[6/2, 9:50 PM] Arti Merchant.MeM.NOG: NOG ss no. 0007
વિષય : આવડત અણઆવડત
પ્રકાર : ગદ્ય (માઈક્રો ફિક્શન)
શિર્ષક : ભૂરાં ચકામા
એને આપણે છાયા કહેશું.દેખાવમાં સાવ સામાન્ય એવી છાયાની બુદ્ધિમત્તા પણ સામાન્ય કરતાં ઓછી.ભણવાની બાબતમાં પોતાનું નામ પણ મુશ્કેલીથી લખી શકતી.સામાન્ય જ્ઞાનની બાબતમાં પણ સાવ મીંડું.બહારની દુનિયાદારીથી સાવ અજાણ છાયા ઘરકામમાં અવ્વલ હતી.રસોઈ તો એટલી સ્વાદિષ્ટ બનાવે કે ખાનારા આંગળા ચાટતા રહી જાય.આખુ ઘર ઝૂડી ઝાટકીને ચોક્ખું ચણાક રાખવાની એનામાં આવડત હતી.ટૂંકમાં સામાન્ય રીતે ઘર સંભાળી શકવાની આવડત એનામાં હતી.ફક્ત આ જ આવડતના જોર પર છાયાના માતાપિતાએ છાયાને પરણાવી દેવાનો વિચાર કર્યો.પાડોશમાં રહેતાં મંદા બેને છાયાના માતાપિતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે,”ગીતાબેન આજના જમાનામાં ફક્ત ઘર સાચવવાની આવડત હોવું પૂરતું નથી.તમે છાયાને બીજી બધી સમજદારી આપી હજી થોડી વધારે કેળવો.પછી એનાં લગ્ન કરજો.એને લગ્નજીવન એટલે શું એની સમજ જ નથી.તો એ અણઆવડતને લીધે દિકરી દુઃખી ન થાય એ માટે એને સાંસારિક જીવન વિશે પણ કેળવીને પછી પરણાવ્યો તો એ સુખી થશે અને તમને નિરાંત રહેશે.”પરંતુ ગીતાબેન જેમનું નામ એક ના બે ન થયાં.દેશમાંથી એક મુરતિયાનું માગું આવ્યું અને છાયાને પરણાવી દીધી.લગ્નના એક મહિના પછી જ્યારે છાયા પિયરે આવી ત્યારે એનાં ગોરાં સાથળ પર ભૂરાં ચકામાઓ જોઈને ગીતાબેનનું હ્રદય બંધ થઈ ગયું.
લેખિકા : આરતી અઢીયા મરચંટ
મુંબઈ : કાંદિવલી
[6/2, 10:06 PM] Prafulla Prasanna: N O G સાહિત્ય સરિતા (૧)
N G. No. — 39
વિષય – આવડત – અણઆવડત
પ્રકાર – ગદ્ય – લેખ
શીર્ષક – મહત્વાકાંક્ષા
શબ્દો — ૩૪૨
જ્ઞાન મેળવવાનો ઇજારો અમુક વ્યક્તિઓનો હોય એવું ના હોય. દરેક વ્યક્તિને જ્ઞાન મેળવવાનો હક્ક છે. જેની પાસે જે વિષયનું જ્ઞાન હોય એ વિષયને લાગતી બધી આવડત પણ એ વ્યક્તિ પાસે હોય. આ જ્ઞાન પુસ્તકમાંથી જ મળે એવું જરૂરી નથી. વ્યક્તિનાં વિકાસમાં શિક્ષણનું ઘણું મહત્વ છે. પરંતુ જ્ઞાન અને આવડત બીજી ઘણી વસ્તુઓ ઉપર પણ આધારિત છે.
કામની કુશળતા અને આવડત ક્યારેક વંશ પરંપરાગત હોઈ શકે. વારસામાં આવી ખાસિયતો આવી શકે. એ જ રીતે વ્યક્તિ પોતાની સૂઝબૂઝથી પણ હોંશિયાર બની શકે. એ સિવાય બીજાનું જોઈને પણ એ શીખી શકે. એટલું જ નહીં પરંતુ વ્યક્તિમાં ધગશ અને સાહસ હોય તો કોઈ પણ રીતે જોખમો ઉઠાવીને પણ એને જે શીખવું હોય, જાણવું હોય એ જાણી શકે. શૈક્ષણિક અભ્યાસ તો જ્ઞાન અને એની સાથે આવડત આપે જ છે પરંતુ શિક્ષણ સિવાયનાં મહાન લેખકો દ્વારા લખાયેલાં એમનાં પુસ્તકો અને અનુભવો વાંચીને પણ વ્યક્તિ ઘણું બધું શીખી શકે છે. જેને શીખવું છે, જેનામાં કંઈક કરવાની ચાહ છે એ વ્યક્તિ પોતાને ગમતું શીખી જ લે છે. એનામાં મહત્વાકાંક્ષા હોય તો કોઈ એને રોકી શકતું નથી.
અણઆવડત એ કાયમી ખામી નથી. બધી વ્યક્તિઓ જન્મથી જ બધુ શીખીને નથી આવતી.
કોઈ પણ કાર્યનું પુનરાવર્તન અને અનુભવ વ્યક્તિને એનાં કાર્યમાં નિપુણ બનાવે છે. માટે કોઈ પણ કામ અધૂરું ના છોડવું જોઈએ. એ શીખવામાં થોડો સમય લાગે, થોડી નિષ્ફળતા મળે તો નિરાશ થયાં વગર એ કામ શીખવાનાં પ્રયત્નો પૂરી પ્રમાણિકતાથી કરવાં જોઈએ.
Where There Is A Will, There Is A Way.
ઇચ્છાશક્તિ પ્રબળ હોય અને મનોબળ મજબૂત હોય તો વ્યક્તિને સિદ્ધિ મેળવવામાં કોઈ તાકાત રોકતી નથી.
કોઈ કામ શીખવાં છતાં ના ફાવે તો જેમાં રસ અને રુચિ હોય એ કામ હાથ પર લેવું. ગમતું કામ કરવાનું ગમે છે, વ્યક્તિ આનંદથી ઉત્સાહપૂર્વક કરે છે અને ગમતું કામ શીખતાં વાર પણ નથી લાગતી.
કોનામાં આવડત વધારે હશે અને કોનામાં આવડત ઓછી હશે એ કોઈનાં કપાળ પર લખેલું નથી હોતું. માટે કોઈ પણ વ્યક્તિને અંડરેસ્ટીમેટ ના કરવાં જોઈએ. નાની. મોટી, ગરીબ, પૈસાદાર કે કોઈ પણ કોમ અને કોઈ પણ વર્ગની વ્યક્તિ જો એનામાં ધગશ અને સાહસ હશે તો કંઈ પણ કામ કામ શીખી શકે. આવડત કેળવવી એ અમુક ખાસ વ્યક્તિઓનો ઈજારો નથી.
પ્રફુલ્લા “પ્રસન્ના”
[6/3, 10:17 AM] A Nishant Mother.MeM.NOG: NOG SS 0092
પ્રકાર :- ગદ્ય
વિષય:- આવડત- અણઆવડત
શિર્ષક:- વાતચીત કરવાની આવડત
આવડત જન્મજાત નથી હોતી પરંતુ પ્રયત્નપૂર્વક એને શીખી શકાય છે. આવડતનો વિકાસ જોવાથી, અધ્યયનથી અને મહાવરો કરવાથી થાય છે. માનવજીવનની સહુંથી અગત્યની આવડત છે વાતચીત કરવી. જેના પર તમામ માનવીય સંબંધો આધારિત છે. મોટાભાગે એમાં નીચે દર્શાવેલ ભૂલો થતી હોય છે જે સંબંધોને વિખેરી નાંખે છે;
# વચ્ચે ટોકવું
# ધ્યાનથી સાંભળવું નહીં
# જવાબ આપવાની ઉતાવળ
# વ્યંગાત્મક ભાષાનો પ્રયોગ
# દ્વિઅર્થી શબ્દોનો પ્રયોગ
# જે કહેવા માંગીએ છીએ એ જ અર્થમાં સાંભળનાર સમજ્યું છે એ પ્રતિભાવનો અભાવ
# શારીરિક ભાષા (body language)-કહે કાંઈ અને બતાવે કાંઈ
# સ્વર – ઉતાર -ચઢાવ- ભાવનાઓની વિષય પ્રમાણે અભિવ્યક્તિ
# યોગ્ય સમય અને સ્થળ
# નજર મેળવીને વાત કરવી (eye contact)
રોજબરોજની જિંદગીમાં આ આવડત સંબંધો બાંધવા, નિભાવવા અને વિકસાવવા માટે ખૂબ જરૂરી છે. મોટાભાગે માણસો પોતાના પરિવારમાંથી મોટેરાઓનું અનુસરણ કરીને આ શીખે છે. ત્યાર બાદ નિશાળ, મિત્રો, સમાજ અને નોકરીના સ્થળે આમાં અનુભવોને આધારે સુધારા થાય છે. જે ધ્યાનથી સાંભળે છે એ જ અસરકારક વાતચીત કરી શકે છે. નજર મેળવીને વાત કરવી એ વ્યક્તિનો આત્મવિશ્વાસ બતાવે છે. વાત સાંભળતી વખતે રસ દાખવવો એ પણ જરૂરી છે. બગાસાં ખાવા, ઘડિયાળ જોયા કરવી એ અવરોધરૂપ છે. સમય પર વાત શરૂ કરવી અને પુરી કરવી એ મહત્વની બાબત છે.
