GN_01-06-2022.
[5/31, 5:30 AM] Pravina Kadakiya.MeM NOG Houston: NOGSS0089
વિષય આવડત અણઆવડત
ગદ્ય
શીર્ષક પ્રયત્ન
પ્રવિણા
————
ઈશ્વર કૃપાથી દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ આવડત છુપાયેલી છે. બસ માત્ર પ્રયત્ન કરી તેને સપાટી પર લાવવાની હોય છે.
અણઆવડત એ પાયા વગરનું બહાનું છે. જેને સુઘડ ભાષામાં અણઆવડત નામ આપવામાં આપ્યું છે.
‘મન હોય તો માળવે જવાય’
આવડત નો ઢંઢેરો પીટવાનો ન હોય . તમે જે
કાર્ય કરો એ જાતે બોલે.
મારા એક વર્ષો જૂના મિત્ર છે , કાંઈ પણ કરીએ એટલે તેમાં ખામી કાઢે. એમને કરવા આપીએ ત્યારે બહાના બનાવે. એકવાર સપડાઈ ગયા.
કાર્ય તો કર્યું પણ અણઆવડત છતી થઈ ગઈ. બસ ત્યારથી ખો ભૂલી ગયા.
હંમેશા કલાની કદર કરવી. વ્યક્તિને ઉત્સાહ મળે છે. ન કરે નારાયણ ને ફરી કોઈ વાર પ્રસંગ સાંપડે ત્યારે ઝળકી ઉઠે.
આવડત કેળવવી પડે. તેને માટે સતત પ્રયત્ન જારી રાખવો. જેને કારણે કુશળતા પ્રાપ્ત થાય. એ એવો સદ્દગુણ છે જે તમને વર્યો હોય તો સરજનહારનો આભાર માનવું ન વિસરશો.
અણઆવડત, બેદરકારી અને આળસનો જીવતો જાગતો નમૂનો છે. બહુ ખુમારી ન રાખવી કે મને નથી આવડતું યા નથી ફાવતું. હાસ્યાસ્પદ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે.
ક્યારેય કમપયુટર પર ગુજરાતી લખ્યું ન હતું. આજે ડાબા હાથનો ખેલ લાગે છે.
જ્યારે આળસ અને નવું શિખવાની તમન્ના વગરના લોકો અણઆવડત જતાવી
, કરનારની ભૂલો શોધવાનાં સમય બરબાદ કરે છે.
પ્રયત્ન કરો કોઈ પણ કાર્ય મુશ્કેલ નથી. સજાગતા અને સાતત્ય આવશ્યક છે.
શુભ શરુઆત કરવામાં દેર ન કરશો.
[5/31, 8:16 AM] Babu Sangada.પત્રકાર: NOG NO 109
શિર્ષક :-અણઆવડત
પ્રકાર :-ગધ
બાબુ સંગાડા”મહેક”
“ઈ ભાળ મારું ઘેર વખેરાય જું..ગણપત જોર જોરથી ચિલ્લાતો બુમો પાડવા લાગ્યો.ત્યારે શેરીમાંથી નીકળતા માણસોના ટોળા ભેગા થવા લાગ્યા,થોડીવારમાં તમાશો જોવા આખું ગામ ભેગું.પણ કોઈ પૂછવા તૈયાર નોહતું,બધા કુતુહલતાથી જોવામાં મશગુલ હતા,આ જોઈ તેનો બાળપણનો મિત્ર નર્વત નજીક ગયો ને પૂછવા લાગ્યો “થાયુ હું ઈતે વતાડ ?તું સિસાયા કરે અન ઈ આદમજીના ટુળા ભીગા થાય રીયા.
“તું ભાળ ઈ ખાલી સે,ઈમા આઈબા ઈતરા બીઠા સે,અન બીજા બદા જુદા જુદા થાઈ જા.
“ભાઈ ઈ કીદાડ રીયા સે ભીગા,જુદા થાય ,ભાગ પડે ની ઈખલા રીતા વે .ઈ સમાજનો નિયમ સે.
” પુણ માર ઈ કોયન થાવા દીવું,બદાને ભીગા રાખવા સે.
