GN_07-6-20 (News of Ganabinagar PDF)
JF_7-6-20 (Jan fariyad PDF )
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક અને. જન ફરિયાદ સાપ્તાહિક રવિવાર ૭/૬/૨૦ નું વાચવા માટે ઉપર નીવતરીખ ઉપર ક્લિક કરો……..
ન્યૂઝ ઓફ ગાંધીનગર સાહિત્ય વિભાગ ની સપ્તાહ સ્પર્ધાના પરિણામ….
આયોજક : તંત્રી પ્રદીપ રાવલ
સંચાલક/સહ સંચાલક : જીજ્ઞા કપુરિયાં.પ્રણવ ઝાંખર : મનીષ વોરા
નિર્ણાયક શ્રી : જયશ્રી પટેલ.વંદના વાણી.કિશોર સચદે
*ન્યુઝ ઓફ ગાંધીનગરમાં દરેક સ્પર્ધકનું સ્વાગત છે*”
*૧)શીર્ષક– ગામડાની ગમાર નારી*
*તેજલ વઘાસિયા*
🌹🌹🌹🌹🌹
*૨)શીર્ષક-મોહનીયાની મા*
*શીલા પટેલ*
🌹🌹🌹🌹🌹
*૩)શીર્ષક -દ્વૌપદીની વ્યથા*
*રૂપલ પટેલ*
*૩)શીર્ષક-રજજો*
*જયશ્રી દેસાઈ*
🌹🌹🌹🌹🌹
*૪)શીર્ષક–ભરત*
*મનોજ પંચાલ*
*૪)શીર્ષક-પઢીયાર*
*જયેશ સંગાર*
🌹🌹🌹🌹🌹
*૫)શીર્ષક–ઘેલી*
*પૂજા કાનાણી*
🌹🌹🌹🌹🌹
*૬)શીર્ષક–કુંતી*
*ડૉ રેખા શાહ*
🌹🌹🌹🌹🌹
*૭)શીર્ષક–ભીષ્મ*
*વૈશાલી મહેતા*
🌹🌹🌹🌹🌹
વિજેતા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન
એડમિન પેનલ🙏🙏
આ વખતે નિર્ણાયક શ્રી કિશોરભાઈ સચદેનો ખૂબ ખૂબ આભાર 🙏🙏:
*†****†***********†**********************
*ન્યૂઝ ઓફ ગાંધીનગર*.
*વિભાગ* : *એકોક્તિ*
*શિર્ષક* : *રજ્જો*( કોલગર્લ )
( જાહેરમંચ ઉપર નગર શ્રેષ્ઠિઓએ અબળા, લાચાર, અસહાય બહેનોને સહાય વિતરણનો કાર્યક્રમ હાથ ધર્યો હતો. સહાય પ્રાપ્ત કરનાર અમુક બહેનો પોતાનો અભિપ્રાય આપી રહી છે. રજ્જો ધીરે પણ મક્કમ પગલે જનમેદની ચીરતી મંચ પર પહોંચી માઈક હાથમાં લઈ લે છે.)
“મંચ ઉપર ઉપસ્થિત સૌ દાતાશ્રીઓ, સજ્જનો અને સન્નારીઓ…આપ સૌને મારા નમસ્કાર… શાંત શાંત નગરજનો સૌ શાંત થાઓ.(સામે આંગળી ચીંધી ને ) ઓ ભાઈશ્રી તમે ખિલખિલ હસો છો ને , કાનાફૂસી કરો છો બરાબરને ! તો સાંભળો (પોતાના તરફ આંગળી ચીંધીને) આ સ્ત્રી રજની… એક સીધી સાદી ઘરરખ્ખુ સ્ત્રીમાંથી રજ્જો કેવી રીતે બની. અરે અરે…આઘા ખસો… ખબરદાર ! આજે મારી પાસે કોઈએ માઈક છીનવવાની કોશિષ કરી છે તો ! આજે હું જે બોલીશ તે આપ સૌએ સાંભળવું જ પડશે.”
