Press Brief 19.05.2020 Gujarat 17.00 hrs
GN_20-5-20 (News of Gandhinagar PDF)
[5/18, 8:29 PM] Uday Vaisnav: *મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય માટે જાહેર કરેલી લોકડાઉન-4 ની ગાઇડ લાઇન્સ*:-
*કન્ટેનમેન્ટ ઝોન-નોન કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારો એવા બે ભાગ પાડીને
રાજ્ય સરકારે કોરોના સંક્રમણ કાબૂમાં રાખવા સાથે આર્થિક ગતિવિધિઓ-રોજીંદી જીવન વ્યવહાર પ્રવૃત્તિઓને ગાઇડલાઇનને આધિન છૂટછાટો આપવાનો અપનાવ્યો આગવો વ્યૂહ*
…..
*તા.૧૯મી મે મંગળવારથી તા.૩૧મી મે રવિવાર સુધી ગાઇડલાઇન્સનો રાજ્યમાં અમલ કરાશે*
-: મુખ્યમંત્રીશ્રી :-
*લોકડાઉનના ત્રણ તબક્કામાં જનતા જનાર્દને જે સહયોગ-સહકાર-નિયમ પાલન કર્યા છે તેનો આભાર*
*ગરીબ-શ્રમિક-રોજનું કમાઇને રોજ ખાનારા લોકો-મધ્યમવર્ગો-ખેડૂતો સૌનો સર્વગ્રાહી વિચાર-સાથો સાથ કોરોનાથી સુરક્ષિત રહીને રાજ્યમાં જનજીવન પૂન: ધબકતું – વેપાર ઊદ્યોગ ફરી વેગવંતા કરવા છે*
*કોરોના સામેની લડાઇ લાંબી છે -સૌ સાથે મળી-સારી આદતો કેળવી કોરોનાને મ્હાત કરીશું*
*નાગરિકોને માસ્ક સરળતાએ મળે તે માટે N-95 અને ત્રિપલ લેયર માસ્કનું રાજ્યમાં અમૂલ પાર્લર પરથી વ્યાજબી કિંમતે ક્રમશ: વેચાણ કરવામાં આવશે*
*પ્રથમ તબક્કે અમદાવાદમાં માસ્કના વેચાણ બાદ તબક્કા વાર રાજ્યના અન્ય સ્થળોએ એક નંગ N-95 માસ્ક રૂ. ૬૫ અને ત્રિપલ લેયર માસ્ક પ્રતિ માસ્કના રૂ. પ ના દરે અમૂલ પાર્લર પરથી વેચાણ થશે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં*
*કન્ટેન્ટમેન્ટ ઝોનની યાદી કેસોની સંખ્યાના આધારે ફેરફારને પાત્ર*
*સમગ્ર ગુજરાતમાં કન્ટન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં સવારના ૮ થી બપોરના ૩ વાગ્યા સુધી આવશ્યક સેવાઓ અને આવશ્યક ચીજ વસ્તુઓના વેચાણ માટે છૂટ*
*કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના ૮ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ ચાલુ રાખી શકાશે*
*સમગ્ર રાજ્યમાં સાંજના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી કરફ્યુનો કડક અમલ કરાશે*.
*અમદાવાદ અને સુરત સિવાય સમગ્ર રાજ્યમાં ઓટો રિક્ષા ચાલુ કરવા દેવાશે*
*સમગ્ર ગુજરાતમાં એસ. ટી. બસો શરૂ કરી દેવાશે પરંતુ અમદાવાદ શહેરમાં બસોને આવવા કે જવા દેવાશે નહિં*
…..
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સૌ નાગરિકોનો કોરોના મહામારીના સંક્રમણ નિયંત્રણ માટેના પગલાંઓમાં સહયોગ-સહકાર માટે આભાર વ્યકત કર્યો છે.
તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, પ૪ દિવસથી લોકડાઉનની સ્થિતીમાં નિયમોના અનુપાલન કોરોના વોરિયર્સ એવા તબીબો, પોલીસ, નર્સ સ્ટાફ, સફાઇ કર્મીઓની સેવા ભાવનાને પણ તેમણે બિરદાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, લોકડાઉન ૧,ર અને ૩ ના નિયમોના પાલન બાદ હવે લોકડાઉન-૪ માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ગ્રીન, રેડ, યલો, ઓરેન્જ ઝોનના આધારે લોકડાઉન અનુપાલન કરવા સૂચવેલું છે.
ગુજરાતમાં રાજ્ય સરકારે આવા ઝોનમાં કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોનના આધાર ઉપર નિયમોમાં કેટલીક છૂટછાટો સાથે લોકડાઉન-૪ માટેની ગાઇડ લાઇન આજે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં જાહેર કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જાહેર ગાઇડલાઇન-નિયમો મુખ્યત્વે આ મુજબ છે:-
• કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.
• કન્ટેન્ટમેન્ટ ઝોનની યાદી કેસોની સંખ્યાના આધારે ફેરફારને પાત્ર રહેશે .
• સમગ્ર ગુજરાતમાં કન્ટન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં સવારના ૮ થી બપોરના ૩ વાગ્યા સુધી આવશ્યક સેવાઓ અને આવશ્યક ચીજ વસ્તુઓના વેચાણ માટે છૂટ આપવામાં આવશે.
• કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના ૮ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ ચાલુ રાખી શકાશે.
• ભારત સરકારના ગૃહમંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે સાંજના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કરફ્યુનો કડક અમલ કરાશે.
• કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર પણ અમૂક બાબતોમાં છૂટછાટ મળશે નહિં.
• આ બાબતોમાં શૈક્ષણિક સંસ્થાઓ, કોચીંગ ક્લાસ, જિમ, સ્વીમીંગ પૂલ, બાગ – બગીચા, શોપિંગ મોલ, થિયેટર, ધાર્મિક અને જાહેર મેળાવડાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો બંધ રહેશે-સંક્રમણ ન રહે.
• હાલ, શાકભાજી તેમજ આવશ્યક વસ્તુઓના વેચાણ સિવાયના ફેરિયાઓ, સીટી બસ સેવાઓ અને ખાનગી બસ સેવાઓને પણ મંજૂરી આપવામાં આવી નથી.
• આરોગ્ય, પોલીસ, સરકારી કામકાજ અંગે વપરાશમાં લેવાતી હોય કે કોરેન્ટાઈન ફેસેલિટી તરીકે ઉપયોગમાં લેવાતી હોય તે સિવાયની હોટેલો બંધ રહેશે.
• કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર આ સિવાયની ગતિવિધિઓમાં મોટાપાયે છૂટછાટ આપવામાં આવશે.
• અમદાવાદ અને સુરત સિવાય રાજ્યમાં સમગ્ર રાજ્યમાં ઓટો રિક્ષાઓ ચાલુ કરવા દેવાશે.
• બીજા તબક્કામાં આ બે શહેરો અંગે નિર્ણય કરવામાં આવશે.
• એક રિક્ષામાં વધુમાં વધુ બે પેસેન્જર બેસાડી શકાશે.
• માર્કેટ એરિયા કે શોપિંગ કોમ્પલેક્ષમાં દુકાનો ઓડ અને ઈવન નંબર પ્રમાણે વારાફરથી ખોલવાની રહેશે.
• એટલે કે ૫૦ ટકા દુકાનો એક દિવસે અને ૫૦ ટકા દુકાનો બીજા દિવસે ખૂલી શકશે.
• દુકાનમાં કોઈપણ સમયે એક સાથે પાચં કરતા વધુ ગ્રાહકો રહિ શકશે નહિં.
• કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા હોય તેવા શ્રમિકો, દુકાનદારો કે કર્મચારીઓ કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર અવર-જવર કરી શકશે નહિં.
• સાબરમતી નદીની પશ્રિમે આવેલા અમદાવાદ નગરમાં કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર આર્થિક ગતિવિધિઓ વેપાર, ધંધા, ઓફિસો ચાલુ કરવા દેવાશે.
• અમદાવાદ મહાનગરના પૂર્વ વિસ્તારોમાં આવી છૂટછાટ આપવામાં આવી નથી.
• સમગ્ર ગુજરાતમાં એસ. ટી. બસો શરૂ કરી દેવાશે પરંતુ અમદાવાદ શહેરમાં બસોને આવવા કે જવા દેવાશે નહિં.
• લગ્ન સમારોહ માટે વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓને મંજૂરી અપાશે.
• કોઈ મૃતકના અંતિમ સંસ્કાર વિધિ માટે ૨૦ વ્યક્તિઓને અનૂમતિ અપાશે.
• કેન્ટેન્ટમેન્ટ ઝોન બહાર પાનની દુકાનો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે પરંતુ માત્ર ટેઈક અવે ને મંજૂરી આપવામાં આવશે.
• વાળંદની દુકાનો – બ્યૂટી પાર્લર અને સલૂન સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાની શરતે શરૂ કરવા દેવાશે.
• સમગ્ર રાજ્યમાં ૬૦ ટકા કેપેસિટી સાથે પબ્લીક લાયબ્રેરી શરૂ કરવાની છૂટ આપવામાં આવશે.
• કેબ, ટેક્ષી અને કેબ એગ્રીગ્રેટર્સની સેવાઓ કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર વધુમાં વધુ બે પેસેન્જર સાથે ચાલુ કરવા દેવાશે.
• પરંતુ અમદાવાદ શહેરમાં હાલ પૂર્વ વિસ્તારમાં કેબ અને ટેક્ષીની સેવાઓ બંધ રાખવામાં આવશે.
• સમગ્ર રાજ્યમાં રેસ્ટોરન્ટ માત્ર હોમ ડીલીવરી કરવાના હેતુથી ચાલુ રાખી શકાશે. પરંતુ હોમ ડિલીવરી માટે જનારા વ્યકિતનું સંપૂર્ણ આરોગ્ય પરિક્ષણ, હેલ્થકાર્ડ પણ કરાવવાનું રહેશે જેથી તે સુપર સ્પ્રેડર ન બને અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાવે.
• રાજ્યમાં સિટી લિમીટ બહાર રોડ સાઈડ ઢાબાને પણ ચાલુ કરવા દેવાશે.
• ૩૩ ટકા કેપેસિટી સાથે પ્રાયવેટ ઓફિસીસ પણ કન્ટેન્ટમેન્ટ ઝોન બહારના વિસ્તારોમાં ચાલુ કરવા દેવામાં આવશે.
• પરંતુ અમદાવાદ શહેરમાં પૂર્વ અમદાવાદમાં ખાનગી ઓફિસો હાલ બંધ રાખવાની રહેશે.
• તમામ રિપેર શોપ, ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશન્સ સમગ્ર રાજ્યમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય કાર્યરત કરી શકાશે.
• પ્રાયવેટ કાર અને ટૂ વ્હીલર્સને કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં છૂટછાટ મળશે.
• ટૂ વ્હીલરમાં એક જ વ્યક્તિ અને ફોર વ્હીલરમાં ડ્રાયવર ઉપરાંત બે વ્યક્તિઓ અવર – જવર કરી શકશે.
• સુરતમાં ઓડ – ઈવન નંબર પ્રમાણે ટેક્ષટાઈલ માર્કેટ ચાલુ કરી શકાશે.
• ડાયમન્ડ, વિવિંગ અને પાવર લૂમ્સ યુનિટોને પણ ૫૦ ટકા સ્ટાફ સાથે ચાલુ કરવા દેવાશે પરંતુ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું આવશ્યક રહેશે.
• સમગ્ર ગુજરાતમાં માલવાહક વાહનો ગુડ્સ ટ્રાન્સપોર્ટને પરવાનગી આપવામાં આવશે.
• આ સૂચનાઓ – ગાઈડલાન્સ ૧૯મી મે મંગળવારથી ૩૧મી મે રવિવાર સુધીના સમય માટે અમલમાં રહેશે.
• આ બધી જ સૂચનાઓ સાથો સાથ સમગ્ર ગુજરાતમાં જાહેરમાં થૂંકનારા વ્યક્તિને રૂ. ૨૦૦નો દંડ કરાશે તેમજ જાહેરમાં માસ્ક નહિં પહેરનારાઓને પણ ૨૦૦ રૂપિયા દંડ કરાશે.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, રાજ્યમાં જાહેરમાં માસ્ક ફરજીયાત બનાવાયા છે ત્યારે લોકોને માસ્ક સરળતાએ મળી રહે તેવી વ્યવસ્થાઓ પણ રાજ્ય સરકારે ગોઠવી છે.
જે વ્યકિતઓને N-95 કે ત્રિપલ લેયર માસ્ક પોતાના ઉપયોગ માટે ખરીદવા હોય તેમને રાજ્યમાં અમૂલના દૂધ પાર્લર ઉપરથી તે મળી શકશે.
પ્રથમ તબક્કે અમદાવાદ મહાનગરમાં તેનું વેચાણ શરૂ કરાયા બાદ ક્રમશ: સમગ્ર રાજ્યમાં અમૂલ પાર્લર પરથી આવા માસ્કનું વેચાણ થશે.
તેમણે કહ્યું કે, આવા માસ્કની કિંમત પણ N-95 માટે રૂ. ૬પ પ્રતિ માસ્ક અને ત્રિપલ લેયર માસ્ક માટે પ્રતિ માસ્ક રૂ. પ ની રાખવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના હરેક નાગરિકની આરોગ્ય સલામતિની ચિંતા કરીને તેમજ લોકોની રોગપ્રતિકારક શકિત વધારી કોરોના સામેના જંગમાં જીત મેળવવાની પ્રતિબદ્ધતાથી સંપૂર્ણ સરકાર દિવસ-રાત કાર્યરત છે.
તેમણે રાજ્યના સૌ નાગરિકોને પણ અનુરોધ કર્યો કે, કોરોના સંક્રમણથી બચવા માસ્કનો ઉપયોગ, સોશિયલ ડિસ્ટન્સીંગ, વારંવાર સાબૂથી હાથ ધોવા, કામ સિવાય ઘર બહાર ન નીકળવું જેવી આદતો કેળવીને જ આ લાંબી લડાઇ પર વિજય મેળવી શકાશે.
મુખ્યમંત્રીશ્રીએ લોકોમાં રોગ પ્રતિકારક શકિત વધારવા સાથે ખાસ કરીને વૃદ્ધો, વયસ્કો, ગંભીર બિમારી ધરાવતા લોકો, નાના બાળકોની ખાસ તકેદારી સંભાળ લેવાની પણ સૌ પ્રજાજનોને અપિલ કરી હતી.
સી.એમ-પીઆરઓ/અરૂણ ……
[5/18, 9:23 PM] Uday Vaisnav: *રાજ્યના શહેરી વિસ્તારોમાં કન્ટેઇન્મેન્ટ ઝોન બહારના વિસ્તારોમાં આવેલા ઉદ્યોગોને 50 ટકા સ્ટાફ સાથે સોશિયલ ડિસ્ટન્સીંગ ના નિયમો નું પાલન અને સ્ટાન્ડર્ડ સેફ્ટી પ્રોટોકોલ પાલન સાથે શરુ કરવા દેવાશે*
[5/19, 6:02 PM] Uday Vaisnav: તા. ૧૮મી મે સોમવાર મધરાત સુધીમાં ગુજરાતમાંથી ૫૧૮ સ્પેશિયલ ટ્રેન મારફતે ૭.૪૦ લાખ પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતન જવા રવાના થયા :-
…….
-: ઉત્તરપ્રદેશ – બિહાર – છત્તીસગઢ – ઝારખંડ – પશ્ચિમ બંગાળ સહિત વિવિધ રાજ્યોમાં
મંગળવાર મધરાત સુધીમાં ગુજરાતની વધુ ૩૯ વિશેષ ટ્રેન રવાના થશે:-
……
સોશિયલ ડિસ્ટન્સીંગ પાલન સહિતની વ્યવસ્થાઓ સાથે
શ્રમિકો પોતાના વતન જવા રવાના થાય છે
…….
