ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની આજ ૫ ગદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વિષય : રાજ,રાજપાટ,રાજ સિંહાસન,રાજવી પરંપરા – .દિવસ – ૬
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
નિર્ણાયક મંડળ :જયશ્રીબેન પટેલ,અરૂણાબેન ત્રિવેદી
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews.
NOG SS NO.0031
વિષય:- રાજ
પ્રકાર:- ટૂંકી વાર્તા
શીર્ષક:- પત્નીની આવડત
આકાશ અને અનિલાનાં લગ્નને ત્રણ વર્ષ થવા આવ્યા હતા.પરંતુ અનિલા ગામડાની અને ઓછું ભણેલી હોવાથી પતિના હ્રદયમાં પોતાનું સ્થાન બનાવી શકી નહોતી.આકાશ પણ એમ જ કહેતો કે અનિલા સાથે લગ્ન ફક્ત તેણે પોતાના મમ્મી -પપ્પાની ખુશી માટે જ કર્યા છે.
અનિલા ભલે ઓછું ભણેલીને ગામડાંની હતી . પણ,દેખાવમાં સુંદર,પહેરાવે ઓઢાવે સુઘડ, ઘરકામમાં, રસોઈમાં, અને બીજા અન્ય કામમાં હોંશિયાર હતી.આ બધાં ગુણ જોઇને જ આકાશનાં મમ્મી-પપ્પાએ તેને પસંદ કરેલી.
એક દિવસ સાંજે આકાશ ઓફિસથી ઘરે આવ્યો ત્યારે એકદમ ઉદાસ હતો.મમ્મી-પપ્પાએ તેને ઉદાસીનું કારણ પૂછ્યું.પહેલાં તો આકશે થોડી હા ના કરી પણ, મમ્મી-પપ્પાના બહુ જ પૂછવાથી તેણે રડમસ અવાજે કહ્યું,” આ મંદીનાં કારણે અમારી કંપનીએ બધા કર્મચારીઓનો પગાર ઘટાડી નાખ્યો અને કહ્યું કે જો આ પગારમાં નોકરી કરવી હોય તો કરો નહીં તો બીજે ગોતો.હાલની પરિસ્થિતિમાં બધી કંપનીઓની આ જ હાલત છે.કોઇ નવી ભરતી કરતું જ નથી.તો મારે આ પગારમાં અહીં જ નોકરી કરવી પડશે.પગાર ઘટશે પણ મોંઘવારી થોડી જ ઘટશે? આપણું ઘર કેમ ચાલશે?”
આ સાંભળી અનિલાએ કહ્યું,” તમે જરા પણ ચિંતા ના કરો હું છું નેં.તમે આટલા સમયથી ઘરખચૅ માટે જે પૈસા આપતા તેમાંથી હું કરકસર કરી ઘર ચલાવતી એટલે એ થોડી ઘણી બચત પડી છે તો થોડા મહિના વાંધો નહીં આવે અને આ સમય દરમિયાન હું પણ મારે લાયક કોઈ કામ શોધી લઈશ.” આ સાંભળી આકાશ થોડો ગુસ્સાથી બોલ્યો, ‘તું ક્યાં એટલું ભણેલી છો કે તને કંઇ કામ મળે?” આ સાંભળીને પણ અનિલા એકદમ શાંત અને સ્વસ્થ રહી.
રસોઈકળામાં તો અનિલા હોશિંયાર હતી જ તેણે ઘરમાં જ ઓડૅર મુજબ સૂકા નાસ્તા બનાવવાનું અને ટીફીન બનાવવાનું શરૂ કર્યું.થોડો સમયમાં જ સ્વાદ અને ગુણવત્તા સાથે ઓછા નફે વધુ વેપારની સમજથી તેને ઘણા ઓડૅર મળવા લાગ્યા.થોડાં સમયમાં તો ઘણો ખરો ઘરખચૅ અનિલાએ શરું કરેલ કામમાંથી નીકળવા લાગ્યો.
આકાશ પર આવી પડેલ આર્થિક સંકટમાં અનિલાએ એનો સાથ આપ્યો તેથી હવે તેને અનિલાની કદર થઇ અને આમ અનિલા પોતાની આવડત અને હોંશિયારીથી પતિના દિલ પર રાજ કરવા લાગી.
મેઘલ ઉપાધ્યાય ‘મેઘુ’ રાજકોટ
**********””*””*”*”**********************
*NOG SS No :- 0027*
પ્રકાર :- લેખ
*રાજવટ*
રાજવટ એક રીત છે. પરંપરા છે, સભ્યતા છે જેના મુગટ પર વિવેક બિરાજે છે. જેનાં શિખર પર શાલિનતાનો જયઘોષ સંભળાય છે.
સામાન્ય માણસ છીછરો બની શકે. રાજપરિવારમાં ભવ્યતા જ છાજે. એની મહેમાનગતિનો જોટો ન જડે. એની ઉદારતા પર ઓવારી જવાનું મન થાય. રાજા પ્રજાનો આદર્શ હોય છે. આપણી સંસ્કૃતિમાં કહેવાયું છે કે, યથા રાજા, તથા પ્રજા. રાજા પ્રજાને ઘડે છે. પ્રભાવી રાજાની સ્વાભિમાની પ્રજા થકી રાષ્ટ્ર સમૃદ્ધ બને છે.
રાજસત્તા ત્રણ ગુણોથી ચાલતી હોય છે. 1. પરાક્રમ 2. મુત્સદ્દીગીરી 3. મોરલ. એકલું બળ કે એકલાં ઉચ્ચ આદર્શો એ રાજવટ નથી. આ સૌનો સુભગ સમન્વય થકી રાજા શ્રેષ્ઠ શાસક બનતો હોય છે.
રાજવી હંમેશા સજ્જ હોવો જોઈએ. ગાફેલ રાજા નગરનો નાશ નોતરે છે. જેનો રાજા જાગૃત હોય એની પ્રજા ચેનથી સૂઈ શકે છે. રાજા પાસે યોગ્ય, વિશ્વાસુ લોકોની ટીમ હોવી જોઈએ.
રાજા બધાં સાથે એકસરખો વ્યવહાર રાખી શકતો નથી. પ્રધાન, સેનાપતિ, પુરોહિત, પરિવાર, શત્રુ દરેક પ્રત્યે એનો વ્યવહાર ભિન્ન હોય છે. એ રાજાની કુશળતા સિધ્ધ કરે છે.
આમ, રાજવટ એક જબરદસ્ત જવાબદારી છે. કોઈ કદાચ રાજકુળમાં જન્મ લઈ એનો ઉત્તરાધિકારી બની શકે પણ, રજવાડું સાચવવા માટે એની પાત્રતા સિદ્ધ કરવી પડે છે. જો રાજવી આવી બહિર્મુખી પ્રતિભાનો ધણી ન હોય તો એ રાજા થવાને લાયક હોતો નથી.
— જયોતિ આચાર્ય
અમદાવાદ
**********************†******†*********1
NOG SS NO-0050
વિષય – રાજ, રાજપાટ,રાજ સિંહાસન,રાજવી પરંપરા.
શીર્ષક – રાજવી પરંપરા
પટોડી નવાબ.(લેખ.)
………………………………..
ભારતના રાજવી પરિવારો વિશે વાત કરીએ. આપણે આજે પણ રાજવી પરંપરા ને અનુલક્ષીને જીવે છે. શાહી અંદાજમાં ભલેને લોકતંત્ર એ રાજાઓ પાસેથી તેમની તાકાત અને શાસન લઈ લીધાં હોય. એ રાજાઓનાં પરિવાર પણ શાહી ઠાઠ માઠથી રહે છે .ઘણાં રાજવી પરિવારો છે જે એમના પૂર્વજોની જેમ જ છટાદાર રીતે જીવન જીવે છે .એવાજ પરિવારોમાં પટોડી નવાબના વિશે હું વાત કરું છું .આ રાજવી પરિવારને દરેક લોકો ખૂબ સારી રીતે જાણે છે .પટોડી રાજવંશ ને શરૂઆતમાં ભારતીય ટોચ ટીમના વડા અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મન્સૂર અલી ખાન પટોડી જ સંભાળતા હતાં. આ પરિવારની દોરી હવે બોલિવૂડના નવાબ સૈફ અલી ખાન આગળ સંભાળી રહ્યા છે. પટોડીના પરિવાર આમ તો ૨૦૦ વર્ષથી પણ વધુ જૂનો છે. હરિયાણા ગુરગાવ હવે ગુરુગ્રામથી 26 કિલોમીટર દૂર ઝગમગતો સફેદ રૂ જેવો ચાંદનીનાં પ્રકાશ જાને સંગેમરમરની જેમ ચમકતો મહેલ. પટોડી પરિવારની નિશાની છે 80 વરસ થયા બનીએ. પટોડી પેલેસ નું નિર્માણ ૧૯૩૫માં આઠમા નવાબ અને ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અલી ઈફિતખાર અલીહુસૈન સિદીકીએ કરાવ્યું હતું. તેમણે બેગમ સજીદા સુલતાન માટે બંધાવ્યો હતો .તેમના દીકરા નવમા નવાબ મન્સૂર અલી ઉફૅ નવાબ પટોડીએ વિદેશી આર્કિટેકની મદદથી આનું રિનોવેશન કરાવેલું હતું. નવાબના અવસાન પછી હવે તો સેફ અલીખાનની પત્ની કરીના કપૂર ખાન આ જવાબદારી સંભાળી રહેલી છે પૂર્વજોની ધરોહરને..!
રાગીની શુક્લ “રાગ”
( મુંબઈ, કાંદિવલી.)
*********************†**†**************
NoG SS No..73
વિષય.. રજવાડા
આજનું ભાવનગર એક સમયે ગોહિલવાડથી ઓળખાતું હતું.
જોકે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ગોહિલ એક અટક છે.સરદારે જ્યારે દેશી રજવાડાંઓને એક કરવાનું અભિયાન ઉપાડ્યું હતું ત્યારે સૌ પ્રથમ દેશની એકતા અને અખંડિતતા માટે સૌ પ્રથમ પોતાના રજવાડાને દેશને સોંપનાર રજવાડું ગોહિલવાડ એટલે કે આજનું ભાવનગર હતું,ભાવનગરનો જન્મ 1723માં થયેલોને ભાવનગરના રાજા ભાવસિંહજી પરથી નગરનું નામ ભાવનગર પડ્યું છે,ભાવનગરમાં 850 નાના ગામ હતા જે રાજાએ સરદારને હવાલે કરી દીધા હતા.એ સમયે ગોહિલવાડ સૌથી શિક્ષિત રજવાડું મનાતું હતું.
નયના પટેલ..નૈન
વડોદરા…
********************************
NOG SS No.0007
વિભાગ:ગદ્ય
પ્રકાર: મા.ફી.
વિષય:રાજ,રાજપાટ, રાજસિંહાસન
શીર્ષક : રાજરમત
પચાસ વર્ષે આજે પણ; સોનગઢના એ મહેલમાં દર પૂનમે દરબાર ભરાય છે, સારંગીના સૂર છેડાય છે, તબલાંના તાલ પર ઘુંઘરુબંધ પાનીઓની થપાટ સંભળાય છે; અને અચાનક એક કારમીચીસ મહેલની ઊંચી દિવાલો વીંધતી બજારમાં સંભળાય છે.બજાર વચ્ચે આવેલ ચબુતરે બેઠેલાં પંચ્યાસી દિવાળી જોઈ ચૂકેલાં જયસિંહના મોઢામાંથી એક ટીસ નીકળે છે અને શબ્દો સરી પડે છે કે,” ઠાકરે શ્રી લેખા સાથે રાજ રમત રમી ન હોત અને એને અપનાવી લીધી હોત તો આ રજવાડું જળવાય ગયું હોત! ”
આરતી મરચંટ