ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મેમ્બરો એ આજે વિરહ,વેદના,ચાહના વિષય ઉપર પદ્ય રચનાઓ નીચે મુજબ લખી છે.www.janfariyadnews.com
NOG SS No – 0050શબ્દ. વિરહ /વેદના/ચાહના.
Hu
આંસુનાં પૂર પર પ્રતિક્ષા ના બાંધ હવે ,પગમાં ભલે ને બેડીઓ છે…!અખૂટ વાતેા ભીતરમાં ભરી હતી છતાં…!એ ભીતરનું દદૅ બહાર ના આવ્યું હો… !
આગળ સદા જવાની મેં તો સજા ભોગવી છે…. !દિલગીર છું છતાં પણ હું યાચના ના કરી શકી…!મતભેદ સારા પણ,મનભેદ નહિ હો… !
જાણે જીભેથી કટુ વચનોનીકળ્યાં ને…!હોઠોની વચ્ચે જ જાણે ફાંસી દઈ દીધી…!ફરક કાંઈ ના પડ્યો દદૅ બધુ ઘૂંટાતું રહ્યું ને…!
મારાથી પહેલા જ મારું નામ બધે પહોંચી ગયું…!કેવી દોસ્તી મારી ભીતરની કે..!પ્રાણ લેવા શબ્દ પર પણપાશા નાખ્યાં યમરાજાએ…. !
ને બાકી ના રહ્યો દેહ કે શ્વાસ આ…!પૂરી થઈ જશે જે તમન્નાઓ તો..!વેદનાઓ ને વલોવી મંથનને કર્યુ…!તમન્નાઓ અધૂરી રહી ગઈ ?ભીતરના દર્દે તો..!
પગમાં ભલેને બેડી હોય..!માત્ર સબૂરી ને શ્રધ્ધા જજોઈએ..!ને મૂંગી છું એ મારી ફિતરત છે મારી..!ભલેને.. !ભીતરનું દદૅ ભીતર જ , રહીને બાંગ પૂકારે માહીં…!
યુગો યુગો થી એક જ કહાની.. !દદૅ લોકો દેતા રહ્યાં ને,લોકો ચૂપચાપ જોતા રહ્યાં…!નથી ચાહી શકતી કે,નથી ત્યાગી પણ શકતીએ મારા ભીતરના દદૅને.. !
રાગીની શુકલ “રાગ”(મુંબઈ ,કાંદિવલી.
)******************************************
ન્યુઝ ઓફ ગાંધીનગર,સાહિત્ય સરિતા – ૧NOG SS No :- 0052વિષય : વેદનાશીર્ષક:*વેદના*પ્રકાર : પદ્ય
વેદના કોને કહેવી ?અલગ રહેવાની, મૌન બની સહેવાની,છતાં સમીપ, લાગણીઓ નહિ ઉલેચી શકવાની!દૂર રહી દૂરથી સલામ ભરવાની,કાળજી, તકેદારી રાખી ચાલવાની,દો ગજ દૂરી હી સહી,મોં પર માસ્ક લગાવી ફરવાની,છૂત અછૂત જેવાં વ્યવહાર કરવાની,અરે !!જીવને સાંકળે બાંધવાની,આ પ્રણાલી કયાંથી આવ્યાની, બાતમી કોઈ કહેશો તો જરા….આ છે…પ્રકૃતિ સાથે કરેલા ખિલવાડની કહાની,જોઈ લ્યો હવે તેની જુબાની,આ સજારૂપી તમારે મારે,શ્રાપરૂપે ભોગવ્યે જ છૂટવાની..!
સંજય તરબદા “સાંજ”✍વડોદરા
NOG SS No :- 0037વિભાગ – પદ્ય.શીર્ષક – વિરહ,વેદના,ચાહના.
હ્રદય દરિયો બને ત્યારે, ચાહતના મોજા ઉછળે. રાધાની ચાહત કાનો, કાનાની ચાહત, રાધા.. રાધાનો વિરહ, વૈરાગ્ય.. કાનાનો વિરહ, બંશીનો ત્યાગ.. રાધાની વેદના, પૂર્ણ સમર્પણ.. કાનાની વેદના, સ્વધામ મિલન.’ સીતાની ચાહમાં રામે, સાગરમાં પણ રસ્તો કર્યો. સીતાના વિરહમાં , રાજમહેલના સુખનો ત્યાગ. ચાહત,વિરહ,વેદના, સાચી હોય તો, પરમાત્મા પણ મળે છે. હેમલતા દિવેચા.જૂનાગઢ.
હેમલતા દિવેચા.*
*****************************************
NOG SS No :- 0038વિભાગ :- પદ્યશીર્ષક :- વિરહની વેદના
નજર બિછાવી જોતા રહ્યાં અમે વાટ તમારી, ના આવ્યા તમે ક્યાં હતી ભૂલ અમારી !
