GN_25-4-20 (ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF )
Press Brief 24.04.2020 Gujarat 17.00 hrs – Copy
[4/25, 2:04 PM] Udai Vaishnav: *મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે*
*રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલ, રવિવાર તા. ર૬ એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે*
*ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય માં આ નિર્ણયની જાહેરાત કરી છે*
*ધંધો વ્યવસાય કરવા માટેની છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે*
*તદ્દઅનુસાર, જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે*
*દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના પ૦ ટકા સ્ટાફ રાખવાનો રહેશે*.
*માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે*
*જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે*.
*મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત એવો પણ નિર્ણય કર્યો છે કે ગુજરાત માં I T તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ પ૦ ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે*
…….
[4/25, 2:09 PM] Udai Vaishnav: *મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમણની સ્થિતીને કારણે લોકડાઉનની જાહેર થવાની પરિસ્થિતીમાં રાજ્યની બજાર સમિતિઓ માટે એક મહત્વની જાહેરાત કરી છે*
*તેમણે એવો નિર્ણય કર્યો છે કે, લોકડાઉનની સ્થિતીમાં જે બજાર સમિતિઓની વ્યવસ્થાપક સમિતિની મુદત પૂર્ણ થઇ ગઇ છે તેવી તથા જે બજાર સમિતિઓની મુદત તા. ૩૧ જુલાઇ-ર૦ર૦ સુધીમાં પૂર્ણ થવાની છે તેવી બજાર સમિતિઓની મુદત તા. ૩૧ જુલાઇ સુધી વધારી દેવામાં આવી છે*.
*બજાર સમિતિઓની મુદતનો આ વધારો ગુજરાત ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ અંતર્ગત કરવામાં આવ્યો છે*
*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય*
*મહાનગરપાલિકા-નગરપાલિકા વિસ્તાર સિવાયની ૯૮ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ
નોંધણી કામગીરી શરૂ કરી દેવાશે*
……
*સોશિયલ ડિસ્ટન્સીંગ –સેનીટાઇઝેશન સહિતના તકેદારીના પગલાંઓ
કચેરીઓમાં અવશ્ય લેવાની સૂચનાઓ*
……
-: *મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી વિગતો* :-
……
*૬૬ લાખ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો -NFSA લાભાર્થી પરિવારોને આજથી વિનામૂલ્યે ઘઉં-ચોખા વિતરણનો પ્રારંભ થશે*
…….
*રાજ્યમાં ૪૦ હજાર ઊદ્યોગ-એકમો કાર્યરત થતાં પાંચ લાખ શ્રમિકોને રોજગારી મળી*
……
*પ૭૩ નિર્માણાધિન બાંધકામ પ્રોજેકટસમાં ર૦ હજાર શ્રમિકોને રોજી-રોટી*
……
*૧ર૭ માર્કેટયાર્ડ – બજારમાં ૪ લાખ ૪ર હજાર કવીન્ટલ અનાજ-ખેત ઉત્પાદનો વેચાણ માટે આવ્યા*
……
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં મહાનગરપાલિકા-નગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારોની ૯૮ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી કામગીરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય સહિત રાજ્ય સરકારના અન્ય મહત્વપૂર્ણ પગલાંઓની વિગતો મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી.
તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, જે ૯૮ સબ રજીસ્ટ્રાર કચેરીઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં માત્ર ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવીને અને ઓનલાઇન નોંધણી ફી ભરીને જ દસ્તાવેજ નોંધણી માટે જવાનું રહેશે.
હાલના તબક્કે નોંધણી સિવાયની નાગરિકલક્ષી નકલ અને શોધની કામગીરી હાથ ધરાશે નહિ.
પ્રવર્તમાન કોરોના વાયરસ સંક્રમણની સ્થિતીમાં કોવિડ-૧૯ અંગેના સોશિયલ ડિસ્ટન્સીંગ, સેનીટાઇઝેશન સહિતના બધા જ તકેદારીના પગલાં લેવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે તેમ મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ સબ રજીસ્ટ્રાર કચેરીઓ માટે એવી સ્પષ્ટ સૂચનાઓ પણ આપી છે કે, આ કચેરીઓ જ્યાં હોય તે સ્થાનિક વિસ્તાર હોટસ્પોટ જાહેર થાય કે ત્યાં કરફયુ જાહેર થાય તો આવી કચેરી તુરત જ બંધ કરી દેવાની રહેશે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં તા.ર૦ એપ્રિલથી ગ્રામ્ય વિસ્તારોમાં ઊદ્યોગ પૂન: શરૂ કરવા કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ અનુસાર આપેલી મંજુરી અંતર્ગત ૪૦ હજાર જેટલા ઊદ્યોગ-એકમો કાર્યરત થયા છે.
