GN_01-7-20 ( NEWS OF GANDHINAGAR PDF)
વિજેતા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન
એડમિન પેનલ.
*ગ્રુપ સંચાલક શ્રી : જીજ્ઞા કપુરીયા,* નિર્ણાયક શ્રી : જયશ્રી પટેલ.વંદના વાણી,કિશોર ઠક્કર * સહ નિર્ણાયક શ્રી : આરતી મરચંટ,આરતી રામાણી * સહ સંચાલક શ્રી: પ્રણવ ઝાંખર,મનીષ વોરા
ગ્રાફિક્સ,ડીઝાઇન : પ્રણવ ઝાંખર
વિષય :-કહેવત
પ્રેમની પીડામાં વૈદુના ચાલે….🌸
પ્રેમ જેટલો આનંદ આપે છે ઘણીવાર ઘણું દર્દ પણ
આપે છે.એ પીડા એટલી અસહ્ય હોય કે નથી કોઈને વર્ણવી
શકાતી કે નથી કોઈ એનો ઈલાજ કરી શકતું.ડૉકટર.. વૈધ
કોઈપણ જોડે તેની દવા હોતી નથી…જીવનમાં ઘણીવાર એ પીડા આપણને એકજ રૂપમાં મળે એવું નથી.
દીકરી જ્યારે એના માબાપનો પ્રેમભર્યો હાથ છોડી સાસરી વિદાય થાય છે ત્યારે પણ એ પીડા અનુભવે છે…એની એ પીડાનો કોઈ ઇલાજ નથી કોઈ ગમે તેટલું
કરે પણ માબાપ સરીખો પ્રેમ નાજ આપી શકે…
દોસ્તોથી અલગ થવાની પીડા પણ ના ઈલાજ હોય છે…જીવનમાં દરેક વ્યક્તિનું અલગ અલગ સ્થાન હોય છે ને
પ્રેમ પણ અલગ અલગ રૂપે …એટલે કોઈના પ્રેમમાં મળેલી પીડા કોઈ ઓછી નથી કરી શકતું. પછી એમાં કોઈ ઈલાજ કામ નથી આવતો એતો સહન કર્યેજ છૂટકો.
બે વ્યક્તિ જ્યારે એકબીજાને અનહદ પ્રેમ કરતી હોય
પણ કોઈ કારણસર બન્ને ને અલગ થવું પડે તો દુનિયા વિચારે
એમાં શું થયું પણ એની જે પીડા હોય એતો એ બન્ને જાણતા હોય કે ના પીડાનો કોઈ ઈલાજ કરી શકાય કે ના સહી શકાય
એ વ્યક્તિ અસહ્ય વેદના વચ્ચે જીવે પણ એનું કોઈ વૈદુ
ના હોય…..
શીલા પટેલ ….🌸…ગાંધીનગર
*****”************************ ************
*સ્પર્ધા નં ૮
*કહેવત*
*પ્રેમની પીડામાં વૈદું ચાલે નહિ*
ઉપરોકત કહેવત પરથી કહી શકાય કે આ અઢી અક્ષરનો શબ્દ એવી પીડા આપે છે કે તેનું નિદાન કોઈ વૈદ પાસે નથી જ. પ્રેમનો નિદાન માત્ર ને માત્ર પ્રેમ જ છે. પ્રેમ એ ગમે ત્યારે, ગમે તે સ્થળે, ગમે તે ઉંમરે આપોઆપ થઇ જાય છે.એક વખત જો પ્રેમ થઈ ગયો તો બસ!! ‘ પ્રેમ છે તો પીડા છે, પીડા છે એટલે પ્રેમ નથી અને જ્યાં પીડા છે ત્યાં પ્રેમ છે અને જ્યાં પીડા નથી ત્યાં પ્રેમ પણ નથી.
” જો પ્રેમ મળે તો ઠીક,
નહિ તો પછી પીડા થવાની બીક,
બસ આ જ છે જીવનની રીત,
એવી જ છે આજની પ્રિત!!”
પ્રેમ એ ભાઈ – બહેન, માતા – બાળક એમ તમામ સબંધો વચ્ચે પ્રેમ છે જ.જ્યારે ભાઈ કોઈ વાત માટે બહેનને રોકે છે તો તે પ્રેમ છે , માતા બાળકને કોઈ વાત માટે વઢે છે તો એ પ્રેમ છે.ત્યારે જે પીડા માંને થતી હોય છે એ સાચો પ્રેમ છે .એની દવા કોઈ વૈદ પાસે નથી. એ પીડા માત્ર અનુભવી શકાય છે !!
✍ – નાથબાવા ચાંદની સોમનાથ “ચાંદ”
* માંડવી કચ્છ
***†************************** ***********
ન્યુઝ ઓફ ગાંધીનગર
સ્પર્ધા નંબર-૮
વિભાગ- કહેવત
શીર્ષક-“પ્રેમરોગ”(કહેવત પરથી વાર્તા)
*પ્રેમની પીડામાં વૈદું ચાલે નહિ*
જય આઠ દિવસની રજા લઈ ઘર તરફ રવાના થયો,કારણકે તેના પપ્પાએ તેના માટે ત્રણ-ચાર છોકરીઓ જોવાનો પ્લાન કરી રાખ્યો હતો અને છોકરી ગમે તો સગાઇ પણ કરી દેવી.
