ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની છ રચનાઓ
વિષય :.” ગણેશોત્સવ,ગણેશજી નું શાસ્ત્રોક્ત મહત્વ વિષયક રચનાઓ(૨૫-૯-૨૦૨૧)દિવસ – ૪
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
*********************************************
NOG SS No-0042
વિષય-ગણેશ ઉત્સવ
પ્રકાર-પદ્ય-ગીત
શીર્ષક-આવ્યા ગણપતિ
ઢાળ-મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ…
આવ્યા ગણપતિ મારે આંગણે,
રે..લોલ..
હું તો કરું સ્નેહથી સન્માન જો,
આવ્યા ગણપતિ મારે આંગણે,
રે..લોલ..
માતા-પિતાને પ્રભુ માનીએ,
રે..લોલ..
પ્રેમે પ્રદક્ષિણા થાય જો,
આવ્યા ગણપતિ મારે આંગણે,
રે..લોલ..
મુષક સવારી બહુ શોભતી,
રે..લોલ..
રિદ્ધિ-સિદ્ધિ સાથે સોહાય જો,
આવ્યા ગણપતિ મારે આંગણે,
રે…લોલ
ભોળાશભુંના તમે લાડકા,
રે…લોલ..
પાર્વતીને પ્યારા ગણનાથ જો,
આવ્યા ગણપતિ મારે આંગણે,
રે…લો…
વિઘ્નો ભક્તોનાં તમે ટાળતા,
રે..લોલ…
વિઘ્નેશ્વર એથી કહેવાય જો,
આવ્યા ગણપતિ મારે આંગણે,
રે..લોલ…
લાડુ પ્રસાદ તમને ભાવતો,
રે…લોલ..
દુર્વાથી તમને પૂજાય જો,
આવ્યા ગણપતિ મારે આંગણે,
રે..લોલ..
પૂજા(અલકા)કાનાણી
મીઠાપુર
*******************************
NOG SS No : 0092
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- ગણેશજી મને ગમે છે
‘માતાની આજ્ઞાના પાલન માટે,
જે શિરચ્છેદથી પણ ના ડર્યા,
એ ગણેશજી મને ગમે છે.
પૃથ્વીની પ્રદક્ષિણાને બદલે,
જેણે મા-બાપને જ વિશ્વ માની પ્રદક્ષિણા ફરી,
એ ગણેશજી મને ગમે છે.
જેણે વેદવ્યાસ પર કૃપા કરી,
મહાભારતના મહાકાવ્યની રચના કરાવી,
એ ગણેશજી મને ગમે છે.
દેવો અને દાનવો પણ હારી ગયા જયાં ત્રિપુરાસુરની સામે,
જેનો વધ કર્યો જગ શાંતિ કાજે,
એ ગણેશજી મને ગમે છે.
જેના નામ સ્મરણથી દુઃખો નાસે,
વિધ્નો પલાયન થાય એ ગણેશજી મને ગમે છે.
ભાદરવાની સુદ ચોથે જેનું ઘરો-ઘર આગમન થાય,
પ્રસન્નતાનો શીતળ વાયરો વાય,
એ ગણેશજી મને ગમે છે.
એકવીસ દુર્વા,મોદક અને જાસૂદથી જે ભક્તો પર રાજી થઈ જાય,
એ ગણેશજી મને ગમે છે.
જે પ્રથમ પૂજનીય, રિદ્ધિ-સિદ્ધિના સ્વામી અને શુભ-લાભના પિતા છે,
એ ગણેશજી મને ગમે છે.
જેના અષ્ટ નામોના સ્મરણ માત્રથી બુદ્ધિ અને વિદ્યા મળે છે,
એ ગણેશજી મને ગમે છે.
જેમના ચરણોમાં દરેક જાતિ,ધર્મના લોક નમે છે,
એ ગણેશજી મને ગમે છે.’
અલકા મહેતા..ગાંધીનગર..૧૯/૦૯/૨૧.
*******************************
NOG SS No : 0092
પ્રકાર:-પદ્ય
શીર્ષક:- બાપ્પાની વિદાય
‘સુના મંદિર કરીને કયાં ચાલ્યા બાપ્પા?
આરતીનો ઘંટારવ છોડીને કયાં ચાલ્યા બાપ્પા?
દિવસની શરૂઆત તમને સજાવવા અને અંત પ્રાર્થનાઓથી રીઝાવાથી થતો,
આવી કાલાવેલા ભરેલી ભક્તિને મૂકી ક્યાં ચાલ્યા બાપ્પા?
તન-મન-ધનથી સેવા કરવાની કોશિશ કરી મેં,
હવે મારા વગર તમનેય નહિ ફાવે.
મારી આંખોમાં આંસૂ દઈને કયાં ચાલ્યા બાપ્પા?
આ દસ દિવસમાં દુનિયા આખીને ભૂલી ગઈ હતી,
તમામ ઝંઝાળોથી અળગી થઈ ગઈ હતી.
ફરી દુન્યવી ઝંઝાળોમાં પરોવી કયાં ચાલ્યા બાપ્પા?
તમારા મંત્રો,સ્તુતિ અને આરતીથી મારું ઘર મંદિર બની ગયું હતું,
એ મંદિરમાંથી તમારું ઓજ લઇ ક્યાં ચાલ્યા બાપ્પા?
મારી આ વિહ્વળતાથી ચિંતીત થઈ,
હૃદયના સિંહાસનેથી મલકાયા તમે.
બોલ્યા પ્રેમથી કે, ‘દીકરી!જો હું અહીંયા વિરાજમાન છું,
તારાથી કચારેય દૂર થાય તારા બાપ્પા?’
અલકા મહેતા.ગાંધીનગર.૧૯/૦૯/૨૧
*******************************
NOG SS No-0011
સાહિત્ય સરિતા
વિષય:- ગણેશ ઉત્સવ
વિભાગ:- પદ્ય
પ્રકાર:- ગીત
શીર્ષક:- ગણપતિ બાપ્પા મોરિયા
બોલો સૌ ગણપતિ બાપ્પા મોરિયા,
નાના ગણેશ રાજા ઉંદર પર આવીયા,
જેવા છે ઉંદરનાં નાના નાના પગ ભાઈ,
ગણેશજીનાં પણ નાના નાના પગ ભાઈ.
વિધ્નહર્તા ગણપતિનું વાહન છે એ ઉંદર,
મંગલકારી ગણેશજી બેસે ઉંદર પર સુંદર.
ચૂં. ચૂં કરતાં ઉંદરભાઈ સંગ ગણપતિ બાપ્પા,
સૌની પ્યારી સવારી છે ગણપતિ બાપ્પા.
લંબોદર,વિનાયક ને ગજાનન નામ ગણેશનાં,
દેવોમાં પ્રથમ પૂજનીય એક નામ ગણેશનાં.
– મનોજકુમાર પંચાલ
‘મન’
પાલનપુર
*************************†******
N. O. G. S.S. No 102.
શીર્ષક:-ગણેશોત્સવ, ધર્મ,શાસ્ત્ર,વિધિવિધાનમાંગણેશ નું મહત્વ.
પ્રકાર:- ગદ્ય.
વિષય:-ગણેશોત્સવ. વિસર્જનનોત્સવ.
શ્રી ગણેશાય નમઃ
મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ નું ખૂબ મહત્વ છે. હાલમાં કોરોનાને કારણે મહત્વની જગ્યાએ થતા ગણેશ પંડાલો ઉપર સામાન્ય જનતા માટે નિયંત્રણ છે. આમ છતાં પણ મહારાષ્ટ્રના દરેક ઘરોમાં ગણપતિ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. કોઈ એક દિવસ, દોઢ દિવસ, બે દિવસ કે તેથી વધુ ચેક 10 દિવસ સુધી આ ઉત્સવ ઉજવે છે.
શ્રી ગણેશ ભગવાન ને અનેક પ્રકારના લાડ લડાવવામાં આવે છે ,અને ખૂબ ભક્તિભાવપૂર્વક તેના આગમનને વધાવવા માં આવે છે .સુંદર વસ્ત્ર, અલંકારો ,સુશોભન ,પૂજા-પાઠ ,ભોગ, ભક્તિ, ભજન કીર્તન વગેરે દ્વારા દરેક ઘરોમાં યથાશક્તિ ગણપતિ પૂજન કરવામાં આવે છે. જેઓએ દસ દિવસના ગણપતિ રાખ્યા હોય તેનું વિસર્જન અનંત ચતુર્દશીના દિવસે ધામધૂમથી કરવામાં આવે છે.
