https://m.facebook.com/story.php?story_fbid=570740933846668&id=100027322995343
સાહિત્ય વિભાગ ના પ્રમાણપત્રો એ ફ બી લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકાશે..
GN_01-6-20
JF_31-5-20
GN_31-5-20
GN_30-5-20
(ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક તેમજ જન ફરિયાદ સાપ્તાહિક ઉપર ની તારીખ ઉપર ક્લિક કરવાથી વાંચી શકાશે)
News of ગાંધીનગર સાહિત્ય વિભાગ સ્પર્ધાના પરિણામો અને વિજેતાઓ ના સર્ટીફીકેટ ઉપર એફ બી ની લીંક માં મુકેલા છે તેમજ ઉર્વશીબેન મહેતાનું આ સર્ટિફિકેટ અહીં રજૂ કરેલ છે news of ગાંધીનગર સાહિત્ય વિભાગ સ્પર્ધા ન્યુ મેમ્બરશીપ 30 જૂન ૨૦૨૦ પહેલા અવશ્ય મેળવી લેવી. મેમ્બરશીપ મેળવનાર ને જ સાહિત્ય સ્પર્ધાઓમાં ભાગ લેવા દેવામાં આવે છે .જેના સંચાલક જીજ્ઞાબેન કપુરીયા છે આયોજક ન્યૂઝ ગાંધીનગર એડિટર પ્રદીપ રાવલ છે તેમજ આ સ્પર્ધાના નિર્ણાયક જયશ્રીબેન પટેલ વંદનાબેન વાણી તેમજ પ્રકાશ ભાઈ ઠક્કર છે આ સ્પર્ધાના સહ સંચાલકોમાં પ્રણવભાઈ જાખર તેમજ મનીષ વોરા છે. મોટાભાગના બોમ્બેના સાઉથ ગુજરાત અમદાવાદના બરોડાના અને અમુક સૌરાષ્ટ્રના મેમ્બરો બની ચૂક્યા છે. આ સ્પર્ધામાં સુભાષિત કહેવતો રચનાઓ ઐતિહાસિક હેરિટેજ જગ્યા ઉપર ના લેખો અને બાળવાર્તાઓ ના વિષયો લેવામાં આવે છે આ બાબતે વધુ જાણકારી લેવી હોય તો news of ગાંધીનગર ના તંત્રી પ્રદીપ રાવલ નો સંપર્ક કરવો જેમનો મોબાઈલ નંબર છે 9824653073.ગાંધીનગર
વિભાગ- સુભાષિત.
શીર્ષક-“વચનનું મહત્વ”
“વા ફરે વાદળ ફરે,ફરે નદીનાં પુર,
શુરા બોલ્યા નવ ફરે,ભલે પશ્ચિમ
ઉગે સૂર.”
પ્રસ્તુત સુભાષિતમાં શુરવીરના વચનનું મહત્વ સમજાવવમાં આવ્યું છે,એ પણ શ્રેષ્ટ ઉદાહરણદ્વારા. પવનની દિશા કદાચ બદલાઈ જાય,વાદળની દિશા પણ કદાચ બદલાઈ જાય, અરે! સૂરજ પણ પશ્ચિમ માં ઊગી શકે પણ શુરવીર એક વાર વચન આપે પછી કદી ફરતા નથી. એ લોકો માટે વચન એટલે આબરૂ અને એનું મૂલ્ય લાખો કરોડો રૂપિયામાં ન તોલી શકાય. પ્રાચીનકાળથી આજ દિવસ સુધી વચનનો મહિમા ક્યાં ઓછો થયો છે?પિતામહ ભીષ્મની વચનબદ્ધતા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે,”જ્યાં સુધી હસ્તિનાપુરને સુરક્ષિત નહિ જોઉં ત્યાં સુધી પ્રાણને ત્યાગીશ નહીં” અને જ્યાં સુધી યુદ્ધ પૂરું ન થયું ત્યાં સુધી બાણશૈયા પર જ રહ્યા ને?એ વચનને આજે પણ આપણે યાદ કરીએ છીએ ને?
તો ગાંધીજીને ભૂલી શકાય? તેમણે પણ સ્વરાજ્ય અપાવવાનું વચન લીધું હતું ને? એ પૂરું કરવા વગર હથિયારે લડયા, અને પૂરું પણ કર્યું ને?જેના લીધે આજે આપણે સ્વતંત્રતા ભોગવી રહ્યા છીએ. પહેલાના જમાનામાં રૂપિયા ની લેવડદેવડ, સગપણ કે બીજાં અન્ય કામ આ વચનોની સાખે જ થતા. આજે હજી મૂવીમાં પણ બતાવવામાં આવે છે, ” મેરા વચન હી મેરા સાશન હૈ.”
શુરવીર વચન માટે પોતાના પ્રાણ દેતા પણ નથી અચકાતા. કૈકયને આપેલું વચન રાજા દસરથે કઈ રીતે પૂરું કર્યું હતું એ પણ ક્યાં ભૂલી શકાય એમ છે? વચન પૂરું કરવા દીકરાને વનવાસ ભોગવવો પડ્યો હતો ને? એટલે જ કહેવાય છે ને,”રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય પર વચન ન જાઇ.”
પૂજા(અલકા)કાનાણી.મીઠાપુર.
વિભાગ – સુભાષિત
વા ફરે વાદળ ફરે,
ફરે નદીનાં પૂર,
શૂરા બોલ્યાં નવ ફરે
ભલે પશ્ચિમ ઊગે સૂર.
પ્રસ્તુત પંક્તિમાં કવિ શબ્દોના બોલની કિંમત ઉપર ભાર મૂક્યો છે. આપણી ભારતભૂમિ પર એવાં અનેક શૂરવીરો થઈ ગયાં છે. જે પોતાના બોલેલા શબ્દો ને સાચા કરવા રાજપાટ છોડીને પગપાળા વનવાસ સ્વીકારેલ છે. રાજા દશરથ પણ કૈકેયીને આપેલાં વચનને પાળવા માટે બંધાયા… અને રામના વિયોગમાં પ્રાણ ત્યાગી દીધાં…. વા.. એટલે પવન તો પોતાની દિશા બદલે…. વાદળ પણ પોતાની જગ્યાએથી બીજે જઈને વરસે…. નદીમાં પૂર આવે તો વહેણ બદલાઈ શકે…. પણ જે આપણાં શૂરવીરો છે તે ‘પ્રાણ જાય પણ વચન ન જાય’ …ની ઉક્તિને સાર્થક કરે જ… છે એ જ આપણી ભારતભૂમિ છે…. એવું કહેવાય છે કે.. સૂરજ પણ કોઈક વાર દિશા બદલે…પણ આપણા શૂરવીરો પોતાનો બોલ ક્યારેય ના ફેરવે…. પોતાના બોલેલા વચનની કિંમત અનમોલ બનાવી એ વચન નિભાવી પોતાને ભારતીય હોવાની ગરિમા સાથે ધન્યતા અનુભવે છે.
