વાર્ષિક મુંબઈ મેરેથોન 2020નું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ એ દરમિયાન 64 વર્ષના એક દોડવીરનું હૃદય ઓચિંતું બંધ પડી જવાને કારણે અવસાન થયું હતું.મૃત્યુ પામેલા દોડવીરનું નામ ગજાનન મલજાલકર છે.મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ દક્ષિણ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશનની બહાર લીલી ઝંડી બતાવીને મેરેથોન રેસનો શુભારંભ કર્યો હતો.ગજાનન મલજાલકરગજાનન મલજાલકરે સિનિયર સિટીઝન્સના વર્ગમાં ભાગ લીધો હતો. ચાર કિલોમીટર અંતર દોડ્યા બાદ એ જમીન પર ફસડાઈ પડ્યા હતા. આયોજકો એમને ઉપચાર માટે ઝડપથી બોમ્બે હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ ત્યાં ડોક્ટરોએ એમને મૃત લાવેલા ઘોષિત કર્યા હતા
*********