ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ ગધ રચનાંં….
.વિષય : સામાજિક પરિવાર ની હૂફ..દિવસ – ૨
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક તેમજ એડમિન ટીમ :જયશ્રીબેન પટેલ, માયાબેન દેસાઈ, જયકાંતભાઈ ઘેલાણી,વિભૂતિ બેન દેસાઈ(પ્રતિભાવ એંકર), પ્રદિપ રાવલ,સહયોગી : આરતી મરચંટ,અરૂણાબેન ત્રિવેદી
Email : prdpraval42@gmail.com
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG .SS NO .0001
વિષય:સામાજિક જીવન,પારિવારિક હૂંફ,
પ્રકાર : ગદ્ય
શીર્ષક :– “ વેર વિખેર જીવન “
કોરોના કાળમાં ઘણાં ઘરોમાં પંખી એક ડાળનાં ક્યાંક વિંખાઈ ગયા છે. નાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને કોરોનાને કારણે મોટું આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. જે વેપારીઓ સામાન્ય સંજોગોમાં પરિવારનું સારી રીતે ભરણપોષણ કરી શકતા હતા એ આજે એક એક રૂપિયા માટે લાચારીમાં દિવસ પસાર કરતાં જોવા મળે છે .
દૈનિક એક હજારથી આઠસો રૂપિયા આવક મેળવતાં વેપારીઓની કોરોનાની બિમારીએ કમર તોડી નાંખી છે .આજે એ જ વેપારીઓ સો રૂપિયા માટે આખો દિવસ મહેનત કરવા માટે મજબૂર બન્યા છે. લોકોનાં મનમાં કોરોના માટેનાં ભયે પરિવારની આર્થિક પરિસ્થિતિને ડામાડોળ કરી મૂકી છે .
લોકડાઉન અને કરફ્યુને કારણે પણ વેપારીઓને આર્થિક રીતે ખૂબજ મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. નાનાં મોટાં વ્યવસાયકારોની તો હાલત કફોડી થઈ છે. જેમકે ચા ની લારીવાળા, પાનનાં ગલ્લા વાળા, બૂટ ચંપલ સાંધવાવાળા, શાકની લારીવાળા , રીક્ષા કે ટેક્સી ચલાવવાવાળા, જે રોજેરોજનું કમાઈને રોજ ઘર ચલાવતા એમને આજે રોજનાં પચાસ રૂપિયા પણ મળતાં નથી . બીમારીને કારણે ભાવ વધારો તો થયો જ છે તો બીજી તરફ બેકારી પણ વધી છે. ખરીદાર કોઈ મળતાં નથી ને ફળ, શાકનાં વેપારીનો માલ બગડી જાય છે.
તો કેટલાકે લોન લઈને ધંધો શરૂ કરેલો એમને બેવડો ફટકો લાગ્યો. ના કમાણી થાય ના હપ્તા ભરાય .ઘર પરિવારનું ભરણપોષણ પણ દોહ્યલું છે .દેવું વધી જતાં લોકો દયનીય હાલતમાં જીવી રહ્યાં છે .આર્થિક સંકડામણમાં લોકો રોજગારી મેળવવા માટે ફાંફાં મારે છે.
આમ કોરોનાને કારણે સરકારી તંત્રએ લીધેલાં નિર્ણયોથી નાનાં મોટાં વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવતાં વેપારીઓને બહુજ મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે અને પરિવારનો માળો ભૂખમરાથી એક એક તણખલાંની જેમ છૂટો પડી ગયો છે . ક્યાંક રોગચાળાએ પરિવારનાં માળાને વીંખી નાંખ્યું તો ક્યાંક આર્થિક ભીંસથી માળો વીંખાયો !
અહો ! કેવી કરુણતા ! કેવી લાચારી !
પ્રદિપ રાવલ સંચાલક.
*******************************
NOG .SS NO .0095
વિષય :– સામાજિક જીવન , પારિવારિક હૂંફ
શીર્ષક :– “ સૂની ભીંત , સૂનું ઘર “
હમણાં હમણાં તો પેપરમાં પણ ચાર- ચાર પાનાં ભરાય એટલી શ્રદ્ધાંજલિ ! મોબાઈલ – ફેસબુકમાં પણ એ જ ! જાણે કુદરત પણ સાગમટે જ બધાથી રિસાણી છે ! ઘરે ઘરે આક્રંદ અને શોકાતુર વાતાવરણ ! કેટલાયે પોતાનાં કાંધોતરને ગુમાવ્યા ,જાણે પરિવાર પરની છત જ ના રહી . અરે ! નાનું મરણ હોય કે મોટું ! સ્વજનનું મૃત્યુ તો પીડાદાયક જ હોય છે .આંસુને ઉંમરની સાથે લેવાદેવા નથી કેમકે આંસુની તો કોઈ ઉંમરજ નથી હોતી !
