દાહોદ શહેરમાં એકતા મંચ દ્વારા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં સભા અને તીરંગા યાત્રા યોજાઇ હતી.જેમાં રાજ્યના મંત્રી જયદ્રથસિંહ પરમાર, બચુભાઇ ખાબડ, પ્રદેશ ઉપાધ્યક્ષઅને સાંસદ જશવંતસિંહ ભાભોર, પ્રદેશ મંત્રી અને દાહોદ જિલ્લાના પ્રભારી અમીતભાઇ ઠાકરે હાજર રહીને CAA કાયદાથી મૂળભૂત અધિકારોથી વંચીત એવા નાગરિકોને થનારા લાભ અને આ કાયદા માટે ફેલાયેલી ભ્રમણાઓ સંદર્ભે પ્રજાને સંબોધન કર્યુ હતું. આ કાયદાથી દેશમાં રહેતા 20 કરોડથી વધુ લઘુમતિ સમાજના લોકોમાંથી એકને પણ આ કાયદાથી નુકસાન નથી તેવી નેમ વ્યક્ત કરાઇ હતી. અમીતભાઇ ઠાકરે ખાસ જણાવ્યુ હતું કે, શબરી અને રામનાદાહોદ શહેરમાં એકતા મંચ દ્વારા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં સભા અને તીરંગા યાત્રા યોજાઇ હતી.જેમાં રાજ્યના મંત્રી જયદ્રથસિંહ પરમાર, બચુભાઇ ખાબડ, પ્રદેશ ઉપાધ્યક્ષઅને સાંસદ જશવંતસિંહ ભાભોર, પ્રદેશ મંત્રી અને દાહોદ જિલ્લાના પ્રભારી અમીતભાઇ ઠાકરે હાજર રહીને CAA કાયદાથી મૂળભૂત અધિકારોથી વંચીત એવા નાગરિકોને થનારા લાભ અને આ કાયદા માટે ફેલાયેલી ભ્રમણાઓ સંદર્ભે પ્રજાને સંબોધન કર્યુ હતું. આ કાયદાથી દેશમાં રહેતા 20 કરોડથી વધુ લઘુમતિ સમાજના લોકોમાંથી એકને પણ આ કાયદાથી નુકસાન નથી તેવી નેમ વ્યક્ત કરાઇ હતી. અમીતભાઇ ઠાકરે ખાસ જણાવ્યુ હતું કે, શબરી અને રામના પ્રસંગની વાત હોય કે, ગુરુ ગોવિંદના સંઘર્ષની ગાથા, રામની સેનામાં હનુમાનજીની ભૂમિકા હોય કે રાણા પ્રતાપ કે શિવાજીની સમગ્ર સેનામાં લડવૈયાઓ આદિવાસી સમાજના લોકો જ હતાં.CAA જેમ દેશને તોડવા માટે આદિવાસી હિન્દુ નથી તેવી ભ્રમણાઓ ફેલાવવામાં આવી રહી છે. જોકે, વિરોધીઓના આ પ્રયાસો નિરર્થક હોવાનું કહ્યુ હતું. નવતર પ્રયોગના ભાગ રૂપે સભામાં દાહોદ CAA સપોર્ટના તીરંગા રંગના 75ફુટ લાંબા બેનરો પકડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહે બનાવેલા અને લોકસભામાં પાસ કરેલા આ કાયદાને પોતાનું સમર્થન જાહેર કરીને આઝાદી કાળથી ગાંધીજીએ વ્યક્તકરેલી ઇચ્છા અનુસાર 70 વર્ષના લાંબા ગાળા બાદ આવેલા કાયદા માટે આભાર વ્યક્ત કર્યો હતો. સભાની પૂર્ણાહૂતિ બાદ દેશભક્તિના ગીતો સાથે કોલેજથી નીકળેલી યાત્રાની વિશ્રામ ગૃહ ખાતે પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. પ્રસંગની વાત હોય કે, ગુરુ ગોવિંદના સંઘર્ષની ગાથા, રામની સેનામાં હનુમાનજીની ભૂમિકા હોય કે રાણા પ્રતાપ કે શિવાજીની સમગ્ર સેનામાં લડવૈયાઓ આદિવાસી સમાજના લોકો જ હતાં.CAA જેમ દેશને તોડવા માટે આદિવાસી હિન્દુ નથી તેવી ભ્રમણાઓ ફેલાવવામાં આવી રહી છે. જોકે, વિરોધીઓના આ પ્રયાસો નિરર્થક હોવાનું કહ્યુ હતું. નવતર પ્રયોગના ભાગ રૂપે સભામાં દાહોદ CAA સપોર્ટના તીરંગા રંગના 75ફુટ લાંબા બેનરો પકડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહે બનાવેલા અને લોકસભામાં પાસ કરેલા આ કાયદાને પોતાનું સમર્થન જાહેર કરીને આઝાદી કાળથી ગાંધીજીએ વ્યક્તકરેલી ઇચ્છા અનુસાર 70 વર્ષના લાંબા ગાળા બાદ આવેલા કાયદા માટે આભાર વ્યક્ત કર્યો હતો. સભાની પૂર્ણાહૂતિ બાદ દેશભક્તિના ગીતો સાથે કોલેજથી નીકળેલી યાત્રાની વિશ્રામ ગૃહ ખાતે પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]