GN_03-7-20 (News of Gandhinagar PDF)
# આજે સાહિત્ય વિભાગ મા એડમીન ટીમ ના આયોજક, સંચાલક,સહ નિર્ણાયક,સહ સંચાલક ની રચનાઓ….#
****************************** ***********
NG No- 5
* પત્ર *…….મારા પ્રભુ ,
વિષય : મારી વ્યથા જાણી એ અંગે આપ ઘટતી કાર્યવાહી કરી ન્યાય કરવા બાબતે.
પ્રભુ, “આવ આવ” કરતાં સૌ મને ભાવભીનું આમંત્રણ આપે. બધા બોલાવે એટલે જે તે સમયે અને જે તે સ્થળે પહોંચી જ જવાનું! જાણે મારી કોઈ ઈચ્છા જ નહીં?
આવતા થોડું મોડું થાય ત્યાં તો ગાળો ભાંડવાનું શરૂ થઈ જાય. કંઈ કેટલાય ધમપછાડા, રોકકળ થાય. હું વરસવા માંડું તો કહે આજે અટકી જા, કેટલો પડે છે તું અમારે બહાર જવાનું છે, પ્રસંગ છે બોલો આ લોકોને શું કહેવું!
જ્યાં સુધી ગરજ હોય ત્યાં સુધી રોકાવાનો આગ્રહ ચાલું રહે ને હું ભોળો એટલે થોડા દિવસ રોકાવું. ઘણી મજા કરું અને કરાઉં. સૌ સાથે મળીને તહેવારોના શ્રાવણ મહીનામાં રોજ નવું નવું ખાવાની મજા માણીએ. મન મારું પૃથ્વી લોકમાં ગોઠી જાય ને થોડા દિવસ વધારે રોકાઈ જવાય તો શરૂ થઈ જાય પાછી મોકાણ!
“જા ભાઈ હવે તું. તને થોડો વધારે આગ્રહ થઈ ગયો હોય તો અમને માફ કર” કહેતાં આ સ્વાર્થી જીવો પાછાં મને મોકલવા ધમપછાડા કરે. આખરે મને જેમના લગ્નમાં આવવા આમંત્રણ આપ્યું હોય તે દેડકા-દેડકીનાં છૂટાછેડા કરાવીને પાછો મોકલી આપે!
જોઉં હવે આ વર્ષે મને બોલાવે તો જવું કે નહીં અને જાઉં તો પણ કેટલા દિવસ રોકાવુ. જશ જ નહીં મળે મને તો!
હવે મને પણ ગુસ્સો આવે છે, સમય નજીક છે એટલે રામાયણ શરૂ થશે. તારી રીતે સમજાવી દેજે આ ધરતીનાં બની બેઠેલાં માલિકોને, મારી કદર ન કરે તો એક દિવસ ભૂખે મરવાનો વારો આવશે,પછી મને દોષી ન ગણતાં તમે કોઈ પણ.
બસ અત્યારે આટલું જ.
આભાર.
લિ.આપનો આજ્ઞાંકિત,
વરસાદ ઉર્ફે મેહુલિયો.
*”**–વંદના વાણી.(નિર્ણાયક શ્રી)
***†************************** ***********
*વિભાગ*.. પદ્ય
*NG No.*- 8
*શીર્ષક* નિરાંત ની પળ
જોઈએ છે મારે નિરાંતની પળ,
નિરાંત છે એ કોઈની પાસે?
રોજ જન્મ લેતી નવી ઈચ્છાઓ,
સમય છે એનો કોઈની પાસે?
પૂરી કર્યા છતાં અપૂર્ણ જવાબદારીઓ,
સંતોષ છે એનો કોઈની પાસે?
હાસ્યમાં મિલાવટ કરી કરી,
બચી છે ખુશી કોઈની પાસે?
કમાયા ખૂબ આં દોડભાગમાં,
ખરીદવી છે, વેચવા છે કોઈની પાસે?!
જોઈએ છે મારે નિરાંતની પળ,
નિરાંત છે એ કોઈની પાસે?
મનીષ વોરા ‘ અભિવ્યક્તી ‘ (સહ સંચાલક શ્રી)
****************************** **********
તંત્રી લેખ માટે હતું પણ અહી મુકું છું.
વિભાગ : બોધ (સત્ય ઘટના)
શીર્ષક : આત્મમંથન..માનવતા ની મહેક..
