GN_27_6-20 PDF FILE (News of Gandhinagar
ટૂંકા સમય માં એડમીન ગ્રુપ ની ટીમ.ખુબજ સમય આપી,એકબીજા થી સંપર્ક મા રહી,દરેક ની સહમતી સાધી ને આજે ગદ્ય,પદ્ય, કહેવત,સુભાષિત,બાળ સ્પર્ધા,રચનાઓ,લેખ,કરંટ ટોપિક,ચિત્ર પરથી લેખ..અને સાતેય દિવસ નું reporting….such a grateful to all admin team….Thanks to Jigna kapuriya….as a successful Administrator.
ન્યુઝ ઓફ ગાંધીનગર સાહિત્યિક વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ બધાં એડમિનને આજે સન્માનપત્રથી નવાજવામાં આવ્યાં છે.
🌹🌹🌹🌹🌹
આયોજકઃ પ્રદીપભાઈ રાવલ
🌹🌹🌹🌹🌹
સંચાલક : જીજ્ઞા કપુરિયા
🌹🌹🌹🌹🌹
નિર્ણાયક:જયશ્રી પટેલ
કિશોરભાઈ ઠકકર
વંદના વાણી
🌹🌹🌹🌹🌹
સહ સંચાલક:મનીષ વોરા
🌹🌹🌹🌹🌹
ગ્રાફિક ડિઝાઇનર (સહ સંચાલક)
પ્રણવ ઝાંખર
🌹🌹🌹🌹🌹
સહ નિર્ણાયક:આરતી રામાણી
આરતી મર્ચન્ટ
આપ સર્વને આજે સન્માનિત કરતાં હર્ષ સાથે આનંદ થાય છે.
🌹🌹🌹🌹
તંત્રી :*પ્રદીપભાઈ રાવલ*
..heartly congratulation to all admin supporters..
https://m.facebook.com/story.php?story_fbid=589122055341889&id=100027322995343
(ઉપર ની લીંક માં એડમીન ટીમ certificate chhe)
******************************************
*****************************************,
(સાહિત્ય વિભાગ મા ૩૦ જૂન.૨૦ તારીખ સુધી મેમ્બર થવા માટે રૂ.૨૦૦ મેમ્બર શીપ,તે પછી આવનાર ને રું.૫૦૦ ડીસે.૨૦૨૧ સુધીના ચાર્જ લાગશે..તંત્રી)
**********એડમીન ગ્રુપ ટીમ*****************
ગ્રુપ સંચાલક : જીજ્ઞા કપુરિયા
નિર્ણાયક શ્રી : જયશ્રી પટેલ,વંદના વાણી,કિશોર ઠક્કર
સહ નિર્ણાયક શ્રી : આરતી મરચંટ,આરતી રામાણી
સહ સંચાલક : પ્રણવ ઝાંખર.મનીષ વોરા
ગ્રાફિક્સ,ડીઝાઇન : પ્રણવ ઝાંખર
*****†************************ **********
ન્યુઝ ઑફ ગાંધીનગર.સાહિત્ય વિભાગ…
કચ્છી નવું વર્ષ, અષાઢી બીજ નિમિત્તે કચ્છી ભાષાની મોજ માણો….
‘માડી’
ફેસબુક તે હકડો છોરો પંઢજી ‘માડી’જો ફોટુ વજીને લખે ક :-
‘માડી’લા આઉં કોરો લખાં, જે મૂકે લખે આંય,’
કમેન્ટ જે ત ખાને મે ,ધલજી ઇમોજી નમનજો, ગુંગે જો ચતર, ધજ હેડી મડે લખેલી ને કૉપીપેસ્ટ કરેલી ટપ્પણીયું વરસેલા લગયું.ઘણે વખત સુધી આભાર, પ્રતિ:- આભાર જેડી ઓપચારિકતા જે વચ્ચે થઇ,અગીયા અચીને હી છોરેજી માડી પણ કૅમેન્ટ જે ખાને મેં ધબકી પઈ.