દીપ્તિ પટેલ’શ્રીકૃપા’વડોદરા..
#################₹₹₹₹
ન્યૂઝ ઓફ ગાંધીનગર
કહેવત: એક મરણિયો સો ને ભારી
આ કહેવત આપણને એવું કહેવા માગે છે કોઈપણ વ્યક્તિ જીવ પર આવે તો કોઈ પણ કામ કરી શકે છે. કોઈ મુશ્કેલી એને ડરાવી શકતી નથી. એની પાસે કોઇ પણ મુશ્કેલીઓ નાની બની જાય છે.
આના આપણી રોજબરોજની જિંદગીમાં ઘણા બધા ઉદાહરણ જોવા મળે છે. જેમકે
26મી જાન્યુઆરીએ બાળ પુરસ્કાર મળતા હોય છે એમાં આપણે જોઈએ છે કે દસ વરસની બાળા હોય એણે પોતાના ચાર વર્ષના ભાઈને ચિત્તાના મુખમાંથી ઉગાર્યો હોય. કોઈ બીજો તેર ચૌદ વરસનો બાળક હોય એણે નદીમાં ડૂબતા મમ્મીઅને કાકીને બચાવ્યા હોય કે પછી આગ લાગેલી બસમાંથી ૧૩-૧૪ વર્ષના બાળકે લોકોને બચાવ્યા હોય. આટલા નાના બાળકમાં પણ સમય આવે ત્યારે ગમે તેવી મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ આવી જતી હોય છે. કોઈ માતા સિંહના મુખમાંથી પોતાના બાળકને બચાવતી હોય છે.જેમ ઝવેરચંદ મેઘાણીની ચારણ કન્યા સાવજને પડકારે છે એમ સંજોગો સામે માણસ મરણીયો બને તો કશું પણ કરી શકે છે .ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે આપણા જાંબાઝ સિપાઈઓએ એક એક જણે દસ દસ દુશ્મનોનો ખાત્મો બોલાવ્યો પછી શહીદ થયા.
એર હોસ્ટેસ નિરજાની વાત પણ ખબર હશે, જેણે માત્ર ૨૨ વર્ષની ઉંમરે હાઇજેક થયેલા વિમાનમાંથી ઉતારુંઓને આતંકવાદીઓથી બચાવ્યા હતા, અને પોતાનો જાન ગુમાવ્યો હતો.
મરણિયો માણસ ધારે તો શું નથી કરી શકતો? એ ખૂંખાર આતંકવાદી, જંગલી જનાવર કે પછી દુશ્મનોની બંદૂક કશાયથી ડરતો નથી.એ એકલો સો ને ભારે પડી શકે છે.
રૂપલ શાહ.…ગાંધીનગર
######№№###########
.ન્યૂઝ ઓફ ગાંધીનગર*
*વિભાગ* *સુભાષિત*
*વા ફરે વાદળ ફરે,*
*ફરે નદીનાં પૂર*,
*શૂરા બોલ્યા નવ ફરે*,
*ભલે પશ્ચિમ ઊગે સૂર*.
ઉપરોક્ત પંક્તિ શુરવીરોના માનમાં કહેવામાં આવેલ છે. આપણા ભારતખંડની ભુમી એટલે શૂરવીરોની ભૂમિ, જ્યાં ઇતિહાસના પાને-પાને શુરવીરો અને દાતારો જોવા મળે. વીરતા આપણા લોહીમાં વણાયેલી છે.ભારત ખંડના ભડવીરો સામે ભલભલા પાણી ભરે છે અને દાતારી પણ એટલી જ જોવા મળે છે.
વચન આપીને ફરવું નહીં તે ભારતના ભડવીરોની મોટી નિશાની છે. વર્ષોથી ચાલ્યા આવતા આ પ્રણને કારણે ભારત વિશ્વ આખામાં જાણીતું થયું છે. “પ્રાણ જાય પણ વચન ન જાય” -કહેવતને સાર્થક કરતા અનેક ઉદાહરણો ભારતના ઇતિહાસમાંથી મળી આવે છે.
વચન આપીને ફરી જવું એ કાયરોનું કામ છે શૂરવીરોનું નહીં. સાચો સુરવીર ક્યારેય પોતે આપેલા વચન માંથી ફરતો નથી અને પોતાનું સર્વસ્વ આપી ને પણ એ વચન નિભાવે છે. એટલે જ તો કહેવાય છે, બની શકે કે પવન પોતાની દિશા બદલી નાખે, વાદળ પોતાના ચાલવાની દિશા બદલી નાખે કે ક્યારેક કોઇ કારણોસર નદીઓના નીર પણ પોતાની દિશા બદલી નાખે પરંતુ સુરવીર ક્યારેય પોતે બોલેલા વચનોમાંથી ફરતો નથી ભલે સૂર્ય પોતાની દિશા બદલીને પશ્ચિમમાંથી ઉગે.
જૂનાગઢનો રાજા રા’ખેંગાર પોતાના પિતાને આપેલા વચનને ખાતર ગુજરાતના સૌથી શક્તિશાળી રાજા સિધ્ધરાજસિંહ સામે બાથ ભીડી જાય છે અને પાટણનો દરવાજો કાઢી આવે છે અને પોતાના જૂનાગઢમાં કાડવા દરવાજો બંધાવે છે. આવા તો કેટલાય ઉદાહરણો ઈતિહાસના પાને પાને જોવા મળે છે. વચન ખાતર ભગવાન શ્રી રામ પોતાનું રાજપાટ છોડીને 14 વર્ષ વનવાસ કાપે છે.
ભારત આવી શૂરવીરતા ની ભુમી છે એટલે તો કોઈ કવિએ કહ્યું છે;
*”જનની જણ તો ભક્ત જણજે,*
*કાં દાતા, કાં શૂર,*
*નહીં તો રે’જે વાંઝણી,*
*મત ગુમાવીશ નૂર.”*
✍ © ભરત રબારી
(માંગરોળ, જી. જુનાગઢ)
#####№########№######
એક મરણિયો સો ને ભારી
આપણા ભારત માટે આ
કહેવત બની જ્યારે ભારત ના લોકો એ કોઈ પણ ફિલ્ડ માં એકલે હાથે કંઇક કરી ને બતાવ્યું હશે ત્યારે જ ને.
