GN_02-5-20 News of Gandhinagar (PDF)
(ન્યુઝ પેપર વાચવા માટે તારીખ ઉપર ક્લિક કરી પેપર વાચી શકશો)
PssBrief 01.05.2020 Gujarat 17.00 hrs
(કોરોના ગુજરાત લેટેસ્ટ કાલે સાંજે પાંચ વાગ્યા થી આજે સાંજે પાંચ વાગ્યા સુધી નો રિપોર્ટ.જયંતિ રવી)
(અશ્વિનીકુમાર નો હાઈ પાવર કમિટી નો રિપોર્ટ): *ગુજરાત સ્થાપના દિવસે
મુખ્યમંત્રીશ્રીની મધ્યમવર્ગીય પરિવારોના ર.પ૦ કરોડ લોકોને
મે માસમાં વિનામૂલ્યે અનાજ વિતરણની ભેટ*
……
*તા. ૭મી મે થી તા. ૧રમી મે દરમ્યાન અનાજ વિતરણ*
……
*શાળા-કોલેજોના બાળકો માટે ‘ગુજરાતના કોરોના વોરીયર્સ’ પર નિબંધ-કાવ્ય-ચિત્ર સ્પર્ધા યોજાશે*
……
*૧૩૯ માર્કેટયાર્ડમાં ૧પ લાખ ૪૮ હજાર કવીન્ટલ અનાજ વેચાણ માટે આવ્યું*
……
-: *મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી વિગતો*-
…….
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે પ્રવર્તમાન કોરોના વાયરસના સંક્રમણ અને લોકડાઉનની સ્થિતીમાં ગુજરાત સ્થાપના દિવસે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયોની ભૂમિકા પ્રાચર માધ્યમોને આપી હતી.
તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના ૬૦માં સ્થાપના દિવસ તા. ૧ લી મે ના રોજ રાજ્યના સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોના હિતોને ધ્યાનમાં રાખીને બે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
આ નિર્ણયની વધુ વિગતો આપતા મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું કે, રાજ્યના ૬૧ લાખ જેટલા સામાન્ય અને મધ્યમવર્ગીય APL-1 કાર્ડધારકોને અંદાજે ર.પ૦ કરોડ લોકોને મેં મહિનામાં પરિવાર દિઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ગ્રામ ચોખા, ૧ કિલો ગ્રામ દાળ અને ૧ કિલો ગ્રામ ખાંડનું વિનામૂલ્યે વિતરણ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી તા. ૭મે થી તા. ૧ર મે દરમ્યાન કરવામાં આવશે. આ અગાઉ એપ્રિલ મહિનામાં પણ મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં 61 લાખ જેટલા સામાન્ય અને મધ્યમવર્ગના APL-1 કાર્ડધારકોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીના સચિવશ્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ બીજી મહત્વપૂર્ણ જાહેરાત એ કરી છે કે, મા-વાત્સલ્ય મા-અમૃત્તમ યોજનાના લાભાર્થી પરિવારમાં કોઇ પણ વ્યકિતને તબીબી કારણો-માંદગી સર સર્જરી-ઓપરેશન કરાવવાની નોબત હાલની કોરોના વાયરસના સંક્રમણની સ્થિતી દરમ્યાન આવે તેમજ પ્રસુતિ માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે તો તેના ભાગરૂપે કોરોના ટેસ્ટ કરાવવાનો થાય તો આ ટેસ્ટનો સંપૂર્ણ ખર્ચ પણ રાજ્ય સરકાર ભોગવશે.
મા-વાત્સલ્યમ અને મા-અમૃત્તમ યોજનાના કાર્ડ ધરાવતા ૭૭ લાખ પરિવારોને પણ આરોગ્ય રક્ષા કવચ પુરૂં પાડવાની પ્રતિબદ્ધતા સાથે અન્ય એક ભેટ આવા પરિવારોને ગુજરાત સ્થાપના દિવસ અવસરે આપી છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ એ પણ આહ્વાન કર્યું છે કે હાલમાં જ્યારે રાજ્યની શાળા-કોલેજો બંધ છે, ત્યારે ગુજરાતના સ્થાપના દિને સાંપ્રત સ્થિતીમાં ‘કોરોના વોરીયર્સ’ પર નિબંધ, કાવ્ય અને ચિત્ર સ્પર્ધાનું આયોજન તા.૧લી મે થી તા.૧૦ મે સુધી કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા ત્રણ કેટેગરીમાં યોજાશે જેમાં પ્રાથમિક કેટેગરી, માધ્યમિક કેટેગરી અને કોલેજની કેટેગરી રહેશે.
