NOG સાહિત્ય સરિતા ગ્રુપ ના મુખ્ય નિર્ણાયક એડમીન ટીમ સભ્ય જયશ્રીબેન પટેલ(દાદિશા) ના જન્મ દિવસ નિમિત્તે ગ્રુપ ના સૌ સર્જકો ની અઢળક શુભેચ્છાઓ..
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની ૫ ગદ્ય રચના રજૂ કરવામાં આવે છે.
વિષય : વટ.વચન.વેર વિષયક રચનાઓ – .દિવસ – ૩
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ, માયાબેન દેસાઈ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews
NOG SS NO – 0037
વિષય – વટ,વચન, વેર…
વિભાગ – લઘુ વાર્તા.
શીર્ષક – પ્રતિષ્ઠા.
ગામડાંમાં રહેતા દંપતીનો એકનો એક પુત્ર,તેજ…! જેવું નામ એવો જ ભણવામાં તેજ.આથી પુત્રની ઈચ્છા પૂર્ણ કરવા માટે,દંપતીએ પોતાની થોડી ઘણી જમીન હતી,એ પણ વેચી પુત્રને ભણાવી ગણાવી કલેકટર બનાવ્યો.
પુત્ર ગામડું છોડી શહેરમાં રહેતો થયો. લગ્નન પણ પોતાની ઈચ્છા મુજબ શહેરમાં મોર્ડન કન્યા સાથે કર્યાં .કલેકટર સાહેબ પોતાના પરિવાર અને કામની વ્યસ્તતાને કારણે ધીમે ધીમે પોતાનું ગામડું અને માતા પિતા વીસરી ગયાં.
ગામડે પિતાજીની તબિયત લથડતાં,ગામલોકોની સલાહથી, દંપતી શહેમાં પોતાનાં પુત્ર પાસે આવે છે.પુત્રના બંગલે ચોકીદાર અંદર પ્રવેશતાં અટકાવે છે.દંપતિ પોતાના પુત્ર સાથેનો જૂનો ફોટો બતાવી કહે; ‘અમે તારા સાહેબના માતાપિતા છીએ’.ચોકીદાર થોડો સમય વિચારી કહે,’ હું સાહેબને પૂછી આવું.’ કલેકટર સાહેબ તો મિત્રો સાથે ગપ્પાં મારતાં હોય છે. આવાં સમયે ચોકીદારની વાત સાંભળતાં નથી અને જે કોઈ હોય એમને બહાર જવા દે…! એવો ઓર્ડર કરે છે.
પોતાના મોજ શોખ, અને પ્રતિષ્ઠા માટે, પોતાનાં માતા પિતાને પણ ભૂલી જાય છે.
ચોકીદાર પણ સાહેબના કહેવા મુજબ બંનેને અહીંથી ચાલ્યાં જવાનું કહે છે.,”સાહેબ, ‘આપને ઓળખતાં નથી.” ચોકીદારનાં આવાં શબ્દો સાંભળી પિતાજી બંગલાના દરવાજા પાસેજ મૃત્યુ પામ્યાં. ચોકીદારની મદદથી એમની અંતિમ વિધિ થઈ.મા, પાસે ક્યાંય જવાનો રસ્તો ન રહ્યો.માટે તે ચોકીદાર ને કહે; ‘ તું તારા સાહેબના ઘરમાં મને કામવાળી બાઈ તરીકે કામ અપાવ. ચોકીદાર પણ દયાળુ,વળી કલેકટરને પત્ની ને એક બાઈની જરૂર હતી.માટે માજીને કામવાળા તરીકે ઘરમાં રાખ્યાં.
