ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની પાંચ રચનાઓ
વિષય :.” શ્રાવણ માસના તહેવારો” વિષયક રચનાઓ(૨૭-૮-૨૦૨૧)દિવસ – ૪
Jan fariyad & News of Gandhinagar daily
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
પ્રતિભાવ : વિભૂતિબેન દેસાઈ.ઘાસવાલા.બીલીમોરા
website : www.janfariyadnews.com
What’s up calling No : 9824653073
Email : prdpraval42@gmail.com
Email : prdpraval@yahoo.co.uk
YouTube : janfariyadnews
News portal : janfariyadnews
Twitter : @prdpraval
******************************
*NOG.SS. NO. -0036*
*વિષય- શ્રાવણનાં તહેવારો (રક્ષાબંધન)*
*પ્રકાર- પદ્ય*
*શીર્ષક- રેશમનાં તાંતણે*
*રેશમનાં તાંતણે*
*પ્રેમે રેશમ-તાંતણે બાંધીએ છીએ,*
*વીરને વહાલપમાં વહાવીએ છીએ.*
*હેતનાં હિલોળે અક્ષત-કુમકુમનો થાળ,*
*પ્રેમે નાનો દીપક પ્રગટાવીએ છીએ.*
*ઓવારણાં લઈ અપાર આશિષ દઈશું,*
*સ્મરણની મીઠી સુગંધ માણીએ છીએ.*
*સ્નેહથી હસ્તે બાંધીએ સુખ અપાર,*
*નિઃસ્વાર્થ પ્રેમે છલકાવીએ છીએ.*
*લાગણી વહે, મન મલકે,સ્નેહ છલકે,*
*સુખદુઃખ ગૂંથી હૂંફે જીવીએ છીએ.*
✍🏻અરૂણાબેન ત્રિવેદી
અમદાવાદ
*****************************
[ NOG SS No-0091
વિષય: શ્રાવણનાં તહેવારો
પ્રકાર: પદ્ય
શીર્ષક: આવ્યો શ્રાવણ
આવ્યો શ્રાવણ ડોલતો લઈ તહેવારની ઝોળી.
રક્ષાબંધન ને સાતમ આઠમ કરે ઓલી ઝોળી.
અલગ આનંદ ને અલગ ઉત્સાહ, છે ખુશીઓની ટોળી.
હરખભેર ઉજવતા તહેવાર, હળી મળીને સૌ કોઈ.
અલગ દિવસે અલગ તહેવાર, અલગ સૌની કહાની.
ધર્મધ્યાન ને દાન પુણ્ય, કરવાની સૌની તૈયારી.
હરખે ઉજવાય રક્ષાબંધન, ખાઈ મીઠી સુંવાળી.
પછી ઉજવાય આઠમ,લઇ કાનુડાને ઝોળી.
એક પછી એક તહેવારો આવે વારાફરતી.
અલગ ભાવ ને અલગ રીતથી નારી સૌ ઉજવતી.
પ્રેમે આરાધના પ્રભુની, ખુશ કરવા વિનવતી.
સુખ શાંતિ અને આશિષની આ માંગણીએ તો કરતી.
જિજ્ઞાસા યુ જોષી
****************************†*******
*NOG No : 0027*
*માઈક્રોફિક્શન*
*બહેનના આશિષ*
ચોરી છૂપીથી કરાવેલી તપાસનો રિપોર્ટ આવ્યો ત્યારે આખા ઘરમાં આનંદનો માહોલ છવાઈ ગયો. કારણકે જોડિયાં બાળકો હતાં. એક છોકરો અને એક છોકરી.
પરંતુ સૌથી વધુ ખુશી પેટમાં ઉછરી રહેલી છોકરીને હતી. એ દુવાઓ આપી રહી હતી, સાથે ઉછરી રહેલા ભાઈને – “જુગ-જુગ જીઓ મારા ભાઈ.”
તારા લીધે હું પણ આ સુંદર દુનિયા જોઈ શકીશ.
— જ્યોતિ આચાર્ય
અમદાવાદ
*******************************
NOG SS NO : 0096
વિભાગ: પદ્ય
શીર્ષક: ભાઈ-બહેન
*ભાઈ-બહેન*
સદાયે નેહ નિતરતી હોય જેની આંખડી,
‘ખમ્મા ખમ્મા’ કરતી હોય એ મારી બેનડી
ઓવારણાં લઈ લઈને દુ:ખડાં હરતી મારાં,
આશિષ વરસાવતી જાણે સાક્ષાત માવડી
સાક્ષી છું સતત એનાં પ્રેમ, મદદ ને હૂંફનો,
વેરાન જીવનમાં બેની તું લાગે મીઠી વીરડી
એનાં પ્રેમની પવિત્ર ગંગામાં હલેસાં હાંકતો,
હરખે મુજ હૈયાની બનાવીને હું તો નાવડી
ક્યારેક કરું ટીખળ તો તે સાચું માની લેતી,
ગભરું ને ભોળી એવી કે જાણે કો’ ગાવડી
અમૂલ્ય ને અખૂટ પ્રેમ હોય ભાઈ-બહેનનો,
એ સંબંધોનાં સજાવટની મ્હોર સમી રાખડી
– નિષ્ઠા વછરાજાની
– વડોદરા
*****************************
N. O. G. S. S. No.0102.
શીર્ષક:–જન્માષ્ટમી.
