ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત NOG સાહિત્ય સરિતા – ૧ ” સથવારો” વિષય અંતર્ગત ગ્રુપ મેમ્બરો ની આજે “ગદ્ય” રચનાઓ… આયોજક/સંચાલક/તંત્રી : પ્રદીપ રાવલવોટસ અપ કોલીગ નંબર : 9824653073www.janfariyadnews.com
NOG SS No :0022વિષય : સથવારોવિભાગ : ગદ્યશિર્ષક : સાથ તારો મારોલેખક : જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
દિનેશે રડી રહેલી વિણા સામે જોયું અને કહ્યું,”ગાંડી, રડે છે શું કામ હું તો આ રહ્યો તારી સામે. અત્યારે દેહ ભલે આંગણામાં હોય પણ હું તો તારી સાથે જ છું. તારો મારો સાથ ફક્ત અત્યાર પૂરતો નહીં પણ જન્મોજનમનો છે. સાથે જીવ્યા છીએ અને તેના દરબારમાં પણ સાથે જ જઈશું. ફરી જો અવતરવાનું હશે તો સાથે જ આવીશું.”
પહેલા વિણાને લાગ્યું કે ભ્રમ થયો છે પણ પછી ઉપર જોયું તો પોતાના પતિ દિનેશના દર્શન થયા.તે વિચારવા લાગી કે આ કઈ રીતે શક્ય છે? તેમનો દેહ તો અત્યારે ઠાઠડીમાં બંધાયેલો છે.
પૂર્ણ ઘર લોકોથી ભરાયેલું હતું અને ઘરમાં રોકકળ શરું (શરૂ)હતી. આમ તો દિનેશની જવાની ઉંમર ન હતી પણ આયુષ્યની ડોર તો ઈશ્વરનાં હાથમાં હતી જે તેણે નિર્દયતાથી કાપી દીધી હતી.
ફક્ત વિણા જ તેને જોઈ શકતી હતી. દિનેશે તેને ઈશારો કર્યો કે ચાલ મારી સાથે પણ વિણાએ નકારમાં માથું ધુણાવ્યું. દિનેશ દુઃખી થઈને હવામાં તરવા લાગ્યો, વિચારવા લાગ્યો કે શું મારો પ્રેમ ઓછો પડ્યો? શું વિણા જનમોજનમનો વાયદો વિસરી ગઈ.
તેણે હજી થોડા દિવસ ત્યાં જ રહેવાનું હતું. તે કોણ રડે છે અને કોણ નાટક કરે છે તે જોઈ રહ્યો. તે પોતાની ઠાઠડી સાથે સિધ્ધપુર જઈ આવ્યો અને શાંતિથી પોતાના દેહને અપાતો અગ્નિદાહ જોઈ આવ્યો. ઈચ્છા થઈ કે પુત્રના ખભે હાથ મૂકી સાંત્વના આપે અને કહે,”બેટા, દુઃખ ન કરીશ જીવન ક્ષણભંગુર છે. હવે તું તારી જવાબદારી સારી રીતે ઉપાડજે, તારી માતાની કાળજી રાખજે.” પણ તે જાણતો હતો કે દીકરા સુધી આ વાત નહીં પહોંચે.
તે તરતો ઘરે આવ્યો. ઘરમાં એકાંત થયા પછી વિણાએ તેની સામે જોયું અને કહ્યું,”નાથ, તમે મારા વિશે ભલે ગમે તે વિચાર્યું હોય, પણ હું પત્ની હોવાની સાથે એક મા પણ છું. આવા કઠણ સમયમાં તરત તમારી સાથે નહીં આવું. તમારી બધી વિધીઓ સારી રીતે પાર પાડીને તમારી સાથે આવીશ.” દિનેશના ચહેરા ઉપર સ્મિત આવી ગયું.
અગિયારમા અને બારમાની વિધિ સારી રીતે પાર પાડી અને તેરમાના દિવસે વિણા તેમની સાથે નીકળી પડી, તેની પાછળ શું વિધિ થાય છે, તે જોવા પણ ઊભી ન રહી.
(આશા છે મારા માતાપિતા અને ઈશ્વર મને તેમનાં નામ આ રીતે એકવચનમાં લખવા માટે માફ કરશે. આ સત્યઘટના છે અને પિતાના તેરમાના દિવસે માતાએ વગર કોઈ બિમારીએ પ્રાણ છોડ્યા હતા.)
