ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ ગધ રચનાંં….
.વિષય : સામાજિક પરિવાર ની હૂફ..દિવસ – ૪
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક તેમજ એડમિન ટીમ :જયશ્રીબેન પટેલ, માયાબેન દેસાઈ, જયકાંતભાઈ ઘેલાણી,વિભૂતિ બેન દેસાઈ(પ્રતિભાવ એંકર), પ્રદિપ રાવલ,સહયોગી : આરતી મરચંટ,અરૂણાબેન ત્રિવેદી
Email : prdpraval42@gmail.com
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG SS No : 0079
પ્રવિણા કડકિઆ
ગદ્ય
વિષયઃ કોરોનાની જીંદગી પર અસર
શિર્ષકઃ તારા પરાક્રમ
*************
કોરોના તે હાહાકાર મચાવ્યો, શાપ બની કે વરદાન ? દરેક સિક્કાની
બે બાજુ હોય છે. હા, કોરોનાને કારણે જે વ્યક્તિ વિદાય થયાં તેમના માટે
અંતઃકરણથી પ્રાર્થના. તેમના મૃત્યું માટે કોરોના નિમિત્ત બન્યું. યાદ રહે તે
એક દિવસ મૃત્યું આવવાનું હતું. ક્યારે તેની કોઈને ખબર હોતી નથી.
ચાલો, હવે આવ્યું જ છે તો કકળાટ શાને ? બનતા પ્રયાસ કરો કે આપણે
સહુ સહિસલામત રહીએ.
સહુ પ્રથમ ચોખ્ખાઈ રાખવાની, માસ્ક પહેરવાના,મિજબાનીને તિલાંજલિ આપવાની. લગ્ન પ્રસંગ નાના પાયા પર ઉજવવાના.
‘લોક આઉટ’ (લોકડાઉન)હોય ત્યારે બહાર નિકળવાનું નહીં. હવે મુદ્દા પર આવું. કોરોનાએ આપણને પોતાના કુટુંબ સાથે ગાઢ નાતો કરાવ્યો. ઘરને માણતા શીખવ્યું. હંમેશાં બહાર ભટકતા મનને નિયમન કરતાં શીખવ્યું. મશ્કરીમાં હું કહેતી,’ ક્દાચ પતિ પત્ની નજીક આવશે યા છૂટાછેડા લેશે’ !
પતિ અને પત્ની એકબીજાના પૂરક બન્યા. બાળકોને માતા અને પિતાનો પ્રેમ મળ્યો. ખરેખર કોરોનાએ માનવ જાતિ પર મોટો ઉપકાર કર્યો છે. ઘરમાં રહીન પોતાનામાં છુપાયેલી કલાની અભિવ્યક્તિનો સમય પ્રાપ્ત થયો.
સરકાર પોતાનાથી બનતા બધાં ઉપાય કરી રહી છે. કિંતુ જ્યારે તેણે માઝા
મૂકી ત્યારે કોઈને દોષ દેવો વ્યાજબી નથી. જેઓની નાણાકિય પરિસ્થિતિ
સારી ન હોય તેવાને મદદરૂપ થવું એ આપણી ફરજ બને છે. આપણી નજર
સમક્ષ વિદાય થતા વ્યક્તિ કશું જ સાથે નથી લઈ જતાં.
જો આપણે નસીબદાર હોઈએ અને હજુ કોરોનાના શિકાર નથી બન્યા તો
આપણી નૈતિક ફરજ બને છે. મન વિશાળ અને નાણાનો સદ ઉપયોગ અતિ આવશ્યક છે. ‘કોરોના’ દ્વારા જીવનની ક્ષણભંગુરતા નજર સમક્ષ નિહાળી રહ્યા છીએ. મિત્રો આ મુશ્કેલીમાં શાંતિ રાખવી અને જીવનમાં જે આવે તે બધું જવાનું એમ માની મન મનાવવું.