🌷NG : 01
વાંચવા જેવું અને સમજવા જેવી વાત…….
આજે દેવાંગ ની આંખો વાતો કરતા કરતા ભીની થઇ જતી હતી…..
મેં કીધું દોસ્ત…કેમ આજે ઢીલો છે….
કંઈ નહીં દોસ્ત…. *આવક કરતા જાવક* વધી રહી છે!
આર્થિક મંદી ના બહાના હેઠળ *ત્રણ વર્ષ થી પગાર-વધારો* નથી થયો, બજારમાં *નવી નોકરી* જલ્દી મળતી ન હોવાથી તેનો *લાભ કંપનીઓ* ઉઠાવી રહી છે.
*નોકરી/ધંધા ની અનિશ્ચિતતા* વચ્ચે સ્વભાવ *ચીડિયો* થઈ ગયો છે. *બનાવટી હાસ્ય* લઈને એક હરતી ફરતી લાશ સમાજ વચ્ચે ફરે છે. દૂર દૂર સુધીતો કોઈ *આશા ના કિરણ* દેખાતા નથી.
ઘણી વખત આ *તકલીફો ને* કારણે વગર મફત નો *આપણો પરિવાર* ભોગ બને છે.!
દોસ્ત આવા સમયે *સંયમથી વર્તવું. ઓછું બોલવું…*
સાંભળ દોસ્ત
એક મહિના પહેલા ની વાત કરું તો..હું ડ્રોઈંગ રૂમમાં બેઠો હતો…અંદર ના રૂમ માં સ્વીટુ ભણતા ભણતા ઉભો થઇ તેની મમ્મી સાથે મસ્તી તોફાન કરતો હતો…
મારા હાથ માં *ઇલેક્ટ્રિક બિલ* હતું…બિલ ની *રકમ* જોઈ હું મુંઝાયો હતો….તેની વ્યવસ્થા ,ઉઘડતી *સ્કૂલે ફી* ની ચિંતા, *ઘર ના હપ્તા*, *મેડિકલેમ….*, ધંધામાં હરીફાઈ ને કારણે *આવકની અનિશ્ચિતતા!*, નોકરીઓ ઉપર *લટકતી તલવાર..* જાણે મગજ ઉપર અચાનક *આતંકી હુમલો* થયો હોય તેમ *ખર્ચ નું લિસ્ટ* આતંક માચવવા લાગ્યું….હું મારી જાત ઉપર *સંયમ ગુમાવતો જતો હતો.*
તેવા માં સ્વીટુ તેના રૂમ નો *પંખો અને લાઈટ* ચાલુ રાખી તે ક્યારનો મજાક મસ્તી તેની મમ્મી સાથે કરતો હતો…
હું ઉભો થયો અને મેં *બુમ મારી* કે, જે જગ્યા એ બેઠા નથી ત્યાં પંખા લાઈટ કેમ ચાલુ રાખો છો…?
સ્વીટુ ની સામે જોઈ હું બોલ્યો તારી આદત કેમ તું સુધારતો નથી ..આટલું બોલી તેના કાન ઉપર મારા થી એક થપ્પડ વાગી ગઈ…
આ થપ્પડ એટલી જોર થી વાગી કે સ્વીટુ ના કાન માંથી લોહી નીકળવા લાગ્યું….સ્વીટુ એટલે સાત વર્ષ નું બાળક તે મારી સામે જોઈ આંખ માંથી આંસુ પાડવા લાગ્યો…..
વાત નાની હતી છતાં પણ સ્વરૂપ તેનું ગંભીર બની ગયું
મારી પત્નિ પણ મને વઢવા લગી..તમે નાના બાળક ઉપર હાથ ઉપાડો છો એ આદત સારી નથી. *મારી ભૂલ મને સમજતા મિનિટ ની પણ રાહ જોયા વગર* સ્વીટુ ને
તેડીને હું ઝડપ થી નીચે ઉતર્યો…
પાછળ મારી પત્ની પણ બધા કામ બાજુ ઉપર મૂકી નીચે. ઉતરી…અમે એક્ટિવા ઉપર બેસી.ડોક્ટર પાસે ગયા. ફેમિલી ડોક્ટરે કાન માંથી લોહી બંધ ન થતું હોવાથી તાત્કાલિક સર્જનને મળવાનું કીધું. અમે સર્જન ના ત્યાં પહોચ્યા…..
સર્જને કીધું…..
