દિલ્હીમાં વિદેશ મંત્રાલયે અમદાવાદમાં ટ્રમ્પના કાર્યક્રમની યજમાનીમાંથી હાથ અદ્ધર કર્યા ને છેલ્લી ઘડીએ કહ્યું કે આ તો ખાનગી કાર્યક્રમ છે
આખા અમદાવાદમાં ‘ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ’નું નથી કોઈ સરનામું કે નથી કોઈ વેબસાઈટ, સત્તાવાળાઓનું ભેદી મૌન…!!
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ વિશે દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે નવો ધડાકો કર્યો છે કે, મોટેરા સ્ટેડિયમનો કાર્યક્રમ ‘ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ’ નામની કોઈ સંસ્થા યોજી રહી છે.
હવે આ ‘ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ’ કોણ છે, તેના સભ્યોમાં કોનો સમાવેશ થાય છે અને આ કાર્યક્રમ પાછળ થનારા આશરે રૂ. 100 કરોડથી પણ વધુનો ખર્ચ કોણ ભોગવશે તે બાબતે ઘેરું રહસ્ય પ્રવર્તી રહ્યું છે.
ગુજરાત ના નરેન્દ્ર દામોદરદાસ મોદી નામના વ્યક્તિ છેલ્લા ૨૪ વરસ થી ગુજરાત ની જનતા ને એક પછી એક આર્થિક મોટા ઝટકા આપી રહ્યા છે..પોતાની અહમ ભરી રાજકીય જીવન શૈલી થી સત્તા નો બેફામ દૂર ઉપયોગ કરી અત્યાર સુધી મોટાભાગ ના નામચીન રાષ્ટ્ર ના રાજકીય મોટા વ્યક્તિઓ ને પોતાનો ઇતિહાસ બનાવવા વાયબ્રન્ટ ને નામે મોટા તાયફા કરી અઢી લાખ કરોડ ના દેવામાં સરકાર ને મૂકી મેનેજર રૂપી મુખ્યમંત્રી દ્વારા સરમુખત્યાર શાહી જેવું એક હતથી રાજ ગુજરાત માં ચલાવી રહ્યા છે. ગુજરાત ની જનતા ને આંખો માં ધૂળ નાખી છેલ્લે સુધી કોઈ જ ચોખવટ કર્યા વિના અત્યારે છેલ્લે ધડાકો વિદેશ મંત્રાલયે કર્યો કે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ નાગરિક અભિનંદન સમિતિ યોજી રહી છે. તો પછી સરકારી તમામ મશીનરી નો દૂર ઉપયોગ શા માટે કરવામાં આવે..આં વી આયોજક સમિતિ રાતો રાત કેવી રીતે બની ગઈ.તેના રચૈતા કોણ છે..એકાએક અમિત શાહ નો કાર્યક્રમ રદ થયો..અમેરિકી મહાસત્તા ના પ્રમુખ ને ભારત ના મહેમાન બનાવી બોલાવ્યા બાદ વિદેશ મંત્રાલય એકાએક કોના કહેવાથી આં કાર્યક્રમ ને પ્રાઇવેટ બતાવ્યો. જો પ્રાઇવેટ હોય તો પ્રધાન મંત્રી એ કોની મંજૂરી લીધી..રાજકીય કોઈ પૂર્વ સરકારના તેમજ સલાહકાર મંડળ કે ગુજરાત ના રાજકીય પક્ષો ને પણ વિશ્વાસ માં શા માટે લેવામાં આવ્યા નથી..રાજકીય કાર્યક્રમ ની જેમ ગુજરાત ના નવ થી ૧૦ જીલ્લા માંથી તલાટીઓ ને ધંધે લગાડી હજારો લોકો ને લાવા લઈ જવા .જમાડવા નો આટલો બધો માતબર રકમ નોંખરચ મોદીજી શા માટે પોતાના ઇતિહાસ રચવા ગુજરાત ની સરકાર ને દેવાદાર બનાવી રહ્યા છે .જાપાન ના એબે આવ્યા તો કરોડો ની બુલેટ ટ્રેન નો ઓર્ડર લઈ ને ગયા. ટ્રમ્પ આવશે અને પોતાની ચૂંટણી નો પ્રચાર સરકાર ના ખભે કરી ને જશે…. અમદાવાદ ને ત્રણ કલાક માટે અમુક જ વિસ્તાર ઝાકમઝોળ શા માટે બનાવી લોકો માં પોતાની આબરૂ ના ધજાગરા મોદી ઉડાડી રહ્યા છે. .મીડિયા કે વિરોધપક્ષ ને કોઈ જ પ્રશ્નો ના જવાબ મોદી ક્યારેય આપતા નથી અને પાછળથી દુભાષિયા દ્વારા બાલિશ જવાબો આપી પ્રજાને ભૂલવાળી દેવાય છે…. મોદીજી ને જો હવે આવા સરમુખત્યાર શાહી તાયફા કરતા જો રોકવામાં નહીં આવે તો ગુજરાત ને મોદીજી પોતાના અહમ ખાતર પાયમાલ કરી નાખશે..તેમનો જો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે તો ખબર પડે કે તેઓ જ્યારે સત્તામાં આવ્યા ત્યારે અનેક ભાજપ ના પાયેદાર કાર્યકરો.સિનિયર ની હકાલ પટ્ટી કરી અને દાઝ ઉતરી હતી…હજુ પણ મોદીજી કોઈ રાજકીય દાઝ વાળવા આવા તાયફા કરતા નથી ને?…ગુજરાત ના અનેક ભેજાબાજ એન.જી.ઓ વાળા ,વિરોધ પક્ષ વાળા તેમજ નામી અનામી ગુજરાત ના શુભેચ્છકો આવા મોદીજી ના રાજકીય ખેલો થી ત્રસ્ત હોવા છતાં ખુલી મે બહાર આવી વિરોધ કરી શકતા નથી..કહ્યાગરા અધિકારીઓ.રાજકીય દલાલો અને ગોદી મીડિયા પ્રચારકો ના સહારે છેલ્લા ૨૪ વરસ થી ગુજરાત માં ભગવું શાશન ચાલી રહ્યું છે. ….નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ ની સમગ્ર હકીકત વિશે ભેદી મૌન મોદીજી ની સૂચનાથી સમગ્ર ગુજરાત ભાજપ સેવી ને બેઠા છે.અમદાવાદ ની વસ્તી જેટલા લોકો ને ટ્રમ્પ ના સ્વાગત ના બણગા ફૂકવામાં આવ્યા છે. ખુદ ટ્રમ્પ ને પણ અમુક બાબતે અંધારા માં રાખતા હોય તેવી સંભાવના છે..કેમકે આવા અનેક રાજકીય મહાનુભાવ એક વાર આવ્યા પછી બીજીવાર ક્યારેય આવ્યા નથી…હવે ગુજરાત ની જનતા ક્યાં સુધી મોદીજી ના અહિતિહસિક જુઠ્ઠાણાં ના ભોગ બની ગુજરાત ને બદનામ થવા દેશે…?