: રસભરી રસીદ ::::::::
” એને ઝેરોક્ષ આપી રસીદ લેતો આવજે.. સોસાયટીનો મેઈન્ટેનન્સનો ચેક એમ જ ન આપી દેતી,રસીદ માંગજે..આ પાવતી સાચવીને રાખી મૂકજો, મહત્વની છે.” આ રસીદ, પાવતી ,એક્નોલેજમેન્ટ… કેટલાં મહત્વ ના શબ્દો બની ગયા છે આપણી વ્યવહારુ જીવનમાં!! ક્યારેક એમાંથી કોઈક આપણા આયખામાં હોય એવું છાનું છાનું આપણે ઈચ્છીએ પણ છીએ. આ રસીદ એટલે દર વખતે ખુલ્લે આમ પ્રદર્શન એવું પણ નહીં,ફક્ત એનું દિલથી દીધેલી દાદ પણ પર્યાપ્ત થઈ જાય છે. રોજ બરોજની જીંદગીમાં આવા નાનાં નાનાં ઉલ્લેખ પણ આ રસીદ કે પહોંચ પાવતી નું અજબ કામ કરે છે . વાર પરબે થતી મિજબાની માટે તો ખરું જ ,પણ પગમાં જાણે પવનપાવડી પહેરી હોય એમ કામ પાર પાડતી માનુનીને ફક્ત ” આજે મસ્ત દાળ બની ‘ તી”કે”આજના શાકને ઓફિસમાં સૌએ બહુ જ વખાણ્યું” એમ કોઈ કોઈ વાર કહી તો જુઓ..એક જાદુઈ ચમક આવી જશે એ પહોંચ પાવતી લેનારના ચહેરા પર..આખા દિવસનો થાક વરાળ થઈને ઊડી જશે.. આવી નાની નાની વાતો એક જાદુઈ છડી નું કામ કરશે.પેપર નાખવા આવતા કિશોરને ,”આજે જલ્દી પેપર લાવ્યો ,થેન્ક યુ બેટા ” કે દૂધ આપવા આવનાર ને કદીક ” ગુડ મોર્નિંગ ” કહી જોજો…એમની ગતિમાંજ રસીદ દેખા દેશે. સાવ નાનકડા ભૂલકાને પણ કોઈ વધાવે એ ગમે અને જીવન સંધ્યાએ પહોંચેલાને તો એની તલબ રહે છે.આ રસીદ કે કદર માટે ખાસ કંઈ નથી કરવાનું હોતું પણ બચ્ચાઓને થોડીક તાળી કે એક પ્યારભરી પપ્પી જ કાફી હોય છે.જયારે સીનીયર સીટીઝનને ખભે એક થપકી કે એમનો હાથ પકડી ધીમેથી પંપાળી જોજો.આ અનુભવ રસીદ આપનાર માટે પણ યાદગાર બની રહેશે … વરસોથી મારા ઘરે કામ કરનારી સુશીલાની પૌત્રીએ રસ્તામાં મળતા જ ચરણસ્પર્શ કર્યા,”સરસ સંસ્કાર આપ્યા છે દાદીએ.આયુષ્યમાન થજે”. સુશીલા હરખથી અભિભૂત થઈ ઊઠી,”તમારી સાથે રહીને જ શીખી છું ,બેન ! ” આમ રસીદની આપ લે થઈ અને દિલ ખુશખુશાલ .. વરસો પહેલાં ગુજરાતીના શિક્ષિકાએ કરેલા નિબંધ ના વખાણ આજે ય લખતી વખતે કાનમાં ગૂંજે છે.