(નીડર પેપર વાચવા નીચે લીંક ઉપર ક્લિક કરો)
GN_12-8-20 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક વાચવા માટે આજની તારીખ ઉપર ક્લિક કરી વાંચો.
(https://m.facebook.com/story.php?story_fbid=620997998820961&id=100027322995343) સાહિત્ય વિભાગ ના વિજેતાાઓ ના સર્ટીફીકેટ જોવા માટે આ લીંક ઓપન કરો……સર્ટ્ટિસર્ટ્તી્ટ્ટ્તી્્ટ્ત
બકો જમાદાર* ૧…..*સ્વચ્છતા*
*વાર્તા નં: ૧*
નમસ્તે બાળકો ,
ખૂબ ખૂબ પ્યાર સહિત …અમારા સમય માં અમે બકોરપટેલની વાર્તા વાંચતા ને તેને માટે રોજ વર્તમાનપત્ર એટલે કે તમારૂ ન્યૂસપેપર માટે રાહ જોતા…
આજે આપણે બકોર પટેલની નવી પેઢીની શરૂઆત કરીએ..પણ બકોર પટેલ નામ તો ન રાખી શકીએ તેથી નવું નામ નવી પેઢીનું શું રાખીશું ..ચાલો ..
“બકો જમાદાર “રાખી લઇએ.
બકોર પટેલની નવી પેઢી ગામડેથી શહેરમાં રહેવા આવી ગઈ.ધીરે ધીરે શહેરી પણું પહેરવેશથી લઈને ભાષામાં પણ આવી ગયું .બોલવામાં અંગ્રેજી છાંટ ને પહેરવામાં ટાઈ સૂટ ..હાથમાં લાકડી પણ કૂતરાંના ડરને લીધે .ગમે તેમ પણ બકરાની જાત એટલે ગભરૂ તો ખરા..!
બાળકો નેકહેવાય કે સિંહ જેવી ગર્જના કર ને શું બકરી ની જેમ બેં બેં કરે છે..બાળકો બોલો બકરી થવું ગમે કે સિંહ..?એકવાર તે બહાર નીકળી પડ્યા.સમુદ્રકિનારે
ફરવા..સાંજનો સમય છે ને જુએ છે દરિયાની સપાટીએ સૂરજ ઢળી રહ્યો છે..દરિયો સોનેરી રંગ સમો દેખાઈ છે આ ક્ષણને સમયને ક્ષિતિજ નો સમય કહે.આ સુંદરતા મનને ગમી ગઈ,પણ ક્યાંક કચવાટ પણ થયો લોકો ખાઈને ,ઠંડા પીણા પીને પ્લાસ્ટિક ,કાગળ,ને બીજો અનેક કચરો ફેંકી રહ્યા હતા.બકો જમાદાર બહુ દુખી થયા ને એમણે નક્કી કર્યુ કે આવતા રવિવારે તે આ જ સમયે આવીને સ્વચ્છતા માટે કંઈક કરશે ને…?તેઓ સૂઈ ગયા.
રવિવાર આવ્યો બકો જમાદાર નક્કી કર્યા પ્રમાણે પહોંચ્યા ને જે કચરો ફેંકે તે એક થેલી માં ભરે ને આમ કરતા જોઈ લોકો તો હસવા લાગ્યા મશ્કરી કરવા લાગ્યા..આમ એક પછી એક રવિવાર એમ બે મહિના ના આઠ રવિવાર ગયા. અને બકા જમાદારની ટોળીમાં બીજા દસ મિત્રો જોડાયા.હવે લોકોને પણ શરમ નડવા માંડી ને એમને પણ થયું આપણે ખરેખર સાર્વજનિક જગ્યા પણ આપણે આપણી જ સમજી લઈએ તો ..અને આમ ધીરે ધીરે દરિયાકિનારો સ્વચ્છ ને સુંદર રમણીય લાગવા લાગ્યો.
બકો જમાદાર દરિયા કિનારે લોકોના પ્રિય દાઢીચાચા બની ગયા.
