GN_09-6-20 ( news of Gandhinagar daily PDF
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય વિભાગ ની સુભાષિતો.કહેવત વિભાગ સ્પર્ધાના પરિણામો જાહેર : નિર્ણાયક જયશ્રીબેન પટેલ પ્રસ્તુત :
સૌ કોઈ વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન..
સંચાલક: જીગ્ના કપુરીયા,સહ સંચાલક પ્રણવ ઝાંખર.મનીષ વોરા.
આયોજક તંત્રી : પ્રદીપ રાવલ
www.janfariyadnews.com
*ન્યુઝ ઓફ ગાંધીનગરમાં દરેક સ્પર્ધકનું સ્વાગત છે*”
🌹🌹🌹🌹🌹
*સર્વ શ્રેષ્ઠ રચના*
*સુભાષિત*
*મનોજકુમાર પંચાલ “મન”*
*કહેવત*
*ઘનશ્યામ વ્યાસ*
🌹🌹🌹🌹🌹
*સુભાષિત વિભાગ*
*૧)હિરછાય*
🌹🌹🌹🌹🌹
*૨}ભરત રબારી*
🌹🌹🌹🌹🌹
*૩)શીલા પટેલ*
🌹🌹🌹🌹🌹
*કહેવત વિભાગ*
*૧}ભાવના પટેલ*
🌹🌹🌹🌹🌹
*૨}કલ્પના ત્રિવેદી*
🌹🌹🌹🌹🌹
*૩)તેજલ વઘાસીયા*
🌹🌹🌹🌹🌹
વિજેતા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન
એડમિન પેનલ🙏🙏
ન્યુઝ ઓફ ગાંધીનગર*સાહિત્ય સ્પર્ધા.નિર્ણાયક.જયશ્રી પટેલ..પરિણામ જાહેર.
િિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિિ
*સુભાષિત*
*મન મેલાં તન ઊજળાં,*
*બગલા કપટી અંગ*;
*તેથી તો કાગા ભલા*
*તનમન એક જ રંગ*.
અહીં બગલા અને કાગડા પરથી મનની વૃત્તિ અને બહારના દેખાવની વાત કરી છે. બગલો તળાવમાં સાધુની જેમ ધ્યાન લગાવવાના ઢોંગ સાથે આહાર મેળવવા પ્રપંચ કરતો હોય છે. રંગ સફેદ છે પણ એની વૃત્તિ ફસાવવાની છે.
બગલાના ચાંચ, પગ કપટી છે. જ્યારે કાગડાનો રંગ મેલો અને વિચારો પણ કપટી હોય છે. તે આજુબાજુનો ગંદો કચરો , જીવડાં ને મરેલાં જીવો ખાતો હોય છે.
જેના મનમાં કપટ,રાગ,દ્વેષ હોય તેવા માણસ પશુ-પંખી પર વિશ્વાસ કરવો ઘાતક સાબિત થાય છે. તનને જોઈને પારખી શકાય પણ મનને પારખી શકાતું નથી.
મહાભારતમાં કૌરવો પાંડવોને લાક્ષાગૃહને ભેટ આપે છે. અંતે તો પાંડવોને મારી નાખવાનું કાવતરું કરતા હોય છે.
એ જ રીતે ઈન્દ્રપ્રસ્થ જઈ કૌરવોમાં શકુનિ ધૃત રમતમાં જાણી જોઈને હારી જાય છે. યુધિષ્ઠિરને ધૃત રમતાં સારું આવડે તેમ કહી પાંડવોને હસ્તિનાપુર બોલાવી ધૃત રમતમાં હરાવે છે. જેમાં પાંડવોનું રાજ્ય પડાવવાનો,બાર વર્ષનો વનવાસ અને એક વર્ષનો અજ્ઞાતવાસ આપીને બરબાદ કરવાનું કાવતરું જ હોય છે.
અંગ્રેજો પણ આપણા ભારતમાં વેપાર કરવાની નીતિથી આવ્યાં. છેવટે આપણા દેશને ગુલામ બનાવીને દેશની અઢળક સંપત્તિ, સાહિત્ય,શોધ પોતાના દેશમાં લઇ જવાનું કાવતરું હતું.