પ્રવિણા કડકિઆ..હ્યુસ્ટન.અમેરિકા
****************†***********†**
NOG SS No : 0092
પ્રકાર:-ગદ્ય
શીર્ષક:-કોરોનાકાળ માં મારી સંકટમોચન
પહેલેથી એ સાહસિક અને નિડર,પણ એની અસાધારણ ક્ષમતાનો પરિચય મને કોરોનાને કારણે વધારે થયો.૫ એપ્રિલે હું પોઝીટીવ થઈ અને ૭ એપ્રિલે મારા મમ્મી પપ્પા. પપ્પાને કોમોરબીડીટી અને વધારે ઉંમર, એટલે ડરના ઓથાર હેઠળ. ગામના ઘરમાં એ બંને એકલા જ રહે એટલે તરત જ ફોન આવ્યો કે, ‘અલકા અમે તારી પાસે ગાંધીનગર આવીએ છીએ.’ હોસ્પિટલોમાં ક્યાંય જગ્યા નહિ. પ્રદીપભાઈની મદદથી પપ્પાની સારવાર માટે સિવિલમાં વ્યવસ્થા થઈ. એ માટે જરૂરી સંકલન અને દાખલ કરવાની વિધિ મારી એ સંકટમોચને શાંતિથી પતાવી.બે દિવસમાં એના ભાઈને સખત તાવ અને ખાંસી.એને હોસ્પિટલ લઈ જઈ રિપોર્ટસ કરાવવા, ડોકટરને બતાવવું એ બધું પણ એણે સહજતાથી પાર પાડ્યું. પપ્પાને આઈ.સી.યુ.માં ખસેડ્યાકારણકે ઓક્સિજનનું સ્તર ઓછું થતું જતું હતું.ત્યાંનું ફોલોઅપ,એમની હિંમત જાળવી રાખવા વિડિયો કોલિંગ, ડોક્ટર સાથે ચર્ચા બધુંજ એણે સાચવ્યું.સાથેજ નાના દીકરાને અને વયોવૃદ્ધ સસરાને ચેપ ના લાગે તે માટેની સાવચેતી, પોતાના ઘરની અને મારી જવાબદારી હસતે મુખે નિભાવી. સમયની બીજી થપાટ વાગી કે એના પતિ નિખિલ અને ભાઈ નિશાંતનો સિટી સ્કેન રિપોર્ટ ખરાબ આવ્યો અને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી.અહીં કોઈ હોસ્પિટલમાં બેડ નહીં, આજુબાજુમાં તપાસ કરાવી પણ કોઈ જ મેળ ના પડ્યો.મેં સ્વજનો અને ઓળખીતાઓને કાલાવાલા કર્યા કે કોઈ મદદ કરે પણ બધું વ્યર્થ! મારી આવી લાચારી જોઈને એણે હિંમત બંધાવતા કહ્યું કે, “હું ગોઠવું છું, તું ચિંતા ના કર.” રાત્રે ૯.૩૦વાગે એણે એના પ્રયાસોથી બંનેને સિવિલમાં દાખલ કરાવ્યાં.મારા જમાઈ નિખિલને પહેલે જ દિવસથી ઓક્સિજન પર રાખ્યા હતા.પતિની નાની ઉંમરે આ તકલીફની ચિંતા મનમાં છુપાવી એ એકલે હાથે ત્રણેયનું ધ્યાન રાખતી. ૨૧મી એપ્રિલે જ્યારે મારા પપ્પાનું અવસાન થયું ત્યારે મૃતદેહને ગૌરવભેર લેવાથી માંડીને એમના યથોચિત અંતિમ સંસ્કાર સુધીની પૂરી વ્યવસ્થા એ નાનકડીએ વણથાકે નિભાવી ત્યારે મારી સંકટમોચન માટે મારું હૃદય ગર્વથી ગદગદ થઈ ગયું.એનાથી મારું માતૃત્વ ખરેખર દીપી ઉઠયું. લવ યુ ડિયરેસ્ટ શ્રેયા.
અલકા મહેતા
ગાંધીનગર
૨૮/૦૫/૨૧.
********************************
NOG SS No – 80
વિષય – કોરોના કાળમાં હૂંફ એક ઉત્તમ દવા
શીર્ષક – તું જ પાલનહાર
કાળમુખા કોરોનાની બીજી લહેર ઘણી જ ઘાતક નીવડી છે. ખૂબ જ અંગત સ્વજનોને ગુમાવ્યાની હજી સહેજેય કળ વળતી જ નથી..
સાજા સારા વ્યક્તિઓ, હાલતા ચાલતા,બોલતા વ્યક્તિઓ હજી તો નજર સામે જ હોય, નોર્મલ વ્યક્તિની જેમ આપણી સાથે વાતચીત કરતાં હોય, અને આઠદસ કલાકમાં તો ઓક્સિજન સાવ ડાઉન થવા લાગે! ફેફસામાં ભયંકર ઇન્ફેકશન ફેલાઈ જાય!અને આપણું પ્રિય સ્વજન જીવન મરણ વચ્ચે ઝોલાખાવા લાગે! આપણે એને અધ્ધર જીવે ખૂબ આશ્વાસન આપવાનો પ્રયત્ન કરીએ ત્યાં તો ઘડી ઘડીબે ઘડીમાં નજર સામે જ પ્રાણ પંખેરું બનીને ઊડી જાય!આપણે વિલાપ કરતાં રહી જઈએ! આ તે કેવી કુદરતની ક્રૂરતા!
