GN_01-05-2022.
JF_01-05-2022
[4/30, 12:27 PM] Dr.Aniruddh Vyas.MeM.0082NOG: N o g s s 0082
વિષય : બિંદાસ ,અલ્લડ ,અને બેફિકર,
પ્રકાર : ગદ્ય ,
શીર્ષક : જીવનના અંતરંગ ,
ઘણી બધી જીવનમાં કુત્રિમ કે ઉદભવેલ હરેક પ્રકારની આકસ્મિક સમસ્યાઓમાં મનથી
હળવાશ પૂર્વક સમાધાન કરી
સ્વભાવને અનુરૂપ દૂર કરવી પડે છે ,
“બિંદાસ “નો મતલબ આવી પડેલ આપત્તિ અને વિટંબણાને ખૂબજ ધૈર્ય અને સંયમથી ઉકેલવી ,
ધૈર્ય , સંયમ, અને માનસિક સમતુલા જાળવી બેફિકર બની
સચોટ માર્ગમાં અગ્રેસર થઇ તેને હલ કરવી એજ મનુષ્યની ચતુરાઈ છે ,
હાલના ઋતુ ચક્ર , સામાજિક
અસમતુલા , વ્યવહારિક જીવનની વિટંબણાઓ , અને પ્રતિકૂળ સંજોગોમા બિંદાસ
નિર્ણય શક્તિમા ચાણક્ય નીતિ
અપનાવી સમયને અનુરૂપ વ્યવહારિક લેણદેણ પૂર્ણ કરવી જોઈએ ,
મનુષ્ય ક્યારેય પૂર્ણ થઈ શકતો નથી , અધુરી એષણા , ઉદ્વેગ,
ચિંતાઓ , સ્વભાવગત હાલક ડોલક નીતિઓ અને અધીરાઇ નો અભાવ આ એક માનસિક મનુષ્યની વિકૃતિ છે ,
જીવનની નૈયાને બેલેન્સ કરીને
બિંદાસ અને બેફિકર થઇને જીવવાથી મહત્તમ આધી,વ્યાધિ ઉપાધિ સરળતાથી દુર થાય છે,
મસ્ત ફકીર બન કે મે ચલા આશિયનેમે,
ગુજર જાયેગા યે બુરા વક્ત
બેફિકર બનકે.
ડો અનિરુદ્ધ વ્યાસ
નડિયાદ
[4/30, 3:29 PM] Shila Patel.MeM.NOG: Nog ss :-0038
વિષય :-બિન્દાસ
વિભાગ :-પદ્ય
શીર્ષક :-સારથી
———––———————————————
દર્શન તારા કરું રોજ વહેલા ઉઠી,
તારા વિના ના રહું એકઘડી કદી,
છે તું આ સૃષ્ટિ ચલાવનાર સારથી,
બેસું તારા રથમાં હું બિન્દાસથી.
પલ પલ રહેજે મારો સહારો બની તું,
ના ભૂલું સચ્ચાઈ નો પથ કદી.
મોહ માયાના બંધન છોડાવજે,
હસતો રહું સદા તારો બાળ બની.
હાથ મૂકી શિર ઉપર સહારો આપજે,
ભવપાર ઉતરી જાવ હું બિન્દાસથી.
✍️શીલાપટેલ “આકાંક્ષા”
[4/30, 3:53 PM] Jaykant Ghelaani.MeM.NOG: NOG NO. S. S.0059
વિષય: બિન્દાસ
પ્રકાર : ગદ્ય- લેખ.
શીર્ષક: ગણત્રીબાઝ -અલ્લડ !
શબ્દો- ૩૫૦.
નામ: જયકાન્ત ઘેલાણી, ‘પ્યારે’
ગુજરાતી અમૂક શબ્દો અર્થ સુચકછે ,જેમકે ત્રાડ શબ્દ જંગલના રાજા સિંહની ગર્જના ની યાદ અપાવેછે, તો બિન્દાસ
શબ્દ અલ્લડ- અલગ વ્યકિતત્વ તરફ આંગળી બતાવેછે.
જગતમાં અમુક લોકો,ગામ -નગરની,આગવી ઓળખથી ઓળખાયાં, તો કેટલાંક લોકો પોતાના અલગ-અકલ્પનિય- અક્કડ વલણથી કે ભાષાથી પરિચિત બની જતાં હોય છે. જે તેમની આગવી ઓળખ બની જતી હોય છે. જેમકે સુરતનો વતની કે અમદાવાદનો વતની ત્યાંના રહેવાસી- બોલીથી અનોખી છાપ ઊભી કરી જતાં હોય છે.
જ્યારે તમારે તમારી વિશિષ્ટ ઓળખ ઊભી કરવી હોય કે સામાજિક સુધારો કરવાની ઈરછા પૂર્ણ કરવી હોય તો તમારે સમય- ધન દોલત , પારિવારિક કે સામાજિક સંબધો સાથે મોટેપાયે બાંધછોડ કરવી પડે છે.
ગામઠી ભાષામાં આવા લોકોને અલ્લડ સ્વભાવના માને છે, તો શહેરી ભાષામાં તેઓ
‘બિન્દાસ’નુ શીર્ષક મેળવવાં નસીબદાર બનતાંહોય છે.
આપણી માતૃભાષા, ગુજરાતી ભાષાની સત્યને ઉજાગર કરતી ઘણીજ સુંદંર કહેવત છે કે,
‘સિંહ ના ટોળાં ન હોય ‘
એટલે કે જે કોઈ પરિવારમાં , સમાજમા, દેશમાં કે વિશ્ર્વમાં પરિવર્તન કરવાં, ચીલો ચાતરવાં ઈરછતાં હોય, તેનાં ટોળાં ન હોય અને તે ટોળાંમાં પણ ન હોય !
તે અચૂક સુધારાવાદી હોય, સત્યને પંથે ચાલનારાં હોય.તેવી વ્યક્તિ , કોઈ પણ જાતનાં ભય કે શેહ-શરમ રાખ્યાં સિવાય સ્વની આગવી ઓળખ ઊભી કરે છે, તે મરજીવો, સમાજમાં ક્રાંતિ લાવવા ઈરછતો હોય છે .
જે પોતાનાં નિર્ણય ને વળગી રહેનાર,નૈતિક ફરજને નિભાવનારો હોય છે.
હા, સમાજમાં, તે વ્યકિત વિવિધ નામે મશહૂર હોય છે અથવા તેને માટે વિવિધ વિશેષણો વપરાતાં હોય છે,
જેમ કે, કંજૂસ, વેદિયો-અલ્લડ, કૂપમંડુપ ,પાગલ ,કે પછી તેને ગણત્રીબાજ અથવા ‘બિન્દાસ’! જો કે આવાં તુચ્છ વિશેષણોની પ્રાપ્તિ માટે તેણે,
પરિવાર, સમાજ, સાથે પોતાની ઈજ્જત પણ દાવમાં મૂકેલી હોય છે જેની સમાજ કદી કદર કરતો નથી.
‘બિન્દાસ’નું સર્ટિફિકેટ કાંઈ વારસાગત સંપત્તિ નથી, પણ તે મેળવતાં પહેલાં ઘણાં સંબંધોનો છેદ ઉડાડવો પડેછે, જેમાં કોઈ વખત મિત્રતાનાં સંબંધનો પણ ભોગ ધરવો પડતો હોય છે .
ટૂંકમાં, બિન્દાસ બનવા માટે તમારે સામા, વહેણે તરી, કાંઠે પહોંચવાનું રહે છે.
આ વાત સમજવા નાનું પધ્ય ઘણું સમજાવી જાયછે.
રીત-રિવાજને રૂઢિ છોડી,
મોહ માયાનાં બંધન કાપી,
સ્થિતપ્રજ્ઞતાનો ભાવ સંભાળે
‘પ્યારે’તે જ સાચો ‘બિન્દાસ’.