સ્વીટુ સામે જોઈ કીધું..બેટા સ્કૂલ માં મારા મારી કરી ?
સ્વીટુ તો *મારી સામે* જોઈ રહ્યો..
*મેં ભીની આખે* મેં કરેલ ભૂલ વર્ણવી….ડોક્ટરે કીધું તમે ભણેલ થઈ આ હદ સુધી જાવ છો?
તમને ખબર છે..કોઈ વખત આખી જિંદગી ખોડ રહી જાય?
મેં કીધું સાહેબ *મારી ભૂલ* છે, સ્વીટુ ને સારું તો થઈ જશે ને ?
ડોક્ટરે ચેક કરી કીધું. …
હું મનોચિકિત્સક નથી પણ બાળક ની માનસિક હાલત ઉપરથી એટલું જરૂર કહીશ.. તેને *કાન કરતા દિલ ઉપર* વધારે *ઘા* વાગ્યો છે…
બાળક તમારું છે…છતાં પણ કહું છું..આવા સ્વીટ બાળક ઉપર તમે હાથ કેવી રીતે ઉપાડી શક્યા.? મારી પત્ની તો રડી પડી.. *રડવા નું મારે બાકી હતું..* હું ડોક્ટર દેખતા સ્વીટુ ને *ભેટી રડ્યો…. બેટા 🙏માફ🙏 કરી દે…..* થોડો સ્વસ્થ થઈ મેં કીધું સાહેબ *કેટલી ફી* આપવા ની ?
ડોક્ટર સ્માઈલ આપી બોલ્યા રહેવા દો .. *મારી ફી તમે નહીં ચૂકવી શકો?*
મેં કીધું સાહેબ…હું *પ્રયત્ન કરીશ…* આપ બોલો…
ડોક્ટર સાહેબ બોલ્યા, એક *વચન* આપો.. આજ પછી સંજોગો ગમેતેટલા *પ્રતિકૂળ* હોય પણ બાળક ઉપર હાથ નહીં ઉપાડો. *ગુસ્સો પણ ચાલાક છે એ નિર્બળ વ્યક્તી ઉપર જ વાર કરે છે….*
કોણ કહે છે ડોક્ટર *લૂંટે* છે ?
100 માંથી એક દાક્તર પણ *આવા ભગવાન* જેવા હોય છે..જે ફક્ત રૂપિયા માટે પ્રેક્ટિસ નથી કરતા…. *એક ધર્મગુરુ જ્ઞાન ન આપે એવું જ્ઞાન તેમણે એક વાક્યમાં કીધું.*
.”ગુસ્સો પણ ચાલાક છે એ નિર્બળ વ્યક્તી ઉપર જ વાર કરે છે….”….
વાત તો સાહેબ ની *સાચી* હતી
*નિર્બળ, લાચાર, વૃદ્ધ, અશક્ત* ઉપર વાર કરી આપણે શું સાબિત કરવા માંગીએ છીએ?
અત્યારે ચારે બાજુ દરેક *વ્યવસાય માં લોકો એ લૂંટફાટ અદારી છે* ત્યારે..આવો *પ્રેમાળ ઠપકો આપી અમને ભવિષ્ય માં આવી ભૂલ ન કરવાનું સમજાવનાર ડોક્ટર સામે હાથ જોડી* અમે ઉભા રહ્યા અને તેમનો આભાર માન્યો
ડોક્ટર સાહેબ બોલ્યા ..
*તમારા સંપર્ક માં કોઈ સારી વ્યક્તિ આવે તો આભાર ભગવાન નો માનવો..* કારણ કે, *તેની પ્રેરણા વગર આ શક્ય નથી…* બાકી પંદર દિવસ પછી ફરી બતાવી જજો…
સ્વીટુ સામે જોઈ ડોક્ટર સાહેબ બોલ્યા બેટા પપ્પા નું કહ્યુ હમેશા કરવાનું….બાકી હવે તારા પપ્પા તને મારે તો મને કહી દેજે…અમે બધા હસી પડ્યા…..