*બાળકો મને વચન આપો તમે પણ સર્વ સાર્વજનિક જગ્યા જેમકે રેલ્વે ,* *રેલ્વે સ્ટેશન, બાગ,*
*નદીકિનારા, મંદિર , મસ્જિદ, ચર્ચ,વગેરે સ્વચ્છ રાખશો. ગંદકી કરનાર ને શીખવશો…*
*મિત્રો મજા આવીને વાર્તામાં? તો આગળ પણ આપણે બકો જમાદારના સાહસોની વાર્તાઓનો આનંદ માણતા રહીશું.*
*વાર્તાના લેખક*
*જયશ્રી પટેલ*
©️ ℗®️™️
******************
*ચમકેશ્વર મહાદેવ*
*સરસ્વતી નદીના પુર્વે કિનારે આવેલું ચમકેશ્વર મહાદેવનું મંદિર*
સિધ્ધપુર સરસ્વતી નદીના પૂર્વે કિનારે અરવડેશ્વર મહાદેવની સામે ચંપાવતી નગરી આવેલી હતી તેના નામ ઉપરથી ચમકેશ્વર મહાદેવના ત્યાં સ્થાપના કરવામાં આવી હતી. વર્ષો પૂર્વે ત્યાં વૈષ્ણવ , વાણિયાઓ રહેતા હતા. ત્યારથી મહાદેવજીએ પરચો આપ્યો અને કહ્યું અહીં મારી સ્થાપના કરો ત્યારબાદ વૈષ્ણવ લોકો શ્રીનાથજીને પૂજતાં હતાં અને મહાદેવજીની પૂજા કરતા ન હતા તેથી મહાદેવજીએ ક્રોધે ભરી શાપ આપ્યો અને ચંપાવતી નગરી ખેદાનમેદાન થઈ ગઈ અને નામરશેષ થઈ ગઈ , ખાલી ચમકેશ્વર મહાદેવનું મંદિર બાકી રહેલું છે. જે મંદિરની સ્થાપના વૈષ્ણવ – વાણિયાઓએ કરેલી હોવાનું માનવામાં આવે છે.
આ ચમકેશ્વર મહાદેવનું મંદિર સ્માશનની વચ્ચોવચ આવેલું તેની આજુબાજુ મુસ્લિમ કબ્રસ્તાન તથા હરિજન લોકોનું સ્મશાન આવેલું છે , ચમકેશ્વર મહાદેવ સ્મશાનમાં રહે છે. ત્યાં ઘણાલોકોને પરચા આપેલા છે. તે જગ્યામાં એક અવાવરું ભોયરૂ આવેલું છે. ત્યાં ઘણા વર્ષો પૂર્વે ત્યાં સંતો રહેતા હતા તેની બાજુમાં હનુમાન દાદાની પ્રાચીન મૂર્તિ આવેલી છે. આ જગ્યા વેરાન જંગલમાં આવેલી છે. અને પ.પૂ. દેવશંકર ગુરૂમહારાજ કહેતા હતાં કે , અરવડેશ્વરની પૂજા કરી શ્રી ચમકેશ્વર મહાદેવની પૂજા કરવાથી અનન્ય ફળ મળે છે. ઘણાવર્ષો પૂર્વે ચંડ અને મૂંડ નામના ત્યાં મહાભયંકર રાક્ષસ ચંડ ના પરથી ચાટાવાડા નામ પડેલ છે , તેમજ મૂંડના નામ પરથી મૂંડાણા નામ પડેલ છે. જે ચમકેશ્વર મહાદેવની ડાબી – જમણી બાજુ આ બન્ને ગામો આવેલા છે. આ જગ્યામાં એક ખારીધારિયાલથી બ્રાહ્મણ આવેલા જે ત્યાં રહેતા હતા. તેઓ પહાડી બંધો ધરાવતા હતાં તેમનું નામ સોમાભાઈ હતું તેઓ અનેક વિટમણામાં ફસાયેલા હતા તેથી પ.પૂ.દેવશંકરબાપાના કહ્યા પ્રમાણે દરરોજ અરવડેશ્વરની પૂજા કરી ચમકેશ્વર મહાદેવની પૂજા કરો તો તમારી બધી આધિવ્યાધિ ઉપાધિ દૂર થઈ જશે.
ચાણસ્માથી દંતાલીવાળા સચ્ચિદાનંદ મહારાજ સિધ્ધપુર ફરતા – ફરતા આવેલા તે વખતે ગુરૂમહારાજ નદી કિનારા પર બેસી ગાયત્રી મંત્રનો જાપ કરતા હતા તેમને તેમનું કર્મ પુર્ણ કરી જોયું હે ભક્ત આપ ક્યાંથી પધારો છો ? ચાણસ્માથી પધારો છો તેવું દેવશંકરબાપાએ કીધું પછી આ ભક્તને તકલીફ હતી આ ભક્તને ૨૧ દિવસનું અનુષ્ઠાન ચમકેશ્વર મહાદેવમાં કરવાનું કહ્યું અને મંત્ર આપ્યો , આ મંત્રથી ભક્તને મગજની શાંતિ થઈ ગયેલ બાદમાં તેઓને કહ્યું કે , સરસ્વતી નદી ચમકેશ્વર મહાદેવની લુખાસણના હનુમાન જવાનો અને આ મંત્રનો જાપ કરવાથી તમામ આધિવ્યાધિ ઉપાધિ દૂર થઈ જશે. તે વખતે તેઓ સંત ન હતા ત્યારબાદથી તેઓ મહાન સંત કહેવાયા.
