NOG SS NO : 0098
प्रकार- गद्य
विषय- राज
शीर्षक- राजसी दान
जब जब भारत के दानवीरों की बात की जाएगी तो उनमें राज दरभंगा का नाम स्वर्णीम अक्षरों में लिखा जाएगा।
बीसवीं सदी के आगमन के समय जब पूरी दुनिया परस्पर लड़ रही थी, अधिनायकवादी का प्रेत सभी शक्तियों में समाया हुआ था, ऐसे समय बिहार में दरभंगा का ऐसा राज परिवार था, जिन्होंने उस समय शिक्षा, साहित्य,कला, संगीत के प्रचार-प्रसार के लिए सर्वस्व दे डाला।
दरभंगा के महाराजा रामेश्वर सिंह बहादुर शिक्षा के प्रबल समर्थक और कला अनुरागी थे। महाराजा रामेश्वर सिंह जी ने काशी हिन्दू विश्वविद्यालय के निर्माण के लिए उस समय पचास लाख रुपए का दान दिया था ।कल्पना कीजिए सवा सौ वर्ष पूर्व के पचास लाख ! पटना के अपने दरभंगा “महल” पटना विश्वविद्यालय को दान दिया पटना मेडिकल कॉलेज स्थापित करने के लिए तीन करोड़ रुपए का दान दिया।
कलकत्ता विश्वविद्यालय, प्रयाग राज विश्वविद्यालय, पटना विश्वविद्यालय, अलीगढ़ मुस्लिम विश्वविद्यालय इन सबके निर्माण में दरभंगा का मुख्य आर्थिक योगदान रहा है। कला प्रेमी थे, भारतीय शास्त्रीय संगीत के संरक्षक भी थे। भारत रत्न उस्ताद बिस्मिल्लाह खान जी, प्रसिद्ध गायिका गौहर जान आदि राज दरभंगा से जुड़े थे।
आज जब भूमि के टूकडे के लिए मनुष्य मनुष्यत्व खोता जा रहा है,आज जब शिक्षा संस्थान धनोपार्जन के
उद्देश्य से बनाये जा रहे है ।ऐसे में युवा पीढ़ी को दरभंगा के राज परिवार की शिक्षा, संस्कृति और संगीत के संवर्धन के लिए विशाल दृष्टि और उदार अकल्पनीय, अनुपम दानशीलता के बारे में अवश्य जानना चाहिए।
देश के अनेक प्रतिष्ठित शिक्षण संस्थान दरभंगा राज के ऋणी हैं।
धन्य है “राज दरभंगा ”
✍️
लीना शर्मा
हालोल।
******************************************
NOG SS NO: 0039
પ્રકાર: લેખ
વિષય: રાજ, રાજપાટ, રાજ સિંહાસન.. રાજવી પરંપરા
શીર્ષક: સતી રાણકદેવી
જળ, જમીન ને જોરું, એ ત્રણ કજિયાના છોરું.
આપણે વાત કરીશું સૌંદર્યવાન, બુદ્ધિશાળી અને મધ્યયુગની નારી ગૌરવ ધરાવતી સતી સ્ત્રી રાણકદેવીની. રાજ અને રાજપાટ માટે તો રાજાઓ લડતા હતાં પણ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે રાણકદેવીને મેળવવા માટે જૂનાગઢ પર ચઢાઈ કરી હતી.
રાણકદેવી એ ઈતિહાસનું યાદગાર વ્યક્તિત્વ છે.પુત્રની મનોકામના રાખનાર દેવડા ઠાકોરને ત્યાં એમનો જન્મ થયો હતો.જ્યોતિષીઓએ એ દીકરી અપશુકનિયાળ છે એવું ભવિષ્ય ભાખ્યું એટલે દેવડા ઠાકોરે જંગલમાં એમને ત્યજી દીધાં. મજેવડી ગામના નિઃસંતાન પ્રજાપતિને એ મળી આવ્યાં. તેમણે તેનો ઉછેર કર્યો.
યુવાનવયે રાણકદેવીની મુલાકાત જૂનાગઢના રાજા રા’નવઘણ (બીજા) ના પુત્ર રા’ખેંગાર (બીજા) (૧૦૯૮- ૧૧૨૫) સાથે થઈ. રા’ખેંગાર પણ ખૂબ બહાદુર હતાં. એમની ખુમારી ઉપર રાણકદેવી મોહી પડ્યાં અને રા’ખેંગાર પણ સૌન્દર્યવાન, ચબરાક રાણકદેવી પર મોહી પડ્યા. આમ બંને વચ્ચે પ્રણયના અંકુર ફૂટ્યાં.
પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ માટે રાણકદેવીનું માંગુ નાંખે છે જે એમના પાલક પિતા સ્વીકારી લે છે.રાણકદેવી સિદ્ધરાજ સાથે લગ્ન કરવા મજબૂર બને છે પણ જ્યારે સિદ્ધરાજનું ખાંડું પરણવા આવે છે ત્યારે છેવટે રા’ખેંગાર એને ભગાડી જાય છે અને એની સાથે લગ્ન કરીને એને જૂનાગઢની રાણી બનાવે છે. આમ એ બારમી સદીનાં ચુડાસમાં શાસકની મહારાણી બને છે. પાટણ શહેરનાં ચાલુકયના રાજા સિદ્ધરાજથી આ સહન થતું નથી અને આનું વેર વાળવા માટે ઉપરકોટ- જૂનાગઢને ઘેરે છે. બાર વર્ષ ઘેરો ઘાલ્યા પછી પણ સફળતા મળતી નથી ત્યારે છેવટે રા’ખેંગરના ભાણેજ દેશળ અને વિશળને ફોડીને કપટથી કિલ્લામાં પ્રવેશીને ચઢાઈ કરે છે અને રાણકને લઈને ભાગી જાય છે. ગિરનારની ભેખડો આ જોઈને સિદ્ધરાજને રોકવા ફટાફટ પડવા માંડે છે પણ રાણકદેવી એમને રોકે છે.
પાટણ જતાં રસ્તામા ભોગવોના કાંઠે વઢવાણ શહેર પાસે રાણકદેવી સ્વયંભૂ અગ્નિ પ્રગટાવીને સતી થાય છે.આમ રાણકદેવી એક સતી સ્ત્રી પણ હતાં. છેક સુધી પોતાનું ગૌરવ જાળવી રાખીને નારી ગૌરવનું ઉત્તમ પ્રતિક બને છે. રાણકદેવી રા’ખેંગાર પાછળ સતી થાય છે અને સિદ્ધરાજ જયસિંહને શાપ આપે છે કે એને કોઈ સંતાન થશે નહીં.સતી સ્ત્રીનો આ શાપ સાચો પડે છે.
પ્રફુલ્લા “પ્રસન્ના”
અમદાવાદ
*****************************************
NOG SS NO.0081
પ્રકાર : લેખ
વિષય: રાજ,રાજપાટ,રાજ સિંહાસન
શીર્ષક : મહાભારતમાં ગાંધારી..
રાજનીતિ કે રાજ વિશે વિચારીએ ત્યારે ગાંધારી વિશે જરૂર વિચાર આવે.એણે સો પુત્રોને જન્મ આપી મહાભારતની તાસીર બદલી નાંખી પણ એ વખતે આટલો પુરુષ પ્રધાન સમાજ નહોતો.માદ્રીનો પાંડુ પાછળ સતી થવાનો નિર્ણય, કુંતીના દરેક નિર્ણયને અપનાવતાં પુત્રો કે સુભદ્રાનાં પ્રેમલગ્ન …સ્ત્રીની મક્કમ માનસિકતા ઉજાગર કરે છે. ગાંધારીએ ઈચ્છ્યું હોત તો પુત્રોનો સારી રીતે ઉછેર કરી શકી હોત.એમ ન કરતાં એણે પોતાનાં ગર્ભ પર પ્રહાર કરાવ્યો જેથી એ કુંતી કરતાં પહેલાં જન્મ આપી યુવરાજની મા બની શકે.આવો અમાનવીય વ્યવહાર , રાજનીતિ જ કરાવી શકે.વળી ગાંધારથી એની સાથે આવેલ ભાઈ શકુનિને એણે કદી ય ન વાર્યો કે ન કદી પોતાનાં પુત્રોને મામાને અનુસરતાં રોક્યાં.
ગાંધારથી ધૃતરાષ્ટ્રને પરણવા આવી ત્યાં સુધી એને અંધ પતિ વિશે જણાવાયું નથી , એ પણ રાજનીતિનો ભાગ જ હતો.ભીષ્મે વંશ વધારવા ગાંધારનાં રાજાને ધમકી આપી આ લગ્ન નિર્ધાર્યા હતાં, તેથી આઘાત અને આક્રોશ પામી ગાંધારીએ પાટા બાંધીને જીવન વીતાવ્યું.