*†***””*********************************
NOG સાહિત્ય સરિતા (1)NOG SS No : 00 59વિભાગ :- ગદ્ય શબ્દ :- ‘સથવારોશીર્ષક :- જીવન સાથી
સથવારો, ફક્ત ચાર અક્ષરનો શબ્દ, પણ અનેક ગૂઢાર્થ સમજાવે, જે સમજવા માનવજાતને અનેક જન્મારા પણ ઓછા પડે છે.પ્રબળ પૂન્યોદયે મળેલાં માનવ જીવનમાં સથવારો, સમજોને પડછાયો બનીને રહેછે. હા, ડગલે ને પગલે તેનાં રૂપ રંગહાવ ભાવ અલગ અલગ સ્વરૂપેઆપણાં જીવનમાં તે મહત્વનું યોગદાન આપવાં, હાજરી પુરાવવાં હાજરા હજુર જ છે.પરિભાષા બદલે, પણ માનવ જીવનમાં તેનીમહેનતનાં પૂરાવા જોઈએ.
* જન્મ ધારણ કર્યૉ એટલે માતા પિતાના સ્વરુપમાં, સથવારો. પુર્વ ભાવના શૂભ-અશુભ કર્મૉ ભોગવવાના એટલે કર્મોનો સથવારૉ. *જરા મોટા થયાં એટલે પરિવારજનો નો સથવારો.*થોડા મોટા થયા એટલે પડોશી, શેરીમિત્રોનો સથવારો.*સ્કૂલ- કૉલેજમાં ગૂરૂજનો સાથે નવા મિત્રોનો સથવારો.*નૉકરી- વ્યાપારમાં શેઠ- ગ્રાહકનો સથવારો.* લગ્નજીવનમાં ધર્મપત્નીનો જીવનભરનો સથવારો.*પૂત્ર- પૂત્રી, પુત્રવધૂ સાથે પારિવારિક સંબંધોનો સથવારો.*ધર્મ સ્થાનકમા ગૂરૂજનો સાથેસત્સંગીઓ સથવારો.સમજો સથવારા વગરના જીવનની કલ્પના અસંભવ.જીવનમાં સારો સથવારો ઉત્તમસાર્રથીનું કામ કરેછે.ભાઈ સથવારે સથવારે છે ફેરપ્યારે’એક સજાવે,એક ઉજાડે.સથવારે સથવારે વિકાશ થાયસારા સથવારે,માનવભવ તરાય.
©️જયકાન્ત એસ ઘેલાણી ‘પ્યારે’..તા.4.12.2020.
*****************************************
NOG SS No : 0078પ્રકાર – ગદ્ય વિષય – સથવારો
જિંદગીમાં રાહ કેવી છે તેનો ફર્ક પડે છે જરૂર પણ; સાથે સથવારો કેવો છે તેનો ખૂબ જ ફરક પડે છે.
ઉબડખાબડ રસ્તાઓ પણ હસી ખુશીથી આસાનીથી પસાર થઈ જશે જો,સથવારો એવો હશે કે તમારા કદમથી કદમ મિલાવીને ચાલે.
નાની – મોટી તકલીફો તો આવશે જ જિંદગીમાં પણ, તે તકલીફોનો અહેસાસ જ નહીં થાય જો સથવારો એવો હશે કે તમારો હાથ તેના હાથમાં લઈ સહકાર આપે.
ચાલતાં ચાલતાં ક્યારેક કાંકરાં પણ ખૂંચે પગમાં, ચ઼પલમાં કાંટાએ ફસાય પણ તોય, ચાલવામાં સરળતા રહેશે જો સથવારો એવો હશે જેને તમારા દર્દનો અને લાગણીનો અહેસાસ હોય.
જોયાં છે ક્યારેક! ભર તડકે સાઈકલ પર ડબલ સવારી છતાં હસતાં હસતાં જતાં યુગલો?ખૂબ જ ગરમીમાં એ ઢાળવાળા રસ્તામાં ખેંચીને ભાર પોતાની અર્ધાંગિનીનો!તકલીફ શરીરને પડે પણ મનને કોઈ ભાર નહીં, અને બીજી તરફ એસી ગાડીમાં મનને ભાર આપી પરાણે સાથે જતાં યુગલો. ગરમીમાંય શીતળતાનો અહેસાસ અને એ.સી. ગાડીમાં મનને દઝાડતી ગરમી!
બગીચામાં જમીન, પાણી અને હવામાનની અસર થાય છે જ પણ તેનો માળી કેવો છે તેનો ખૂબ જ ફરક પડે છે. માળી એવો હશે કે ક્યારેક ઉજ્જડ જમીનને પણ હરિયાળીથી ભરી દે તો ક્યારેક રંગબિરંગી સ્વપ્ન રૂપી ફૂલોથી ભરપૂર મનરૂપી લીલોછમ બગીચો કરમાઈ જશે.
