1) GN_17-5-20(1)(News of Gandhinagar PDF file..click and open for reading)
2) JF_17-5-20 (Jan Fariyad PDF file
3) Press Brief 16.05.2020 Gujarat 17.00 hrs(Gujarat corona latest report by Jayanti Ravi,click and open for read citywide)
[5/16, 10:34 AM] Uday Vaisnav: *મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ ગુજરાત સહિત દેશ અને સૌ કોઈ કોરોના મહામારી થી મુક્ત બને અને જન જીવન ઝડપભેર પૂર્વવત થાય તેવી પ્રાર્થના અર્ચના સાથે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી આજે શનિવારે સવારે વીડિયો કોલિંગ થી ઇ સંકલ્પ કરીને સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર સોમનાથ મહાદેવના દર્શન પૂજન કર્યા હતા*
[5/16, 1:03 PM] Uday Vaisnav: *મુખ્યમંત્રીશ્રીનો રાજ્યના સહકારી બેન્કીંગ ક્ષેત્ર સાથે વિડીયો સંવાદ* :-
*કોરોનાની સ્થિતીમાં
નાના માણસો-ધંધો-વેપાર-વ્યકિગત કારીગરો-વ્યવસાયિકોની સ્થગિત થઇ ગયેલી
આર્થિક સાયકલના લૂબ્રિકન્ટ-ચાલકબળ સહકારી બેન્કીંગ ક્ષેત્ર બને*-મુખ્યમંત્રીશ્રીનું આહવાન
…..
-: *શ્રી વિજયભાઇ રૂપાણી* :-
*આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં સહકારી બેંકોની ભૂમિકા મહત્વપૂર્ણ છે*
*નાના માણસ માટે મોટું પેકેજ*
*રૂ. ૧ લાખ સુધીની લોન માત્ર ર ટકા વ્યાજે ૩ વર્ષ માટે આપવાની પહેલ*
*સહકારી બેંકીંગ ક્ષેત્રમાં નાના માણસો-વેપારીઓ-છેવાડાના માનવીનો ભરોસો-પોતીકાપણું ભાવ સમાયેલો છે*
*ધોબી-વાળંદ-મોચી-દરજી કામ કરનારા સહિતના નાના વ્યવસાયકારોનો હાથ ઝાલી તેમને પૂન: બેઠા કરવા-આર્થિક આધાર આપવાની પૂણ્ય તક સહકારી ક્ષેત્રને મળી છે*
*ભૂકંપ-પૂર-વાવાઝોડાની વિપદામાંથી ખમીર-ઝમીરથી બેઠું થયેલું ગુજરાત કોરોના સામેનો જંગ જીતી ઉત્તમથી સર્વોત્તમની ગતિ જારી રાખશે*
…..
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની જિલ્લા સહકારી બેન્કો, અર્બન કો-ઓપરેટીવ બેન્કસ અને ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીઝના પદાધિકારીઓને ‘‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’’માં સક્રિય સહભાગીતાથી નાના માણસો, નાના-છૂટક ધંધા વ્યવસાયકારોની સ્થગિત થઇ ગયેલી આર્થિક સાયકલના ચાલકબળ લૂબ્રિકન્ટ બનવા પ્રેરક આહવાન કર્યુ છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સહકારી બેન્કીંગ ક્ષેત્રના સૌ આગેવાનો સાથે વિડીયો કોન્ફરન્સીંગ સંવાદ કરીને ‘‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’’માં તેમના સહયોગને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગુજરાત દેશમાં વેપાર-ઊદ્યોગ, નિકાસ, એફ.ડી.આઇ., જી.ડી.પી.માં અગ્રેસર રહેલું છે. ઉત્તમથી સર્વોત્તમની આપણી ગતિ અને દિશામાં બે માસથી કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીએ થોડીક રૂકાવટ ઊભી કરી છે.
તેમણે આ સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતે અને ગુજરાતીઓએ પોતાના આગવા ખમીર અને ઝમીરથી ભૂકંપ, વાવાઝોડું, પૂર હોનારત જેવી આપદામાંથી માર્ગ કાઢી વિકાસની અવિરત ગતિ આગળ ધપાવી જ છે.
હવે, કોરોનાની આ સ્થિતીમાં બે-અઢી મહિનાથી જે આર્થિક સાયકલ સ્થગિત થઇ ગઇ છે તેને ચાલકબળ આપવા, ખાસ કરીને નાના માણસો, નાના વેપાર-ધંધા રોજગાર કરનારાઓને ફરી બેઠા કરવા રાજ્ય સરકાર ‘‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’’થી સહકારી ક્ષેત્રોના સથવારે પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, કોરોના અને લોકડાઉનની સ્થિતીમાં સૌથી વધુ મુશ્કેલી આવા નાના વ્યવસાયકારો, વ્યકિતગત કારીગરો, ધોબી, વાળંદ, મોચી, દરજી કામ કરનારા વગેરેને પડી છે ત્યારે તેમનો હાથ ઝાલી તેમને બેઠા કરવા અને આત્મનિર્ભરતાથી આર્થિક આધાર આપવામાં આ યોજના ‘‘નાના માણસ માટે મોટું પેકેજ’’ રૂપ પૂરવાર થશે.
તેમણે જણાવ્યું કે, આવા નાના કારીગરો, વ્યવસાયીકો, દુકાનદારો સાથે સહકારી ક્ષેત્રનો ધરોબો હોય છે. એટલું જ નહિ, છેક ગ્રામીણ સ્તર સુધી વિસ્તરેલી સહકારી બેન્કીંગ પ્રવૃત્તિમાં આવા માણસોનો પોતીકાપણાનો ભાવ અને ભરોસો પડેલો છે.
સામાપક્ષે સહકારી બેન્કીંગ ક્ષેત્રના આગેવાનો, સભાસદોમાં પણ આવો એકબીજાને ઊભા કરવાનો અને સેવાનો સહકાર ભાવ છે ત્યારે, આવી લોન સહાય આપવામાં કે નાના કારીગરોને તે મેળવવામાં કોઇ કચાશ નહિ રહે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સામાન્યત: બજારમાં ૧૦ થી ૧ર ટકાના વ્યાજ દરે મળતી આવી લોન સહકારી બેન્કો માત્ર બે ટકાએ આપીને નાના વ્યવસાયકારોની સંવેદનામાં ભાગીદાર બની છે.
રાજ્ય સરકાર પણ બાકીના ૬ ટકા એટલે કે ત્રણ વર્ષ માટે ૧પ થી ૧૮ હજાર રૂપિયા ભોગવીને નાનો માણસ ઝડપભેર પગભર થાય તેની ચિંતા કરે છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
શ્રી વિજયભાઇ રૂપાણીએ સહકારી બેન્કીંગ ક્ષેત્રના સભાસદોને પણ એવો અનુરોધ કર્યો કે આ સભાસદો પોતાના વિસ્તારના આવા નાના-નાના ધોબી, વાળંદ, મોચી, સર્વિસ સેકટરના વ્યવસાય, ધંધો-વેપાર કરનારા લોકોને બેંકો સાથે જોડીને વધુને વધુ લોકોને લોન મળે તેવું દાયિત્વ નિભાવે.
મુખ્યમંત્રીશ્રીએ સહકારી બેન્કીંગ ક્ષેત્રની શાખ-પ્રતિષ્ઠાને બિરદાવતા ઉમેર્યુ કે, આવા નાના અને જરૂરતમંદ લોકોની વિપદામાં પડખે ઊભા રહેવાની ઇશ્વરે તેમને જે તક આપી છે તેને ઇશ્વરીય કાર્ય અને સદભાગ્ય સમજી સહકારી બેન્કીંગ ક્ષેત્રનો પ્રત્યેક વ્યકિત ઉપાડી લે તે જરૂરી છે.
તેમણે ‘‘વિના સહકાર નહિં ઉદ્ધાર’’ના ધ્યેયમંત્ર સાથે નાના માણસોની આર્થિક ગતિવિધિઓને વેગ આપવા અને સૌ સાથે મળીને કોરોના સામેનો જંગ જીતવા પણ પ્રેરણા આપી હતી.
અર્બન કો-ઓપરેટીવ બેન્ક ફેડરેશનના અધ્યક્ષ શ્રી જ્યોતિન્દ્રભાઇ મહેતા અને ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેન્કના ચેરમેન શ્રી અજયભાઇ પટેલે સમગ્ર સહકારી બેન્કીંગ ક્ષેત્ર આ ‘‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’’માં સંપૂર્ણ સહયોગ અને ત્વરિત લોન આપવામાં સક્રિય રહેશે તેવી ખાતરી આપી હતી.
આગામી ર૧મી તારીખથી આ લોન સહાય મેળવવા માટેના ફોર્મ રાજ્યભરમાં અર્બન કો-ઓપરેટીવ બેંક, જિલ્લા સહકારી બેંક અને ક્રેડીટ સોસાયટીઝની શાખાઓ મળી ૯ હજાર જેટલી જગ્યાએથી મળશે એની પણ ભૂમિકા તેમણે આપી હતી.
તેમણે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રીએ કોરોનાની સ્થિતીને કારણે નાના ધંધો-રોજગાર વ્યવસાયકારોને પૂન: પૂર્વવત કરવા મોટો આર્થિક આધાર આપવા કરેલી આ યોજનાકીય પહેલને બિરદાવી હતી.
રાજ્યભરના સહકારી બેન્કીંગ ક્ષેત્રના અગ્રણીઓ, પદાધિકારીઓ, સભાસદો આ વિડીયો કોન્ફરન્સીંગમાં સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ફેઇસબૂકથી જોડાયા હતા.
સી.એમ-પીઆરઓ/અરૂણ …..
[5/16, 3:45 PM] Uday Vaisnav: *રાજ્યના ૬૮ લાખ ગરીબ અંત્યોદય NFSA પરિવારોને
આવતીકાલ તા.૧૭મી મે રવિવારથી વિનામૂલ્યે
મે-માસના અનાજ વિતરણનો પ્રારંભ કરાશે*:
……
*મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી અનાજ વિતરણની વિગતો*
……
*અમદાવાદ શહેર સિવાય તમામ જિલ્લા, ગામ અને નગરોમાં NFSA લાભાર્થીઓને આ અનાજ વિતરણ કરાશે*
*રાજ્યના ૬૬ લાખ NFSA લાભાર્થી ૩.૮૦ લાખ અંત્યોદય પરિવારો સહિત ૩ કરોડ ૩૬ લાખ જનસંખ્યાને મળશે લાભ*
*પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અન્વયે વધારાના ૩.પ૦ કિલો ઘઉં-૧.પ૦ કિલો ચોખાનું પણ થશે વિતરણ*
*રેશનકાર્ડના છેલ્લો અંકની સંખ્યા મુજબ તા.૧૭થી ર૬ મે દરમ્યાન અનાજ વિતરણ પ્રક્રિયા કરાશે*
*રેશનકાર્ડનો છેલ્લો આંક ૧ હોય તેવા કાર્ડધારકોને રવિવારે અનાજ વિતરણ*
…….
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નિર્ણય કર્યો છે કે, વિશ્વવ્યાપી કોરોના વાયરસ કોવિડ-19ની સ્થિતીને કારણે પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતીમાં રાજ્યના NFSA અને અંત્યોદય એવા કુલ ૬૮.૮૦ લાખ ગરીબ પરિવારોને સતત બીજીવાર મે મહિના માટે પણ વિનામૂલ્યે અનાજ વિતરણનો આવતીકાલ તા. ૧૭મી મે રવિવારથી પ્રારંભ કરવામાં આવશે. અમદાવાદ શહેર સિવાય તમામ જિલ્લાઓ ગામડાઓ અને નગરોમાં આ વિતરણ શરૂ થશે.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, આ વિતરણ વ્યવસ્થા અમદાવાદ શહેર સિવાય સમગ્ર રાજ્યમાં તા.૧૭થી તા. ર૬ મે દરમ્યાન ચાલુ રહેશે.
આ અનાજ વિતરણ વ્યવસ્થા સુચારૂ ઢબે થઇ શકે તે માટે NFSA રેશન કાર્ડધારકોના કાર્ડ નંબરના છેલ્લા આંકડા મુજબ વિતરણના દિવસો નિર્ધારીત કરવામાં આવ્યા છે. જેમના રેશનકાર્ડનો છેલ્લો આંક એક હશે એમને આવતીકાલ રવિવારે આ અનાજ વિતરણ કરાશે
તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અંતર્ગત સમાવિષ્ટ કરાયેલા ૬૬ લાખ કાર્ડધારક પરિવારો અને એવા અંત્યોદય પરિવારો જે NFSAમાં નોંધાયેલા નથી તેવા ૩.૮૦ લાખ એમ ૬૮.૮૦ લાખ પરિવારોની અંદાજે ૩ કરોડ ૩૬ લાખ જનસંખ્યાને આ વિતરણ અન્વયે ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠું નિ:શૂલ્ક અપાશે.
આ ઉપરાંત ભારત સરકાર દ્વારા પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અન્વયે વધારાના ૩.પ૦ કિલો ઘઉં અને ૧.પ૦ કિલો ચોખા વ્યકિતદિઠ આપવામાં આવનાર છે. એટલે કે આ પરિવારોને કેન્દ્ર અને રાજ્ય સરકારની આ અનાજ વિતરણ વ્યવસ્થાનો લાભ એક સાથે મળશે.
તેમણે ઉમેર્યુ કે, આ હેતુસર સમગ્રતયા તા.૧૭મે થી ર૬ મે દરમ્યાન અમદાવાદ શહેર સિવાયના રાજ્યના અન્ય વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમો, ફરજીયાત માસ્ક વગેરેના અનુપાલન સાથે સરકાર માન્ય સસ્તા અનાજથી દુકાનનો પરથી અન્ન વિતરણ થવાનું છે તેનો પ્રારંભ તા.૧૭મી મે, રવિવારથી થશે
સી.એમ-પીઆરઓ/અરૂણ …..
[5/16, 4:33 PM] Uday Vaisnav: *કોરોના વાયરસ કોવિડ-19ની પ્રવર્તમાન સ્થિતીમાં અબોલ પશુજીવો પ્રત્યે
મુખ્યમંત્રીશ્રીની આગવી સંવેદના*
…..
-: *સતત બીજા મહિને-મે મહિનામાં પણ પશુદિઠ રૂ. રપ દૈનિક સહાય રાજ્ય સરકાર આપશે*:-
…..
-: *૩૦ થી ૩પ કરોડનો આર્થિક બોજ સરકાર વહન કરશે* :-
…..
-: *મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી વિગતો* :-
…..
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસ સંક્રમણને કારણે સર્જાયેલી સ્થિતીમાં લોકડાઉનને કારણે રાજ્યના મૂંગા-અબોલ પશુજીવોને ઘાસચારો-પશુ આહાર મેળવવામાં મુશ્કેલી ન પડે તેવી સંવેદના સાથે પશુદિઠ દૈનિક રૂ. રપ સહાય રાજ્ય સરકાર તરફથી આપવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું કે, રાજ્યની રજિસ્ટર્ડ ગૌશાળા, પાંજરાપોળના આશરે ૪ લાખ જેટલા પશુઓ માટે મે મહિના પુરતું પશુદિઠ રોજના રૂ. રપની સહાય રાજ્ય સરકાર આપવાની છે.
આ સહાય આપવાને પરિણામે રાજ્ય સરકાર અંદાજે ૩૦ થી ૩પ કરોડનો વધારાનો બોજ વહન કરશે એમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ હતું.
તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ આવી પશુ દીઠ રૂ. રપની દૈનિક પશુ સહાય એપ્રિલ મહિનામાં પણ પાંજરાપોળ ગૌશાળાઓ માટે જાહેર કરેલી હતી અને જિલ્લા કલેકટરતંત્ર દ્વારા તે ગૌશાળા-પાંજરાપોળને પહોચાડવામાં આવી હતી. આ અંતર્ગત પણ રાજ્ય સરકારે રૂ. ૩૦ થી ૩પ કરોડનો બોજ વહન કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ કોરોના વાયરસને કારણે લોકડાઉનની સ્થિતી વધુ લંબાવાતા આ મે મહિનામાં પણ પશુઓ-અબોલ જીવોને ઘાસચારો મળી રહે તે માટેની સંવેદના દર્શાવી આ સહાય મે-મહિનામાં પણ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે એમ શ્રી અશ્વિનીકુમારે ઉમેર્યુ હતું.
સી.એમ-પીઆરઓ/અરૂણ …..
[5/16, 5:52 PM] +91 98240 51529: Board XII Science result from Board website from 8-00 AM Onwards Tommorow on www.gseb.org
[5/16, 6:27 PM] Uday Vaisnav: રાજ્યના NFSA અને અગ્રતા ધરાવતા (PHH) પરિવારોના ૬૫.૪૦ લાખ તથા
NFSAમાં સમાવિષ્ટ નથી તેવા BPL અંત્યોદય ૩.૪૦ લાખ કાર્ડધારકો મળી ૬૮.૮૦ લાખ પરિવારોને આવતીકાલ તા.૧૭મી મે રવિવારથી વિનામૂલ્યે
મે-માસના અનાજ વિતરણનો પ્રારંભ કરાશે:
……
મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી અનાજ વિતરણની વિગતો
……
અમદાવાદ શહેર સિવાય તમામ જિલ્લા, ગામ અને નગરોમાં આ અનાજ વિતરણ કરાશે
અમદાવાદ શહેરની વિતરણ તારીખો હવે પછી જાહેર થશે
રાજ્યના ૬૫.૪૦ લાખ NFSA લાભાર્થી ૩.૮૦ લાખ અંત્યોદય BPL પરિવારો સહિત ૩ કરોડ ૩૬ લાખ જનસંખ્યાને મળશે લાભ
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અન્વયે વ્યકિતદિઠ ૩.પ૦ કિલો ઘઉં-૧.પ૦ કિલો ચોખા અને પરિવારદિઠ ૧ કિલો ચાણા દાળનું પણ વધારાનું વિતરણ થશે
રેશનકાર્ડના છેલ્લો અંકની સંખ્યા મુજબ તા.૧૭થી ર૭ મે દરમ્યાન અનાજ વિતરણ પ્રક્રિયા કરાશે
રેશનકાર્ડનો છેલ્લો આંક ૧ હોય તેવા કાર્ડધારકોને રવિવારે અનાજ વિતરણ
…….
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નિર્ણય કર્યો છે કે, વિશ્વવ્યાપી કોરોના વાયરસ કોવિડ-19ની સ્થિતીને કારણે પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતીમાં રાજ્યના NFSA લાભાર્થી એવા અંત્યોદય અને અગ્રતા ધરાવતા PHH પરિવારો મળી ૬૫.૪૦ લાખ તેમજ જેમનો NFSAમાં સમાવેશ થયો નથી તેવા ૩.૪૦ લાખ BPL પરિવારો મળીને કુલ ૬૮.૮૦ લાખ ગરીબ પરિવારોને સતત બીજીવાર મે મહિના માટે પણ વિનામૂલ્યે અનાજ વિતરણનો આવતીકાલ તા. ૧૭મી મે રવિવારથી પ્રારંભ કરવામાં આવશે. અમદાવાદ શહેર સિવાય તમામ જિલ્લાઓ, ગામડાઓ અને નગરોમાં આ વિતરણ શરૂ થશે.
તેમણે જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં આવા લાભાર્થીઓને અનાજ વિતરણની તારીખો હવે પછી એટલે કે APL-1 કાર્ડધારકોને તા.૧૮ થી ર૩ મે દરમ્યાન થનારા અનાજ વિતરણ પછી જાહેર કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, આ વિતરણ વ્યવસ્થા અમદાવાદ શહેર સિવાય સમગ્ર રાજ્યમાં તા.૧૭થી તા. ર૭ મે દરમ્યાન ચાલુ રહેશે.
આ અનાજ વિતરણ વ્યવસ્થા સુચારૂ ઢબે થઇ શકે તે માટે NFSA રેશન કાર્ડધારકોના કાર્ડ નંબરના છેલ્લા આંકડા મુજબ વિતરણના દિવસો નિર્ધારીત કરવામાં આવ્યા છે. જેમના રેશનકાર્ડનો છેલ્લો આંક એક હશે એમને આવતીકાલ રવિવારે આ અનાજ વિતરણ કરાશે
તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અંતર્ગત સમાવિષ્ટ કરાયેલા અને અગ્રતા ધરાવતા PHH પરિવારો એમ ૬૫.૪૦ લાખ કાર્ડધારક પરિવારો અને એવા અંત્યોદય BPL પરિવારો જે NFSAમાં નોંધાયેલા નથી તેવા ૩.૪૦ લાખ એમ ૬૮.૮૦ લાખ પરિવારોની અંદાજે ૩ કરોડ ૩૬ લાખ જનસંખ્યાને આ વિતરણ અન્વયે રાજ્ય સરકાર દ્વારા ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠું નિ:શૂલ્ક અપાશે.