આમ, ધોળું એટલું દૂધ નથી હોતું.
✍️ ‘મન’
મનોજકુમાર પંચાલ . પાલનપુર
**********†******************* ***********
વિભાગ :- સુભાષિત
*મન મેલા તન ઊજળાં,*
*બગલા કપટી અંગ;*
*તેથી તો કાગા ભલા,*
*તન મન એક જ રંગ.*
આપણા આ સુભાષિતો માં ઘણું બધું તથ્ય છુપાયેલું હોય છે.આ નાની પણ ચાર લાઇનો ઘણું બધું સમજાવી જાય છે.
જે સુંદર હોય, કપડાં સાફ હોય, વાતોમાં પ્રભાવશાળી હોય, એનું મન ચોખ્ખું જ હોય એ જરૂરી નથી. બગલો દેખાવમાં કેટલો સુંદર હોય છે.પણ, જ્યારે માછલી પકડવાની હોય છે, ત્યારે એના જેવું કોઈ ભગત નથી એવો દેખાવ કરે છે.પણ, મુળમાં તો એની વૃત્તિ માછલી પકડવાની હોય છે. એટલે હંમેશા એવા માણસોથી હંમેશા ચેતતા રહેવું સારું.
બીજી બાજુ જે ગમે તેવાં દેખાતા હોય, કડવું પણ બોલતાં હોય, પણ એમની વાતમાં સત્ય હોય છે.તેઓ વાસ્તવિક હોય છે . જેવાં અંદર છે .તેવાં જ તે બાહર હોય છે. કાગડાની જેમ.
કાગડા તો જેવાં હોય તેવાં જ દેખાય છે.એમનો અવાજ ભલે કર્કશ હોય, દેખાવ પણ ભલે ને કાળો હોય, એ દગો કયારેય નથી કરતાં.
એટલે આ સુભાષિત દ્વારા એ શિખ આપવામાં આવી છે કે કાગડાનો વિશ્વાસ કરાય પણ બગલા જેવા ખોટા માણસો નો વિશ્વાસ ના કરાય.
*”હિરછાંય”* છાયા શાહ
****************************** ***********
*વિભાગ* = સુભાષિત. *સ્પર્ધા નં ૫*
*સુભાષિત*
*મન મેલાં તન ઊજળાં,*
*બગલા કપટી અંગ*;
*તેથી તો કાગા ભલા*
*તનમન એક જ રંગ*.
ઉપરોક્ત સુભાષિત માનવીની નિયતને ધ્યાનમાં રાખીને કહેવામાં આવી છે. ઉપરોક્ત સુભાષિતમાં બગલાને કાગડાના ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે કે બનાવટી કે દેખાવની માણસાઈ બતાવી અને ખોટો ઢોંગ કરીને સારા દેખાવાનો પ્રયત્ન કરવા કરતા જેવા છે તેવા જ વર્તાવું વધું સારું.
બગલો દેખાવે ઉજળો હોય છે પરંતુ તેનો ચારો માછલી છે, પોતે એક સંતની માફક તળાવમાં વચ્ચે એક પગે ઊભી અને માછલીઓ ફસાવે છે. જ્યારે કાગડો તન અને મન બધેથી કાળોજ હોય.
આજકાલના માણસોનું પણ એવું જ છે, દેખાય અલગ અને નિયત અલગ. ઉદાહરણ જોઈએ તો આપણા મોટાભાગના રાજનેતાઓ મસ્ત ખાદીના સફેદ કુર્તા અને ગાંધી ટોપી પહેરીને એવાતો ભાષણ કરતા હોય છે કે, જાણે તમામ સારા ગુણોનો ઠેકો માત્ર ને માત્ર આ ભાઈએ જ લિધેલો છે. ભાષણોમાં જનકલ્યાણની એવી તો વાતો કરે કે આપને લાગે કે આ ભાઈતો પોતાનું ઘરબાર વેંચીને પણ લોકોના દુ:ખ દુર કરશે.જ્યારે લોકો એના પર સંપુર્ણ વિશ્વાસ મુકિદે અને ચૂંટીલે પછી એને ખબર પડે કે સૌથી મોટો ચોરતો આજ હતો.