ત્યાર બાદ મળેલી દરેક દાદ એ રસીદને જ આભારી છે એમ લાગતું હતું હોય છે. પ્રશંસા તો પ્રભુ ને પણ પ્યારી હોય છે ને!! નાની નાની વાતોને બિરદાવી જોજો, તમારી આસપાસનું વાતાવરણ જ બદલાઈ જશે.. દિવાળીની જ વાત કરું તો મારી શાકવાળી શકુ સારી સાડી પહેરીને આવી.એને જોતાં જ મેં કહ્યું,”અરે વાહ શકુ, આજે તો હિરોઈન લાગે છે હં.. બહુ સરસ સાડી છે તારી, સાથે પાછી મેચીન્ગ બંગડીઓ પણ ..” શકુનો ચહેરો એની રસીદની ચાડી ખાતો હતો.મને ખાતરી છે કે એ આખો દિવસ શકુ મોજમાં જ રહી હશે!!નાના કે મોટાં બધાં જ આ રસીદ કે પહોંચ પાવતીની દિલના એક ખૂણામાં ચાહ સમાવીને જ બેઠાં હોય છે. નાનાં હોઈએ ત્યારથી જ પૂછાતા હોય છે આવા પ્રશ્નો.. મમ્મી ગમે કે પપ્પા,દાદી ગમે કે નાની???…અને પસંદગી પામનાર એ નાના ભૂલકાને રસીદ આપવા બદલ વહાલથી નવડાવી દે છે .. બે સફરજન હાથમાં લઈને આખા ઘરમાં એક બાળક મસ્તી કરી રહ્યું હતું.એક સફરજન એણે ખાવાની શરૂઆત કરી ત્યારે મમ્મીએ બીજું માંગતા એણે બીજા સફરજનમાં પણ પોતાની દંતછાપ ઉભારી.મમ્મીની ફરી માંગ થતાં એણે પહેલું સફરજન આપી કહ્યું,” મમ્મી,આ વધારે મીઠું છે ! “મિનીટ પહેલાં આવેલો બધો રોષ ઓગાળી મમ્મીએ એને ચુંબનોની રસીદ આપી દીધી .. આમ પહોંચપાવતી દર વખતે શબ્દોમાં જ વ્યક્ત નથી થતી એ સમજાયું ને! વળી વારંવાર આભાર માની કે ઔપચારિકતા દાખવી એની મીઠાશ ન ઘટે એ જોવું રહ્યું.આ રસીદના અમીછાંટણા ય બાગ ખીલવી શકે છે.એની હાજરી જેટલી સ્વયંભૂ તેટલી જ અસરકારક.વ્યક્તિ જેટલી નિખાલસ એટલી જ પહોંચપાવતી તત્ક્ષણ અને આનંદ બક્ષનારી.. ઉંમર અને પ્રસંગોચિત આ રસીદ આંખ દ્વારા, સ્પર્શથી કે નાનકડી પંક્તિથી પહોંચાડી શકાય.કોઈવાર તો મીઠા ઠપકાથી પણ !! આ પહોંચપાવતી એક ઉત્પ્રેરકનું કામ કરશે ,કામની ધગશ વધારશે , સંબંધોને ગાઢ બનાવવા તાણાવાણા ઉમેરશે અને આ બધું કરવા જોઈએ છે શું ??*એક નિર્મળ, નિખાલસ મન !* ચાલો, તો પછી શુભસ્ય શીઘ્રમ!! આપવા માંડો પહોંચપાવતી …
#માયા દેસાઈ મુંબઈ ભારત.