આ ઉપરાંત ભારત સરકાર દ્વારા પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અન્વયે વધારાના ૩.પ૦ કિલો ઘઉં અને ૧.પ૦ કિલો ચોખા વ્યકિતદિઠ તથા ૧ કિલો ચણા દાળ પરિવારદિઠ આપવામાં આવશે. એટલે કે આ પરિવારોને કેન્દ્ર અને રાજ્ય સરકારની આ અનાજ વિતરણ વ્યવસ્થાનો લાભ એક સાથે મળશે.
તેમણે ઉમેર્યુ કે, આ હેતુસર સમગ્રતયા તા.૧૭મે થી ર૭ મે દરમ્યાન અમદાવાદ શહેર સિવાયના રાજ્યના અન્ય વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમો, ફરજીયાત માસ્ક વગેરેના અનુપાલન સાથે સરકાર માન્ય સસ્તા અનાજથી દુકાનનો પરથી અન્ન વિતરણ થવાનું છે તેનો પ્રારંભ તા.૧૭મી મે, રવિવારથી થશે
સી.એમ-પીઆરઓ/અરૂણ …..
[5/16, 6:30 PM] Uday Vaisnav: વિજયભાઇ રૂપાણીએ રાજ્યના 8 મહાનગરોના આગેવાનો
અને હોદ્દેદારો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પરામર્શ બેઠક યોજી
…..
ચેમ્બર્સ ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રી એસોસિએશન, ટેક્સટાઇલ્સ, ડાયમંડ અસોસિએશન
અને રિટેલ-હોલસેલના હોદ્દેદારોએ
….
લોકડાઉન 4.0ને લઇને તમામ આગેવાનો અને હોદ્દેદારોના
અભિપ્રાય અને સલાહ-સૂચનો મેળવવામાં આવ્યા
……
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શુક્રવારે મોડી સાંજે અમદાવાદ, સુરત વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જુનાગઢ એમ 8 મહાનગરોના ચેમ્બર્સ ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રી એસોસિએશન, ટેક્સટાઇલ્સ, ડાયમંડ અસોસિએશન અને રિટેલ-હોલસેલના હોદ્દેદારો અને આગેવાનો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રવર્તમાન સ્થિતી અંગે પરામર્શ બેઠક યોજી હતી.
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, આ બેઠકમાં લોકડાઉન 4.0ને લઇને તમામ આગેવાનો અને હોદ્દેદારોના અભિપ્રાય અને સલાહ-સૂચનો મેળવવામાં આવ્યા હતા. આ બેઠકમાં સૂરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાંથી સારા એવા સલાહ અને સૂચનો મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારને મળ્યાં હતાં.
તેમણે ઉમેર્યું કે, આ બેઠકમાં તમામ આગેવાનો અને હોદ્દેદારોએ એક સૂરથી જીન-જીવન સારી રીતે પૂર્વવત અને સામાન્ય થાય તેવા અનેક પ્રકારના પગલાઓ લેવાનો અનુરોધ પણ કર્યો હતો.
શ્રી અશ્વિનીકુમારે વધુમાં જણાવ્યું કે, આ બેઠકમાં તમામ મહાનગરોના આગેવાનો અને હોદ્દેદારોએ લોકડાઉન 4.0માં માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરવાનું, સેનેટાઇઝ કરવાનું અને લોકોની આરોગ્ય અને સુખાકારીને લઇને આ તમામ તૈયારીઓ કરવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત રિટેલર્સ-હોલસેલર્સ, કંપની અને ફેકટરી ઓનર્સે પણ તમામ રીતે સરકારના નિર્ણયને સાથ અને સહકાર આપવાની ભાવના વ્યક્ત કરી હતી.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, લોકડાઉન 4.0માં કેવી રીતે ઇકોનોમીને પૂન: ઓપન કરવી, કેવી રીતે ઝડપથી જનજીવન સામાન્ય થાય અને સાથો-સાથ કોરાનાનું સંક્રમણ ન ફેલાય અને એકબીજાથી ચેપ પણ ના લાગે એ તમામ પ્રકારની ચર્ચા-વિચારણા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે આ તમામ હોદ્દેદારો અને આગેવાનો સાથે ખૂબ જ સારી રીતે કરી હતી.
આ સાથે આગેવાનો અને હોદ્દેદારો દ્વારા આપવામાં આવેલા સલાહ-સૂચનો અમલ સરકાર આવતા સમયમાં ચોક્કસ સારી રીતે કરશે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ પણ જોડાયા હતા.
સી.એમ-પીઆરઓ/અરૂણ …..