મારી મોટીબેનની એકનીએક દીકરી, છવ્વીસ વર્ષની. લગ્ન થયાં ને હજી તો અરમાનો, સપનાઓમાં હિલોળતા હોય ત્યાં જ એ ભાણેજ જમાઈને હમણાં જ કોરોના ભરખી ગયો. શું એ લોકોએ જિંદગી માણી? કેવી દશા હોય એ દીકરીની?આશ્વાસન પણ શું આપી શકાય!છતાંય મનને કાઠું કરીને એ દીકરીને મારે જ સતત આશ્વાસન,હૂંફ આપવા પડેછે.આપણે સમજી શકીએ, કે ક્ષણે ક્ષણે દરેક વાતમાં પોતાના પ્રિયજનની યાદ સતાવે. એનાં માટે ક્યા શબ્દોમાં એને સમજાવી શકાય? શબ્દો જ જડતા નથી.
કોરોનાં રૂપી રાક્ષસે સમાજમાં કેટલાય લોકોનાં આવા તો કેટલાય સ્વજનોનાં જીવ લીધાં છે. હજીય જાણે એ ધરાયો ન હોય એમ નરાધમ અટકવાનું નામ લેતો જ નથી ને!
આ રાક્ષસથી છૂટવા માટે હવે તો ઈશ્વર આધાર સિવાય કશું ય કળાતું નથી.હે ઈશ્વર બસ, હવે તો તું જ કંઈક ચમત્કાર કર.
મારણહાર તું, તારણહાર તું…
મારાં રામ…
સંસાર સાગરના ખેવનહાર તું…
મારાં રામ..
એક પાલનહાર તું જ પાલનહાર..
મારાં રામ…
Il અસ્તુ ll
વર્ષા જાની
ભાવનગર…29 મે 2021
********†***********************
NOG SS.NO. 0098
प्रकार;- गद्य
विषय:- कोरोना काल में सामाजिक
परिवार के साथ जीवन के
अनुभव।
शीर्षक:- आपबीती ।
दोस्तों हम सभी जानते हैं कि विश्व में (कोविड़ १९ )कोरोना रूपी महामारी व्याप्त है । इस दौरान मैं भी (कोविड १९ ) कोरोना की चपेट में आई। मेरी तबियत ज्यादा बिगड़ने से कुछ समय परिवार तनाव में आ गया,
लेकिन परिवार के सभी सदस्यों ने धैर्य के साथ अपनी अपनी भूमिकाएं निभाई। जैसा कि हम सभी जानते हैं कि इस बीमारी से उबरने की अंतराल अवधि अधिक होती है।
मै होम क्वोरोनटाइन हो गई। उस दौरान बहुत खालीपन लगता था। अजीबोगरीब विचार दिमाग में उमड़ते थे। खालीपन को मैंने प्रभू सिमरन द्वारा भरा , और महसूस किया कि सतगुरु की तरफ मन तभी खिंचता है,जब हमें कोई दुःख या तकलीफ़ होती है।सुख में तो कोई विरला ही मालिक को याद करता है। लेकिन हां मुझे प्रभू व पतिदेव पर पूरा भरोसा था कि वे मुझे स्वस्थ कर ही देंगे।
पतिदेव की बात करूं तो जिन्होंने कभी रसोईघर से नाता नहीं रखा ,पर उस दरम्यान मेरे दिन की शुरुआत उनके द्वारा बनाई गई चाय से होती थी। प्यार,दवा व दुआओं से मिश्रित वह चाय भी बहुत लजीज़ लगती थी।जो मेरे लिए किसी संजीवनी से कम नहीं थी। हालांकि परिवार की नाराज़गी भी झेलते थे। बच्चों को निष्ठा व लग्न से दायित्व की पूर्ति करते देखती थी तो वो मुझे श्रवण कुमार से लग रहे थे। और बच्चों की चाची में अन्नपूर्णा का वास था।
मेरे दोस्तों ने जो अहसास करवाया तो उनके बारे मै कहूंगी कि..……..