મોઆ, રોઆ…. તું કોરો લખને મું મથે ..! તું હકડે નંમર જો નકામો, કુડો અંઇએ. મુંઆ તેરો(૧૩) વરે સુધી ત તું તોજો લૅસન પણ તોજી માડી વટા પૂરો કરાય આય.
તોજી માડી મડે કમ છડીને, તોજો લૅસન કરી ડને ત કે, તોકે નિશાળ મેં માર ન પે. તોજે વસમે કી નાય લખેજો… પોતર મુજા, તું તા રોગા ગૅલેરી મે થી ચતર કઢ અને વજ.જે છોરો ખાઇને કેર પણ પંઢજી થારી ધુઇને નાય ઓપાડે ને ટુઆલથી મો સાફ કરેજી બધલે, મુંજે છાલ સે મોં સાફ કે આંય, હી કોરો લખધો ..! જે પંઢજી છપાટ પણ ખોખે મેં થી કઢેજી કુડાઇ કઇને મુજી વડી છપાટ પે’રીને રમેલા ભજી વનધો હોય..
જે વછાણ તે ઘણો વખત સુધી મોતર રોકીને પ્યો રોધો વો, ને માડી મુકે કૅર પંઢજે ઓખણમેં ઓપાડીને મોતર કરાઇને પાછો વછાણ તે સોમારી દે. હી કોરો લખધો ભલાં….
પોતર હાણે તોજી પોસ્ટ પણ મુકે જ લખણી પોંધી … કીં.. ક તો કે મુજો હેવા થઈ વ્યો આય.
કુડા….બ્યો કીં લખી ડિયા ક બ વેણ પણ તું મુલા કરીને લખને હાણે..!
*”હિરછાંય”*
છાયા શાહ.. મુંબઈ.
*************************†**** **********
શીર્ષક : આત્મહત્યાને કહો ના!
થ્રી ઇડિયત મુવીનો ખુબ જ ફેમસ ડાયલોગ છે કે “યહાં કિતના પ્રેશર પડતા હોગાકી યહાં પ્રેશર કરનેકો જી ચાહતા હે” હા એ મગજ પર ઇશારો કરે છે જ્યારે મગજ કશું સહન નહિ કરી શકતું હોય ત્યારે જ એ ગળા પર પ્રેશર કરી જિંદગીનો અંત આણવાનો વિચાર કરે છે.
સુશાંત સિંહ રાજપૂત જ નહિ હું દરેક એ વ્યક્તિ માટે દુઃખી છું કે જે આત્મહત્યા કરવા પ્રેરાય છે. આખરે કેમ? કેમ તમે જીવનને પ્રેમ નથી કરી શકતા? જીવનમાં પોતાનું પ્રિય પાત્ર ન મળવું? યોગ્ય નોકરી ન હોવી, માથે દેવું હોવું, ઝઘડાળુ કે પછી શંકાશીલ પતિ કે પત્ની હોવું આ બધું જ એક ચોક્કસ સમયે બદલાય છે. કુદરત એક ચોક્કસ સમયે તમને ને પાત્ર ગમતું હોય એના કરતાં પણ વધુ પ્રેમ કરનાર કોઈકનું નિર્માણ કર્યું જ હોય છે જે એના યોગ્ય સમયે મળી જ જાય છે તમને.
જીવનમાં જ્યારે સુખ અને દુઃખ જરૂર કરતાં વધારે આવી જાય છે ત્યારે એને વહેચવું ખૂબ જરૂરી બની જાય છે અને જીવનમાં મિત્ર હોવા એના જેવી બીજી કોઈ સોગાદ નથી જીવનની તો દિલ ખોલીને મિત્ર સાથે વાત કરી લેવી. અને હાં આવી વાત એવા મિત્રને કહેવી જે આપણને સમજે, સાંભળે જજ કર્યા વગર.
