બિન અનામત વર્ગ સેન્ટ્રલ વિસ્ટા સરદાર પટેલ સ્ટેચ્યુ ખાતે સાંજે શહીદો ને શ્રધ્ધાંજલી,રાષ્ટ્રગાન,મૌન પાળી સવર્ણ આગેવાનો હાજર રહ્યા
ગાંધીનગર ઘ ૪ સરદાર પટેલ પ્રતિમા પાસેના બગીચામાં ખાતે બિન અનામત ની બહેનો આંદોલન કરી રહી છે જેમના રક્ષણ માટે સવર્ણ આંદોલન સમિતિ માં પાટીદાર સમાજ પાસ કનવીનર દિનેશ બામણીયા,લાલજી પટેલ,રજ્જુજી રાજપૂત સમાજ અગ્રણી રજ્જૂજી,રણવીરસિંહ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અધ્યક્ષ ભરતભાઇ રાવલ,ઉપપ્રમુખ અશ્વિન ત્રિવેદી,મહામંત્રી યજ્ઞેશ દવે,સંગઠક કમલેશ વ્યાસ,કો ઓર્ડીનેટર અમિત દવે,મીડિયા પ્રદીપ રાવલ,પરશુરામ સંગઠન સૌરાષ્ટ્ર ના નીરવ દવે..સમસ્ત યુવા મહામંત્રી દિવ્ય ત્રિવેદી,અક્ષય જાની તેમજ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત બ્રહ્મ સમાજના અગ્રણીઓ શ્રી છેલભાઈ જોશી,મિલન શુક્લ.સોમનાથ.વેરાવળ બ્રહ્મ સમાજ અગ્રણીઓ તેમજ મહિલા અગ્રણીઓ નીયુતા બેન વ્યાસ.ઉમાં બેન ઉપાધ્યાય.શર્મિષ્ઠા બેન.તેમજ સ્થાનિક મહિલા અગ્રણીઓ ઉપસ્થિત હતા.પાટીદાર સમાજ ના અગ્રણીઓ તેમજ રાજપૂત સમાજ ના અગ્રણીઓ અને જૈન સમાજ ના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.તેમજ ઉપસ્થિત દીકરીઓ ના વાલીઓ પણ હાજર હતા..સૌ કોઈ સાથે મળી મોટી સંખ્યામાં શહીદો ને મૌન પાળી,રાષ્ટ્રગાન ગાઈ કેન્ડલ થી શ્રધ્ધાંજલી આપી હતી .બે મિનિટ માટે વાતાવરણ ગમગીન બની ગયું હતું ત્યાર બાદ યજ્ઞેશ દવે તેમજ દિનેશ બામણીયા દ્વારા સરકાર માં ચાલતી ગતિવિધિ રજૂ કરી હતી .સરકારે મધ્યસ્થી તરીકે વરુણ પટેલ તેમજ યજ્ઞેશ દવે ને નિયુક્ત કરી મુખ્યમંત્રી સાથે તેમજ એલ.આર.ડી ના ચેરમેન વિકાસ સહાય સાથે જરૂરી આજે વાટાઘાટો કરી હતી..