GN_09-05-2022.
[5/7, 8:10 PM] Ragini Shukla.MeM.NOG.Bombay: NOG SS NO – 0050
વિષય – અક્ષય તૃતીયાનુ માહાત્મ્ય.
પ્રકાર – ગદ્ય મૌલિક.
………………………………..
અક્ષય તૃતીયા એટલે વળમાગ્યું શુભ મુહૂર્ત. જૈનો માટે વિશેષ મહત્વ કારણકે આ દિવસે વર્ષીતપના પારણાંનો દિવસ છે .આઠ દિવસ, દિવાળીના પાંચ દિવસ, ઓળી માં નવ દિવસ અનુષ્ઠાન કરાય. વર્ષીતપ એક એવું તપ છે જેમાં ૧૩ મહિના સુધી તપ કરવાનું હોય. કારણ કે તેમાં વિષય, કષાય અને આહારનો ત્યાગ કરાય છે. મનની પ્રસન્નતા જાળવીને આત્માની સમીપ રહેવાનો પુરુષાર્થ કરાય.આરાધક આત્માઓ ઉત્સાહપૂર્વક આ તપની આરાધના કરે. સામાન્ય રીતે ફાગણ સુદ આઠમના દિવસે આ વ્રતનો પ્રારંભ થાય છે.
વરસીતપની ઉજવણી પાછળ એક કારણ છે. જૈનોનાં પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનનાં સમય ભોગભૂમિ હતી. માનવીનો આહાર વસ્ત્ર આભૂષણ વગેરે 10 પ્રકારનાં કલ્પવૃક્ષ પાસેથી મળતો હતો.. ધીરે ધીરે કલ્પવૃક્ષ પાસેથી આ બધું બંધ થઈ ગયુંને આહાર મેળવવાં માટે લડાઈ થવા માંડી. ઋષભદેવને નાભી કુલકરે રાજા તરફથી નીમ્યા હતાં. પછી અસિ,મોસમ, કૃષિ, વાણિજ્ય, વિદ્યા, શિલ્પ લોકોને શીખવતાં હતાં . ઋષભદેવ પુરુષોની 72 કળાને સ્ત્રીઓને 64 કળા શીખવી. વૃષભદેવના સમયમાં લોકો જડ બની ગયેલાં હતાં. ખેતી કરવા માટે ખેતર ખેડવા જતાં પણ બળદો ધાન્ય ખાઈ જતાં માટે દોરી બાંધવાનું કહ્યું મોઢે.જેથી બળદો ધાન્ય ના ખાઈ જાય. કામ કરતી વખતે બળદોને દોરી બાંધી પણ કામ પૂરું થઈ ગયાં પછી ભૂલી ગયાં માટે ૧૩ કલાક સુધી ખાધાં પીધાં વગર ના રહ્યાં બળદો. વૃષભદેવને પૂછતાં તેઓએ જણાવ્યું કે દોરી જ્યારે ખેતર ખેડવા જાવ ત્યારે બાંધવાની હોય પછી ભૂખ્યાં રહેવાથી નિશાસા નાંખ્યા બળદોએ. દીક્ષા લીધાં પછી ઉદયમાં આવ્યું.
પ્રભુએ મૌન ધારણ કર્યું જૈન સાધુને આહાર આપવાની વિધિને સૌ અજાણ હતાં. ભાવિકો ભક્તો પ્રભુનો વસ્ત્ર, અલંકાર, હાથી, ઘોડા વગેરે આપતાં હતાં. પણ પ્રભુએ ગ્રહણ કરતાં નહોતાં. એક વર્ષ સુધી થી પણ વધુ સમય નિરાહારી પણ એ રહ્યાં હતાં. માટે રાજા શ્રેયાસકુમારને સ્વપ્ન જોયું કે શ્યામ થઈ ગયેલાં મેરુ પર્વતને દૂધથી અભિષેક કરીને ઉજળો કર્યો. જ્યારે શ્રેયાસકુમારને ત્યાં ગયાં ત્યારે વર્ષોથી કુમારને
પૂર્વભવની જાણકારી થઈને જૈન સાધુને કેવો આહાર અપાય. એમને જ્ઞાન થયું. તાજા શેરડીનાં રસને વડે ભગવાનને પારણું કરાવ્યું. અને ૧૦૮ ઘડા વહોરાવ્યા. તેમાંથી એક ટીપું પણ જમીન પણ પડ્યું ન હતું. ત્યારથી સુપાત્રદાનની શરૂઆત થઈ દાન અપાયું. તેથી તે દિવસને “અક્ષય તૃતીયા” પણ કહેવાય છે. સુપાત્ર દાન દેનાર બન્યાં. લોકોને દાનનું મહત્વ સમજાવ્યું અને પર્વોનો પણ મહત્વ સમજાવ્યું. તો ઘરે દાનનો મહિમા બતાવે છે. ભગવાને ૧૨ પ્રકારના દાન બતાવ્યા છે. જેનાથી આપણે આપણી શક્તિ અનુસાર આપણે કરી શકીએ છે. છતાં શક્તિ છુપાવ્યા વગર તેમની આરાધના કરવી જોઇએ. તપ કરવાથી આત્મા પર લાગેલાં કર્મોની નિર્જરા થાય છે. પૂજા અને ભક્તિ અને દાન
વિના ગૃહસ્થ ધર્મ સંભવ નથી. આપણે આપણી આવક નો થોડો હિસ્સો પણ યોગ્ય પાત્ર માણસને દાન કરવો જોઈએ. આ નિમિત્તે આપણે યથાશક્તિ તપશ્ચર્યાને યથાશક્તિ દાન કરતાં રહેવું. આપણાં વડવાઓ કહેતાં.
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ
[5/8, 12:30 PM] Anjana Gandhi.MeM.NOG: N.O.G.SS.NO. 0026
વિષય – ધૂપ – છાંવ
નામ- અંજના ગાંધી ” મૌનુ”
ગામ- વડોદરા
વિભાગ – પદ્ય .
આશા-નિરાશાની કેડી પર ચાલી માનવી તું અકળાયો,
આ તો ઘડીક છે ધૂપને ઘડીક છે છાંયો.(૨)
ભાગ્યના લેખ આ તો, ટાળ્યા ટળે નહિં,
ભાવીનાં ગર્ભમાં શું છૂપ્યું ,ટળે નહિં,
સારા કે ખોટાં કર્મો કરીને આમથી તેમ અથડાયો,..
આ તો ઘડીક છે ધૂપને ઘડીક છે છાંયો.(૨)
વાવશે જે તું, રમશે એજ તું,
ભાગ્ય તારું પોતે ઘડશે એજ તું,
વિચારોની આંટી – ઘૂંટી માં આમ તે,
કેમ કરીને ભરાયો??
આ તો ઘડીક છે ધૂપને ઘડીક છે છાંયો.(૨)
આશા – નિરાશાની કેડી પર ચાલી માનવી તું અકળાયો,
આ તો ઘડીક છે ધૂપને ઘડીક છાંયો..
અંજના ગાંધી ” મૌનુ”
વડોદરા
[5/8, 12:42 PM] Dipti Patel.MeM.NOG: NOG 0010
પ્રકાર :- પદ્ય
વિષય:- ધૂપ છાવ
શીર્ષક:- ઋણ
છાવમાં રહીને અહેસાસ ના જરાયે કાંટાળા રસ્તાનો,
લીલાછમ મુલાયમ પર્ણો જોયા ના લગીરે સુકાયેલા પાંદડાને.
આગમાં સેકાયેલો રોટલો મીઠો ઘણો લાગ્યો જમીને,
ધૂપમાં બેસી મજદૂર ખાતાં ઠંડો પોતાની મહેનતનો.
ફર્ક એટલો હતો છતનો ઊભાં રહેવું તડકામાં તપીને,
છુપાવી ઋણ દેખાય ના કોઈને પાયાનો આધાર આપીને.
જોઈ ઘણી જિંદગીમાં તેજો તિમિરની આવન જાવન ને,
ખંડિત હલેસાં માર્યા છિદ્રાળ જીવન નાવને તારવાને.
છાયા મળતી ઝાડ નીચે ઝાડ ઊભું તડકામાં રહીને,
સવાલો ઘણા હતાં જીવનમાં ઉકેલવા છાયામાં રહીને.
દીપ્તિ પટેલ’શ્રીકૃપા’
વડોદરા
[5/8, 3:15 PM] Vibhitiben Desai: NOGSS/0044
વિષય :-ધૂપ છાંવ
પ્રકાર:- ગદ્ય
શબ્દ સંખ્યા:- ૨૧૫.