ભાવના પટેલ.”વલસાડી વાદળ”
****************************** ***********
*Father’s Day Special*
*NG/0030*
સ્પર્ધા વિભાગ : *પદ્ય / મૌલિક રચના*
શીર્ષક : *પપ્પા તમારી અહેમીયત સમજાઈ…*
જ્યારે થયો હું મોટો મને ક્યાં હતી ખબર કે,
મારા જીવનનું એ થયેલું મોટું ઘડતર છો તમે.
ના કર્યું મેં ખોટું ક્યારેય ત્યારે ના સમજાયું કે,
મારામાં કરેલા એ સંસ્કારોનું ચણતર છો તમે.
થઈ ગઈ મારાથી ભૂલ મોટી તો સમજાયું કે,
મને આપેલી એ શીખમણોનું ગણતર છો તમે.
મે જ્યારે મેળવ્યું બધું ત્યારે તો અનુભવાયું કે,
મારી કરેલી દુઆનું એ મળેલું વળતર છો તમે.
જ્યારે કહેવાયા અમે સંતાન તમારા તો થયું કે,
અમને ઉછેરીને કરેલું એ મોટું લણતર છો તમે.
©ધિરેનકુમાર કે. સુથાર “⛓️ધીર⛓️”
“D.K……” – વડોદરા
****************************** **********
*ન્યૂઝ ઑફ ગાંધીનગર*સાહિત્ય વિભાગ
ID : NG 0027
કરંટ ટોપિક :- *ભારત-ચીન સરહદે વીરગતિ પામેલા વિરો*
15મી જૂન 2020ની રાત્રે એક પણ ગોળી છૂટ્યા વગર ભારત-ચીનની સેના વચ્ચે થયેલી હિંસક ઝડપમાં મોટા પાયે જાનહાની થઈ.એમાં વીરગતિ પામેલા આપણાં 20 અકલ્પનીય બહાદુરી ધરાવતા પુત્રો વિશે જાણીએ.જેમણે દેશ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું.
(1) *કર્નલ બી સંતોષબાબુ*
16 બિહાર રેજીમેન્ટના કમાન્ડિંગ ઑફિસર હતા. તે તેલંગણાના હૈદરાબાદના રહેવાસી હતા.
(2) *નાયબ સુબેદાર મનદીપસિંહ*
2 મીડિયમ રેજીમેન્ટના મેમ્બર હતા. તે પંજાબના પટિયાલાના રહેવાસી હતા.તે 1997માં ભારતીય સેનામાં ભરતી થયા હતા.
(3) *હવાલદાર કે પલાની*
81 ફિલ્ડ રેજીમેન્ટના સદસ્ય હતા.તે તામિલનાડુના મદુરાઈના રહેવાસી હતા.
(4) *હવાલદાર વિપુલ રૉય*
81 માઉન્ડ બ્રિગેડ સિગ્નલ કંપનીના સદસ્ય હતા.તે યુપીના મેરઠના નીવાસી હતા.મૂળ વેસ્ટ બંગાળના અલીપુર દ્વાર જિલ્લાના રહેવાસી હતા.તેઓ 2003માં ભારતીય સૈન્યમાં જોડાયા હતા.
(5) *સિપાહી કુંદનકુમાર ઓઝા*
બિહારના ભોજપુરના બીહિયા સ્ટેશન ક્ષેત્રના પહરપુર ગામના રહેવાસી હતા.તેઓ 2012માં ભારતીય સૈન્યમાં જોડાયા હતા.
(6) *સિપાહી અમનકુમાર*
બિહારના સમસ્તીપુર જિલ્લાના રહેવાસી હતા.તેઓ 2014માં ભારતીય સૈન્યમાં જોડાયા હતા.
(7) *દીપકકુમાર*
16 બિહાર રેજીમેન્ટના સદસ્ય હતા.તેઓ 2012માં ભારતીય સૈન્યમાં જોડાયા હતા.
