*વર્ષ ૨૦૨૧ નુ અંદાજપત્ર રજૂ કરતા નાણા મંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ*
¤અંદાજ પત્રનુ કદ 2.17,287 કરોડ
¤ખેડૂતોના કલ્યાણ માટે પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રાજયના 48 લાખ ખેડૂતોને રૂ.3186 કરોડ પ્રાપ્ત
¤ઈઝ ઓફ ડુઈગ બિઝનેસ માં 43 ટકા સ્ટાર્ટ અપ ગુજરાતમા
¤સ્ટેચ્યુ ઓફ યુનિટી નો 40 લાખ પ્રવાસીઓએ મુલાકાત કરી
¤પાંચ ટ્રીલીયન ડોલર ઈકોનોમી મા ગૌજરાત મોટુ યોગદાન આપશે
¤ સૌનો સાથ સૌનો વિકાસ સૌના વિશ્વાસને કેન્દ્ર સ્થાને રાખી અંદાજ પત્ર તૈયાર કરાયુ.
[2/26, 2:55 PM] Prashant Vaala: *પશુપાલન*
સન્માનનીય ગૃહમાં જાહેરાત કરતા મને આનંદ થાય છે કે , ગુજરાત પશુપાલન ક્ષેત્રમાં અને સહકારી ડેરીઓ દ્વારા દૂધ એકત્ર કરી , મૂલ્યવર્ધન કરી પશુપાલકોને દૂધના વ્યાજબી ભાવ આપવામાં અગ્રેસર છે . ખેતીની આવક સાથે પશુપાલનની આવક પણ ગ્રામ્ય અર્થતંત્રમાં મહત્ત્વનો ફાળો આપે છે . રાજયના લાખો પશુપાલકોની સહાય માટે મુખ્યમંત્રી પશુદાણ સહાય યોજનાની હું જાહેરાત કરું . આ યોજના હેઠળ દરેક પશુપાલકને તેમના એક ગાય કે ભેંસ દીઠ , એક પશુના વિયાણ દરમિયાન એક માસ માટે કુલ ૧૫૦ કિલોગ્રામ પશુદાણની ખરીદી પર પ૦ ટકા રકમની સહાય આપવામાં આવશે . જેથી દૂધાળા પશુઓને પૌષ્ટિક આહાર મળશે . રાજ્યની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના અંદાજિત ૧૫ લાખ સભાસદ પશુપાલકોને આ યોજનાનો લાભ મળશે . જે માટે કુલ ૨૨૦૦ કરોડની જોગવાઇ .
¤ ગાયોની સાર સંભાળ માટે પાંજરાપોળના માધ્યમથી અનેક સંસ્થાઓ રાજયમાં કાર્યરત છે . સારા નરસા વર્ષોમાં ગુજરાતની ગૌધનને બચાવવામાં આ સંસ્થાઓનું યોગદાન મોટું છે . આવી સંસ્થાઓને પગભર કરવા મદદરૂપ થવા એક નવી યોજનાની જાહેરાત કરતા હું આનંદની લાગણી અનુભવું છું . આ યોજના હેઠળ રજિસ્ટર્ડ પાંજરાપોળોને અપગ્રેડ કરવા એક વખતની સહાયરૂપે ગાયો માટે શેડ , ઘાસચારાના સંગ્રહ માટે ગોડાઉન , પાણી માટે ટ્યુબવેલની સુવિધા , સોલાર રૂફ ટોપની સ્થાપના , ઘાસચારાના પ્લોટમાં માઈક્રો ઈરીગેશન , સ્ત્રીંકલર જેવી માળખાકીય સુવિધાઓનો લાભ આપવામાં આવશે . જે માટે કુલ ૨૧૦૦ કરોડની જોગવાઇ .
¤ પશુપાલકોને ડેરી ફાર્મ , પશુ એકમ અને બકરા એકમ સ્થાપવાની યોજનાઓ અંતર્ગત સહાય આપવા ૨૮૧ કરોડની જોગવાઇ .
¤ રાજ્યભરમાં ૧૦ ગામ દીઠ એક પશુ દવાખાનાની સેવાઓ માટે ૨૩૫ કરોડની જોગવાઈ . ,
¤ હિંમતનગર નજીક રાજપુર નવા ખાતે નવીન વેટરનરી કોલેજ . મત્સ્યોદ્યોગ અનુસ્નાતક અભ્યાસ કેન્દ્ર , પશુ સારવાર સંસ્થાઓ અને ઘનિષ્ઠ પશુ સુધારણાની કચેરીઓના બાંધકામ તેમજ મરામત માટે ૪૩ કરોડની જોગવાઇ .
¤ ગુજરાતની પ્રખ્યાત દેશી ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધનની વિવિધ પ્રવૃતિઓ માટે ૨૩૨ કરોડની જોગવાઈ .
¤ મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે ૨૭ કરોડની જોગવાઈ .
¤ આપણી સંસ્કૃતિ જીવ દયામાં ખૂબ જ વિશ્વાસ ધરાવે છે . મંગા પશુપક્ષીઓની સારવાર માટે કરુણા એબ્યુલન્સ ૧૯૬૨ની સેવા ૩૧ શહેરોમાં શરૂ કરવામાં આવી છે , અમદાવાદ , વડોદરા , સુરત , રાજકોટ , ભાવનગર અને મહેસાણા શહેરમાં ઓ સેવા સુદઢ કરવા કુલ ૧૩ કરોડની જોગવા ઈ
: *કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ૨૭૪૨૩ કરોડની જોગવાઈ*
વર્ષ ૨ ૦ ૨ ૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે . સરકારે સિંચાઈ માટેની સુવિધાઓ , વિના વ્યાજે પાક ધિરાણ , પાક વીમો , બિયારણ , ખેત ઓજારો અને ખાતરની ખરીદીમાં સહાય , પાક – ઉત્પાદનોની ટેકાના ભાવે ખરીદી જેવી અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે . અણધારી કુદરતી આફતો સમયે પણ અમે જગતના તાતની પડખે અડીખમ ઊભા રહ્યા છીએ . આમ , ખેડૂત કલ્યાણની વાત ૨નાવે ત્યારે અમારી સરકાર વાવણીથી વેચાણ સુધીના દરેક તબક્કે ખભેથી ખભા મિલાવીને ખેડૂતોની સાથે રહી છે .
¤ રાજના ખેડૂતો સહકારી તેમજ રાષ્ટ્રીયકૃત બેન્ક મારફત દર વર્ષે આશરે ૨૩૯ , ૦૦૦ કરોડનું ટુંકી મુદતનું પાક ધિરાણ મેળવે છે . જેનું સંપૂર્ણ વ્યાજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બેન્કને ચુકવવામાં આવે છે . આમ , ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે એટલે કે વ્યાજ રહિત પાક ધિરાણ મળે છે , જે માટે ર૧૦૦૦ કરોડની જોગવાઇ .
¤ મને જણાવતાં રમાનંદ થાય છે કે , રાજય સરકારની ભલામણ ધ્યાને લઇ ભારત સરકારે પાક વીમા યોજના ખેડૂતો માટે મરજિયાત બનાવવાની જાહેરાત કરેલ છે . પરંતુ જે ખેડૂતો પાક વીમો લેવા ઈચ્છતા હશે તેમને મદદ કરવા પાક વીમાનું પ્રીમિયમ ભરવા ૬૧૧૯૦ કરોડની જોગવાઈ
¤ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેકટ માટે ૩૦૦ કરોડની જોગવાઇ .
¤કમોસમી વરસાદ , વાવાઝોડું , અતિવૃષ્ટિ , જીવજંતુનો ઉપદ્રવ અને અન્ય પરિબળોથી પાક ( ત્પાદન બાદનું નુકસાન અટકાવવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની જાહેરાત કરતા હર્ષની લાગણી અનુભવું છું . આ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાં નાના ગોડાઉન – ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર બનાવવા માટે એકમ દીઠ ૩૦ , ૦૦૦ સહાય રાપવામાં અાવશે . આવા સ્ટ્રકચરના બાંધકામ માટે એન . એ . ની મંજૂરીથી મુકિત આપવામાં આવશે . જેના માટે ૨૩૦૦ કરોડની જોગવાઈ .
¤કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ૨૯ . ૦૦૦ ખેડૂતોને ટ્રેક્ટર દીઠ ૨૪૫ , ૦૦૦ થી ૨૬૦ , ૦૦૦ની સહાય તેમજં આશરે ૩૨ , ૦૦૦ ખેડૂતોને વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ૨૨૩૫ કરોડની જોગવાઈ .
¤વર્તમાન સમયમાં જંતુનાશક દવાઓ અને રસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી થતાં નુકસાનને લીધે પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની માંગ વધી છે . અમે દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજનાઓ અમલમાં મૂકી છે . હવે ગુજરાતના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે નવી યોજનાની હું જાહેરાત કર છું . આ યોજના અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક ૨૯૦૦ એટલે કે વાર્ષિક ૧૦ , ૮૦૦ સહાય આપવામાં આવશે . પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતે ગાયનું છાણિયું ખાતર અને જીવામૃતનો ઉપયોગ કરવાનો રહેશે . જેના કારણે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા વધશે . લોકોને સ્વાથ્યપ્રદ ઓર્ગેનિક અનાજ અને શાકભાજી મળી રહેશે તેમજ ગૌ સેવાનો લાભ પણ મળશે . આ યોજના અંતર્ગત અંદાજે ૫૦ હજાર ખેડૂતોને આવરી લેવા માટે ૪૫૦ કરોડની જોગવાઇ .
¤ ખેડૂતો પોતાના ઉત્પાદન રાજ્યના અન્ય શહેરોમાં અથવા દેશના અન્ય ભાગોમાં વેચાણ અર્થે લઇ જઇ શકે તે માટે પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવી ખૂબ જરૂરી બને છે . આ હેતુ માટે ભારત સરકારે કિસાન રેલ અને ઉડાન યોજના જાહેર કરી છે . જેને સુસંગત કિસાન પરિવહન યોજનાની હું જાહેરાત કરું છું . આ યોજના દ્વારા ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે ૨૫૦ હજાર થી ૨૭૫ હજાર સહાય આપવામાં આવશે . જેમાં પ્રથમ તબકકે અંદાજિત પાંચ હજાર ખેડૂતોને લાભ આપવા ૨૩૦ કરોડની જોગવાઈ .
¤ ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનો રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા માટે સહાય આપવામાં આવશે . જે માટે ૧૦ કરોડની જોગવાઇ .
¤ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન હેઠળ ઘઉં , ચોખા , કઠોળ , બરછટ અનાજ , કપાસ , શેરડી તથા તેલીબિયાં પાકોના ઉત્પાદનમાં વૃદ્ધિ માટે સહાય આપવા ૨૮૭ કરોડની જોગવાઇ .
¤ ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ ૨૭૨ કરોડની જોગવાઇ
¤ એગ્રો અને ફૂડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા ૨૩૪ કરોડની જોગવાઈ .
¤દેશની પ્રથમ એવી ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે સ્થાપવા માટે ૧૨ કરોડની જોગવાઈ
*મત્સ્યોદ્યોગ*
પરંપરાગત રીતે માછીમારી કરતાં નાના માછીમારોને એન્જિન ખરીદીમાં સહાય આપવાની નવી યોજનાની હું જાહેરાત કરું છું . આ યોજના અંતર્ગત દરિયાઈ ફીશીંગ બોટ , ૨ સ્ટ્રોક , ૪ સ્ટ્રોક આઇબીએમ અને ઓબીએમ એજીન ખરીદવા માટે યુનિટ કોસ્ટ રૂપિયા એક લાખ વીસ હજારના પ૦ ટકા સહાય આપવામાં આવશે . જે માટે રૂ. ૨૯ કરોડની જોગવાઇ .
¤માછીમારોની બોટના એન્જિનમાં વપરાતાં ડીઝલ પર વેટ વેચાણવેરા માફી યોજના અંતર્ગત રૂ.૨૦૦ કરોડની જોગવાઈ .
¤ માંગરોળ , નવાબંદર , વેરાવળ , માઢવાડ , પોરબંદર અને સુત્રાપાડા મત્સ્યબંદરોના વિકાસ અને હયાત મત્સ્યબંદરોના નિભાવ તેમજ સુવિધાઓ વિકસાવવા રૂ.૧૫૦ કરોડની જોગવાઇ .
¤ આંતરદેશીય અને દરિયાઇ મત્સ્યોદ્યોગને નફાકારક તેમજ સલામત બનાવવા માટે માછીમારોને આધુનિક સાધનો પૂરા પાડવા રૂ. ૨૮૭ કરોડની જોગવાઇ .
¤ માછીમારી વખતે આપત્તિના સમયમાં બચાવ થઇ શકે તે માટે બોટ પર સેફ્ટી સાધનો વસાવવા માટે સાધન સહાય આપવા રૂ. ૨ કરોડની જોગવાઈ .
*સહકાર*
આપણે જાણીએ છીએ કે ખેડૂતો ખેતપેદાશો વેચાણ માટે બજાર સમિતિઓમાં લાવે છે અને ત્યાં જ આ ઉત્પાદનોની હરાજી , તોલાઈ વગેરે થાય છે . જયારે કમોસમી વરસાદ , કરા પડે કે અન્ય કુદરતી આફત સમયે ખુલ્લામાં પડેલ આવી ખેતપેદાશોને મોટું નુકશાન થતું હોય છે . તેથી આવી ખેતપેદાશોના રક્ષણ માટે બજાર સમિતિઓને ૫૦૦૦ મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવશે . જે માટે જોગવાઇ રૂ. ૫૦ કરોડ .
¤ નબળી કે બંધ ખાંડ સહકારી મિલોના ખેડૂતોને રક્ષણ આપવા માટે આવી મિલો ફરી શરૂ કરવી જરૂરી છે . આથી આવી મિલો સાથે જોડાણ ફરતી સદ્ધર સુગર મિલને સહાય આપવા માટે રૂ.૨૫ કરોડની જોગવાઈ .
¤ ભારત સરકારની યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૮ – ૧૯ના શેરડી પેમેન્ટ માટે ખાંડ સહકારી મંડળીઓએ પાંચ વર્ષની અવધિ માટે મેળવેલ સોફટ લોનનું વ્યાજ ભારત સરક દ્વારા એક વર્ષ માટે ચુક્વવામાં આવનાર છે . રાજય સરકાર આ સોફટ લોન ભરવાપાત્ર થતા વ્યાજના ૭ % અથવા ખરેખર ચુકવવામાં આવનાર વ્યાજ આ બે જે ઓછું હોય તેટલી વ્યાજ સહાય વધુમાં વધુ ચાર વર્ષ સુધી આપશે . જે માટે કરોડની જોગવાઇ . નાપરો . જે માટે રૂ.૨૩ કરોડની જોગવાઇ..
*બાગાયત*
¤ હજારો લારીવાળા ભાઇ બહેનો રોડની સાઇડમાં કે ખુલ્લી જગ્યામાં ઊભા રહી ફળફળાદી , શાકભાજી વગેરેનું વેચાણ કરે છે . મને જણાવતાં આનંદ થાય છે કે આ નાના વ્યવસાયકારોને ગરમી , ઠંડી અને વરસાદથી રક્ષણ આપવા માટે તથા તેમની લારીઓમાં રાખવામાં આવતાં ફળફળાદી , શાકભાજી બગડી ન જાચ તે માટે મોટી સાઇઝની છત્રીઓ આપવામાં આવશે . આવા અંદાજે ૬૫ હજાર છૂટક વેચાણકારો માટે ૨૮ કરોડની જોગવાઇ .
¤ ખેડૂતોના બાગાયતી પાકોનું કાપણી પછી થતું નુકસાન અટકાવવા અને મૂલ્યવર્ધન માટે પ્રાયોગિક ધોરણે બનાસકાંઠા , જામનગર , કચ્છ , નવસારી અને છોટાઉદેપુરમાં એફ . પી . ઓ . આધારિત માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે . જેને ઇ – નામાં સાથે સાંકળી બાગાયતી ઉત્પાદનોને રાષ્ટ્રીય નોઆંતરરાષ્ટ્રીય બજારો સુધી વિકસિત કરવા રૂ ૨૫ કરોડની જોગવાઈ .
¤ બાગાયતી પાકના મૂલ્ય વર્ધન માટે કૌશલ્ય વર્ધન અંગેની તાલીમ આપવા ૬ કરોડની જોગવાઈ . •
¤ જામનગર જિલ્લામાં નવું સેન્ટર ઓફ એકસલેન્સ ઊભું કરવા રૂ ૨ કરોડની જોગવાઇ .
¤ કૃષિ યુનિવર્સિટી • કૃષિ યુનિવર્સીિટીઓ માટે કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા કુલ ૭૫૦ કરોડની જોગવાઈ .
: *શિક્ષણ વિભાગ માટે કુલ રૂ.૩૧ , ૯પપ કરોડની જોગવાઇ*
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે કેળવણી એટલે બાળકના શરીર , મન અને આત્માના ઉત્તમાંશોનું આવિષ્કરણ , વર્ગખંડોમાં ઘડાઇ રહેલ ભારતના ભાવિને ઉજ્જવળ બનાવવા અમારી સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે . સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા સ્કૂલ ઑફ એકસલન્સ યોજનાની જાહેરાત કરૂ છું . જે અંતર્ગત ઉત્કૃષ્ટ શાળાઓ બનાવી શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરાશે .
¤ રાજયની શાળાઓ પૈકી પ૦૦ શાળાઓને સ્કુલ ઑફ એકસલન્સ તરીકે વિકસાવવામાં આવશે . તાલુકાના સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પસંદ કરી તેમને આ સ્કૂલમાં વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા ઉત્તમ શિક્ષણ આપવામાં આવશે . આવી શાળાઓમાં તમામ અદ્યતન માળાખાકીય સુવિધાઓ , સ્માર્ટ કલાસરૂમ , કોમ્યુટર લેબ , એમ તે અને રમતગમતની સુવિધાઓ પૂરી પાડવા માટે રૂ.૨૫૦ કરોડની જોગવાઇ .
¤ મને જણાવતા આનંદ થાય છે કે , આ વર્ષે પ્રાથમિક શાળાઓના નવા ૭ , ૦૦૦ વર્ગખંડોનું બાંધકામ હાથ ધરવામાં આવશે જે માટે રૂ.૬પ૦ કરોડની જોગવાઈ ,
¤ શાળાકીય શિક્ષણમાં ગુણવત્તા સુધારણા અને યોજનાઓના ઑનલાઇન રિયલ ટાઇમ મોનિટરીંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને વધુ સુદઢ બનાવવામાં આવશે . જે માટે રૂ.૧૮૮ કરોડની જોગવાઈ .
¤ શાળાની શૈક્ષણિક કામગીરી અને માળખાકીય સુવિધાઓના મૂલ્યાંકન માટે ગુજરાત સ્કૂલ કવોલિટિ એક્રેડીટશન કાઉન્સીલ માટે રૂ.૫ કરોડની જોગવાઇ .
¤ ધોરણ ૧ થી ૮ના આશરે ૪૩ લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના અને અન્ન સંગમ યોજના માટે રૂ.૯૮૦ કરોડની જોગવાઈ .
¤ સાત જિલ્લાઓની સરકારી પ્રાથમિક શાળાઓના ૪૦૪ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં કિચનશેડ બનાવવા રૂ.૧૦ કરોડની જોગવાઈ જેનાથી અંદાજે ૫૫ હજાર બાળકોને લાભ થશે .
¤ રાઈટ ટુ એજ્યુકેશન એકટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવતા અંદાજે ૪ લાખા ૨૨ હજાર વિદ્યાર્થીઓની ફી , યુનિફોર્મ , સ્કૂલ બેગ વગેરે માટે સહાય આપવા કુલ રૂ.૫૫૦ કરોડની જોગવાઇ .
¤ પ્રાથમિક શાળાના ૧૫ , ooo વર્ગખંડોમાં અંદાજિત ૬ લાખ બાળકોને ઉપયોગી થાય તેવા વર્ચ્યુઅલ કલાસરૂમ અને જ્ઞાનકુંજ સવલત ઊભી કરવારૂ.૧૨૫ કરોડની જોગવાઇ .
¤ રાજયના અંતરિયાળ વિસ્તારોમાં ૨૪૦ કસ્તુરબા ગાંધી વિદ્યાલય રેસીડેન્સીયલ હોસ્ટેલ કમ સ્કૂલોમાં અભ્યાસ કરતી ૨૨ , ૦૦૦ કન્યાઓ માટે વિના મૂલ્ય રહેવા તથા ભોજનની વ્યવસ્થા માટે રૂ.૮૫ કરોડની જોગવાઈ .
¤ ઘરથી સ્કૂલનું અંતર એક કિલોમીટરથી વધુ હોય તેવી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં ૧ , ૫૦ , ૦૦૦ કરતા વધુ બાળકોના પરિવહન માટે રૂ. ૬૬ કરોડની જોગવાઈ .
¤ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા આરે ૧ , ૨૨ , ૪૫o દિવ્યાંગ બાળકો માટે દશ્ય શ્રાવ્ય સાધનો પૂરાં પાડવા રૂ.૫૦ કરોડની જોગવાઈ .
¤ વ્યારા ખાતે રૂ ૧૪ કરોડના ખર્ચે નવું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બાંધવામાં આવશે . જેનાથી આદિજાતિ વિસ્તારના શિક્ષકો અને વિદ્યાર્થીઓને લાભ થશે તેમજ તાલીમ તથા શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે . જે માટે રૂ 4 કરોડની જોગવાઈ .
¤ ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ કોલેજમાં પ્રવેશ મેળવતા અંદાજે ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ યોજના અંતર્ગત ટેબલેટ આપવા રૂ.૨૦૦ કરોડની જોગવાઇ .
¤ ટેકનિકલ શિક્ષણ હસ્તકની સંસ્થાઓમાં બાંધકામ તેમજ મરામત માટે રૂ.૧પપ કરોડની જોગવાઇ .
¤ સરકારી યુનિવર્સિટીઓના નવા બાંધકામ તથા સરકારી કોલેજોના ભવનોના બાંધકામ માટે રૂ.૨૪૬ કરોડની જોગવાઈ .
¤ યુનિવર્સિટી ખાતે સંશોધન કરતાં વિદ્યાર્થીઓ માટે શોધ યોજના અંતર્ગત જોગવાઈ . ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી , લેકાવાડા , ગાંધીનગર ખાતે વિવિધ , બાંધકામ માટે રૂ.૭૫ કરોડની જોગવાઇ .
¤ટેકનિકલ શિક્ષણ હેઠળની સરકારી ઇજનેરી કોલેજો અને પોલિટેકનિકોમાં લેબોરે . સાધનો , પુસ્તકો , જરૂરી ભૌતિક સંશાધનો વસાવવા તેમજ બાંધકામ અને મરામત રૂ.૫૯ કરોડની જોગવાઇ .
¤ સ્ટડી ઇન ગુજરાત કાર્યક્રમ અંતર્ગત , રાજયની શૈક્ષણિક સંસ્થાઓનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વ્યાપ વધારવા રૂ.૧૦ કરોડની જોગવાઈ .
¤ કાછલ – મહુવા , ડેડીયાપાડા અને ખેરગામ ખાતે હયાત સરકારી કોલેજમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવા તેમજ નવી સાત ગ્રાન્ટ – ઇન – એઇડ વિજ્ઞાન પ્રવાહ કોલેજ શરુ કરવા માટે રૂ ૨ કરોડની જોગવાઇ .
¤ અમારી સરકાર વિદ્યાર્થીઓને અત્યાધુનિક શિક્ષણ આપવા માટે સદા અગ્રેસર રહી છે . એ દિશામાં આગળ વધતા ગુજરાત યુનિવર્સિટી ખાતે D . R . D . 0 સાથે MoU કરી સ્કૂલ ઓફ ડિફેન્સ સ્ટડીઝ શરૂ કરવા માટે રૂ.૭ કરોડની જોગવાઈ .
¤ આઇ . આઇ . ટી . રામ ખાતે D . R . D . Oના સહયોગથી ડિપાર્ટમેન્ટ ઑફ એડવાન્સ ડિફેન્સ ટેકનોલોજીનો અભ્યાસક્રમ શરૂ કરવા માટે રૂ.૧૨ કરોડની જોગવાઈ .
¤ ડિજિટલ એજયુકેશન ડેવલપમેન્ટ ફંડ અંતર્ગત કુલ ૨૨૧ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓમાં ડિજિટલ ટેકનોલોજિ અંગેની પ્રવૃત્તિઓ હાથ ધરવા રૂ.૩૦ કરોડની જોગવાઇ .
¤ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પૉલિસી અંતર્ગત અંદાજે ૧૪ લાખ વિદ્યાર્થીઓ માટે રૂ.૨૦ કરોડની જોગવાઈ .
¤ મુખ્યમંત્રી યુવા – સ્વાવલંબન યોજના અમે પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મેળવતા લાખો વિદ્યાર્થીઓ માટે સર્વગ્રાહી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલમાં મૂકી છે . આ યોજના હેઠળ જીલ જ્ઞાતિના ભેદભાવ વિના , વાલીની આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય પ્રાથમિક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પુસ્તકો તથા ગણવેશ વિનામૂલ્ય પૂરા પાડવામાં છે . ઉપરાંત , ટ્યુશન ફી , ભોજનાલય અને છાત્રાલય જેવી સુવિધાઓ માટે સહાય આપ આવે છે . જે માટે કુલ રૂ ૯૩૫ કરોડની જોગવાઈ .
*મત્સ્ય ઉદ્યોગ *
પરંપરાગત રીતે માછીમારી કરતાં નાના માછીમારોને એન્જિન ખરીદીમાં સહાય આપવાની નવી યોજનાની હું જાહેરાત કરું છું . આ યોજના અંતર્ગત દરિયાઈ ફીશીંગ બોટ , ૨ સ્ટ્રોક , ૪ સ્ટ્રોક આઇબીએમ અને ઓબીએમ એજીન ખરીદવા માટે યુનિટ કોસ્ટ રૂપિયા એક લાખ વીસ હજારના પ૦ ટકા સહાય આપવામાં આવશે . જે માટે રૂ. ૨૯ કરોડની જોગવાઇ .
¤માછીમારોની બોટના એન્જિનમાં વપરાતાં ડીઝલ પર વેટ વેચાણવેરા માફી યોજના અંતર્ગત રૂ.૨૦૦ કરોડની જોગવાઈ .
¤ માંગરોળ , નવાબંદર , વેરાવળ , માઢવાડ , પોરબંદર અને સુત્રાપાડા મત્સ્યબંદરોના વિકાસ અને હયાત મત્સ્યબંદરોના નિભાવ તેમજ સુવિધાઓ વિકસાવવા રૂ.૧૫૦ કરોડની જોગવાઇ .
¤ આંતરદેશીય અને દરિયાઇ મત્સ્યોદ્યોગને નફાકારક તેમજ સલામત બનાવવા માટે માછીમારોને આધુનિક સાધનો પૂરા પાડવા રૂ. ૨૮૭ કરોડની જોગવાઇ .
¤ માછીમારી વખતે આપત્તિના સમયમાં બચાવ થઇ શકે તે માટે બોટ પર સેફ્ટી સાધનો વસાવવા માટે સાધન સહાય આપવા રૂ. ૨ કરોડની જોગવાઈ .
*સહકાર*
આપણે જાણીએ છીએ કે ખેડૂતો ખેતપેદાશો વેચાણ માટે બજાર સમિતિઓમાં લાવે છે અને ત્યાં જ આ ઉત્પાદનોની હરાજી , તોલાઈ વગેરે થાય છે . જયારે કમોસમી વરસાદ , કરા પડે કે અન્ય કુદરતી આફત સમયે ખુલ્લામાં પડેલ આવી ખેતપેદાશોને મોટું નુકશાન થતું હોય છે . તેથી આવી ખેતપેદાશોના રક્ષણ માટે બજાર સમિતિઓને ૫૦૦૦ મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવશે . જે માટે જોગવાઇ રૂ. ૫૦ કરોડ .
¤ નબળી કે બંધ ખાંડ સહકારી મિલોના ખેડૂતોને રક્ષણ આપવા માટે આવી મિલો ફરી શરૂ કરવી જરૂરી છે . આથી આવી મિલો સાથે જોડાણ ફરતી સદ્ધર સુગર મિલને સહાય આપવા માટે રૂ.૨૫ કરોડની જોગવાઈ .
¤ ભારત સરકારની યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૮ – ૧૯ના શેરડી પેમેન્ટ માટે ખાંડ સહકારી મંડળીઓએ પાંચ વર્ષની અવધિ માટે મેળવેલ સોફટ લોનનું વ્યાજ ભારત સરક દ્વારા એક વર્ષ માટે ચુક્વવામાં આવનાર છે . રાજય સરકાર આ સોફટ લોન ભરવાપાત્ર થતા વ્યાજના ૭ % અથવા ખરેખર ચુકવવામાં આવનાર વ્યાજ આ બે જે ઓછું હોય તેટલી વ્યાજ સહાય વધુમાં વધુ ચાર વર્ષ સુધી આપશે . જે માટે કરોડની જોગવાઇ . નાપરો . જે માટે રૂ.૨૩ કરોડની જોગવાઇ..
બાગાયત*
¤ હજારો લારીવાળા ભાઇ બહેનો રોડની સાઇડમાં કે ખુલ્લી જગ્યામાં ઊભા રહી ફળફળાદી , શાકભાજી વગેરેનું વેચાણ કરે છે . મને જણાવતાં આનંદ થાય છે કે આ નાના વ્યવસાયકારોને ગરમી , ઠંડી અને વરસાદથી રક્ષણ આપવા માટે તથા તેમની લારીઓમાં રાખવામાં આવતાં ફળફળાદી , શાકભાજી બગડી ન જાચ તે માટે મોટી સાઇઝની છત્રીઓ આપવામાં આવશે . આવા અંદાજે ૬૫ હજાર છૂટક વેચાણકારો માટે ૨૮ કરોડની જોગવાઇ .
¤ ખેડૂતોના બાગાયતી પાકોનું કાપણી પછી થતું નુકસાન અટકાવવા અને મૂલ્યવર્ધન માટે પ્રાયોગિક ધોરણે બનાસકાંઠા , જામનગર , કચ્છ , નવસારી અને છોટાઉદેપુરમાં એફ . પી . ઓ . આધારિત માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે . જેને ઇ – નામાં સાથે સાંકળી બાગાયતી ઉત્પાદનોને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બજારો સુધી વિકસિત કરવા રૂ ૨૫ કરોડની જોગવાઈ .
¤ બાગાયતી પાકના મૂલ્ય વર્ધન માટે કૌશલ્ય વર્ધન અંગેની તાલીમ આપવા ૬ કરોડની જોગવાઈ . •
¤ જામનગર જિલ્લામાં નવું સેન્ટર ઓફ એકસલેન્સ ઊભું કરવા રૂ ૨ કરોડની જોગવાઇ .
¤ કૃષિ યુનિવર્સિટી • કૃષિ યુનિવર્સીિટીઓ માટે કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા કુલ ૭૫૦ કરોડની જોગવાઈ .
: *શિક્ષણ વિભાગ માટે કુલ રૂ.૩૧ , ૯પપ કરોડની જોગવાઇ*
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે કેળવણી એટલે બાળકના શરીર , મન અને આત્માના ઉત્તમાંશોનું આવિષ્કરણ , વર્ગખંડોમાં ઘડાઇ રહેલ ભારતના ભાવિને ઉજ્જવળ બનાવવા અમારી સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે . સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા સ્કૂલ ઑફ એકસલન્સ યોજનાની જાહેરાત કરૂ છું . જે અંતર્ગત ઉત્કૃષ્ટ શાળાઓ બનાવી શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરાશે .
¤ રાજયની શાળાઓ પૈકી પ૦૦ શાળાઓને સ્કુલ ઑફ એકસલન્સ તરીકે વિકસાવવામાં આવશે . તાલુકાના સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પસંદ કરી તેમને આ સ્કૂલમાં વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા ઉત્તમ શિક્ષણ આપવામાં આવશે . આવી શાળાઓમાં તમામ અદ્યતન માળાખાકીય સુવિધાઓ , સ્માર્ટ કલાસરૂમ , કોમ્યુટર લેબ , એમ તે અને રમતગમતની સુવિધાઓ પૂરી પાડવા માટે રૂ.૨૫૦ કરોડની જોગવાઇ .
¤ મને જણાવતા આનંદ થાય છે કે , આ વર્ષે પ્રાથમિક શાળાઓના નવા ૭ , ૦૦૦ વર્ગખંડોનું બાંધકામ હાથ ધરવામાં આવશે જે માટે રૂ.૬પ૦ કરોડની જોગવાઈ ,
¤ શાળાકીય શિક્ષણમાં ગુણવત્તા સુધારણા અને યોજનાઓના ઑનલાઇન રિયલ ટાઇમ મોનિટરીંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને વધુ સુદઢ બનાવવામાં આવશે . જે માટે રૂ.૧૮૮ કરોડની જોગવાઈ .
