GN_14-9-21.
*************************†*******
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની પાંચ રચનાઓ
વિષય :.” શ્રાદ્ધ પક્ષ.માતૃ,પિતૃ શ્રાદ્ધ મહત્વ” વિષયક રચનાઓ(૧૪-૯-૨૦૨૧)દિવસ – ૩
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
****************†**************************
NOG.SS.NO : 0095. વિષય :— શ્રાદ્ધ પક્ષમાં , માતૃ શ્રાદ્ધ , પિતૃશ્રાધ્ધ. પ્રકાર. :– ગદ્ય , વાર્તા
શીર્ષક :— શ્રદ્ધા અને અર્પણ નું માતૃ પિતૃ શ્રાદ્ધ
દેવકુમાર અને દેવી ને બે જ સંતાનો શ્રદ્ધા અને અર્પણ ,કેટલા જતનથી આ બન્ને સાંતાનોનો ઉછેર આ માં બાપ
દેવકુમાર અને દેવી કરતા હતા અને એમના સંસ્કાર સિંચન એવા હતા કે એ બાળકો તો પોતાના માં બાપને
આદરભાવ આપે પણ બીજાના માં બાપને પણ માન સન્માન આપે અને બીજા સંતાનો જો પોતાના માં બાપને
દુઃખ પહોંચાડતા હોય તો દુઃખી થઇ જાય એવા સંતાનો. આ શ્રદ્ધા અને અર્પણ શ્રાદ્ધ પક્ષમાં પિતાને શ્રાદ્ધ
કરતા જોતા હતા કાંઈક કેટલી વિધિ કરી દેવકુમાર શ્રાદ્ધ -તર્પણ કરતા હતા ત્યારે એક વખત આ બન્ને બાળકોએ
પૂછ્યું કે પપ્પા મમ્મી તમે બન્ને આ દાદા દાદી અને અમાસના દિવસે સર્વ પિતૃઓનું શ્રાદ્ધ કરો છો એવું કેમ?
ત્યારે પિતાએ કહ્યું કે “જાણતા અજાણતા તમારાથી એમને દુઃખ પહોંચ્યું હોય ,એમનો આત્મા દુભાતો હોય તો એ મોક્ષ ના પામે ,એ જીવ ભટકતો રહે એવું કહેવાય છે , એટલે આપણે પુરી શ્રદ્ધાથી એમના આત્માની પૂર્ણ મુક્તિ માટે શ્રાદ્ધ પૂજા કરીએ તો એમનો આત્મા તૃપ્ત થઇ મોક્ષ માર્ગે જાય કે સરળતા અને સહજતાથી બીજે જન્મ લઇ શકે. “‘ આ વાત સાંભળી બાળકોએ કહ્યું કે “તમે અમને જે સંસ્કારો આપ્યા છે એ મુજબ અમે તમારો આત્મા દુભાય એવું કોઈ કાર્ય નથી કરતા તો તમે પણ એમ જ કર્યું હોય ને? તો પછી તમારા માતાપિતાનો
આત્મા દુભાવાનો પ્રશ્ન જ ક્યાં ? દેવકુમાર પાસે આનો કોઈ જ ઉત્તર નહોતો પણ કહ્યું કે આપણે પરંપરા
જાળવવા કરવું પડે.
કાળક્રમે અર્પણ અને શ્રદ્ધાના માતાપિતાનું અવસાન થયું એટલે અવસાનના ત્રીજા વર્ષ પછી વડીલોએ કહ્યું કેહવે તમારા માતાપિતાને શ્રાદ્ધ માં ભેળવવા પડશે. અર્પણ શ્રદ્ધાને ફરી એ જ પ્રશ્ન અમે અમારા માતાપિતાને
જાણતા કે અજાણતા દુઃખી કર્યા જ નથી એટલે એમનો આત્મા ભટકવાનો કોઈ પ્રશ્ન જ નથી એ મોક્ષ માર્ગે
જ હોય. અમે આમ માનતા નથી અમે શ્રાદ્ધ નહિ કરીએ. ” વડીલે કહ્યું કે આ તમારી માન્યતા છે. તમારા મા –બાપે તમને દરેક વસ્તુ કહી ના હોય મનમાં ધરબી દીધી હોય અને હસતા રહ્યા હોય. તમારી કોઈ માગણી,
તમારા ગમા અણગમા એ જોઈ મૂંગા મોઢે બધું કરી તમને રાજી રાખ્યા હોય જે તમને ખબર ના હોય. માટે
એમની કોઈપણ અતૃપ્ત લાગણી હોય તો એને તૃપ્ત કરી મુક્ત કરવા જોઈએ એ જ સાચું તર્પણ કહેવાય.
માં બાપની ઘણી લાગણીઓ વણકહી હોય માટે એમ ના સમજવું કે આપણે તો એમને કોઈ દુઃખ પહોંચાડ્યું
નથી. એ લોકોને દુઃખ થયું હોય એ તમને કળવા નથી દીધું એ સમજી લેજો માટે માતૃ અને પિતૃ શ્રાદ્ધ પુરી
શ્રદ્ધાથી કરવું જોઈએ” આ પછી એ બન્ને માની ગયા અને શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કર્યું. માટે જ સંપૂર્ણ સમર્પણ
સાથે તર્પણ કરી સર્વસ્વ અર્પણ કરવું એ માતા પિતાનું સાચું શ્રાદ્ધ. . દીપિકા ચાવડા ” તાપસી “.
******************†***********
NOG SS No : 0059.
વિષય:શ્રાધ્ધ.
વિભાગ: પદ્ય. હાઈકુ.
શીર્ષક:’સાચું તર્પણ’.
શબ્દો:
હેં પ્રભુ રોજ
તર્પણ હોજો પ્યારે’
શ્રવણ જેવું.
ચૂકવો ઋણ
માતૃ પિત્રૃ ચરણે
સેવા કરીને.
શ્રાધ મનાવો
શૂભ કાર્યો કરીને
સાચું તર્પણ.
સાચું તર્પણ
જરૂરતમંદને
સાચી મદદ.
કળ યુગમાં
શિક્ષા માટે સહાય
પ્યારે’ તર્પણ.
માતૃ પિત્રૃને
જીવતાં સંભાળીએ
નેક તર્પણ.
રહે કાયમ
યાદ શું સંસ્કારોની
ફળે તર્પણ.
જો સંભાળીએ
પૃથ્વી પર્યાવરણ
ખરું તર્પણ.
©️જયકાન્ત ઘેલાણી પ્યારે’.
**†**********†***†*************
NOG SS No. — 39
વિષય — શ્રાધ્ધપક્ષ
પ્રકાર – ગદ્ય — લેખ
શીર્ષક — મુક્તિ કર્મ
શબ્દો – ૩૩૮
તારીખ — ૧૨-૯-૨૧
ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વદ અમાસ સુધીનાં સોળ દિવસોને શ્રાધ્ધપક્ષ માનવામાં આવે છે.
પિતૃઓ માટે શ્રદ્ધાથી કરવામાં આવતાં મુક્તિકર્મને શ્રાદ્ધ કહે છે અને એમને તૃપ્ત કરવાની વિધીને તર્પણ કહે છે. પિતૃઓને ઉદ્દેશીને કરવામાં આવેલું કોઈ પણ કાર્ય શ્રાદ્ધ જ છે.
શ્રાદ્ધ વિધિ પુત્ર, નાનો ભાઈ, ભાણેજ, ભત્રીજો, દોહીત્ર, ત્રીજી પેઢી સુધીનું કોઈ પણ સ્વજન કરી શકે છે. મહાભારત અનુસાર મિત્ર પણ મિત્રનું શ્રાદ્ધ કરી શકે છે.
શ્રાધ્ધનાં દિવસોમાં મૃત્યુ પામેલા આત્માઓને ભાવતી વસ્તુઓ બનાવીને ગાય, કૂતરા અને કાગડાઓને ખવડાવવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. એટલે ગૌગ્રાસનું દાન કરવામાં આવે છે. આ દિવસોમાં દરેક વ્યક્તિ ધન-ધાન્ય, વસ્ત્ર કે સોના-ચાંદીનું દાન કરીને પુણ્ય કમાવાની મનસા સેવે છે. કાગડાને ભાગ્યશાળી માનવામાં આવે છે. એ યમરાજનો સંદેશવાહક ગણાય છે. એટલે એમના દ્વારા વ્યંજનો આપણાં મૃત્યુ પામેલાં આત્માઓ સુધી પહોંચે છે એવી હિન્દુઓની ધાર્મિક માન્યતા છે. મૃતાત્માઓને ભાવતાં વ્યંજનોનો ધાબે કાગવાસ નાંખવામાં આવે છે. કાગડાઓ યમરાજના પુત્ર શનિદેવના વાહક મનાય છે. વળી એવી પણ ધાર્મિક માન્યતા છે કે જ્યાં સુધી પૃથ્વી ઉપર યમરાજની હયાતી હશે ત્યાં સુધી પૃથ્વી પરથી કોઈ કાગડાનો નાશ કરી શકશે નહીં. આમ પિતૃઓના આત્માની શાંતિ અને તેમનાં મોક્ષ માટે ગૌગ્રાસ અને કાગવાસ નાંખવામાં આવે છે.
