GN_08-12-21
[12/7, 6:12 PM] Jayshree Patel. Sahityakar: NOG :80
વિષય : કૃતિને પહેલો ક્રમ મળ્યો તે સમયની અભિવ્યક્તિ :
-============
આમ તો નાનપણથી કાંઈને કાંઈ લખવાનો મને શોખ. પ્રાયમરીમાં ભણતી ત્યારે પણ નિબંધલેખન, કાવ્યપઠન, સુલેખન જેવી અનેક સ્પર્ધામાં મોટાભાગે પ્રથમ નંબર મેળવ્યો જ હોય. નવમાં ધોરણમાં ભણતી ત્યારે એકવાર જિલ્લા કક્ષાની સ્વરચિત કાવ્યલેખન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો. ત્યારે મારાં આનંદનો પાર ન રહ્યો.સાચું કહું તો એ સમયથી જ મારાં ઉપર મા સરસ્વતીની કૃપા ઉતરી,એમ કહું તો જરાય અતિશયોક્તિ નહીં લાગે.
” છાલક” મેગેઝીન દ્વારા ગુજરાતી ભાષાનાં સમગ્ર વિશ્વનાં સર્જકોને” લઘુકથા “સ્પર્ધા માટે આમંત્રણ આપવામાં આવ્યું. આ સ્પર્ધામાં ગુજરાતી ભાષાના ઉત્તમોત્તમ સર્જકોએ પણ ભાગ લીધેલો, મેં પણ મારી એક લઘુકથા આ સ્પર્ધામાં મોકલી આપી.નિર્ણાયકો તરીકે ભાષાના નામાંકિત ધુરંધરોએ પોતાનું યોગદાન આપીને કિંમતી સમય ફાળવેલો. ત્રણેક મહિનાનો સમય વીતી ગયો. હું પણ ભૂલી ગયેલી કે મેં આવી કોઈ સ્પર્ધા માટે કૃતિ મોકલી છે.
એક દિવસ સવારે અગિયારેક વાગ્યા હશે ત્યાં આદરણીય સર્જક શ્રી યોગેશભાઈ જોશીનો મારાં પર અભિનંદન આપતો ફોન આવ્યો. જે એમના જ શબ્દોમાં અહીં મુકું છું., કહે “તમારી કૃતિ “છાલક ” લઘુકથા સ્પર્ધામાં પ્રથમ ક્રમે છે., બહેન, તમે તો ભલભલા સર્જકોની સામે મેદાન માર્યું છે! જુઓ, એ રિઝલ્ટ તમને વોટ્સઅપ કર્યું છે.” એમની આ વાત સાંભળી હું તો એકદમ નાચી ઊઠી.અને મને અનહદ આનંદ થયો.
ખરેખર, એ ક્ષણ, એ દિવસ મારાં જીવનનો સહુથી યાદગાર દિવસ બની ગયો. હવે ટૂંક સમયમાં આ સ્પર્ધા વિજેતાઓને સન્માનિત કરવા માટેનો કાર્યક્રમ યોજાનાર છે.
વર્ષા જાની
ભાવનગર
7 ડિસેમ્બર,2021
[12/7, 6:20 PM] Jayshree Patel. Sahityakar: NOG SS NO:004
*વિષય*ઃ *લખતા લખતા તમારી કૃતિ(ગદ્ય કે પદ્ય)ને પહેલો ક્રમાંક મળ્યો તે સમયની મનની અભિવ્યક્તિ*
*પ્રકારઃગદ્ય (સ્વાનુભવ)*
*શબ્દઃ
*શીર્ષક-*મારી ઓળખ*
મારા જીવનમાં સુખ દુઃખની ચગડોળ ઉંચી નીચી થયા જ કરી. બાળપણથી સાહિત્ય પ્રેમી તેથી કંઈને કંઈ નવું વાંચતી ને પપ્પા દ્વારા અપાતા પુસ્તકો પણ ઉથલાવતી. ક્યાંક કોઈ લેખક હૃદયમાં સ્થાન પામતાં તો કોઈક લેખકની વાતો ન પચતી. નવું નવું નોટ્સમાં ટપકાવતી ને વાંચી વાંચી મન મંથન કરતી. અંતે નિષ્કર્ષ પર આવતી કે હું પણ કંઈક લખું.