¤ શાળાની શૈક્ષણિક કામગીરી અને માળખાકીય સુવિધાઓના મૂલ્યાંકન માટે ગુજરાત સ્કૂલ કવોલિટિ એક્રેડીટશન કાઉન્સીલ માટે રૂ.૫ કરોડની જોગવાઇ .
¤ ધોરણ ૧ થી ૮ના આશરે ૪૩ લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના અને અન્ન સંગમ યોજના માટે રૂ.૯૮૦ કરોડની જોગવાઈ .
¤ સાત જિલ્લાઓની સરકારી પ્રાથમિક શાળાઓના ૪૦૪ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં કિચનશેડ બનાવવા રૂ.૧૦ કરોડની જોગવાઈ જેનાથી અંદાજે ૫૫ હજાર બાળકોને લાભ થશે .
¤ રાઈટ ટુ એજ્યુકેશન એકટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવતા અંદાજે ૪ લાખા ૨૨ હજાર વિદ્યાર્થીઓની ફી , યુનિફોર્મ , સ્કૂલ બેગ વગેરે માટે સહાય આપવા કુલ રૂ.૫૫૦ કરોડની જોગવાઇ .
¤ પ્રાથમિક શાળાના ૧૫ , ooo વર્ગખંડોમાં અંદાજિત ૬ લાખ બાળકોને ઉપયોગી થાય તેવા વર્ચ્યુઅલ કલાસરૂમ અને જ્ઞાનકુંજ સવલત ઊભી કરવારૂ.૧૨૫ કરોડની જોગવાઇ .
¤ રાજયના અંતરિયાળ વિસ્તારોમાં ૨૪૦ કસ્તુરબા ગાંધી વિદ્યાલય રેસીડેન્સીયલ હોસ્ટેલ કમ સ્કૂલોમાં અભ્યાસ કરતી ૨૨ , ૦૦૦ કન્યાઓ માટે વિના મૂલ્ય રહેવા તથા ભોજનની વ્યવસ્થા માટે રૂ.૮૫ કરોડની જોગવાઈ .
¤ ઘરથી સ્કૂલનું અંતર એક કિલોમીટરથી વધુ હોય તેવી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં ૧ , ૫૦ , ૦૦૦ કરતા વધુ બાળકોના પરિવહન માટે રૂ. ૬૬ કરોડની જોગવાઈ .
¤ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા આરે ૧ , ૨૨ , ૪૫o દિવ્યાંગ બાળકો માટે દશ્ય શ્રાવ્ય સાધનો પૂરાં પાડવા રૂ.૫૦ કરોડની જોગવાઈ .
¤ વ્યારા ખાતે રૂ ૧૪ કરોડના ખર્ચે નવું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બાંધવામાં આવશે . જેનાથી આદિજાતિ વિસ્તારના શિક્ષકો અને વિદ્યાર્થીઓને લાભ થશે તેમજ તાલીમ તથા શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે . જે માટે રૂ 4 કરોડની જોગવાઈ .
¤ ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ કોલેજમાં પ્રવેશ મેળવતા અંદાજે ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ યોજના અંતર્ગત ટેબલેટ આપવા રૂ.૨૦૦ કરોડની જોગવાઇ .
¤ ટેકનિકલ શિક્ષણ હસ્તકની સંસ્થાઓમાં બાંધકામ તેમજ મરામત માટે રૂ.૧પપ કરોડની જોગવાઇ .
¤ સરકારી યુનિવર્સિટીઓના નવા બાંધકામ તથા સરકારી કોલેજોના ભવનોના બાંધકામ માટે રૂ.૨૪૬ કરોડની જોગવાઈ .
¤ યુનિવર્સિટી ખાતે સંશોધન કરતાં વિદ્યાર્થીઓ માટે શોધ યોજના અંતર્ગત જોગવાઈ . ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી , લેકાવાડા , ગાંધીનગર ખાતે વિવિધ , બાંધકામ માટે રૂ.૭૫ કરોડની જોગવાઇ .
¤ટેકનિકલ શિક્ષણ હેઠળની સરકારી ઇજનેરી કોલેજો અને પોલિટેકનિકોમાં લેબોરે . સાધનો , પુસ્તકો , જરૂરી ભૌતિક સંશાધનો વસાવવા તેમજ બાંધકામ અને મરામત રૂ.૫૯ કરોડની જોગવાઇ .
¤ સ્ટડી ઇન ગુજરાત કાર્યક્રમ અંતર્ગત , રાજયની શૈક્ષણિક સંસ્થાઓનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વ્યાપ વધારવા રૂ.૧૦ કરોડની જોગવાઈ .
¤ કાછલ – મહુવા , ડેડીયાપાડા અને ખેરગામ ખાતે હયાત સરકારી કોલેજમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવા તેમજ નવી સાત ગ્રાન્ટ – ઇન – એઇડ વિજ્ઞાન પ્રવાહ કોલેજ શરુ કરવા માટે રૂ ૨ કરોડની જોગવાઇ .
¤ અમારી સરકાર વિદ્યાર્થીઓને અત્યાધુનિક શિક્ષણ આપવા માટે સદા અગ્રેસર રહી છે . એ દિશામાં આગળ વધતા ગુજરાત યુનિવર્સિટી ખાતે D . R . D . 0 સાથે MoU કરી સ્કૂલ ઓફ ડિફેન્સ સ્ટડીઝ શરૂ કરવા માટે રૂ.૭ કરોડની જોગવાઈ .
¤ આઇ . આઇ . ટી . રામ ખાતે D . R . D . Oના સહયોગથી ડિપાર્ટમેન્ટ ઑફ એડવાન્સ ડિફેન્સ ટેકનોલોજીનો અભ્યાસક્રમ શરૂ કરવા માટે રૂ.૧૨ કરોડની જોગવાઈ .
¤ ડિજિટલ એજયુકેશન ડેવલપમેન્ટ ફંડ અંતર્ગત કુલ ૨૨૧ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓમાં ડિજિટલ ટેકનોલોજિ અંગેની પ્રવૃત્તિઓ હાથ ધરવા રૂ.૩૦ કરોડની જોગવાઇ .
¤ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પૉલિસી અંતર્ગત અંદાજે ૧૪ લાખ વિદ્યાર્થીઓ માટે રૂ.૨૦ કરોડની જોગવાઈ .
¤ મુખ્યમંત્રી યુવા – સ્વાવલંબન યોજના અમે પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મેળવતા લાખો વિદ્યાર્થીઓ માટે સર્વગ્રાહી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલમાં મૂકી છે . આ યોજના હેઠળ જીલ જ્ઞાતિના ભેદભાવ વિના , વાલીની આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય પ્રાથમિક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પુસ્તકો તથા ગણવેશ વિનામૂલ્ય પૂરા પાડવામાં છે . ઉપરાંત , ટ્યુશન ફી , ભોજનાલય અને છાત્રાલય જેવી સુવિધાઓ માટે સહાય આપ આવે છે . જે માટે કુલ રૂ ૯૩૫ કરોડની જોગવાઈ .
જળ વિભાગની વિવિધ કામગીરી માટે ૨૭૨૨૦ કરોડની જોગવાઇ*
સૌરાષ્ટ્ર વિસ્તાર માટે આશીર્વાદ સાબિત થયેલ સૌની યોજનાના પ્રથમ અને બીજા તબક્કાની અત્યાર સુધી પૂર્ણ થયેલ કામગીરીથી ૩૨ જળાશયો , ૪૮ તળાવો અને ૧૮૧ કરતાં વધુ ચેકડેમોમાં નર્મદાના પાણી ભરવામાં આવેલ છે . સૌની યોજનાનાં ત્રીજા તબક્કાના ૨૪૦૩ કરોડનાં પાંચ પેકેજના કામો પ્રગતિ હેઠળ છે . સૌની યોજના માટે રૂ ૧૭૧૦ કરોડની જોગવાઇ .
¤ ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા તેમજ ભૂગર્ભ જળ વ્યવસ્થાપનને ઉત્તેજન આપવા ભારત સરકારના સહયોગથી અટલ ભુજલ યોજના અમલમાં આવેલ છે . આ યોજના હેઠળ ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લાના ૨૪ તાલુકાઓને પાંચ વર્ષના સમયગાળા માટે રૂ.૭૫૭ કરોડ ફાળવવાનું આયોજન કરેલ છે .
¤ ચેકડેમ , મતળાવો નવા બનાવવા અને ઊંડા કરવા જેવા જળસંચય યોજનાઓના કામો માટે રૂ.૩૬૬ કરોડની જોગવાઇ .
¤ બનાસકાંઠા જિલ્લામાં થરાદથી સીપ ડેમ સધી પાઈપલાઈન નાખવાથી થરાદ , લાખણી , ડીસા અને દાંતીવાડા તાલુકાના આશરે ૬૦૦૦ હેક્ટર વિસ્તારને લાભ થશે . જેના માટે રૂ.૨૨૫ કરોડની જોગવાઈ .
¤ કચ્છમાં નર્મદાના પૂરના વધારાના પાણી દ્વારા સિંચાઈ સુવિધાઓ વધારવાનું આયોજન છે . આ યોજનાથી પ૭ , ૮૫૦ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ થશે . જેના માટે રૂ.૧૦૦ કરોડની જોગવાઇ .
¤ સાબરમતી નદી પર ૨૨૦૦ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહેલ હિરપુરા અને વિલાસણા બેરેજ માટે રૂ.૬૦ કરોડની જોગવાઇ .
¤ પીયજથી ધરોઇ , ધાધૂંસણથી રેડGIક્ષ્મીપુરા અને ખેરવા – વિસનગર યોજનાના કામો પૂર્ણતાના આરે છે . જેના માટે રૂ.૫૫ કરોડની જોગવાઇ .
*આદિજાતિ વિસ્તાર માટે કુલ જોગવાઈ રૂ.૧૧૪૨ કરોડ*
¤ ઉકાઈ જળાશય આધારિત રૂ.૯૬૨ કરોડની સોનગઢ – ઉચ્છલ – નિઝર ઉદ્વહન સિંચાઈ યોજના માટે રૂ.૨૫૦ કરોડની જોગવાઇ .
¤ કડાણા જળાશય આધારિત કડાણા – દાહોદ પાઇપ લાઇનનું કામ મહદ્અંશે પૂર્ણ થયેલા છે . આ પાઇપલાઇન આધારિત વધારાન ૭૪ તળાવો અને ૧૨ નદી – કાંસમાં પાણી આપવા માટે રૂ.૨૨૩ કરોડના ખર્ચનું આયોજન છે . જે માટે રૂ.૧૦૩ કરોડની જોગવાઇ
¤ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં , તાપી – કરજણ લીંક પાઇપલાઇન ઉદ્વહન સિંચાઈ યોજના માટે રૂ.૯૨ કરોડની જોગવાઇ . ,
¤ પાનમ જળાશય આધારિત યોજનાઓ રૂ.૨૪૯ કરોડના ખર્ચે ફરવાનું આયોજન છે . જે માટે રૂ.૭૩ કરોડની જોગવાઈ .
¤ દક્ષિણ ગુજરાતમાં રૂ.૫૧૧ કરોડની સુરત જિલ્લાની કાકરાપાર – ગોરધા – વડ ઉદ્વહન સિંચાઈ યોજના માટે ૭૦ કરોડની જોગવાઈ .
¤ રૂ.૨૧૫ કરોડની પાનમ ઉચ્ચ સ્તરીય કેનાલ આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના માટે રૂ.૫૭ કરોડની જોગવાઈ .
¤ કરજણ જળાશય આધારિત રૂ.૪૧૮ કરોડ ખર્ચે પાઇપ લાઈન નાખવાની કામગીરી માટે ૨૮ કરોડની જોગવાઇ .
¤ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની વાઘરેજ રીચાર્જ યોજના માટે રૂ.૨૫ કરોડની જોગવાઈ .
*ભાડભૂત બેરેજ*
જમીનની ખારાશ અટકાવવા તથા ભૂગર્ભજળની ગુણવત્તા સુધારવા માટે ભાડભુત રજની કામગીરી શરૂ કરવા તથા કલ્પસર યજનો અંતર્ગત અભ્યાસ પૂર્ણ કરવા માટે કુલ રૂ.૪૦૦ કરોડની જોગવાઈ .
*સૂક્ષ્મ સિંચાઈ*
ખેડૂતોની પ્રગતિશીલ વિચારસરણી અને સરકારના પ્રયત્નોથી અત્યાર સુધીમાં કુલ ૧૮ . ૭૪ લાખ હેકટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ યોજના અમલી કરી શકાઇ છે . રાજયના અંદાજિત ૧૧ . ૫૧ લાખ ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવીને પાણીના કરકસરયુકત ઉપયોગ દ્વારા ગુણવત્તાયુકત વધુ ઉત્પાદન મેળવેલ છે . આ યોજના માટે રૂ.૭૫૦ કરોડની જોગવાઈ .
¤ રાજયમાં માઇક્રો ઇરીગેશન સિસ્ટમનો વ્યાપ વધારવા માટે અને સિંચાઇનાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે જે ખેડૂત જૂથો હયાત કેનાલનાં માળખામાંથી પાણી મેળવી , માઇક્રો ઇરીગેશન સિસ્ટમ મારફતે સિંચાઇ કરશે તે ખેડૂત જૂથોને પ્રવર્તમાન પીયાવાના દરમાં ૫૦ ટકા રાહત આપવામાં આવશે .
*નર્મદા યોજના*
ગુજરાતની સમૃદ્ધિમાં અમૂલ્ય યોગદાન આપનાર નર્મદા યોજનાથી થયેલ વિવિધ લાભો અંગે આપણે સૌ માહિતગાર છીએ જ . આ યોજનાનો પૂર્ણ લાભ લેવા અને જરૂરી કામોને પૂર્ણ કરવા રૂ.૮૭૫૫ કરોડનું આયોજન છે . જેના અંતર્ગત મુખ્ય બંધના આનુષંગિક કામો , પુન : વસન તથા પર્યાવરણીય કામગીરી , ગરુડેશ્વર વિયર , ગોરા બ્રિજના બાંધકામ , પાવર હાઉસોની જાળવણી , કેનાલ ઓટોમેશનની કામગીરી , પ્રપ્રશાખા નહેરો સુધીના કામો તેમજ જમીન સંપાદન જેવા કામો કરવામાં આવશે .
¤ નર્મદા બંધ પરથી ચોમાસા દરમિયાન ઉપલબ્ધ થનાર વધારાના પાણી પૈકી , કચ્છને ૧ મિલીયન એકર ફીટ પાણી પહોંચાડવાનું આયોજન છે . જે માટે કચ્છ શાખા નહેરની બાકીના કામો પૂર્ણ કરવા , દુધઇ પેટા શાખાના કામો અને તેની વિતરણ નહેરોના કામો હાથ ધરવા રૂ.૧૦૮૪ કરોડની જોગવાઇ .
¤ નર્મદા યોજનાના નહેર માળખાની મિયાગામ , વડોદરા , સૌરાષ્ટ્ર અને કચ્છ શાખા ના ઉપર કુલ ૧૮ સ્થળોએ નાના વીજ મથકો બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ પૈકી ૮ વીજ મથક કાર્યરત થયેલ છે . બધા જ વીજ મથકો કાર્યરત થતાં કુલ બા ઉત્પાદન આશરે ૮૬ મેગાવોટ થશે . જે માટે રૂ.૯૦ કરોડની જોગવાઇ .
પાણીી પુરવઠા પ્રભાગ માટે કુલ રૂ.૪૩૧૭ કરોડની જોગવાઈ*
હર ઘર જલ
¤ અમારી સરકારે શુદ્ધ અને પર્યાપ્ત પીવાનું પાણી પૂરું પાડવા રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડ દ્વારા ૧૩ , ૩૦૦ થી વધુ ગામો અને ૨૦૩ શહેરી વિસ્તારો જોડવાની કામગીરી પૂર્ણ કરેલ છે . ગ્રામીણ વિસ્તારોમાં ૭૮ ટકા ઘરોમાં નળ જોડાણની સિદ્ધિ હાંસલ કરેલ છે . જલ જીવન મિશન અંતર્ગત હર ઘર જલ ના સૂત્ર સાથે વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજયના બકી રહેતા ૧૭ લાખ ઘરોમાં નળ જોડાણ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવાનું આયોજન કરેલ છે , જે માટે રૂ.૭૨૪ કરોડની જોગવાઈ . .
¤ આગામી ત્રણ વર્ષમાં ભૂગર્ભ જળ આધારિત વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાના ગામોને પાણીના સરફેસ સોર્સ આધારિત જૂથ પાણી પુરવઠા યોજનાના ભાગ તરીકે આવરી લેવાનું આયોજન કરેલ છે .
