[12/8, 5:07 PM] Jayshree Patel. Sahityakar: .
N.O.G. S .S. No. 0102
વિષય.:- *લખતા લખતા તમારી કૃતિ (ગદ્ય કે પદ્ય) ને પહેલો ક્રમાંક મળ્યો તે સમયની મનની અભિવ્યક્તિ.*
પ્રકાર.:- * *ગદ્ય.**
શીર્ષક. :- * *કૃતિને પહેલો ક્રમાંક મળતા મનની અભિવ્યક્તિ.**
જીવનમાં વાંચન અને લેખનનો ઘણો અનુભવ હોય છે .વાંચતા-વાંચતા ક્યારેક લખવાનું પણ મન થઈ જાય ,અને આપણે આપણી કૃતિ લખીને તૈયાર રાખીએ છીએ.
ગદ્ય કે પદ્ય કોઈપણ પ્રકારનું લખાણ હોય. તો પ્રથમ તેને લખીને ફરીવાર તેને મઠારીએ .સુધારા કરીને ભૂલો જોઈએ, અને ફરી પાછી સારી રીતે લખવાની કોશિશ કરીએ, તૈયાર થયા પછી જે તે મેગેઝીન, અખબાર વિગેરેમાં આપણે આપણી કૃતિ રજુ કરતા હોઈએ છીએ.
દરેક કૃતિ મોકલતી વખતે સારો અનુભવ થાય તેવું નથી હોતું .ઘણે ઠેકાણેથી એ પરત આવેછે .અને આપણે આપણી મહેનત નકામી હોય તેવું લાગ્યા કરે છે.પરંતુ આ પ્રક્રિયા વણથંભી આગળ વધે તો સફળતાની પણ સારી શક્યતાઓ હોય છે તેઓ મારો અનુભવ છે.
મેં મારી કૃતિ ઇન્સ્પેક્શન, સુધા, જેવી કૃતિઓ મેગેઝીનોમાં મોકલાવી હતી.
મારી પ્રથમ કૃતિ “*ઇન્સ્પેક્શન * ચાંદની માસિકમાં છપાઈ હતી ,અને તેને સારો એવો પ્રતિસાદ મળ્યો .મને પુરસ્કાર સ્વરૂપે રકમ પણ મોકલવામાં આવી. ત્યારે મારી ખુશી ઘણી વધી ગઈ. મને મારી જાત ઉપર ભરોસો થયો કે હું સારું લખી શકું છું. એટલું જ નહીં પણ લોકોના પ્રતિભાવો જે આવ્યા તેના ઉપરથી મને લાગ્યું કે લોકોને આ મારી કૃતિથી ઘણો સંતોષ થયો છે.
કૃતિ જ્યારે પ્રથમ આવે ત્યારે હૃદયની ખુશી હોય છે. આપણે કરેલી મહેનતનું ફળ મળ્યું તેનો આનંદ આવતો હોય છે. લોકો આપણે બિરદાવતા હોય છે., અને મનની ખુશી અનેક ગણી વધી જતી હોય છે. ખાસ કરી અને સાહિત્ય જગતમાં આગળ ડગલાં ભરવા માટેની એક મોટામાં મોટી આપણે પ્રેરણા મળી રહે છે..
દરેક કૃતિ દ્વારા લેખકનો કોઈ સંદેશો લોકોને માટે હોય છે ,અને આ સંદેશો જે લોકો વાંચી અને જીવનમાં ઉતારે છે ,તેઓના જીવનને પણ આનાથી ઘણી બધી પ્રેરણા મળતી હોય છે.
આપણી સાહિત્યની કૃતિથી આપણે દુનિયાનાં ઘણાં બધાં લોકોના પરિચયમાં આવીએ છીએ, અને લોકો આપણી પ્રશંસા કરે છે તે બાબતનો વિશેષ આનંદ અનુભવતા હોઇએ છીએ. જેને શબ્દોમાં અભિવ્યક્ત કરવા માટે શબ્દો મળતા નથી.
રતીલાલ વાયડા.
૭/૧૨/૨૦૨૧ મંગળવાર.
નવી મુંબઈ.
[12/8, 5:09 PM] Jayshree Patel. Sahityakar: NOG.S.S. NO.0032
*લખતા લખતા તમારી કૃતિ(ગદ્ય કે પદ્ય)ને પહેલો ક્રમાંક મળ્યો તે સમયની મનની અભિવ્યક્તિ*
શીર્ષક: પ્રસિધ્ધી
લખી લખીને ઘણીવાર ભૂંસી નાખ્યું
પણ ઝાંખુ ઝાંખુ નયનને દેખાતું હતુ.
થયું એકવાર પદ્ય સ્પર્ધામાં નંબર તો મેળવવો જ રહ્યો.. શબ્દ કોશમાં શબ્દો વીણી વીણીને વાક્ય રચના બનાવવા એક સૂંડલામાં ભેગા કરીને એ શબ્દો મોતીની જેમ એકબીજામાં ગૂંથ્યા. પછી રંગબેરંગી કાગળ પર વાક્ય રચનાને કવિતામાં તરબોળ કર્યા. મારી રચનાનાં શબ્દો કંઈક નીચે મુજબ બોલતા હતા.
*પનઘટની વાટે*
ઉગ્યું છે આજ સુપ્રભાત વહેલી સવારે,
ખળખળ કરતું ઝરણું, ધીરગંભીર વહેતી નદી.
આવે છે લહરખીઓ મીઠી સવારે ચમનમાં
પનઘટની વાટે…અને સખીઓની સાથે.
જાવું મારે તારા ઘરનાં,!ભરવા પનઘટપાણી..
વાટે અને વાટે,વાગે મને પગમાં,
ઝીણી ઝીણી ઠેસ.સરખી સહિયર સાથ
સાથમાં ને વાતમાં,મહિયરની વાતમાં.મીઠી લાગે વાત,મને સહિયરોનાં સાથમાં.
પછી હું સપનામાં રાચવા લાગી.મનમાં હતુ કે આ વખતે મારો નંબર તો આવશે જ…એક અઠવાડિયા પછી રીઝલ્ટ નીકળવાનું હતુ…
જાણે હું કાગના ડોળે રાહ જોતી હતી.. પ્રભુને ગમ્યુ પણ ખરું અને મારુ નામ પહેલા નંબરે પ્રસિધ્ધ થયું. ખૂબજ ખુશી હતી.આ સ્પર્ધામાં નંબર લેવો એ કઈ નાની સૂની વાત નહોતી અને એ પણ પહેલો નંબર….! શર્ટીફીકેટ જોઈને ખુશી સમાતી નહોતી. નાના મોટા દરેકને કહી વળી … ખુશી જ અંદરથી એટલી હતી કે જેને શબ્દમાં વર્ણવી બહુ અઘરી હતી. મારા મતે આ પ્રસિધ્ધી કોઈ નાની સૂની નહોતી ભાઈ……
મીના માંગરોલીયા “મીનુ”
અમદાવાદ
7/12/2021
[12/8, 5:12 PM] Jayshree Patel. Sahityakar: NOG SS. NO .0095
વિષય :– લખતા લખતા તમારી કૃતિને પહેલો ક્રમાંક મળ્યો તે સમયની મનની અભિવ્યક્તિ
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :– “ સંતના આશીર્વાદ “
રચના :- કેટલો સુંદર વિષય છે .એ વખતની અનુભૂતિ જ અલગ હોય છે .જાણે સ્વપ્નમાં વિહરતા વિહરતા કોઇ જુદી જ દુનિયામાં પહોંચી ગયાં હોઈએ એવી અનુભૂતિ થતી હોય છે .એનો અર્થ એ નથી કે કોઇ અહમ્ નો ટકરાવ હોય છે પણ પ્રસન્નતાની એક લહેરખી હોય છે .
મને યાદ છે મારી લેખનયાત્રાની શરૂઆત મેં એક એવા પુસ્તક માટે કરી હતી જેમાં એક સ્ત્રીની વેદના હતી . ‘ અસ્તિત્વનું આત્મવિલોપન ‘ આ પુસ્તકમાં એક એવી સ્ત્રીનું વર્ણન છે કે જેની ઉપર બળાત્કાર થયો હોય છે. પ્રેમલગ્ન કરેલી એ સ્ત્રીનું જીવન બળાત્કાર પછી દોહ્યલું થઈ જાય છે અને એવી સ્ત્રીની વેદનાનું વર્ણન કરવાનો અવસર પ્રાપ્ત થયો .મારા પ્રકરણને ખૂબજ પ્રશંસા મળી . સહ લેખિકા તરીકેનો પ્રથમ પ્રયત્ન અને એમાં પણ આટલી બધી પ્રશંસા સાથે સાથે શ્રેષ્ઠ લેખન માટેનો સ્પે. એવોર્ડ મળ્યો , પ્રમાણપત્ર મળ્યું અને હૈયું ખુશીથી ઝુમી ઊઠ્યું .
મન સ્વીકારી જ નહોતું શકતું કે મારી કલમ આટલી સુંદર ચાલી શકશે . પછી તો એ કલમ અટકી જ નહીં . ઘણા પુસ્તકમાં સહ લેખિકા તરીકે લખ્યું , ઘણા પ્રમાણપત્રો મેળવ્યા. શ્રેષ્ઠતા ના પારિતોષિકો મેળવ્યા , અને એ મારી માટે સારું લખવાના પ્રેરણારૂપ બનતાં ગયા .મારી સારું લખવાની ભૂખ વધતી જ ગઈ .
કોરોનાને કારણે ‘ અસ્તિત્વનું આત્મવિલોપન ‘ મોડી પ્રસિદ્ધ થઈ .પણ મારું સદ્ભાગ્ય રહ્યું કે એ પુસ્તકને પૂ. મોરારીબાપુનાં આશીર્વાદ સ્વરૂપે સુંદર લખાણ સાથેનું પ્રોત્સાહન મળ્યું. એની જ સાથે મારી સહલેખિકા તરીકેની ‘ પરવરિશ ‘, અને ‘દીવાળી અંક ‘ આ પુસ્તકને પણ એમનાં આશીર્વાદ રૂપી સુંદર લખાણ મળ્યું અને એ સમય મારી માટે કોઇ રચનામાં પ્રથમ ક્રમાંક મેળવવા કરતાંય વધુ શ્રેષ્ઠ હતો .પૂ.બાપુનાં હસ્તે લખેલા શબ્દોરૂપી આશીર્વચન મારી લેખનયાત્રાની યશકલગી સમાન બની રહ્યાં. જેની ખુશી અવર્ણનીય છે .
ઘણી બધી રચનાઓ લખીને ઘણી બધી જગ્યાએ પ્રથમ ક્રમાંક મેળવતી જ રહી છું પણ હું એટલું જરૂર માનું છું કે પ્રથમ પુસ્તકનાં લખાણને મળેલાં પૂ. બાપુનાં આશીર્વાદ નું જ આ હળ મને મળે છે .સદાય સારું અને ઉત્તમ લખવાની પ્રેરણા મળતી રહી છે અને એ જ પ્રેરણા મારાં લખવાનું ધ્યેય બની રહેશે .
દીપિકા ચાવડા “ તાપસી .”
[12/8, 5:15 PM] Jayshree Patel. Sahityakar: NOG SS no.-0007
વિષય : લખતાં લખતાં તમારી કૃતિને પ્રથમ ક્રમાંક મળ્યો તે સમયની મનની અભિવ્યક્તિ
પ્રકાર : ગદ્ય
શિર્ષક : લેખિકા તરીકે પ્રસ્થાપિત કરનારો પ્રસંગ
વધારે પ્રસ્તાવના બાંધ્યા વગર સીધી વાત પર જ આવું છું.આ પ્રસંગ લગભગ પંદર સોળ વર્ષ પહેલાંનો છે.ત્યારે હું નિબંધો,લેખો,અને એકોક્તિઓ લખતી હતી. પરંતુ સોશ્યિલ મિડીયાના અભાવે એ બધું મારી ડાયરી પૂરતું જ સીમીત રહેતું.એક દિવસ મારી ભત્રીજી જે ત્યારે દસમાં ધોરણમાં ભણતી હતી, એણે એની શાળામાં એકપાત્રીય અભિનય ભજવવાની સ્પર્ધામાં ભાગ લીધો,અને મને ક્હ્યું,”કાકી મેં મોનોએક્ટીંગની સ્પર્ધામાં ભાગ લીધો છે તો તમે મને કોઈ એક પાત્ર તૈયાર કરાવી આપો.” એટલે મેં એને વાપી ,વલસાડથી શાક લઈને વેચવા આવતી ગુજરાતી શાકવાળીનું પાત્ર તૈયાર કરાવી આપ્યું.નાનપણમાં મેં આ શાકવાળીઓને જોઈ હતી.એટલે એ લોકો જેવું બોલે એવાજ શબ્દોચ્ચાર સાથે અને એમનાં જેવાં અદ્લ પહેરવેશ સાથે મારી ભત્રીજીને તૈયાર કરી સ્પર્ધાના દિવસે શાળામાં મોકલી.એ જ્યારે પોતાનું નામ લિસ્ટમાં લખાવવા ગઈ ત્યારે એનાં વર્ગશિક્ષિકાએ એની સામે આશ્ચર્ય સાથે જોયું અને પૂછ્યું કે ,” તું શું બની છે?”ત્યારે મારી ભત્રીજીએ કહ્યું કે,
” શાકવાળી.”ત્યારે એની શિક્ષિકાએ એને કહ્યું કે,” આપણે તો ઐતિહાસિક પાત્રો જ લેવાના છે એટલે તું ભાગ નહીં લઈ શકે.” આટલું સાંભળતા જ મારી ભત્રીજી નિરાશ થઈ ગઈ અને રડવા લાગી.એણે મને શાળામાંથી જ ફોન કર્યો અને વિગતે વાત જણાવી.એટલે મેં એનાં શિક્ષિકા બહેન સાથે વાત કરી અને મારી ભત્રીજી ફોરમને ભલે સ્પર્ધામાં ન ગણે પરંતુ આટલી મહેનત કરી છે તો એકવાર એ પાત્ર રંગમંચ પર ભજવવા દેવાની વિનંતી કરી. જે એમણે માન્ય રાખી. પછી તો ફોરમે એટલું સરસ અને આબેહૂબ પાત્ર ભજવ્યું કે દર્શકો સહિત ત્યાં હાજર તમામ શિક્ષકો ,વાલીઓ અને નિર્ણાયકોએ ફોરમને તાળીઓથી વધાવી લીધી.નિર્ણાયકોએ આખરે તેઓનાં નિયમથી વિરુદ્ધ જઈને ફોરમના અભિનયને બિરદાવી, સ્પેશિયલ કૅટેગરી હેઠળ સુવર્ણચંદ્રક આપ્યો.તે દિવસે એ સુવર્ણચંદ્રક જાણે મેં જીત્યો હોય એવી સુખદ અનુભૂતિ મને થઈ.ત્યાર પછી તો ઘણાં બાળકોને વેશભૂષા હરિફાઈ માટે તૈયાર કરતી,અને મારાં દ્વારા તૈયાર કરાયેલ એ પાત્રોને અચૂક પ્રથમ અથવા તો દ્વિતીય ક્રમ મળે.અમને હરિફાઈમાં ઊતરેલાં જોઈને બીજાં સ્પર્ધકો માની જ લેતાં કે પહેલાં બીજા ક્રમાંકમાંથી તો હાથ જ ધોવા પડશે.બસ આ પ્રસંગે મને સાહિત્ય ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કરી.મારામાં એક આત્મવિશ્વાસ જગાડ્યો કે હું જે કંઈ પણ લખીશ તેને વાચકો સ્વીકારશે.આજે પણ આ પ્રસંગ કહેતી વખતે હું એટલી જ રોમાંચિત થઈ જાઉં છું.
લેખિકા : આરતી મરચંટ
મુંબઈ : કાંદીવલ