[pdf-embedder url="http://janfariyadnews.com/wp-content/uploads/2021/07/GN_16-7-21.pdf"] <img src="http://janfariyadnews.com/wp-content/uploads/2021/03/IMG-20210321-WA0004.jpg" alt="" width="377" height="399" class="alignnone size-full wp-image-5836" /> <img src="http://janfariyadnews.com/wp-content/uploads/2021/07/Screenshot_20210715-232808_1.png" alt="" width="516" height="530" class="alignnone size-full wp-image-6527" /, ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ પધ, રચના વિષય : " કથની - કરણી "' " સુખ : દુઃખ " વિષયક રચનાઓ. . દિવસ - ૪ www.janfariyadnews.com Email: prdpraval42@gmail.com What's up calling No : 9824653073 તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ) Email : prdpraval42@gmail.com યુ ટ્યુબ ચેનલ : janfariyadnews ન્યૂઝ પોર્ટલ : janfariyanews વેબ સાઈટ : janfariyadnews NOG SS NO - 0037 વિષય - સુખ, દુઃખ..... વિભાગ - પદ્ય. શીર્ષક - સુખ દુઃખ વચ્ચે જીવન યાત્રા. જીવન સુખ દુઃખથી ભરેલી યાત્રા....! જન્મ આપી, કર્મ તણાં બંધને,બાંધી, મુક્ત રહ્યો પરમાત્માં.....! સૃષ્ટી આપી સઘળી,સર્જનહારે, કર્મ તણાં ફળ રાખ્યાં હાથમાં...! ધરા આપી વાવણી કરવા, સત્ કર્મની, કણ કણ, વાવો,અનેક ગણું આપશે પરમાત્માં..! સત્ કર્મનો કરશે સરવાળો, કોઈના અંતરના આશીર્વાદનો થશે, ગુણાકાર...! શ્રદ્ધાનો દીપક, સદા પરસેવે દીપે, સુખ, દુઃખનો આધાર- સ્તંભ ....! ગમતું બધું મળતું નથી, મળેલું ગમતું નથી,આ જ કરુણતાં...! કોઈ કોઈને સુખ,દુઃખ આપી શકતાં નથી, સૌ કોઈ પોતાનાં, કર્મનું ફળ મેળવે ...! માનો તો જિંદગી સુખનો મહાસાગર, ના માનો તો દુઃખનો દરિયો....! હેમલતા દિવેચા. ******************************** NOG SS No - 0050 શબ્દ- સુખ- દુઃખ વિભાગ - પદ્ય શીર્ષક- ગતિ ...................................... પૂર્ણાનંદ વ્હાલો હરિ છે , ને કૃષ્ણ એજ ગતિ છે..! સવૅ દુષિત રાહ નાશ પામે..! એ જ કૃષ્ણની ગતિ છે..! સજૅનહારે સૃષ્ટિ રચી , કાળનાં ગભૅમાં અંતે તો સમાઈ જાય છે..! સમય બડો ન્યારો..! સમય પર ખીલે ફૂલ,ફળ વખત આવે કરમાઈ જાય..! એતો પ્રભુની ગતિ ન્યારી..! જે જન્મ્યું છે જગમાં , એક દિ' સવૅ પામ્યું છે..! અંત પણ જગમાં થાતો..! જન્મનો એક છેડો છે એ , મરણ તો બીજો છેડો છે..! વચ્ચે કમૅની ગતિ ન્યારી..! રોકીના શકાય , ના રોકી શકાશે..! ગતિ બદલાશે કદી..! કાળનાં ગભૅમાં જન્મેલો માણસ..! સૃષ્ટિના ગભૅમાં જ સમાણો..! નથી જન્મ કે મરણ હાથમાં..! પ્રભુએ આપેલી ગતિ ન્યારી..! માટે સુખ, દુઃખ તો , જીવનનાં બે પૈડાં કેવાં કેવાં..! સરરરર સર ગતિ બદલે કેવી..? રાગીની શુક્લ "રાગ" ( મુંબઈ, કાંદિવલી.) ******************************** NOG SS NO : 0078 પ્રકાર - પદ્ય વિષય - સુખ - દુઃખ શીર્ષક - વિભિન્ન અભિવ્યક્તિ.... 1) જીવનના સુખ-દુ:ખ ઉપાડી ; માણસ કાયમ જ મજૂર થયો. 