માજી તો પોતાનાં પુત્રનાં ઘરમાં આખો દિવસ ઘૂંઘટમાં જ રહી બધું કામ ચૂપચાપ કર્યા કરે.ઘણો સમય થયો.એક દિવસ પુત્રવધૂ પોતાનાં પિયર બે -ચાર દિવસ રહેવા ગઈ.આ બાજુ કલેકટર સાહેબ ખૂબ બીમાર પડયાં. માજી એમની સેવા દિવસ -રાત કરે.માજી ઘૂંઘટ ખોલે નહીં. એક દિવસ સાંજના સમયે કલેકટર સાહેબના કહેવાથી,માજી સાuહેબના માથા પાસે બેસી તેલથી માલિશ કરી રહ્યાં હતાં.એવા સમયે અચાનક ત્યાં સાહેબની પત્ની આવી પહોંચી….! એમણે તો કંઈજ વિચાર્યા વિના પોતાના પુત્રને લઈ,બૂમો પાડતી ત્યાંથી હમેશાં માટે, ઘર છોડી ચાલતી થઈ.
માજી આ બધું દૂરથી જોઈ રહ્યાં હતાં.ઘૂંઘટમાંથી અશ્રુની ધાર વહી જાય છે….!
આવા સમયે કલેકટર સાહેબની નજર વહેતાં અશ્રુ જમીન પર પડતાં,પોતાની માતાના ચરણ ઓળખી જાય છે.બીમાર અવસ્થામાં પણ દોટ મૂકી,માતાના ચરણ પકડી માફી માંગે છે.
હેમલતા દિવેચા.જૂનાગઢ
********†*********************************
NOG. SS .NO. 0001
વિષય :– વટ, વચન, અને વેર
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :– ‘બેશરમ સરકાર ‘
“ ભીડ ભરેલી રેલી, લાવી કોરોનાની હેલી”.
હા , સ્થાનિક ચૂંટણીઓમાં રાજકીય રેલીઓ યોજી, ઠાલાં વચનો આપ્યાં, પ્રજાને પગે લાગ્યાં, ખોટાં ખોટાં દાવાઓ કર્યાં . કોરોના જેવી મહામારીને નેસ્તનાબૂદ કરવા માટેનાં પ્રયાસોની ખોટી માહિતી આપી . ખોટા આંકડાઓ આપીને પ્રજાને છેતરતી રહેલી આ સરકારે ક્યારેય પ્રજાનું હિત ના જોયું ના સમયસર કોઈ આગોતરું આયોજન કર્યું.
સરકારી નેતાઓને કોઈ બંધનો, નિયમો લાગુ નથી પડતાં અને ભોગ બને છે લાચાર ને બેબસ પ્રજા ! હાલની પરિસ્થિતિ જોતાં એટલું તો સ્પષ્ટ જ છે કે સામાન્ય માણસનાં પરિવારની નેતાઓને મન કોઈજ ગણતરી જ નથી. જેમની માટે હોસ્પિટલમાં ના તો જગ્યા છે, ના ખાલી બેડ છે, ના ઓક્સિજન , ના ઇન્જેક્શન ના દવાઓ ..!
કુંભમેળાઓ જેવાં ધાર્મિક કાર્યક્રમો કરવાની છૂટ આપીને પોતાનાં રોટલા શેકનાર નેતાઓનાં પાપે આજે આખો દેશ કોરોનાનાં ભરડામાં. આવી ગયો છે. ઘરે ઘરે આ મહામારીનાં કેસ છે. સ્મશાનોમાં લાશોનાં ઢગલા છે . દવાખાનાઓ દર્દીઓ થી ઊભરાય છે .દર્દીઓને રોડ ઉપર પડ્યાં રહેવું પડે છે. ઓક્સિજનનાં અભાવે લોકો મરવા લાગ્યાં છે.
આમ લાશોનાં ઢગલાઓ ઉપર તાંડવ કરીને નેતાઓ પોતાનાં પાપની બેંકો હરામનાં પૈસાથી ભરી રહ્યાં છે. બીજી તરફ સામાન્ય પ્રજા પોતાનો જીવ બચાવવા માટે ગેસનાં બાટલાંની નહીં પણ ઓક્સિજનનાં બાટલાંની લાઈનોમાં ઊભી રહે છે અને મોતને ભેટે છે. છતાંય આ કાળાબજારિયાં સત્તાધીશોનાં પેટનું પાણી પણ નથી હલતું .
પહેલાં પૂર્વ નિયોજિત કાવતરાં કરીને સરકાર દવા , ઓક્સિજન, કે બેડનાં અભાવે પ્રજાને મરવા મજબૂર કરશે પછી પ્રજાનાં જ મોત ઉપર ખોટાં મગરમચ્છનાં આંસુ સારીને સહાનુભૂતિ જતાવશે ! ક્યાં સુધી પ્રજાને છેતરશો ? ક્યાં સુધી ભગવા પહેરીને ઈશ્વરને પણ છેતરશો ? ક્યાં ગયાં તમારાં રામરાજ્ય અપાવવાનાં વચનો ? લોકોને રસ્તે રઝળતાં કરી મૂકીને , યુવાનોને મોટાં મોટાં સપનાઓ બતાવીને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરનારાં આ ભગવાધારી રાજકારણીઓ અત્યારે ક્યાં સંતાયા ?
‘ નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ ‘ નાં ગાન ગાઈને મુસ્લિમોને જમાઈ બનાવીને મુસ્લિમ વોટબેંકનાં દલાલ બનીને ભગવી અંધ વોટબેંકનાં શ્વાસ ચલાવી રહ્યાં છે. કોણ કરશે ભરોસો હવે આવાં લોકો ઉપર ? રામમંદિર માટે ૧૦—૧૦ રૂપિયાની ઉઘરાણી કરનાર ૧૫૦૦ કરોડ ઉઘરાવી ચૂકી ને પોતાનાં ખાતાં ભરતી ગઈ. કારસેવકો જ્યારે અયોધ્યા પહોંચ્યા તો એમની ઉપર અત્યાચાર ને જુલમ થયો ને એમને પોતાનો જીવ ગુમાવવો પડેલો. એમને સરયૂ નદીને કિનારે લાકડાં પણ નસીબ ના થયાં ને પેટ્રોલ થી સળગાવવા પડ્યાં હતાં.
એવાં નેતાઓ મુક્ત ભારત બનાવવા નીકળી પડ્યાં છે. પોતાનો વટ પાડવા માટે એ કેટલી હદે નીચાં જઈ શકે છે એનું જીવંત ઉદાહરણ છે હાલનો કોરોનાકાળ અને દેશનાં લોકોની સમસ્યાઓ ! ક્યાં ગયાં એમનાં વચનો ? ના , એ તો પોકળ જ હતાં ને ? પોતાનો વટ બતાવવા એ નેતાઓ પ્રજાનો જીવ લેવા અધીરા થયાં છે. સરકાર નથી જાણતી કે વંશવેલા વગરનાંને ભલે કોઈનાં નહાવા નીચોવવાની ચિંતા નથી, પણ એની સાથે એનાં અંધ ભક્તોનાં વંશજોનું શું ? એની પણ ચિંતા ના કરનારને લોકો તો નહીં જ છોડે ! સમય આવ્યે બદલો તો લેશે જ ! પ્રજા પણ અને ઈશ્વર પણ !
“ અંધ સરકારનો ભેદભરમીલો વટ , મિથ્યા વચનો, પ્રજાનાં વેરનો જરૂર ભોગ બનશે “.
પ્રદીપ રાવલ .સંચાલક
****************************************
NOG SS NO : 0095
વિષય :– વટ, વચન , વેર
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :– ‘ વચનનાં પૂરાં ઈ તો નહીં રે અધૂરાં ‘
ગિરિધર ગોપાલ સાથેનો મીરાંનો અલૌકિક સંબંધ અને એની મહેંક આકર્ષક અને તરોતાજા લાગે છે. એ મહાસતીનાં
મીરાંનાં પદો કે ભજનો પણ આત્માની ક્ષુધા સંતોષે છે.
“ વાલા જેનાં મનડાં માયાળું, દિલડાં દયાળુ રે,અવતારી એનો આત્મા .”
આવાં ભજનનાં સંતોનું સ્મરણ કરીએ તો સંત કવિયત્રી તોરલ , સતી રૂપાંદે, સતી લોયણ અને આત્મજ્ઞાની એવા ગંગાસતીનું યોગદાન પણ સંત સાહિત્યમાં શોભી રહ્યું છે.