(8) *સિપાહી ચંદનકુમાર*
બિહારના ભોજપુર જિલ્લાના રહેવાસી હતા. તેઓ 2017માં ભારતીય સૈન્યમાં જોડાયા હતા. *તેમના 3 બીજા ભાઈઓ પણ હાલ આર્મીમાં છે*
(9) *સિપાહી રાજેશ ઓરાંવ*
16 બિહાર રેજીમેન્ટના સદસ્ય હતા.પશ્ચિમ બંગાળના બિરભૂમના રહેવાસી હતા.તેઓ 2015માં ભારતીય સૈન્યમાં જોડાયા હતા.
(10) *સિપાહી ગણેશરામ*
16 બિહાર રેજીમેન્ટના સદસ્ય હતા.છત્તીસગઢના કાંકેરના રહેવાસી હતા.તેઓ 2011માં ભારતીય સૈન્યમાં જોડાયા હતા.
(11) *સિપાહી સી કે પ્રધાન*
16 બિહાર રેજીમેન્ટના સદસ્ય હતા.તે ઓડિશાના કંધમાલના રહેવાસી હતા.
(12) *નાયબ સુબેદાર નંદુરામ*
16 બિહાર રેજીમેન્ટના સદસ્ય હતા.તે ઓડિશાના મયૂરભંગના રહેવાસી હતા.
(13) *હવાલદાર સુનિલકુમાર*
16 બિહાર રેજીમેન્ટના સદસ્ય હતા.તે બિહારના પટણાના રહેવાસી હતા.
(14) *સિપાહી ગુરતેજસિંહ*
3 પંજાબ રેજીમેન્ટના સદસ્ય હતા.તે પંજાબના મનસાના રહેવાસી હતા.તેઓ 2018માં ભારતીય સૈન્યમાં જોડાયા હતા.
(15) *અંકુશ*
3 પંજાબ રેજીમેન્ટના સદસ્ય હતા.તે હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી હતા.તેઓ 2018માં ભારતીય સૈન્યમાં જોડાયા હતા.
(16) *સિપાહી ગુરવિંદરસિંહ*
3 પંજાબ રેજીમેન્ટના સદસ્ય હતા. તે પંજાબના સંગરુરના રહેવાસી હતા.તેઓ 24 માર્ચ 2018ના રોજ ભારતીય સૈન્યમાં જોડાયા હતા.
(17) *નાયબ સુબેદાર સતનામસિંહ*
3 મીડિયમ રેજીમેન્ટના સદસ્ય હતા.તે પંજાબના ગુરુદાસપુરના રહેવાસી હતા.તેઓ 1995માં ભારતીય સૈન્યમાં જોડાયા હતા.
(18) *સિપાહી ગણેશ હંસદા*
તે ઝારખંડના પૂર્વીસિંહ ભૂમના રહેવાસી હતા.16 સપ્ટેમ્બર, 2018ના રોજ ભારતીય સૈન્યમાં જોડાયા હતા.
(19) *સિપાહી જયકિશોરસિંહ*
12 બિહાર રેજીમેન્ટના સદસ્ય હતા.તે બિહારના વૈશાલીના રહેવાસી હતા.તેઓ 2018માં ભારતીય સૈન્યમાં જોડાયા હતા.
(20) *કુંદનકુમાર*
16 બિહાર રેજીમેન્ટના સદસ્ય હતા.તે બિહારના સહરસાના રહેવાસી હતા.તેઓ 2012માં ભારતીય સૈન્યમાં જોડાયા હતા.
આપણા આ વીર જાંબાઝ સૈનિકોને કોટી કોટી વંદન.આ વીરોએ ચીની સૈનિકોને સારો એવો પાઠ ભણાવ્યો છે.
