણ , મીરા તો મયંકને મળવા જ આવી હતી. તે બધાને મળી અને પછી દૂર એક ટેબલ પર જઈને બેસી ગઈ. ત્યાં પવનની લહેર આવીને એકદમ સરસ કોઈના પરફ્યુમ ની સુગંધ આવી. મીરાને અણસાર આવી ગયો કે, આ મયંકના પરફ્યુમની જ ખુશ્બુ છે.તે ખુશી ખુશી પાછળ વળી ત્યાં જ એને મયંક દેખાયો. તે પણ મીરાને મળવા જ આવતો હતો.
“હાય મીરા”
“હાય મયંક. કેમ છે ?”
તે એને ગળે મળવા જતી હતી, ત્યાં જ તેનું ધ્યાન મયંકની સાથે આવેલી એક છોકરી પર પડ્યું.
“મયંક, આ કોણ? હું ઓળખી ન શકી.”
“ક્યાંથી ઓળખે ? આ મારી ફિયાંસી છે; રીયા.”
“ઓહ! હાય. નાઈસ ટુ મીટ યું.”
“સેમ હિયર”
એ પછી મયંક અને રિયાતો બીજા લોકોને મળવા જતા રહ્યા, પણ મીરા વિચારતી રહી ગઈ કે,
” આખી સ્કુલ જાણતી હતી કે, મયંક મને કેટલો પસંદ હતો. મયંકને આ બાબતનો જરાય આભાસ નહિ થયો હોઇ? હું આજે એને મારા દિલની વાત કહેવા જ આવી હતી. પણ આ તો એણે જ મને આઘાત આપ્યો. શું સાચે જ મયંકને મારી લાગણી નો જરાય આભાસ નહિ હોઇ ?”
– મેઘના કામદાર
[9/25, 5:46 PM] Pradip Raval: NOG SS No:0001
પ્રકાર: ગદ્ય
વિષય : અણસાર – આભાસ
શિર્ષક : અણસાર,આભાસ નો સ્વ અનુભવ …
જીવનમાં ક્યારેક એવી ઘટનાઓ બની જતી હોય છે કે જેના પ્રત્યે તમને ખૂબ લગાવો હોય કે પ્રેમ હોય અને જાણે દિલના તાર એકબીજાને મળી ગયા હોય તો પરસ્પર કોઈપણ અઘટીત ઘટના બનવાની હોય તો જે એક ખ્યાલ રૂપે આવે છે એને અણસાર કહી શકાય.. એવી જ રીતે જીવનમાં ઘણી બધી ઘટનાઓના ઘણા બધા જીવનના વ્યવહારિક કે સામાજિક પ્રસંગોમાં એક આભાસ થતો હોય છે આવી ઘટનાઓને પ્રત્યેક વ્યક્તિના જીવનમાં અનુભવાતી હોય છે અને એ બિલકુલ વિભિન્ન હોય છે જેને શું કહેવું તેવો મનમાં ગણઘણાટ થતાં જ એમ થઈ ગયું કે આ અણસાર અને આભાસ શબ્દને આપણા ગ્રુપમાં વિષય તરીકે મૂકીએ તો આવો લોકોનું આ બાબતે શું અભ્યાસ છે તે સર્જકોની કલમે જાણવા મળે બસ આ પણ એક અણસાર અને આભાસ જ કહેવાય..
સંચાલક : પ્રદીપ રાવલ
[9/25, 5:49 PM] Dr. Manisha Vyas,AcharyaMeM.NOG: *NOGSS NO-* 0088
*વિષય-* અણસાર / આભાસ
*પ્રકાર-* પદ્ય
*શીર્ષક-* દીકરી સંગે
*નામ-* ડૉ. મનીષા વ્યાસ
*(સૌ મિત્રોને દીકરી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ)*
મારી કુંખમાં તારા પાંગરવાના જ્યાં મળ્યા સુખિયા વાવડ..
હૈયે ઉભરાઈ આનંદની હેલી ને જાગ્યા કાંઈ અવનવા દોહદ..
રોમરોમ નવીન ઇચ્છાઓની ફૂટી હરિયાળી વનરાઈ..
રાતદિન તારા આવવાની જાણે મનમાં ગુંજતી શરણાઈ..
તું રમતી આળોટતી ને ધીરેથી હળવે ઠેસ મારતી કુંખે..