સુજલે પણ પોતાનાં પિતાને ગુમાવી દીધાં હતાં .આજે એને ડગલે ને પગલે પિતાની યાદ વીંટળાઈ વળી છે . જે પિતાને પોતે છેલ્લો ખભો પણ ના આપી શક્યો એ પિતાની યાદ તો ઘરનાં ખૂણે ખૂણે , ભીંતો પર , હીંચકે , બગીચામાં બધે જ છવાયેલી છે અને એને પોકારીને કહે છે કે બેટા ! તારું ધ્યાન રાખજે .
આખા ઘરમાં સૌથી વહેલા જાગતાં પપ્પા આજે સવારે જાગ્યા જ નહીં ! એમનાં ભાગની ચ્હા વધી પડી .ઘરની દીવાલો પર પપ્પાએ કરાવેલા રંગનો કલર આજે ફીકો પડી ગયો હતો .એજ દીવાલ પર પપ્પાનો ફોટો લાગી ગયો હતો . જે છાપું રોજ સવારે અક્ષરે અક્ષર વાંચી જતાં એ આજે ટિપોઈ પર એમજ ગડી વાળેલું પડી રહ્યું છે .એમનાં જ શ્રધ્ધાંજલીનાં સમાચાર સાથે .
આજે ઘરમાં જાણે સ્મશાનવત્ શાંતિ છે . કોઈ કોઈને વઢતું પણ નથી . બહાર જતી વખતે જેમની રજા લેવી. પડતી એ પોતે જ કોઈને પણ કહ્યા વગર ઘરમાંથી ચાલ્યા ગયાં છે .હંમેશની જેમજ એમણે. પોતાનું ધાર્યું જ કર્યું અંતે પણ ! રોજ વૃક્ષોનું જતન કરીને એનો ઉછેર કરનાર પપ્પા પોતે જ જાણે છેલ્લી ઘડીએ લાકડાં જેવા થઈ ગયાં હતાં.
એમનો પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ પણ આનું કારણ હશે ? એક શબને બાળવા માટે એક વૃક્ષને શહીદ થવું પડે ? એનું જ લાકડું કાપીને પોતાની મૃત્યુ શૈયા પર પથરાય ! ના એ કદાપિ એવું નહોતા ઈચ્છતા .અને અંતે થયું પણ શું ? મારાં હાથમાં આવી માત્ર એક મુઠ્ઠીભર રાખ ! બસ , આટલું વિશાળ હૃદય ધરાવતાં પિતા મારી મુઠ્ઠીમાં સમાઈ ગયાં ?
ના , એમને હું બંધ મુઠ્ઠીમાં નહીં પણ મારા આ બગીચામાં વિશાળ વડલો બનાવીને રાખીશ .એમનાં અસ્થિને ગંગામાં વિસર્જિત નહીં કરીને ઘરનાં આંગણામાં હીંચકાની બાજુમાં ખાડો કરીને એ માટીમાં ભેળવીને એમાં વડલો વાવી દીધો . જેથી એ જ વડલો મોટો થઈને પપ્પાની જ છત્રછાયામાં એમનાં કુળની વડવાઈઓ ફૂલે ફળે અને એમનાં આશીર્વાદ સદાય લેતાં રહે .
દીપિકા ચાવડા ‘ તાપસી ‘
*********************”*”********
NOG :SS N : 0082
વિષય : સામાજિક પરિવાર, હુંફ અને કોરોના
સમયની વિટંબણાઓ
શીર્ષક : આકસ્મિક ઉદ્ભવેલ વિષમ પરિસ્થિતિ
દરમિયાન માનવીની પૂર્વ
તૈયારી,
જીવન દરેક વ્યક્તિનું આ સંસારમાં ક્યારે કેવી કરવટ બદલે તે પ્રત્યે અગમચેતી રાખે તો તેને આવનાર ઉપાધીમાં કાંઈક રસ્તો મળે
દા.ત .
આ દોઢ વર્ષ પહેલાંથી આ કોરોનાની મહામારીમાંથી બચવા અનેક ઉપાયમાંથી ઉત્તમ વ્યવહારું ઉપાય
નાક્માં જો તમે બન્ને ભાગમાં દિવેલ ઉંડે સુધી ચોપડવાથી નાક્માં અંદર કોરોના વાયરસ જઈ શક્તો નથી .