વિરોની વીરગતિ અને આવા વીર સપૂતો પર હંમેશા ભારતીયોને ગર્વ છે.આપણા તિરંગાની શાન એવા ખરેખર આ વીર સપૂતો અને તેઓની જનેતાઓને મારા સત સત પ્રણામ.તેમની વીરગતિના ભારણથી દેશની દરેક આંખ ભીની થઈ ગઈ છે.
— જ્યોતિ આચાર્ય..અમદાવાદ
****************************** ***********
NG/0026
*વિભાગ*ગદ્ય
કરંટ ટોપીક
*શીર્ષક*આત્મહત્યા
મારા મતે – આત્મહત્યા!!
પ્રભુએ આપેલી એક મહામૂલી ભેટ, એટલે માનવીની જિંદગી. ! તો પછી શા માટે કોઈકવાર, કોઈ પણ આ જીવનથી કંટાળી જાય છે?? કે પછી જીવનમાં આવતાં ઉંચા કે નીચા પ્રવાહના વ્હેણે તરવામાં અસમર્થ બને છે?? શું જીવવાની કળા પરથી પોતાનો આત્મવિશ્વાસ ખોઈ બેસે છે??? શા માટે? તો પછી આને માટે કોણ જવાબદાર છે?? કોઈ પણ એક વ્યક્તિ વિશેષ કે પછી આખુંય માફિયાઓનું ટોળું?? મને લાગે છે કે કોઈ પણ ફિલ્ડમાં આજે પોતાને યોગ્ય સાબિત કરવા માટે માનવને ગળાકાપ હરીફાઈ માંથી પસાર થવું પડે છે. દરેક ક્ષેત્રમાં! હજારો, લાખો લોકો પોતપોતાના લાભમાટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. અને ખરું કહું તો એકબીજાના ગળા પર પગ મૂકતાં પણ અચકાતા નથી. જેને આપણી ભાષામાં “કોઈનાં ટાંટિયા ખેંચવા.” એમ કહેવાય છે. તો પછી અહીં આત્મહત્યા ક્યાં આવી?? હા, એજ મુદ્દાપર આવું છું. તમારી આ હરિફાઈમાં, તમારી સાથેના, પાસેના જેઓને એજ ચિંતા રહે છે કે તમે આગળ નિકળી જશો ને એ પાછળ રહી જશે. ત્યારબાદ કોઈપણ બાબતે એ તમારો બહિષ્કાર કરવા માટેનાં પાસાઓ, વસ્તુઓ, પરિસ્થિતિઓ શોધે છે. અને પોતાના જેવી એક અલગ ટોળી ઉભી કરે છે. જેઓમાં ભારોભાર નફરત, અદેખાઈ, ઘૃણા ભરેલી હોય છે. અને દાવ મળતાં જ તેઓ સંપૂર્ણ રીતે તમારો બહિષ્કાર કરે છે.
અને તમે?? જ્યારે ચારેય બાજુથી નિરાશા ઘેરી વળે ત્યારે એ બોજથી, ચીંતાથી ઘેરાયેલા હો ત્યારે સાચું કે ખોટું શું? તેની સમજ ગુમાવી બેસો છો. જેને આજની ભાષામાં “ડીપ્રેશન” કહેવાય છે.! આવી માનસિક સ્થિતિમાં માણસ પોતે શું કરી બેસે, તેનું ભાન રહેતું નથી. અને ત્યારબાદ “આત્મહત્યા” કરવા પ્રેરાય છે. એ વ્યક્તિ વિશેષને એ પળ, એ ક્ષણ ખરેખર જીવલેણ સાબિત થાય છે! જેથી એ કંઈ પણ વિચાર્યા વગર અંતિમ છૂટકારા રુપે પોતે આત્મહત્યા કરી બેસે છે. અને પોતાની જાતને ડર, ચીંતા, જવાબદારીમાંથી મુક્ત કરી દે છે! આને માટે એ જ લોકો જવાબદાર છે કે જે લોકો મરનાર વ્યક્તિનું કામ – કાજ છીનવી લે છે! અને આત્મહત્યા કરવા પ્રેરે છે. એક જાતનું મારી દ્રષ્ટિએ “માફિયારાજ”. આ એકજ શબ્દ ઉચિત જણાય છે.!