*ધ્રુવ દવે / સિધ્ધપુર*
***********************
*ધ્રુવ દવે / સિધ્ધપુર*
*સિધ્ધપુર માં આવેલા રણછોડ રાયજી ના મંદિરમાં ૧૩૦ વર્ષથી ચાલતી ભજન કીર્તનની પરંપરા*
સિધ્ધપુર શહેરના મંડી બજાર વિસ્તારમાં ૧૫૦ વર્ષ જૂનું રણછોડ રાયજીનું મંદિર આવેલું છે , જે મહારાષ્ટ્રીયન સમાજનું શ્રદ્ધાનું કેન્દ્ર ગણાય છે.
આ મંદિરમાં ૧૩૦ વર્ષ પહેલાં દત્ત સ્વરૂપ પ.પૂ.વાસુદેવાનંદ સરસ્વતી મહારાજ પવિત્ર શ્રાવણ માસમાં ચાર્તુમાસ કરવા સરસ્વતી નદીના કિનારે આવેલા હાટકેશ્વર મહાદેવના મંદિરમાં પધારેલા હતા ત્યારે રણછોડ રાયજીના મંદિરમાં દર્શન કરવા આવેલા ત્યારે મંદિરના પૂજારી કોરાને પરિવારના કૃષ્ણમય પુરકર ને એમના આગમન ની સ્મૃતિ તરીકે એક જોળીની ભેટ આપી હતી અને આર્શીવચન માં કહ્યું હતું કે રણછોડજી ભાવના ભૂખ્યા છે. ભક્તો ની ભક્તિ અને કિર્તન પ્રભુને ખૂબ ગમે છે , રણછોડજીની આરાધના થાય તેમાટે શ્રાવણ વદ એકમ થી સાતમ સુધી ભગવાન રણછોડ રાયજી નું અખંડ ભજન કીર્તન થાય તેવી પરંપરા ચાલુ કરાવી હતી. આ પરંપરા આજ દિન સુધી ચાલુ છે , મંદિરમાં જન્માષ્ટમી નો ઉત્સવ રંગે ચંગે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં વસવાટ કરતા TV કલાકાર , રેડિયો કલાકાર , સંગીત કલાકાર , સરકારી અધિકારીઓ , ડૉક્ટર , વકીલ , એન્જીનીયર , CA વગેરે અહીં પધારે છે. આ અંખડ ધૂનમાં ત્રણ ત્રણ કલાકની વારી હોય છે , જેમાં અલગ અલગ ભજન મંડળીઓ સવારના ચાર પ્રહર અને રાત્રીના ચાર પ્રહર એમ કુલ ૨૪ કલાકની અખંડ ધૂન ગુજરાતી , મરાઠી , હિન્દી ભાષાના ભજન કીર્તન શરણાઈ , ઢોલ , તબલા , હાર્મોનિયમ , મંજીરા જેવા વાજિંત્રો ના તાલ સાથે ભજન કિર્તન કરતાં હોય છે. સંત તુકારામ , પંચવટી ભજન , ગોળાણી , ભૈરવી રાગનું કીર્તન પણ રજૂ કરવામાં આવે છે.
આ સાત દિવસ દરમિયાન રણછોડ રાયજીને ગોપાલ કૃષ્ણ , વાલ્મિકી , પરશુરામ , મોહિની , બ્રહ્મા , વિષ્ણુ , જેવા આંગીઓ થી શણગારવામાં આવે છે.
વાસુદેવાનંદ સરસવતી મહારાજ દ્વારા આપવામાં આવેલી જોળી ( છાટીં ) રણછોડ રાયજીના પહેલા પૂજારી કૃષ્ણ ભટ્ટ ને આપેલી હતી , આ ઉત્સવ દરમિયાન આ જોળી લઈ ભિક્ષા માંગવાની પરંપરા આજ દિન સુધી ચાલુ છે. ધોતી ઝભ્ભો અને જોળીનો પરંપરાગત પહેરવેશ પહેરી સિધ્ધપુરના મહોલ્લા માં ગોપાલ કૃષ્ણ ના જય ધોસ સાથે ભિક્ષા ગ્રહણ કરે છે અને આ ગ્રહણ કરેલી ભિક્ષા ને ભોજન પ્રસાદ તરીકે ઉપયોગ કરે છે.