આમ એ સહાનુભૂતિ પામી પતિવ્રતા ગણાઈ.પણ એનાં કરતાં ધૃતરાષ્ટ્રની પ્રકાશ શલાકા બની , પુત્રોનો ઉછેર સારી રીતે કરી શકી હોત.
એક લોકકથા પ્રમાણે એણે અંધારામાં છળથી, કુંતીનાં બદલે સો પુત્રોનાં આશીર્વાદ મેળવ્યાં.બાદમાં કુંતીને આશ્વાસન આપવામાં આવ્યું કે એનાં પાંચ પુત્રો છળથી જન્મેલાં સો પુત્રોનો નાશ કરશે.
ધૃતરાષ્ટ્રને જેમ પુત્ર મોહમાં અંધ તેમ જ સત્તા લાલચુ ગણાવાય છે તેમ ગાંધારીએ પણ આ સઘળી કૂટનીતિમાં
મૂક સાક્ષી બન્યાનો ગુનો કર્યો છે.એણે પુત્રોનો દોષ સામે આંખ આડા કાન કરી મહારાણી પદ ભોગવ્યું .
એ જ રીતે રાજનીતિનાં ભાગરૂપે, ભીષ્મ દ્રૌપદીનાં ચીરહરણ વખતે સત્યને નહીં પણ હસ્તિનાપુર નરેશને
વફાદાર રહ્યાં જેણે સર્વનાશનાં દ્વાર ખોલ્યાં.
ગાંધારીએ ભલે આજીવન પાટા બાંધી આદર્શ પત્ની તરીકે અહમ્ પોષ્યો પણ પોતાનાં પુત્રોનાં મૃત્યુ
માટે કૃષ્ણને જવાબદાર ઠેરવી શાપ આપ્યો કે એનાં યાદવ વંશનું નિકંદન નીકળી જશે.આ મહાગ્રંથ રાજનીતિ દ્વારા અનેક ખામી અને ખૂબીઓ વિશે વિચારવા પ્રેરે છે .
દુનિયાનાં કોઈ દેશ પાસે આવો સમૃદ્ધ વારસો નહીં હોય જે આટલાં વર્ષો પછી પણ સંદર્ભ રૂપે વંચાય .
# માયા દેસાઈ
મુંબઈ ભારત.
*****************************************,
NOG . SS . NO. : 0001
વિષય :– રાજ , રાજવી , રાજ સિંહાસન , રાજપાટ ……..
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :– સમ્રાટ સિદ્ધરાજ જયસિંહ સોલંકી
આમતો કોઈપણ રાજા અને એ પણ સમ્રાટ ! એના વિશે લખવામાં શબ્દો જ ઓછા પડે. તો પછી એનો ઈતિહાસ જાણવા માટે તો ઘણું બધું જાણવું જરૂરી છે. છતાંય આપણી શબ્દ મર્યાદા ને ધ્યાનમાં રાખીને લખવાનો એક પ્રયાસ કરું છું કદાચ કોઈ ત્રુટી રહી જાય અથવા શબ્દો વધી જાય તો ક્ષમાને પાત્ર સમજજો !!
જન્મ :- ઇ.સ.૧૦૯૧
વંશ :– સોલંકી
વંશજ :– કાંચનદેવી, પુત્રી
પિતા :– કર્ણદેવ પહેલો
માતા :– મીનળદેવી
પત્ની :– લીલાવતીદેવી
ધર્મ :– હિન્દુ
અવસાન :– ઇ.સ. ૧૧૪૩
સોલંકી વંશનાં કર્ણદેવનો પુત્ર અને ભીમદેવનો પૌત્ર જયસિંહ ગુજરાતનાં તમામ ઐતિહાસિક રાજાઓમાં સૌથી વધારે મહત્વ ધરાવતો રાજા હતો. તેણે ૪૯. વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. માત્ર ૦૩ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં તે રાજગાદી પર આવ્યા હતા.
તેમનાં ઉછેરમાં તેમની માતા મીનળદેવીનો બહુ મોટો ભાગ હતો. સિદ્ધરાજ જયસિંહ નો કાર્યકાળ ગુજરાતનો સુવર્ણ કાળ ગણાય છે. તેની પહેલાંનાં રાજાઓ જે પદ ના મેળવી શક્યા એ ચક્રવર્તીનું પદ સિદ્ધરાજે મેળવ્યું હતું. બર્બરક જેવા બાબરાભૂત તરીકે ઓળખાતા આદિવાસી રાજાને હરાવીને તેને પોતાનાં રાજ્યમાં જમણાં હાથ સમું સ્થાન આપ્યું હતું. અને તેથીજ રાજા જયસિંહ સિદ્ધરાજના નામે ઓળખાવા લાગ્યા હતા.
જુનાગઢનાં રાજા રા’ ખેંગારે પાટણ સામે બંડ પોકાર્યું હતું અને પાટણનાં કિલ્લાનો દરવાજો તોડીને નાસી ગયા હતા. એની સજા રૂપે સિદ્ધરાજે જુનાગઢ સામે યુદ્ધ જાહેર કર્યું. રા’ખેંગારનાં ભાણેજની દગાખોરીથી જુનાગઢનાં કિલ્લામાં પ્રવેશીને રા ‘ ખેંગારને જીવતો પકડ્યો હતો. કહેવાય છે કે રા’ ખેંગાર સિદ્ધરાજની પ્રેમિકા રાણકદેવીને ઉઠાવી ગયો હતો. એનું વેર વાળવા માટે જ જુનાગઢ ઉપર હુમલો કર્યો હતો. રા ‘ખેંગારનાં બે પુત્રોનો વધ કરીને રાણકને પોતાની સાથે લગ્ન કરવા માટે બળજબરી કરી હતી. પણ રાણક સતી થઈ ગઈ હતી. એવી એક લોકવાયકા સૌરાષ્ટ્રમાં પ્રચલિત છે.
સિદ્ધરાજે ગુજરાતનાં ઘણાં ખરાં પ્રદેશોને જીતી લીધાં હતાં. શાકંભરી જે હાલનું અજમેર છે એનાં રાજા અર્ણોરાજને જીતીને એની સાથે પોતાની પુત્રીને પરણાવીને જમાઈ બનાવ્યો હતો. કાંચનદેવીનો પુત્ર સોમેશ્વર અને એ સોમેશ્વરનો પુત્ર એટલે ભારતનો પ્રસિદ્ધ રાજા પૃથ્વીરાજ ચૌહાણ ! આમ પૃથ્વીરાજ સિદ્ધરાજનો પ્રપૌત્ર થાય. આમ અનેક વિજય મેળવનાર સિદ્ધરાજનો માળવા પરનો વિજય એક ઐતિહાસિક ને પ્રસિદ્ધ વિજય હતો.
સિદ્ધરાજ પ્રજાવત્સલ રાજા હતો. અને પોતાની પ્રજાનાં દુઃખને જાણવા માટે પ્રજાની સાથે નિકટતાનો સંબંધ કેળવવા માટે મધ્યરાત્રીએ વેશપલટો કરીને નગરચર્યા કરવા નીકળતો હતો. તો એણે બંધાવેલું પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને જીર્ણોદ્ધાર કરાવેલું રૂદ્રમાળનું મંદિર જગવિખ્યાત છે. એમનાં ન્યાયની વાત કરીએ તો પોતાની માતાનાં એકજ શબ્દે સોમનાથની યાત્રા પર લેવાતો કરવેરો દૂર કરીને ૭૨ લાખ જેટલી આવક જતી કરી હતી.
સિદ્ધરાજ સાહિત્યનો પણ શોખીન હતો. પોતાનાં રાજ્યમાં અનેક વિદ્વાનોને આશ્રય આપતો હતો. એની સાક્ષી રૂપ તેજ સમયમાં થઈ ગયેલાં મુનિ હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજની જ પ્રેરણાથી ‘ સિદ્ધહેમ શબ્દાનુશાસન ‘ નામનો વ્યાકરણનો ગ્રંથ રચ્યો હતો. અને આ ગ્રંથને હાથીની અંબાડી પર મૂકીને તેની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અને રાજા પોતે પગપાળા ચાલ્યા હતાં.આમ એક સાહિત્યનાં ગ્રંથને આટલું મોટું સન્માન આપીને એણે સરસ્વતીદેવીની પૂજા કરી હતી. હાલમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી નામ આપવામાં આવ્યું છે.
આમ આવા હતાં પ્રજાપ્રેમી , પ્રજાવત્સલ રાજા ! અણહિલવાડના પાટણનાં રાજા સિદ્ધરાજ જયસિંહ .
પ્રદિપ રાવલ . સંચાલક .