-અલકા નવિનચંદ્ર મહેતા
ગાંધીનગર
૦૩/૦૬/૨૨.
[6/3, 2:13 PM] Pravina Kathiriya.MeM: NOG SS No : 114
વિભાગ : ગદ્ય
શબ્દ : આવડત -અણઆવડત નથી
શીર્ષક: પવિ બની ગઈ કવિ.
શબ્દ સંખ્યા-285
રચના-
શૂન્યમાંથી સર્જન કરી કુટુંબ માટે ફૂલો પાથરી ગયા,
જીવન અેવુ જીવી ગયા કે સૌના પથદર્શક બની ગયા,
દુઃખને દેખાડયું નહીં કદી અને સુખને છલકાવ્યું નહીં કદી,
જીવનભર મહેનત કરી આવડત- અણઆવડતથી પરિવારનું હંમેશા ભલું કર્યુ.
સમાજમાં સુવાસ ફેલાવી સેવા સમર્પણ અને સંસ્કારની જ્યોતિ ફેલાવી ,આજે અમને તમારી ખોટ પડી આંખોમાંથી આંસુ સરી ગયા.
જીવનસંઘર્ષ તમે કર્યો અને સુખ-શાંતિ સૌને આપ્યા.બધાને આપવુ એ જ પરોપકારી જીવન મંત્ર હતો,તમે નથી રહ્યા ત્યારે પવિના જીવનમાં કાયમી એક ખાલીપો આપી ગયા, દિલ હજુ માનવા તૈયાર નથી કે તમે હવે અમારી સાથે નથી ,હર પલ તમારી હાજરીનો અહેસાસ થાય છે ,યાદ રહેશે તમારા હૃદયની વિશાળતા,તમારા કાર્યોની કુશળતા, દરિયા જેવું હૃદય તમારુ અને હિમાલય જેવી અતુટ હિંમત તમારી,સૂર્ય જેવું તેજ તમારુ, જીવન શાંતિનો મંત્ર,અનેક સિદ્ધિઓ ગૌરવ પ્રાપ્ત કરી કુટુંબ રત્ન શૂરવીર દાદા તમારી ઓચિંતી વિદાયની ધડી વસમી લાગે છે,
પ્રેમથી “પવિ” બની ગઈ કવિ કહેનાર હવે નહીં મળે દુઃખોમાં વડલા સમી છાયા આપનાર હવે નહીં મળે, કોને કહીશ મારા અંતરની વાત, વાત સાંભળનાર હવે નહી મળે,
પહેલા આંસુ આવતા ત્યારે દાદુ તમે દોડી આવતા ,અત્યારે તમે યાદ આવો છો તો આંસુઓ દોડી આવે છે ,લાખો લાડ લડાવ્યા પ્રેમથી પકડીને હાથ મોટી કરી તમે પવિને ,એ જ વ્હાલા મારા દાદુની છત્રછાયા હવે આ જગતમાં નહીં મળે,
પ્રભુ આપને શાંતિ અર્પે .
કથીરિયા પ્રવીણા “પવિ” નવસારી.
[6/3, 2:34 PM] Jaykant Ghelaani.MeM.NOG: NOG NO. S.S. 0059
વિષય: આવડત- અણ આવડત
પ્રકાર: ગદ્ય-લેખ.
શિર્ષક: “ફાવે તે સિંકદર “,
શબ્દ સંખ્યા: ૩૧૫.
જયકાન્ત ઘેલાણી-‘પ્યારે’.
આપણી માતૃભાષામાં એક અર્થસભર કહેવત છે,
‘એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે ‘ પરંતુ એક માણસમાં આવડત અને અણઆવડત બને સાથે રહેલા આપણે જોઈ શકીએ છીએ, અરે ભિન્ન વિષયને આધીન, જુદી-જુદી વ્યકિતનાં અલગ અલગ માપદંડથી માપી શકાય છે,
શું આ અજાયબી ન ગણી શકાય !
અરે ! જગત જેને ‘આવડતનો એક્કો’કહે છે, તે પણ સમય અને સંજોગોનુસાર નિષ્ફળતાને વરે છે, ત્યારે ‘પ્યારે’ તે વ્યક્તિ ને અણઆવડતનું, સર્ટિફિકેટ આપતા જરા પણ સંકોચ અનુભવતા નથી,ખચકાતાં નથી, ત્યારે આપણે શુ સમજવાનુ ?
શું રાતો રાત તેનીઆવડત ગાયબ થઈ ગઈ ?
આપણે જગતનાં વ્યવહારમાં ડગલે ને પગલે એવાં અનેક લોકોનાં સંપર્કમાં આવીએ છીએ અથવા જાણતાં હોઈએ છીએ કે તનતોડ પરિશ્રમ કરતાં બાહોશ મનુષ્યને પ્રારબ્ધનાં અસહયોગથી ક્યારેક સફળતા પ્રાપ્ત થતી નથી. તેને સ્થાને
અણઆવડતવાળી વ્યકિત તે પદ ઉપર બિરાજમાન થાયછે,તેવી આપણી આંખ સામે બનેલી ઘટના એટલે, ખંધા રાજકારણી શરદ પવારની પીછેહઠ અને મનમોહનસિંહનું વડાપ્રધાન પદે આરૂઢ થવું!
બંગાળના ધુરંધર નેતા જ્યોતિબાસુને, પાર્ટીના કાર્યકરો દ્વારા વડાપ્રધાન પદેથી દૂર રાખવાની રાજરમત!
આવાં તો અનેક ઉદાહરણ આપણી નજરસમક્ષ છે,
કેમ ખરુંને મિત્રો !
આવડત બજારમાં વેચાતી વસ્તુ નથી,તે જન્મજાત હોય અથવા તે કેળવણીથી કેળવી શકાય છે, તેમજ,અણઆવડતને પણ સમયાનુસાર આવડતમાં અવશ્ય બદલી શકાય છે.
ટૂંકમાં આ જગતમાં
‘ફાવ્યો તેજ વખણાય છે’
આવડત જરૂર મોટો ગુણછે,
પણ અણઆવડત તો…માટીના મૂલ્યે !
આવડત- અણઆવડત, પ્રારબ્ધ અને પુરૂષાર્થ ને આધીન છે.
આપણાં વડાપ્રધાન
શ્રી નરેન્દ્રભાઈ મોદીની આવડત અને પાર્ટીનાં સંપૂર્ણ સહયોગથી સફળતા તેમનાં કદમ ચૂમે છે, વિશ્ર્વ સલામ કરે છે! આને કહેવાય, ભારતનું અહોભાગ્ય !
નસીબનાં સહકારથી દુકાન બનાવી શકાય છે, પણ….
તેને ધમધોકાર ચલાવવાં માટે આવડત તો એકમેવ સાધન!
પહેલાંના જમાનામાં ચા વેચનાર
જીદગીભર ચા જ વેંચતો,
તો આજે આપણે જોઈ શકીયે છીયે ચાહ* વેચનાર પોતાની આવડતના બળે ભારતના વડાપ્રધાન બની શકેછે, અને વિશ્ર્વની ચાહ મેળવી
યુગપુરૂષ નું બિરુદ પણ હાંસલ
કરી શકેછે .
પ્યારે” આવડતની તાકાત મહાન !