ભેગી થઈ માનવ મેદની મશ્કરી કરતા પોતપોતાના કીમ તરફ ચાલી ગયા,થોડીવારમાં જગ્યા શૂનશાન થઈ ગઈ,બધા અંદરો અંદર કહેવા લાગ્યા,ગાંડો થયો સે,કોઈના દિકરા ભેગા રહ્યા છે તે રહે,સમાજનો નિયમ છે કે પરિવાર મોટો થાય એટલે બધા પોતપોતાની રીતે,માબાપથી અલગ રહેતા હોય,એજ તો થયુ છે એવું વિચારતા બધા છૂટા પડી ગયા.એ જગ્યા પર ઉભા તેનો મિત્ર નર્વત ને તે.નર્વતને ઉભેલો જોઈ ગણપત બોલ્યો”તું યે જા ઈ બદા પુતપુતાના કામે સાલી જા.
“ઉં મિત્રને સિસાતો ભાળી મીલી ની જુ ને,પુણ તું મન કે તું હુકા ઈવુ કરી રીયો.નર્વતે પૂછયુ.
“ઈ ઘેર વિખરાય જું,આઈબા ઈખલા બીઠા સે,તીયે ગાંગરી રીયા,ઈ સાલી જા ભાઈ ઈમાથી કુંઈ પૂસવા હુદું કોયન આયું,ઈ બદાની મુટા કર્યા,ની પણાયા,ઈતરુંની બદાની કઈની કઈ કીમ કરતા કરીયા ,આજ તું ભાળ મારા આઈબા ઈખલા ગાંગરી રીયા સે.
“ઈ બદે પરિવારમાં થાતું વે.
“પુણ ઈમ કીકીમ ,આઈબાની સુડી દે પુતાના છુરા,
“સુડ દે,ઈ બદે થાતું વે ઈવું.
“પુતાનું લુઈ હુદું કીકીમ કરી સુટું પડી જાય ,આઈબા ઈમ થુડા મળતા વે ,કીકીમ કરી ઈ સુટા પડી જાતા વે.ભીંગુ રીવામાં એકબીજાનું દુખ હમજી તી સોલ થાતું વે ,ઈ ઈખલા હાઉં બીજા કની ભીખ માંગી ઉકેલહે કે.ઈ અણઆવડતનું ફળ સે.
“ગમે તી વે સમાજનો નિયમ સે,પુતપુતાની રીતે જીવવેનો,તારા ભાગે આયા ઈતરે તારે સારવાર કરવેની જીવે લગી.
“ઈ જાણું સે,પુણ કાલ ઈ કઈથાક ફસાયા તર કુંણ વારી આવહે.
“ઈ બદુ ની ભાળવેનું ,જેની ઝીવી કરણી એવી ભુગવણી તું તારી જાત હંબાળ અન તારા કામમાં લાગી જા હાઉં.
“પુણ ઈ રમતુ કુદતું આખું ઘેર વખેરાય જું,કુંની ભૂલ કાડવી?
આઈબાની?ભાભીજીની? ભાજોની?કે ઈની આવડતની ?આંગણામાં અડગ ખૂટ ઝાલી ગણપત આંસૂ પાડતો એટલું જ બોલી શક્યો.
બાબુ સંગાડા”મહેક”
હાલોલ
[5/31, 10:53 AM] Jayshree Patel. Sahityakar: *NOG SS NO: 004*
*વિષયઃઅાવડત અણઆવડત*
*પ્રકારઃગદ્ય (નિબંધ)*
*શબ્દોઃ*૩૪૯*
*શીર્ષકઃ અંતર સ્પર્શ*
આવડત તો અણઆવડતમાંથી અંતર સ્પર્શ થાય પછી ઉદ્ભવે. બન્ને વિરોધી શબ્દો છે. છતાંય એકમેકનાં પૂરક છે. માનવ કે પશુ-પક્ષી જન્મતાની સાથે જ પારંગત નથી હોતા. તેથી વધતી ઉમ્મરે પોતાની બુધ્ધિનાં વિકાસથી તે શીખતો જાય છે. તે તેની અણઆવડતોને જ ગુરુ બનાવી દે તો એકલવ્યની જેમ જરૂર આવડત તરફ વળવા માંડે.
