[7/21, 8:28 PM] Pradip: NOG SS NO : 117
શીર્ષક : ‘ સંગીત ની વાતો ‘
પ્રકાર : ગદ્ય (લેખ)
‘ સંગીત ની વાતો ‘
જે શબ્દ માં જ ગીત રહેલું છે, એવા સંગીત ની અવનવી વાતો આજે લઈને આવી છું.સંગીત અને સુર આ બે શબ્દ જ કેટલો હાશકારો આપે છે ! અને જ્યારે સંગીત ની વાત આવે ત્યારે આ સંસ્કૃત પંક્તિઓ યાદ આવે જ આવે.
साहित्यसङ्गीतकलाविहीनः साक्षात्पशुः पुच्छविषाणहीनः । तृणं न खादन्नपि जीवमानस्तद्भागधेयं परमं पशूनाम् ॥
અર્થાત્ જે મનુષ્ય સાહિત્ય, સંગીત અને કલા થી પરે છે, એ પૂંછ અને શિંગડા વગર ના સાક્ષાત જાનવર સમાન છે. એ ઘાસ ખાધા વગર જ જીવે છે,એ પશુઓ નું સદભાગ્ય છે.
સંગીત માટે એવું કહેવામાં આવે છે કે, બ્રહ્મા એ નારદ મુનિ ને સંગીત વરદાન માં આપ્યું હતું. ભારતીય સંગીત ના મૂળ સ્રોત વેદ ને માનવામાં આવે છે. વેદો નું જ્ઞાન મૌખિક રીતે જ ગુરુ – શિષ્ય પરંપરા માં પ્રાપ્ત થતું. ભારતીય સંગીત ની વિશેષતા જ કંઇક અલગ છે. આટ – આટલી વિશિષ્ઠ શૈલીમા જે ગવાયું છે તેની વાત અત્યંત નિરાલી છે.શાસ્ત્રીય સંગીત, ઉપશાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત અને લોક સંગીત એમ ચાર વિભાગો માં વહેચાયેલું છે આપણું ભારતીય સંગીત. કહેવાય છે કે, સંગીત નો ઇતિહાસ પાંત્રીસ હજાર વર્ષ જુનો છે.
સંગીત માત્ર તેના સાત સુર થી જ છે એવું નથી. પંખીઓ નો કલરવ હોઇ,કે પછી પગમાં ઝાંઝરી પહેરીને પા – પા પગલી કરતી ઘરની લાડકવાયી દીકરી હોઇ,કે પછી રસોડા માં રસોઈ કરતી સ્ત્રી ની બંગળી ની ખનક હોઇ,કે રાત્રે બાળક ને હાલરડું ગાઈ ને સુવડાવતી માતા હોઇ,કે ગામડામાં સવાર ના પહોરમાં વલોણું ચલાવતી સ્ત્રી હોઇ દરેક ના રણકાર માં સંગીત ના સુર છે. દરેક ના ઝણકાર માં અલગ જ મીઠાશ છે.તેને ન તો કોઈ સુર ની જરૂર છે કે ન તો કોઈ લય કે તાલ ની.સૌ પ્રથમ વખત જ્યારે સંગીત ના સુર છેડાયા હશે એ ક્ષણ કેવી અદભુત હશે..!! તેની કલ્પના માત્ર થી જ રુવાડાં ઊઠી જાય છે.
વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ સંગીત માનવશરીર માટે ખુબ ફાયદાકારક છે.સારું સંગીત મનુષ્ય ના હૃદય ને તંદુરસ્ત અને મગજ શાંત રાખે છે. માતા ના ઉદર માં રહેલું બાળક પણ સંગીત સાંભળી શકે છે અને તેની સામે પ્રતિક્રિયા પણ આપે છે. વૈજ્ઞાનિકો એવું પણ કહે છે કે, જો સંગીત ચાલુ કરીને ઝાડ – પાન ને પાણી પીવડાવવા માં આવે તો તેની વૃદ્ધિ ઝડપથી થાય છે.