************************************”*****
NOG સાહિત્ય સરિતા (૧)
NOG SS No.0059
વિષય:રાજ, રાજપાટ,
રાજસિંહાસન,
રાજવી પરંપરા.
શીર્ષક:’રાજાશાહી નું એકીકરણ’.
આ સૃષ્ટિ ઉપર જન્મધારણ કરતી દરેક જીવસૃષ્ટિને પોતાનાં
પ્રાણની ચિંતા સતત સતાવતી રહેછે.
રાજશાહી,ગુલામગીરી,નોકરશાહી
અંહિથીજ જન્મેછે.નિર્બળ ગૂલામ બને,સબળ રાજા !
સમગ્ર વિશ્રવની પ્રજાએ રાજાશાહીનાં સુખદ દુ:ખદ અનુભવ કર્યો જ છે.
આપણે રાજાશાહીની મૌલત
માણીછે,તો તાનાશાહીની તૂમાખી !
અનેક નામી રાજાઓમાં મુઘલ
સમ્રાટ અકબરને તેની દુરદેસીતાં ધાર્મિક સંહિષ્ણુતા તેમજ તેની
ન્યાયની પધ્ધતિ માટે આજે પણ પ્રજા તેને યાદ કરેછે. જેના દરબારમાં બિરબલ જેવાં નવ રત્નો દરબાર શોભાવતા હતાં.
હિન્દુ તેમજ મુસ્લિમ રાજાઓ
તેની સુચારું શિક્ષણ પધ્ધતિ,કળા
સ્થાપત્ય,સંગીત,નૃત્ય માટે ખ્યાતનામ છે. સોલંકીયુગના, રાજા કર્ણદેવ અને
તેના પુત્ર સિદ્ધરાજ જયસિંહના
સમયને અનુલક્ષીને શ્રી મુનશીએ
લખેલી ઐતિહાસિક નવલકથા જે
‘પાટણની પ્રભૂતા’ રાજાશાહીનો ઘણોજ વ્યવસ્થિત,સુંદર,સચોટ
સારો ઉલ્લેખ કરેછે. પાત્રો અને પ્રસંગો કલ્પીત છે , પણ જીવંતનો આપણને અનુભવ કરાવે છે.
હિન્દુ સમ્રાટ મહારાણા પ્રતાપ,
શિવાજી મહારાજ આજે પણ તેના દેશાભિમાન માટે મશહુર છે.
અલ્પ સામગ્રીહોવા છતાં ચેતક ઘોડાના સંહારે યુધ્ધો જીતતા હતાં. તો શિવાજી મહારાજ ગેરિલા પધ્ધતિએ યુધ્ધ લડી દુશ્મનોને હંફાવતા હતાં.
૧૯૪૭માં અંગ્રેજ હકુમત પાસેથી આઝાદી લેવાની હતી તે સમયે ભારતમાં નાના મોટાં ૬૦૦થી પણ વધું રાજ-રજવાડા હતાં.
રજવાડા એકિકરણની પ્રક્રિયામાં
ગૃહપ્રધાન શ્રી વલ્લભભાઈ પટેલ જેઓ સફળ એડવોકેટ,કુશળ વહિવટકર્તાએ, કુનેહ સાથે શામ દામ અને દંડની નિતી અપનાવી સાથે ચાણક્ય બુધ્ધિથી છસોથી ઉપરનાં રજવાડાઓનુ એકિકરણ કરી અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કર્યું. સલામછે
એ સરદાર પટેલને.આપણા બંધારણ સભાનાં પ્રમુખ તરીકે પણ સરદાર પટેલે ઘણું સુદંર કામ કર્યુ છે.
આ પવિત્ર હવનમાં, કોગ્રેસે,
જવાહરલાલ નહેરુએ તેમજ મંહમદઅલી જીણાએ હાડકાં
નાખવાનો ભરપુર પ્રયત્ન કરેલો પણ સરદારની મક્કમતા સામે તેઓએ ઝૂકવું પડેલ હતું. ખેર!
કોગ્રેસીઓએ નીજ સ્વાર્થના અંધાપામાં, સાચાં હિરાને કદી
ન્યાય આપ્યો નથી.
રાજ ગયાને તાજ ગયાં
ગયા રાજપાટ રાતો રાત
ગઈ પરંપરા ગયા સિંહાસન
પ્યારે’ ગયા સાલીયાણા ત્યાંજ
આઝાદી ઊજવે ભારત આજ.
©️જયકાન્ત ઘેલાણી ‘પ્યારે’.