સોળ વર્ષની ઉમ્મરે મારી વાર્તા ખોટ અખંડઆનંદમાં મોકલી ને તે સખેદ પાછી આવી.દુઃખ થયું લાગ્યું હું સાહિત્યને લાયક નથી. વાર્તામાં મારી મૌલિકતા પપ્પાના મિત્ર પ્રશાંતકાકાએ જોઈ. મને સમજાવ્યું કે મેં ક્યાં ભૂલ કરી છે, પણ હું અટકી ગઈ ડાયરીમાં નાનું નાનું લખી મૂકી દેતી.મન હતું કનૈયાલાલ
મુનશીની હવેલીનાં છાયામાં છું કંઈક લખું, પણ સમયના વહેણને થોડો અટકાવી શકાય? વહેતાં એ વહેણમાં ઉમ્મર પણ દોડવા લાગી. સંસારચક્રનું વમળમાં એવી ઘૂમરીઓ વચ્ચે પચાસી પણ એટલે અડધી સદી વિતી ગઈ . તેની વચ્ચે ભગવાને સરસ માર્ગ કરી આપ્યો ટ્યૂશનનો,બાળકોને સ્કૂલ ભણાવતા જાણ્યું કે ગુજરાતી
ગાઈડ(માર્ગદર્શિકા) મુંબઈમાં બંધ થઈ ગઈ છે. તે દિવસે
મનોમન નક્કી કર્યુ કે સાહિત્યકાર તો ઘણાં થઈ ગયાં થશે પણ મારા વિદ્યાર્થીઓ જેનાથી વંચિત છે, તે પહેલાં શરૂ કરું . બાળકો ને માર્ગદર્શિકા રૂપે નોટ્સ મારા ખર્ચે છાપીને પોષાય એ ભાવે આપવા માંડી. વિચાર્યું નહિ કે
મારા જ વિદ્યાર્થીઓનું શું થશે?મુંબઈની બધી જ શાળામાં
પહોંચાડી.
ટ્રેનમાં વડોદરા જઈ રહી હતી. નિતાબેન નામના કોશિશ સ્કૂલમાં ગુજરાતી શિક્ષિકા ઉપરથી મને પેપર ચેક કરતા જોઈ રહ્યાં હતાં. તેઓ એ પાર્લા રહું છું જાણ્યા
પછી મને પૂછ્યું કોઈ જયશ્રી પટેલને ઓળખો છો? તેઓની ગુજરાતીની નોટ્સ લઈ શાળામાં વિદ્યાર્થીઓ જે
મંદબુદ્ધિનાં છે તેઓને ભણાવું છું. *મિત્રો સાચું કહું એ જ મારું પ્રથમ ઈનામ હતું. ન સર્ટિફિકેટ ન કોઈ જાહેરાત* ને
તે વિદ્યાર્થીઓને બધાંને જ્યાં સુધી લખતી રહી નોટ્સ ત્યાં સુધી શાળામાં પહોંચાડતી રહી.
મારી ભાષાએ મારી ઓળખ આપી. પાર્લામાં જ રહેતાં, કિશોરભાઈના ગ્રુપની ઓળખ એટલે*ગુજરાતી
ભાષા વિકાસ સંગઠનન*ની ઓળખ નિતાબેને કરાવી.
ત્યાં મનગઢન લખતી રહી મારા ગ્રુપે સ્વીકાર્યું ને પ્રોત્સાહન વધ્યું.. મારા વિદ્યાર્થીઓએ મારું ફેસબુક અકાઉન્ટ ખોલ્યું અને સોશિયલ મિડિયાની ઓળખ થઈ.
ગ્રુપમાંથી લોકો સુધી પહોંચ્યું.ત્યાં જ બીજા ગુરૂ મળ્યાં પ્રફુલ્લભાઈ તેઓએ મારી કવિતા ને નાની વાર્તાઓને તેમના મેગેઝીન શબ્દસેતુમાં સ્થાન આપ્યું.ત્યાંજ માયાદેસાઈની ઓળખ ત્રીજા ગુરૂ તરીકે સ્વીકારી, ભૂલો સ્વીકારી ને આગળ વધી. તેણે યુગવંદનામાં વાર્તા છાપી *તપન જલન* ને *માતૃભાષા* પર કવિતા છપાય.શાળામાં નિબંધોમાં ઘણાં ઈનામો મળ્યાં પણ તપન જલનને ત્રીજું ઈનામ મળ્યું ને ત્યાંથી શીલશીલો ચાલું થયો.. મનની અભિવ્યક્તિ એક એવી ઉંચાઈએ
પહોંચી ઘણું ઘણું લખાતું ગયું પણ મારી નોટ્સે જે રીતે મારી ઓળખ આપીને પહેલે ક્રમાંકે મૂકી એ પળ એ ક્ષણ
ટ્રેનની એ ઓળખ જીવનભર મનમાં અંકિત થઈ ગઈ.
વિશાળ આકાશમાં જ્યારે નજર નાંખું ને દૂર દૂર દેખાતો ચમકતો એક તારો બિન્દુ રૂપે જોઉં ત્યારે પેલા
બાળકોની ખુશી યાદ કરી મલકાય જાઉં.
જયશ્રી પટેલ
૭/૧૨/૨૧