તે નિર્વિવાદ સાબિત થયું છે .
અને જેને પણ નિરંતર નિયમિત તેનો ઉપયોગ અને પ્રયોગ કર્યો છે તે બધાંજ આમાથી બચી ગયાં છે,
કોરોનાથી બચવું મતલબ
1 આર્થિક રીતે પાયમાલ થતા બચવું
2 દવાખાનાનાં જરૂર કરતા
વધારે ટેસ્ટિંગ નિતનવી દવાઓનાં શરીર પર પ્રયોગો
3 માન સિક ત્રાસ
4 જીવનું જોખમ
આ મુજબની બધી જ તકલીફો જો થોડી ચોકસાઇ રાખો તો તેમાંથી કાંઈક રસ્તો મળે,
મનુષ્યના જીવનમાં સરળતા ,વ્યવહારુતા ખુબજ દાદ માંગી લે છે,
સામૂહિક મહામારી વખતે
દરેક વ્યક્તિ સજાગ બની પોતાની રીતે અગમ ચેતી રાખે તો તેને આ આવી પડેલ ઉપાધિમાં રસ્તો ચોક્કસ મળે જ
તબીબી વ્યવસાય સાથે જોડાયેલા દરેક વ્યક્તિ સજાગ બની પોતાની
કાળજી રાખી તેના લીધે જે સીધા જ સંક્રમણ ગ્રસ્ત લોકો સાથે કામ કર્યું હતું તો પણ માત્ર ઓછા પ્રમાણમાં તબીબો પર આફત આવી છે તેનું માત્ર એકજ કારણ પોતાની ફરજમાં ચોકસાઇ
અને સભાનતા,નવો યુગ અને નિત નવીન રોગોની ઘટમાળ
સામે દરેક વ્યક્તિએ મજબૂત બનીને રહેવું પડશે એકવીસમી સદીનો માનવ
મજબૂત બનીને નહિ રહે તો આવનાર આપદા સામે ટકી નહિ શકે
ડૌક્ટર અનિઋદ્ધ વ્યાસ
નડીયાદ
*****************************
NOG SS No :- 0038
વિષય :-સામાજિક જીવન , પારિવારિક હૂંફ
વિભાગ :- ગદ્ય
શીર્ષક :-બદલાયેલી જીવનશૈલી.
કોરોનાએ ઘણે અંશે જીવનશૈલી બદલી નાંખી છે.
માણસ સતત ડરતોડરતો જીવે છે. જે ઘર વેકેશનમાં ભરાઈ જતાં આજે દાદા ને બા ગામડે એકલા રહે ને સંતાન શહેરમાં એ વિચારી રહે કે બધાં ભેગાં થઇશું તો ક્યાંક કોઈને કોરોના થઈ જશે તો બધાં લપેટમાં આવી જઇશું.
નાના નાના પ્રસંગે ભેગાં મળી આનંદ કરતા આજે મોટા પ્રસંગે પણ નથી મળી શકતા. નજીકના સગા કે દોસ્ત મળતા તો હાથ મિલાવી ભેટી પડતા પણ આજે ફોનમાંજ મળવાનું
થઈ ગયું. ઘણું બધું બદલાઈ ગયું…બાળપણ ઘરમાં કેદ થયેલું જોઈને તો દિલ ભરાય આવે.
સમાજનાં બધાં સારા પ્રસંગ ને ઉત્સવ જાણે ફિકા થઈ ગયાં.હાસ્ય છુપાઈ ગયું.અતિથિ તો ક્યારે આવેલા એ યાદ નથી.આર્થિક પરિસ્થિતિ ઘણાંની એટલી હદ સુધી કમર તોડી નાંખી કે લાચાર બની માનવ ઝઝૂમી રહ્યો છે.
હવે તો સમાજમાં એકબીજાની હૂંફ ને ભગવાનને સહારે જ જીવવું રહ્યું. કોણ જાણે ક્યારે બધું નોર્મલ થશે.
ક્યારે માનવ ખુલ્લી હવામાં શ્વાસ લેતો થશે.🙏
✍️ શીલા પટેલ “આકાંક્ષા”
*****************†***********
NOG SS Noo.0039
વિષય – સામાજિક પરિવારની હૂંફ, કોરોનાકાળ સાથેના સામાજિક જીવનનાં અનુભવો.