¤ સ્વતંત્ર પાણી પુરવઠા યોજનાવાળા ગામોને જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ આવરી લેવા આગામી ત્રણ વર્ષ માટે રૂ ૯૩૦૦ કરોડનું આયોજન કરેલ છે , જેના થકી ૪૬૩૫ ગામોની સવા કરોડ વસ્તીને લાભ થશે . જેનો લાભ ૨૨૦૦ ગામોના ૫૦ લાખ આદિવાસી નાગરિકોને પણ મળશે .
¤ નલ સે જલ અભિયાન અંતર્ગત ઘરે ઘરે પાણી પહોચાડવા ફળિયાઓને મુખ્ય ગામના સમ્પથી જોડવાનું , ફળિયા તેમજ ગામ ખાતે જરૂરિયાત મુજબની સંગ્રહ ક્ષમતા ઊભી કરવા આગામી બે વર્ષમાં રૂ ૧૦૦૦ કરોડના કામો હાથ ધરવામાં આવશે . જેના થકી આશરે ૮૦૦૦ ફળિયાઓ મુખ્ય ગામોથી જોડાશે .
¤ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પાણીની ભવિષ્યની જરૂરિયાતને પહોંચી નાવડા – બોટાદ – ગઢડા – ચાવંડ , બુઘેલ – બોરડા , ચાવંડ – ધરાઈ – ભે અને ચાવંડ – લાઠી બલ્ક પાઇપલાઇનના કુલ રૂ.૧૪૦૦ કરોડના કામો શરૂ કરવામાં આવશે . જે માટે રૂ.૫૦૦ કરોડની જોગવાઇ . •
¤ આદિજાતિ વિસ્તારના મહીસાગર , અરવલ્લી , તાપી , પંચમહાલ , દાહોદ તથા નર્મદા જિલ્લાની કુલ ૨૨ લાખ વસ્તીને સમાવેશ કરતી રૂ.૧૭૦૦ કરોડની , ૮ જૂથ પાણી પુરવઠા યોજનાઓ પૂર્ણતાના આરે છે . આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ પાણી પુરવઠાના કામો માટે રૂ.૮૫૦ કરોડની જોગવાઇ .
¤ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના છેવાડાના ગામોમાં જળસલામતી પ્રદાન કરવા માટે કચ્છના માંડવી , દ્વારકા , ગીર સોમનાથ , ઘોઘા અને તેની આજુબાજુના વિસ્તારમાં ૨૭ કરોડ લીટર ક્ષમતાના ડીસેલીનેશન પ્લાન્ટ સ્થાપવાની કામગીરી હાથ ધરાયેલ છે . આગામી બે વર્ષ દરમિયાન આ પ્લાન્ટના કેપિટલ ફાળા તરીકે રૂ.૧૦૮૦ કરોડની ફાળવણી કરવામાં આવશે .
¤ રિયૂઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર નીતિ અંતર્ગત વડોદરા , જામનગર , ગાંધીનગર અને ભાવનગર ખાતે ગંદા પાણીને ટ્રીટ કરી તેના પુન : ઉપયોગના પ્રોજેકટ પ્રગતિમાં છે . રાજ્યના અન્ય શહેરોમાં આ યોજનાનો વ્યાપ વધારવા રૂ.૧૦૦ કરોડની જોગવાઈ .
¤ ગાંધીનગર શહેરમાં ૨૪ કલાક પાણી વિતરણ કરવા રૂ.240 કરોડની યોજનાનું આયોજન છે .
*સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે કુલ ૨૪૩૨૧ કરોડની જોગવાઇ*
રાજ્યમાં વસતા તમામ વર્ગોનો સર્વાગી વિકાસ અમારી પ્રાથમિકતા છે . સમાજના તમામ નાગરિકોને વિકાસની તકો પ્રાપ્ત થાય તે માટે અમારી સરકારે અનેક પ્રજાલક્ષી યોજનાના લાભો તેમના સુધી પહોંચતા કર્યા છે .
¤ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિકસતી જાતિના અને અનુસૂચિત જાતિના અંદાજે ૩૮ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય તથા ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ કરતા અંદાજે સાત લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂ.૫૭૫ કરોડની જોગવાઇ .
¤અનુસૂચિત જાતિના ખાનગી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધોરણ ૧ થી ૮ ના કુમારો અને ધોરણ ૧ થી ૫ ની કન્યાઓને રૂ.૫૦૦ તથા ધોરણ ૬ થી ૮ ની કન્યાઓને રૂ.૭૫૦ શિષ્યવૃતિ માટે તેમજ આ તમામ વિદ્યાર્થીઓને રૂ.૬૦૦ ગણવેશ સહાય આપવાની શરૂઆત કરવામાં આવશે . જે માટે રૂ.૧૩ કરોડની જોગવાઇ .
¤ અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના છાત્રાલયમાં રહેતા વિધાર્થીઓને ભોજન બિલ પેટે માસિક રૂ.૧૨૦૦ સહાય આપવામાં આવે છે . તે વધારી હવે રૂ.૧૫૦૦ આપવામાં આવશે . જે માટે રૂ ૨૧ કરોડની જોગવાઇ
¤ આદર્શ નિવાસી શાળાના અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને બુટ મોજા પેટે આપવામાં આવતી સહાય રૂ.૨૦૦માં વધારો કરી હવે રૂ.૪૦૦ આપવામાં આવશે .
¤ ધોરણ ૯માં અભ્યાસ કરતી વિકસતી જાતિની અંદાજે ૧ . ૬૦ લાખ કન્યાઓ અને અનુસૂચિત જાતિની ૨૨ , ૫૦૦ કન્યાઓને વિના મૂલ્ય સાયકલ આપવા રૂ.૮૦ કરોડની જોગવાઇ .
¤ સમૂહ લગ્નોને પ્રોત્સાહન મળે તે માટે સાત ફેરા સમૂહ લગ્ન યોજના અમલમાં છે . આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ તથા વિકસતી જાતિની સંસ્થાઓને ૨૫ યુગલની મર્યાદામાં યુગલદીઠ રૂ ૨૦૦૦ તથા યુગલોને રૂ.૧૦ , ૦૦૦ આપવામાં આવે છે . તેના બદલે હવે સંસ્થાઓને યુગલદીઠ રૂ.૩૦૦૦ તથા યુગલોને રૂ.૧૨ , ૦૦૦ સહાય આપવામાં આવશે . જે માટે કુલ રૂ.૯ કરોડની જોગવાઇ .
¤ ડૉ . સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અંતર્ગત ૧૦૦૦ યુગલોને સહાય આપવા માટે રૂ.૧૦ કરોડની જોગવાઇ .
¤ પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ અંતર્ગત વિકસતી જાતિના ૧૬ , ૮૩૦ લાભાર્થીઓને તથા આંબેડકર આવાસ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના ૨૯૦૦ લાભાર્થીઓને મકાન બાંધવા પ્રતિ લાભાર્થી રૂ ૧ .૨૦ લાખ સુધીની સહાય આપવા રૂ.૧૪૨ કરોડની જોગવાઇ .
¤ અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિકાસ માટે કાર્યરત કુલ ૮ નિગમોને રાજય સરકારના ફંડમાંથી સીધા ધિરાણ માટે લોન આપવા માટે રૂ.૧૦૦ કરોડની જોગવાઇ . •
¤ બોટાદ ખાતે ડૉ . આંબેડકર ભવન બાંધવા રૂ.૨ કરોડની જોગવાઈ .
¤ લઘુમતી સમુદાયના વિકાસ માટે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ , આરોગ્ય અને કૌશલ્ય વિકાસ માટે લઘુમતી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ ઊભી કરવા રૂ ૫૦ કરોડની જોગવાઇ .
*સમાજ સુરક્ષા*
¤ રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ આઠ લાખ લાભાર્થીઓ માટે કુલ રૂ.૭૫૩ કરોડની જોગવાઇ .
¤ વૃદ્ધાશ્રમોની નિભાવ ગ્રાન્ટ માસિક રૂ.૧૫૦૦થી વધારી રૂ.૨૧૬૦ કરવામાં આવશે .
¤ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત અત્યારે માસિક રૂ.૭૫૦ની સહાય આપવામાં આવે છે . જેમાં હવે ૭૫ વર્ષ કે તેથી વધુ વયના નિરાધાર વૃદ્ધોને માસિક રૂ.૧૦૦૦ પેન્શન આપવામાં આવશે . જે માટે કુલ રૂ.૧૧૭ કરોડની જોગવાઇ .
¤ હાલમાં ૮૦ ટકા કે તેથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યકિતઓને માસિક રૂ.૬૦૦ સહાય આપવામાં આવે છે . જેમાં વધારો કરી રૂ.૧૦૦૦ની સહાય આપવામાં આવશે .
¤• પાલક માતા – પિતા યોજના અંતર્ગત ૧૮૨૦૦ લાભાર્થીઓ માટે રૂ.૫૦ કરોડની જોગવાઇ .
¤ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત પરિવારના મુખ્ય વ્યકિતનું કુદરતી કે આકપ્રિલ અવસાન થાય તેવા સંજોગોમાં ૨૦ , ૦૦૦ સહાય આપવામાં આવે છે . જેના માટે રૂ.20 કરોડની જોગવાઇ .
દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિને સ્વરોજગારી માટેના સાધનો માટે રૂ.૨૦ , ૦૦૦ની મર્યાદામાં સહાય આપવા રૂ.૧૪ કરોડની જોગવાઇ .
¤ જૂનાગઢ ખાતે છોકરાઓ માટે અને રાજકોટ ખાતે છોકરાઓ તથા છોકરીઓ માટે ચિલ્ડ્રન હોમ્સના નવા મકાન બાંધકામ માટે રૂ.૬ કરોડની જોગવાઈ .
¤ ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા અમલમાં મૂકાયેલા શૈક્ષણિક અને રોજગારલક્ષી યોજનાઓ માટે રૂ.૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે . ૦ આ નિગમ દ્વારા હાલમાં છાત્રાલયમાં રહેતા જે વિધાર્થીઓને ભોજન બિલ પેટે માસિક રૂ.૧૨૦૦ સહાય આપવામાં આવે છે તે વધારી હવે રૂ.૧પ૦૦ આપવામાં આવશે .
*આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂ.૨૬૭૫ કરોડની જોગવાઈ*
¤અમારી સરકાર આદિજાતિના સર્વાગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે . સને ર૦૦૭થી શરૂ કરવામાં આવેલ વનબંધુ કલ્યાણ યોજનાથી આદિજાતિ વિસ્તારના લોકોના જીવનમાં નોંધપાત્ર સુધારો થયેલ છે . આ યોજના હેઠળ રૂ.૧૪ ,૧૦૬ કરોડની જોગવાઈ
¤ ૭૬૫ જેટલી આશ્રમશાળાઓ , આદર્શ નિવાસી શાળાઓ અને એકલવ્ય શાળાઓના અંદાજિત ૧ , ૩૫ ,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને રહેવા , જમવા અને અભ્યાસની સુવિધાઓ આપવો રૂ.૩૭૪ કરોડની જોગવાઈ .
¤ બે લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે રૂ.૩૭૯ કરોડની જોગવાઈ . . •
¤ અનુદાનિત છાત્રાલયો તથા આશ્રમ શાળાઓમાં છાત્ર દીઠ માસિક રૂ.૧૫૦૦ નિભાવ ગ્રાન્ટ આપવામાં આવે છે , જેમાં વધારો કરી હવે રૂ.૨૧૬૦ આપવામાં આવશે . જે માટે કુલ રૂ.૩૩૭ કરોડની જોગવાઇ .
¤ અનુસૂચિત જનજાતિના છાત્રાલયમાં રહેતા જે વિધાર્થીઓને ભોજન બિલ પેટે માસિક રૂ.૧૨૦૦ સહાય આપવામાં આવે છે તે વધારી હવે રૂ.૧૫૦૦ આપવામાં આવશે . જે માટે રૂ.૩૦ કરોડની જોગવાઈ .
¤ પ્રિ . એસ . એસ . સી . ના કુલ ૧૫ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે રૂ.૧૪૩ કરોડની જોગવાઈ .
¤ ૧૦૪૬ સરકારી કુમાર – કન્યા છાત્રાલયો અને ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયોના કુલ ૬૪ , ૦૩૭ વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની સુવિધા આપવા રૂ.૧૦૩ કરોડની જોગવાઈ
¤ ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતાં ૧૨ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય આપવા રૂ.૭પ કરોડની જોગવાઈ .
¤ સરકારી કુમાર છાત્રાલય અમદાવાદ , સુરત , વલસાડ , મહુવા , છોટાઉદેપુર , ડભોઇ અને ધરમપુર તથા સરકારી કન્યા છાત્રાલય સુરત , માંડવી , ધરમપુર , વડોદરા અને વાંકલના મકાનોના બાંધકામ અને મરામત માટે રૂ.૪૧ કરોડની જોગવાઈ .
¤ આદિજાતિ વિસ્તારમાં ટ્રસ્ટ સંચાલિત આશ્રમશાળાઓના મકાન મરામત માટે સહાય આપવા રૂ.૫૦ કરોડની જોગવાઇ .
¤ ૮૯ આશ્રમશાળાઓ અને ઉત્તર બુનિયાદી શાળાઓમાં ધોરણ ૯ , ૧૦ , ૧૧ અને ૧૨ના વર્ગોના ક્રમિક વિકાસ માટે રૂ.૯ કરોડની જોગવાઈ .
¤ કડાણા , નિઝર , સોનગઢ , બોડેલી , ગરબાડા અને વિજયનગર ખાતે કુમારો માટે તેમજ કડાણા , ભિલાડ , મોડાસા અને માણેકપોર ખાતે કન્યાઓ માટે નવા સરકારી છાત્રાલયો . શરૂ કરવા માટે રૂ.૩ કરોડની જોગવાઈ .
¤ ધોરણ ૯માં અભ્યાસ કરતી અંદાજે ૫૦ , ૦૦૦ વિદ્યાર્થીનીઓને વિદ્યાસાધના યોજના હેઠળ સાયકલ આપવા રૂ.૧૯ કરોડની જોગવાઈ .
¤ અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના અંતર્ગત રૂ.૨૨ કરોડની જોગવાઇ જે થકી અંદાજે ૩૭૫૦ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને લાભ મળશે .
¤ રાજપીપળા મુકામે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે રૂ.૨૦ કરોડની જોગવાઈ .
¤ ટેલેન્ટ પુલ યોજના અંતર્ગત અંદાજે ૧૩૦૦ જેટલાં તેજસ્વી વિદ્યાર્થીઓને સહાય આપવા રૂ.૧૧ કરોડની જોગવાઈ .
¤ ટી . બી . , કેન્સર , રકતપિત્ત અને સીકલસેલ એનિમિયા જેવા રોગો માટે મફત તબીબી સહાય યોજના હેઠળ રૂ.૧૦ કરોડની જોગવાઈ .
¤ હળપતિઓ અને આદિમજૂથોને છ પાયાની સુવિધા પૂરી પાડવા તથા સી . સી . ડી . પ્રોજેકટ હેઠળ રૂ.૬૩ કરોડની જોગવાઈ
¤માનવ ગરિમા યોજના હેઠળ અંદાજે ૧૨ , ૦૦૦ જેટલા લાભાર્થીઓને સ્વરોજગારીનો લાભ આપવા રૂ.૧૫ કરોડની જોગવાઈ .
¤ રાજયના પૂર્વપટ્ટી વિસ્તારના અન્ય રાજયો સાથે સંકળાયેલ આદિવાસી ગામોના લોકોને પાયાની સુવિધા પૂરી પાડવા માટે રૂ.૬૦ કરોડની જોગવાઇ .
¤ આદિજાતિ ખેડૂતોની આવકમાં વધારો થાય અને જીવન ધોરણ ઊંચું આવે તે માટે દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તારમાં વાડી પ્રોજેકટ અંતગર્ત ફળાઉ ઝાડના રોપાઓ અને ખાતર પૂરાં પાડવામાં આવે છે . હવે આદિજાતિના તમામ જિલ્લાઓમાં આ સફળ યોજનાનો વ્યાપ વધારવા કુલ રૂ.૧૧ કરોડની જોગવાઈ .
¤ આદિજાતિ લોકોને બેન્ક મારફતે સ્વરોજગારી યોજના હેઠળ ધંધા રોજગારના હેતુઓ માટે લીધેલ લોન ઉપર છ ટકાના દરે વ્યાજ સહાય આપવા માટે રૂ.૨ કરોડની જોગવાઈ •
¤ આદિજાતિ લાભાર્થીઓને મધમાખી ઉછેર માટે પ્રોત્સાહન આપવા મધ કલેકશન અને પ્રોસેસીંગ સેન્ટરની સ્થાપના માટે સહાય આપવા રૂ.૧ કરોડની જોગવાઈ.