બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાએ કહ્યું છે કે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC)એ ભારતની આંતરિક બાબત છે. પરંતુ તેમણે એમ પણ કહ્યું છે કે ત્રણ પડોશી મુસ્લિમ દેશોમાં ધાર્મિક અત્યાચારોનો ભોગ બનેલાઓને નાગરિકતા આપતો આ કાયદો બિનજરૂરી છે.હસીનાએ અબુ ધાબી ખાતે ગલ્ફ ન્યૂઝને આપેલી મુલાકાતમાં આમ કહ્યું હતું. તેઓ અબુ ધાબીમાં ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષી બેઠકમાં હાજરી આપવા ગયાં છે.