પ્રકાર – ગદ્ય -લેખ
શીર્ષક — કૌટુંબિક અને સામાજિક હૂંફ
શબ્દો — ૩૫૦
માણસ એ સામાજિક પ્રાણી છે. માણસથી સમાજ બને છે અને સમાજ માણસોથી ભરેલો છે. દરેક વ્યક્તિને જીવન દરમ્યાન કુટુંબ ઉપરાંત સમાજની જરૂર પડે છે.
૨૦૨૧ના માર્ચમાં આવેલી કોરોના નામની બીમારીએ ધીમે ધીમે આખા દેશ અને વિશ્વમાં અકાલ્પનિક રીતે પ્રસરી ગઈ. આ બિમારી સંક્રમણથી ફેલાતી હતી જેના કારણે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે સંક્રમણ ટાળવાનું ફરજીયાત થઈ ગયું. જેના કારણે દેશમાં લોકડાઉન જાહેર કરવાની ફરજ પડી. આવશ્યક સેવાઓ સિવાય બધાંએ ઘરમાં જ રહેવાનું જરૂરી બન્યું. દરેક વ્યક્તિએ ઘણાં દિવસો સુધી ઘરની ચાર દિવાલની અંદર ઘરમાં જ રહેવાનું જરૂરી બની ગયું. ઘરની બધી વ્યક્તિઓ ચોવીસ કલાક એક સાથે ઘરમાં રહેતી હોવાથી કૌટુંબિક ભાવના વધી. કામવાળા કોઈ જ ઘેર આવી શકતા નહિ અને બધા જ આખો દિવસ ઘેર રહેતા હોવાથી ગૃહિણી માથે કામનું ભારણ પણ વધ્યું. ત્યારે ઘરનાં બધા સભ્યો આવડત પ્રમાણે કામ વહેંચીને ઘરકામમાં મદદ કરવા લાગ્યા. બધાંને સાથે બેસી જમવાનો સમય પણ મળવા લાગ્યો. કંટાળો દૂર કરવા અને મનોરંજન મેળવવાં ફોન અને ટીવી સિવાય અવનવી રમતો રમવાં લાગ્યાં. મોબાઈલ ફોન દ્વારા એકબીજાનો સંપર્ક સાધીને ઓનલાઈન રમતો રમવા લાગ્યાં. આ રીતે બહારની દુનિયાનો સંપર્ક જાળવવામાં મોબાઈલ ફોને બહુ મોટો ભાગ ભજવ્યો. વસ્તુઓ પણ ઘેર બેઠા ઓનલાઈન મળવા લાગી. આમ એકસાથે રહેવાનો, જમવાનો, મોજમજા કરવાનો સમય આ કપરાં લોકડાઉને પૂરો પાડ્યો.
કોરોનાની બિમારી વધ્યાં પછી સગા, સંબંધી કોઈ એકબીજાના કામમાં આવી ના શકે એવું ભયનું વાતાવરણ હતું. ક્યારેક ઘરની જવાબદાર વ્યક્તિને તો ક્યારેક ઘરનાં બધાજ સભ્યોને કોરોના થયો હોય ત્યારે અનેક સંસ્થાઓએ કોરોના દર્દીઓને જમવાનું મળી રહે એ માટે સમય અને પૈસાનો ભોગ આપીને ઘેર બેઠા ટિફિન પહોંચાડવાની સેવાઓ હોંશેહોંશે શરૂ કરી.
ડોક્ટરો, નર્સો, સફાઇકામદારો, પોલીસ, હોમગાર્ડસ, અને સેવા બજાવતી અનેક સંસ્થાઓ અને માણસોએ પોતાનો અમૂલ્ય સમય આપી દર્દીઓને સહાય કરી.આવા સેવાભાવી લોકો ધગશ અને કુનેહથી સેવા કરી સામાજિક અને માનવીય ફરજ બજાવી રહ્યાં છે.
જીવનસાગરમાં ભરતી અને ઑટ આવ્યાં કરે, મુશ્કેલીઓ, દુર્ઘટનાઓ, અકસ્માતો અને હોનારતો પણ થતાં રહે ત્યારે ઈશ્વર આપણાથી નારાજ છે એવું લાગે પણ નિઃસ્વાર્થ માણસો ખડેપગે, રાતદિવસ પોતાના કુટુંબની ચિંતા છતાં સેવા માટે તત્પર રહે ત્યારે એ સાક્ષાત ઈશ્વર બનીને આવ્યા હોય કે ઈશ્વરે મોકલ્યા હોય એવો અનુભવ થાય. આમ આવો પણ એક સમાજ છે જે સંક્રમણનો ભય હોવા છતાં, સેવાનાં કાર્યોમાં અવિરત કાર્યરત રહે છે.
પ્રફુલ્લા “પ્રસન્ના”