આવા ઊદ્યોગોમાં અંદાજે પાંચ લાખ શ્રમિકો-કામદારોને રોજગારી મળતી થઇ છે એની વિગતો મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી હતી.
રાજ્યના મહાનગરો-નગરોમાં નિર્માણાધિન બાંધકામ પ્રોજેકટસને પણ શ્રમિકો-મઝદૂરોના સાઇટ પર જ રહેવાની વ્યવસ્થાઓ સાથે તા. ર૦ એપ્રિલથી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
આવા પ૭૩ જેટલા નિર્માણાધિન બાંધકામ પ્રોજેકટસમાં ર૦ હજાર જેટલા શ્રમિકો રોજી-રોટી મેળવી રહ્યા છે એમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ હતું.
તેમણે જણાવ્યું કે, લોકડાઉનના આ સમયમાં ખેડૂતોને પોતાના ખેત ઉત્પાદનો માર્કેટયાર્ડ-બજાર સમિતીમાં વેચીને આવક મેળવવાની વ્યવસ્થા આપવાના મુખ્યમંત્રીશ્રીના નિર્ણયને પગલે રાજ્યના ૧ર૭ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી-માર્કેટયાર્ડમાં અત્યાર સુધીમાં ૪ લાખ ૪ર હજાર ૮૬૦ કવીન્ટલ અનાજ-ખેત ઉત્પાદનની આવક થઇ છે.
આ અનાજમાં મુખ્યત્વે ઘઉંની આવક ર,૪ર,૯૦૪ કવીન્ટલ તેમજ ૧,ર૩,૩૮૯ કવીન્ટલ એરંડાનો સમાવેશ થાય છે એમ પણ શ્રી અશ્વિનીકુમારે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ૬૬ લાખ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો – પરિવારો જેઓ NFSA અંતર્ગત અનાજ મેળવે છે તેવા પરિવારોને આર્થિક આધાર માટે રૂ. ૧ હજાર બેન્ક ખાતામાં જમા કરાવવાનો સંવેદનશીલ અભિગમ દર્શાવેલો છે.
તદ્દઅનુસાર, જે કામગીરી ચાલી રહી છે તેમાં આ સપ્તાહના અંત-શનિવાર તા. રપ એપ્રિલ સુધીમાં આવા ૪૧ લાખ અંત્યોદય પરિવારોને આવરી લઇને રૂ. ૪૧૦ કરોડની સહાય આપી દેવાશે તેમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું હતું.
આ ૬૬ લાખ પરિવારોને વિનામૂલ્યે ૩.પ૦ કિલો ઘઉં અને ૧.પ૦ કિલો ચોખાનું તા. રપ મી એપ્રિલથી ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિતરણ આરંભ થશે એમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે કહ્યું હતું.
તેમણે લોકડાઉનના ૩૧મા દિવસે રાજ્યમાં દૂધ શાકભાજી અને ફળફળાદિની ઉપલબ્ધિની વિગતો આપી હતી.
શુક્રવારે સવારે ૪૯.ર૮ લાખ લીટર દૂધનું વેચાણ થયું છે તેમજ ૧ લાખ ૧૯ હજાર ૩ર૬ કવીન્ટલ શાકભાજી માર્કેટમાં આવ્યા છે એમ શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું હતું.
આ શાકભાજીમાં ર૬,૮૯૩ કવીન્ટલ બટાકા, ૮૪,ર૮ર કવીન્ટલ ડુંગળી તેમજ કુલ ૧પ,૯૯૦ કવીન્ટલ ફળફળાદિની આવક પણ થઇ છે તેની માહિતી તેમણે આપી હતી.
સીએમ-પીઆરઓ/અરૂણ
_______________________________
*આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવી એ જણાવ્યું છે કે રાજ્યમાં કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા નાગરિકોમાં રોગ પ્રતિકારક શકિત વધે તેવા સઘન ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે*
*આ હેતુસર અત્યાર સુધીમાં 1 કરોડ 18 લાખ 37 હજાર આયુર્વેદિક ઉકાળો 3 લાખ 28 હજાર જેટલી આયુર્વેદ સમ સમ વટી ગોળી અને 82 લાખ જેટલી હોમીયોપેથી દવાઓ નું વિતરણ લોકોમાં રોગ પ્રતિકારક શકિત વધારવા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે*
*તેમણે કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 43822 ટેસ્ટ કરવામાં આવ્યા છે તેમાંથી 2815 કેસ પોઝિટિવ આવ્યા છે*
*આ 2815 પોઝિટિવ કેસ જે સારવાર લઈ રહેલા છે તેમાં 2394 ની હાલત સ્થિર છે 29 વેન્ટિલેટર પર છે અને 265 વ્યક્તિઓ સારવાર બાદ સાજા થઈ ને પરત ગયા છે*
*રાજ્યમાં છેલ્લા 24 કલાક માં 191 નવા કેસ નોંધાયા છે .જેમાં અમદાવાદ માં સૌથી વધુ 169 કેસ છે*
———————————————
*કોરોનાની સારવારમાં પ્લાઝમા ના ઉપયોગની ગુજરાતની ઐતિહાસિક પહેલ ને દરદીનો પ્રોત્સાહક પ્રતિભાવ*
*અમદાવાદની એસ વી પી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે દર્દીઓને પ્લાઝમા આપ્યા પછી તેમની ઓકિસજન ની જરૂરિયાત ઓછી થઈ*
ગુજરાતે કોરોના કેસના દરદીઓની સારવારમાં પ્લાઝમા ના ઉપયોગની શરૂઆત કરીને સમગ્ર વિશ્વ અને દેશમાં આરોગ્ય સુખાકારી ક્ષેત્રે નવા કીર્તિમાન પ્રસ્થાપિત કર્યા છે.
અમદાવાદ ના આવા બે દર્દીઓને કનવલસન્ટ પ્લાઝમા આપ્યા પછી બે દિવસે આજે આ બે દર્દીઓ જે અગાઉ ઓકિસજન પર હતા તેમની ઓકિસજન જરૂરિયાત અન્ય કંટ્રોલ ગ્રુપ કરતા ઓછી થઈ છે.
આમ ગુજરાતે kovid 19 ની સારવાર પદ્ધતિમાં પ્લાઝમા નો ઉપયોગ કરીને આ ઐતિહાસિક પહેલ દ્વારા નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે.
આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ એ આજે પ્રચાર માધ્યમો સમક્ષ આ વિગતો આપતા જણાવ્યું કે
કોરોના ની સારવાર માં કોરોના પોઝિટિવ માંથી કોરોના નેગેટિવ થયેલા વ્યક્તિના પ્લાઝમા આપવાની શરૂઆત કરવાની ઐતિહાસિક પહેલ કરી છે .
આ માટે ગુજરાત સરકારે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા સમક્ષ આ અંગેની મંજૂરી આપવા રજૂઆત કરી હતી
.ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ તારીખ 17મી એપ્રિલે રાત્રે આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી હતી અને સાથે ગુજરાતને મંજૂરી પણ આપી હતી .
ગુજરાતે એક પણ દિવસનો વિલંબ કર્યા વિના તારીખ ૧૮મી એપ્રિલે કોરોના પોઝિટિવ માંથી નેગેટીવ થયેલા દર્દીના પ્લાઝમા કલેક્ટ કર્યા હતા અને જરૂરી તમામ પરીક્ષણો કર્યા હતા.
પ્લાઝમા દાતા તરફથી મળેલા કન્વલ્સન્ટ પ્લાઝમા અમદાવાદની એસવીપી હોસ્પીટલ માં કૉવીડ 19 ની સારવાર લઈ રહેલા બે દર્દીઓ એક 50 વર્ષના પુરુષ અને 50 વર્ષના એક મહિલા દર્દીને આપવામાં આવ્યા હતા.
આજે બે દિવસ પછી આ બેય દરદીઓની ઓકિસજન ની જરૂરિયાત અન્ય કંટ્રોલ ગ્રુપ ની સરખામણીમાં ઓછી થઈ છે.
આમ ગુજરાતે kovid 19 ની સારવાર પદ્ધતિમાં પ્લાઝમા નો ઉપયોગ કરીને આ ઐતિહાસિક પહેલ દ્વારા નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે.
——————————————–—
**શુક્રવારે સાંજે ૧૭-૦૦ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમ્યાન રાજયમાં 3028 ટેસ્ટ કરાયાઃ 3280 રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કરાયા.*
* *રાજ્યમાં મુખ્ય મંત્રીશ્રીના દિશા નિર્દેશો ને પગલે લોક ડાઉન નો ચુસ્ત અમલ અને અન્ય અસરકારક પગલાઓના કારણે કોરાનાની ગતિ અને વ્યાપ પર નિયંત્રણ રાખી શકાયું છેઃ ડૉ. જયંતી રવિ*
ગુજરાતમાં સરકારી અને ખાનગી લેબોરેટરીઓ સહિત કૂલ -21 લેબોરેટરી કાર્યરત છે. જયાં પ્રતિદિવસ 3000 જેટલા RTPCR કોરોના ટેસ્ટ કરવાની ક્ષમતા છે અને આ ક્ષમતા પ્રમાણે ગુજરાત અસરકારક રીતે કોરોના ટેસ્ટ કરી રહ્યું છે. શુક્રવાર સાંજે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં કુલ 3028 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એમ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. શ્રીમતિ જયંતી રવિએ જણાવ્યું હતું .
