ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ ગધ, રચના
વિષય : ” કથની – કરણી “‘ ” સુખ : દુઃખ ” વિષયક રચનાઓ. . દિવસ – ૩
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
મેનેજિંગ તંત્રી : મીનાક્ષી રાવલ(ઈમેજ મેકર,ગ્રાફિક્સ)
Email : prdpraval42@gmail.com
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG.SS.No. 0102.
શીર્ષક:-. કથની — કરણી.
પ્રકાર:-. ગદ્ય.
વિષય:-. કથની –કરણી.
કથની અને કરણી ઘણા ઓછા લોકોમાં આ બંને એક જ જોવા મળે છે. પરંતુ મોટાભાગના લોકો તો કથની જુદી અને કરણી જુદી આવું સામાન્ય જીવનમાં જોવા મળે છે.
માનવમાં રહેલી ધાર્મિક, સામાજિક, આર્થિક, શારીરિક, માનસિક દુર્બળતાનો લાભ ઉઠાવી કથની કોઈ જુદી રજુ કરે અને કરણી કોઈ જુદી જ કરે છે.
મોટેભાગે તીર્થસ્થળો અને ધાર્મિક જગ્યાઓમાં લોકોની ધાર્મિક ભાવનાઓનો ગેરઉપયોગ કરવામાં આવે છે. ભગવાન વિશે અનેક પ્રકારની હૃદયસ્પર્શી કથાઓ રજુ કરીને ભક્તોની પાસેથી એનકેન પ્રકારેણ આર્થિક સંપત્તિ મેળવવામાં આવેછે. જો આમ નહીં કરો તો ભગવાન નારાજ થશે. પિતૃ નારાજ થશે. મોટું પાપ લાગશે. નર્કમાં જવું પડશે. આવી લોભામણી વાતો કરીને ધર્મસ્થાનોના ભંડારો ભરાય છે અને આ ભંડારોનો લોકો પોતાના માટે અંગત ઉપયોગ કરે છે. લોકોની ધાર્મિક ભાવનાને ભડકાવીને તેઓ સમૃદ્ધ બને છે.
લોકોને મોટો આર્થિક લાભ થશે તે પ્રકારની લોભામણી વાતો કરીને, એકના ડબલ પૈસા કરી દેવા, વધારે વ્યાજ મળશે, શેરબજારમાં રોકાણ, ચલ અને
અચલ સંપત્તિમાં રોકાણ કરી લોકોને અનેક રીતે
ઠગવામાં આવે છે અને લોકો પાયમાલ બની જાય છે.
તમે ખુબ સુંદર છો. તમે ખુબ બુદ્ધિશાળી છો. તમારામાં ખુબ શક્તિ છે. આવા જુદા જુદા બહાના હેઠળ લોકોને છેતરવામાં આવે છે. નોકરીમાં સિનેમા, રમત-ગમતમાં અને બીજા ઘણા બધા ક્ષેત્રોના નામ આપીને તમારું નામ ઘરે ઘરે ગુંજતુ થશે, પ્રસિદ્ધિ મળશે લોકોની પાસેથી તેના આદર્શ સ્વપ્ન બતાવી ને અનેક રીતે લોભાવામાં આવે છે. તેઓ નું શોષણ કરવામાં આવે છે, અને લોકો એવી સ્થિતિમાં મુકાઇ
જાય છે કે તેઓ પોતે કંઈ કોઈને કહી શકતા નથી અને સદંતર લૂંટાઈ જાય છે.
દગાબાજી, ચોરી, ભ્રષ્ટાચાર, શોષણ વગેરે પણ કથની કરણી અલગ-અલગ હોવાને કારણે લોકોને છેતરવામાં આવે છે. જુઠા લોકો પોતાની ઇન્દ્રજાળ જેવી કથની દ્વારા ભોળા લોકોને પોતાની ચુંગાલમાં ફસાવે છે. જ્યાંથી પાછા વળવું મુશ્કેલ હોય છે.
જેની કથની અને કરણી અલગ અલગ હોય તેવા લોકોથી હંમેશા સાવધાન રહી આપણું જીવન મુશ્કેલીમાં ન મુકાય તે રીતે જીવવું જોઇએ.
રતિલાલ વાયડા
નવી મુંબઈ
૯/૭/૨૦૨૧. શુક્રવાર.
********************************
NOG SS No. 0059
શબ્દ: સુખ- દુ:ખ.
પ્રકાર: ગદ્ય લેખ.
શીર્ષક:”મનની માન્યતા એજ
સુખ દુ:ખ નું કારણ”.
શબ્દો. ૩૦૯
શિયાળાની શીતળ હવા મુંબઈગરા માણી રહ્યાં છે.શહેરનું
વિશ્ર્વવિખ્યાત બ્રેબોન સ્ટેડિયમ
માનવ મહેરામણથી ઉભરાઈ
ચુક્યું છે. ઠંડી હવા પ્રસરી રહીછે.