આમ તો ભાવનગર જિલ્લાનાં એક નાના ગામ રાજપરાનાં એક સંસ્કારી કુટુંબમાં ગંગાસતીનો જન્મ થયો હતો. પણ તેમની અખંડ સાધનાથી તેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ હતી. તેમણે મીરાંની જેમ જ રામની અલખની આરાધના કરીને એક સરળ અને સહજ આધ્યાત્મિક માર્ગ બતાવ્યો હતો.
કુદરત સાથેનાં કે પરમતત્વ સાથેનાં અનોખાં અનુસંધાન માટે ગંગાસતીએ વચન વિવેકનો મોટો મહિમા કરેલો છે .જે વચન વિવેકી હોય તથા વચનની શાન જાણતો હોય તેનો અધિક મહિમા ગંગાસતીએ ગાયો છે.
વચનમાં વિવેક ના જળવાય તો મહાભારતનું સર્જન થાય તેવું મહાભારતકારે પણ સમજાવેલું છે. વચનનાં પ્રતાપે જ જીવનની રણભૂમિમાં હતાશ થયેલાં અર્જુને હતાશા ખંખેરીને ગાંડિવનો ટંકાર કર્યો હતો.
ગંગાસતી કહેછે કે જે મૂળ વચનનો દોર પકડી શકે તેને અનંતનાં નાથ સાથેનું સહજ અનુસંધાન થાય છે.
“ વચન વિવેકી જે નરનારી પાનબાઈ !
તેને બ્રહ્માદિક લાગે પાય ,
યથાર્થ વચનની સાન જેણે જાણી પાનબાઈ
તેને કરવું હોય તેમ થાય….!
આ ભજન તેની સાક્ષી પૂરે છે.
શાસ્ત્રોએ વચનનું જે મહત્વ આંકેલું છે, એજ વાત ગંગાસતીએ અનોખી અને સરળ શૈલીમાં કહી છે. જે સદવચન છે તે જ યથાર્થ વચન છે .તેનો જ મહિમા અને ઠાઠ છે . જે વચનનાં સ્વરૂપને જાણે છે તેને પરમતત્વની પ્રાપ્તિ સરળ બને છે . આથી વચનનાં વિવેકીનો સહવાસ કરવાની વાત સતીએ કરી છે.
આમ આજે પણ કાળનાં કપરાં પ્રવાહ સામે મીરાં કે ગંગાસતીનાં પદો ઉન્નત મસ્તકે ઊભાં છે અને અનંતકાળ સુધી એમનો મહિમા ગવાતો રહેશે.
દીપિકા ચાવડા ‘ તાપસી ‘.
*****†***********************************
NOG SS No. 0059
વિષય:શબ્દો: વટ – – વચન — વેર
પ્રકાર :ગદ્ય-લેખ.
શીર્ષક: અર્થ સમજીએ શબ્દો.
શબ્દો: ૨૪૦.
‘વ’ અક્ષરથી શરુ થતાં શબ્દો ઘણાંછે. ચાલો આપણે શબ્દો જાણીએ ને તેનાં અર્થ માણીએ.
વટ ! શબ્દ સાંભળતાં કે બોલતાં જે તે વ્યક્તિનાં મનનાં ભાવો વિચલિત થાય છે.વટ’ અભિમાન
નો પર્યાયછે.આપણે સમાજમાં
ઘણી વ્યકિતઓને જાણીએ છીએ કે જેમનાં બોલવામાં, વ્યવહારમાં
વટનુ આગવું સ્થાન જણાતું હોય છે.હા, જગતનો દસ્તુર છે કે જે વટ રાખેછે,તે જરૂર પડેછે.
‘વટ તો રાજા રાવણનો પણ ન રહ્યો’.
વેર’ શબ્દ તો ભારોભાર નફરતથી
ભરેલોછે.ઝેરથી પણ વિશેષ ‘વિષ’
શબ્દના ઉચ્ચાર અને પ્રયોગમા
સમાયેલુછે.ઝેર એક ભવનો નાશ કરેછે તો વેર ભવો ભવને બગાડેછે.જીવનમાં જેટલાં,વેરથી દૂર તેટલાં, વધુ સુખી.
” વેરથી વેર વધે જગમાં,
પ્રેમથી પ્રેમ વધે જીવનમાં”.
વચન’ શબ્દ જાદુઈ શબ્દ છે,જે બોલતાં કે સાંભળતાં વિશ્ર્વાસનું
આકાશ આપણી નજરે તરે છે.
વચન આપનાર અને તેનું પાલન કરનાર વ્યક્તિ હંમેશા મહાનછે.
વચનપાલક દશરથ રાજા આજે પણ અમર છે.”વચન તો રાજા દશરથનુ”‘.
વ’ અક્ષરથી જ શરુ થતાં ત્રણ
સુવર્ણ શબ્દો આપણે જાણીએ.
વિચાર—વાણી—-વર્તન.
આવેલો સુવિચાર, સદ્વાણીનું
જન્મસ્થાન,તો સદ્વાણી એજ
સદ્વર્તનનું મર્મસ્થાનછે.
જીવનમાં સુખી થવાં માટે આ ત્રણ શબ્દો ઘણાં ઘણાં ઉપયોગી
અને વ્યવહાર સૂચકછે.
આ કોરોના કાળમાં આપણે વટ
વેરને છોડી, વચનપાલન, સદ્વિચાર, સદ્વાણી અને સદ્વર્તન નો સુમેળ બનાવી
વિશ્વના તમામ ભાઈ-બ્હેનોની
સેવાને બિરદાવીએ.
કોરોના મુકત વિશ્વનો નારો
ગુંજાવીએ.
કલકત્તાથી પ્રગટ થતાં મારાં
સાપ્તાહિક “સુલેખન” માં
ઉપરનાં ત્રણેય શબ્દો પ્રત્યેક અંકમા પ્રથમ કવરપેઈજ ઉપર રહેતાં તેનું મને આજે પણ ગૌરવછે.
©️જયકાન્ત ઘેલાણી ‘પ્યારે’.
*****†************************************
NOG Ss.no.. 0073
વિષય..વટ વચન વેર
વિભાગ..ગદ્ય
શીર્ષક..વટ.
લગ્ન પછી પહેલીવાર પિતાનાં ઘરે ગયેલી રીમાને થોડાં દિવસ પછી
સાસરે પાછું જવાનું હતું,એટલે એની મમ્મીએ કીધું “તારા સાસરેથી કોઈ લેવા આવે તો જ જવાનું “. એણે અમોલને વાત કરી, અમોલે એની મમ્મીને કીધું ,”રીમાને તેડવા કોઈને મોકલો નહીં તો હું લઇ આવું “એટલે તરતજ એની મમ્મી બોલ્યાં,” તને એ લોકોએ તેડ્યો નથી એટલે તારાથી ના જવાય ને એ જાતે ગઈ છે તો જાતે પાછી આવશે તું લેવા ના જતો. છોકરી વાળા થઈ એટલો વટ રાખે કે આપણે એને લેવા જવાનું ? મૂકીજશે એમની છોકરીનું ઘર કરાવવુ હોય તો!” અને આજે એ વાતને લીધે લગ્નનાં એકજ મહિનામાં ,મા- બાપ ,રીત રિવાજ બધાંમાં બાપડી રીમા લગ્નનું એક વર્ષ પૂરું થયું તો પણ કોઈ તેડવા નથી આવતું . મમ્મીની વિરુદ્ધ જઈ સાસરે જવાતું નથી. એને લીધે હવે તો રીમા અને અમોલ વચ્ચે પણ દૂરી વધી ગઈ. એક વટ અમે લેવા ના જઈએ ને એક વટ તમારે જ લેવા આવવાનું !આમ ને આમ એક નવ પરણિત યુગલ આજે એક વર્ષથી અલગ છે. આ તે કેવો વટ ને કેવો રિવાજ જેમાં પોતાનાજ બાળકો હેરાન થાય? એમનો વાંક એટલોજ કે એ તમારું કહ્યું માને છે.
નયના પટેલ..નૈન.