આ તો માત્ર એક નાનકડી ઝલક છે પણ, સંગીત અને સુર માટે તો ગ્રંથો લખાય તો પણ ઓછા છે.
– મેઘના કામદાર
[7/22, 3:24 AM] Dr.Aniruddh Vyas.MeM.0082NOG: N o g : s s 0082
પ઼કાર : ગદ્ય
શીર્ષક : સુર ,સંગીત, અને સાધના
સા, રે ,ગ ,મા, પ, ધા ,ની ,સા
આ સંગીતની સૂરાવલી એ એકમાત્ર સંગીત પૂરતી નથી ,
જીવનના ઊતાર ચઢાવમા પણ
સંગીતના આરોહ અવરોહ રુપિ
રિધમ જોવા મળે છે,
જયારે આપણા ધરમા કોઈપણ પ્રકારની મહત્વની ચર્ચા ચાલતી હોય ,અને તેને સર્વાનુમતે અનૂમોદન મળે,
તો તેને એકસૂરમા વધાવીએ ,
તેમા સંગીત રૂપી એક રાગની
પ્રતીતી થાય ,
આ જીવનમા જો ગીત સંગીત અને સ્વરને સમાવવામાં આવેતો
આધી વ્યાધિ અને ઉપાધિ થી મનુષ્યનું જીવન દુર થાય,
“જેનુ મન શુદઘ એનુ તન શુદઘ”
આ વાકયને સાર્થક કરવા માટે
દરેકના જીવનમાં સંગીત એક અનમોલ જડીબુટ્ટી સમાન છે,
વરસતા વરસાદ ની મોસમમા દરેક વ્યક્તિ ઓછાવતતા અંશે ધીમા અવાજે નાના મોટા અંશે ગીતોને ગણગણતો હોય છે,
હ્રદય ના એકખૂણામાં સંગ્રહ પામેલી જૂની યાદો ઠંડી સુવાસ અને મીઠી લહેરમા જીભ પર વગર આમંત્રણે ગોઠવાઈજાય છે,
સુર એ સંગીતનો પાયોછે
સૂરાવલી એ સંગીતની સીઙીછે
તાલબદ્ધ સંગીત મા સુર અને સૂરાવલી નો સંગમ થાય એટલે
સુમધુર, ગઝલ, ગીત,કવિતાની રચના નુ અવતરણ થાય,
ડોકટર અનિરૂદ્ધ વ્યાસ
એઙમનટન
કેનેડા
[7/22, 2:35 PM] Nikhil Kinariwala.MeM: *NOG SS No* : *0110*
*પ્રકાર : ગદ્ય- *નિબંધ લેખ*
*વિષય* : *સૂર, સંગીત અને સુરાવલી*
*શબ્દો* : *૩૪૯*
*શીર્ષક* : *’ તાના-રીરીની સંગીતની લગન’*
*લેખકનું નામ* : *નિખિલ કિનારીવાળા (અમદાવાદ)*
આજે જ્યારે આપણે સૂર અને સંગીતની વાત કરવી છે ત્યારે સૌ પ્રથમ સૂર-સંગીતમાં શ્રેષ્ઠ એવી ગુજરાતની દીકરીઓની ઇતિહાસમાં અમર થઈ ગયેલી વાત સહજ પણે યાદ આવી જાય. આ બંને દીકરીઓ એટલે ૧૬મી સદીમાં વડનગરમાં રહેતી, સંગીતના રાગ રાગીણીમાં નિપુણ જોડિયા બહેનો તાના અને રીરી.
તાના અને રીરી એ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈની પુત્રી શર્મિષ્ઠાની જોડીયા દીકરીઓ હતી અને ગુજરાતના વડનગરમાં નિવાસ કરતી હતી. નાગરોના નગર વડનગરની શાસ્ત્રીય સંગીત અને કળાના ક્ષેત્રમાં એક આગવી ઓળખ હતી. તાના-રીરી બંનેને ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં કુશળતા પ્રાપ્ત હતી. એવું કહેવાતું કે તાના-રીરી જ્યારે ઋતુઓ પ્રમાણે રાગ ગાતી ત્યારે તેની સીધી અસર પ્રકૃતિ, પ્રાણીઓ અને શ્રોતાગણની અનુભૂતિમાં પણ સ્પષ્ટપણે દેખાતી.
તે અરસામાં દિલ્હીમાં શહેનશાહ અકબરના દરબારમાં સંગીતના રાગના પ્રખર અભ્યાસી તાનસેને શહેનશાહ અકબરના શાહઝાદીની જીદને વશ થઈ દરબારમાં રાગ દિપક ગાઈને દિપક પ્રગટાવ્યા. તાનસેન જાણતા હતા કે, દિપક રાગ ગાવાથી તેમના શરીરમાં એવો દાહ ઉત્પન્ન થશે કે જે માત્ર રાગ મલ્હાર ગાવાથી શમી શકશે. હવે શરીરમાં બળતરાથી ત્રસ્ત તાનસેન સમગ્ર ભારતમાં રાગ મલ્હારના અભ્યાસીની શોધમાં નીકળી પડ્યા. ફરતાં ફરતાં તેઓ ગુજરાતના વડનગરમાં આવી પહોંચ્યા.
તળાવને કાંઠે સવારમાં પાણી ભરવા ઘડા લઈને આવેલી બહેનોમાં તાના-રીરી પણ સામેલ હતી. તાના-રીરીને અદભુત સંગીતના સૂર રેલાવતા જોઈને તાનસેનને વિશ્વાસ બેઠો કે આ બંને દીકરીઓ રાગ મલ્હાર ગાઈને તેના શરીરની જલન દૂર કરી શકશે. આ તરફ તાના-રીરી પણ તાનસેનને જોતાં જ સમજી ગઈ કે તેના શરીરમાં રાગ દિપકને કારણે ઉત્પન્ન થયેલો દાહ તેને પીડા દઈ રહ્યો છે. ઘરે જઈ તાના-રીરીએ પોતાના પિતાશ્રીને આ બાબતે વાત કરી. આ વાત સાંભળતા જ તાના-રીરીના પિતાશ્રી તળાવ તરફ દોડીને ગયા અને તાનસેનની કથની જાણી. તેમણે દીકરીઓ તાના-રીરી મલ્હાર રાગ ગાઈને તાનસેનને શરીરના દાહમાંથી મુક્તિ અપાવશે તેવું વચન આપ્યું.
વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવના મંદિરમાં તાના-રીરીએ રાગ મલ્હાર ગાઈને રજૂ કર્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા. વર્ષા થઈ અને તાનસેન શરીરના દાહમાંથી મુક્ત થયા. તાના-રીરીએ તાનસેન પાસેથી વચન લીધું કે, તેમના વિશે બાદશાહને કોઈ જાણ કરવી નહીં. દિલ્હી પરત થતાં બાદશાહના આગ્રહને વશ થઇને તાનસેને તાના-રીરી વિશેની માહિતી છતી કરી. શહેનશાહના આદેશથી સૈનિકોએ તાના-રીરીને શોધીને દિલ્હી લાવવા માટે વડનગર તરફ પ્રયાણ કર્યું. આ જાણતાં જ તાના-રીરીએ જળ સમાધી લઈ લીધી. આજે પણ વડનગરમાં તાના-રીરીની યાદમાં બે દેરીઓ અકબંધ છે. આવી હતી તાના-રીરીની સંગીતની લગન.
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૨૧ જુલાઈ ૨૦૨૨
***********************************
www.janfariyadnew.com (ચેનલ ન્યૂઝ લિંક)