જિંદગીમાં રાહ કેવી છે તેનો ફર્ક પડે છે જરૂર પણ , સાથે સથવારો કેવો છે તેનો ખૂબ જ ફર્ક પડે છે.
– શ્વેતા તલાટી
NOG SS No : 0027પ્રકાર :- લેખશબ્દ :- સથવારોશીર્ષક :- પપ્પાની પ્રીત
આ કાળમુખો કોરોના અમને નોંધારાં કરી ગયો,મા વગરનાં ભાઈ-બહેનની છત્રછાયા છીનવી ગયો.
પપ્પા.. બચપણમાં જેમની આંગળી પકડીને ચાલતાં શીખી એમની આંગળી આજે કાયમને માટે છૂટી ગઈ. કહેવાય છે કે,”દીકરીને સૌથી વધારે લગાવ પોતાના પપ્પા સાથે હોય છે” કિશોરી બનતાં પહેલાં આંખમાં ઘણાં કુતૂહલ હોય છે. આમ કેમ ? આવું કેમ ? વગેરે વિસ્મય ઊભા થાય છે ને એનો જવાબ પપ્પા પાસે જ મળે છે. મારા પપ્પા શિક્ષક હતા. તેથી શિક્ષણ પ્રત્યેની ગજબની લાગણી બચપણથી જ મારાં લોહીમાં હતી. હજુ તો ગઈકાલે પપ્પાની તબિયત વિશે પૂછ્યુંને ,હોસ્પિટલનો પોઝીટીવ રિપ્લાય (ઉત્તર)સાંભળતાં હરખ થયેલો પણ, આજે સવારે સમાચાર મળ્યા કે પપ્પા હવે આ દુનિયામાં નથી ત્યારે આંખો આંસુઓનો સમંદર બની ગઈ. પપ્પા આપણાં પ્રથમ દોસ્ત હોય છે. પપ્પા આપણાં પ્રથમ હીરો હોય છે. આપણે એવું માનીએ છીએ કે પપ્પા પાસે દુનિયાની દરેક સમસ્યાનો ઉકેલ હોય જ. આપણે પપ્પાની નજરે આ જગતને નિહાળીએ છીએ.પપ્પાએ મને સ્વાવલંબી બનવાનો માર્ગ ચીંધ્યો.આજે પપ્પાએ વિદાય લીધી ને એવું લાગ્યું કે આ પૃથ્વી પરની સૌથી મોટી છત્રછાયા ગુમાવી દીધી. પપ્પા પાસે બેસવું હતું. ઘણી વાતો કરવી હતી. કોરોના નામની મહામારીએ એ બધાં શમણાં છીનવી લીધાં. પણ, પપ્પા,તમે હંમેશાં રહેશો મારી સાથે…ભલે તમારો દેહથી સથવારો છૂટી ગયો.Miss you papa… — જયોતિ આચાર્ય…..અમદાવાદ
“વી.આર.એસ.”
માનસીના હસ્તાક્ષરમાં એક પોતાના નામે ને બીજું એની ઓફિસના સરનામે લખાયેલ બે કવર સામે મનન આશ્ચર્ય અને આઘાતથી જોઇ રહ્યો હતો. “તને કોલેજકાળમાં પ્રેમ કર્યો ત્યારે તારા સથવારે જિંદગીને સામે વહેણે પણ તરીને પાર ઉતરી જવાશે એમ હતું. પણ તને સાથનો અર્થ હંમેશાં જીવનસાથી પર હાવી થવું એ જ સમજાયો. તારી મર્દાનગી વગરની દાદાગીરી માટે તને પાઠ ભણાવવા તારી જિંદગીમાંથી અને તારા દ્વારા મળેલી નોકરીમાંથી વી.આર.એસ. લઉં છું.”
મનનને પોતાનો માત્ર પુરુષ હોવાનો અધિકાર જતાવવા માટે પોતાનાથી વધુ હોંશિયાર હોવા છતાં માનસી પર કરાયેલા શારિરીક-માનસિક અત્યાચાર યાદ આવ્યા. છેલ્લા વાક્યને વાંચીને મનનને જિંદગીએ આજે સથવારાનો સાચો અર્થ સમજાવી દીધાનું મહેસુસ થયું.
“ઓફિસનું કવર પહોંચાડી દેજે.”
માનસીએ જિંદગીભર વેઠેલી બધી વેદના એક વારના હુકમમાં ઠાલવી દીધી હતી.
લીના વછરાજાની