આમ, બધા માણસ હંમેશા જેવા દેખાય તેવા હોતા નથી અને જેવા દેખાય તેવા હોતા નથી.
✍ – ©️ ભરત રબારી (માંગરોળ, જી. જુનાગઢ)
****************************** ***********
“ગદ્ય ” સુભાષિત..
મન મેલાં તન ઊજળા,
બગલા કપટી અંગ
એથી તો કાગા ભલા
તનમન એકજ રંગ.
અર્થ….આપણે આજે જોઈએ છીએ કે ઘણા માણસનું અંદરનું રૂપ કઈક જુદું હોય છે ને બહારનું રૂપ જુદું હોય છે.
તનથી સુંદર દેખાતો માણસ મનથી ઘણીવાર મેલો હોય છે.
તનથી રૂપાળું દેખાઈ ને પોતાને મહાન બનાવી ને ફરતા માણસની માનસિકતા ઘણીવાર જાણીએ તો આપણને
થાય કે બગલાં જેવો છે આ માણસ બહારથી હંસ જેવો રૂપાળો પણ એના કામ કપટી….
શરીરથી રૂપાળા ને મનથી મેલા માણસો બહુજ
ખતરનાક હોય છે.એના ઉપર વિશ્વાસ મૂકીને આપણે
ઘણીવાર પસ્તાવાનો વારો આવે છે…કારણ કે આપણે એના બહારની સુંદરતામાં અંજાઈને એના મનમાં રહેલા મેલને ઓળખી શકતા નથી…
આવા બહુરૂપિયા માણસ કરતા તો કાગડા જેવા બહારથી ને અંદરથી સરખા દેખાતા માણસ સારા કે આપણે ચેતીને એમની સાથે વ્યવહાર કરી શકીએ, આપણે કાગડા
જેવા માણસોને ઓળખી તો શકીએ ! જ્યારે બહારથી રૂપાળા અને અંદરથી મેલાને ઓળખવા ખૂબ અઘરું પડે છે,
એવા માણસો સમજમાટે ખતરારૂપ સાબિત થાય છે…
એટલેજ તો તનની સુંદરતા જોઈને અંજાઈ જવું નહિ
માણસના મનના ભાવ જાણવા કારણ કે એનું મેલું મન
આપણને છેતરી જાય છે ,જ્યારે કાગડા જેવા માણસો તો બહારથી દેખાય એવાજ અંદરથી હોય છે… એટલે ઘણીવાર
કાગડા જેવા માણસ પેલા બહુરૂપિયા માણસ કરતા સારા લાગે..કારણ એમની પાસે આપણને સારાપણાની કોઈ આશા હોતી નથી…
શીલા…પટેલ. ગાંધીનગર🌸
*****************************************: ગદ્ય.
“કુમળું ઝાડ વાળીએ તેમ વળે.”
પ્રસ્તુત કહેવતનો અર્થ એ થાય છે કે નાનપણમાં જેટલી સારી ટેવ પાડવી હોય તે પાડી શકાય.
કહેવાય છે ને કે બાળકોએ કોરી સ્લેટ જેવા, અને માટીના ભીના લોંદા જેવા હોય છે જેમ કોરી પાટીમાં આપણને જે લખવું હોય એ લખી શકીયે અને ભીની માટીને સહેલાઈથી જે આકાર આપવો હોય એ સહેલાઈથી આપી શકીયે છીએ બાળકને પણ સારા ખોટાનો કોઈ વિવેક હોતો નથી. એ તો જે જુએ છે એનું જ અનુકરણ કરી લે છે અને એને જ સત્ય માને છે. ઘરમાં અપશબ્દો બોલતા હોય, મા બાપ વ્યસન કરતા હોય તો આ વાત એને સ્વાભાવિક લાગે છે અને એને તરત અપનાવી પણ લે છે.