શીર્ષક:- છાંયડો
નામ:- વિભૂતિ દેસાઈ ઘાસવાલા.
ધૂપ છાંવ એટલે તડકો છાંયડો. તડકાથી બચવા માટે છાંયડો જોઈએ, રસ્તે ધોમધખતા તાપમાં ચાલતાં જતા વટેમાર્ગુને જો રસ્તે કોઈ વૃક્ષ દેખાય તો છાંયડે ઉભા રહીને જે હાશકારો અનુભવે એ આનંદ કંઈ જેવો તેવો ન હોય. આપણને છાંયડો આપવા વૃક્ષ કેટલો તડકો વેઠે ત્યારે એ છાંયડો આપી શકે છતાં પણ આપણને આવાં વૃક્ષોની ક્યાં કદર છે !આપણી ભૌતિક સુખ-સગવડ માટે વૃક્ષોનું નિકંદન કાઢતાં જરાપણ અચકાતા નથી. આ માટે તાજું જ ઉદાહરણ બુલેટ ટ્રેનનું કે જે, સામાન્ય માનવીને તો કશા કામની જ નથી કામ આવશે તો ધનવાનોને જ છતાં પણ કેટલાં વૃક્ષો અને આંબાવાડી અને સાથે જ આપણાં લોહી પસીનાથી સિંચાયેલી સરકારી તિજોરી સફાચટ થઈ ગઈ.
આ તો થઈ છાંયડો આપતાં વૃક્ષોની વાત. એવું જ આપણાં જીવનમાં પણ, આપણે આપણાં વડીલોની છત્ર છાયામાં કેટલી નિરાંત અનુભવીએ છીએ.
માવતરે કંઈ કેટલાં તડકા વેઠીને, કરકસર કરીને પૈસા બચાવી સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપ્યું સંતાનોને તકલીફ ન પડે એની શક્ય એટલી કાળજી રાખી.
સંતાનોને મુશ્કેલી આવે ત્યારે ઘરમાં વડીલોની લાગણી હૂંફથી કેટલું સાંત્વન મળે અને મુશ્કેલીઓનો સામનો કરી શકીએ, છતાં પણ જેમ વૃક્ષોની કદર નથી એમ વડીલોની પણ કદર નથી.
આજની યુવા પેઢીમાંના મોટેભાગનાને વડીલોની જાણે એલર્જી હોય એમ વડીલો સલાહ આપે તો હડધૂત કરતાં કે ઘરડાં ઘરમાં મૂકતાં અચકાતાં નથી.
આમ જિંદગીમાં તડકો વેઠી છાંયડો આપનારની કદર કરવાનું ધીમે ધીમે ભૂલાય રહ્યું છે.
© વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
[5/8, 4:02 PM] Bhavana R.MeM: NOG SS 111
વિષય: ધૂપ છાંવ
વિભાગ/ પ્રકાર: ગદ્ય/ લેખ
શબ્દ સંખ્યા: ૩૨૩
શીર્ષક: જીવન રંગ
‘ ધૂપ છાંવ’ એટલે બે વિરોધાભાસી રંગો કે પરિસ્થિતિ જે એકમેક સાથે સંકળાયેલા હોય. ‘ ધૂપ છાંવ’ કેટલો સુંદર શબ્દ છે! કાને પડતાં જ અનેક ચિત્ર નજર સામે આવે છે.ઘટાદાર વૃક્ષની ઠંડી છાયા, જે અનેક તપતાં જીવોનો વિસામો બનેછે. ભરબપોરે આકરાં તાપમાનમાં જે જીવોને આ છાયા નજરે પડે તો તેમને ઠંડક આપમેળે જ મળી જાય છે.
ઉનાળામાં આભમાં વિહરતાં વાદળોનાં પહાડો પર પડતાં પડછાયાંની સુંદરતાની તો વાતજ નિરાળી છે.ધોમધખતાં તાપમાં કેટલું સારું લાગે છે! સૂર્યનારાયણ તેમની ચરમસીમાએ તપતા હોય ત્યારે જીવ છાંયડા સિવાય કોઈપણ ચીજની આશા ન રાખતાં , છાંયડો જ શોધતાં હોય.
કોઈપણ સ્ત્રી જ્યારે કપડામાં ધૂપછાંવ રંગ જુએ તો તેનું મન આ બે રંગોનાં સમન્વય પર મોહી જાય છે, જે માનુનીઓની પહેલી પસંદ છે.
ધૂપ છાંવ એટલે બે વિરોધાભાસી પરિસ્થિતિ. ધૂપ એટલે કસોટી કે આકરી મહેનત અને છાંવ એટલે સરળ, સુખી, શાંત જીવનપ્રવાહ. આપણી જીવનયાત્રા પણ ધૂપછાંવ ભરેલી જ હોયછે. બાળપણ માતા-પિતાની છત્રછાયામાં બહુ સરળ હોયછે. યુવાની ભણીગણીને તૈયાર થવામાં કરવી પડતી મહેનત છે. લગ્નબાદ કંઈક અંશે સરળ પણ સતત કાળજી લેવાની મહેનત. ત્યારબાદ પરિસ્થિતિમાં આવતાં ચઢાવ-ઉતાર, વળાંકો આપણને ધૂપછાંવનાં પાઠો પણ ભણાવી જાય છે, જે આપણાં વ્યક્તિત્વને ઘડે છે.
જીવન એટલે ખાટાં મીઠાં અનુભવો. મિત્રો,એજ તો જીવન જીવવાની મજા છે.જો આપણે આ અનુભવો કે કસોટીઓમાંથી શીખીને અને જીવનનાં દરેક પાસાંનો અનુભવ કરીને આગળ વધીએ તો જીવન ખરેખર ખૂબ જ સુંદર અને જીવવાલાયક બનેછે.સુવર્ણ તપીને જ શુધ્ધ થાય છે.હીરા કોલસાની ખાણમાંથી મળે છે.કમળ કાદવ વચ્ચે અને ગુલાબ કંટકો વચ્ચે ખીલે છે.નદી પહાડ પરથી નીકળી અનેક અડચણો વચ્ચેથી માર્ગ કરીને સાગરને મળે છે.ધરતી પર હળ ચાલેછે, ત્યારે જ મબલખ અનાજ પાકે છે. આમ દરેક સુંદર, કીંમતી કે ઉપયોગી ચીજોને ધૂપછાંવનો અનુભવ કરવો જ પડે છે.
આપણે મનુષ્ય વિચારશીલ છીએ.જો દરેક પરિસ્થિતિમાંથી કાંઈક શીખી, સકારાત્મક વલણ અપનાવી વ્યક્તિત્વને વિકસાવીએ તો જીવનનો સાચો આનંદ માણી શકીએ.બાકી એકધારા જીવનનો શું અર્થ ?
‘ ધૂપ છાંવ’ એકરીતે વિરોધાભાસી હોવાં છતાં એકમેક નાં પૂરક છે તે જ રીતે આપણે પણ વિરોધાભાસ વચ્ચે પરિવાર તેમજ સમાજમાં એકમેકનાં પૂરક બનીને જીવન જીવવાનો સાચો સંતોષ લઈએ. જીવનને અર્થસભર બનાવીએ.
✍️ ભાવના આચાર્ય દેસાઈ ‘ભાવુ’
©️
૦૮/૦૫/૨૦૨૨
[5/8, 4:25 PM] Jayshree Patel. Sahityakar: *NOG SS NO:004*
*વિષયઃધૂપછાંવ*
*પ્રકારઃ લેખ*
*શબ્દઃ ૩૫૦*
*શીર્ષકઃ ગતિચક્ર*
જીવનનાં ત્રણ માર્ગ બાળપણ, યુવાની અને ઘડપણ, ત્રણ અવસ્થા કહો તો પણ કંઈ ખોટું નથી. માનવ જન્મ્યો નર રૂપે કે નારી રૂપે કે પછી નાન્યતર રૂપે કે જેને અનેક નામ મળ્યાં. કંઈ નવું નથી કોઈનાં જીવનમાં. મહેલ હોય કે, પાકું મકાન હોય કે ઝૂંપડી હોય કે ફૂટપાથ. જન્મ તો માનવ રૂપે કે પશુ-પંખી રૂપે લે જ છે એક ગતિચક્રમાં જીવ.
શરૂ થાય છે મુલાયમ કે સંધર્ષમય જિંદગી.દિવસ રાત્ર ઢળતાં રહે છે. સૂરજ ચાંદ સાક્ષી ભરતાં રહે છે. નદી
નાળા, સમુદ્ર કે સરોવર , લીલાં ખેતરો કે સૂકા રણ તેમાં સાક્ષી બનતા રહે છે.હિમાલયમાં જન્મેલો રણની કલ્પના કરે ને રણમાં જન્મેલો હિમાલયની. સંતોષ ક્યાં હોય છે?
આ સૃષ્ટિનાં જીવને?
માનવી જન્મતાની સાથે રડતો જ જન્મે છે ને? તે ગર્ભની નાળ કપાય કે તરત જ ગર્ભનાં કવચને ભૂલે છે. દુનિયાનાં દિવસે જન્મતા તડકાને ઓળખે છે ને રાત્રે જન્મતા ચાંદને ઓળખે છે. બાળપણની ડગર પર મહેલમાં જન્મ લેનારને કોઈ ધૂપ સહન કરવાની નથી રહેતી.ત્યાં તો તે પાણી માંગતા દૂધ મેળવે છે. સામાન્ય બાળક પરિસ્થિતિને અનુકૂળ થઈ ઘૂંટડામાં સંતોષ માને છે.ઝૂંપડીમાં સંચરતો બાળ ક્યારેક ક્યારેક શાતા મેળવી લેતો હોય છે જ્યારે ફૂટપાથ પરનો બાળ અમુલ ડેરીની દુકાનની છાંવમાં રહીને પણ પ્લાસ્ટિક બેગનું દૂઘ પામી શકતો જ નથી.
આમ સંસ્કાર પડતાં જાય છે, પણ થોડા સમયમાં જેને ભાગ્ય કહીએ છે તે કરવટ બદલે તો બધું જ ઉથલ- પાથલ થઈ જાય છે. કોઈ ધૂપ અનુભવે છે તો કોઈ છાંવ.
ક્યારેક ઉંચે ચમકતો સિતારો પછડાય છે ને ઝૂંપડીમાં રહેતો સંઘર્ષ કરી વિકાસ કરી ચારમાં પૂછાતો થઈ જાય છે. જેમ જંગલમાં ફરતાં પ્રાણી અને સરકસનાં પ્રાણીમાં ફરક પડે છે.રાજાનો હાથી ને મહાવતનો હાથી અનુભવે છે તેમ!
ઘડપણ આવતાં બાળપણ યાદ આવે છે. કુટુંબ કબીલો વિખરાયો હોય છે ને એકલતા ડરાવે છે ત્યારે
ખરી ધૂપ છાંવની ઓળખ મળે છે. ત્યાં આ ત્રિભેટો રચાય છે . જિંદગી આવી જ છે મિત્રો જો છે તો આટલું કેમ? આનાથી વધુ કેમ નહિ? આ લાલસા ધૂપ છાંવનો મેળાપ કરાવી દે છે. એ આવે છે જરૂર , કોઈને નથી છોડતી. એ યાદ રાખશો તો જરૂર ત્રણે માર્ગે સંતોષ સાથે હશે તો તડકી છાંયડી વિતી જશે, પણ અસંતોષ રાખશો તો ત્રિભેટે જ ગતિચક્રનાં વમળમાં જ જિંદગી પૂર્ણ થશે
માનવ એક જ સ્વરૂપ એવું છે જે આ ધૂપ-છાંવનાં ચક્રને ઓળખી શકે છે. પુરુષાર્થ કરે તો બન્નેનું સમાનપણું સાચવી શકે પણ પ્રારબ્ધને રડે તો કદાચ બન્નેમાંથી છૂટકારો નહિ જ પામી શકે. તેથી જ કહેવાયું છે..
*અનેકચિત્તવિભ્રાન્તા મોહજાલસમાવત્તાઃ ।*
*પ્રસક્તાઃ કામભોગેષુ પતન્તિ નરકે અશુચૌ ॥*
અસ્તુ
જયશ્રી પટેલ
૮/૫/૨૨
[5/8, 5:02 PM] Dr.Aniruddh Vyas.MeM.0082NOG: N o g : ss 0082,
વિષય : ધુપ છાંવ,
પ્રકાર : પદ્ય ,
શીર્ષક : સૃષ્ટિનું સૌંદર્ય,
સોનેરા સપનાનાં આલિંગનમાં ધૂપ-છાંવ નીકળી પડ્યાં,
અનેરી સાસ ચૂકીને શમણાંમાં
મોતીઓ વિખેરાઈ ગયાં,
ગગનમાં પહોંચી ગયાં એ શબ્દો
ચાંદની છાંયે જઈ બેસી ગયાં,
ઉગમણી ધૂપનાં કિરણો જોઈને
મસ્ત મજાનાં સ્વપ્નો ઉગી ગયાં,
પર્વતોની વચ્ચેથી દેખાતા એ ધૂપ,
મંદ જળનાં મોજાને સ્પર્શી ગયાં,
ઘટાદાર વૃક્ષોની સમીપ છાયામાં,
લહેરખી પવનની શીતલ બની,
ગગનથી વરસે ધૂપનો તાંડવ
છાંવ બની અમીરસ બની ગયો.
ડો અનિરુદ્ધ વ્યાસ
[5/8, 5:30 PM] Leena Sharma.MeM: NOG SS.No.0098
વિષય:- ધૂપ છાવ
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- વડીલો નું સ્નેહ
દોસ્તો , બધાના જીવનમાં સુખદુઃખ ધુપ છાવ ની જેમ આવે જ છે અને દુઃખના સમયે તો વડીલોનું સ્નેહ અને આશીર્વાદની તો બહુ જરૂર હોય છે.જીવનમાં દુઃખના સમયે વ્યક્ત કર્યાનો સ્નેહ …….
પાણીને બરફમાં બદલવા સમય લાગે છે
ઢળતા સૂરજને નીકળવા સમય લાગે છે
જરાક ધીરજ ધર જરાક જોર લગાવતો રહેજે હો,
કિસ્મતના કાટ લાગેલા દરવાજાને ખુલવામાં વક્ત લાગે છે.
જરીક વાર ઊભો રહીને ફરી ચાલતો થયો જે મારા વહાલા,
ઠોકર ખાધા પછી સંભળવામાં વક્ત લાગે છે.
તૂટી ગયેલા મનને સંવારવામાં થોડોક તો સમય લાગે છે.
જીવનમાં ખુશી આવશે ને આવશે જ જરાક ધીરજ ધરીને ઈંતજાર કર જો,
જીવનમાં દુઃખ દર્દ ધૂપ છાવ જેવા છે ,
એણે ટળવામાં સમય તો લાગે જ છે ….લાગે જ છે ….લાગે જ છે……
✍️
લીના શર્મા
હાલોલ.
NOG SS No : 114
વિભાગ : ગદ્ય
શબ્દ : ધૂપ છાંવ
શીર્ષક: મા નો પ્રેમ
શબ્દ સંખ્યા-168
રચના- જનનીની જોડ સખી નહી જડે રે લોલ.
જિંદગીમાં ધૂપ છાંવ તો આવ્યા રાખે ,પણ આ સંસારમાં એક જ મા એવી છે જે પોતાની મમતા સુખ હોય કે દુઃખ સતત વરસાવ્યા કરે છે એટલે જ કહેવાય છે,મા તે મા બીજા બધા વગડાના વા. મા નસીબવાળાને જ મળે છે.
આ જગતમાં કોઈ બીજી વ્યક્તિ મા ની તોલે ક્યારેય ન આવી શકે. કોઈ વ્યક્તિ આપણને નાનકડી મદદ કરે તોય આપણે એને તરત આભાર કહીએ છીએ. પણ મા પોતાની આખી જિંદગી આપણા માટે ખર્ચી નાખે છે. પણ મા ક્યારેય અપેક્ષા નથી રાખતી કે પોતાના સંતાનો આભાર વ્યક્ત કરે ,મા નિસ્વાર્થ સ્નેહ અને પ્રેમ વરસાવે છે.
ભગવાન શ્રીકૃષ્ણે મા ના પ્રેમ ને પામવા આ ધરતી પર જન્મ લીધો હતો. અને માના ખોળામાં પ્રેમ મેળવ્યો હતો.
મા આ જગતમાં તારા જેવું કોઈ નથી. તારી મીઠી છાંયામાં મને હરહંમેશ રાખજે.
મા મને દુનિયાના ધુપની પરવા નથી .કારણ તારી અમી ભરી વર્ષા સદાય મારા પર વરસતી રહે છે.
કથીરીયા પ્રવિણા “પવી”.નવસારી.