[5/16, 6:40 PM] Uday Vaisnav: *મુખ્યમંત્રીશ્રીનો કોરોના સંક્રમણ નિયંત્રણ એકશન પ્લાન*:-
*અમદાવાદ મહાનગરમાં કન્ટેનમેન્ટ ઝોનના ૧૦ વોર્ડના ૧૬૦ લોકેશન-સ્થળોએ યુદ્ધના ધોરણે આરોગ્ય તપાસણી-સર્વેલન્સ હાથ ધરવાની કાર્યયોજનાને આખરી ઓપ અપાયો*
-:*મુખ્યમંત્રીશ્રીએ ઉચ્ચસ્તરીય વિડીયો કોન્ફરન્સ યોજી સમગ્ર સ્ટ્રેટેજી ઘડી માર્ગદર્શન આપ્યું* :-
……
*સતત ૧પ દિવસ સુધી ૪૦ ધનવંતરી રથ-મોબાઇલ મેડીકલ વાન સાથે સવારે ૮ થી સાંજે પ ચાર-ચાર પોઇન્ટ કવર કરશે મેડીકલ ટીમ*
*દરેક પોઇન્ટ પર બે-બે કલાક સેવાઓ અપાશે*
*કો-મોરબીટ અને હાઇરીસ્ક પેશન્ટસ-વ્યકિતઓની તપાસ-ટેસ્ટીંગની ખાસ તકેદારી રખાશે*
*રોગ-પ્રતિકારકશકિત વધારવા હોમિયોપેથી-આયુર્વેદ દવાઓનું વિતરણ*
*એલોપેથી ડૉકટર-આયુર્વેદ તબીબ-લેબ ટેકનીશીયન ફાર્માસીસ્ટ-પેરામેડિકલ સ્ટાફ સાથેની ટીમ મોબાઇલ મેડીકલ વાન-ધનવંતરી રથમાં તૈનાત રહેશે*
*કોરોના શંકાસ્પદ વ્યકિતઓના ટેસ્ટીંગ-સામાન્ય શરદી-તાવના લક્ષણો ધરાવતા લોકોને દવા-સારવાર અપાશે*
*કન્ટેનમેન્ટ ઝોનના આવા લોકોને ઘર આંગણે આરોગ્ય તપાસની સેવા મળશે*
*સ્વૈચ્છિક સેવાસંગઠનો-કોર્પોરેટરો-‘‘મારો વોર્ડ કોરોનામુકત વોર્ડ’’ના સંકલ્પ કરીને સોશિયલ ડિસ્ટન્સીંગ પાલન સાથે લોકોને મોબાઇલ વાન સુધી તપાસણી માટે લઇ આવે*
*ઔડાના સી.ઇ.ઓ.ને સમગ્ર કામગીરીના સંકલનની ખાસ જવાબદારી સોંપવામાં આવી*
…..
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટે કન્ટેનમેન્ટ ઝોનના ૧૦ વોર્ડસમાં લોકોની આરોગ્ય તપાસણી, ટેસ્ટિંગ સર્વેલન્સ સહિતની આરોગ્યલક્ષી કામગીરી યુદ્ધના ધોરણે આગામી ૧પ દિવસ હાથ ધરવાની કાર્યયોજનાને ઉચ્ચસ્તરીય વિડીયો કોન્ફરન્સમાં આખરી ઓપ આપ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ કોરોના વાયરસ કોવિડ-19ના અમદાવાદમાં વધતા વ્યાપને પગલે આ આયોજનબદ્ધ કાર્યયોજના ઘડીને તેના તત્કાલ અમલ માટે ઝિણવટપૂર્વક સમીક્ષા હાથ ધરીને માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન, સત્તાપક્ષના નેતા તેમજ અમદાવાદ શહેરમાં કોરોના નિયંત્રણ કામગીરી માટે ખાસ નિયુકત થયેલા અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર શ્રી મુકેશકુમાર અને તમામ નાયબ મ્યુનિસીપલ કમિશનરો, ઝોનલ હેલ્થ ઓફિસરો સાથે વિસ્તૃત વિડીયો કોન્ફરન્સીંગ યોજીને ‘કન્ટેનમેન્ટ મુકત ઝોન-કોરોનામુકત વોર્ડ’ની દિશામાં સક્રિયતાથી આગળ વધવા તાકીદ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ મહત્વપૂર્ણ કાર્યયોજના અંતર્ગત ૪૦ જેટલા મોબાઇલ મેડીકલ વાન-ધનવંતરી રથના માધ્યમથી અલગ-અલગ ટીમો બનાવીને મધ્ય ઝોનના ૬, દક્ષિણ ઝોનના ર, પૂર્વઝોનનો ૧ અને ઉત્તર ઝોનના ૧ એમ ૧૦ વોર્ડસના ૧૬૦ જેટલા લોકેશન-સ્થળોએ સઘન આરોગ્યલક્ષી ઝૂંબેશ ઉપાડવા સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આવી ટીમ જે-તે કન્ટેનમેન્ટ ઝોનમાં સતત જશે તેથી ત્યાંના નાગરિકો-લોકોને પણ ઘર આંગણે આરોગ્ય સેવા મળશે.
એટલું જ નહિ, સામાન્ય બિમારી વાળા વ્યકિતઓને પણ સારવાર મળશે સાથોસાથ કોરોના શંકાસ્પદ વ્યકિતઓના ટેસ્ટીંગ-આરોગ્ય તપાસમાં પણ આક્રમકતા આવશે.
તદ્દઅનુસાર, આવી જે ટીમ રચવામાં આવી છે તેમાં એક એલોપેથી ડૉકટર, એક આયુષ તબીબ, લેબ ટેકનીશીયન, ફાર્માસીસ્ટ અને પેરામેડીકલ સ્ટાફની સમગ્ર ટીમ સાથેની મોબાઇલ મેડીકલ વાન સતત ૧પ દિવસ દરેક વાન રોજ બે કલાક પ્રમાણે રોજના ૪ લોકેશન પોઇન્ટ પર તૈનાત રહેશે.
આ વાન દ્વારા કન્ટેનમેન્ટ ઝોનના આ ૧૬૦ લોકેશનના ખાસ કરીને કોમોરબીટ અને હાઇરીસ્ક વાળા વ્યકિતઓના ટેસ્ટીંગ પર ફોકસ કરવા સાથે સામાન્ય શરદી, તાવના લક્ષણો ધરાવતા લોકોને દવા-સારવાર આપવામાં આવશે.
એટલું જ નહિ, અન્ય નાગરિકો-લોકોમાં પણ ઇમ્યૂનિટી બુસ્ટ અપ-રોગ પ્રતિકારકશકિત વધારતી હોમિયોપેથી દવાઓ-આયુર્વેદ દવાઓનું વિતરણ કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે સુચવ્યું કે આવી મોબાઇલ મેડીકલ વાન ૧પ દિવસ સુધી એ જ સ્થળ, એ જ સમય, એ જ વાન અને એ જ સ્ટાફ સાથે સવારે ૮ થી સાંજે પ સુધી સેવાઓ આપે જેથી જે-તે લોકેશન વિસ્તારના પેશન્ટના ફોલોઅપથી તેઓ પરિચિત રહી શકે અને જરૂર જણાયે આગળની સારવારમાં મદદરૂપ થઇ શકે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ‘‘મારો વોર્ડ કોરોનામુકત વોર્ડ’’ના સંકલ્પ સાથે કન્ટેનમેન્ટ ઝોનને સંપૂર્ણપણે કોરોનામુકત કરવા માટે જે-તે વિસ્તારના કોર્પોરેટરો, સ્થાનિક આગેવાનો તેમજ સેવાભાવી સ્વૈચ્છિક સંગઠનો તે ઝોન-વિસ્તારના લોકોને સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે આરોગ્ય પરિક્ષણ માટે આ મેડીકલ વાન સુધી લઇ આવે તેવું પણ સૂચન કર્યુ હતું.
આ સમગ્ર કાર્યયોજના-સ્ટ્રેટજીના સંકલન માટે ઔડાના સી.ઇ.ઓ અને સનદી અધિકારી શ્રી અતુલ ગોરને જવાબદારી સોંપવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ વિડીયો કોન્ફરન્સમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, અમદાવાદ મહાનગરમાંથી કોરોનાગ્રસ્ત લોકો વેળાસર સાજા થઇને ઘરે જાય તેમજ સંક્રમણનો વ્યાપ અટકે તથા કોરોનામુકત અમદાવાદ બને તે માટે કોરોના સામેની આ લડાઇ સૌએ સાથે મળીને અત્યંત વેગવંતી બનાવવાની છે.
બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથને પણ કેટલાક સૂચનો આ સઘન કામગીરી સંદર્ભે કર્યા હતા.
સી.એમ-પીઆરઓ/અરૂણ …..
[5/16, 6:48 PM] Uday Vaisnav: કોરોના મહામારીના સમયગાળા દરમિયાન વિદેશમાં અટવાઇ ગયેલા ૬૫૭ જેટલા ગુજરાતીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે ગુજરાત પરત લાવવામાં આવ્યા
………
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું કે કોરોના મહામારીના સમયગાળા દરમિયાન વિદેશમાં ફસાયેલા ગુજરાતી ભાઈઓ – બહેનોને મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશનમાં ભારત સરકારના વિદેશ મંત્રાલય અને ગુજરાત સરકારના સંકલનથી ગુજરાત પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ વિશે વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું કે તાજેતરમાં કોરોના મહામારીના સમયગાળા દરમિયાન વિદેશમાં ફસાયેલા ૬૫૭ જેટલા ગુજરાતીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે ગુજરાત પરત લાવવામાં આવ્યા છે. જે પૈકી મનીલાથી ૧૬૮ લોકો, અમેરિકાથી ૧૦૩ લોકો, કુવૈતથી ૭૩ લોકો અને લંડનથી ૩૧૩ લોકોને ગુજરાત પરત લાવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યું કે, વિદેશથી પરત આવેલ આ ગુજરાતીઓને સુરત,અમદાવાદ અને તેમના વતનના જિલ્લા સિવાયના રાજ્યના અન્ય ૩૦ જિલ્લામાં ઇન્સ્ટિટ્યૂશનલ કોરેન્ટાઈન કરવામાં આવશે આ જિલ્લાની પસંદગી પરત આવેલ યાત્રીએ કરવાની રહેશે.
આ કોરેન્ટાઈન સમયગાળા દરમિયાન તેમની આરોગ્ય તપાસ થતી રહેશે. કોરેન્ટાઈન સમયગાળો પૂર્ણ કર્યા બાદ જ યાત્રીઓને તેમના વતન પહોંચાડવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
સી.એમ-પીઆરઓ/અરૂણ …..
[5/16, 6:49 PM] Uday Vaisnav: *૧૫મી મે શુક્રવાર મધરાત સુધીમાં ગુજરાતમાંથી ૩૯૬ શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફતે
૫.૪૨ લાખ પરપ્રાંતિય શ્રમિકો વતન જવા રવાના થયા* : *દેશભરમાં ૧૪.૦૬ લાખ શ્રમિકો પોતાના વતન રાજ્યમાં ગયા તેના ૩૮ ટકા એકલા ગુજરાતમાંથી ગયા*
…….
-: *ઉત્તરપ્રદેશ-ઓરિસ્સા-બિહાર-છત્તીસગઢ-ઝારખંડ-મધ્યપ્રદેશ-ઉત્તરાખંડ
સહિત વિવિધ રાજ્યોમાં શનિવાર મધરાત સુધીમાં
ગુજરાતની વધુ ૫૦ વિશેષ ટ્રેન રવાના થશે* :-
……
*સોશિયલ ડિસ્ટન્સીંગ પાલન સહિતની વ્યવસ્થાઓ સાથે
શ્રમિકો પોતાના વતન જવા રવાના થાય છે*
…….
-: મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી વિગતો :-
…….
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા શનિવાર તા.૧પમી મે ની રાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ ૩૯૬ વિશેષ ટ્રેન દ્વારા કુલ ૫ લાખ ૪૨ હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતાપૂર્વક વ્યવસ્થા કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, પરપ્રાંતીય શ્રમિકો – કામદારોને વતન રાજ્ય મોકલવા માટે તા.૧૫ મી મે મધરાત સુધીમાં સમગ્ર દેશમાંથી દોડેલી કુલ ૧૦૭૪ શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાંથી ૩૮ ટકા ટ્રેનો – ૩૯૬ ટ્રેનો એકલા ગુજરાતમાંથી રવાના થઇ છે.
સમગ્ર દેશમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફત ૧૪.૦૬ લાખ જેટલા પરપ્રાંતીય શ્રમિક ભાઈઓ-બહેનો પોતાના વતનમાં પહોંચ્યા છે તે પૈકી ગુજરાતમાંથી ૫ લાખ ૪૨ હજાર શ્રમિક ભાઈઓ- બહેનોને પોતાના વતન રાજ્યમાં કોઇપણ અડચણ કે મુશ્કેલી વગર પહોંચાડવામાં આવ્યા છે.
જે ૩૯૬ શ્રમિક સ્પેશયલ ટ્રેન ગુજરાતમાંથી રવાના થઇ છે તેમાં મુખ્યત્વે ઉત્તરપ્રદેશ માટે-ર૭૬, બિહાર માટે-૪ર, ઓરિસ્સા-૩પ, મધ્યપ્રદેશ-રર અને ઝારખંડની-૧૦ ટ્રેનો છે.
હવે, તા. ૧૬મી મે , શનિવાર મધ્યરાત્રી સુધીમાં વધુ ૫૦ ટ્રેન દ્વારા વધુ ૭૮ હજાર પરપ્રાંતિય શ્રમિકો તેમના વતન રાજ્ય ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસા, છત્તીસગઢ, ઉતરાખંડ, ઝારખંડ, મધ્ય પ્રદેશ વગેરેમાં જવા રવાના થશે.
જે ૫૦ ટ્રેન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી શનિવારે મધ્યરાત્રી સુધીમાં રવાના થશે. તેમાં ઉત્તરપ્રદેશ માટે ર૬, બિહાર માટે ૦પ ટ્રેન, ઓરિસ્સા માટે ૦૩ ટ્રેન, ઝારખંડ માટે ૦૨, ઉત્તરાખંડ- મધ્યપ્રદેશ-છત્તીસગઢ માટે ૧-૧ ટ્રેન તથા અન્ય રાજ્યો માટે ૧-૧ ટ્રેન દોડશે. આ ૫૦ જેટલી શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફત આશરે ૭૮ હજાર જેટલા શ્રમિક ભાઈઓ-બહેનો પોતાના વતન જવા રવાના થશે.
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ આ વિશેષ ટ્રેનો મારફતે ગુજરાતમાંથી જે શ્રમિકોને વતન મોકલવામાં આવી રહ્યા છે તેની વિગતો આપતા કહ્યું કે, પરપ્રાંતિયો મજૂરો, શ્રમિકો ખુબ સારી વ્યવસ્થા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્પેશ્યલ શ્રમિક ટ્રેનમાં તેમના વતન રાજ્ય જાય છે. એટલું જ નહિ, જિલ્લા વહિવટીતંત્ર આવા શ્રમિકોને રેલ્વે સ્ટેશન સુધી પહોચાડવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે.
સી.એમ-પીઆરઓ/અરૂણ …..
[5/16, 8:14 PM] Uday Vaisnav: *મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ કોવિડ-19ની સ્થિતિ બાદ રાજ્યમાં આર્થિક પૂનનિર્માણ પગલાં અને રાજકોષિય-ફિઝકલ પૂનર્ગઠનની ભલામણો માટે એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે*
*મુખ્યમંત્રીશ્રીએ આ સમિતિના અધ્યપદે ભારત સરકારના પૂર્વ નાણા સચિવ શ્રી ડો. હસમુખ અઢિયાની નિમણુંક કરી છે*
*
*આ કમિટિની પ્રથમ બેઠક તા 15-5-2020ના રોજ મળી હતી* *કમિટીએ વિવિધ ક્ષેત્રોના સંબંધિત હિતધારકો પાસેથી અર્થવ્યવસ્થાને પૂનજીવિત કરવા ટૂંકા અને લાંબા ગાળના સૂચનો મેળવવાનું નક્કી કર્યું છે*.
*આ સૂચનો 20-05-2020ના સાંજે 5 વાગ્યા સુધીમાં eco-rev-suggestion@gidcgujarat.org પર મોકલી આપવા જણાવ્યું છે*