બહુ જૂની એક વાર્તા છે કે કોઈ એક રાજકુમારને ક્રોધ બહુ આવતો હતો રાજ્યના તમામ ગુણીજનો એની એ ટેવ છોડાવવા અસમર્થ રહ્યા હતા ત્યારે એક સાધુ પુરુષ એને બગીચામાં લઈ જાય છે ફરતાં ફરતાં એક છોડને જોઈને તે સાધુપુરુષ તેને ખેંચવાનું કહે છે રાજકુમાર સહેલાઈથી એ છોડ ખેંચી નાખે છે. સાધુ મહારાજ કશું કહેતા નથી એ સમયે પછી આગળ જતાં એક મોટું ઝાડ આવે છે ફરીથી સાધુ રાજકુમારને એ ઝાડ ખેંચવાનું કહે છે આ વખતે રાજકુમાર લાખ પ્રયત્નના અંતે પણ એ ઝાડ ખેંચી શકતા નથી.
” બેટા, આપણી નરસી ટેવને પણ ઉગતા વેંત ખેંચી નાખીએ તો જ તે છૂટી જાય છે નહીંતર તમે મોટા થશો પછી ક્રોધ પર કાબૂ મેળવી નહિ શકો જેમ તમે પેલા વૃક્ષને હલાવી ન શક્યા એમજ.” સાધુ મહારાજે ખૂબ પ્રેમથી રાજકુમારને સમજાવ્યું.
તો મિત્રો બાળપણથી જ બાળકોને ઉચ્ચ અને સારા સંસ્કાર આપીશું તો જ ભારતના ભાવિનું ઘડતર સારી રીતે કરી શકીશું.
ભાવના પટેલ.”વલસાડી વાદળ”
ગાંધીનગર.
*****************************************
ન્યૂઝ ઓફ ગાંધીનગર
શીર્ષક : કહેવત
કુમળું ઝાડ વાળી એ એમ વળે.
પ્રકાર : ગદ્ય
મારા એક મિત્રની સાચી હકીકત આ
કહેવત ને યથાર્થ ઠેરવે છે.મિત્રનું
નામ છે પ્રદીપ ભાઈ.નાનપણમાં જ
એમના બા ગુજરી ગયા એટલે અપરમાં સાથે રહેવાનો એમનો વારો
આવ્યો. આપણને ખબર છે અપરમાં કેવી હોય. સવારનાં બંને ભાઈ
ઓ ને પાંચ વાગ્યામાં ઉઠાડીને
એમને સ્વાધ્યાયનું ભણવા બેસાડે.
પછી દૂધ આપીને એમની પાસે આખું ઘર સાફ કરાવી લે.પાછા ભણવા બેસાડે.ન આવડે તો માર પણ પડી જાય. બપોરે જમાડીને નિશાળે મોકલે અને આવ્યાં પછી એક જ કલ્લાક બહાર મોકલીને પાછાં લેસન કરવા બેસાડી દે.આ એમની રોજનીશી.જેવા કોલેજમાં આવ્યા કે તરત જ નોકરીએ બેસાડીને સવારની કોલેજમાં દાખલો અપાવી દીધો.તમે નહિ માનો સવારમાં પાંચ વાગ્યામાં દાળ, ભાત, શાક,રોટલીનો ડબ્બો ભરી આપે. સાંજે આવ્યા પછી સ્વાધ્યાયમાં ફરજિયાત મોકલે.
ભણતર સાથે નોકરીમાં ગણતર પણ મળ્યું એટલે બી.કોમ થયાં પછી સારી
નોકરી સાથે સાથે સી.એ પણ કરવા
માંડ્યું.જેવા સી.એ થયા કે એક મલ્ટિનેશનલ કંપનીમાં જોબ પણ મળી ગયો.પૂરા સ્વાધ્યાય પરિવારનાં એટલે બીજી કમાઈ કરવાની નહીં અને બીજાને કરવા દેવાની નહીં .એટલે બધાંએ ભેગા મળી ને એને એક નાના ગામડામાં મૂકી દીધો.પણ ભાઈએ તો રાજીખુશીથી બદલી સ્વીકારી અને ત્યાં પણ પોતાની સ્વાધ્યાય પ્રવૃત્તિ આદરી દીધી .ત્યાં એમનું ખુબ જ નામ થઈ ગયું એટલે એમને નોકરીમાં પણ પ્રમોશન મળ્યું. ફાઇનાન્સનાં ઉપરી બની ગયા. લગ્ન પછી બે છોકરા ઓ ને પણ એવી રીતે જ કુમળા છોડની જેમ ઉછેર કર્યો.એકદમ સાદગીનું જીવન .
કંપનીમાંથી નિવૃત્ત થયા પછી ગાડી પણ પાછી આપી દીધી.પેપર વાંચવાનાં બંધ કરી દીધા .આખો દિવસ સ્વાધ્યાય અને આઘ્યાત્મિક વાંચન..છોકરા
ઓ પરણી ને અમેરિકા સેટ થઇ ગયા .ત્યાં પણ એ સ્વાધ્યાયની પ્રવૃત્તિ ચલાવે છે.
નાનપણમાં જ અપરમાં એ કુમળા
છોડને સરસ રીતે વાળ્યા એમનું
આ પરિણામ.અમારા ખાસ મિત્ર છે.
ઘનશ્યામ વ્યાસ
************************”””*””””*************
કહેવત પરથી વાર્તા
*કુમળું ઝાડ વાળીએ તેમ વળે*
*અર્થ*-નાનપણમાં જેટલી સારી ટેવ પાડવી હોય તેટલી પાડી શકાય.
મણીમાની વાત :: સોકરા તો ડાયા જ હોય
“ઉભો રે જે તું એમ નેમ,,, ન્યાં ને ન્યાં, એક ડગલું ય આગળ ગ્યોને,,, તો તારી માના હમ સે. હું હમણે જ મારી બાને બરકીન આવું છું.” સોહન બરાડો પાડીને ચાલવા લાગ્યો.
“.એય, માના હમ વાળીનો થામા, બરકવા હોય ઈને બરકી લાય, હું નથ બીતો કોયના બાપથીયે. દમ હોય તો હાયલો આયની એકલો, બાને હું બરકવા ઈમાં.” રોશન રૂઆબમાં બબડતો રહ્યો.
સોહન અને રોશન આઠ દસ વર્ષના આડોશ પાડોશમાં રહેતા બે બાળકો. રમતા રમતા બંને ઝગડી પડ્યા. અને બંને વચ્ચે વિવાદ ઉભો થયો.
સોહન એના દાદીને બોલાવીને આવ્યો અને ફરીયાદ કરતો બોલ્યો, ” જો બા, આ રોસનીયો કયુનો મારી હાયરે બાધે સે. તારાથી આખા ગામના છોકરા બીવે, આજ ઈનેય કાંયક કઈ દે, તે ઈનેય ખબર પડે કે હું કોનો છોકરો સુ.”
સોહનના દાદી મણીમા (રોશનને પ્રેમથી નજીક બોલાવ્યો), “કાં, દિકરા તું કેમ બવ તોફાન કરે સ. તારી રાયડ* તો બોવ જ આવે સે. આમ તોફાન નો કરાય, બટા.”
રોશન, ” તમારો સોહનીયો કાંઈ ઓસો નથી. ઈય તે મન માના હમ દયન આયવો તો તમને બરકવા.”
મણિમા, “જો બટા તમે બેય હરખે હરખા સો, હપીન રેવાય ને હપીન ખવાય પીવાય. આમ પાડોહમાં રેવું ન બાધવું ઈ થોડુ પોસાય. તમ ભણવા હાયરે જાવ તંય તમ હું કરો છો? મન ક્યો જઈને!!!”
“નિહાળમાં બાધયી તો તો સાયબ આવી ન અમને મારે વાંહડાની લીલીછમ હોટી રાયખી છે અમાર સાયબે.” રોશને ઉત્સાહમાં આવીને જવાબ આપ્યો.
“તો તમને એમ નો થાય કે આપડે ઘેરેય બધાય નય. આયટલા પાડોહમાં તમે બે જ નાના સોકરા સવ. તમ બેય બાધીન બોલતા બંયધ થાવ તો પસી તમે રમશો કેની હાયરે? ” મણીમા એ બંનેને સમજાવવા વાત માંડી. “જો બટા હપીન રયી ને જપ ખાયી, આપણને કોય નો પુગે, બાકી બાધી બાધી ન તો અવતાર આખો વયો જાય તોય જપ નો જડે. જો આ અવતાર આપણને પરભુએ આયપો સેને તો આપડે હંધાય ભાંડયડા જ કેવાયી, તમે તમાર ભાંડયડા હાયરે બાધો તો કાંય ભાંડયડુ થોડુ સુખી થાય? ભાંડયડા સુખી નો હોય તો માવતરેય સુખી નો હોય. તમને તમાર મા તો બવ વાલી સે ને… અટલે જ કવ સું આપણને આપડી મા વાલી હોય ને બધાયને એની મા વાલી જ હોય. આ ધરતી આપડી હંધાયની મા સે. આપડે બાધયી ને તો એને બોવ દુઃખ થાય. આપડે આપડી માને દુઃખ થાય એવું વરતન કરાય કે નહીં? દ્યો જવાબ હાલો મને. “
સોહન અને રોશન એક સાથે બોલી ઉઠ્યા, ” માને દુઃખ થાય એવું નો કરાય હો. “
“તો પસી તમે બેય બાધશો હવે કોઈ દી’ ?”
