ગાંધીના ગુજરાત માં ચાલતા દારૂ ની રેલમ છેલસરખેજ પોલીસ સ્ટેશન ના ના રાજ માં દારૂની રેલમ છેલસરખેજ પોલીસ સ્ટેશન ની હદ માં ચાલતા દારૂ-જુગારના અડ્ડા વસીમ રાજા , ઈરફાન , આશીફ ,જેવા નામી બુટલેગરો જુગારધામ ઉપર પ્રભુત્વ ધરાવે છે દેશી દારૂની ભઠ્ઠીઓ ત્યાં ઘેર બેસીને દારૂ પીવડાવતા બુટલેગરો જેવા કે રંજનબેન ચુનારા, સુશીલાબેન ચુનારા,સુરેશભાઈ ચુનારા,ગૌરીબેન ચુનારા,ટીની બેન, સંગીતાબેન , હંસાબેન, કાળી, ઉષા , જગદીશ, ઉષાબેન,રાજેશભાઈ, શિલ્પાબેન।,મુન્ની જેવા અનેક બુટલેગરો આશરો આપે છે કોણ આ બુટલેગરો ને ???આ વાત ની ડીસીપી શ્રી પ્રેમસુખ ડેલું સાહેબને જાણ છે કે નહિ ??આ ટિક્ટોક કાફે ઉપર રેસ્ટ્રીના સમયે વહીવટદાર હદવિજય સિંહ શા માટે મિટિંગો યોજે છે આ ટિક્ટોક કાફે શા માટે ચર્ચાનું વિષય બની ગયું છે.??એ કયા અધિકારી ને માતબર રકમ રૂ.એક લાખ નો મોબાઈલ ની ગિફ્ટ મળી.??બુટલેગરોએ આપી ??? કે રેતી ખનન વાળાઓએ.??ક્રાઇમ ઝોન ન્યૂઝ
નમ્રભાવે એક વિનંતિ. આજની મારી આ પોષ્ટને કોઈપણ પ્રકારના રાજકીય ચશ્માથી કે કોઈપણ પ્રકારના સંકુચિત વિચાર કે સંપ્રદાયના ચશ્મા પહેરીને ન વાંચવા નમ્રભાવે પ્રાર્થના. હું દલિત નથી તેમજ અન્ય બીજું કોઈ વિશેષણ હું મારી જાતને લગાડવા ઈચ્છતો નથી. હું એક માત્ર માણસ છું અને આ દેશમાં જન્મ્યો છું, તેથી ભારતનો નાગરિક છું.ઉત્તરભારતમાં એક દીકરી ઉપર બળાથ્કાર થાય, બળાત્કાર પછી કંઈ બોલી ન શકે એટલા માટે તેની જીભ કાપી નાખવામાં આવે. એ હલન – ચલન પણ ન કરી શકે, એટલા માટે તેની કરોડરજ્જુને પણ તોડી નાખવામાં આવે. આ તે કેવી રાક્ષસી વૃત્તિ! સમજ્યા કે, રાક્ષસી વૃત્તિના લોકોએ બળાત્કાર અને જઘન્ય કૃત્યો કર્યા અને આ અમાનવીય દુર્ઘટના 14 સપ્ટેમ્બરના રોજ બને અને છાપા દ્વારા ખબર પડે કે ન સમાચાર ચેનલો દ્વારા ખબર પડે! અમિતાભ બચ્ચન કોરોના વાયરસ દરમિયાન પોતે પોતાની રીતે શૌચક્રિયા કરવા બાથરૂમ જાય, તો મીડિયા આવી ઘટનાને હેડ લાઈનમાં વારઃવાર પુનરાવર્થન કરીને દર્શકોનું/વાંચકોનું માથું દુખાવે. આ આ દીકરી ઉપર આટલો અમાનુષી ત્રાસ ગુજરે અને મીડિયાનું મોઢું કેમ બંધ થઈ જાય છે. શું દીકરી માનવ ન હતી? 29 સપ્ટેમ્બરે દીકરી દેહ છોડે અને તેની ડેથબોડીને પરિવારને ન સોપતા રાત્રે બે વાગ્યે પોલિસ તેના પરિવારજનોનો વિરોદ્ધ હોવા છતાં અગ્નિસંસ્કાર કરી નાખે! શું આજે ખરેખર માનવતા મરી પરવારી છે? આવી દીકરીને માટે એક અબજ અને પાત્રીસ કરોડની જનસંખ્યામાંથી કોઈને આ દીકરી માટે સંવેદનાનો એક શબ્દ પ્રગટ કરવા પુરતી માનવતા ન પ્રગટી? સંપૂર્ણ જગત બ્રહ્મમય છે, આવા ઢોલ વગાડતા ધાર્મિક સમાજને આ દીકરીએ જે પીડા ભોગવી તેનો કોઈ એહસાસ જ ન થયો? સર્વત્ર અલ્લાહ હોવાની બાંગ મારનાર સમાજને આ દીકરીની વેદનામાં અલ્લાહનો અવાજ ન સંભળાયો? સર્વશૂન્ય છે/સર્વપૂર્ણ છે, આવૌં કહેનારા બૌદ્ધોને આ દીકરીની પીડાની ચીસો સંભળાણી જ નહીં? અહિંસા પરમો ધર્મ કહેનાર જૈનોને આ દીકરીના ખૂનમાં હિંસાના દર્શન જ ન થયા? જે રામે અહલ્યાનો ઉધ્ધાર કર્યો અને મોટા અવાજે બોલતા જયશ્રી રામ બોલનારને આ દીકરીનું રુદન સંભળાયું નહીં? જ્યાં જ્યાં શોષણ અને અન્યાયને જોયો, ત્યાં મહાત્મા ગાંધીએ અહિંસક સત્યાગ્રહ કર્યો, આ ગાંધીની સાર્ધ શતાબ્દીની ઉજવણી પ્રસંગે કોઈ ગાંધીજનને આ દીકરીને થયેલો અન્યાય દેખાણો જ નહીં? સ્રી સશક્તિકરણની વાતો કરનાર લોકોને આ દીકરીમાં સ્રીત્વના દર્શન જ ન થયા? અન્યાયને દૂર કરવો, ન્યાય આપવો અને માનવતાનું સર્જન કરવું, એ તો કોઈપણ સમયના કોઈપણ સત્તાધીશોની આ પ્રાથમિક ફરજ છે, સત્તાધીશોને આ દર્દ દેખાણું જ નહીં?આપણે કેવો સમાજ ઉભો કરી બેઠા છીએ? માનવતાને બદલે પાશવતાને પોષણ મળે! આ ઘટનાથી જે સંવેદનશૂન્યતાનાં દર્શન થયા છે, એનાથી તો એમ કહેવાનું મન થાય છે કે, આપણો આત્મા મરી પરવાર્યો છે. આપણી માણસાઈ મરી પરવારી છે. આપણે માણસાઈ વિનાના માણસો બની ચૂક્યા છીએ. આપણને રામનું કે કૃષ્ણનું નામ લેવાનો નૈતિક અધિકાર છે?! જે આપણાં બંધારણે સમાજવાદી સમાજ વ્યવસ્થાનો આદર્શ રાખ્યો છે, તેની નજીક પહોંચવાને બદલે તેનાથી વિરુદ્ધ દિશાએ ગતિ કરી રહ્યા છીએ. ક્યાં ગઈ ઉપનિષદની ઘોષણા , ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય રરાન્નિબોધિત? આપણે દંભી અને પાખંડી બન્યા છીએ.
IMG-20201001-WA0941.jpg