આ સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે, બાળ અને યુવાશકિતની આ ક્ષમતાને પ્રોત્સાહિત કરવા માટે ત્રણેય સ્પર્ધાઓમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગની શ્રેષ્ઠ કૃતિઓને પ્રથમ, દ્વિતીય અને તૃતિય એમ ત્રણ ક્રમ આપીને એટલે કે જિલ્લા દીઠ 27 જેટવા પુરસ્કાર આપવામાં આવશે. જેમાં પ્રથમક્રમ માટે રૂ. ૧પ હજાર, દ્વિતીય માટે રૂ. ૧૧ હજાર અને ત્રીજા ક્રમ માટે પાંચ હજારના રોકડ પુરસ્કાર આપવાનો મુખ્યમંત્રીશ્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
જિલ્લાકક્ષાએ ત્રણ કેટેગરીમાંથી પસંદ થયેલી નિબંધ લેખન, કાવ્યલેખન અને ચિત્ર સ્પર્ધાની કૃતિઓની ચકાસણી બાદ રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પાંચ કૃતિઓને વિભાગમાંથી પસંદ કરીને પ્રત્યેક કૃતિને રૂ. રપ હજારના ઇનામો રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ આહ્વાન કર્યું છે કે દરેક વિદ્યાર્થી આ સ્પર્ધામાં ભાગ લે અને અત્યારે ઘરે બેસીને ગુજરાતના કોરોના વોરિયર્સ પર નિબંધ, કવિતા અથવા ચિત્રનું સબમિશન ઓનલાઇન કરે અથવા પોસ્ટથી મોકલાવે અથવા નજીકની સ્કૂલમાં જમા કરાવી શકે તેની જાહેરાત ન્યુઝ પેપરના માધ્યમથી કરવામાં આવશે.
તેમણે વધુંમાં કહ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે સૌ નાગરિકોને અપિલ કરવામાં આવી છે કે, દરેક વ્યકિત એવો સંકલ્પ કરે કે ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક અવશ્ય પહેરે, સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવે તેમજ વારંવાર સાબુથી હાથ ધોવે.
મુખ્યમંત્રીશ્રીના આ સંકલ્પને ‘હેઝ ટેગ વિજય સંકલ્પ’ પર હજારોની સંખ્યામાં સૌ કોઇ નાગરિકો પોતાના વિડીયો-ફોટોઝ ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, ટવીટર જેવા સોશિયલ મિડીયાના માધ્મયથી અપલોડ કરીને કોરોના સામેની લડતમાં સહયોગ આપી રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પંચમહાલના આદિજાતિ ગામોના ૪૬૭ સરપંચો અને રાજ્યની ૧૬ર નગરપાલિકાના પ્રમુખો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને કોરોના મુકત ગામ-કોરોનામુકત નગર માટે પણ ખાસ તાકીદ કરી હતી એમ શ્રી અશ્વિનીકુમારે કહ્યું હતું.
તેમણે રાજ્યના ૧૩૯ માર્કેટયાર્ડમાં ખાદ્યાન્ન અને અનાજ વેચાણ માટેની વ્યવસ્થાની વિગતોમાં કહ્યું કે, સમગ્રતયા ૧પ લાખ ૪૮ હજાર ૬પ૭ કવીન્ટલ અનાજ વેચાણ માટે ખેડૂતો દ્વારા આવ્યું છે.
આ અનાજ-ખેત ઉત્પાદનમાં ઘઉં ૬,૧૧,૭૬૭ કવીન્ટલ, એરંડો ૪,રર,ર૮પ અને રાયડો ૯૪,૬૦૪ કવીન્ટલનો સમાવેશ થાય છે.
રાજ્યમાં ગુરૂવારે સવારે ૪૬.૭૮ લાખ લિટર દૂધ વિતરણ થયું છે.