પ્રકાર :–ગદ્ય.
વિષય:- દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણી.
આગામી તારીખ 30 મી ઓગસ્ટ સોમવારના દિવસે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે. આ તહેવાર નું ખાસ મહત્વ છે ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં જન્મયાં ગોકુળમાં પાલન પોષણ થયું અને ત્યારબાદ દ્વારકામાં આવી વસવાટ કર્યો. શ્રી દેવકીજી અને વસુદેવજી ના આઠમા સંતાન તરીકે શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. બચપણમાં અનેક લીલાઓ કરી તેમનું જીવન અનેક રીતે લોકોને આજે પણ યાદ છે. મહાભારત યુદ્ધના સૂત્ર ધાર ગીતાના રચયિતા, પાપીઓનો સંહાર કરનારા અને સાક્ષાત ઈશ્વરના અવતાર તરીકે આજે આપણે તેમનો જન્મ દિવસ ઉજવીએ છીએ.
જન્માષ્ટમીનો તહેવાર ભારત અને દુનિયાના અનેક દેશોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.
આજે આપણે ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની દ્વારકાના જગતમંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની જન્માષ્ટમી કેવી રીતે ઉજવવામાં આવે છે ,તેની વાત કરશું.
પુરાની દ્વારકા સોનાની હતી જે સમુદ્રમાં ડૂબી ગઈ હાલનું દ્વારકામાં આવેલું જગત મંદિર શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભે બંધાવ્યું હતું. શિલ્પ શાસ્ત્ર નો એક અદ્ભુત નમૂનો છે. 150 ફૂટ જેટલી ઉંચાઈ ઉપર ભગવાન દ્વારકાધીશની બાવન ગજની ધજા તેના ઉપર રોજની 5 ના હિસાબે ચડાવવામાં આવે છે.
આના જેવી ધજા જગતના કોઇ પણ મંદિરમાં રાખવામાં આવતી નથી.
મંદિરના સંકુલમાં નાના-મોટા 20 જેટલા મંદિરો છે ભગવાન દ્વારકાધીશ, બલરામજી તેમની મુખ્ય પટરાણીઓ દેવકીજી ,અંબાજી વગેરેનો સમાવેશ થાય છે ભગવાન શ્રી શંકરાચાર્ય દ્વારા સ્થાપવામાં આવેલી શારદાપીઠ પણ અહીં છે.
જન્માષ્ટમીના દિવસે જગત મંદિરને ખુબ સુંદર રીતે શણગારવામાં આવે છે લાઇટ ડેકોરેશન મનને ગમે તેવું હોય છે .રાત્રિના સમયે તેની શોભા આહ્લાદક હોય છે.
જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને ખુલ્લે પડદે સ્નાન કરાવવામાં આવે છે ,અને ત્યાર પછી વસ્ત્રો અને અલંકારો ધારણ કરાવવામાં આવે છે. ભગવાનના હાથમાં શંખ ,ચક્ર ,ગદા ,પદ્મ,
ધારણ કરેલા છે .અનેક રત્નો અને અલંકારોથી મૂર્તિ ખૂબ જ શોભાયમાન લાગે છે.
ભગવાન શ્રીકૃષ્ણને જુદા જુદા ભોગ ધારવામાં આવે છે તેમજ જુદી જુદી આરતીઓ ઉતારવામાં આવે છે. આ સેવા દ્વારકાના પૂજારી કુટુંબ દ્વારા કરવામાં આવે છે.
. જન્માષ્ટમીના દિવસે દ્વારકા ગામની બજારો પણ શણગારવામાં આવે છે. ગુજરાત અને ભારતભરમાંથી હજારો લોકો જન્માષ્ટમીના દિવસે દર્શન કરવા આવે છે . આખો દિવસ ભગવાન શ્રીકૃષ્ણની ઝાંખી કરવા માટે લોકો પડાપડી કરતા હોય છે.
રાત્રે બરોબર બાર વાગ્યે ભગવાન દ્વારકાધીશના જન્મ સમયે દ્વાર ખોલવામાં આવેછે ,એકી સાથે હજારો લોકો નંદ ઘેર આનંદ ભયો ,જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી ,જય કનૈયા લાલકીની ધૂનથી આખું મંદિર ગૂંજી ઉઠે છે .ટીવી ઉપર પણ જીવંત પ્રસારણ આખી દુનિયામાં બતાડવામાં આવે છે. આપ પણ આ વખતે જરૂર જોજો અને ઘરે બેઠા ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી અને ધન્યતા અનુભવો.
ચાલો આજના આ પવિત્ર દિવસે ભગવાન શ્રીકૃષ્ણને વંદન કરીએ તેની કૃપા મેળવવી એ શ્રીકૃષ્ણ શરણમ મમ નો જાપ કરીએ .ભગવાન દ્વારકાધીશ આપને કૃપા વરસાવે તેવી આજના દિવસે શુભેચ્છા.
રતીલાલ વાયડા.
દ્વારકા.
૨૨/૮/૨૦૨૧. રવિવાર.