ચાલો આપણે યાદ કરીએ ક્રિકેટ ની રમત ને જ્યાં ભારત ના ભડવીર બેટ્સમેન અને બોલરો એ એકલે હાથે ભારત નું નામ રોશન કર્યું છે
યાદ છે એ લોર્ડ્ નું મેદાન જ્યાં વર્લ્ડ કપ ફાઇનલ માં આપણો મુકાબલો મજબૂત મેચ વિનર વેસ્ટ ઈન્ડિઝ સાથે હતો એ પણ રાત્રે જ્યારે ભારત ભર નીંદ માં હતું. સવારે સમાચાર માં ખબર પડી કે ભારત વર્લ્ડ
કપ જીતી ગયું છે.અને આ રમત નો મુખ્ય સંચાલક આપણો કેપ્ટન કપિલ દેવ હતો. એણે એક જ વાત કરી આ મેચ હારો કે જીતો આપણ ને ૨૫૦૦૦
ડોલર મળવા ના જ છે પણ ભારત માટે રમો અને જીતો. એણે એકલે હાથે આખી મેચ ની પકડ પકડી રાખી અને બધા ને એટલું બધું પ્રોત્સાહન આપ્યું અને આપણે મેચ જીત્યા.કપિલ દેવ નો ફાળો અમૂલ્ય હતો . જીતી ને જ જંપ્યો .
ઘનશ્યામ વ્યાસ
#####################વિ
વિભાગ : કહેવત
શીર્ષક
કહેવત :- એક મરણિયો સો ને ભારી..
અર્થ…માનવી જો મનમાં ધારીલે કે એને કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવી છે તો એને કોઈ નથી રોકી શકતું….
ઘણીવાર એક વિદ્યાર્થી મનમાં નક્કી કરીલે કે મારે
કોઈપણ ભોગે પહેલું આવવું છે તો એ એની આગળના
ઘણા વિધાર્થીને પાછળ પાડી શકે છે….રાતદિવસ એક કરીને
એની નક્કી કરેલી સિદ્ધિ પ્રાપ્ત કરે છે …મરણિયો પ્રયાસ કરે છે…
આપણા દેશનો સૈનિક મોતને હથેળીમાં લઇને જંગ
લડતો હોય છે પણ એનામાં રહેલી ઝનુન શક્તિ ને એની દેશભક્તિ એ સો જણા ને પણ પછાડી શકે છે….
મનમાં જો નક્કી કરીને માણસ કોઈપણ પ્રકારની ચિંતા
વગર મહેનતે લાગી જાય તો એ એના લક્ષને જરૂર મેળવી શકે છે…એક સ્ત્રી જ્યારે જવાબદારીથી ઘેરાય છે ને ત્યારે એના બાળકોનો સારો ઉછેર કરીને સારું ભણતર આપવાની
હિંમત સાથે એ ઘણો સંઘર્ષ કરે છે….એના બાળકો ને કોઈ કમી ના રહે એ માટે એ મરણિયો પ્રયાસ કરીને બાળકોને
એના સ્વપ્ન સાકાર કરે છે…..
જેણે કોઈપણ ડર કે હિંમત હાર્યા સિવાય આગળ વધવાનો સંકલ્પ કર્યો હોય એ કોઈપણ પતિસ્થિતિ કે
કોઈ માણસથી ડરતો નથી એ છેક સુધી એના પ્રયત્નને વળગી રહે છે એટલે જ કદાચ કહેવાયું છે કે…
” એક મરણિયો સો ને ભારી “
શીલા પટેલ…
ગાંધીનગર…
ન્યુઝ ઓફ ગાંધીનગર,
કહેવત..
એક મરણિયો સોને ભારી
================
કહેવત લગભગ સત્ય આધારીત
હોય છે.દરેક કહેવત માનવ જાત માટે જીવનમાં એક સદગુણ,સમજદારી અથવા સાવચેતી નો અમૂલ્ય સંદેસ આપનારી હોય છે.
માનવ જીવન નુ સનાતન સત્ય સમજવા માટે અથવા સમજાવવા માટે સો થી બસૉ પાનાની બુક, વાર્તા,અથવા જીવન કથા નિષ્ફળ
જાયછે, ત્યારે, ત્યાં આગળ ફક્ત આઠ-દસ શબ્દૉના સમુહ યાને ટચુકડી કહેવત ,સનાતન સત્ય ઘણીજ સરળતા અને સહજતાથી જીવન નુ રહસ્ય, રાજ સમજાવી જાયછે ,દરેક દેશ ને અને દરેક ભાષાને પોત પોતાની
કહેવત હોય છે, પણ દરેક નો ઉપસંહાર એકજ હોય છે.
” એક મરણિયો સોને ભારી ” કહેવત ના ફક્ત દસ જ અક્ષરૉ
હજારો યુધ્ધો અને કરોડો લડવૈયાની બહાદુરીને,આત્મ વિશ્વાસને ઉજાગર કરેછે,
રણે ચડેલા વિર ની વિરતાના
રંગ ને બિરદાવેછે.એક યુધ્ધો જયારે રણભૂમીમા પોતાનું કૌવત
બતાવવા મરણિયો બનેછે
ત્યારે તે સમગ્ર સેના ને ભારેપડેછે.
જીવન મરણ ના સમયે, બહાદુરી ખીલી ઉઠેછે. અને આપણા ઈતિહાસમાં તેના અનેક ઉદાહરણ પણ મળેલાછે.
જયકાન્ત એસ ઘેલાણી “પ્યારે “
*એક મરણિયો સોને ભારી*
*અર્થ*- મરવાને તૈયાર થયેલા માટે કશું અશક્ય નથી.
આ કહેવત માટે વાત કરીએ તો કાળા માથાનો માનવી ધારે તે કરી શકે. માનવી પોતાના જીવનકાળ દરમિયાન જે પણ પામવા માટે ઈચ્છતો હોય તો તે ગમે તે પ્રયાસ હાંસિલ કરી શકે એના માટે કોઈ કાર્ય અશક્ય નથી.
માનવી દ્વારા દ્રઢનિશ્વિય કર્યા બાદ તેના અર્થાત પ્રયાસોમાં લાગી રહે તો કંઈ પણ હાંસિલ અશક્ય નથી પછી પ્રધાનમંત્રી હોય ,દેશનું સૈનિક હોય કોઈ વિદ્યાર્થી હોય.
નક્કી કરેલ લક્ષ્ય તરફ કોઈપણ અવરોધ કે અડચણ આવે પરંતુ મન મક્કમ હશે તો લક્ષ્ય સુધી પહોંચવા મરવા પડેલો માણસ પણ કંઈપણ કરી શકે એટલે જ કહેવામાં આવે છે. તમારા કામ પ્રત્યેનું પેશન હોય તો ગમે તે મુશ્કેલીઓમાં પણ તમને સફળ બનાવતાં અટકી ન હતી એટલે જ કહેવાય છે એક મરવા તૈયાર થયેલો માટે કશું અશક્ય નથી.
ટેલર કૃણાલ શાંતિલાલ#kt
સુરત
*ન્યૂઝ ઓફ ગાંધીનગર*
*સુભાષિત*
*વા ફરે વાદળ ફરે, ફરે નદીના પુર*
*શુરા બોલ્યા ના ફરે, ભલે પશ્ચિમ ઊગે સૂર*
ગુજરાતી સાહિત્યમાં આને દુહો કહેવાય.ગુજરાતમાં કાઠિયાવાડ અને ઝાલાવાડમાં દુહા પ્રસિદ્ધ છે.થોડામાં ઘણું કહી જતા આ દુહા સમાજને એક સરસ સંદેશ પૂરો પાડે છે. આ દુહા સૌરાષ્ટ્રમાં જ્યારે ત્યાંના બારોટ કે સારંગ ગાય છે ત્યારે સાંભળવાની ખૂબ મજા આવે છે.ખૂબ લહેકાથી અને મોટા અવાજમાં આ દુહા લલકારવામાં આવે છે.