ભાદરવા સુદ પૂનમ, વદ પાંચમ, વદ અગિયારસ, બારસ અને અમાસ, શ્રાધ્ધપક્ષનાં આ પાંચ દિવસ પિતૃઓનું શ્રાદ્ધ કરીને, એમનાં આત્માને તૃપ્ત કરીને તર્પણ કરવામાં આવે છે. પિતૃપક્ષનાં આ દિવસો દરમ્યાન શ્રાદ્ધ કરીને પિતૃદોષથી મુક્તિ મેળવાય છે એવી ધાર્મિક માન્યતા છે.
અકાળે મૃત્યુ પામેલ વ્યક્તિનું શ્રાદ્ધ પૂનમના દિવસે, સૌભાગ્યવતી સ્ત્રીનાં મૃત્યુનું શ્રાદ્ધ નવમીનાં દિવસે કરવામાં આવે છે. એને માતૃનવમી પણ કહેવાય છે. સંન્યાસ લીધેલ સાધુ સંત વ્યક્તિનું કે આ દિવસે મરણ પામેલ વ્યક્તિનું શ્રાદ્ધ અગિયારસે કરવામાં આવે છે.
શ્રાધ્ધકર્મ દેવી દેવતાઓને પ્રસન્ન કરીને કરવામાં આવતું હોવાથી શ્રાદ્ધ કરનારને પણ તીર્થયાત્રા કરતાં પણ વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. પ્રસન્ન થયેલાં દેવી દેવતાઓ શ્રાધ્ધકર્મીને સંતતિ અને સંપત્તિનું વરદાન આપે છે. એનાથી સુખ-શાંતિની પ્રાપ્તિ થાય છે.
શ્રાદ્ધ અગત્સ્ય મુનિની પૂજા કરીને પૂરી શ્રદ્ધા અને ભાવનાથી કરવું જોઈએ.
પ્રફુલ્લા “પ્રસન્ના”
અમદાવાદ
********************************
NOG SS. NO.-0036*
*વિષય -શ્રાદ્ધ*
*વિભાગ – પદ્ય*
*શીર્ષક -યાદ આવો છો*
*યાદ આવો છો*
*શ્રાદ્ધે સ્મરીએ, સ્વજનો યાદ આવો છો,*
*પરંપરા એ પૂર્વજોની યાદ આવો છો.*
*આપે જતન કર્યું, વટવૃક્ષ બનીને,*
*હિંમતની પાંખ આપી, યાદ આવો છો.*
*પ્રેમ-દીવડા પેટાવી પાથર્યો પ્રકાશ,*
*જીવતાં શીખવ્યું, યાદ આવો છો.*
*વટવૃક્ષનાં અમે ફળ-ફૂલ ફાલ્યા,*
*તમે અનંતનાં ફેરે, યાદ આવો છો.*
*અંજલિ અર્પીએ છીએ પિતૃ તર્પણે,*
*સંસ્કારની છાપે, યાદ આવો છો.*
*કુદરતનાં વણથંભ્યા ચક્રે ભળ્યાં,*
*આંખે ભીનાશ થઈ, યાદ આવો છો.*
*યાદની જ્યોત ઝળહળ્યાં કરે,*
*શ્રદ્ધા કેરા પર્વે, યાદ આવો છો.*
✍🏻 અરૂણા ત્રિવેદી
અમદાવાદ
********************************
NOG SS No : 0078
પ્રકાર – પદ્ય (ગઝલ)
વિષય – દુનિયાને બતાવવા શ્રાદ્ધ ?
મને આજે થયું કે લાવ જગ સામે ધરું દર્પણ ;
અરે! એને જગત જોઈ થયું ના કોઈ આકર્ષણ.
કહે દુઃખી થઈ દર્પણ,’નથી જોતો હું દુનિયાને’!
હવે તો જો ઋણાનુબંધ ચૂકવવા થયું ઘર્ષણ.
ગરીબોને અહીં ફાંફાં છે રહેવા – ટંક ખાવાના!
ને મંદિરમાં ધનિક લાખો કરે છે મૂર્તિને અર્પણ!
અહીં મા-બાપ જ્યાં ત્યાં ઠોકરો ખાતા ફરે જોઉં;
સમર્પણ એમનું ભૂલ્યા ને ભૂલ્યા પ્રેમનું વર્ષણ.
હવે શાથી કરે છે શ્રાદ્ધ , દુનિયાને બતાવે છે?
હતાં ત્યારે તે તરછોડ્યા પછી તે શું કર્યું તર્પણ !!
મનનનું ખૂબ અવલોકન કર્યું, ત્યારે રચાયું છે;
કલમ, કાગળ, હસી, આંસૂ છે ને ‘શ્વેતા”નું ગઝલાર્પણ.
-શ્વેતા તલાટી