दोस्त एक ऐसा चोर होता है,जो ऑखों से आंसू,चहेरे से परेशानी,दिल से मायूसी, जिंदगी से दर्द और बस चले तो हाथों की लकीरों से मौत तक चुरा ले।
परिवार,करीबी, रिश्तेदार, भाई बहन, मित्रगण व समाज इन सभी की दुआएं मेरे साथ थीं। इस दरम्यान मैंने जाना…
थोड़ी फिक्र, थोड़ी कदर, कभी कभी
खैरो खबर इन दूआओं में होता है बड़ा असर।
संपूर्ण स्वस्थ होने पर परिवार बहुत खुश था।
समाज ने स्वस्थ होने पर कोरोना योद्धा से नवाजा।
पर मुझे कोई भ्रम नहीं था कि मैंने कोरोना को हराया है, क्योंकि कोरोना को तो मेरे अपनों ने दवा व दुआओं से हराया था।
दोस्तों ये मेरी आपबीती है, लेकिन सिर्फ मुझ पर बीती हो ऐसा नहीं है, अपितु हर उस व्यक्ति की है, जिसने कोरोना (बीमारी) को नजदीक से देखा है। अतः प्रभू से प्रार्थना है कि हे प्रभू बहुत हो गया अब और नहीं,बस और नहीं। 🙏
✍️
लीना शर्मा।
हालोल।
********************************
: NOG SS no.0081
વિષય : કોરોના કાળમાં પરિવારની હૂંફ
પ્રકાર : ગદ્ય /વાર્તા
શીર્ષક :વિષ કે વિષાણુ
શબ્દો :૨૯૯
::::::::: વિષ કે વિષાણુ ??:::::::::
મનમાં ફડક સાથે દસ મહિને વૃદ્ધાશ્રમમાં ફોન જોડ્યો. હરખથી ઊભરાતો બાનો ક્ષીણ અવાજ આવ્યો,
” બેટા,બહુ ખરાબ રોગચાળો ફાટી નીકળ્યો છે આ કોરોના .બહુ ગીર્દીવાળી જગ્યાએ નહીં જતો . મોં પર પેલું શું કહે છે ..”માસ “પહેરજે હોં.તને તારી બાના સોગંદ,મને મળવા ન આવીશ. સાચું કહું,બહુ સારું લાગ્યું તારો ફોન આવ્યો તો !કહે છે બહારથી આવનારાથી આ કોરોના થાય ,તે હું પણ હવે તમારા માટે બહારની જ ને!આ રોગ ઘરડાંને જલ્દી થાય ,તો અહીં તો બધાંને જ થશે કે શું ?આમેય અહીં આવનારને કોણ પાછું લઈ જાય છે!”
લોકડાઉનમાં મૂંઝાયેલા દીકરાને બા સાંભરી, જાણે એ વાંસો પસરાવી કહે ,”હરિ પર ભરોસો રાખ,સૌ સારાં વાનાં થશે”એ ખાંસતા કહેવા લાગી,” બેટા, આ કલિયુગ છે ને, એમાં તો આવું જ થાય”.એ બોલવા ગયો ,”બા,મારી ઈચ્છા.”બા વચ્ચે બોલી ,”આ ફોનમાં વાત કરવાથી તો એ જંતુઓ ન આવે ને?આજે તો આવી શકે,એમ કહીશ તો ય હું આ ફોન મૂકવાની નથી .. કેટલાં મહિને તારો અવાજ સંભળાયો.”
ડૂસકાંમાં બાની ખાંસી સમાઈ ગઈ “દીકરા,વગર કામે બહાર ન જતો, બારણું બરાબર વાસજે, મને કાઢ્યાં પછી વાસ્યું હતું તેમ.” એની જીભને જ “લોકડાઉન” લાગી ગયું. વળી વિષાદ ફોનમાં ઘૂંટાયો,”હું તો ઈચ્છું કે આ બીમારી મને લાગી જાય. કહે છે કે બધી જવાબદારી પેલી મ્યુનિસિપાલિટીવાળા જ લે છે,તારે કંઈ ઉપાધિ જ નહીં ને ! બધું મફત.તારે આવવાની તસ્દી જ નહીં ,એ લોકો જ બધું આટોપી લે,મરણ સુધી.તને સૂતક , શ્રાદ્ધ, તર્પણ સઘળામાંથી મુક્તિ.” એને હતું કદાચ પાછો ફોન ન આવે તો? હાંફતી બોલી,”આ સાવ ઝીણાં એવાં આ વિષાણુ કરતાં માનવ વિષ કેટલું ભયાનક , કેટલું કાતિલ હોય છે નહીં ! રિબાવી રિબાવીને મારે”.
ફોન સાથે એ ફસડાઈ પડ્યો. કેમ આ વિષ જીરવતી હશે બા? એ નીકળી પડ્યો વૃદ્ધાશ્રમ ભણી.વિષાણુને તો માસ્ક અને સેનિટાઈઝરથી ધોવાશે પણ…બા ને પિવડાવેલ વિષ તો મારે જ ધોવું રહ્યું .
#માયા દેસાઈ
મુંબઈ ભારત.
.