મંદિરના પૂજારી મહેન્દ્રભાઈ એ જણાવ્યું હતું અત્યારે વૈશ્વિક કોરોના જેવી મહામારી ચાલી રહી છે ત્યારે ચાલું વર્ષે અખંડ નામ સ્મરણ સપ્તાહ સવારે ચાર વાગે થી રાત્રે દસ વાગ્યા સુધી રાખવામાં આવી છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના નીતિ નિયમ મુજબ સોશિયલ ડિસ્ટન્સ , માસ્ક અને સેનેટાઈઝર સાથે દર્શનાર્થીઓ આ ભજન કીર્તન નો લાભ લઈ રહ્યા છે.
*ધ્રુવ દવે / સિધ્ધપુર*
******†*******************††*************
शिव का त्रिशूल !
शिव का त्रिशूल जीवन के तीन मूल पहलुओं को दर्शाता है। योग परंपरा में उसे रुद्र, हर और सदाशिव कहा जाता है। ये जीवन के तीन मूल आयाम हैं, जिन्हें कई रूपों में दर्शाया गया है। उन्हें इड़ा, पिंगला और सुषुम्ना भी कहा जा सकता है। ये तीनों प्राणमय कोष यानि मानव तंत्र के ऊर्जा शरीर में मौजूद तीन मूलभूत नाड़ियां हैं – बाईं, दाहिनी और मध्य। नाड़ियां शरीर में उस मार्ग या माध्यम की तरह होती हैं जिनसे प्राण का संचार होता है। तीन मूलभूत नाड़ियों से 72,000 नाड़ियां निकलती हैं। इन नाड़ियों का कोई भौतिक रूप नहीं होता। यानी अगर आप शरीर को काट कर इन्हें देखने की कोशिश करें तो आप उन्हें नहीं खोज सकते। लेकिन जैसे-जैसे आप अधिक सजग होते हैं, आप देख सकते हैं कि ऊर्जा की गति अनियमित नहीं है, वह तय रास्तों से गुजर रही है। प्राण या ऊर्जा 72,000 विभिन्न रास्तों से होकर गुजरती है। इड़ा और पिंगला जीवन के बुनियादी द्वैत के प्रतीक हैं। इस द्वैत को हम परंपरागत रूप से शिव और शक्ति का नाम देते हैं। या आप इसे बस पुरुषोचित और स्त्रियोचित कह सकते हैं, या यह आपके दो पहलू तर्क-बुद्धि और सहज-ज्ञान हो सकते हैं।
जीवन की रचना भी इसी के आधार पर होती है। इन दोनों गुणों के बिना, जीवन ऐसा नहीं होता, जैसा अभी है। सृजन से पहले की अवस्था में सब कुछ मौलिक रूप में होता है। उस अवस्था में द्वैत नहीं होता। लेकिन जैसे ही सृजन होता है, उसमें द्वैतता आ जाती है। पुरुषोचित और स्त्रियोचित का मतलब लिंग भेद से – या फिर शारीरिक रूप से पुरुष या स्त्री होने से – नहीं है, बल्कि प्रकृति में मौजूद कुछ खास गुणों से है। प्रकृति के कुछ गुणों को पुरुषोचित माना गया है और कुछ अन्य गुणों को स्त्रियोचित। आप भले ही पुरुष हों, लेकिन यदि आपकी इड़ा नाड़ी अधिक सक्रिय है, तो आपके अंदर स्त्रियोचित गुण हावी हो सकते हैं। आप भले ही स्त्री हों, मगर यदि आपकी पिंगला अधिक सक्रिय है तो आपमें पुरुषोचित गुण हावी हो सकते हैं। अगर आप इड़ा और पिंगला के बीच संतुलन बना पाते हैं तो दुनिया में आप प्रभावशाली हो सकते हैं। इससे आप जीवन के सभी पहलुओं को अच्छी तरह संभाल सकते हैं। अधिकतर लोग इड़ा और पिंगला में जीते और मरते हैं, मध्य स्थान सुषुम्ना निष्क्रिय बना रहता है। लेकिन सुषुम्ना मानव शरीर-विज्ञान का सबसे अहम पहलू है। जब ऊर्जा सुषुम्ना नाड़ी में प्रवेश करती है, जीवन असल में तभी शुरू होता है। आप एक नए किस्म का संतुलन पा लेते हैं, एक अंदरूनी संतुलन, जिसमें बाहर चाहे जो भी हो, आपके भीतर एक खास जगह बन जाती है, जो किसी भी तरह की हलचल में कभी अशांत नहीं होती, जिस पर बाहरी हालात का असर नहीं पड़ता। आप चेतनता की चोटी पर सिर्फ तभी पहुंच सकते हैं, जब आप अपने अंदर यह स्थिर अवस्था बना लें।
सदगुरू