ગામના લોકો, સંસ્થાઓ ચાર દિવસ વાત કરીને બધું ભૂલી જશે. પણ! મા- બાપ, ભાઈ-બહેન, પતિ-પત્ની, પરિવારનું શું?? છે સમય કોઈ પણ ને એ વિચારવાનો??? કોઈ વિચારતું નથી. નવો કોઈ બનાવ બને તો નવેસરથી ઉહાપોહ કરવો! પણ આ ચર્ચાનો અંત??? અંત વિષે તો કોઈ પણ વિચારતું નથી.
આત્મહત્યને કોણ રોકી શક્યું છે?? કોણ રોકશે??
હું?? તમે?? કે પછી આપણે બધાં?? જરુરથી વિચારજો દોસ્તો!
અસ્તુ!
✍અંજના ગાંધી ” મૌનું “
,***************************** ***********
NG:0012
સ્પર્ધા વિભાગ : પદ્ય /અછાંદસ
કરંટ ટોપિક : કોરોના અને સાંપ્રત
તા. 25/6/2020
*શીર્ષક / ઓ….કોરોનાના કાળ..!!*
છેલ્લે
સંવેદનાઓ ક્યારે ઝળહળી ‘તી..?
‘મા’ની વેદનામાં ક્યારે ભળી હતી?
પત્નીના પાલવમાં
બાળકો છેલ્લે ક્યારે છૂપાયા હતાં?
છેલ્લે ક્યારે જાતે ચ્હા બનાવી હતી?
ક્યારે દીકરીના બંન્ને હાથ પકડી
પગની પાનીની ઉપર ઊભી રાખી ઝૂલાવી એના ખનકતા નિર્દોષ હાસ્યને આંખોમાં ઝીલ્યું હતું?
ક્યારે વ્હાલાં ભૂલકાંઓને
પ્રેમથી સાથે બેસાડી
અડકો – દડકો રમ્યા હતા, બાળવાર્તા, બાળગીતો સંભળાવ્યાં હતાં ?
છેલ્લે ક્યારે પિતાને
પાણીનો ગ્લાસ ભરીને પાણી આપ્યું હતું?
ક્યારે દાદાના ખાટલાની પાંગતે
બેસીને પગ દબાવ્યા હતા?
અને ક્યારે ખૂણામાં પડેલી
લાકડી લઈને એમના હાથમાં આપી હતી?
ક્યારે
દાદીના ચશ્મા લૂછીને જાતે પહેરાવ્યાં હતાં?
છેલ્લે ક્યારે
તમે જે મેજ પર
બેસીને કાયમ લખતા હતા
એ કાચને જાતે લૂછ્યો હતો?
ક્યારે ટેલિવિઝનની પટ્ટીઓ પર રહેલી ધૂળને સાફ કરી હતી?
ક્યારે તમે સોફામાં બેસીને ઊભા થયા પછી પડેલા સળને સરખા કર્યા હતા?
છેલ્લે ક્યારે
પત્ની કે પતિની આંખમાં
નિરાંતે આંખ નાખી
“હું તને બેહદ ચાહું છું “નો
સંવાદ કર્યો હતો?
છેલ્લે ક્યારે
બાલ્કનીમાં લટકેલી
પરબડીને ધોઈને જાતે પાણી ભર્યું હતું? છેલ્લે ક્યારે
અરીસા સાથે નિરાંતે વાતો કરી હતી?
આવું તો કેટકેટલું
તેં કરવાનો મોકો આપ્યો
ઓ….કોરોનાના કાળ… !!!
– ડૉ. નિષાદ ઓઝા “અમન”