ધી
(1) Press Brief 19.04.2020 Gujarat 18.00 hrs(ADL secretary Jayanti Ravi Press Briefing.clik on Red line for open report)
(2). મુખ્યમંત્રીના સચિવ શ્રી ashvinikumarrni બપોરે ૨ વાગ્યા નું પ્રેસ બ્રિફિંગ………….
કોરોના વાયરસના સંક્રમણની સ્થિતીમાં સામાન્ય માનવીઓ પ્રત્યે મુખ્યમંત્રીશ્રીની આગવી સંવેદના: ૧૭ હજાર જેટલી દુકાનોના તોલાટ-ડેટાએન્ટ્રી ઓપરેટર-કલાર્ક જેવા સામાન્ય કર્મીના ફરજ દરમ્યાન કોરોના સંક્રમણથી અવસાનના કિસ્સામાં રૂ. રપ લાખની સહાય અપાશે
▪મુખ્યમંત્રીશ્રીના વિવિધ નિર્ણયોની માહિતી આપતા મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી
દાહોદ-અરવલ્લી-સાબરકાંઠા-છોટાઉદેપૂર-પંચમહાલ-મહિસાગર જિલ્લાઓથી ૬૬ લાખ NFSA પરિવારોના બેન્ક ખાતામાં રૂ. ૧૦૦૦ની સહાય ડી.બી.ટી.થી જમા કરાવવાનો પ્રારંભ થશે
મહાનગરપાલિકા-નગરપાલિકા હદ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં ઊદ્યોગ-એકમો આજથી ચાલુ કરી શકાશે
ઊદ્યોગો મહત્તમ ૧ર કલાકની શિફટ રાખી શકશે
૬ કલાક પૂર્ણ થયે શ્રમિક-કર્મચારીને અડધો કલાક વિરામ આપવો પડશે
૧ર કલાકની શિફટના કર્મચારી-શ્રમિકોના વેતનમાં સપ્રમાણ વધારો આપવો પડશે
સાંજે ૭ થી સવારે ૬ સુધી મહિલા શ્રમિક-કર્મચારીને ફરજ પર નહિં બોલાવી શકાય
લોકડાઉન સમય દરમ્યાન પોલીસ દ્વારા કાયદા ભંગ અંગે ડિટેઇન કરવામાં આવેલા વાહનો માટે કમ્પાઉન્ડીંગ ફી નિયત કરવામાં આવી
ટુ વ્હીલર-થ્રી વ્હીલર માટે રૂ. પ૦૦ ફોર વ્હીલર માટે રૂ. ૧૦૦૦ની ફી વસુલ કરાશે
રાજ્યના માર્કેટયાર્ડમાં ૩ દિવસમાં જ ૭૦ હજાર કવીન્ટલ અનાજ-ખેત ઉત્પાદનો વેચાણ માટે આવ્યા
*********
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનધારકોની દુકાનો પર ફરજ બજાવતા તોલાટ અને ડેટા એન્ટ્રી-બિલ ઓપરેટર જેવા સામાન્ય કર્મીઓ પ્રત્યે આગવી સંવેદના સાથે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
આ નિર્ણય અનુસાર રાજ્યમાં સરકાર માન્ય સસ્તા અનાજની ૧૭ હજાર જેટલી દુકાનો પર અનાજ વિતરણની કામગીરી સાથે સંકળાયેલા આવા તોલાટ કે ડેટા એન્ટ્રી-બિલ કલાર્ક ઓપરેટરનું ફરજ દરમ્યાન કોરોના વાયરસના સંક્રમણથી અવસાન થાય તો તેના પરિવારજનોને પણ રાજ્ય સરકાર રપ લાખ રૂપિયાની સહાય કરશે.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ નિર્ણયની વધુ વિગતો આપતાં કહ્યું કે, આ અગાઉ શ્રી વિજયભાઇ રૂપાણીએ પોલીસકર્મીઓ સહિત રાજ્ય સરકારની સેવાના કર્મચારીઓ તેમજ સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકોના કોરોના સંક્રમીત થવાથી મૃત્યુના કિસ્સામાં આવી સહાયની જાહેરાત કરેલી છે.