સીએમ-પીઆરઓ/અરૂણ ……
[5/1, 8:42 PM] Udai Vaishnav: અખબારી યાદી તા. ૧/૫/૨૦૨૦
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના આક્ષેપોનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રીશ્રી
……
ભાજપાએ કોઇ ઊદ્યોગપતિની લોન-દેવા માફ કર્યા જ નથી –કૌભાંડ આચરનારાઓને આકરી સજા કરી છે
……
ખેડૂતોને આવા વાહિયાત નિવેદનોથી ગરેમાર્ગે દોરવાનું કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બંધ કરે
……
કોરોના ટેસ્ટ ઓછા થવાની સુફિયાણી સલાહ આપતાં પહેલાં કોંગ્રેસ અને તેના સાથીઓ પક્ષોના રાજ્યોની ટેસ્ટ સંખ્યાના આંકડા જોઇ લેવા જોઇએ-અમારે સલાહની જરૂરત નથી :- ગૃહ રાજ્યમંત્રીશ્રી
……
ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર કરેલા આક્ષેપોની આકરી આલોચના કરતાં જણાવ્યું છે કે, હાલની કોરોના વાયરસની સ્થિતીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને જુઠ્ઠાણાનો વાયરસ લાગી ગયો હોય તેમ તેમના બાલિશતા ભર્યા અને સત્યથી વેગળા નિવેદનોથી સ્પષ્ટ થાય છે.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણની આ સ્થિતીમાં લોકોને મદદરૂપ થવા અને જનજાગૃતિના કામોમાં સહયોગ આપવાને બદલે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નિવેદનીયા રાજકારણના આટાપાટા ખેલવામાં વ્યસ્ત છે.
ગૃહ રાજ્યએ ઉમેર્યુ છે કે, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે એક વાત સમજી લેવી જોઇએ કે ભારતીય જનતા પાર્ટીની સરકારે કોઇ ઊદ્યોગપતિઓની લોન માંડવાળ કે માફ કરી જ નથી. ઉલ્ટાનું આવા કૌભાંડીઓ જેમણે બેન્કોના પૈસા ડુબાડયા છે તેમની સામે કડક કાર્યવાહિ કરી છે.
એટલે રાજ્યના ખેડૂતોને ઊદ્યોગપતિઓની લોન માફ કરવાની ખોટી વાતોથી ગેરમાર્ગે દોરવાનું પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બંધ કરે.
ગુજરાતના ખેડૂતો હવે કોંગ્રેસને સારી રીતે ઓળખી ગયા છે એટલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની આ નિવેદનજીવી ભ્રમજાળમાં ભરમાશે નહી જ એમ પણ તેમણે કહ્યું હતું.
શ્રી. જાડેજાએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ કરવાના જે આંકડાઓ આપ્યા છે તેને મનઘડંત અને તેમના જ ભેજાની ઉપજ ગણાવ્યા છે.
તેમણે આ અંગે જણાવ્યું કે, શ્રી અમિત ચાવડાના કહેવા મુજબ રાજ્યમાં રોજના ૧૩૦૦ જ ટેસ્ટ થાય છે. પરંતુ હકિકત એ છે કે રાજ્યમાં ૧૦ લાખની વસ્તીએ રોજના ૩ હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવે છે.
ગૃહ રાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષને એ વાતનું જ્ઞાન છે ખરૂં કે તેમના કોંગ્રેસ પક્ષના વ્હાલા રાજ્યોની જો સ્થિતી જોઇએ તો દસ લાખની વસ્તીએ છત્તીસગઢમાં રોજના પ૭ર, પશ્ચિમ બંગાળમાં ૧૬૭, તેલંગાણામાં ૪૯પ અને કેરાલામાં ૬૮૦ તથા પંજાબમાં ૭૧૧ ટેસ્ટ થાય છે.
આ સંખ્યા તો ગુજરાત કરતાં જોજનો દૂર છે એટલે ટેસ્ટ અંગેની સુફિયાણી સલાહ ગુજરાતને આપવાને બદલે પોતાના પક્ષના રાજ્યોને આપે. અમારે એમની સલાહની જરૂર નથી એમ પણ ગૃહ રાજ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે.