[6/21, 10:41 AM] Anjana Gandhi.MeM.NOG: N.O.G.SS.NO. 0026.
શબ્દ – યોગ અને ધર્મ, સંસ્કૃતિ પરંપરા.
નામ- અંજના ગાંધી ” મૌનુ”
ગામ- વડોદરા
વિભાગ – પદ્ય ( ગઝલ)
છંદ – લગાગા ૪ મુતકારિબ છંદ.
શીર્ષક – લીલા ખૂણાંનો વિષય છે!
કરો “યોગ” એ તો મજાનો વિષય છે.
કે આસનથી સુખ પામવાનો વિષય છે.
હો ઘડપણ, જવાની કે હો બાળમાનસ,
આ “યોગા” ખરેખર બધાંનો વિષય છે!
શરીરે અસુખ હો કે વ્યાધિ ,ઉપાધી,
કરી યોગ સાજા થવાનો વિષય છે!
કરીને જો યોગા જીવન ધન્ય થાતું,
તો ..માનવ હવે જાગવાનો વિષય છે!
ઉદાસી, બિમારી શરીરે હો જેને,
એ સૌને તો લીલા ખૂણાંનો વિષય છે!
✍️ અંજના ગાંધી ” મૌનુ”
વડોદરા.
[6/21, 1:00 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: .
N.O.G. S. S. No.0102
નામ:- રતીલાલ વાયડા
વિષય:-યોગ, ધર્મ ,સંસ્કૃતિ અને ઋષિ પરંપરા.
પ્રકાર:- ગદ્ય. લેખ.
શીર્ષક:-વિશ્વ યોગ દિન.
રચના:-
આજે એકવીસમી જૂન. આખી દુનિયામાં આ દિવસને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દુનિયાના ૧૯૦ જેટલા દેશો અને ૨૫ કરોડ જેટલા લોકો આજના યોગના દિવસે યોગ કરી વિશ્વ યોગ દિનની ઉજવણીમાં ભાગ લેશે.
ભારતના તમામ રાજ્યોમાં અને જુદાજુદા પ્રદેશમાં આજના દિવસે આ યોગના કાર્યક્રમો રાખવામાં આવેલા છે.
ભારતમાં યોગની પરંપરા ઘણી જૂની પુરાણી છે અને તેને ધર્મ અને સંસ્કૃતિની સાથે જોડવામાં આવેલી છે.
ભગવાન શંકર યોગ સમાધિમાં લીન થતાં હતા અને તેણે ૩૭,૦૦૦ વર્ષ સુધી સમાધિ લગાવી હતી. માતપાર્વતીએ યોગથી પોતાના શરીર ને ભસ્મ કરીનાખ્યું હતું. ભગવાનશ્રીરામઅને શ્રીકૃષ્ણ પરમ યોગી પુરુષ તરીકે જાણીતા છે.તેના અનેક આધાર અને પુરાવાઓ આપણા ધર્મશાસ્ત્રોમાં જોવા મળે છે.
આપણા ઋષિ-મુનિઓ પણ યોગના ઉપાસક હતા અને તેઓ યોગ શક્તિ દ્વારા જુદા જુદા ગ્રહો ની ઉપર મુસાફરી કરી શકતા હતા. ત્રિકાળજ્ઞાની હતા .સમાધિ લગાડી અને બધું જોઈ શકતા હતા . પોતાની ઈચ્છિત વસ્તુઓ યોગ દ્વારાતેઓ તૈયાર કરી શકતા હતા. તેના ઘણા બધા ઉદાહરણો આપણા શાસ્ત્રોમાં જોવા મળે છે.
યોગના જુદાજુદા આસનો દ્વારા આપણા શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે .તંદુરસ્તી એ જીવનનો મહત્વનો ભાગ છે .જે લોકો નિયમિત યોગ કરે છે તેવા લોકોને કોઈ ખાસ મુશ્કેલી પડતી નથી અને તેઓ તંદુરસ્ત અને આનંદિત જીવન જીવી શકે છે.
અષ્ટાંગ યોગની તાલીમ કોઈપણ નિષ્ણાત વ્યક્તિ દ્વારા લેવી જોઈએ. અણઘડ રીતે યોગ કરવાથી શારીરિક નુક્સાન થવાની પણ શક્યતા રહેલી છે.
રોજ યોગ કરી અને તંદુરસ્ત જીવન જીવો તે આજના યોગ દિવસનો સંદેશછે
રતીલાલ વાયડા
નવી મુંબઈ.
૨૧/૬/૨૦૨૨. મંગળવાર.
[6/21, 2:10 PM] A Nishant Mother.MeM.NOG: NOG SS 0092
પ્રકાર:- પદ્ય
વિષય:- યોગ, ધર્મ, સંસ્કૃતિ અને ઋષિ પરંપરા
શિર્ષક:- યોગ- એક શિસ્તબદ્ધ જીવનપ્રણાલી
ભારતની દિવ્ય વસુંધરામાં,
આશિષ અનરાધાર છે.
યોગ, ધર્મને ઋષિ પરંપરાનો,
સંસ્કૃતિ પર મોટો ઉપકાર છે.
અનેક ઉપહારો આપ્યા જગતને,
યોગ એક ‘વિશેષ ઉપહાર ‘ છે.
‘ સર્વે સંતુ નિરામયા ‘ ,
એ સદભાવના વિશ્વબંધુત્વથીય પાર છે.
સ્વસ્થ મન હોય તો તન સ્વસ્થ રહેશે,
એ જ યોગનો મૂળ વિચાર છે.
મનને શક્તિમય કરતા એમાં આસનો અપાર છે,
શરીરના ચક્રોનું સંતુલન તંદુરસ્તીનો આધાર છે.
પ્રાણવાયુને શરીરમાં રોકી પામો નવજીવન,
ફેફસાંની કાર્યક્ષમતા વધારવાનો એ મંત્ર છે.
કોરોનામાં વિશ્વમાં થયેલી જાનહાની સામે,
ભારતવાસીના ઓછા આંકડા પાછળ યોગનું આ તંત્ર છે.
વહેલા ઉઠવું, સૂર્યપ્રકાશમાં આસનો કરવા,
એ યોગની સાથે વિજ્ઞાન છે.
હળવો, શાકાહારી ખોરાક ‘ યોગીઓ’ એ લેવો,
એમાં છુપાયું જીવદયાનું પરમ જ્ઞાન છે.
ઋષિ- મુનિઓના દીર્ઘ જીવન ને દ્રઢ ઇચ્છાશક્તિનું,
એક માત્ર રહસ્ય યોગ જ બની રહ્યો.
ભાગ્યશાળી આપણે સહું ભારતવાસી,
આ વિરલ વારસો આપણને ઋષિઓએ કહ્યો.
સેતુ બન્યો છે યોગ- ધર્મ, સંસ્કૃતિ ને ઋષિ પરંપરાનો,
સમજાવ્યો છે સિંહફાળો વિશ્વમાં સાચી જીવનશૈલીને શિસ્તબદ્ધતાનો.
– અલકા નવિનચંદ્ર મહેતા
ગાંધીનગર
૨૧/૦૬/૨૨.
[6/21, 2:46 PM] R S. Vyas.MEM: NOG SS NO. 0112
શબ્દ – યોગ, ધર્મ, સંસ્કૃતિ
નામ – રાજેશભાઇ વ્યાસ
ગામ – ધ્રુવનગર – ( મોરબી )
વિભાગ – પદ્ય
શીર્ષક – પરંપરા જાણો અને જાળવો
પરંપરા છે આપણા પૂર્વજોની એ સૌ પાળજો,
ઋષિમૂનિઓના નિતી નિયમો ક્યારેક જાણજો.
જોગાનુજોગ કેવો સરસ બન્યો છે આજે યોગ,
સંગીત દિવસની સાથે બન્યો છે યોગનો જોગ.
સંગીતમાં ભરપૂર ભરેલી છે, કંઇક સાધના,
યોગ પણ એક પ્રકારની સિધ્ધ એક સાધના.
યોગ મિટાવી શકે છે કંઇક પ્રકાર ના રોગ,
સંગીતથી પણ મટ્યા અનેક પ્રકારના રોગ.
યોગ વધારે નિજ કાયા ભરપૂર સ્ફૂર્તિને શક્તિ
સંગીત કલામાં પણ વિધ વિધ પ્રકારની શક્તિ.
યોગ અને સંગીતથી શરીરમાં ઉર્જા વધારો,
જુઓ પછી તમે એક દિવસ, અલગ નઝારો.
રાજેશભાઇ એસ વ્યાસ,
ધ્રુવનગર,,,, મોરબી
[6/21, 2:59 PM] Pravina Kadakiya.MeM NOG Houston: N O G S S N 0089
વિષય યોગ
શીર્ષક આવશ્યક
વિભાગ ગદ્ય
——-
યાદ રહે જેમ શ્વાસ લેવો એ આવશયક ક્રિયા છે તેમ ‘યોગ’ જીવનનું અભિન્ન અંગ જાણવું.
યોગ: કારયેષુ કૌશલમ. કાર્યમાં પ્રવિણતા પ્રાપ્ત થાય છે.
યોગ: ચિત્ત વૃત્તિ નિરોધ:
યોગ: સમત્વમ ઉચયતે
પતાંજલી યોગ શાસ્ત્ર સદીઓ પુરાણું છે . આજે ૨૧મી સદીમાં ભારતનો ડંકો વાગે છે.
આપણા દેશની સંસ્કૃતિનો અમર વારસો આજે વિશ્વભરમાં ફેલાયો છે . ૨૧ મી જૂન પૂરા વિશ્વમાં “યોગ દિવસ” તરિકે ઉજવાય છે.
યોગનો અર્થ છે, જોડાવું. સ્વ સાથે અનુસંધાન એટલે યોગ . પોતાની જાત સાથે મૈત્રી. વાંચવાનાં સહેલું લાગે છે. આચરણમાં ઉતારી તેનો આહ્લાદક અનુભવ કરો. ખૂબ શાંતિનો અહેસાસ થશે.
નિરાશાજનક વિચાર નહી આવે. કંટાળો કોને કહેવાય એ પ્રશ્ન , ઊભો જ નહી થાય.
આપણા ઋષિ મુનિઓ યોગની સાધના દ્વારા જીવનના અણમોલ રહસ્ય ના જવાબ મેળવી ચૂક્યા છે. સારા વિશ્વમાં આપણી
સંસ્કૃતિની ગાથા પ્રચલિત છે.
“યોગ”ના માધ્યમ દ્વારા આજે આપણા દેશની આન, બાન અને શાનની ધજા સમગ્ર વિશ્વમાં વહેરાઈ ઊઠી છે.
આજે ગર્વથી ઉન્નત મસ્તકે આપણે દુનિયામાં ફરી શકીએ છીએ.
આપણી યુગો જૂની સંસ્કૃતિ અને પરંપરાનું વિશ્વના ફલક પર સામ્રાજ્ય છવાયું છે.
પ્રવિણા કડકિઆ
[6/21, 3:10 PM] Bharat Sanghaani.MEM (Kaushik Shah): NOG SS NO. 0101
પ્રકાર : ગદ્ય
વિષય : યોગ ધર્મ સંસ્કૃતિ અને ઋષિ પરંપરા
શીર્ષક : આનંદમય જીવનયોગ
શબ્દો : ૩૧૭.
લેખક : ભરત સાંગાણી
યોગસિધ્ધિ એ આત્માનું પરમાત્મા સાથેનું મિલન છે. દ્વૈતનું અદ્વૈત તરફનું પ્રસ્થાન છે.
યોગ ત્રણ પ્રકારનો છે; આધિદૈવિક યોગ- જીવને ભગવાનની પાસે લઈ જાય. આધ્યાત્મિક યોગ- ચિત્તને સંસારની આસક્તિમાંથી છોડાવે, પ્રભુ તરફ અભિમુખ કરે છે. આધિભૌતિક યોગ- અણિમા, મહિમા, ગરિમા, લધિમા વગેરે અષ્ટ સિદ્ધિઓ આપે, પરંતુ આ સિદ્ધિઓ આત્મસુખ તરફ ન વળતાં જગતમાં સિદ્ધિનું પ્રદર્શન કરવા તરફ વળે તો યોગનું ફલ કૈવલ્ય ન મળે.
ભક્તિ વગર યોગ કૃતાર્થ કરતો નથી. યોગ એ ધર્મમાર્ગનું વહેણ છે. શ્રીમદભાગવતમાં કપિલમુનિએ પોતાની માતા દેવહુતિને સાંખ્યયોગનું જ્ઞાન આપ્યું હતું અને તેના દ્વારા તેમનો મોક્ષ કર્યો હતો.
શિવપુરાણ, ભગવદગીતા જેવા ગ્રંથોમાં પણ યોગ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. પરંતુ ભારતીય યોગ વિદ્યાને બહુમાન આપવાનું શ્રેય મહર્ષિ પતંજલિને ફાળે જાય છે. તેમની મહત્તા યોગસૂત્રના રચયિતા તરીકેની છે. એમના યોગસૂત્રમાં એક સૂત્ર છે, જેમાં યોગના આઠ અંગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તેથી મહર્ષિ પતંજલિ યોગને અષ્ટાંગ યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે.
પ્રાણાયામ તેનું મહત્વનું અંગ છે શ્વાસ અંદર બહાર કરતી વખતે શ્વાસ રોકવાની ક્રિયાને પ્રાણાયામ કહે છે, એ સૌ જાણે છે. તેવી રીતે એક જુદો પ્રાણાયામ છે; બહારને અંદરના વિષયોનું ચિંતન છોડી દઈને મનને પ્રભુપરાયણ કરી દેવાથી, પ્રભુમાં રોકી રાખવાથી, બધી ઇન્દ્રિયોનો નિરોધ કરી પ્રભુમાં વિનિયોગ કરવાથી તે વખતે દેશ કાળનું જ્ઞાન જરાપણ નથી રહેતું. પરમ જ્ઞાનસ્વરૂપ પરમાત્માની આગળ જે અજ્ઞાનનું આવરણ છે તેનો પ્રાણાયામના લાંબા અભ્યાસ બાદ ક્ષય થઈ જાય છે. જેમ જેમ પ્રાણાયામનો અભ્યાસ વધતો જાય તેમ સાધકના કર્મસંસ્કારને અવિદ્યાદિ કલેશનો પડદો દૂર થતો જાય છે, ને જ્ઞાન સંપૂર્ણપણે ખીલી ઉઠે છે.
આવા આ મહાન ઋષિઓએ આપણી મહાન સાંસ્કૃતિક પરંપરાઓનું સર્જન કર્યું. ભારતના ઋષિઓએ અને બૌદ્ધિકોએ જીવનને સુખમય, શાંતિમય, આનંદમય જીવી શકાય તે માટે સમાજને કેટલીક પરંપરાઓ, રીતરિવાજોની સમજ આપી હતી.
તેમણે ધર્મ અને વિજ્ઞાન બંનેનો ઉપિયોગ કરી એક સેતુ રચ્યો છે. વિજ્ઞાન એ ધર્મના રહસ્યોને પામવાનું શાસ્ત્ર છે. આ વાત સમજીએ અને જીવન જીવવાનો વૈજ્ઞાનિક અભિગમ કેળવીયેતો ધર્મની શ્રદ્ધાનો ઉત્સવ થાય અને અંધશ્રદ્ધામાં અટવાતા, અથડાતાં બચી જઈએ.
ભરત સાંગાણી.
અમદાવાદ.
[6/21, 4:51 PM] Jayshree Patel. Sahityakar: *NOG SS No :004*
*વિષયઃ યોગ*
*પ્રકારઃ લેખ*
*શબ્દોઃ૨૭૦*
*શીર્ષકઃ તન- મનનું જોડાણ*
પતંજલિએ યોગમાં આઠ સીડીઓ નિર્મિત કરી છે. જે એક પછી એક ચડવાથી માનવી નિરોગી ને સ્વસ્થ્ય રહી શકે છે. તે આપણને નિયમિત જીવન તરફ દોરે છે.
યોગ શબ્દનો આપણે શું અર્થ કાઢીએ? મારે મન સમાધિ કે એકાગ્રતા. જયાં સુધી સ્વ સાથે ન જોડાઈએ ત્યાં સુધી આપણે કાંઈ જ ક્રિયા ખંતથી નથી કરી શકતા.યોગ કોઈ ધર્મ- કર્મ નથી. તે તો આપણાં તનને ચિત્તને એકાગ્ર કરનારી કંડી છે. મને કોઈ કહે કે
તારે રોજ યોગ તરફ વળવા કલાક ફાળવવાનો છે, તો મને પહેલો વિચાર આવે ઓહ! કલાક! પણ જો હું મનથી સાધના કરું તો તનથી ઈચ્છતી તે સાધના તરફ વળું.
આજે બધાં “યોગ કરો નિરોગી રહો” કહે છે.કેટલો વિશ્વાસ! એ ક્રિયાની પ્રતિક્રિયા પર!
યોગમાં બધાં યોગથી પર રાજયોગ છે.તેનાં આઠ મહાન ભાગ છે. યમ,નિયમ,આસન,પ્રાણાયામ,પ્રત્યાહાર,ધારણા,
ધ્યાન, અને અંતે સમાધિ.યોગ કરતાં પહેલાં શરીરને ટેવડાવું પડે છે.ધીરે ધીરે તેમાં ચિત્ત(મન)ને જોડવું પડે
છે.તો તમે યોગ તરફ વળી શકો.કોઈના કહેવાથી કે ધક્કો મારવાથી કે ગાડરિયા પ્રવાહની જેમ જોડાવાથી
તે નથી શરૂ થતો.