ઉત્તેજનાનો અંત આવે છે, મેચના રેફરી, આસિસ્ટન્ટ અને બંને ટીમનાં કેપ્ટન મેદાન ઉપર ટોસ ઉછાળવા આવી પહોંચ્યા છે.
ઠંડી હવા થીજી ગઈ, ટોસ ઉછળ્યોને , બધાં આતુરતાની ગરમીનો એહસાસ અનુભવવા લાગ્યાં ભારતીય ટીમ સતત ત્રીજીવાર ટોસ જીતી.
નસીબદાર કેપ્ટનનું નામ ચોતરફ
ગૂંજી ઉઠ્યું. મેચ રેફરીએ કેપ્ટનની પ્રથમ બેટિંગની જાહેરાત
થતાં જ પ્રેક્ષકોમાં સુખ દુ:ખની
લહેર ફરી વળી.
જીવનમાં અને ક્રિકેટમાં હરપળ
સુખ અને દુ:ખથી
ભરેલી જ હોય છે, ચાલો જરા નજર ફેરવવીએ.
બેટ્સમેન રન લે ત્યારે,
બોલર વિકેટ લે ત્યાંરે,
કેચ છૂટે ત્યારે
તેમ જ કેચ પકડાય ત્યારે,
અરે પ્યારે,’ અમ્પાયર
એલ.બી. નો
નિર્ણય આપે ત્યારે પણ મેદાન ઉપર હાજર રહેલાં સુખ દુ:ખનો અનુભવ અનુભવતાં જ હોય છે.
ક્રિકેટનો ‘ક’ જાણે છે તે સમસ્ત માનવ જગત સુખ દુ:ખના ઓછાયા નીચે જ
મેચ જોતું હોય છે અથવા કોમેન્ટ્રી સાંભળતું હોય છે.
માનવ જીવનમાં સુખ દુ:ખની પરિભાષા એટલે સમય અને સંજોગોને પોતાની અનુકૂળતા અને પ્રતિકૂળતાની દ્રષ્ટિએ જોવાનો અભિગમ જ છે.
મારા મનને ગમે તે સુખ અને ન ઞમે તે દુ:ખ.
જો આપણે માનવ જીવન આનંદિત રીતે માણવું હોયતો દરેક સમય અને પરિસ્થિતિનો સ્વીકારભાવ અપનાવશું તો આપણે જીવનમાં કદી સુખ દુ:ખના ભોગ બનીશું નહીં, અને હંમેશા આનંદદાયક સમય માણીશું.
આ યુગના આત્મજ્ઞાની યુગપુરૂષ
શ્રીમદ્ રાજચંદ્રજીએ તેમનાં ઉપદેશમાં સ્પષ્ટ જણાવ્યું જ છે કે સુખ દુ:ખ વસ્તુઓમાં નથી, પણ આત્માના અનંત ગુણોમાં છે.
આપણા અનેક આધ્યાત્મિક ગુરુઓ પણ આત્મિક સુખની શોધમાં પરિવાર સાથે લાખો કરોડો રૂપીયાની મિલકત છોડી નીકળી જ ગયા છે ને ?
ઉદાહર રૂપે સ્વામી વિવેકાનંદ,
શ્રી રામકૃષ્ણ પરમહંસ જેવા અગણિત સંતો સત્યની શોધમાં નીકળ્યાજ છે ને !
જૈન સંત પૂ.શ્રીકાનજીમુનિ તો પોતાના વ્યાખ્યાનમાં હંમેશાં જણાવતાં કે સુખ ,ભૌતિક સામગ્રીમાં નથી.સંત પુરુષ,સત્ય જણાવી ગયા છે,
‘અપેક્ષા એ જ મોટું દુ:ખ’.
©️ જયકાન્ત ઘેલાણી પ્યારે’.
*************************†*****
NOG SS No. 0007
શબ્દ – કથની-કરણી સુખ દુઃખ
વિભાગ – ગદ્ય
શીર્ષક – મોહિની સ્ટુડિયો
પ્રકાર – મા.ફી.
મોહિની….. જેવું નામ તેવું જ વ્યક્તિત્વ, દરેકનાં મન મોહી લે એવું.માતા પિતાની એકની એક દિકરી.એમની લાખ ના હોવા છતાં મોડેલિંગ ક્ષેત્રમાં પ્રવેશી.શરૂઆતમાં તો અઢળક કામ, નામ અને દામ મળ્યાં.પરંતુ ધીરે ધીરે પ્રેક્ષકો અને એનાં ચાહકોના મન પરથી મોહિનીના રૂપનો જાદુ ઓસરતો ગયો.થોડાં જ વર્ષોમાં મોહિની એક સ્વરૂપવાન મૉડેલમાંથી એક સામાન્ય સ્ત્રી બની ગઈ.ફરી માતા પિતાએ લગ્ન કરી ઠરીઠામ થવા સમજાવી.પરંતુ ફરી એજ પોતાની કરણી; ધરાહાર લગ્ન કર્યાં વગર, ચલચિત્ર દુનિયાનો બેતાજ બાદશાહ અને બે બાળકોનો પિતા એવાં અનુપસીંગ સાથે એના બંગલે રહી…..;
આજે મોહિની નામના સ્ટુડિયોની બહાર લોકોનાં ટોળાં વચ્ચે એક આધેડ વયની સ્ત્રીનો મૃતદેહ મહાનગરપાલિકાની ગાડીની રાહ જોતો પડ્યો છે.©️
આરતી મરચંટ
મુંબઈ – કાંદિવલી
*******†*************†*********
NOG SS No :- 0038
વિષય :- સુખ દુઃખ
વિભાગ :-ગદ્ય
શીર્ષક :- ભ્રમ
બધા દુઃખ દૂર થઈ જશેને આપણું મન
ખુશ રહેશે એતો માત્ર ને માત્ર આપણો
ભ્રમ છે.
હકીકતમાં સુખ શુ છે ? એની વ્યાખ્યા દરેક
વ્યક્તિએ અલગ અલગ છે.
ઘણા જેને સુખ માની ખુશી અનુભવે તો ઘણા ની
પાસે એજ સુખ હોવા છતાં દુઃખી થઈને સુખને શોધ્યા કરે.
માનીએ તો સુખ આપણી અંદર જ સમાયેલું છે.લાલચુ મન આપણને દુઃખી કરી મૂકે છે. વધારે મેળવાની ભાવના માણસને ચેનથી જીવવા નથી દેતી.
આપણે સુખ શોધવા બહાર જવાની જરૂરજ નથી ….એતો આપણા હાથમાં છે કે ..સુખનો અનુભવ કરી ખુશ રહેવું કે દુઃખને દૂર કરીને સુખી થવા વલખા મારવા.
✍️શીલાપટેલ “આકાંક્ષા”
********************************
NOG.SS.NO . 0001
વિષય :– સુખ દુ:ખ
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :–સુખ — દુ:ખ : આપણાં કાટલાં
એક ગામમાં એક ડાહ્યો ખેડૂત રહેતો હતો . જીવનમાં તે હંમેશાં સમતાવૃત્તિ દાખવતો . લોકોની દ્રષ્ટિનાં સુખ — દુઃખ તેને ગર્વિત કે દુઃખી કરી શકતાં નહીં .
એક દિવસ આ માણસનો ઘોડો નાસી ગયો . લોકો આવ્યા , તેમણે કહ્યું ,
“ તમે કેવા કમનસીબ ! તમારો ઘોડો નાસી ગયો ! “
આ ડાહ્યા માણસે પૂરી તટસ્થતા અને શાંતિ પૂર્વક જવાબ આપ્યો :,
“ હા , જુઓને આવું થયું .”
થોડા દિવસ પછી નાસી ગયેલો ઘોડો પાછો આવ્યો . લોકો પણ આવ્યા , કહ્યું –
“ તમારો ઘોડો તો પાછો આવી ગયો ! “ ડાહ્યા માણસે કહ્યું , “ હા, આવું થયું .”
થોડા દિવસો પછી ખેડૂતનો પુત્ર ઘોડા પરથી પડી ગયો . લોકોએ કહ્યું ,
“ તમે કેવા કમનસીબ ! તમારો એકનો એક પુત્ર ઘોડા પરથી પડી ગયો અને પગ ભાંગ્યો .”
ખેડૂતે કહ્યું , “ નસીબ કે કમનસીબ એ બધું તો ઠીક છે , પણ જુઓને આવું થયું .”
થોડા દિવસોમાં પડોશી દેશ સાથે યુદ્ધ ફાટી નીકળ્યું . ગામના તમામ યુવાનોને લશ્કરમાં જોડવા પડ્યા . ખેડૂતપુત્રને પગની તકલીફને કારણે લશ્કરમાંથી મુક્તિ આપી . યુદ્ધમાં બધા જ યુવાનો ખપી ગયા . એકમાત્ર ખેડૂતપુત્ર બચી ગયો . જીવનમાં દરેક તબક્કો આપણાં સારા માટે જ છે એમ સ્વીકારી સુખ – દુ : ખ સ્વીકારી શકે એ કદાપિ હિંમત ના હારી શકે .
“ કુમારસંભવ “ મહાકાવ્યમાં પણ કાલિદાસે લખ્યું છે કે , સુખ અને દુઃખ એ તો માનવજીવન સાથે કાયમી જડાયેલાં જ છે . એ ક્યારેય કોઈની પાસે કાયમી રહેતાં જ નથી .સંકટ કોને નથી પડ્યાં ? અરે , ખુદ બ્રહ્મ પણ એમાંથી બાકાત નથી રહ્યા ! સુખ અને દુઃખ તો આવે ને જાય . માણસનું કામ છે સમતા રાખવાનું .
પ્રદીપ રાવલ..સંચાલક