2) હું સમય સાથે સદા ભળતી રહી; હોય સુખ કે દુઃખ છતાં હસતી રહી. 3) યાદ સુખ-દુ:ખની ભરી અંદર ઘણી; અશ્રુ હાસ્યોનું મલક છે આ હ્રદય. 4) હંમેશાં જીવનમાં એકસરખું રહેશે નહીં; તો સુખ-દુઃખના દિ' બેઉ સાથે કાપી લઈએ. 5) જ્યારે પણ સુખ આવ્યાંના ભણકારા વાગે; સાથે કંઈ દુ:ખ આણ્યાંના ભણકારા વાગે. 6) પાગલને સુખ કે દુઃખ ન અહેસાસ થાય તો? એવું કદી થવાય કંઈ તું જ કહે મને? 7) બાળકોના સુખમાં સુખ, પણ દુઃખ જો આવે તો? તો હજી પણ કહું પ્રભુથી કરગરે છે મા. 8) સુખમાં તો સૌ સાથ પણ, દુઃખમાં બધાં ક્યાં હોય છે? પણ “હું છું ને” બોલવામાં કોઈ પાછળ તો નથી? 9) અનુભવ સુખ અને દુઃખનો જીવનમાં થાય સ્વાભાવિક ; હૃદયને રાખજે પણ ખુશ જીવનનો સાર સમજીને. 10) ઉપાડી સુખ ને દુઃખની ગુણ થયું છે મન ઘણું ખડતલ; ઉથલપાથલ ઘણી વેળા કરી પણ દે એ સ્થળ સમતલ. 11) ફરે સમય ચક્ર એકસરખું, છતાં થઈ જાય સત્ય એ ભ્રમ; કે સુખમાં ધીમે ને દુઃખમાં જલ્દી, સમય એ રીતે સરે તો કેવું? - શ્વેતા તલાટી.વડોદરા ******************************** NOG SS No: 0092 પ્રકાર:-પદ્ય શીર્ષક:- કથની અને કરણી ભેદ જયાં હોય કથની અને કરણી માં, માનવ ફસાય છે ત્યાં પોતાના જ વિચારોની વૈતરણીમાં. બાહ્ય જગતને જીતવા, લોભામણા એ કથનો કરે, વાત આવે અમલમાં મુકવાની તો કેડ સમાં પાણીમાંય છબ છબિયાં કરે. હાથીના દાંત સમા ચાવવાના અને દેખાડવાના અલગ રાખે, જેવી જયાં જરૂરિયાત, તેવી એ નિત નવી તરકીબો અજમાવે. ભરેલી છે આવા માનવોથી દુનિયા, જે કહે કાંઈ અને કરે કાંઇ. સમય આવ્યે રાઇને પર્વત બનાવે, અને ક્યારેક પર્વતને પણ કરી દે રાઈ. એક સવાલ જરૂર થાય છે કે, શું આત્મા એમનો જવાબ ક્યારેય નથી માંગતો?? બીજાને તો આંજી નાંખે, પણ કોઈને છેતર્યાના ભાવથી નથી આત્મા પોતાનો દુભાતો! અલકા મહેતા ગાંધીનગર..૧૨/૦૭/૨૧. ******************************** *નામ*- ડો. મનીષા વ્યાસ *NOG SS NO-* 0088 *વિષય શબ્દ*- કથની- કરણી.. *પ્રકાર*- પદ્ય *શીર્ષક*- રથયાત્રા ****************************** જગતનો નાથ તું કર્ણાવતીનો છો નગરપતિ.. નીકળે તું નગરચર્યાએ નાથ રથમાં બેસી.. એય વાલા! અષાઢી બીજે, આખા વર્ષે એક દા'ડો.. ભક્તોની ભીડ ભારે કાયમ તારે દ્વારે.. લાખોની મેદની રથ ખેંચે ને હરખી સૈા વધાવે.. જયઘોષ, મંગલધ્વનિ ને અતિઘણો કલશોર.. અખાડાના કરતબ, ખેલ ને દાવપેચ જોતો.. ચેતજે વા'લા ચેતવું તને બહુ તું ચેતનવંતો! આંખના પાટા કાઢી, બાંધજે નાક-મોંએ સીધો.. નીકળે આજે સવારી, અંતર જાળવજે સૌથી.. પણ રહેજે નાથ અંતરમાં અંતરાત્મામાં સમાઇ!... જોઈ લેજે નિર્જન રસ્તો ને વળી સાવ સૂતો સન્નાટો.. લોકવાયકા કહે, "જેવી કરણી તેવી ભરણી!" પૂછું કાન્હા, કાનમાં એક સવાલ સાવ ધીમેથી!.. કરી એવી તેં શી કરણી તે રથયાત્રા નીકળે આવી?.. શ્રદ્ધા રાખજે ભક્ત પર વાત તું ને હું જ જાણું.. લાજ નહીં જાવા દઉં તારી વિરમું છું હું વાણી.. તેં રાખી કાયમ મારી, આજ રાખું છું હું તારી.. કહીશ એટલું.. નાથે આંખના પાટા શેરવી, મોંઢે દીધા છે ફેરવી. *નામ -ડો. મનીષા વ્યાસ* ✍️ *અમદાવાદ*