આજ તો જયને પોતાનાં પર ખીજ ચઢતી હતી કે,પોતે કેમ પપ્પાને સ્પષ્ટ ન કહી શક્યો કે,પોતે જિયાને પ્રેમ કરે છે ને લગ્ન પણ તેની સાથે જ કરશે.” ખેર હવે જઈશ ત્યારે રૂબરૂ કહી દઈશ એમ મનોમન વિચાર્યું.
ઘરે પહોંચતા બીજા દિવસથી ચાર- પાંચ છોકરીઓ જોવાનો પ્લાન હતો તે મુજબ છોકરીઓ જોઈ પણ ખરી. હવે પપ્પાને જિયા વિશે કેમ કહેવું?ગુસ્સે થઈ જશે તો? તેના સ્વભાવ મુજબ. એ અવઢવમાં જય બે દિવસ થયા પોતાના રૂમની બહાર પણ નહોતો નીકળ્યો.
આજ તો પરાગભાઈ જયના રૂમ પર આવ્યા અને કહેવા લાગ્યા,”જય તે શું નક્કી કર્યું? કઈ છોકરી તને વધારે ગમી? પણ પહેલાં એ કહે તને થયું છે શું? તારી હાલત તો જો? બે દિવસ થી નીચે નથી ઉતર્યો,સરખું જમ્યો પણ નથી! આ તે કેવો રોગ!”
ત્યાં પાછળ થી મોટા દીકરાની વહુ કેતકી બોલી,”પપ્પાજી, જયભાઈને પ્રેમરોગ લાગુ પડ્યો છે.(મોબાઈલ દેખાડતા)આ જુઓ જિયાનો ફોટો જયભાઈ સાથે જોબ કરે છે,ને આપણાં જયભાઈ તેને દિલ દઈ બેઠાં છે.” હવે સમજાયું? પ્રેમની પીડામાં વૈદું ચાલે નહિ.”
પૂજા(અલકા)કાનાણી.મીઠાપુર.
****************************** ************
: *કહેવત સ્પર્ધા -૮*
*પ્રેમના પીડામાં વૈદું ચાલે નહિ.*
પ્રેમ એટલે લાગણી.
એકબીજા તરફથી લાગણીઓનું ઊછળતું પૂર.
પ્રેમ મા અને દીકરા- દીકરીનો,બાપ અને દીકરા- દીકરીનો, મિત્ર-મિત્રનો,ભાઇ-બહેનનો, કોઈ જગ્યા, વસ્તુ ,રૂપિયા ,પ્રાણી-પક્ષી સાથેનો પ્રેમ…વિગેરે પ્રેમ આ જગતમાં જોવા મળે છે.
પ્રેમના કારણે અપેક્ષાઓની અશક્યની દુનિયા બની જાય છે. માણસ પ્રેમની એટલી બધી મહત્વાકાંક્ષા વધારી છે કે અપેક્ષાઓના દરિયામાં દુઃખ મળે છે. જેમ દરિયાના પેટાળમાંથી મોતી મળે તેમ.
વધુ પડતા પ્રેમના કારણે દુઃખ મળે છે. દુઃખની દવા શું હોઈ શકે? પ્રેમના રોગની દવા પ્રેમ જ હોઈ શકે.
શબરી રોજ એઠાં બોર ચાખીને ભેગા કરે છે. મારા રામ ક્યારે આવશે? તે એક પ્રેમની જે પીડા છે.એ પ્રેમની પીડા માટે રામ ભગવાન એઠાં બોર ખાઈને પ્રેમ રૂપી ભક્તિથી ઉપચાર કરે છે.
દ્વારકામાં કૃષ્ણ ભગવાનને સુદામા મળવા જાય છે. ત્યારે પોતે કૃષ્ણ ભગવાનની જાહોજલાલી જોઈને તેમના માટે પ્રેમથી લાવેલા તાંદુલ સંતાડે છે. સંતાડેલા તાંદુલમાં કૃષ્ણ ભગવાનને મિત્રતાનો પ્રેમ દેખાય છે. પ્રેમના કારણે તાંદુલમાં છપ્પનભોગનો સ્વાદ ભળે છે.
નવજાત શિશુ મા વગર રોતું હોય છે. બીજાં લોકો ગમે તેટલા પ્રયત્નો ,લોભ- લાલચ આપે પણ તે શાંત થતું નથી. જ્યારે મા આવીને તેને મમતાનો પાલવ પાથરીને હાથ ફેરવે છે. તે શાંત થઈ જાય છે. આમ, પ્રેમની પીડામાં વૈદું ચાલે નહીં.
✍️ ‘ચેતના’
ચેતનાબેન મનોજકુમાર પંચાલ
પાલનપુર