જાણે એ જ વર્તારે મા બનવાની ખુશી ઉઠતી મુખે!
રુદને તારાં, અણસાર પામી અવની પરના અવતરણે…
બન્યાં હર્યા-ભર્યા અહોભાગી માબાપ દીકરીના સગપણે..
માબાપનું પ્રતિબિંબ સદા ઝીલાતું તારી સઘળી વર્તણૂકે!
નાજુક નમણી સોહામણી! અદ્દલ માના જેવા અણસારે…
નથી કોઈ ભેદ પ્રસૂતિ પીડામાં જો હોય દીકરી કે દીકરો..
તો શું કામ? એવું સૌ ઈચ્છે કે કાયમ જન્મે જ દીકરો..
આવો સૌ પ્રકૃતિ નિયમનની કરીએ હરખી વધામણી!
જન્મીને તું જુગ-જુગ જીવ વ્હાલી, ઝાઝા જુહાર દીકરી!
[9/26, 11:20 AM] Babu Sangada.પત્રકાર: શિર્ષક :-નવરાત્રિ /બાબુ સંગાડા”મહેક”
NOG 109
પ્રકાર :-ગધ
નવરાત ,આસ્થા ને આનંદનો ઉત્સવ છે,પૂનમની રાત હોય ને પોયણીઓ મઘમઘાટ ખીલ્યો હોય ત્યાંરે રાતના આછા અંધકાર વચ્ચે કોયલનો ઘેઘુર ટહુંકો પડી જાયને ચારેબાજું અંજવાસની ગરીમાં હાચવી રાખવા ઉતરી પડતી મજનુંની જમાતો જેવું યૌવન હિલોળે ચડે,ત્યારે જેના શરીરમાં દમ ના હોય તે વયોવુૂધ્ધજનો મા આધશક્તિને રીજવવા ગાંડા બની જતા હોય છે.નવરાત અસૂરી તાકાતો દૂર કરી,તેના વિજયોત્સવનો આ તહેવાર માનવમૂલ્યોનું સ્થાપન કરવાનું કામ કરે છે,જીવનની સાચી હકિકતથી માનવને પરિચિત કરે છે.
આજે આ તહેવારો ,ઉત્સવો,આનંદના સાધનો બની ગયા છે
માણસ પોતાના હિતો પ્રસ્થાપિત કરવાનું કામ કરે,તમે જોશો દરેક જગ્યાએ ધર્મની આડમાં માણસ ધંધાખોલી નાખે,તે પછી વ્યપારનું કામ કરે છે,તમને થાય કે આવું હોય શકે?ઈશ્વર આસ્થાનું નામ છે?હા આજે તમે જોશો તો દરેક ધર્મસ્થાનો તેની આડમાં ધંધો કરે છે,તમે મા આધશક્તિના ગરબા રમો
હવે એ રમવા પાછળ તમારી માનસિકતા શું છે તમે જાણો છો,
કેમકે દરેક પોતાની વૈચારિકતાના આધાર પર આસ્થાનું વર્ગીકરણ કરે છે.
આપણે માનવમૂલ્યો પ્રસ્થાપિત કરવા હંમેશા કોશિષો કરતા હોઈએ,ધર્મ એટલે શું?માનવમૂલ્યોનું યોગ્ય રીતે જતન કરવા માણસ ધર્મનાે સહારો લેતો હોય છે,પણ માણસ પોતાને ભૂલી ત્યાંરે જાય જયારે માણસ ઉપર ધર્મ હાવી બની જાય,ધર્મ એટલે યોગ્ય દિશા,યોગ્ય સંસ્કાર,યોગ્ય માપદંડ સાથે જીવનને પ્રતિબંધીત કરવું.અર્થાત જીવનને યોગ્ય સીમારેખામાં રાખી જીવંત બનાવવાનું માધ્યમ એટલે ધર્મ .નવરાત્રિ નવ નવ દિવસ સુધી હૈયાને આનંદપ્રમોદ કરાવે છે,અહીં માણસ પોતાની જાતને ભૂલી જાણે વસંતના તોરમાં ગુજરવા લાગે છે,આસ્થા સાથે યૌવન આરુંઢ થાય ત્યાંરે ઘણીવાર આસ્થાની મશ્કરી થતી હોય છે.ખેર જે હશે તે માણસની વૈચારિકતા ઉપર આસ્થાનો આધાર ટકેલો છે,જેની જેવી આસ્થા એવી તેની ભક્તિ હોય છે.આજે નવલા નોરતા માણસ માટે ખુશી,આનંદ ઉત્સાહ ભરી જાય એ પાકું છે.આસ્થા કેટલી કારગત નિવડે એ ઈશ્વર જાણે.
[9/27, 7:44 AM] Ramila Makvaana.MeM.: . NOG -120
શબ્દ : નવલી નવરાત
પ્રકાર : પદ્ય (અછાંદસ)
શિર્ષક : નવરાત્રી
શબ્દો : ૮૧
*નવરાત્રી*
આધ્યશક્તિ મા તારા નવલા દિવસો નવરાત્રી,
વંદન કરું હું મા તુજને નવલા દિવસો નવરાત્રી.
નવલી રાતોમાં રાસ-ગરબે ઘૂમતા ચાચર ચોકમાં,
તમારા કર્યા મા બેસણા નવલા દિવસો નવરાત્રી.
હવન-તવન ગાઈને આનંદ લૂંટતા તારા બાલુડા,
ખમ્માને હેમક્ષેમ રાખજો નવલા દિવસો નવરાત્રી.
અવનવા શણગાર સજીને દર્શન આપજે માવડી,
તારા દર્શનની આશ મા નવલા દિવસો નવરાત્રી.
લીલુડા માંડવડા રોપાય માવડી તારા મઢડે,
તારા ગુણલા નિત ગવાય નવલા દિવસો નવરાત્રી.
તારા મઢડા બધા ઝાકમઝોળ મા આદ્યશક્તિ,
*રમા* નાં દેવી પાટડી-ધામે નવલા દિવસો નવરાત્રી.
(જય મા આદ્યશક્તિ)
રમીલા ડી મકવાણા *રમા*
લાડુલા તા ભાભર જિ બનાસકાંઠા
[9/27, 9:52 AM] Mina Mangroliya.MeM.NOG: NOG. S.S. NO:0032
વિષય: નવલી નવરાત
શીર્ષક:- *મા દુર્ગા*
મા દુર્ગા પ્રથમ સ્વરુપ મા શૈલપુત્રી,
વૃષભ પર આરૂઢ,
ત્રિશૂળ જમણે હાથ,કમળ પુષ્પ ડાબે હાથ.
પ્રથમ દિવસે પૂજન મા શૈલપુત્રી.
મા દુર્ગા દ્વિતીય સ્વરુપ મા બ્રહ્મચારિણી,
તેનું આચરણ કરવાવાળી મા બ્રહ્મચારિણી
જેની માળા જમણે હાથ,કમંડળ ડાબે હાથ.
દ્વિતીય દિવસે પૂજન મા બ્રહ્મચારિણી
મા દુર્ગા તૃતિય સ્વરુપ મા ચંદ્રઘટા,
કપાળે અર્ધ ચંદ્રાકાર ઘંટ,
દસે હાથ ખડ્ગ, બાણ, તલવાર, ધનુષ,
તૃતિય દિવસે પૂજન મા ચંદ્રઘંટા.
મા દુર્ગા ચતુર્થ સ્વરુપ
મા કૂષ્માંડા,
મા કુષ્માંડાએ બ્રહ્માંડની રચના કરી
અષ્ટભુજામાં સર્વ સિધ્ધીદાયક જપમાળા
ચતુર્થ દિવસે પૂજન કૂષ્માંડા
.
મા દુર્ગા પંચમે સ્વરુપ મા સ્કંદમાતા,
કમળ પુષ્પ બંને ભૂજામાં
બાળસ્વરૂપ ભગવાન એક ભૂજામાં,
વરમુદ્રા ચોથી મહાભૂજામાં.
મા દુર્ગા છઠ્ઠે સ્વરુપ મા કાત્યાયની,
સિંહવાહિની આરૂઢ,
એક હાથમાં તલવાર, બીજે કમળ પુષ્પ ,
તૃતિય હાથ અભયમુદ્રા, ચોથે વરમુદ્રા.
છઠ્ઠે દિવસે પૂજન મા કાત્યાયની.
મા દુર્ગા સાતમે સ્વરુપ મા કાલરાત્રિ,
ગદર્ભ કાલરાત્રિનું વાહન,સદૈવ શુભ ફળદાયિની.
સાતમે દિવસે પૂજન મા કાલરાત્રિ.
મા દુર્ગા આઠમે સ્વરુપ મહાગૌરી,
વૃષભ આરૂઢ,શ્વેત વસ્ત્ર ધારણ.
આઠમે દિવસે પૂજન મહાગૌરી.
મા દુર્ગા નામે સ્વરુપ સિધ્ધીદાત્રી,
અર્ધનારેશ્વર સ્વરુપ, એક હાથમાં ચક્ર,
બીજે શંખ ત્રીજે ગદા,ચોથે કમળપુષ્પ.
નવમે દિવસે પૂજન સિધ્ધીદાત્રી.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
26/9/2022
[9/27, 11:28 AM] Sweta Talati.MeM.NoG: NG 0078
વિષય – હાસ્ય કાવ્ય
પ્રકાર – પદ્ય (દ્વિખંડી છંદમાં
૬ હુશ્ન મત્લા સાથે હઝલ)
શીર્ષક – શેરબજારના મંદી- ઉછાળ જેવો..
અલી, શેરના બજારે નિત મંદી ને ઉછાળો;
એ અરર સ્વભાવ એવો ઈવડાઈનોય હાળો.
ઈ રિસાળ પણ ખરો ને, કદી બડબડે છે ગાળો;
વધુ આવી જાય ગુસ્સો તો તો કાઢે બહુ વરાળો.
રહે ખંજવાળ એને, કરે વાંદરાનો ચાળો;
કોઈ તો મને બતાવો શું છે છૂટવાનો તાળો?
ઋતુ પણ કમોસમી થઈ, જો ગુલાબી હો શિયાળો;
રહી બેખબર અનાડી કરી એને દે ઉનાળો.
એ ઘણોય ધૂની મૂડી ને વિચિત્ર પણ છે હાળો;
દિલમાં છતાં એ મારાં કઈ રીતથી બુડાળો!
એ ચિબાવલો વણી દે છે સબંધમાંય જાળો;
છે જ ભાઈબંધ ખાસ્સા, ન ગમે જરાય સાળો.
છે અસમતુલા મગજમાં કદી કોઈ એને ખાળો;
યદિ ગાંડપણનો આવે કદી એકદમ ઉલાળો.
થયું એવું છે કજોડું કહું વાત ખાનગીમાં;
હું રુપાળી ખૂબ નમણી, છે એ કૂબડો ને કાળો.
વધુ કંઈ બબાલ કરશો નહીં પણ જરાક કહેજો;
છે અમારી સહેલી ‘શ્વેતા’ જો ‘એ’ વાયડાને ભાળો.
– શ્વેતા તલાટી
******************************** ગાંધીનગર કલ્ચરલ ફોરમ નવરાત્રી મહોત્સવ 2022.પ્રથમ નોરતે જામનગર કલા વૃંદ https://youtu.be/jzqq_D2Vzrw
ભાજપ પ્રદેશ સાંસ્કૃતિક સેલ દ્વારા ભાજપ ના ગરબા – ૨૦૨૨ @Janfariyadnews 📰 26 September 2022
NOG સાહિત્ય સરિતા ગ્રુપ🌹વિષય:”અણસાર- આભાસ” સાહિત્યિક રચનાઓ @Janfariyadnews 📰 26 September 2022
નવરાત્રી સ્પેશિયલ ચંડીપાઠ અધ્યાય-૪ મંજુલાબેન પંડ્યા Chndipath @Janfariyadnews 📰 26 September 2022
https://youtu.be/2HEgqSbe5i
નવરાત્રી ના પર્વ નિમિત્તે સૌને માં ભગવતી સુખ.શાંતિ.સમૃદ્ધિ આપે તેવી મા ના ચરણો મા પ્રાર્થના..