“હા…આ એજ શેઠ દયાળચંદજી,દયાના અવતા…ર !. અરે અરે શેઠજી, બેસો બેસો… ક્યાં જાવ છો તમે !?” ( છટકી જવા મથતા શેઠને બેસાડી દે છે.)
“મારા પતિ શેઠજીના કારખાનામાં નોકરી કરતા હતા. ત્યાં જ એક એક્સિડન્ટમાં એમણે બંને પગ ગુમાવ્યા. શરુઆતમાં તો શેઠજીએ મદદ કરી.પરંતુ જેમ સમય વિતતો ગયો તેમ તેમ અમારી પણ બચત પૂરી થઈ ગઈ અને… શેઠજીએ તો ક્યારનુંય મોં બતાવવું બંધ કરી દીધું હતું ! આખરે હું શેઠજી પાસે ગઈ અને મારા પતિની જગ્યાએ મને નોકરી આપવાની આજીજી કરી. એકવાર તો મીઠી મીઠી વાતો કરીને મને વદા કરી ! હારીથાકીને ફરીથી એમની પાસે ગઈ. એમણે મને એક રુમમાં બોલાવી અને… ત્યાં થયો મારા જીસ્મનો પ્રથમ સોદો… ! લાચાર હતી, કોઈ બીજો રસ્તો નહોતો ! !મારા પરિવારની પેટની ભૂખ સંતોષવાની હતી, દીકરીનું ભવિષ્ય બનાવવાનું હતું… શું કરું …! પછી તો એ જાણે નિયમ થઈ ગયો ! જીસ્મ આપો પૈસા લો…! હદ તો ત્યારે થઈ જ્યારે એણે પોતાની ગંદી જીભ પર મારી દીકરીનું નામ લીધું. હું ચેતી ગઈ.અને એમને અલવિદા કહી દીધું.
આમ પણ કામ તો આજ કરવાનું હતું… તો પછી હું મારી સ્વતંત્ર રીતે કામ કરીને વધુ પૈસા કેમ ન મેળવું…? બસ તો થઈ ગયો જન્મ રજ્જોનો…! અને એના જન્મદાતા… ( શેઠજી તરફ બતાવી ને ) જય હો… શેઠ દયાળચંદજીનો….!પણ…ખબરદાર લાભાર્થી બહેનો. હું પણ તમારી જેમ જ આ લાઈનમાં હતી. જો જો રખેને બીજી રજ્જોનો જન્મ ન થાય. ચાલો તો રજા લઉં. ” ( સ્ટેજ ઉપરથી ઊતરી ને ચાલવા માડે છે. લોકોએ હુરિયો બોલાવતા શેઠજી પણ પાછળથી ભાગી જાય છે.)
✍️ જયશ્રીબેન દેસાઈ અમલસાડ
***************†*******************
એકોક્તિ
શિર્ષક :: ગામડાની ગમાર નારી
(સીમા ક્યારની કંઈક સાંભળી રહી હોય એવું લાગે છે અને મનમાં ખૂબ જ ગુસ્સા સાથે સ્ટેજ પર આવે છે)
“તું તારી જાતને સમજે છે શું? ગામડાની છું તો મને ખબર નથી પડતી એમ?”
(થોડી વાર અડકીને)
“ઓય,,,, શું કે’ છે તું? ગામડાના ગમાર જ હોય એમ? તારી જેમ મને શુદ્ધ ભાષા નથી આવડતી એમ? હાંભળી લેજે તુંય,,, મનેય આવડે જ છે હોં, પણ તારી જેમ કોઈની હટફેટે ચડવું નથી મારે સમજી!!!”
(થોડી વાર અડકીને)
“What you say to me??? Oy, Now you listen, what I say to you.”
“કેમ, શું થયું? તને એમ હશે ને કે અમે ગામડામાં રહીએ છીએ, ખેતમજૂરી કરીએ છીએ, તો આ દુનિયા વિશે કોઈ સમજ જ નથી, તો તુંય તે સાંભળી જ લેજે,,, મારા મોઢેથી આજ,,, ગામડાની ગમાર નારીની ભાષા, સમજી!!!”
