યુનેસ્કોએ જાહેર કરેલ આંકડા મુજબ ભારતની ભ્રષ્ટ અને સડેલી સિસ્ટમ થી કંટાળીને દર વર્ષે દસ લાખ આસપાસ વિદ્યાર્થીઓ વિદેશ સેટલ થવાનાં પાક્કા ઈરાદા સાથે અભ્યાસ અર્થે જાય છે… એક વિદ્યાર્થી નો સરેરાશ ખર્ચ ઓછામાં ઓછો 25 લાખ ગણો તો આ હજારો કરોડ નો બિઝનેસ છે. છેલ્લાં પાંચ વર્ષમાં વિદેશ જવાની બાબતમાં 20 થી 30% નો સરેરાશ ઉછાળો આવ્યો છે તેની પાછળ ક્યાં પરિબળો જવાબદાર છે તે ચર્ચાનો વિષય છે. બહુ મોટી સંખ્યામાં બ્રેઈન વિદેશ માં ટ્રાન્સફર થઈ રહ્યું છે તેની કોઈને ચિંતા નથી.. ખરેખર આ પ્રશ્ન દેશની સંસદ અને વિધાનસભાઓમાં ચર્ચાવો જોઈએ કે આ દેશનાં પ્રતિભાશાળી યુવાનો આ દેશમાં શાં માટે રહેવા ઈચ્છતા નથી ??? પરંતું સંસદ અને વિધાનસભાઓમાં બિરાજતા માનનીય અભણ કક્ષાનાં મહાનુભાવો માટે એ અગત્યની બાબત ન હોય તે સમજી શકાય છે. વિશ્વ ગુરુની ફાંકા ફોજદારી ઠોકવાથી અને Wtsap યુનિ. માં ભ્રમણાઓ ફેલાવવાથી ખરેખર દેશ મહાન બની જતો નથી એ વરવી વાસ્તવિકતા છે. ભારતની મૂડી મોટા પ્રમાણમા અભ્યાસ નાં નામ પર વિદેશોમાં ઠલવાઈ રહી છે અને વિદેશોની યુનિ. ઓ ભારતીય વિદ્યાર્થીઓ માટે લાલ જાજમ આ અબજોના ટર્ન ઓવર માટે પાથરે છે એ હકિકત છે. ભારતીય વિદ્યાર્થીઓ ને પણ નહિવત ભ્રષ્ટાચાર અને નહિવત ગુનાખોરી ધરાવતાં તેમજ કોમવાદ કે જાતિવાદ ની માનસિકતા થી ઉપર ઉઠીને માણસ ને માત્ર માણસ તરીકે ટ્રીટ કરતાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની જેવાં દેશ આકર્ષી રહ્યાં છે. પ્રતિભાશાળી અને તાર્કિક યુવાનો ને આ દેશમાં પોતાનું ભવિષ્ય દેખાતું નથી એ હકિકત છે જેનો ઇનકાર થઈ શકે તેમ નથી… ટીવી ચેનલો એ મંદિર મસ્જિદ નાં મુદ્દા છોડી ને ખરેખર દેશને ભવિષ્યમાં બુદ્ધિધન થી વંચિત કરી દેનારા વિષય પર કામ કરવું જોઈએ પરંતું તે નહી કરે કારણકે લોકો જાગૃત થઈ જાય તો પછી તેમના આકાઓની ઘેટાશાહી થોડી ચાલે ???
—–;અજ્ઞાત…….
મારો પોતાનો જાત અનુભવ કહું તો વાસ્તવમાં ૮૦ થી ૯૦ ટકા વિદ્યાર્થીઓ પોતાના મા-બાપની milk તો બેન્કમાં ગિરવે મૂકીને વિદેશની કોલેજો અને યુનિવર્સિટીઓમાં લાખો રૂપિયા ફી ભરીને વિદેશ ના મોહ માં વિદેશો માં આપણા જ ઇલીગલ રહેતા લોકો ને ત્યાં પી.જી માં રહી અઠવાડિયે બે દિવસ કોલેજ હાજરી પૂર્વ જઈ ને પાંચ દિવસ સ્ટોર,હોટેલ, વેર હાઉસ માં નિમ્ન કક્ષા ના કામ કરી પોતાનો ખર્ચ કાઢવા વલખાં મારી રહ્યા છે…..૯૦% વિદેશ ની કોલેજ ની ડીગ્રીઓ થી ક્યાંય નોકરી મળતી નથી…વિદેશ માં રહેલા છોકરા ને અંતે પોતાના વતન આવું કે માં બાપ સાથે રહેવું ફાવતું નથી .પરિણામે વિદેશ માં રહેલા લોકો સાથે વિવાહ કરીને ત્યાં સેટ થવાના વલખાં પણ મારતા હોય છે..અંગ્રેજી બોલવાનો મોટે ભાગે ફાફા હોવાથી કોઈ ઉચ્ચ કક્ષા ની નોકરી મળતી નથી .અઠવાડિયા માં બે કે ત્રણ દિવસ મંદિરો કે ગુરુદ્વારા માં ખાવા જતા સ્ટુડન્ટ ને મે જોયા છે…અંતે વિદેશ માં કાયમી પી આર થતાં નથી અને છેલ્લે ખલિંખમ થઈ ને પોતાના વતન પાછા આવે ત્યારે ઉંમર વિતી ગઈ હોય છે..અત્યંત દયનિય હાલત આપના પરિવારો ના પુત્રો.પુત્રીઓ ની હાલત જોવા મળે છે.એજન્ટો ને વિદેશ નિં કોલેજ.યુનિ તગડું કમિશન આપી ફી ઉઘરાવે છે..સરકાર ને આ બાબતે કાઈ પડી નથી..વિદેશ માં વર્ષોથી સેટ થયેલા આપના વિદ્યાર્થીઓ ને કાઇ સીધી મદદ કરી શકતા નથી..ખુદ સગા વહાલા પણ પોતાના પરિવાર ના વિદ્યાર્થી ને પોતાના ઘરે રાખતા નથી..
ચાર ચોપડી ભણેલા મંત્રીઓ જો શાશન ચલાવતા હોય તો આ દેશ ની સિસ્ટમ ઉપર ભરોસો કેમ રાખી શકાય..મૂર્ખ આશિક્ષિત રાજકીય નેતાઓ રાજકીય દેશ વિદેશ ના દલાલો ના કહેવાથી વિદેશ ની કોલેજ યુનિ ના કેમ્પ ગુજરાત માં એડમીશન માટે યોજી ત્યાંના ધોળિયા સાથે ફોટાઓ પડાવી સસ્તી સરકારી ખર્ચે પ્રસિદ્ધિ લઈને ખુદ યુવાઓ ને વિદેશી સત્તાઓ ના હવાલે કરી રહ્યા છે. ..ભાજપ ને વોટ બેન્ક ટકાવી સત્તા ની ભૂખ છે અને અંધ ભક્તો ને પોતાની આજીવિકા રાજકીય રીતે સદ્ધર કરવી છે…આ વાસ્તવિકતા છે..તંત્રી