ઉપરના દુહામાં શૂરવીરની શૂરવીરતા વિશે વાત કરવામાં આવી છે.
ક્યારેક પવન એની દિશા બદલે, વાદળ એકાએક બીજે ફંટાઈ જાય, નદીના પુર પણ દિશા બદલી નાંખે પણ શૂરવીરની જીભાન,એના બોલાયેલા શબ્દો ફરતા નથી.એ જે બોલે છે એ પ્રમાણે કરી બતાવે છે.બોલેલું પાળે છે.બોલીને ફરી જતાં નથી.એમના શબ્દોનું એક મૂલ્ય હોય છે અને એ મૂલ્ય બરાબર જાળવી રાખે છે.સૂરજને પશ્ચિમમાં ઊગવું હોય તો ઊગે પણ શૂરવીરના વેણ કદીય ના બદલાય કે ના તૂટે.એ માટે જીવની બાજી લગાવવી પડે તો લગાવે, તન, મન કે ધનનું જે નુકશાન થવું હોય એ થાય પણ શૂરવીરનું બોલ્યું મિથ્યા ક્યારેય ના થાય.
સૌરાષ્ટ્રમાં આ કહેવતને પુરવાર કરતા અનેક ઉદાહરણો છે.જીભાન પાળવા માટે માથું આપ્યાના અને જીવ સટોસટના ખેલ ખેલી નાંખતા હોય છે.
*પ્રફુલ્લા”પ્રસન્ના”*
અમદાવાદ
કહેવત પરથી વાર્તા
એક મરણિયો સોને ભારી
“કેટલાય દાડાથી એણે ખાવાનુંય તે મુકી દીધુ છ, અન તું કે છો કે,,, ઈ મરવાનો નથ ઈમ?”
“ના, ભઈ ના, હું ઈમ નથ કેવા માગતો. ઈ મરણીયો સને ઈવડો ઈ હો (સો) ઉપયર ભારી પડવાનો સે, તું જોયજે તો ખરો.”
“તારી વાતમાં તો કાંઈ દમ દેખાતો નથ, પણ આ હૈયડાને થોડોક ભરોહો બેહતો હોય એવું લાગે સે.”
“દમ બમ કાંય નય. માનવું હોય તો માનો, નકર કાંય નય,,, હું તો આ હાયલો”
(થોડા દિવસો પછી)
“કાં એલા, તું તો કેતો ‘તો ને કે ઓયલો મરણીયો હો ઉપયર ભારી પડવાનો સે, તે દાડે કાંય હમજાણું નહીં હો, આ મરી ગ્યો લે. કાંયક કે ‘તો હમજાય, તું હુ (શું) કેવા માગતો તો તે દાડે.”
“એ,,,,,, સેને, હેં,,,, એન ખબર પડી ગઈ ને કે એને આ ગોઝારો રોગ થ્યો સ, તે દાડેથી જ એણે ગામમાંથી હંધાય પાહેથી થોડા થોડા રૂપિયા માગી ન જ દવા ખાવાનો વચાર કયરો ‘તો. ઈને ખબર જ હતી કે મું મરવાનો જ સુ,,, અટલે જ ઈણે કોમ કરવાનું બંયધ કરી દીધું’તું. અને ઈ મરણિયો હો (સો) દુકાનવાળાને ભારે થઈ પયડો.”
– તેજલ વઘાસીયા (ઉમરાળી, જૂનાગઢ)
############################
*‘હું સમય છું’*
“શી ઇઝ સફરીંગ ફ્રોમ લ્યુકેમિયા. લાસ્ટ સ્ટેજ. કોઈ ઈલાજ શક્ય નથી. ઘરે લઈ જાઓ. બચેલી જિંદગી ખુશીથી જીવે એવો પ્રયત્ન કરો.” રિપોર્ટ સપનના હાથમાં મૂકતા ડૉક્ટર ખૂરશી પરથી ઉભા થઈ ગયા.
સપન સ્તબ્ધ થઈ ગયો. છેલ્લા સ્ટેજ સુધી આટલી મોટી બીમારીના કોઈ લક્ષણો જણાયાં જ નહીં? કઈ થતું હોય તો સુહાનીએ તેને કીધું કેમ નહીં?
“ચાલ હવે ચકુનો સ્કૂલેથી આવવાનો સમય થઈ ગયો છે. ઘરે આવીને મને ન જોશે તો ઘર આખું માથા પર લેશે.” તપાસવાના રૂમમાંથી બહાર આવીને સુહાનીએ પર્સ હાથમાં લઈ સપન તરફ જોયું.
ડૉક્ટરે સુહાનીને બીમારી વિશે જણાવ્યું હશે કે નહીં? ન કહ્યું હોય તો સારું. હવે મારા દ્વારા તેને કોઈ દુઃખ ન પહોંચવું જોઈએ એ નિશ્ચય કરી સપન સુહાનીને ગાડી તરફ દોરતો આગળ વધ્યો.
“આજથી બજારનું કામ તારે મને સોંપી દેવાનું, કામવાળીને થોડાં વધારે પૈસા આપીને ચકુને નવડાવવાનું કામ સોંપી દે, રસોઈવાળા બેન કાલથી આવશે.” સપનની ગાડી એક પછી એક ગલીઓ ઓળંગે તેમ તેના શબ્દો નીકળ્યે જતાં હતાં.
“આટલો બેબાકળો કેમ બને છે? અઠવાડિયું તાવ આવ્યો એટલે થોડી અશક્તિ છે અને તને શું ખબર પડે બજારનું?” સુહાનીએ સળગતાં પર પાણી નાંખ્યું હોય એમ સપનનો અવાજ મોટો થઈ ગયો,” બધી વાતમાં તારી મનમાની ન કર.”
કાર ગેરેજમાં પાર્ક કરી ત્યાં સુધી બંને પર મૌને કબજો જમાવી રાખ્યો કારણકે ભીની ચારેય આંખો અલગ અલગ રસ્તો જોઈ રહી હતી.
સપન બીજે દિવસે સાંજે ફરી ડૉક્ટરને મળવા ગયો,”સાહેબ મારી સુહાની પાસે કેટલો સમય છે?”
“એક મહિનો,એક અઠવાડિયું કે કદાચ…”
તે તરત હોસ્પિટલની બહાર નીકળી ગયો. યાદ આવ્યું, છેલ્લે સુહાનીએ મનાલી જવાની ઇચ્છા જતાવી હતી. ઓફીસે જઈ પહેલા દીલ્હીની ટ્રેનની ટિકિટ બૂક કરી. આગળનું એજન્ટને સોંપી ઘરે આવ્યો ત્યારે સુહાની બેડરૂમમાં સૂતી હતી.