હવે, આ સાવ સામાન્ય વર્ગના સેવા કર્મીઓ પ્રત્યે પણ આગવી સંવેદના દર્શાવતા મુખ્યમંત્રીશ્રીએ આ સંવેદનશીલ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં નાગરીકોની સરળતા માટે કરેલા અન્ય કેટલાક નિર્ણયોની પણ વિગતો શ્રી અશ્વિનીકુમારે આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં NFSA અન્વયે અનાજ મેળવતા ૬૬ લાખ કાર્ડધારક પરિવારોને એપ્રિલ માસ પૂરતી રૂ. ૧૦૦૦ની સહાય બેન્ક ખાતામાં જમા કરાવવાની કરેલી જાહેરાતને પગલે સોમવાર તા. ર૦ એપ્રિલે છોટાઉદેપૂર, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર એમ ૬ આદિજાતિ જિલ્લાઓથી તે રકમ જમા કરાવવાની શરૂઆત કરાશે, તેમ મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ હતું.
તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં તમાકુ પકવતા ખેડૂતોની મળેલી રજૂઆતોના સંદર્ભમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અને સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે કે, માર્કેટયાર્ડ-બજાર સમિતિમાં તમાકુ વેચાણ ખરીદ માટે ખેડૂતો પોતાના તમાકુ ઉત્પાદન લઇને આવે તેવી વ્યવસ્થા આગામી ટૂંક જ સમયમાં શરૂ કરી દેવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ એ રાજ્યમાં લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતીમાં સોમવાર તા. ર૦ એપ્રિલથી ઊદ્યોગો-એકમો શરૂ કરવા અંગે જે નિર્ણય કર્યો છે તેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આવા ઊદ્યોગો-એકમો માત્ર નગરપાલિકા-મહાનગરપાલિકાની હદ સિવાયના બહારના વિસ્તારોમાં જ શરૂ કરી શકાશે.
આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશો અનુસાર રાજ્યના શ્રમ રોજગાર વિભાગે પણ એવી સ્પષ્ટ સૂચનાઓ જારી કરી છે કે જે વિસ્તારોમાં તા. ર૦ એપ્રિલથી ઊદ્યોગ-એકમો કાર્યરત થવાના છે ત્યાં મહત્તમ ૧ર કલાકની શિફટ રાખવાની છૂટ આપવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવે આ સંદર્ભમાં જણાવ્યું કે, આવી ૧ર કલાકની શિફટમાં કામ કરનારા શ્રમિકોના વેતનમાં પણ સપ્રમાણ વધારો આપવાનો રહેશે. એટલું જ નહિ, કામના ૬ કલાક પુરા થાય ત્યારે શ્રમિક-કર્મચારીને અડધો કલાક-૩૦ મિનિટના વિરામ આપવો પડશે.
આવા ઊદ્યોગ-એકમોમાં સાંજે ૭ થી સવારે ૬ વાગ્યા સુધી એટલે કે રાત્રિ સમય દરમ્યાન કોઇ મહિલા શ્રમિક-કર્મચારીને ફરજ માટે બોલાવી શકાશે નહિ, તેમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ લીધેલા અન્ય એક નિર્ણય અંગેની જાણકારી આપતાં મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ કે, લોકડાઉન સમય દરમ્યાન પોલીસ દ્વારા કાયદા ભંગ અંગે ડિટેઇન કરવામાં આવેલા વાહનો માટે કમ્પાઉન્ડીંગ ફી નિયત કરવામાં આવી છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ આ કમ્પાઉન્ડીંગ ફી ની બાબતમાં પણ એવો નિર્ણય કર્યો છે કે હવેથી આવા ડિટેઇન થયેલા વાહનોના કિસ્સામાં ટૂ વ્હીલર-થ્રી વ્હીલર માટે રૂ. પ૦૦ તેમજ ફોર વ્હીલર્સ માટે રૂ. ૧૦૦૦ કમ્પાન્ડીંગ ફી વસુલ કરવામાં આવશે તેમ શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ એમ પણ જણાવ્યું કે, તા. ર૦ એપ્રિલ સોમવારથી રાજ્ય સરકારની કચેરીઓ કાર્યરત કરવાનો મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે તેમાં વર્ગ-૩ અને ૪ ના ૩૩ ટકા સ્ટાફને જરૂરિયાત મુજબ ફરજ પર બોલાવવામાં આવશે.