ગુનેગાર બનાવી ઉભા કર્યા અમને કોર્ટમાં તમારી, સુણાવી દીધી સજા વગર વાંકે અમારી !
એકવાર ના યાદ કરી નજર પ્રેમભરી અમારી, છોડી દીધા અમને ગુનેગાર બનાવી !
સાક્ષી આપણા પ્રેમના એ બગીચાના પંખી, હરિયાળી બાગની કહેશે આપણા પ્રેમની કહાની !
વેદના દઝાડે અમને વિરહમાં તમારી પકડીલોને હાથ ભૂલી જઈશું આપેલી સજા તમારી…!
✍️ શીલાપટેલ ” આકાંક્ષા “******************************************
NOG SS No :- 0078પ્રકાર પદ્યછંદ – ગાગાલગા × 4વિષય – વેદના
સાચું કહું ધડકનનાં કણ-કણમાં વસે છે વેદના. તેથી વિચારોની બધી ક્ષણમાં વસે છે વેદના.
જીવતી જ એ જાણે કે સૌ ઘરના બધાં માટે ના હોય ?ગૃહિણીનાં ગૃહ સાથેના સગપણમાં વસે છે વેદના.
ઘર છે ને લાગણીઓ છતાં પણ ટળવળે , કહેવું જ શું? વૃદ્ધાશ્રમે મા છે તો ઘડપણમાં વસે છે વેદના.
સ્ત્રી, બાળકીઓ ભોગ અત્યાચારનો થઈ તેનું શું ??નિ:શબ્દતાની તેની ક્ષણક્ષણમાં વસે છે વેદના.
માબાપ લઈ લીધા? હે ઈશ્વર !! તેમનું ભાવિ હવે ?એ સાવ નિરાધાર બચપણમાં વસે છે વેદના.
કાલે તો ભારતમાને હસતા જોઈ’તી પણ આજ જો!આજે રડે, આક્રોશ- રજકણમાં વસે છે વેદના.
મૂંગા તરુ કાપું, બિચારા શું કરે?જો ધ્યાનથી;તેના ધરા સાથેના વળગણમાં વસે છે વેદના.
પરિવાર માટે જાત ઘસતા જિંદગી આખીય એ;પુરુષની ઊંડી જ સમજણમાં વસે છે વેદના.
-શ્વેતા તલાટી
NOG સાહિત્ય સરિતા NOG SS No: 40પ્રકાર: પદ્ય શીર્ષક : વહુનું શું? (વેદના)
ચાર દિવાલ ને પાંચમી હું,મૂક સાક્ષી હર ક્ષણનાં, હવે વધુ કહેવું શું?
પારકાંને પોતીકાં કરી જીવવાનુંસામે આ અપેક્ષા ન રખાય; શું?
અનુરૂપ સૌને થઈને જીવવાનુંતો સ્વમાન નેવે મૂકવાનું શું?
ઉર- ઉમંગ ને આશાઓ ગઈ ઓગળી!પાંખો ફફડાવીનેય હવે ક્યાં ઉડશું?
ટીપાઈ-ટીપાઈને લાગણીઓ થઈ પથ્થર!! અશ્રુધોધ ગયો સૂકાઈ! હવે ખાળશો શું?
અંત:મને ઝૂરાપો કેટલોરાખ પણ હવે દેખા દેશે કે શું!?
દીકરો અતી સવાયો ને દીકરી-જમાઈ અણમોલ! ઘર-પરિવાર સાચવનારી વહુનું શું? ✍️વૈશાલી મહેતા
*NOG SS No :- 0011*સાહિત્ય સરિતા**શબ્દ- વિરહની વેદના**પ્રકાર :- અછાંદસ -મૌલિક રચના**શીર્ષક :- *વિરહની વેદના*
વિરહની વેદના શૂળ બનીને આંખોમાં જડાઈ છે,વહી રહી આંસુઓની ધારા સાગરમાં ફેરવાઈ છે.
પ્રિયા શું છે વાંક મારો? કે તને મારાથી ઝૂરાપો છે,દીવાનગી સરિતા થઈને પ્રેમ સાગરમાં સમાઈ છે.
પ્રેમ રહ્યો મારો અધૂરો, ને જીંદગી પણ રહી અધૂરી,શ્વાસમાં રહી તું ને, પ્રેમ વગર કફનમાં લપેટાઈ છે.
અધૂરી ખ્વાહીશો જીવનમાં, જે પૂરી થઈ ન શકી,મન મળ્યાં છતાં મિલનવેળા સપનામાં ન દેખાઈ છે.
એ ઝૂરાપો ભીંતરમાં અલગથી, વિરહમાં રંગાઈને,’મન’માં રહેલી વેદના પ્રેમકથામાં જે આલેખાઈ છે.
મનોજકુમાર પંચાલ ‘મન’ પાલનપુર