-: મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી વિગતો :-
…….
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા સોમવાર તા.૧૮મી મે ની રાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ ૫૧૮ વિશેષ ટ્રેન દ્વારા આશરે ૭.૪૦ લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતાપૂર્વક વ્યવસ્થા કરી છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું કે, ગુજરાતમાંથી તા.૧૮મી મે ની મધરાત સુધીમાં ઉત્તર પ્રદેશ માટે ૩૬૩ ટ્રેન, બિહાર માટે ૫૯ ટ્રેન, ઓરિસ્સા માટે ૪૦ ટ્રેન, મધ્યપ્રદેશ માટે ૨૫ ટ્રેન, ઝારખંડ માટે ૧૬ ટ્રેન, છત્તીગઢ માટે ૦૭ ટ્રેન અને ઉત્તરાખંડ માટે ૦૫ ટ્રેન, મહારાષ્ટ્ર – મણિપુર – રાજસ્થાન માટે ૧-૧ ટ્રેન એમ કુલ ૫૧૮ શ્રમિક સ્પેશિયલ ટ્રેન દોડાવવા માં આવી છે. આ શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફત આશરે ૭ લાખ ૪૦ હજાર જેટલા શ્રમિકો તેમના વતન પહોંચ્યા છે.
હવે, તા. ૧૯મી મે , મંગળવાર મધ્યરાત્રી સુધીમાં વધુ ૩૯ ટ્રેન દ્વારા ૬૧ હજાર પરપ્રાંતિય શ્રમિકો તેમના વતન રાજ્ય ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ વગેરેમાં જવા રવાના થશે.
તેમણે આ અંગેની સમગ્રતયા વિગતો આપતાં જણાવ્યું કે, ગુજરાતમાંથી મંગળવાર તા.૧૯મી મે ની મધ્યરાત્રિ સુધીમાં કુલ ૫૫૭ ટ્રેન દ્વારા અંદાજે ૮ લાખ શ્રમિકો પોતાના વતન પહોચ્યા છે.
જે ૩૯ ટ્રેન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી મંગળવારે રવાના થવાની છે, તેમાં ઉત્તરપ્રદેશ માટે ર૮, બિહાર માટે ૦૭ ટ્રેન, ઝારખંડ માટે ૦૨ અને પશ્ચિમ બંગાળ – છત્તીસગઢ માટે ૧-૧ ટ્રેન દોડશે. આ ૩૯ જેટલી શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફત આશરે ૬૧ હજાર જેટલા શ્રમિક ભાઈઓ-બહેનો પોતાના વતન જવા રવાના થશે.
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ આ વિશેષ ટ્રેનો મારફતે ગુજરાતમાંથી જે શ્રમિકોને વતન મોકલવામાં આવી રહ્યા છે તેની વિગતો આપતા કહ્યું કે, પરપ્રાંતિયો મજૂરો, શ્રમિકો ખુબ સારી વ્યવસ્થા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્પેશ્યલ શ્રમિક ટ્રેનમાં તેમના વતન રાજ્ય જાય છે. એટલું જ નહિ, જિલ્લા વહિવટીતંત્ર આવા શ્રમિકોને રેલ્વે સ્ટેશન સુધી પહોચાડવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે.
સી.એમ-પીઆરઓ/અ
લૉકડાઉનના ચોથા ચરણમાં અપાયેલી છૂટછાટોમાં
સોશિયલ ડિસ્ટન્સસિંગ, માસ્ક અને સારી ટેવો દ્વારા જનજીવન પૂર્વવત બનાવીએ
…..