વર્ગ-૧ અને વર્ગ-ર ના અધિકારીઓએ ખાતા-વિભાગ-કચેરીના વડાની સૂચનાઓ મુજબ કચેરીએ આવવાનું રહેશે.
તેમણે એમ પણ ઉમેર્યુ કે, લોકડાઉનની સ્થિતીમાં જાહેર પરિવહન ઉપર જે પ્રતિબંધ છે તે સંદર્ભમાં ગાંધીનગર-અમદાવાદ વચ્ચે સચિવાલય પોઇન્ટ બસ સેવા પણ હાલના સંજોગોમાં મોકૂફ રાખવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ રાજ્યના માર્કેટયાર્ડ અને બજાર સમિતિઓમાં ખેડૂતો પોતાના ખેત ઉત્પાદનો વેચાણ માટે લઇ આવી શકે તે અંગે મુખ્યમંત્રીશ્રીએ તા.૧પમી એપ્રિલથી માર્કેટયાર્ડ શરૂ કરવાની કરેલી જાહેરાતને પગલે પાછલા ૩ દિવસમાં જ રાજ્યના વિવિધ માર્કેટયાર્ડમાં કુલ ૬૯૮૩૭ કવીન્ટલ અનાજ અને ખેત ઉત્પાદનો ખેડૂતો વેચાણ માટે લાવ્યા છે તેમાં ઘઉં-૪૮૮૭૪ કવીન્ટલ અને એરંડા-૧૫૯૬૧ કવીન્ટલ છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવે લોકડાઉનના પચ્ચીસમાં દિવસે જીવનજરૂરી ચીજવસ્તુઓના પુરવઠાની વિગતો આપતાં જણાવ્યું કે, રવિવારે રાજ્યમાં ૪૬.૮૧ લાખ લીટર દૂધ વિતરણ થયું છે. ૮૬૫૭૭ કવીન્ટલ શાકભાજી અને ૫૧૫૯ કવીન્ટલ ફળફળાદિનો આવરો થયો છે.
******************************************
(3) ગુજરાત ડી જી પી શિિવાાંનંદઝાનાાંાાાંાાં પ્રેેસ
કોરોના સંકમણને અટકાવવા માટે
▪પોલીસ-આરોગ્ય કર્મીઓ ફ્રન્ટલાઈન પર કામ કરી રહ્યા છે ત્યારે તેમના મનોબળને ટકાવી રાખવા નાગરિકોનો સહયોગ પણ એટલો જ જરૂરી : રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા
▪લોકડાઉન દરમિયાન માણસોની હેરાફેરી કરી આવશ્યક સેવાનો દુરુપયોગ કરતી ૨૩ એમ્બ્યુલન્સ જપ્ત
▪અમદાવાદ સુરત અને રાજકોટમાં કરફ્યુ ભંગ બદલ કુલ ૨૧૩ ગુના નોંધી ૨૩૯ લોકોની ધરપકડ
▪કોરોના વોરિયર્સ પોલીસ કર્મીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવા લેવાઇ રહેલી પૂરતી તકેદારી
▪લોકડાઉન દરમિયાન જપ્ત કરાયેલા વાહનોમાં ટુ અને થ્રી વ્હીલર વાહનોને મહત્તમ રૂ.૫૦૦ અને અન્ય વાહનોનો રૂ. ૧૦૦૦ દંડ લઈ પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરાશે
▪સોસાયટીમાં લાગેલા ખાનગી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી પોલીસે ૬૯ ગુનો દાખલ કરી ૧૩૪ની ધરપકડ કરી
***
કોરોનાના સંક્રમણને વધતું અટકાવવા માટે પોલીસ – આરોગ્ય કર્મીઓ ફ્રન્ટલાઈન પર કામ કરી રહ્યા છે ત્યારે તેમના મનોબળને ટકાવી રાખવા નાગરિકોનો સહયોગ પણ એટલો જ જરૂરી છે તેમ કહી રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ ઉમેર્યું હતું કે, કોરોના વોરિયર્સ એવા કર્તવ્યનિષ્ઠ તમામ કર્મચારીઓ પોતાના જીવના જોખમે ફરજ નિભાવી રહ્યા છે ત્યારે તેમનું મોરલ ડાઉન થાય તેવી કોઈ પણ અફવા ફેલાવતી પોસ્ટ સોશીયલ મીડિયામાં ફરતી કરવી તે યોગ્ય નથી. ગુના દાખલ કરવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો હોવાથી પોલીસ કર્મીઓમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યા છે આવી અફવાઓ સંદર્ભે શ્રી ઝાએ કહ્યું કે, અમારા તરફથી પોલીસને આવા કોઈ ટાર્ગેટ આપવામાં આવતા નથી. એટલે આવી કોઈ અફવા ફેલાવી કે તેવી પોસ્ટ મૂકીને પોલીસનું મોરલ ડાઉન કરવાનું કાર્ય બંધ કરવું નાગરિકોની નૈતિક ફરજ છે.
લોકડાઉન દરમિયાન રાજ્ય સરકાર દ્વારા આવશ્યક સેવાઓ માટે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે ત્યારે આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓ દ્વારા માણસોની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની ગંભીર બાબતો પોલીસના ધ્યાને આવી હતી. જેના આધારે આવી સેવાઓ સાથે સંકળાયેલા વાહનો ઉપર પણ પોલીસે સતત વોચ રાખી છે. રાજ્યમાં એમ્બ્યુલન્સ મારફતે માણસોની હેરાફેરી કરી આવશ્યક સેવાનો દુરુપયોગ કરતી ૨૩ એમ્બ્યુલન્સ જપ્ત કરવામાં આવી છે. જે તમામ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદ, સુરત અને રાજકોટ મહાનગરોના કોરોનાથી વધુ સંક્રમિત થયેલા વિસ્તારોમાં કરફયુનો કડક અમલ કરવામાં આવ્યો છે. તેમ છતાં કરફ્યુ ભંગ કરી કેટલાક વ્યક્તિઓ બિનજરૂરી ઘરની બહાર નીકળી રહ્યા છે. ડ્રોન અને સીસીટીવી ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ રાખીને તેમની ઉપર પણ સઘન વોચ રાખવામાં આવી રહી છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં આવી રીતે કરફ્યુ ભંગ કરવા બદલ કુલ ૨૧૩ ગુના નોંધી ૨૩૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
કોરોના વોરિયર્સ પોલીસ કર્મીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી હોવાનું જણાવીને શ્રી ઝાએ ઉમેર્યું હતું કે પોલીસ કર્મચારીઓ માટે સરગવાનો પાવડર, વિટામીન સી ટેબલેટ, આયુર્વેદિક ઉકાળા, લીંબુ પાણી તથા છાશ આપવામાં આવી રહી છે. તે ઉપરાંત પોલીસ કર્મચારીઓના પરિવારો જ્યાં રહે છે તે પોલીસ લાઈન તથા પોલીસના વાહનોમાં નિયમિત સેનિટાઇઝ કરી આ વિસ્તારો ડીસઇંફેક્ટ કરાવવામાં આવી રહ્યા છે.
શ્રી ઝાએ કહ્યું કે, લોકડાઉન દરમિયાન જપ્ત કરાયેલા વાહનોમાં ટુ અને થ્રી વ્હીલર વાહનોને મહત્તમ રૂ.૫૦૦ અને અન્ય વાહનોનો રૂ.૧૦૦૦ દંડ લઈ પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરવામાં આવશે. ગઈ કાલે જપ્ત કરાયેલા ૮૬૯૧ વાહનો છોડવામાં આવ્યા હતા જ્યારે અત્યાર સુધીમાં ૫૯ હજારથી વધુ વાહનો છોડવામાં આવ્યા છે.
રાજ્યમાં લોકડાઉનની ચુસ્ત અમલવારી માટે હવે પોલીસ દ્વારા ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરી વાહનોના નંબર પ્લેટને આધારે રસ્તા ઉપર વારંવાર ફરતા દેખાતા નાગરિકોને શોધી કાઢવા માટે ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નાઇઝેશન (એ.એન.પી.આર.) સોફ્ટવેરની મદદથી બિનજરૂરી ફરતા વાહનચાલકોની યાદી તૈયાર કરી તે તમામ સામે ગુનો દાખલ કરવા સુધીની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરી વિસ્તારોમાં વાહનોના નંબર આધારે ટ્રેકિંગ માટે એ.એન.પી.આર. સોફ્ટવેરની મદદથી વાહન પર નજર રાખી ૧૯૦ ગુના દાખલ કરી જરૂરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહિ, ૩૬૦ ડિગ્રી એરિયા કવર કરતાં કેમેરાથી સુસજ્જ પોલીસની વાન ‘પ્રહરી’ દ્વારા લોકડાઉન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. પ્રહરી આધારે અત્યાર સુધી ૧૫૨ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત પોલીસ પેટ્રોલિંગમાં ફરતી ગાડીઓમાં તૈનાત વીડિયોગ્રાફર દ્વારા કરાયેલા રેકોર્ડિંગ થકી ૨૨૬ ગુના નોંધવામાં આવ્યા છે તેમ શ્રી ઝાએ ઉમેર્યું હતું.
મરકઝથી ગુજરાતમાં આવેલા જમાતીઓ સંદર્ભે શ્રી ઝાએ ઉમેર્યું કે, ગઈ કાલે મહારાષ્ટ્રના ભૂસાવલથી લોકડાઉનનો ભંગ કરી ગાંધીનગર ખાતે આવેલા વધુ એક વ્યક્તિ સામે ગુનો દાખલ કરી તેને કવોરંટાઈન કરવા ઉપરાંત મેડિકલ ચેકઅપ સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. સુરા જમાતના મરક્ઝથી ગુજરાતમાં લોકડાઉન ભંગ કરીને આવેલા વ્યક્તિઓ સામે અત્યાર સુધીમાં ૯ ગુના નોંધવામાં આવ્યા છે.
શ્રી ઝાએ ઉમેર્યું કે, સોશિયલ મીડિયા ઉપર ભડકાઉ મેસેજ બનાવનાર અને તેને ફેલાવનાર પર સોશીયલ મીડીયા મોનીટરીંગ સેલ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે ગઈ કાલે આવી રીતે સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવવા બદલ ૧૭ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૩૫૭ ગુનાઓ દાખલ કરી ૬૮૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત પોલીસ દ્વારા ડ્રોનની મદદથી ગઈ કાલે ૨૭૪ ગુનાઓ તથા સીસીટીવીની મદદથી ૯૪ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ડ્રોનની મદદથી ૬૭૫૧ ગુનાઓ તથા સીસીટીવીની મદદથી ૧૨૦૬ ગુનાઓ દાખલ કરી લોકડાઉનની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે.
પોલીસ તંત્ર દ્વારા ગઈ કાલથી અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતા શ્રી ઝાએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના ૨૨૫૯ અને હોમ કવોરન્ટાઈન ભંગના ૧૦૩૨ તથા અન્ય ૪૯૨ ગુનાઓ મળી કુલ ૩૭૮૩ ગુનાઓ આજ રોજ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ૪૯૫૩ વ્યક્તિઓની અટકાયત કરાઈ છે અને ૨૫૭૬ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
*******