બંને એકબીજાને ભેટી પડ્યા અને હવે પછી શાંતિથી જ સાથે રમીશું એવું મણીમાને વચન આપ્યું.
દુર ઉભેલ રોશનના દાદી આ વાત સાંભળી રહ્યા હતા. એ પણ મણીમા ને ભેટી પડ્યા અને કહ્યું,” મણીમા, તમે તો કમાલ કરી નાયખી. આ મારો રોસનીયો કોયના બાપનું કયુ નો કરે ને આજ તમારી વાત તો ઝટકીમાં માની ગ્યો હો.”
મણીમા, ” કુમળા છોડ હોયને ઈ જેમના ઢાળો ઈમના ઢળે. આ સોકરાવને ચપટીક સંતોસ જોયી. મીઠી વાતું કરો અટલે માની જાય ને ખીજાવ તો ખીજાય જાય. આ મણીડોહીથી એમનેમ કાંય સોકરા ડાયા નથ થ્યા. આંયખમાં ને દલમાં હંધેય પરેમ જોઈ, હમજી. ‘સોકરા તો ડાયા જ હોય’ આ મણીમાની વાત યાદ રાખજે. “
રોશનના દાદી, ” હા, મણીમા હું તમાર હંધીય વાત યાદ રાખહ. લ્યો ત્યારે, જે સી કરસન.”
મણીમા,”જે સી કરસન, અને હા સોકરાને ખીજાતી નય હોં, આવજે.”
– તેજલ વઘાસીયા (ઉમરાળી, જૂનાગઢ )
**********************************
*પ્રકાર*.. *ગદ્ય*
*શિર્ષક*,,, *કહેવત*
*કુમળું ઝાડ વાળીએ એમ વળે*
ઉપરોક્ત કહેવત એ સૂચવે છે કે કુમળું ઝાડ બરાબર વિકસ્યું ન હોય ત્યારે આપણે એને જેવા આકાર માં વાળવું હોય એમ વળે છે. ઘણા લોકો ખાસ જાળીઓ બનાવી ઝાડને સુંદર આકાર આપતા હોય છે.
માનવ જીવનનું પણ આવું જ છે. અહીં કુમળું ઝાડ એટલે બાળક,, હજુ એને સ્વાર્થ, કે વેરઝેર ની કંઈ ખબર ન પડતી હોય. એ હજી વિકસતું હોય, ત્યારે બાળમાનસ માં તમે જેવા વિચાર નાખશો એ દ્રઢ બની જશે. એને જે દિશા તરફ લઈ જવાનો હોય એ તરફ લઈ જવાશે. જો સારા વિચારો આપ્યા હશે તો બાળક સંસ્કારી બનશે. પણ નાનપણથી જ ચોરી, ખોટું બોલવું, લાલચ, ગાળો બોલવી,એવું જ જો જોયું હશે તો એ એજ શીખવાનું છે. એટલે બાળકોને કંઈ પણ કહેવાય ત્યારે વિચારીને કહેવામાં આવે તો એનું ભાવિ સુંદર બને. નાનપણથી જ ઘણા મા બાપ ડર બતાવે છે, જેથી એ ડરપોક બને છે એમને રોજ સારી વાર્તા, સારી ટેવ, પુસ્તકો નું વાચન, સેવા, વિ.સમજાવવું જોઈએ. જેથી એ ભવિષ્ય માં સારું વૃક્ષ બની શકે.
કલ્પના બેન ત્રિવેદી સુરેન્દ્રનગર