એટલું જ નહીં રાજ્યભરમાં અસરકારક રીતે હાથ ધરવામાં આવેલા રેપિડ એન્ટીબોડી ટેસ્ટમાં પણ ગુજરાતે ખૂબ સારી કામગીરી કરી છે. શુક્રવાર સાંજ સુધીમાં ગુજરાતમાં 3280 રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ડૅા. શ્રીમતી જયંતી રવિએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ નું સંક્રમણ અભુતપૂર્વ છે. માનવજાતિએ અગાઉ ક્યારેય પણ નહીં કલ્પેલા કે નહીં અનુભવેલા કોરોના વાયરસે આજે વિશ્વના 210 દેશોમાં વ્યાપ વિસ્તાર્યો છે. ભારતના 32 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાએ પગપેસારો કર્યો છે.
ગુજરાતના 30 જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ પહોંચ્યું છે, આમ છતાં મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના દિશા નિર્દેશો અને સમગ્ર વહીવટી તંત્ર ને મળી રહેલા તેમના માર્ગદર્શન થી અસરકારક પગલાં અને લૉકડાઉનના કડક અમલને પરિણામે આજે પણ ગુજરાતના જુનાગઢ, અમરેલી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ નથી પહોંચી શક્યું.
એનો અર્થ એ નથી કે આ જિલ્લાઓને આપણે કોરોનાથી હંમેશને માટે મુક્ત રાખી શકીશું પરંતુ આવા અસરકારક પગલાંને પરિણામે આપણે ગુજરાતમાં કોરોનાની ગતિ ધીમી પાડી શક્યા છીએ અને એનો વ્યાપ વધવાની ક્ષમતા પણ નિયંત્રિત કરી શક્યા છીએ. એમ તેમણે કહ્યું હતું.
તેમણે જણાવ્યું કે, કોરોનાની આ મહામારી સામેની માનવ જાત ની લડાઈ ઘણી લાંબી છે.હજુ લગભગ બે મહિના સુધી આ લડાઇ આપણે લડવાની છે એટલે હજુ આપણે સોશિયલ ડિસ્ટન્સ અને સ્વચ્છતાની બાબતોને તથા આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવાની બાબતમાં સખત ધ્યાન આપવાની આવશ્યકતા છે. આ બાબતે સહેજ પણ બેફિકરાઇ ચાલી શકે તેમ નથી, અને લોકોની બેજવાબદારી પણ માનવજાત સામે મોટા જોખમ ઊભા કરી શકે તેમ છે. સખત ધ્યાન રાખીને આપણે કોરોનાના સંક્રમણની ગતિને અવરોધી શકીશું, એટલું જ નહીં કોરોનાના દર્દીઓની સંખ્યા પણ નિયંત્રિત કરી શકીશું.
ગુજરાત પૂર્ણ ક્ષમતા અને સજજતા થી કોરોના સામે લડી રહ્યું છે. કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં રાખવા લેબોરેટરીની ક્ષમતા પ્રમાણે પરીક્ષણો અસરકારક રીતે થઈ રહ્યા છે. અને લેબોરેટરી ટેસ્ટના પરિણામો તરત જ આપી શકાય તે રીતે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં આવી બાબતોને ગંભીરતાથી લઈને સેમ્પલ લીધા પછી ટૂંક સમયમાં જ તેનું પરિણામ આપી શકાય એ પધ્ધતિએ સેમ્પલીંગ અને ટેસ્ટિંગ થઈ રહ્યું છે.
અન્ય દેશો અને ભારતના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત કોરોના ટેસ્ટમાં ક્યાંય પાછળ નથી. ગુજરાતની જે એવરેજ છે તેમાં પણ ગુજરાત અન્ય રાજયોની બરોબરીમાં છે. ટેસ્ટ પર મિલિયન એટલે કે પ્રતિ 10 લાખ નાગરિકોએ અમદાવાદ મહાનગરપલિકા વિસ્તારમાં સરેરાશ 2701 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાત રાજયની સરેરાશ જોઇએ તો પ્રતિ 10 લાખે ગુજરાતમાં 721 ટેસ્ટ થયા છે. ભારતની આ સરેરાશ 392 ટેસ્ટની છે.એમ ડો. રવિ એ ઉમેર્યું હતું.
Jay ho
Jay gurudev