સુરેન્દ્રનગરઃ વઢવાણ તાલુકાના વસ્તડી ગામે જૈન વિહારધામને રવિવારે મુખ્યમંત્રીએ ખુલ્લુ મુક્યું હતું. તેમજ આગામી સમયમાં નિર્માણ પામનારા તીર્થંકર જીનાલયનું ભુમીપુજન પણ કરાયું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વિહાર કરતા સાધુઓ માટે આગામી સમયમાં પાલીતાણાથી વલ્લભીપુર અને અમદાવાદ થી શંખેશ્વર સુધી કુલ 250 કિલોમીટરનો પગદંડી પ્રોજેક્ટ ઝડપથી કાર્યરત કરાશે.
**********