ચૂપચાપ ટેબલ પર મૂક્યું હતું તે જમીને બેડરૂમમાં પહોંચી ગયો. નિરાંતે સૂતેલી સુહાનીના શરીરે હાથ લગાવ્યો, થોડું ગરમ હતું.
ખિસ્સામાંથી ટિકિટ કાઢીને બહાર મૂકતો હતો ને,” મનાલી જવાની ટિકિટ છે ને?” સુહાનીએ માંડ આંખો ખોલી પૂછ્યું.
સપન કંઈજ બોલ્યાં વગર તેનો હાથ પકડીને બેસી ગયો. એકાદ-બે ઝોકાં ખાધાં ત્યાં તો રાતનો જવાનો સમય થઈ ગયો.
“વર્ષોથી સવારની ચા સુહાનીએ પીવડાવી છે, ચાલ થોડા દિવસ હું..” વારેઘડીએ આવતાં એક જ વિચારને કારણે સપનને જાત પર ગુસ્સો આવ્યો. “જો હું ખુશ રહી શકું તો જ સુહાનીને ખુશ રાખી શકીશ ને!” આવેલા ચાના ઉભરાને ચમચીથી હલાવીને નિયંત્રિત કર્યો. ચાના કપ ભરી સુહાનીને ઉઠાડવા બેડરૂમમાં પહોંચ્યો.
“ગુડ મોર્નિંગ ડિયર.”કહીને સુહાનીને જગાડવા સપને ગાલે ટપલી મારી. શ્વાન નિદ્રા ધરાવતી સુહાની પર કોઈ અસર ન થતાં ગભરાઈને તેને ઢંઢોળવા માંડ્યો. કોઈ જવાબ ન મળતાં દોડતા જઈ ડૉક્ટરને ફોન કર્યો.
“ગુડ મોર્નિંગ મિસ્ટર સપન, હું તમને જ ફોન કરવાનો હતો. મિસીસ સુહાનીને કેમ છે હવે?” ડૉક્ટરનો સામાન્ય અવાજ સાંભળી સપન ઉશ્કેરાયો.
“સર પ્લીઝ તમે જલ્દી આવો. સુહાની કોઈ રીસપોન્સ નથી આપતી.”
“કૂલ ડાઉન મિસ્ટર સપન, પહેલાં તો હું સોરી કહું છું. મિસીસ સુહાની પટેલને લ્યુકેમિયા નથી, રીપોર્ટ બદલાઈ ગયો છે. મિસીસ સુહાની દેશમુખનો રીપોર્ટ લેવા આવનાર ભાઈ મોડા પડ્યા અને તમે ઇંતેજારીનાં કારણે વહેલા રિપોર્ટ લેવા આવ્યા. બંને રીપોર્ટ સાથે હતાં. ભૂલથી રીપોર્ટ બદલાઈ ગયો. મિસીસ સુહાની પટેલને ફક્ત યુરીનમા ઇન્ફેક્શન છે જે અઠવાડિયાના દવાનાં કોર્ષથી આવી જશે.” ડૉક્ટરની વાત સાંભળી સપન ઘેલો બની સુહાનીને મળવા દોડ્યો.
“ઘેલાભાઈ જરા ધીમે. સોરી આજે પણ હું વહેલી ઉઠી ન શકી. બે દિવસથી શરીર દુખતું હોવાથી રાતે ઉંઘ આવતી ન હતી, કાલે બરાબર સૂતી. તારો સમય સાચવવામાં હું કાયમ ઉણી ઉતરું છું. આજે મને થોડું સારું લાગે છે. ઝટપટ નાહીને આવ, ગરમાગરમ બટાકાપૌવા બનાવું છું.” સપનના હાથમાં ચાનો કપ પકડાવતા સુહાની રસોડા તરફ ભાગી.
“વાહ કિશન કનૈયા તે સમયફેર કરી મારો સમય સાચવી લીધો! ‘હું સમય છું’ યથાર્થ કરી બતાવ્યું ખરું!” સપન છબીને વંદી રોજના કામમાં જોતરાયો.
વંદના વાણી..સ્પર્ધા નિર્ણાયક
#############№№#№##########
નવોનક્કોર માથે ઓઢેલો ધોળો લિબાસ હતો,
સગા સ્નેહીના કાંધે મારો અંતિમ પ્રવાસ હતો.
ફૂલ ગુલાબનું આવી શક્યું નહિ આંગણા સુધી,
કબર સુધી આવશે ગળા લગીનો વિશ્વાસ હતો.
જીતતો રહ્યો હરેક બાજી હું ખુદના જિગર પર,
એક ચાલ ચૂકુ તો મારો પણ ખેલ ખલાસ હતો.
સિર જૂકાવી દીધું દર પર નિર્દોષ હોવા છતાએ,
સબંધ જીવાડવાનો એ નાકામ મારો પ્રયાસ હતો.
અત્તર ફૂલ ઘાસની પથારી મૃત્યુ આભાર તારો,
જિંદગી ખરેખર તારો માથે જીવનભર ત્રાસ હતો.
✍🏻 *પ્રણવ ઝાંખર ” ક્રિષ્ના*
*અમદાવાદ*
###№###################
ન્યુઝ ઓફ ગાંધીનગરમાં દરેક સ્પર્ધકનું સ્વાગત છે*”
🌹🌹🌹🌹🌹
*સર્વ શ્રેષ્ઠ રચના*
*ગદ્ય વિભાગ*
*શીર્ષક–સિધ્ધપુરનો રુદ્રમહાલય*
*રાગિણી શુકલા*
*રાગ*
🌹🌹🌹🌹🌹
*પદ્ય વિભાગ શ્રેષ્ઠ*
*શીર્ષક–ઘરની યાદ*
*ડૉ નિષાદ ઓઝા*
*”અમન”*
🌹🌹🌹🌹🌹
*ગદ્ય વિભાગ*
*૧)શીર્ષક-સહસ્ત્ર લિંગ પાટણનું એક કૃત્રિમ તળાવ*
*ઉર્વશી મહેતા*
🌹🌹🌹🌹🌹
*૨}મોઢેરાનું સૂર્યમંદિર*
*જયશ્રી દેસાઈ*
🌹🌹🌹🌹🌹
*૩)હમ્પી*
*હિરછાયા*
🌹🌹🌹🌹🌹
*૪}શીર્ષક- રાણીની વાવ*
*રૂપલ પટેલ*
🌹🌹🌹🌹🌹
*૫}શીર્ષક-સુરતનો અમૂલ્ય હેરિટેજ વારસો*
*ટેલર કૃણાલ શાંતિલાલ*
🌹🌹🌹🌹🌹
*૬}શીર્ષક-અડી કડી વાવ*
*મેઘલ ઉપાધ્યાય*
🌹🌹🌹🌹🌹
*પદ્ય વિભાગ*
*૧}શીર્ષક-લાગણીઓનું હેરિટેજ*
*ડૉ રેખા શાહ*
🌹🌹🌹🌹🌹
*૨}શીર્ષક- હેરિટેજ (મુંબઈ)*
*વૈશાલી જીગ્નેશ મહેતા*
🌹🌹🌹🌹🌹
વિજેતા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન
એડમિન પેનલ🙏🙏
ન્યુઝ ઓફ ગાંધીનગર
વિભાગ :- પદ્ય
શીર્ષક : ઘરની યાદ
લેખક :- ડૉ.નિષાદ ઓઝા “અમન”
મકાન લઘરવઘર હોઈ શકે, મકાનમાં રહેનાર લઘરવઘર હોઈ શકે પણ ઘર ક્યારેય લઘરવઘર નથી હોતું.અને એમાંય વતનનું ઘર કોઈપણ હેરિટેજથી વધુ સંવેદના જન્માવતું હોય છે.ગણેશજીને તીર્થ માતા-પિતામાં જ દેખાયાં. બસ એમ વતનનું ઘર મને હંમેશા વર્લ્ડ હેરિટેજ લાગ્યું છે.આટલી પ્રસ્તાવના સાથે એ ઘર વિશે..
*ઘરની યાદ….*
વર્ષો જૂનું ઘર પળેપળ કેટલું યાદ આવે !
પડ્યું છે સાવ ખાલી તોય એમાં સાદ આવે.
અહીં દાદા બેસતા ‘ને પ્રેમથી બોલતા ટૂચકો,
જરા શો ડોલતો કહે છે મને ઘરનો હિંચકો,
અગાશી આજની કરડે મને તો ક્ષણેક્ષણ,ને –
હતું જે નેવે મઢેલું ઘર મને કેટલું યાદ આવે.!
ભલે હો ભાતભાતનાં સઘળાં અહીં ભોજન,
સમયની સાથે ટૂંકાં બન્યાં છે બધાનાં મન,
ભલે આવ્યા,હવે ક્યારે નીકળશો એમ પૂછે,
ભર્યું તું મીઠા આવકારે ઘર મને કેટલું યાદ આવે!
બધી બારી, બધી ભીંતો, મઢ્યા ટોડલા ઘરના,
હતા બાના ગળામાં હાલરડાનાં મીઠાં ઝરણાં,
પસાર્યા પ્રેમે અમારા વદન પર હાથ જેણે-
હવે એ બા વિનાનું ઘર મને કેટલું યાદ આવે.
– ડૉ.નિષાદ ઓઝા ‘અમન’
###########№#################
ન્યૂઝ ઓફ ગાંધીનગર
વિભાગ : પદ્ય (અછાંદસ)
શીર્ષક : “લાગણીઓનું હેરિટેજ”
લાગણીઓનાં ખંડેરમાં,
ઈચ્છાઓ ભસ્મીભૂત થઈને
કણ-કણ હોમાઈ ગઈ
હતી જે બુલંદીની કહાણી
આજ એ હેરિટેજ બની ગઈ…..
હતી જાહોજલાલી એક જમાનામાં
એ લાગણીઓ પણ સંગેમરમર- સી
સહેલાવતાં જેમ બાદશાહ બેગમને
આજ એ હેરિટેજ બની ગઈ…..
ઈચ્છાગઢનાં કાંગરા ખરી રહ્યા છે
ને નકશીદાર કોતરણી પણ
ભગ્નાવશેષમાં દટાઈ લૂપ્ત થઈ
આજ એ હેરિટેજ બની ગઈ…..
એક-એક સંવેદનાઓને
કોતરી’તી બેનમૂન મૂરતમાં
શિલાલેખમાં કંડારેલી છે
સધળી વેદના-સંવેદનાઓ
આજ એ હેરિટેજ બની ગઈ…..
રાહ જુએ છે મહેલનાં ઝરુખાંઓ
પ્રિયતમના મધુર સ્પર્શની હજીયે,
જેનાથી જર્જરિત ખંડેરનો પ્રેમ
થઈ જાય ફરી સજીવન
જે બની ગયું છે આજ હેરિટેજ !!!
— ડૉ. રેખા શાહ
##№####################
ન્યૂઝ ઓફ ગાંધીનગર
વિભાગ : પદ્ય
શીર્ષક : હેરિટેજ(મુંબઈ)
સુંદર દરિયા કિનારો,
હાજી અલીનો મિનારો,
મહાલક્ષ્મીની ધજાઓ,
રળિયામણો આ નજારો.
સદાય રક્ષા કરતી;
મુંબાદેવી મારી.
જોવા જેવી છે અહીં
લાલબાગચા રાજાની સવારી.
ઝગારા મારતું ઝવેરીબજાર;
ભૂલેશ્વરની બજાર ધમધોકાર,
ને દલાલ સ્ટ્રીટ પર
હિલોળા લેતુ શેરબજાર!
ફિલ્મોની બહુ અહીં હસ્તિ,
ગીચોગીચ અહીં બહુ વસ્તી,
વાત સ્વીકારવી નથી આ અઘરી;
છે આ મુંબઈ નગરી!
સી એસ ટી(CST)ની ભવ્યતા અપાર,
માનવ મહેરામણનો નહીં પાર,
ટ્રેનોની ભરમાર
એના વગરનુ તો મુંબઈ ભાસે સુનકાર!
લાખો લોકો આવે
કમાણી કરવા અહીં
રોટલો રળી લેવાશે
પણ ઓટલાની વાત થાય નહીં!
ઘડિયાળના કાંટે દોડતી
જીવનના પાઠ ભણાવતી
છે આ માયા નગરી
માયા લગાડે જબરી.
✍️વૈશાલી જીગ્નેશ મહેતા
##########№############
ન્યૂઝ ઓફ ગાંધીનગર
વિભાગ.ગધ
શીષૅક.
સિદ્ધપુરનો રુદ્રમહાલય.
………………………..
સિદ્ધપુર ઐતહાસિક રીતે શ્રી સ્થલ ને ઋગવેદમાં દાસુ ગાન તરીકે ઉલ્લેખ કરાયો છે.
દંતકથા મુજબ ઋષિ દધિચિએ તેમના હાડકાં ઈન્દ્રને બનાવવા માટે. અહીં અપૅણ કયાૅ હતા.
સિદ્ધપુર ગંગા ને સરસ્વતિ નદીના સંગમ પર વસેલું છે..મહાંંભારતના કાળમાં પાંડવોએ અજ્ઞાતવાસ માં અહીં રહ્યાં હતા.મથુરાના બ્રાહ્મણોએ વસવાટ કરેલો.
સોલકી કાળનું રુદ્ર મહાલય અગ્યાર મી સદીમાં બનાવાયું હતું ને 13 મી સદીમાં તોડી પડાયું હતુ.વિધમીૅ ના અાક્રમણકારોએ આ અૈતહાસિક ઈમારતને નષ્ટ કરી નરસંહાર કયોૅ હતો.