કોરોના સામેની લડાઇ લાંબી છે – કોરોના હજુ ગયો નથી : કોરોના સાથે સતર્કતા સાથે જીવન જીવવાની ટેવ કેળવીએ
…
મુખ્ય મંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર
લૉકડાઉનમાં અપાયેલ છૂટછાટો જનહિત માટે છે આરોગ્યની જાળવણી માટે સંક્રમણ ન ફેલાય સાથો સાથ જનજીવન ઝડપથી પૂર્વવત બને તે માટે નાગરિકોને સહયોગ આપવા મુખ્ય મંત્રીશ્રીનો અનુરોધ
ચાની દુકાન-પાન-મસાલાના ગલ્લા, સલૂન અને સ્પામાં બિનજરૂરી ભીડ ન થાય એ જોવાની જવાબદારી દુકાનદાર અને પ્રજાજનોની : સલૂન અને સ્પામાં એપોઇન્ટમેન્ટ લઇને જ જવા અનુરોધ
કોઈપણ જગ્યાએ બિનજરૂરી ભીડ જગ્યાએ જોવા મળશે અને સોશ્યલ ડિસ્ટન્સસિંગ નહીં જળવાતું હોય તો આપેલ છુટછાટોમાં ફેરફાર કરી બંધ કરવાની કાર્યવાહી પણ કરાશે
સાંજના ૭ થી સવારના ૭ સુધી રાત્રી કર્ફ્યુ : ઉદ્યોગગૃહોએ પણ કર્મચારીઓની શીફટ ૬:00 વાગ્યે પૂર્ણ કરવી જેથી કર્ફ્યુ ભંગ ના થાય
…..
લૉકડાઉનના ચોથા ચરણમાં રાજ્ય સરકારે આર્થિક, સામાજિક જનજીવન ઝડપથી પૂર્વવત થાય એ માટે લૉકડાઉનમાં જે છૂટછાટો આપી છે તેમાં નાગરિકો સ્વયં શિસ્ત જાળવવીને પોતાના આરોગ્યની જાળવણી સાથે કોરોના સંક્રમણ વધુ ન ફેલાય એ માટે સક્રિય સહયોગ આપે એવો અનુરોધ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કર્યો છે.
મુખ્ય મંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે લૉકડાઉનના ચોથા ચરણમાં અપાયેલ છૂટછાટના આજના પ્રથમ દિવસે જ જનજીવન ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યું છે તેની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે કોરોના આપણી સાથે જ છે તેમ સમજીને જાહેરમાં યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સસિંગ રાખી, માસ્ક પહેરી અને સારી ટેવો દ્વારા જનજીવનને વધુ ઝડપથી પૂર્વવત બનાવવું તે આપણા સૌની જવાબદારી છે.
તેમણે ઉમેર્યું કે, વ્યાપાર, આર્થિક ઔદ્યોગિક અને ખેતીવાડી પ્રવૃત્તિઓ રાજ્યમાં ફરી પૂર્વવત બનીને ગુજરાત ધમધમતું બને તે માટે જે છૂટછાટો આપી છે તેના નિયમોમાં પણ પ્રજાજનો ચુસ્ત અમલ કરીને સહયોગ આપે એ જરૂરી છે.
એમણે ઉમેર્યું કે રાજ્યમાં ચાની દુકાનો, પાન-મસાલાની દુકાનો, સલૂન અને સ્પામાં પણ બિનજરૂરી ભીડ ભેગી ન થાય તેની પણ નાગરિકોએ સવિશેષ કાળજી લેવાની રહેશે. ચા અને પાનની દુકાનો પર યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટેની જવાબદારી દુકાનદાર અને નાગરિકો બંનેની છે.
