[3/25, 8:18 PM] Nikhil Kinariwala.MeM: *NOG SS No* : *0110*
*પ્રકાર : *ગદ્ય- લધુવાર્તા*
*વિષય* : *સંબંધો/લાગણીઓના મેણા ટોણા*
*શબ્દો* : *૩૪૬*
*શીર્ષક* : *’જીવનમાં સંતોષ’*
*લેખકનું નામ* : *નિખિલ કિનારીવાળા (અમદાવાદ)*
મનીષભાઈ અને નીતાબેન સુશિક્ષિત, સંસ્કારી અને મધ્યમ વર્ગીય કુટુંબના પતિ-પત્ની.નાની બહેન રૂપાના લગ્ન બાદ માતા-પિતાની સંપૂર્ણ જવાબદારી મનીષભાઈ ઉપર હતી. સંતાનોમાં સાત વર્ષનો પુત્ર સુલય અને ચાર વર્ષની પુત્રી નૈયા હતાં. મધ્યમવર્ગીય કુટુંબ હોવાથી મનીષભાઈ અને નીતાબેન બંને જોબ કરીને કુટુંબની આર્થિક પરિસ્થિતીનું સંતુલન બનાવી રાખતા. બન્ને જોબ કરતા હોવાથી પુત્ર સુલય અને પુત્રી નૈયાનો ઉછેર દાદા-દાદી પાસે જ વધુ થતો.
નીતાબેન સ્વભાવે સુશીલ, સંસ્કારી અને નરમ સ્વભાવ ધરાવે. પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિ અને કુટુંબની જવાબદારીઓ વિશે તેમને હંમેશા મનમાં ખટકો રહ્યા કરતો અને જાણે-અજાણે દોષનો ટોપલો હંમેશા તેમના પતિ મનીષભાઈને માથે ઢોળાતો. તેમનો બધો આક્રોશ મનીષભાઈ ચૂપચાપ સાંભળી લેતા અને નીતાબેનને ધીરજ રાખવા કહેતા.
નીતાબેનને પોતાની પાસે નાનકડું ઘર હોવાનો, ચાર પૈડાનું વાહન ન હોવાનો, બાળકોને પ્રતિષ્ઠિત કોન્વેન્ટ સ્કૂલમાં ન મૂકી શકવાનો, વાર-તહેવારે સારી રેસ્ટોરન્ટમાં જઈને જમી ન શકવાનો, પ્રસંગોપાત વેકેશનમાં ફરવા નહીં જઈ શકવાનો, સાસુ-સસરાની સતત હાજરીને કારણે ઘરના રસોડા સાથે બંધાઈ રહેવાનો, લગ્ન બાદ પોતાને ઘરેણાં કે મોટી ભેટસોગાદ નહીં મળ્યાનો અસંતોષ જેવી અસંખ્ય નાની નાની બાબતે દોષિત ઠેરવવા છતાં મનીષભાઈ ક્યારેય કુટુંબ પ્રત્યેના કર્તવ્યથી પાછા ન હટયા.
સમયના વહેણમાં ૨૦ વર્ષ બાદ મનીષભાઈ અને નીતાબેનનો સમય પણ પલટાયો. નીતાબેનની ફરિયાદો ઓગળવા લાગી. મનીષભાઈ તેમની પ્રમાણિકતા અને કર્તવ્યનિષ્ઠાને કારણે ઓફિસમાં ખુબ ઉંચી પદવી પર પહોંચી ગયા. નીતાબેને પણ તેમની જોબમાં ઘણી પ્રગતિ કરી. મોટું મકાન અને કાર પણ લીધી. બંને બાળકો તેજસ્વી હોવાથી સુલય મેડિકલમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો હતો અને નૈયા આર્કિટેક્ચરનો અભ્યાસ પૂરો કરી ચૂકી હતી. પિતાના અવસાન બાદ મનીષભાઈ અને નીતાબેન બંને માતાની વધુ કાળજી લેતા.
એક દિવસ મનીષભાઈ અને નીતાબેન બંને ઘરની ગેલેરીમાં હિંચકા ઉપર બેઠા હતા. મનીષભાઈએ નીતાબેનને કહ્યું, જો, નીતા, મને ખબર છે હું તને ગમતી સુખ-સગવડો ક્યારેય સમયે આપી નથી શક્યો. તને શરૂઆતમાં ઘણો અસંતોષ રહ્યો. પરંતુ મારી આપણા કુટુંબ પ્રત્યેની નિષ્ઠા, તારું સમર્પણ, બાળકોમાં સંસ્કાર સિંચન અને સૌથી મહત્વનું માતા-પિતાના આશીર્વાદ એ સઘળું આપણને ફળ્યું છે. આજ તો આપણા જીવનની સાચી કમાણી છે અને આ બધાનો શ્રેય હું તને આપું છું. તારી ધીરજ અને લાગણીભરી સંભાળને કારણે જ આપણે આજે કુટુંબ સાથે આટલા સુખી છીએ. નીતાબેન સજળ નયને મનીષભાઈની આંખોમાં આંખો પરોવી તેમની વાત ધ્યાનથી સાંભળી રહ્યા. આજે તેઓ સ્વર્ગના સુખનો અનુભવ કરી રહ્યા હતા.
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૨૫ માર્ચ ૨૦૨૨.
[3/25, 9:15 PM] Sweta Talati.MeM.NoG: NG 0078
પ્રકાર – ગદ્ય ( લેખ)
શીર્ષક – સંબંધમાં વિકૃતિ
સમય અને સંબંધ એ જેટલા સરળ શબ્દો લાગે છે એટલા છે જ નહીં. સમયનું કાળચક્ર ફરતું ગયું લગભગ બધું જ બદલાતું ગયું અને એ પણ ધરમૂ ળથી. બધા જ સંબધોની વ્યાખ્યાઓ બદલાઈ ગઈ.
એક સમયે લગ્ન પહેલાં એકબીજાને જોયાં પણ ન હોય તેવા બે વ્યક્તિઓ વડીલોના કહેવાથી સંબંધ બાંધતા અને આવી વ્યક્તિઓ બાળવયે કે નાની ઉંમરે આખી જ જીવનની સફર સાથે ગાળી લેવા રાજી થતા. ત્યારે પણ જીવનમાં કોઈ સંઘર્ષ નહોતો તેવું ક્યાં હતું? સ્ત્રીઓ તો નસીબમાં સંઘર્ષની લીટી લઈને જ જન્મે છે ને? ઘણાં મહેણાં – ટોણાં, અન્યાય છતાં પડ્યું પાનું નિભાવી લેવાની અને એ જ ઘરમાં સંયુક્ત કુટુંબમાં સાથે જિંદગી જીવી લેવાની અંત સુધી. ત્યારે દીકરીનું પાછા વળવું પણ લગભગ અશક્ય હતું.
પછી કાળચક્રએ થોડું પડખું ફર્યું. અને આ બધી બાબતોમાં થોડી ભિન્નતા આવી. થોડા થોડા સમયે અલગ અલગ દ્રષ્ટિકોણ લઈને આવતો સમય દરેક વખતે એમાં થોડીક આધુનિકતાનો વધારો કરતો ગયો અને સંબંધોને અલગ અલગ ઓપ અને આકાર આપતો ગયો. આધુનિકતાના નામે કે ખૂબ જ વિસ્તૃત દ્રષ્ટિકોણના નામે ક્યાંક સંબંધોમાં છળ ન થાય અને સંબંધ જેવા સુંદર અને પવિત્ર શબ્દ પર કોઈ લાંછન ન લાગે તે જોવું જ રહ્યું.
સતત સમાચારોમાં છપાતા આજકાલના લબરમૂછિયાઓની પરાણે સંબંધ બાંધવાની માનસિક વિકૃતિની પરાકાષ્ઠા એટલી હદે પહોંચી છે કે તેની સાથે સંબંધમાં આગળ વધવા માટે જો નકારાત્મક પ્રતિભાવ આવે અને જો પૌરુષ અહમ્ ખવાય તો તે મગજ પરની સંતુલિતતા ગુમાવી દે છે. દીર્ઘદ્રષ્ટિ એટલે શું તે કદાચ આજકાલના અમુક જુવાનીયાઓને ખબર જ નથી. એટલે અહમ્ પર ઘાત પડતા જ વિષમ પ્રત્યાઘાત સામેવાળાની હત્યા કરી દેવાનો આવે છે અને એ પણ ખૂબ જ ક્રૂર અને ઘાતકી રીતે. તે એક સાથે ઘણી બધી જિંદગીઓમાં દુઃખ વ્યાપી જાય છે.