આજે તારીખ ૧૯ મી સપ્ટેમ્બર અનંત ચતુર્દશીના દિવસે મારા પુત્રના મિત્ર શ્રી પ્રકાશભાઈ તથા તેમના પત્ની પ્રજ્વલાબેન મહાતરે, કે જેઓ બંને સ્થાનિક કોર્પોરેટર છે, અને પનવેલથી થોડે દૂર વડવલ ગામે પોતાના પૈતૃક ઘરે દસ દિવસ સુધી ગણેશોત્સવનું આયોજન કરેલું હતું. અમને તેમાં ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું.
તેઓના ઘરમાં જતાં જ અમારું પ્રસાદ વગેરે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું .સુંદર ગણેશની મૂર્તિ વસ્ત્રો અને અલંકારો થી શોભતી હતી.અનેક પ્રકારના ભોગ ધરાવેલા હતા .આજે વિસર્જન નો દિવસ હોવાથી વિસર્જન આરતી કરવામાં આવી. મને અને મારા પુત્રને સપત્નીઆરતી ઉતારવા મોકો મળ્યો. ભજન, ધૂન, કીર્તન ,ઢોલ ,કાસીયા વગેરેથી વાતાવરણ વધુ આનંદમય બન્યું .ત્યારબાદ ગણેશ વિસર્જન નો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. આખા વળવલ ગામમાંથી લગભગ ૬૦ થી ૭૫ જેટલા ગણપતિનું વિસર્જન ગામના સ્થાનિક તળાવ ઉપર કરવામાં આવ્યું હતું. લગભગ એકાદ કિલોમીટર સુધી વાહનોની લાઇન હતી. વાહનોને પણ ખૂબ સારી રીતે શણગારવામાં આવ્યા હતા ઢોલ, શરણાઇ, કાસીયા, ભજનોની ધૂન મહારાષ્ટ્રીયન બહેનો અને પુરુષો મહારાષ્ટ્રીય વસ્ત્રો અને અલંકારો થી શોભતા હતા. નાચતા, કૂદતા ,સૌ તળાવને કિનારે ગયા .ત્યાં ગણપતિને ફૂલોની રંગોળી ઉપર બિરાજમાન કરવામાં આવ્યા ,અને ત્યાર પછી વિધિ સહિત તેનું તળાવમાં વિસર્જનકરવામાંઆવ્યું .ગણપતિદાદા મોરિયા, આવતા વર્ષે ખૂબ જલ્દી આવો, એવા ભક્તિ ભાવથી લોકો ગણપતિના નાદ કરતા હતા, અને કેટલાક લોકો ની આંખમાંથી હર્ષાશ્રુ પણ જોવા મળ્યા. આસપાસનું વાતાવરણ ઝરમર વરસાદ, કુદરતી સૌંદર્ય , ઝરણા માટીની મીઠી સુગંધ, ખેતરોમાં લહેરાતા ચોખા ની સુગંધ, વાતાવરણને મંત્રમુગ્ધ કરતું હતું. આસપાસના પહાડી પ્રદેશો સુંદર વનરાજી આ જોઈ અને ખૂબ આનંદ થયો.
વિઘ્નહર્તા સુખ કરતા ધન-ધાન્ય અને સંપત્તિ દેતા આવા ગણેશજી ની વિદાય અમને વસમી લાગી.
રતીલાલ વાયડા.
૧૯/૯/૨૦૨૧. રવિવાર.
નવી મુંબઈ.
**************†***********†****
NOG SS No : 0013
પ્રકાર : ગદ્ય
શીર્ષક : ગણેશોત્સવ ધર્મ શાસ્ત્ર વિધિવિધાનમાં ગણેશજીનું મહત્વ.
ઉત્સવ એ આત્માની પ્રકૃતિ છે.
કોઈપણ ઉત્સવ આધ્યાત્મિક હોવો
જોઈએ.
આધ્યાત્મ વિનાના ઉત્સવમાં ગહેરાઈ નથી હોતી.
ગણપતિ ઉત્સવને ગહેરાઈ આપે છે.
ગણપતિ માં પ્રકૃતિના ત્રણ બળો
કામ કરી રહ્યા છે.
બ્રહ્મ શક્તિ, વિષ્ણુ શક્તિ,શિવ શક્તિ
બ્રહ્મ શક્તિ એવું બળ છે કે જે નવ
નિર્માણ કરે છે.
વિષ્ણુ શક્તિ એવું બળ છે કે જે
પાલન કરે છે.
શિવશક્તિ એવું બળ છે કે જે
રૂપાંતરણ કરે છે. નવજીવન આપીને કે સંહાર કરીને.
ઘનશ્યામ વ્યાસ. મુંબઈ