એ જ રીતે સલુન અને સ્પા સેન્ટરોમાં પણ બિનજરૂરી લોકોની ભીડ ન થાય એ માટે નાગરિકોએ ફોન દ્વારા એપોઇન્ટમેન્ટ લઈને જવું જરૂરી છે જેથી સંક્રમણ પેદા થવાની સંભાવના જ ના રહે. આ માટે સૌ નાગરીકો સ્વયં શિસ્તનું પાલન કરશે તો સરકારે જે હિંમતભર્યા નિર્ણય જનજીવનને પૂર્વવત કરવા માટે કર્યો છે તે ચોક્કસ બર આવશે, એવો વિશ્વાસ શ્રી અશ્વિનીકુમારે દર્શાવ્યો હતો. તેમણે કહ્યું કે પાન, સલૂન અને સ્પાની દુકાનો માટે જે છૂટછાટો આપવામાં આવી છે તેમાં જો નિયમોનુ પાલન નહીં જળવાય અને ભીડભાડ જોવા મળશે તો આ છૂટછાટોમાં સુધારો કરીને ફરીથી બંધ કરવા માટેની કાર્યવાહી કરવાની દિશામાં પણ સરકાર ચોક્કસ પગલાં લઇ શકે છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું કે, રાજ્યના કન્ટેન્ટમેન્ટ ઝોનવાળા વિસ્તારોમાં સવારે ૮ થી બપોરના ૩ કલાક સુધી દુકાનો ખુલ્લી રાખવા માટેની જે છૂટછાટ આપી છે તેમાં માત્ર ને માત્ર આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ જ પ્રાપ્ત થશે. વધારાની કોઈ છૂટછાટ રહેશે નહીં.
તે જ રીતે નોન કન્ટેન્ટમેન્ટવાળા વિસ્તારોમાં સવારના ૮ થી સાંજના ૪ કલાક દરમિયાન દુકાનો, ઓફિસો ઓડ-ઇવનની ફોર્મ્યુલાના આધારે ખુલ્લી રહેશે. દવાની દુકાનો, હેલ્થ કેર અને મેડીકેરની સવલતો આપતી દુકાનો ૨૪ કલાક ખુલ્લી રહેશે.
શ્રી અશ્વિનીકુમારે ઉમેર્યું કે, રાજ્યભરમાં સાંજના ૭ થી સવારના ૭ કલાક સુધી રાત્રી કર્ફ્યુ રહેશે. જેનો ખુબ જ સખ્તાઇથી અમલ કરાશે. રાજ્યમાં તબક્કાવાર ઉદ્યોગ ધંધા શરૂ કરવાની જે છૂટછાટ આપવામાં આવી છે તે તમામ ધંધા-ઉદ્યોગોમાં કર્મચારીની તમામ શીફટ સાંજે 0૬:00 પૂર્ણ કરવાની રહેશે. જેથી કરીને કર્મચારીઓ સાંજના ૭.૦૦ વાગ્યા સુધીમાં પોતાના ઘરે પહોંચી શકે જેથી કરીને કરફ્યુ ભંગના કિસ્સાઓ બને નહીં એટલી તકેદારી તમામ ઉદ્યોગગૃહ રાખવાની રહેશે તેમ પણ તેમણે ઉમેર્યું છે.
સી.એમ-પીઆરઓ/અરૂણ ……
[5/19, 7:07 PM] Uday Vaisnav: -: અમદાવાદ મહાનગરમાં પ્રવર્તમાન સ્થિતી વચ્ચે પણ બે જ દિવસમાં
૧ લાખ ૭૦ હજાર મધ્યમવર્ગીય APL-1 પરિવારોએ
વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ મેળવ્યો :-
……
વિનામૂલ્યે અનાજ વિતરણ અન્વયે પરિવાર દિઠ ૧૦ કિલો ઘઉં-૩ કિલો ચોખા- ૧ કિલો ખાંડ-૧ કિલો દાળનું અમદાવાદ શહેરની ૭પ૦ સરકાર માન્ય સસ્તા અનાજ દુકાનો પરથી વિતરણ
…….
કન્ટેઇનમેન્ટ ઝોનમાં સવારે ૮ થી બપોરે ૩ વાગ્યા સુધી – નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં
સવારે ૮ થી બપોરે ૪ વાગ્યા સુધી અનાજ વિતરણ તા. ર૩મી મે સુધી કરાશે
…..
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં કોઇને ભુખ્યા સૂવું ન પડે તેવા ઉદાત્ત ભાવથી રાજ્યના મધ્યમવર્ગીય APL-1 ૬૧ લાખ પરિવારોના અંદાજે ર.પ૦ કરોડ લોકોને મે-મહિનામાં પણ વિનામૂલ્યે ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ખાંડ અને ૧ કિલો ચણાદાળ / દાળ એમ કુલ મળી ૧પ કિલો પૂરવઠો કુટુંબદિઠ આપવાની રાજ્યના ૬૦મા સ્થાપના દિન ૧ લી મે એ જાહેરાત કરી હતી.
તદ્દઅનુસાર, અમદાવાદ શહેર સિવાય સમગ્ર રાજ્યમાં આવા APL-1 પરિવારોને ૭મી થી ૧રમી મે દરમ્યાન આ વિતરણ પાર પડયું છે.
અમદાવાદ મહાનગરમાં આ અનાજ વિતરણનો પ્રારંભ તા.૧૮મી મે થી શરૂ કરવામાં આવ્યો છે.
તદ્દઅનુસાર તા. ૧૮મી એ પ્રથમ દિવસે રેશનકાર્ડનો છેલ્લો આંક ૧ અને ર હોય તેવા APL-1 કાર્ડધારકોએ તથા તા.૧૯મી એ જેમનો કાર્ડનો છેલ્લો આંક ૩ અને ૪ હોય તેવા કાર્ડધારકો મળી માત્ર બે દિવસમાં જ ૧ લાખ ૭૦ હજાર મધ્યમવર્ગીય પરિવારોએ આ વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ મેળવ્યો છે.
અમદાવાદ શહેરની પ્રવર્તમાન પરિસ્થિતીમાં આવા APL-1 કાર્ડધારક પરિવારોને સુચારૂ ઢબે સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું પાલન, ફરજીયાત માસ્ક સહિતના પૂરતા પ્રબંધ સાથે રેશનકાર્ડના છેલ્લા આંકડાના આધારે નિર્ધારીત દિવસોએ વિનામૂલ્યે અનાજ વિતરણ થાય છે.
એટલું જ નહિ, કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવેલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી સવારે ૮ થી બપોરે ૩ દરમ્યાન અને નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં સવારે ૮ થી બપોરે ૪ વાગ્યા સુધી APL-1 કાર્ડધારકો વિનામૂલ્યે અનાજ મેળવી શકે છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, જે APL-1 કાર્ડધારકોના રેશનકાર્ડનો છેલ્લો આંક ૫ અને ૬ છે તેમને તા. ૨૦મી મે, ૭ અને ૮ વાળાને તા.ર૧મી મે, ૯ અને શૂન્યવાળાને તા.ર૨મી મે તેમજ અન્ય જે કોઈ APL-1 કાર્ડધારક આ નિર્ધારિત દિવસમાં અનાજ મેળવવામાંથી બાકી રહી ગયા હોય તેમને તા. ૨૩મી મે એ અમદાવાદ શહેરમાં અનાજ વિતરણ કરવામાં આવશે.
અગાઉ એપ્રિલ માસમાં અમદાવાદમાં તા. ૧૩ થી તા. ૨૦મી સુધી વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું હતું. એ જ રીતે મે માસમાં પણ અંદાજે ૭૫૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અમદાવાદ શહેરના APL-1 કાર્ડધારકોને અનાજ વિતરણ થઇ રહ્યું છે. તા. ૧૮ થી તા. ૨૩મી મે સુધી અંદાજે ૪.૫૦ લાખ લોકો તેનો લાભ મેળવશે.
અમદાવાદ શહેરમાં ગત એપ્રિલ માસમાં પણ APL-1 કાર્ડ ધરાવતા ૪.૭૦ લાખ કુટુંબોએ વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ લીધો હતો.
સી.એમ-પીઆરઓ/અરૂણ ……
[5/19, 10:55 PM] Uday Vaisnav: મલેશિયા થી 150 જેટલા ગુજરાતી યુવા છાત્રો આજે હવાઈ માર્ગે ગુજરાત પરત આવ્યા.
ભારત સરકારે કોરોના વાયરસ અને લોક ડાઉન ને પગલે અન્ય દેશોમાં રહેલા ભારતીયો ને વતન પરત લાવવા કરેલા આયોજન રૂપે આજે આ યુવાઓ મલેશિયા થી વતન ગુજરાત પહોંચ્યા છે