૫૦ દિવસ પછી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એકાએક લોકો ના હાથે પકડાઈ જવાય તેવું રાંડયાં પછી ના ડહાપણ જેવું બનાવટી,રાજકીય સ્વાર્થ વાળું આત્મ જ્ઞાન ક્યાંથી આવ્યું?..ડોકટર ની ડીગ્રી વિનાના આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી અને તમે દે.મુખ્યમંત્રી..રોજે રોજ હાઈ પાવર કમિટી ની મીટીંગ માં શું અધિકારીઓ પાસે લેશન લઈ ભણતા હતા?..કે.કે જયંતિ રવી અને અશ્વિનીકુમાર .શિવાનંદ ઝા રો રોજ પ્રધાનમંત્રી અને તમે બે મુખ્યમંત્રી એ હાઈ પાવર કમિટી ના નિર્ણય પ્રમાણે એમ કહી ને તો પ્રેસ કરતા હતા…..હજુ રોજ નક્કિંકર્યા મુજબ આંકડા અપાય છે.સિનિયર ડોકટર ગાંઠતા નથી..કોઈ પ્રાઇવેટ દવાખાનાં આજેય ખુલતા નથી..જુનિયર થી કામ ચલાવાય છે..અસંખ્ય સ્ટાફ પણ પોઝિટિવ આવ્યો. ૫૦ દિવસ ઓફિસ માં બેઠા બેઠા કોરોના નું જયું રૌદ્ર સ્વરૂપ ચાલુ પગારે જોવા માંગતા હતા?હજુ ૩૨૫ આસપાસ પોઝિટિવ બતાવવાના અને ૨૫ આસપાસ મૃત્યુ.. ચાલ્યા જ કરે છે..કેસ વધ્યા જ કરે છે.પ્રાઇવેટ ટેસ્ટ પણ બંધ કર્યા..એટલે સાચો આકડો બહાર ના આવે..પડે તેવી દેવાશે ની જેમ આજે પણ તમે આવું સ્ટેટમેન્ટ આપી પ્રજા ને તેમના હાલ ઉપર છોડી દઈ સરકાર જવાબદારી માંથી છટકવા માંગે છે?
માત્ર મોદીજી ના ભાષણ બાદ હોમવર્ક નું લેશન કરી ૫૦ દિવસ પસાર કર્યા..હવે લોક ડાઉન માં હળવાશ ની વાત કરે છે..ગરીબો.બી.પી.એ લ. એ. પી. એલ…સાડા ત્રણ કરોડ ને અનાજ મફત વિતરણ ની વાત કરે છે..બિલકુલ ગપ ગોળા..કોણ ચેલેન્જ કરે..ખાનગી હોસ્પિટલ વેન્ટિલેટર ઉપર કેટલાયે લોકો કેટલી પ્રાઇવેટ જગ્યાએ સારવાર લઈ રહ્યા છે. કોઈ સાચું સંકલન સરકાર નું છે જ નહિ માત્ર કાયદા.ધાક.ધમકી ની ભાષા માં અધિકારીઓ ના ખભે અખતરા સરકાર ચાલી રહી છે..માધ્યમ વર્ગ ક્યાંથી જોખમ ખેડી ધંધો શરૂ કરશે…સેનીટેશન..સલામતી ના બહાને સી સી ટીવી કેમેરા ના ખર્ચ. સેફ્ટી ના ખર્ચ. ધંધાદારી ક્યાંથી લાવશો. સરકારે કોઈ સગવડ આપી નથી…કેસો હજુ વધ્યા કરે છે. રોજ સાડા ત્રણસો આસપાસ પોઝિટિવ અને વીસ થી ત્રીસ વચ્ચેના મૃત્યુ ના આંકડા નું વાઇબ્રન્ટ જેવું નાટક છે. ખુદ મીડિયા ને ગાંઠતા નથી તો પ્રજા ને આં સરકાર અને તેના દલાલો ક્યાંથી ગાંઠે..પ્રધાનમંત્રી પોતાનું પ્રાઇવેટ કેર ટ્રસ્ટ બનાવી તેમાં રાતો રાત દાન ભેગુ કરી ૩૧૦૦ કરોડ ની કોરોના ના દાન ની જાહેરાત કરી. રાતોરાત ક્યાંથી મંજૂરી..વિદેશી નાણાં ના ૩૫AC..૮૦ G …. બારોબાર બધુ એકદમ આવી ગયું..કોઈ હિસાબ આપવાનો બતાવવાનો નહિ અને પાછા મન કી બાત માં સરમુખત્યાર શાહી થી રાજ પાઠ કથાઓ કહેવાની? દેશ નો નાગરિક પહેલેથી જ આત્મ નિર્ભર છે. તમારા જેવા રાજકીય ટોળકી ના લોકો સરકાર નિર્ભર બની ગયા તેનો જવાબ આપો..૬ વર્ષ મા દેશ ની સાચી સ્થિતિ ની સમીક્ષ કરી પ્રજા ને રિપોર્ટ આપો…ભાજપ શાશન માં માત્ર ભાજપ ના લોકો ના વિકાસ સિવાય ક્યાંય કશું દેખાય છે? કેન્દ્ર અને રાજ્ય ની સરકાર ઉપર માત્ર દેવા વધ્યા…નવું શું કર્યું?…જૂની સરકાર ને ગાળો દઈ અખતરા રૂપી શાશન અધિકારીઓ ના ખભે કર્યું?…૩૭૦ હટાવ્યા પછી કોણે કાશ્મીર માં પ્લોટ ખરીદ્યો?..કયો પંડિત રહવા ગયો… કાશ્મીર ગ્રાન્ટ ના કરોડો રૂપિયા ખર્ચ કરવા વાળા જેલમાં છે…વહીવટ તો ગવર્નર કરે છે…બધે તમારા લોકો ની જમાત છે. માનવતા નું આં ક્યાં સુધી ખું કરી શાશન કરશો…જ્યારે ગાય.પશુ તરફડે. અને જગત નો તાત દુઃખી થાય ત્યારે સમજવું કે હવે શાશન ડોલવાના ભણકારા શરૂ થયાં…વિનાશ કાલે વિપરીત બુદ્ધિ.