(સ્ટેજની સામે બેઠેલા લોકો તરફ હાથ ઉંચો કરીને)
“અરે ઓ શહેરીજનો સાંભળો, આજે મારે તમને કંઈક કહેવું છે. ગામડાના લોકોને ગમાર લોકો કહેતા પહેલા એ વાતનો સો વખત વિચાર કરી લેજો, તમે પણ ક્યાંક એ ગમારના વંશજો જ છો. તમારા વડીલો પણ પહેલા ગામડામાં જ રહેતા હશે. અને હા, મારો આ ગુસ્સો હું કંઈ એમનેમ અહીં નથી ઠાલવી રહી, આ શહેરમાં આવ્યાને વીસ વીસ વર્ષ થયા પણ એ ગામડામાં તો આજે પણ એ જ પ્રેમની મીઠી સુવાસ મળે છે જે વર્ષો પહેલા હતી અને આ ગીચ વસ્તી ધરાવતા શહેરમાં તો ધુમાડાનો જ વાસ છે. ગામડામાં આવકાર દેતા દરવાજા ખુલ્લા છે તો શહેરોમાં, ‘પુછ્યા વગર આવવું નહીં’ એવી દરવાજા પર છાપ છે. પણ યાદ રાખજો મિત્રો, તમે માંગવા આવનારને અટકાવી શકો છો, તો તમને આશીર્વાદ આપવા આવતા હાથ પણ એની સાથે જ અટકાવી દો છો.”
“કહેવા તો ઘણું ઈચ્છું છું પણ અહીં હાજર રહેલ દરેક વ્યક્તિ પાસે સમય ઓછો છે એટલે એક વાત કહીશ કે ક્યારેય કોઈના કપડા કે વતન પરથી એની લાયકાત નક્કી ના કરતા એને સાંભળવાની એક કોશિશ કરજો નહીંતર તમારી લાયકાત એ વ્યક્તિ આંકી જશે.”
(મોટા અવાજે)
” હું ગામડાની એક સામાન્ય નારી છું,
હા, હું એક ગમાર અભણ નારી છું,
પણ,,, પણ
હું દુર્ગા રૂપે દુનિયા પર એકલી જ ભારી છું. “
(બે સેકન્ડ આંખ બંધ કરીને)
જય ભારત જય હિન્દ
જય જવાન જય કિસાન
(બધાને બે હાથ જોડીને નમસ્તે જય હિન્દ કહીને જાય છે)
– તેજલ વઘાસીયા (ઉમરાળી, જૂનાગઢ)
૦૪/૦૬/૨૦૨૦ બુધવાર
*********************************
વિભાગ ;- “ગદ્ય “
શીર્ષક :- મોહનીયાની મા.
( ગામઠી સાડીમાં શોભતી મોહનીયાની મા
એના પતિને ચાનો કપ આપતા બોલે છે. )
અરે ઓ ! મોહનીયા ના બાપુ હાંભળો સૉ, એ આપણા
નજીકના ગાંમમાં મેરો ભરાયો સ, તો આપણે ચાણ જવું
સ,મોહનીયા ન લઈન !!
હું કીધું ! માંણહ વધાર આવ સ મેરા માં ઇમ,તો એમાં હું થયું ! આપણે બે માણહ હાસવીસુ મોહનીયાન ,હાલોને
ઘણા દાડાથી ચોય નથી લેય જ્યાં મોહનીયાન….
હું બોલોસ !હંભરાય ઇમ બોલો, હા પણ હાલતુ નથી જવુ આપણ,બસમાં જહુ પણ જવુ સ હાસુ, લો તમે તો આજ ન આજ રાજી થઈ જ્યા, હારુ ઉ બધું કૉમ કરી
લઉં દહ વાગતામાં પસ જઇએ….
ઓ મોહનીયા હૉભર !તારા બાપુએ મેરા માં જવાની
હા પાડી સ, તું ખટકથી તૈયાર થઈ જા ,તારાં નવાં લુગડાં
મી આ મેલ્યાં …
મોહનીયા જોતો ખરો !તારા કરતાં તારા બાપુનો વટ પડ સ, હું કીધું મારો પણ વટ પડસ ઇમ, હા ઈતો પડ તે ચેટલું
કાંમ કરવાનું તોય હું તો રઉ તો હારી રીતમાં હો….😁
અરે મોહનીયાના બાપુ ! આતો મેરામાં ચીડયારું ઉભરાણું! મોહનીયાન હાજો બરાબર, ચોય ખોવઈ
ના જાય ,અરે મોહનીયા તારા હાટુ તો આયા મેરામાં
તું કે ઇ લાય દેહુ થોડી નિરાંત ખા….
ઓ મોહનીયા !ચાં દોડસ આ રમકડાં પાસડ દોડ્યો જોવાંતો ! ઓ મોહનીયાના બાપુ ચોય નથી દેખાતો આપણો મોહનિયો ,ચાં હેડી જ્યો !ઓ મારા બાપા હું એન ચાં હોધુ , હું ચિંતા ના કરું તમે કાં પણ !તમે હટલઇ ન ઇન હોધાં મારુ જીવતર રોરાઈ જાહે….
મારા દીકરા !તું ચાં જતો રયો આ મેરામાં કોઈ લઈ ન
વહયું જાહે, મારા મોહનીયાન,ઓ ભગવાંન ! મારા જાયા ન
હાસવજો” બુન તમે કૉ સાં ઇ બધું બરાબર પણ ઇના બાપૂ ન ના મલ્યો તો ,મારુ જીવતર રોરાઈ જાહે….
મારો મોહનિયો “મારો દીકરો ! મલ્યો ઇમ ભગવાંન
નારીયેરની તોયન સડાવે મારો મોહનિયો મલી જ્યો.
ચાં જતો રેલો બેટા ? મારુ કાળજું બેહી જાત અમણાં,
હું કીધું મોહનીયાના બાપુ જતા રઈયે ઘેર “એ હાલો !
આજ મારી લાજ રઈ જઈ મારો મોહનિયો મલ્યો…
હાલો બેટા ઘેર જતા રઈયે.
( મોહનીયનો હાથ પકડી પતિ સાથે ઘરે જવા મોહનીયાની મા ચાલવા માંડે છે)
શીલા…પટેલ
ગાંધીનગર..
________________________________________
વિભાગ : ગદ્ય
શીર્ષક: “ક્ષણેક્ષણે ક્ષીણ થતી દ્રૌપદીની મનોવ્યથા”
( શ્રીકૃષ્ણ દ્વારા યુદ્ધ કરવું કે નહીં તે પ્રશ્ર્ન અને યુદ્ધમાં સંતાનોનો નાશ થશે તે જાણી દ્રૌપદી વ્યથીત છે ત્યારે કૃષ્ણ આશ્ર્વાસન આપે છે કે સખી તારું દુ:ખ સમજી શકું છું.તેના પ્રત્યુત્તરમાં દ્રૌપદી પોતાની વેદના વ્યક્ત કરે છે.)
ગોવિંદ , “હા ,યુદ્ધનું પરિણામ જાણી વિચલિત બની છું. ખબર છે, યુદ્ધ હોય ત્યાં મૃત્યુ હોય પરંતુ આ મહાયુદ્ધ કુરુક્ષેત્રમાં નહીં પરંતુ, અત્યારે તો મારાં મનમાં થઈ રહ્યું છે. નિર્દોષ નારીઓનાં સિંદૂરઓનો ભોગ લેવાશે. આ યુદ્ધ યજ્ઞમાં અનેક બાળકોનાં આધારોની આહુતિ અપાશે. સમગ્ર આર્યવર્તનું એક એક ઘર આ યુદ્ધ સાથે જોડાયેલું છે ત્યારે ઘરમાંથી નીકળતા આક્રંદ મારા કાન વીંધી નાખે છે.
તમે કહો છો ગોવિંદ કે,’મિત્રભાવ કારણે તમે મારી મનોવ્યથાને સમજી શકો છો!’
‘ક્ષણે ક્ષણે ક્ષીણ થતી મારી મનોવ્યથા અને પીડાને તમે કેમ અનુભવી શકો?’ ગોવિંદ
યજ્ઞબલિની આહુતિ આપતાં, દેવની કૃપાથી હું પ્રગટ થઈ ત્યારે મારાં પિતાશ્રી દ્વુપદ દ્વારા ઋષિગણો અને અતિથિ સમક્ષ મારો અસ્વીકાર કરતાં મારો શિરોચ્છેદ થયાનો ભાસ થયો. પરંતુ નિયતિ સમજી તેનો સ્વીકાર કર્યો.
આર્યઅર્જુને! મને વરણ કરેલી હોવા છતાં અજાણતા જ માતા કુંતીએ બધા ભાઈઓને ” વહેંચીને લઇ લો”નો આદેશ આપતાં આર્યઅર્જુન સાથે પાણિગ્રહણ પહેલાં જ મારા કર ક્ષીણ થયાં.
ઇન્દ્રપ્રસ્થનાં રાજસૂય યજ્ઞમાં ચેદિ નરેશ શિશુપાલ દ્વારા ગોવિંદ તમારા અને મારાં મિત્રતા પર પ્રશ્નો ઉઠાવ્યો ત્યારે પ્રત્યુત્તર આપી શકતી હતી પરંતુ, રાજસૂયયજ્ઞ નિષ્ફળ ન થાય અને આતિથ્યનો અનાદર ન થાય તે હેતુસર આ વખતે મારી વાચાને મેં જાતે ક્ષીણ કરી.
શું ધૃતસભામાં મને દાવ પર લગાવતાં પહેલાં આર્યવર્તના સમ્રાટધમૅરાજે એકવાર પણ મારી તો ઠીક મારા ચાર પતિઓની સંમતિ લીધી? ના ગોવિંદ ના. મારા દ્વારા જે દાસી વડે સંદેશો મોકલ્યો, તે સંદેશાની પણ અવગણના કરી. તે જ સમયે મારા દેહનું હ્રદયરૂપી અંગ ક્ષીણ થયું હોય તેવો અનુભવ થયો અને તમે કહો છો કે તમે મારી વ્યથા જાણો છો?
દુર્યોધનના આદેશથી દુ:શાસન મને જ્યારે સભા લાવ્યો ત્યારે પિતા સમાન મારા વડીલો મારા પ્રશ્નનાં પ્રત્યુત્તરમાં મૌન રહ્યા. દુઃશાસન દ્વારા મારાં વસ્ત્રો ખેંચવામાં આવ્યા ત્યારે પાંચ પતિઓની પત્ની હોવા છતાં નિ:સહાય બની ઊભી રહી.તે સમયે મારી આત્મજ્યોતિ તિમિરમાં પથરાઈ ગઈ અને ફરી એક વાર હું ક્ષીણ થઈ.
જયદ્રથે મારું અપહરણ કર્યું ત્યારે આર્યભીમ તેનો વધ કરવા તત્પર બન્યા, જયદ્રથના વધથી નિર્દોષ બેનદુ:શલાને સજા ન મળે.તેથી તેનો વધ ન કયૉ ફરી એકવાર ગોવિંદ મારી અંતરઆત્મા તાર તાર થઈ ગઈ.તમે કહો છો મારી મનોવ્યથા તમે જાણો છો.
હા ,હા પરિણામ જાણી વિચલિત છું. ધરાતલ પર કઈ જનેતા છે જે પોતાના સંતાનોનાં મૃત્યુનો ખેદ ન થાય? અત્યાર સુધી ઘણાં અપમાનો સહ્યા છે, જેના પરિણામે, મારાં દેહનાં એક એક અંગનો નાશ થતો આવ્યો છે. અભિમન્યુ જેને મારા કૂખે જન્મ નથી આપ્યો પણ એના મૃત્યુનો વિચાર કરતાં મારા તનથી ઉદર ક્ષીણ થયાંનો આભાસ થાય છે.
શિરોચ્છેદ,હસ્ત,વાચા,હ્દય,આત્મા તો પહેલાં જ નાશ થયાં છે અને અભિમન્યુના મૃત્યુથી ઉદરનો નાશ થશેે તેમ છતાં પગનું અસ્તિત્વ છે.તેથી ગતિશીલ છું.પુત્રોના મૃત્યુ થતાં જ પગ પણ ક્ષીણ થઈ જશે.