*નફા ના ધ્યેય* સાથે વ્યવસાય કરવાનો દરેક નો અધિકાર છે… પણ *સમય અને સંજોગો* જોઈને જો, તમારા દિલ માં *કરુણા ઉભી થાય તો તમારો મનુષ્ય જીવન નો ફેરો સફળ થયો છે..તેવું સમજી લેજો…*
દોસ્ત…ઘરે આવી સ્વીટુ ને ભેટી *ફરી રડ્યો.* તેના માથે હાથ ફેરવી *હું આખી રાત રડતો રહ્યો…*
વિચારતો હતો… *આવક કરતા ખર્ચ વધે તેમાં પરિવાર નો શુ વાંક ?*
*હીલ સ્ટેશન ઉપર ફરવા ન લઈ જઈ શક્યો* તો વાંધો નહિ ..પણ ઉનાળા માં *પંખો તો વાપરે કે નહીં ?*
દોસ્ત *દુઃખ તો ત્યારે થયું* જયારે હું તેના ભણવા ના રૂમ માં ગયો *એ ભણતો હતો પણ પંખો ચાલુ ક્યોં ન હતો ?*
હું સમજી ગયો..સ્વીટુ એ મને *હજુ માફ નથી કર્યો…..* અથવા તો *અંદર થી હજુ મારા થી ડરે છે ..*
મેં માથે હાથ ફેરવી કીધું…બેટા સ્વીટુ *પપ્પા ને માફ નહિ કરે ?* હવે પપ્પા કદિ તને નહીં મારે. પ્રોમિસ.
એ ભોળા ભાવે બોલ્યો…
જેન્ટલમેન પ્રોમિસ?
હું તેને ભેટી પડ્યો..કહ્યું
બેટા જેન્ટલમેન પ્રોમિસ.
મેં મારી *પત્ની સામે જોઈ કીધું…* એક સમય હતો *હું પણ અંધારા થી ગભરાતો હતો..* પણ આજે…સંજોગો બદલાઈ ગયા .. *આજે અજવાળું જોઈ હું ગભરાઈ જાવ છું !*
*ડાર્લિંગ..તું પણ.મને શક્ય હોય તો માફ કરી દે…*
કોઈ વખત *આવક.જાવક ના બે છેડા મેળવતી વખતે* માનસિક સંતુલન ગુમાવી દેવાય છે..
*આ મારી તકલીફ નથી ઘરે ઘરે મધ્યમવર્ગના પરિવારોમાં આવી તકલીફો છે..*
પણ હવે થી આવી ભૂલ કદી ન થાય *તેનું હું ધ્યાન રાખીશ.*
મારી આંખો પણ ભીની થઈ ગઈ હતી.બોલવા જેવા કોઈ શબ્દો જ ન હતા….કારણ કે *મધ્યમવર્ગ ની વેદના આપણે એક બીજા નહિ સમજીયે તો બીજું કોણ સમજશે ?*
પ્રદીપ રાવલ……તંત્રી, ગ્રુપ આયોજક,ગાંધીનગર
🙏- 🙏 -🙏*
***********†**************†*** ***********
“નેપટીઝમ” NG.No : 07
નેપટીઝમ…….!! એટલે સગાવાદ. હમણાં હમણાં આ શબ્દ ખૂબ પ્રચલિત થયો છે.સુશાંતસીંગ રાજપૂતની કહેવાતી આત્મહત્યા બાદ લોકજીભે ચઢેલો આ શબ્દ આજનો નથી.સદીઓથી પ્રચલિત છે.સદીઓ પહેલા ધ્રૃતરાષ્ટ્ર અને શકુનિના દુર્યોધન પ્રત્યેના સગાવાદને લીધે મહાભારત રચાયું.કૈકેયી અને મંથરાના ભરત પ્રત્યેના સગાવાદને લીધે રામે ચૌદ વરસનો વનવાસ ભોગવવો પડ્યો અને રામાયણ રચાયું.આજે આ નેપટીઝમ ઘરથી લઈને દરેકે દરેક ક્ષેત્રમાં ઘુસેલું છે.શાળા, કૉલેજ, ઓફીસોમાં,રાજકારણમાં દરેક જગ્યાએ જોવા મળશે.શાળામાં બાળક ભણવા જાય ત્યાંથી એણે આ નેપટીઝમનો સામનો કરવો પડતો હોય છે.વર્ગમાં હોંશિયાર કે ચબરાક, બોલકા, ચપળ કે પછી શિક્ષકોની ઓળખાણ ધરાવતા, શિક્ષકો પાસે પ્રાઈવેટ ટ્યુશન કરતાં વિદ્યાર્થીઓને લીધે બીજા નબળા કે ઓછા ચપળ બાળકોએ આ નેપટીઝમનો સામનો કરવો પડતો હોય છે.નાની ઉંમરને કારણે બાળકને સમજાતું નથી કે એની સાથે શું થઈ રહ્યું છે.પરંતુ આવા બાળકોના હ્રદયમાં એક ખૂણો કાયમ અંધારીયોજ રહી જાય છે.એની અંદરનો આત્મવિશ્વાસ ક્યાંક સતત ઘવાયેલો રહે છે અને આડકતરી રીતે એના વિકાસમાં આ નેપટીઝમ અવરોધક બને છે.એવીજ રીતે કૉલેજોમાં પણ બને છે.આજની આ સ્પર્ધાત્મક દોડમાં જ્યારે કોઈક વિદ્યાર્થી પાછળ રહી જાય છે ત્યારે તે હતાશા અનુભવે છે અને જો આ હતાશા ચરમસીમા પર પહોંચે ત્યારે એ આત્મહત્યામાં પરિણમે છે.ઓફીસોમાં કામ કરવાની જગ્યાઓ પર આ દૂષણ ખૂબજ ભયંકર રીતે ફેલાયેલું છે.એવું નથી કે આ નેપટીઝમ ફક્ત નબળા કે ઓછી આવડતવાળા લોકો સાથે થાય છે. મોટેભાગે આ દૂષણનો ભોગ વધારે હોંશિયાર અને પ્રવૃત્તિમય લોકો સાથે થાય છે.એકજ જગ્યા પર એક સાથે કામ કરતા માણસોનો સ્ટાફ હોય અને એમાં જો કોઈ એક વ્યક્તિ એના ઉપરીને વધુ પ્રિય હોય તો સ્ટાફના બીજા બધાંજ એ વ્યક્તિની વિરુધ્ધ ઊભા રહી જાય છે.પ્રત્યક્ષ રીતે કંઈ ન કરી શકાય એમ હોય તો પરોક્ષ રીતે એ વ્યક્તિને બધાજ ભેગા થઈને જુદી જુદી રીતે હેરાન કરે છે.અને કોઈપણ રીતે એ વ્યક્તિને એકલો પાડી દેવામાં આવે છે.નેપટીઝમ પાછળનું મુખ્ય કારણ ઈર્ષ્યા હોય છે.આવુંજ દૂષણ સામાજીક સ્તરપર ઘરમાં સંયુક્ત કુટુંબોમાં ઘણીવાર જોવા મળે છે. હવેતો જોકે સંયુક્ત કુટુંબો બહુજ ઓછા છે પરંતુ જે પણ છે તેમાં આજે પણ કુટુંબમાં દેરાણી જેઠાણી મળીને નણંદ સાથે,અથવા નણંદભોજાઈ મળીને ઘરની બીજી સ્ત્રીઓને પાછળ પાડવાનો પ્રયત્ન કરે અથવા મા દીકરી મળીને ઘરની વહુને હેરાન કરે.આ રીતે નેપટીઝમ સગાવાદનું દૂષણ આજે તમને ઘરે ઘરે ગલીએ ગલીએ જોવા મળશે.અરે ઘણીવાર તો મિત્રવર્તૃળમાં પણ આ નેપટીઝમ થતું હોય છે.ચારપાંચ મિત્રોનું ગ્રુપ હોય તો કોઈ એકને ટાર્ગેટ કરી એને ગમે તે રીતે પછાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ દૂષણનો આજ દિવસ સુધી કોઈ તોડ મળ્યો નથી. પરંતુ આ દૂષણને નાથવા માટેના પ્રયત્નો કરવા જરૂરી છે અને એની શરૂઆત આપણે ઘરથીજ કરવી પડશે. આપણા બાળકોને ઘરમાંથીજ એવી વિચારસરણી સાથે ઉછેરવા જોઈએ કે ઈર્ષ્યા, વેરવૃત્તિથી હંમેશા દૂર રહેવું,ખેલદિલી કેળવવી,બીજાની જીતને અને પોતાની હારને સ્વીકારતા શીખવું જોઈએ.સાચી મહેનત કરનાર વ્યક્તિને યોગ્ય માન સન્માન મળવુંજ જોઈએ ભલે પછી એ કોઈપણ વર્ગમાંથી આવતો હોય.આપણા કરતાં નબળા વર્ગને કે વ્યક્તિને આપણે સાચવી લેવો જોઈએ.આ વિચારો સાથે ઉછેરેલા યુવક યુવતીઓ જો સમાજને આપશું તો મને ખાતરી છે કે દેશમાં એક તંદુરસ્ત વિચારસરણીવાળો સમાજ આકાર પામશે. અને છાપાઓમાં નેપટીઝમને લીધે થયેલી આત્મહત્યાના સમાચારોજ કદાચ કાયમ માટે બંધ થઈ જાય.©️
લેખિકા: આરતી મરચંટ..મુંબઈ:(સહ સંચાલક શ્રી)
****************************** ************
*વિભાગ:ટૂંકીવાર્તા*
*શીર્ષક : તત્ક્ષણ*
*NG No*:*04*
ટૂંકી વાર્તા…
તત્ક્ષણ ..