જે અગિયાર માળનો હતો,સોળસો થાંભલા હતા,સોળ બારણા ને હજાર શિવલિંગ હતા,હજાર ઘંટા હતા એકી સાથે વાગતા હતા.
રુદ્રમાળ મહારાજ સિધ્ધરાજ જયસિંહે બનાવેલો ને તેનું નામ
રુદ્રમાળ રાખેલું .અહીનું
શિવલિંગ રાજા શિરેાહીણ પોતાના સામ્રાજય લઈ ગયો ને નવું નામ આપ્યું “શરણેશ્વર મહાદેવ.”
એને ખંડિત મંદિર. સંકુલ અને પ્રાચીન સ્થાપત્ય કહેવાય છે. સોલંકી રાજાનાં વંશજોએ શરુ કરાવ્યુ ને સિંધ્ધરાજ જયસિંહ ના કાળમાં પૂણઁ થયું હતું. ગુજરાતનું સ્થાપત્યની,શિલ્પની, ભવ્ય ધમૅસ્થાનેા ઊભા કરવાની પ્રેરણા મૂળરાજે આપી . એના અવશેષેા હજી પણ છે. ચાલીસ વષૅ પછી દેલવાડા,કિતિૅ સ્તંભરૂપ,વિમલશા નાં મંદિરેા બંધાવ્યા.
રાજા મૂળરાજે પાછલી અવસ્થામાં શિવ ભકિતના. બાહ્ય ચિન્હોનાં શિખર રુપે સિદ્ધપુરમાં રૂદ્રપ્રસાદ કે રૂદ્રમહાલય બંધાવાની શરુઅાત કરી .નાના મોટા કામો ને લીધે એમની હયાતીમાં કામ પૂણૅ ના થયું. પણ દેવી પ્રતિષ્ઠા રાજા મૂળરાજના સમયમાં થયેલી 1043 માં રૂદ્રમહાલયો દેવને પૂજીને મૂળરાજે દાન આપ્યાનું એક તામ્ર પત્રમાં લખેલું મળે છે.
જયારે મહાલય અંધૂરો હતો. પાછળથી પોણા બસો વષૅ પછી રાજા સિધ્ધરાજે નવેસરથી મોટા પાયા પર આ મંદિર આખું બનાવ્યું. સિધ્ધરાજનાં મરણ વખતે અધુરુ હતું .કલ્પના મુશ્કેલ હતી .કલા ને કોતરણી મનેાહર હતી. ભવ્ય હતી.
ત્રણસો ફૂટ પહોળા મંદિરના આંગણાની વચ્ચે બે કે ત્રણ માળનું મંદિર હતું. પચાસ ફૂટ લાંબો
સંભામંડપ ચારે દિશાએ. ચાર દ્વાર હતા. મંદિરની આસપાસ અગિયાર નાના મોટા મંદિરો હતા.
ચોકમાં નાની નાની ઓરડીઓ હતી. પૂવૅ દિશાના મુખ્ય દ્વાર થી સરસ્વતી ના પાણીની કનૅલ હતી.ઈ સ.983માં શરૂ થયેલું કામ ચૌદ વષૅ
ચાલેલું.અધુરૂ કામ રાજા
સિદ્ધરાજે પુરુ કયુૅ.
બાર દરવાજા ને અગિયાર રુદ્રોની દેવકુલિકાઓ હતી.શિવ મંદિરના શિખરો પર સુવણૅ કળશ હતા.1600 ધજાઓ હતી ફરતે.ઘુમ્મટોની કિનારે રામાયણ ને મહાભારનાં પ્રસંગો થી કંડારેલી હતી.
ખંડેર અવસ્થામાં જોવા મળે છે. મહાલયનો નાનકડો અંશ માત્ર જ અવશેષ રૂપે છે. સોલંકી વંશની કલા- સમુદ્ધીની ઝાંખી કરાવે છે.
કહેવાય છે મંદિરનાે વિનાશ પહેલાં અલાઉદીન ખિલજી અને ત્યાર બાદ અહમદશાહ પહેલાં મંદિરનો નાશ કરીને એક ભાગ મસ્જિદ માં ફેરવ્યો હતો.મંદિરનું તોરણ અને ચાર સ્થંભો હજી જળવાયેલા છે.
મ્ંદિરના પશ્ચિમ ભાગમાં મસ્જિદ તરીકે ઉપયેાગ કરાય છે.
સરકારી પરમીશન હોય તો જળાભિષેક. કરવા મળે છે.
એ સિવાય પણ સિદ્ધપરમાં માતૃગયા માટે બિંદુ સરોવર પ્રસિધ્ધ છે, અડવેશ્વર, ગોવિંદ માધવરાયનાં મંદિર, બોરી ઓનું ભવ્ય મકાન જેને 365 બારી છે આજ પણ તેની સંભાળ લેવાય છે.
સરસ્વતીના તટ પર કારતકી પૂનમ સુધી મેળો ભરાય છે,મુકતિધામ ( સ્મશાન) દૂર દૂરથી લોકો આવે છે.
કહેવાય છે સરસ્વતી માતા કુંવારા હતા ને ત્યાં પરણેલું જોડું હાથ પકડીને પસાર નોતું થઈ શકતું..
રાગીની શુકલ “રાગ”
(મુંબઈ, કાંદિવલી.)
##№###################
News ઓફ ગાંધીનગર*
*વિભાગ- ગદ્ય*
શીર્ષક – *આપણા ગુજરાતનો સ્થાપત્યનો અમૂલ્ય વારસો મોઢેરાનું સૂર્યમંદિર*
ભારતના પુરાતત્વ વિભાગે જેને સંરક્ષિત શિલ્પ સ્થાપત્ય તરીકે જાહેર કરેલ છે તથા યુનેસ્કોએ જેને ૨૦૧૪ માં વર્લ્ડ હેરિટેજ જાહેર કરેલ છે એવી આપણાં ગુજરાતની પ્રાચીન વિરાસત એટલે મોઢેરાનું સૂર્યમંદિર ! સૂર્યવંશી રાજા ભીમદેવ સોલંકીએ ઈ.સ. ૧૦૨૬ માં આ મંદિર બંધાવેલું. જેમાં સૂર્યકુંડ, રંગમંડપ, સૂર્યમંદિર, પાંચ મોટા પ્રવેશદ્વાર તથા સભામંડપની રચના છે.ઈશાન ખૂણામાં મુખ્ય પ્રવેશદ્વારથી સભામંડપમાં પ્રવેશ થાય. હેરિટેજ ટ્રસ્ટ દ્વારા અહીં દર ઉત્તરાયણે ૩ દિવસનો ભવ્ય કાર્યક્રમ થાય જેમાં પ્રસિદ્ધ નૃત્યાંગનાઓના નૃત્ય તથા ભવ્ય લાઈટ શોનું આયોજન કરાય છે. મુખ્ય પ્રવેશદ્વાર પર ભવ્ય કિર્તીતોરણ હતું જે ૧૨ મી સદીમાં ભીમદેવને હરાવનાર મુસ્લિમ રાજા મહમદ ગઝનીએ તોડી પાડેલું.