માટે મિત્ર ૨૧મી જૂન યોગ દિવસ છે, તેથી યોગા કરીએ કે મુખ્ય મંત્રીનું માન રાખીએ તેથી એ વિચારશરણી ખોટી છે.સવારે રામદેવબાબા કે બગીચાના ગ્રુપ જોડે જોડાઈએ તેને બદલે પહેલા થિયરી (અભ્યાસ) પછી પ્રેક્ટિકલ(પ્રયોગ) કરીએ
योगेन चित्तस्य पदेन वाचां ।
मलं शरीरस्य च वैद्यकेन ॥
योऽपाकरोत्तमं प्रवरं मुनीनां ।
पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि ॥ અર્થ:
જેઓ મનની અશુદ્ધિઓને શુદ્ધ કરે છે.યોગ દ્વારા ચિત્ત વૃત્તિઓને દૂર કરીને પાદ દ્વારા વાણી જેની અભિવ્યક્તિ શુદ્ધ કરે છે તેને હું પ્રણામ કરું છું .
વૈદ્ય (મેડિકલ સાયન્સ) દ્વારા શરીરની અશુદ્ધિઓને (જે શુદ્ધ કરે છે), જે શ્રેષ્ઠ મુનિઓને (શરીર, મન અને વાણીની અશુદ્ધિઓ) દૂર કરવામાં નિષ્ણાત છે, તેવા ગુરુ
પતંજલિ, હું હાથ જોડીને પ્રણામ કરું છું.
*જયશ્રી પટેલ*(c)
*૨૧/૬/૨૨*
[6/21, 6:48 PM] Maya Desai.Bombay.MeM.NOG: NOG SS No.0081
વિષય : યોગ
પ્રકાર : લેખ
શીર્ષક : યોગ એક જીવનશૈલી
::
આ જેટ યુગમાં માનવી ઝાકમઝોળ જિંદગી પાછળ દોડીને કશું છોડવાને બદલે વધુને વધુ માયામાં ફસાતો જાય છે .એની આ અફાટ દોટનું કોઈ નિશ્ચિત લક્ષ્ય નથી,બસ દોડવું જ છ. જીવનનું ધ્યેય એ પામી શકતો નથી.
ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણએ જણાવ્યું છે કે, દરેક વ્યકિતને કર્મ કરતાં પહેલાં ઈશ્વરનું સ્મરણ હોવું જોઈએ તો જ એ કર્મ દુષ્કર્મ ન બને.આવા કર્મો યજ્ઞરુપ બને છે,શુભ હોય છે.
યોગનો અર્થ છે જોડાવું.મન અને શરીરનું જોડાવું. વ્યકિત જો યોગ અને યોગનું મહત્વ સમજે તો ઉત્તમ આરોગ્ય,દ્દૃઢ મનોબળ અને ઉત્તમ નિર્ણય શક્તિ ઉપલબ્ધ કરી શકે. મન માટે યોગ એ પરમ ઔષધ છે.
યોગાભ્યાસથી શરીરની ક્ષમતા આધ્યાત્મિક વિકાસ બંને મેળવી શકાય. પરમાત્મા સાથેનું મિલન સાધવાનો છે. આપણા શરીરમાં ૭૨,૦૦૦ હજાર નાડીઓ, સાત ચક્રો તથા બીજા અન્ય કેન્દ્રો પણ આવેલાં છે. યોગમાં પ્રાણાયામ દ્વારા મનને મસ્તકમાં સ્થિર કરવાની વિદ્યા પ્રાપ્ત થાય છે જે અનેક વ્યાધિઓ, માનસિક ઉપાધિઓ માટે ખૂબ ઉપયોગી છે.પ્રાણાયામનાં શારીરિક ફાયદાઓ વિશે વ્યાપક સંશોધન થયું છે અને પુરવાર થયું છે કે આ ક્રિયાથી શરીર પુનર્જીવિત થાય છે.
વિષાદ એ વાતનો છે કે ભારતની પુરાતન આ વિદ્યા આપણે વિદેશીઓ દ્વારા ફાયદા જાણ્યા પછી અપનાવી રહ્યાં છીએ.યોગ એ કોઈ થેરપી તરીકે નહીં ,પણ જીવનશૈલી તરીકે અપનાવાય એ જ અભ્યર્થના.
#©️ માયા દેસાઈ
મુંબઈ ભારત