અરે સખી …ન સમજી ને મારી વાત પામવું ..એટલે ખુશી થી ને છીનવવું એટલે નામરજી થી..આજ એવું જ કંઈક ક્ષણ માટે થયું .મારા એક મિત્ર ના જીવનમાં ઘણા જ ઉતાર ચઢાવ આવ્યા,દસકો સુખ તો દસકો દુ:ખ જોયા પછી બે પૈસે એ સુખી થયા ત્યા તો એના નસીબ મા એક એવો પ્રસંગ આવ્યો કે એતો આસમાનમાં વિહરવા લાગ્યા.તેઓને આજ તીન પત્તી ની રમત મા જેકપોટ જ લાગી ગયો,હવે શુ કરવું ???
ઘણા વરસો પહેલા પત્ની એટલે કે મારી સખીએ એમને તીનપત્તી ન રમવાના સોગંદ આપ્યા હતા ને તેઓ તેમના સ્વભાવ પ્રમાણે છાનામાના એમને શોખ પૂરો કરી લેતા.આજ સવારથી મારી સખી બેચેન હતી ન સમજાય તેવી મુઝવણ મા ..તેણે બે થી ત્રણ વાર મને તત્ક્ષણ ઘરે આવીજા નો મેસેજ કર્યા …પણ મારો ફોન આજે જ કામ નહોતો કરતો…પતિદેવ ને પણ તત્ક્ષણ બોલાવ્યા પણ તે ચૂકી ગયા…અહીં તત્ક્ષણ મળેલી રકમ ઘરે કયા બહાને લઈ જવી??
હિંમત કરી પતિ દેવ પહોંચ્યા ઘરે પણ …જુએ છે..તો મારી સખી લક્ષ્મી એ લક્ષ્મી જે તત્ક્ષણ મળી હતી જે અસ્તેયના પગે ચાલી ને આવી હતી તેના સ્વાગત માટે આ દુનિયા માંજ નહોતી રહિ….મારો ફોન રણક્યો …તેના મેસેજ રણક્યા ને હુ તત્ક્ષણ મારૂ ઘર …છોડી એના ઘર તરફ દોડી પણ…જીવનની એ દોડ મા “તત્ક્ષણ” માટે હુ મોડી પડી ગઈ…પતિદેવનુ તો અસત્ય થી પામેલી લક્ષ્મી પણ “તત્ક્ષણ” છીનવાઈ ગઈ..!!
*જયશ્રી પટેલ* (નિર્ણાયક શ્રી)
*******************
*NG/2*
*અસ્તિત્વની ઓળખ*
અસ્તિત્વને ઓળખવા માટે જ્ઞાનની જરૂર હોય છે .
જ્ઞાન ત્રણ પ્રકારનાં હોય છે “આત્મજ્ઞાન, ગુરુજ્ઞાન અને બુદ્ધિજ્ઞાન,” જયા રે વ્યકિતને આત્મજ્ઞાન મળી જાયછે ત્યારે તે પોતાનાં અસ્તિત્વને પણ ઓળખી લે છે .