ધણીવાર તે આવડત શરૂઆતથી જ આવવા માંડે છે , ઘણીવાર તે અણઆવડતની એરણ પર ટીપાતાં ટીપાતાં સુવર્ણની જેમ ચમકવા માંડે છે. ઘણીવાર રોજનો અભ્યાસ તેને શીખવે છે . જેમ એક રમતવીર રોજ રોજ મેદાનમાં જઈ પ્રેકટિશ કે પ્રયત્નો કરે છે. એક શિષ્ય રોજ રોજ ગુરૂજ્ઞાન મેળવે છે. એક વેપારી નફા તોટાની ઓળખ મેળવે છે. એક સ્ત્રી પોતાનું ઘર છોડી સાસરે જાય છે તો સાસરીની રીત કે ત્યાંના રીવાજો શીખતાં શીખતાં જ તે ઘરને પોતાનું માની તેની આવડતને વિકસાવે છે.
પશુ -પંખીનું તેવું જ છે. જન્મતાની સાથે ચાલવાનું શીખે છે ,પણ ચણ કે ચારો કેમ પાર્જિત કરવો તે જોતાં જોતાં શીખી જાય છે. પશુ ચરવાથી લઈ ફરવા સુધીની કલા શીખે છે ને આવડતથી સ્વબચાવ કરતાં પણ શીખે છે અરે અંતરસ્પર્શથી એવી આવડત શીખે છે કે તેઓમાં પણ પ્રેમની લાગણીઓ કે દયાભાવ ઉદ્ભવે છે. તે ગાડે જોડાય કે ગાડીએ પણ તેઓની અંતરદ્રષ્ટિએ તેઓ આગળ આવતા વિઘ્નો કે મુશ્કેલીને પણ ઓળખી સાવધ થઈ જાય છે ને માલિકને પણ સાવધ કરી દે છે.
પછી તે પશુ જંગલી હોય કે પાળેલું. તે તેની આવડતથી જ દુનિયામાં જીવે છે. પક્ષી પણ માળો તેની આવડતથી જ બાંધે છે. તેનું સુંદર ઉદાહરણ સુગરી છે જ આપણી સમક્ષ. તેવી રીતે સરકસનાં પ્રાણીઓ કેળવણી પામતાં કેવા કરિશ્મા કરતા હોય છે કે તે માણવા ગયેલો માનવી મોંમા આંગળા ખોસી દે છે.. તાળીઓનાં આવિષ્કારથી
તેને નવાજે છે. એ અણઆવડતમાંથી આવડત તરફનું પ્રયાણ જ છે.
મંદબુદ્ધિનાં લોકો પણ કેળવણી મળતાં એક અદ્ભૂત ચમત્કાર કરી શકે છે. અંધ વ્યક્તિ આજે અંતરસ્પર્શથી
કેટલો આગળ વધ્યો છે. તે પણ આવડતથી જ આત્મનિર્ભર થયો છે.હેલન કેલર ઉત્તમ ઉદાહરણ છે માનવ તો ઉત્તમ ઉદાહરણ છે કે તે પત્થરયુગથી શીખતો શીખતો તેની આવડતથી ચંદ્ર પર જઈ પહોંચ્યો છે.
*બિના ગુરૂ જ્ઞાન ન લાભત તો અણઆવડતને જ ગુરૂ માની ચાલો*
તો આવડત-અણઆવડત અંતરસ્પર્શથી કેળવાય છે. અંતરને આશાવાદી રાખશો તો જ તો અણઆવડતમાંથી આવડત તરફ વળશો.
*જયશ્રી પટેલ*
*૩૧/૫/૨૨*
[5/31, 5:09 PM] Bharat Sanghaani.MEM (Kaushik Shah): *NOG: SS: NO.: 0101*
*વિષય : આવડત અણઆવડત*
*પ્રકાર : ગદ્ય (લેખ)*
*શબ્દો : 344*
*શીર્ષક : પોતાની શક્તિને ઓળખો*
આવડત અણઆવડતમાં પાયાની વાત જે સમજવાની છે તે છે; શું આપણે આપણી કુદરતી શક્તિઓ પ્રમાણે જીવીએ છીએ?
માણસને પોતાની શક્તિઓનું અને મર્યાદાઓનું સ્વાકલન હોવું જરૂરી છે. શક્તિનો મહત્તમ ઉપિયોગ અને મર્યાદાનુસાર જીવનને ઢાળવાની કોશિષ સુખમય જીવન જીવવામાં મદદરૂપ થાય છે. પોતાની આવડતની ધારને તેજ કરવાનો કસબ અને અણઆવડતને છુપાવાની સમજ સમાજમાં આવશ્યક છે.
એકવાર એક ગરુડ પક્ષીનું ઈંડુ મરઘીના ઇંડાઓની વચ્ચે પડ્યું. મરઘીના ઇંડામાંથી મરઘીના બચ્ચા ( પીલું ) બહાર આવવા લાગ્યા તેમાં ગરુડનું બચ્ચું પણ હતું. બધાં સાથે વિકાસ પામતાં ગયાં.
પીલુના સહવાસને કારણે ગરુડના બચ્ચાનો ઉછેર પણ તેમના જેવો જ થવા લાગ્યો. આમ તેમ કુદકા મારીને રમવું. તેઓ જે ખાય તે ખાવું. અને પીલુઓની જેમ તે પણ થોડે ઊંચે સુધી ઉડી પાંખો ફફડાવતું પાછું નીચે આવી જતું.
એકવાર તેણે ગરુડને ખુલ્લા આકાશમાં નિર્ભયતાથી એકદમ ઊંચે ઉડતાં જોયું, તેણે તે જોઈ સાથી પીલુઓને પૂછ્યું, પેલું અદભુત પક્ષી ઉડી રહ્યું છે તે કયું છે?
ત્યારે ઉત્તર મળ્યો કે તમે પીલું હોવાથી બહુ ઊંચે ન ઉડી શકો!
ગરુડના બચ્ચાએ આ વાત સ્વીકારી લીધી અને પોતાના અસલ સ્વરૂપના અજ્ઞાનને કારણે ગરુડ જેવા બનવાની ક્યારેય કોશિષ ન કરી. તે પીલુઓની જેમ જીવ્યો અને મૃત્યુ પામ્યો, પોતાની સાચી શક્તિની પરખ કર્યા વિના.
આપણામાં પણ મોટાભાગના લોકો આવું નીરસ બીનસાહસિક જીવન જીવતાં હોઈ છે.
ખુલ્લા મેદાનમાં ચંદ્રના અજવાળામાં એક ટીનેજર છોકરી સુંદર રંગો કેનવાસ પર પીંછીથી ઉપસાવતી નયનરમ્ય તસ્વીર બનાવી કુદરતે આપેલી બક્ષિસને કુદરતી રંગોમાં ઢાળે છે. ખુશ થાય છે. પછી વિચાર આવે છે કે હું અન્ય દિશામાં પણ મનને જોડું, આગળ વધું, ડોક્ટર બનું, એન્જીનીયર બનું તે ગડમથલમાં બદલાતો મનનો વ્યાપાર તેને જુદી જુદી દિશામાં ખેંચી જાય છે. કશી સિદ્ધિ પ્રાપ્ત નથી થતી.
પચ્ચીસ વરસની જિંદગી આમ જ વહી ગઈ. એક સવારે એની નજર ટેબલ પર પડેલી પીંછી પર પડે છે. એકીટશે જોઈ રહે છે. એકાએક તેનો હાથ પીંછી લેવા લંબાઈ છે. ડાઇનિંગ ટેબલ પર બેઠેલાં પિતા આ જોઈ મનોમન ખુશ થાય છે.
યુવતી પીંછી લઈને દોડે છે કેનવાસ અને રંગો ખરીદી લાવે છે. ખુલ્લા મેદાનમાં ચંદ્રના અજવાળામાં એક પછી એક અનુપમ તસ્વીરો નિર્માણ થતી જાય છે. દેશવિદેશમાં તેની તસ્વીરોના પ્રદર્શન ગોઠવાઈ છે. પૈસો અને ખ્યાતિ તેની નૈસર્ગિક શક્તિને પોંખે છે.
આવડતનો ઉપીયોગ જ્ઞાનમૂલક છે અણઆવડતનું પ્રદર્શન અજ્ઞાનમૂલક છે.
*લેખક: ભરત સાંગાણી*