વિચાર વિમર્શ.સફળતા સફળતા મેળવવા માટે પહેલો નિયમ એ છે કે પરાજય માથી વિજય કેમ મેળવવો તે છે, નરમ અને ઉદાસ પાડી નાખે તેવી આપત્તિ થી,મુશ્કેલીમાથી માણસ જ્યાંરે મુઝાય ઉદવેગ પામે તે સમયે તેને ધીરજ અને હિમ્મત ધારણ કરવા જોઇયે અને નિસફળતા અને પરાજય નો સ્થિતિ માં થી બહાર નિકરવા માટે વિજય ના તત્વો ની શોધ કરવી જોઇયે.જેઓ સફળ થાય છે અને નિસફળ જાય છે તે બંને વચ્ચે નો તફાવત આમાથી નીકળે છે કોઈ પણ માણસની તુલના કે હોશિયારી તેની નિષ્ફળતાઉપર થી આંકી ના શકાય.તેની નિષ્ફળતા ના કારણો અને તે નિસફળતા તે વ્યક્તિ કેવી રીતે મૂલવે છે તે પણ જોવું જોઇયે તે નિસફળતા નો કેવી રીતે ઉપયોગ કરે છે તે પણ જોવું જોઇયે.નિસફળતા ને ભૂલી ને સફળતા તરફ કેવી રીતે પ્રયાણ કરે છે તે ખુબજ મહત્વ નું છે.કોઈપણ વ્યક્તિ ની નિસફળતા તે તેના જીવન નું દર્પણ છે તેની હોશિયારી આવડત તે માત્ર પરિણામ નથી વળી પરાજય એ તેની શક્તિ નું માપ નીકળતું નથી તેની નિસ્ફ્ળતા પાછળ ના કારણો સમજવા જરૂરી છે .અને તેનું પૃથયકરન કરવું જરૂરી છે જે ભૂલો થઈ છે જે સંજોગો નડયા છે તે ફરીથી ના નડે તેનું ધાન રાખવું એટલું જ જરૂરી છે, ફરીથી જાગ્રત થઈ તે કામ માં વળગી જાવું જોઇયે અને સફળતા ના શિખર સર કરવા જોઇયે.
ભરત દવે 6-12
મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર દ્વારા ડૉ આંબેડકર ને શ્રદ્ધાંજલિ આપવા ઑન લાઈન કવિ સંમેલન યોજાશે :
વિશ્વ મહા માનવ ભારતના સંવિધાન ના રચયિતા ડૉ બાબા સાહેબ આંબેડકર ની પુણ્ય તિથિ નિમિત્તે તારીખ ૬ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ સવારે ૯ વાગ્યે ગુજરાતી કવિ સંમેલન મહાત્મા ગાંધી સાહિત્ય મંચ પર ઑન લાઈન આયોજિત કરવામાં આવેલ છે જેમાં ગુજરાત અને ભારત ના તમામ પ્રદેશ માં થી કવિ ઓ જોડાઈ ને પોતાની આંબેડકર વિશે રચના પ્રસ્તુત કરી ડૉ બાબા સાહેબ આંબેડકર ને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે સંસ્થા ના અધ્યક્ષ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ સામાજિક કાર્યકર હિન્દી ગુજરાતી કવિ લેખક અને અનુવાદક છે. તેઓએ ડૉ બાબા સાહેબ આંબેડકર ને શ્રદ્ધાંજલિ આપવા હેતું હિન્દી ભાષા માં પણ કવિ સંમેલન ઑન લાઈન સાંજે ચાર વાગ્યે આયોજિત કરવામાં આવેલ છે. જેનું ઉદ્ઘાટન ગાંધીનગર મહાનગર બીજેપી ના નવ નિયુક્ત અધ્યક્ષ શ્રી રુચિર ભટ્ટ ના કર કમળો થી કરવામાં આવશે. ડૉ બાબા સાહેબ આંબેડકર ને આ રીતે કવિ સંમેલન દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માટે નો સૌ પ્રથમ પ્રયાસ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે.
ડૉ ગુલાબચંદ પટેલ. અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર .
*******†****************†************************
NOG સાહિત્ય સરિતા – ૧
ગ્રુપ આયોજક/સંચાલક : પ્રદીપ રાવલ (9824653073)
[12/6, 10:28 PM] Pradip Raval: ” સથવારો ” ગ્રુપ ના તમામ મેમ્બરો માથી યોગ્ય આરોગ્ય ના કારણે તેમજ એકાદ બે પ્રેક્ષક મેમ્બર હોય તેવું લાગ્યું..તો એકાદ બે વિવાદો ની બીક ના કારણે ના લખ્યું હોય તેવું અનુભવ્યું….હશે પણ મોટા ભાગના ટૂંકી નોટિસ માં કાલે અને આજે પણ લખી ને મોકલી આપી જુદા જુદા અર્થ માં સથવારો આપી, માંગી,સાથે રહ્યા નો અનુભવ કરાવ્યો તે બદલ હું સર્વાધિક જવાબદારી પૂર્વક વ્યક્તિગત સૌને નત મસ્તક નમન સાથે અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.