જે વ્યકિતએ જીવન મા બહુ સંઘર્ષ કર્યો હોય એને ઓળખવા માટે આંખોની નહીં પણ અસ્તિત્વની જરૂર પડે છે . અસ્તિત્વ તો જન્મથી જ બંધાયેલું છે. વ્યકિતએ કરેલાં કર્મથી જ એનું અસ્તિત્વ ઓળખાય છે. સારી ઓળખ માટે સતકર્મ કરેલા હોવા જોઈએ અસ્તિત્વ એક ગરીબને પણ હોય છે ને કરોડપતિને પણ અને એના વિચારોથી એનું અસ્તિત્વ પ્રગટ થાય છે. અસ્તિત્વ એની જાતે નથી ઉભરાતું એમાં જાન નાખવો પડે છે . એનાં સંઘર્ષમય જીવનથી જ એનું અસ્તિત્વ ઊંભરે છે. અસ્તિત્વને ઓળખવા માટે યોગીઓએ બહુ તપ કર્યા , સંસાર છોડયા અને અસ્તિત્વ જયારે હાથમાં આવ્યું ત્યારે તેઓ યુગપુરૂષ બની ગયાં. એનાં અનેક ઉદાહરણ પણ છે , જેમકે અબ્દુલ કલામ,સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, ડોંગરે મહારાજ વગેરે એમનાં જેવાં યોગીઓએ નામનાં મેળવી છે.
જયારે કોઈ વ્યકિત યુગ પુરુષ બને છે ત્યાર પછી એને જે શાંતિ મળે છે એ રણમાં ગંગાજળ મળ્યા બરાબર છે. નહીંતર માનવી આખી જિંદગી મૃગજળ પાછળ દોટ મૂકે છે પણ પરિણામે શૂન્ય , હાથ હંમેશાં ખાલી આવું એક અસ્તિત્વ આપણાં ઘરમાં જ છે , આપણી પોતાની”માતા” , આપણી માતાએ કોઈપણ સ્વાર્થ વગર એક માળીની જેમ આપણું જતન કર્યુ , આનાં અસ્તિત્વની કદર કોને કરી? જો તમે એમ માનતાં હોય કે એની સેવા કરવાથી માતૃૠણ અદા થઈ જશે તો એ નરી મૂર્ખતા છે કારણ આ એક એવું ૠણ છે જે કદી ચૂકવી શકાતું નથી . કદાચ એનાં અસ્તિત્વને ઓળખશો તો તમને તમારું અસ્તિત્વ ઓળખાય જાય!
જયાં સુધી તમે તમને પોતાને નહીં ઓળખો ત્યાં સુધી તમને તમારુ પ્રતિબિંબ અલગ લાગશે.
તમને થશે મારું અસ્તિત્વ મારા પૂરતું જ સીમિત છે પણ જયારે ખુલ્લા આકાશમાં વિહરશો ત્યારે તમને તમારાં અસ્તિત્વનું ભાન થશે .
રોજ રોજની આ દોડધામભરી જિંદગીમાં પોતાની જાત સાથે વધારે નહીં પણ માત્ર દસ મિનિટ બેસવાનું રાખશો ત્યા રે તમે શું કર્યુ એની દિનચર્ચા તમારી આંખોની સમક્ષ હશે એમાં તમે શું ભૂલ કરી એ સમજાશે અને તેને સુધારવાનો મોકો પણ મળશે . આમ તો આપણે સમજીએ છીએ કે “માણસ માત્ર ભૂલને પાત્ર “તો આપણે કોઈ સારી ભૂલ કેમ કરતાં નથી? જેનાંથી બીજાનું દિલ ન દુભાય અને ખુશી મળે ! જયારે માનવી આવી સારી ભૂલો કરતાં શીખી જશે એજ એનું સાચું અસ્તિત્વ હશે અને મનુષ્ય તરીકેની સાચી ઓળખ હશે અને આ એજ ઈશ્વરે મનુષ્ય માટે બનાવેલું અસ્તિત્વ હશે! હે માનવ તું ઈશ્વર નહીં પણ મનુષ્ય બને તો પણ ઘણું છે અને ઈશ્વરે ચીંધેલા કાર્ય કરો તો પણ તમારાં જેવો ભાગ્યશાળી બીજું કોઈ નથી . માટે મિત્રો , તમે પણ તમારા આંતરમનને ઓળખીને સતકર્મ કરીને આગળ આવશો તો યુગપુરૂષ બનતાં તમને કોઈ રોકી નહીં શકે……
જીજ્ઞા કપુરિયા નિયતી (સંચાલક)
**********
નોધ : વાંચક મિત્રો સાહિત્ય વિભાગ ની પ્રસ્તુતિ,પ્રસિદ્ધિ બાબતે પોતાના અભિપ્રાય,સૂચન તંત્રી શ્રી ને ઈમેલ કરી શકે છે અથવા ગ્રુપ એડમીન ને પણ જણાવી શકે છે.વોટ્સ અપ (9824653073)
Email : prdpraval42@gmail.com