શ્રી સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ દ્વારા ગિરનારની ગોદમાં સહસ્ત્ર ચંડી યજ્ઞ તેમજ બ્રહ્મ રાસોત્સવ નું નવરાત્રી દરમિયાન સુંદર આયોજન.લોક કલાકાર માયાભાઈ આહિર@janfariyadnews
શ્રી સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ દ્વારા ગિરનારની ગોદમાં સહસ્ત્ર ચંડી યજ્ઞ તેમજ બ્રહ્મ રાસોત્સવ નું નવરાત્રી દરમિયાન સુંદર આયોજન.હાસ્યકલાકાર જીતુભાઈ દ્વારકાવાળા@janfariyadnews
શ્રી સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ દ્વારા ગિરનારની ગોદમાં સહસ્ત્ર ચંડી યજ્ઞ તેમજ બ્રહ્મ રાસોત્સવ નું નવરાત્રી દરમિયાન સુંદર આયોજન.કથાકાર પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા@janfariyadnews
શ્રી સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ દ્વારા ગિરનારની ગોદમાં સહસ્ત્ર ચંડી યજ્ઞ તેમજ બ્રહ્મ રાસોત્સવ નું નવરાત્રી દરમિયાન સુંદર આયોજન.કથાકાર: પૂજ્ય શ્રી જીજ્ઞેશ દાદા @janfariyadnews
https://youtu.be/N6ePidAPrww
શ્રી સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ દ્વારા ગિરનારની ગોદમાં સહસ્ત્ર ચંડી યજ્ઞ તેમજ બ્રહ્મ રાસોત્સવ નું નવરાત્રી દરમિયાન સુંદર આયોજન. લોક કલાકાર શ્રી સાંઈરામ દવે@janfariyadnews
નોધ: સર્વ સમાજ માં બનતી રાજકીય,સામાજિક,કાયદા કાનૂન અન્ય ઘટનાઓ ના સમાચાર.વિડિયો અમોને નિર્ભય,નિષ્પક્ષ રીતે અમારી યું ટ્યુબ માન્યતા પ્રાપ્ત ચેનલ,ગૂગલ માન્યતા પ્રાપ્ત પોર્ટલ ન્યૂઝ તેમજ અમારા દૈનિક.સાપ્તાહિક દેશ વિદેશ ના અખબાર માં પ્રસિદ્ધિ માટે અમારા વોટ્સ અપ (9824653073)Email : prdpraval42@gmail.com
મોકલી આપશો.
www.janfariyadnews.com
આજનાં @Janfariyadnews ચેનલ સમાચારો ની લીંક નીચે મુજબ છે (૨૮/૯/૨૦૨૨મંગળવાર)
થેલેસેમિયા.હિમોગ્લોબીન પ્રદેશ ભાજપ ડોકટર સેલ દ્વારા ૭૫૦૦૦ હજાર બહેનો નું ચેકઅપ.૭૫૦ કેન્દ્ર ઉપર ૨૦૦૦ ડોકટર દ્વારા થતા વર્લ્ડ ઓફ રેકોર્ડ લંડન સંસ્થા નું પ્રમાણપત્ર ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ ને આપવામાં આવ્યું..કમલમ ખાતે
મેરાણી રાસડા નવરાત્રી Merani Rasda Porbandar Navratri @Janfariyadnews 📰
શ્રી સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ દ્વારા સહસ્ત્રચંડી યજ્ઞ બ્રહ્મ રાસોત્સવ..પૂર્વ પ્રમુખ શ્રી છેલભાઈ જોશી.જૂનાગઢ @Janfariyadnews 📰https://youtu.be/ugAsbaAydQQ
શ્રી સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ દ્વારા સહસ્ત્રચંડી યજ્ઞ,બ્રહ્મ રાસોત્સવ .વિશ્વ હિન્દુ પરિષદ ની બહેનો e aaje માણેલો લહાવો.. @Janfariyadnews 📰https://youtu.be/fMpgMnBLby4
નોધ: સર્વ સમાજ માં બનતી રાજકીય,સામાજિક,કાયદા કાનૂન અન્ય ઘટનાઓ ના સમાચાર.વિડિયો અમોને નિર્ભય,નિષ્પક્ષ રીતે અમારી યું ટ્યુબ માન્યતા પ્રાપ્ત ચેનલ,ગૂગલ માન્યતા પ્રાપ્ત પોર્ટલ ન્યૂઝ તેમજ અમારા દૈનિક.સાપ્તાહિક દેશ વિદેશ ના અખબાર માં પ્રસિદ્ધિ માટે અમારા વોટ્સ અપ (9824653073)Email : prdpraval42@gmail.com
મોકલી આપશો.
www.janfariyadnews.com
*BREAKING*
ગાંધીજયંતિના રોજ રજનીકાંત ભારતીયના આમરણાંત ઉપવાસ
ગુજરાત જનતા જાગૃતિ મંચ