જે છોકરીએ સંબંધ બાંધવાની ના પાડી અથવા તો બાંધીને બ્રેકઅપ કર્યું તો તેની હત્યા કરી દીધી. જેણે હત્યા કરી તેને પોલીસ પકડી ગઈ. અને બંને પક્ષના મા – બાપ, ભાઈ- બહેન દુઃખી થઈ ગયા. આખરે હાથમાં શું આવ્યું? આવું કરનાર એ છોકરો આજીવન જેલમાં રહેશે જ. થોડા સમય માટે પોતાનો મન પરનો કાબૂ ગુમાવી દેવાનું આખી જિંદગી માટે ભારે પડ્યું.
“સંબંધ એટલે શું? “તેની વ્યાખ્યા સમજાવવામાં મા-બાપ નિષ્ફળ રહ્યાં? બાળકના ઉછેરમાં ઘણી બધી કચાશ. બાળકની બધી જીદ પૂરી કરી દેવી અને ખૂબ જ લાડકોડથી બાળકને ઉછેરવું એટલે ક્યારેય ના સાંભળવાની એની વૃત્તિ જ ન રહી? કે બીજું કંઇ?
સમય હવે સંબંધમાંથી વિકૃતિની પરાકાષ્ઠા ને ખેંચીને અને આગળની પેઢીને એ સમજાવે કે સંબંધ એટલે બલિદાન, પ્રેમ . અહમ્ ને નફરત નહીં.
પોતાના સાથીને સુખ આપવા માટે પોતાનાથી બનતું કરી છૂટવાની વૃત્તિ અને થોડાક ઘર્ષણ સાથે પણ જિંદગીની ગાડીને ચલાવી લેવાની એક આવડત.
– શ્વેતા તલાટી.
[3/26, 1:20 PM] Hemlatta Divecha.MeM: NOG SS NO – 0037
વિષય.- સંબંધો…..
શીર્ષક – સંબંધોના વાવેતર.
શબ્દો – 87
તા.૨૬/૦૩/૨૨
સૃષ્ટિ સર્જનહારની,
સઘળો સંસાર તેનો,
આપણે સૌ સંતાન એક પિતાના.
સંબંધોના વાવેતર કરી જુઓ,
સંવેદનાઓનું ખાતર નાંખો,
સિંચન સ્નેહનાં સથવારે કરો.
મબલખ પાક સંબંધોનો થશે,
જીવન બાગબાન સૌનું થશે,
પરમ પિતાને પણ આનંદ થશે.
સંબંધો ઈશની માયા,
સંબંધો આશાઓનો મહાસાગર,
સંબંધો કલ્પવૃક્ષ માનવતાનું.
સંબંધો ઊર્જા છે,
સંબંધો સ્વની ઓળખ છે,
સંબંધો સરવાળે જીવન ઉધાયન છે.
સંબંધોના સથવારે,
જીવન યાત્રા દીપે,
ચાલો સૌ સાથે મળી,
સંબંધોનું વાવેતર સાહિત્ય સરિતાના સથવારે કરીએ.
હેમલતા દિવેચા ‘ હેમ ‘
[3/26, 4:18 PM] Jaykant Ghelaani.MeM.NOG: NOG NO. S.S. 0059.
વિષય: સંબંધો,
લાગણીઓનાં ‘મેણાં ટોણાં’
પ્રકાર: ગદ્ય- લેખ.
શીર્ષક: ‘તાકાત માપો શબ્દોની’
શબ્દો: ૩૦૬
જયકાન્ત ઘેલાણી, ‘પ્યારે’
‘સજાવી, શબ્દોનાં શુભ સાથિયા,
‘ પ્યારે’સજાવો, રંગોળી,સંબંધોની.’
આ સમગ્ર વસુંધરા ઉપરની જીવ
સૃષ્ટિમાં, કેવળ માનવ છે જે સંબંધો બનાવે છે, નિભાવે છે તો સાથે સાથે પોતાનાં વાણી- વ્યવહાર- વર્તનથી તોડતાં લેશમાત્ર પણ સંકોચ અનુભવતો નથી, સમય ગુમાવતો નથી.
તેમ છતાં મનુષ્યની ગણના ધરતી પરનાં સૌથી સમજુ, બુધ્ધિશાળી પ્રાણી તરીકે થાય!
સંબંધોનાં ઓઠા નીચે ખુલ્લી લૂંટ ,
જગ સમક્ષ ચલાવી છે,
જૂઠી છેતરામણીની માયાજાળ !
આ માયાજાળનું આગવું, ફક્ત બે અક્ષરનુ હથિયાર છે, ‘મેણાં’, ટોણાં ‘.
બે સામાન્ય લાગતાં શબ્દો, જીવનભરના ,મીઠાં સંબંધોને ચપટીમાં કડવા ઝેર જેવાં કરવાની ક્ષમતા ધરાવે છે.
સોના જેવા સંબંધોને, અલ્પ શબ્દોનાં સથવારે કથીરના બનાવી પરસ્પર વેર- ઝેરના બીજનું વાવેતર કરવાનાં કામયાબ થાય છે.
આ બધું માનવજાત જાણે છે,
છતાં ક્ષણભરનાં આવેશમાં આવી,વર્ષો જૂના સંબધોને ઘડીભરમાં તોડી નાખે છે, છતાં તે કેમ ડાહ્યો ગણાય ?
અકલ્પનિય ઉદાહરણ !
મહારાણી દ્રોપદીના,અગ્નિથી પણ વિશેષ દઝાડનારાં શબ્દો-
“અંધાના, જાયા અંધા ! ,
પરિણામે સર્જાયું , સૃષ્ટિ ઉપરનું
ભીષણ યુધ્ધ, ‘મહાભારત’.
આપણી કહેવતો સંબંધોનું , શબ્દોનાં સથવારે જતન કરવાનું અને નિભાવવાનો સચોટ ઉપદેશ આપે છે.જેમ કે,
‘બોલે તેના બોર વેચાય ‘
તો બીજી કહેવત છે,
‘ન બોલવામાં નવ ગુણ’. તો
સમજ શકિતનો ઉતમ ઉપદેશ આપતી કહેવત,
‘અંધાને અંધો કહિયે તો કડવા લાગે વેણ,
હળવે રહીને પૂછીએ, ‘પ્યારે’ શેણે ખોયા નેણ?’
શબ્દો ના સથવારે,સંબંધોને જે સાચવી શકે છે, શણગારી શકે છે અને સમયે સમયે નિભાવી જાણે છે,તે વ્યકિત જગતમાં મહામાનવનુ બિરુદ હાંસલ કરી સમગ્ર વિશ્ર્વમાં ભારતનું નામ રોશન કરવાની સાથે ગુંજતું કરી શકે છે.વર્તમાન યુગનો મહામાનવ એટલે ‘યુગપુરૂષ’ આપણા વડાપ્રધાન ‘શ્રી નરેન્દ્રભાઈ મોદી’ , જેઓએ સંબંધોને,હંમેશાં સમયે સમયે, શબ્દોનાં સથવારે, દેશ વિદેશ સાથે,અરસ પરસના સંબંધોને નવપલ્લવિત કર્યા છે, સંબંધોને વધુ મજબૂત કરી વિશ્ર્વશાન્તિ ને પ્રાધાન્ય આપ્યું છે,અને આપતાં રહે છે. આ છે , મહામાનવની દુરંદેશી!
સજાવી, શબ્દોનાં શુભ સાથિયા , ‘પ્યારે’ સજાવો,રંગોળી સંબંધોની.
‘સત્યમ્ વદમ્ , પ્રિયમ્ વદમ્’.