આ મંદિરના પથ્થરો સેન્ટ સ્ટોનના છે, જે ધ્રાંગધ્રાથી લાવવામાં આવેલા. આશ્ચર્ય એ વાતનું છે કે પથ્થરોને ક્યાંય ચોંટાડ્યા નથી ! ફક્ત ઈન્ટરલોક સિસ્ટમથી લોક કરેલા છે. પરીણામે ભૂકંપની કોઈ અસર સ્થાપત્ય પર થતી નથી.
કુલ ૫૨(52) સ્તંભ પર મંદિરનું નિર્માણ થયેલ છે.દરેક સ્તંભ પર રામાયણ, મહાભારત, કૃષ્ણલીલાના દ્રશ્યો કોતરેલા છે. મોઢેરાનું આખું મંદિર કમળ પર બનાવેલું છે. એમાં કુલ ૧૧ સ્ટેપની કોતરણી છે જેમાં, નીચે કમળ, બાદ કમાન, રાજઆસન, હાથી, મનુષ્ય, કુંભકળશ, દેવી-દેવતાઓ વગેરેના શિલ્પો છે.મનુષ્ય જીવનની જન્મથી મૃત્યુ સુધીની સફર શિલ્પીઓએ કોતરણીમાં આબેહૂબ કંડારી છે. સૂર્યકુંડ માં નાના મોટા ૧૦૮ મંદિરો છે.
મંદિરની રચના એવી રીતે કરેલ છે કે જેથી સૂર્યનું પહેલું કિરણ મંદિરના ગર્ભગૃહમાં પડે. બરાબર મોઢેરા ઉપરથી કર્કવૃત્ત ૨૩.૫ પસાર થાય છે.તેથી ૨૧ મી માર્ચ અને ૨૨ મી સપ્ટેમ્બરના રોજ સૂર્યકિરણો સીધા ગર્ભગૃહમાં સૂર્યભગવાનના મુગટ ઉપર પડતા. પરિણામે મંદિર, સૂર્યની જેમ જ ઝગમગી ઊઠતું.
મુસ્લિમ રાજાએ યુદ્ધ માં ગુંબજો, ભગવાનની મૂર્તિઓ, ગર્ભગૃહની સૂર્યદેવની મૂર્તિનો પણ નાશ કરેલો તથા હીરા ઝવેરાત લૂંટી લીધેલા.
સેન્ટ સ્ટોનનું મંદિર હોવાથી પવન અને પાણીનો ઘસારો લાગવાથી નક્શીકામ ઘસાવા માંડ્યું છે. ASI દ્વારા નવું કોતરકામ કરીને શક્ય એટલું ફરીથી બનાવાય છે. પુરાતત્વ વિભાગ આ સ્થાપત્યની શક્ય એટલી જાળવણી કરી રહ્યું છે જે મેં મારી ૨૦૧૫ની મુલાકાત દરમ્યાન જાતે જોયું છે.
✍️જયશ્રીબેન દેસાઈ
અમલસાડ ૨૭/૦૫/૨૦૨૦
#########№№##№№############
ન્યુઝ ઑફ ગાંધીનગર
વિષય :- હેરિટેજ
હમ્પી,
પ્રાચીન અને મધ્યકાળના સ્મારકોમાં નું એક, યુનેસ્કોએ જેને વર્લ્ડ હેરિટેજ જાહેર કર્યું છે. એ કર્ણાટકમાં આવ્યું છે.
હમ્પી મધ્યકાળના હિન્દુ રાજ્ય વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી.તુંગભદ્રા નદીના કિનારે વસેલું આ શહેર ‘હમ્પી’ નામથી ઓળખાય છે અને હવે ખાલી ખંડેરોના રૂપમાં જ અવશેષો બચ્યા છે.એને જોવાથી પ્રતીતિ થાય છે કે કોઈ સમયમાં અહીં સમૃધ્ધશાળી સભ્યતા નિવાસ કરતી હસે.ભારતના કર્ણાટક રાજ્યમાં મૌજુદ આ શહેર ને યુનેસ્કોના વિશ્વના વિરાસત સ્થળોમાં પણ સામેલ કરવામાં આવ્યું છે.
દર વર્ષે અહીં હજારોની સંખ્યામાં પર્યટકો અને તિર્થયાત્રીઓ આવે છે. હમ્પી શહેરનો વિશાળ ફેલાવો ગોળ પથ્થના ડુંગરાઓમાં પથરાયેલો છે.ખાઇ અને ડુગરાઓની વચ્ચે ૫૦૦થી પણ વધારે સ્મારક ચિહ્નો છે. એમાં મંદિર, મહેલ, છુપા રૂમો,જુની બજારો, રાજભવન, કિલ્લો, ચબુતરો, રાજકોષ વગૈરે અસંખ્ય મકાનો છે.
હમ્પીમાં લગભગ બધા ધર્મોના મંદિરો આવેલા છે.એમાં વિઠ્ઠલ મંદિર પરિસર નિઃશંદેહ બધાથી શાનદાર સ્મારકોમાં નું એક છે.એના મુખ્ય હોલમાં લગાવેલા ૫૬ સ્થંભોને થપથપાવવા થી એનામાં સંગીતના સૂરો નિકળે છે.હૉલના એક ભાગમાં પ્રસિદ્ધ શિલા-રથ છે, જે વાસ્તવમાં પથ્થરના પૈડાંથી ચાલે છે.
હમ્પી માં એવા અનેક આશ્ચર્યો છે. જેવી રીતે કે, અહીં રાજાઓને અનાજ કે સોના, રૂપિયા થી વજન કરીને અહીંનાં ગરીબો ને આપી દેવામાં આવતું હતું. રાણીઓ માટે ના સ્નાનાગાર માટે ની ગલીઓ, ઝરુખા જેવી છત્તો, અને કમલના આકારના ફુવારાઓથી સજાવેલા હતા.એના સિવાય કમલ મહેલ અને રાણી મહેલ પણ આશ્ચર્ય માં મુકી દે એવા છે.એક-બે માળના મકાનોના રસ્તાઓ, એમાં તડકો અને હવા લેવા માટે કોઈ ફુલની પત્તીઓની જેમ બનાવ્યું છે.શહેરના શાહી પ્રવેશ દ્વાર પર હજારા રામમંદિર આવેલું છે.
ખંડેરોની ભવ્યતા પણ કેટલી ખુબસુરત હોય છે ,એ આ ‘હમ્પી’ ને જોઈને ખ્યાલ આવે.
હમણાં સબ ટીવી પર જે સિરિયલ આવે છે “તેનાલી રામા” એ આ શહેર પરથી જ બનાવવામાં આવી છે.
“હિરછાંય” છાયા હીરપરા. બોમ્બે.
#####№#####################