આ રૂપાણી સરકાર ૫૦ દિવસ અધિકારીઓ ના ખભે ગુજરાત ની જનતા ઉપર અખતરા રૂપી રાજ કરી ને હવે જ્યારે ૯૦૦૦ ઉપર કેસો થઈ ગયા ૫૦૦ ઉપર લોકો મરી ગયા..શ્રમિકો વતન જતા રહ્યા.ઉદ્યોગો ઠપ્પ થઈ ગયા ત્યારે પોતાની જવાબદારી માંથી છટકવા નાયબ મુખ્યમંત્રી એ. સી ચેમ્બર માં બેસી ને જનતા ને એમ કહી રહ્યા છે કે હવે આપડે કોરોના સામે લડી ને પોતાની જાતે બેઠા થવું પડશે..કોઈ ચોક્કસ રં નીતિ કે ગાઈડ લાઈન નથી..અત્યાર સુધી અખતરા કરીને પ્રાઇવેટ હોસ્પિટલો ને આજે લોકો એ સાડા આઠ લાખ થી ૧૧ લાખ ના પેકેજ ચૂકવવા પડે છે. હવે કોરોના નો આકડો જાળવી રાખવા પ્રાઇવેટ દવાખાના ના ટેસ્ટ પણ બંધ કર્યા કેમકે લોકો ત્યાં કરાવવા જાય તો આકડો મોટો આવી શકે તેમ છે. હાલમાં ગણત્રી ના j test કરવામાં આવે છે. લોકો ને આર્થિક કટોકટી માં પણ સરકારે કોઈ જાહેર રાહત આપી નથી.માત્ર ગરીબો ને રાશન અને સંસ્થાઓ ના ફૂડ પેકેટ વહેચવાની કામગીરી સિવાય સરકારે પૈસો ક્યાં વાપર્યો તો કરોડો ના આંકડા ની પ્રસિદ્ધિ કરાય છે. હવે તો મીડિયા મીટ પણ બંધ કરવામાં આવી છે તો કોઈ મીડિયા પ્રજાકીય પ્રશ્નો પણ પૂછી શકતા નથી અને સીધા મીડિયા માં પ્રસિદ્ધિ માટે પોસ્ટ મોકલી દેવાય છે.મોદીજી ના ભાષણ પછી પક્ષ ના આકા ને ખુશ કરવા તેમના કહ્યા પ્રમાણે રાજ્ય મા પણ આંકડાકીય ધા શક્ય સહાય ના પ્રોજેક્ટો મુકાય છે અને હવે નવરા બેઠેલા રાજકીય દલાલો પણ રાતોરાત એમ. એસ.એમ. ઈ ના આખા ગુજરાત માં ૧૨૫૦ રૂપિયા પ્રોજેક્ટ ના ઉઘરાવવા નીકળી પડ્યા..માનવતા બતાવવાની જગ્યાએ સરકારી ઓફિસો માં બેસી મંત્રી મંડળ ઘર ના ભુવા ઘરમાં ડાકલા વગાડે તેવો તાલ ૫૦ દિવસ થી જોવા મળે છે.અધિકારીઓ મંત્રીઓ ના એંકર બની ને રોજ સાંજે તેમના નામે પ્રેસ રીલિઝ કરે.મુખ્યમંત્રી કે નાયબ મુખ્ય મંત્રી કે આરોગ્ય મંત્રી જાહેર મા કોઈ મીડિયા ને જવાબો આપવા ના પડે તેમ અધિકારીઓ ના ખભે સરકાર ચલાવી પ્રેસો મોકલી રહ્યાં છે.પ્રજાને મોદીજી એ આત્મ નિર્ભર ની વાત કરી રામ ભરોસે મૂકી અને રૂપાણી અને નીતિન પટેલ પણ પડે તેવી દેવાશે એમ માત્ર લોન રૂપી સહાય ની ગાજર ની પીપુડી હાથમાં પકડાવી માનવતાની ક્રૂર મજાક કરી રહ્યા છે. રોજે રોજ સખાવતો ના આંકડા આપી રહ્યા છે.ક્યાં કોણે કેટલું વહેચ્યું તેનું કોઈ લીસ્ટ મીડિયા માં આપવામાં આવતું નથી .મીડિયાના કોઈ પ્રશ્નો ના જવાબ પણ આપવામાં આવતા નથી . એક હિ આગ જન ફરિયાદ. ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક