1) ટેકા ના ભાવે મગફળી ખરીદી માં બારદાન પર ખેડૂતના નામ તથા રજીસ્ટ્રેશન નમ્બર દર્શાવા માટે બરદાન પર પ્લાસ્ટિક ટેગ નો ઉપયોગ કરાયો જે હલકી ગુણવત્તા વાળા પ્લાસ્ટિક ફ્લેક્સ પર ભારત સરકાર તેમજ માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા પ્લાસ્ટિક બેન્ડ લગાવવામાં આવેલ છે તથા પ્લાસ્ટિક મુક્ત ભારત સ્વપ્ન સાકાર કરવા માટે વિવિધ યોજના તેમજ કાર્યક્રમો સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે ત્યારે તેઓની જ સરકાર ના નફ્ફટ અને લાંચિયા તેમજ ભ્રષ્ટ અધિકારીઓ દેશ નું હિત ન વિચારતા માત્ર ભ્રષ્ટાચાર કરી સરકારશ્રી ના નિયમો તેમજ કાયદા ને ઘોળી ને પી જતા હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ નિગમ ના ઉચ્ચ અધિકારી એસ.કે.મોદી છે….
તેઓએ ટેન્ડર ના નિયમો અનુસાર સ્ટાર કંપનીના ટેગના પ્રિન્ટિંગ સાથે ખરીદી માટે ટેન્ડર બહાર પાડેલ જેમાં સ્ટાર કંપની કોરિયા બનાવટ નું ઉચ્ચ ગુણવત્તા ધરાવતું હોવાથી અને માત્ર એક જ મળતીયા વ્યક્તિ ને ટેગ નો ઓર્ડર મળે તે હેતુ થી નિગમ દ્વારા સ્ટાર ફ્લેક્સ ટેગ ખરીદી તેમજ પ્રિંટીંગ સાથે નો 1.50 કરોડ ટેગ નું ટેન્ડર બહાર પાડવામાં આવેલ પરંતુ અન્ય વહેપારીઓ દ્વારા તે એક ટેગનો ભાવ ટેન્ડરમાં 1.80 પૈસા આવતા તે ટેન્ડર હાથ માં થી જતું જોતા ભ્રષ્ટાચાર આદરી ટેન્ડર પ્રક્રિયા સ્થગિત કરી 2.60 પૈસા ના ઊંચા ભાવ થી આઈ માર્ક કમ્પની ને વગર ટેન્ડરે સત્તા નો દૂર ઉપયોગ કરી 1.50 કરોડ ટેગ ખરીદી નો વર્ક ઓર્ડર આપી દરેક જિલ્લામાં પહોંચાડવામાં આવેલ પરંતુ ટેન્ડર પ્રક્રિયા માં ભાગ લેનાર અન્ય કમ્પનીઓ એ વિરોધ કરતા નાણાં ચુકવવામાં મુશ્કેલી ઉભી થવાના અણસાર આવતા તે ટેન્ડર નાફેડ ને કરવા જણાવેલ જેમાં નાફેડે પણ ભ્રષ્ટાચાર કરી એ જ કમ્પની આઈ માર્ક માટે ટેન્ડર બહાર પાડ્યું ઓનલાઈન જેમાં ગેરરીતિ કરી ટેન્ડર આઈ માર્ક કમ્પની ને ભાવ માં ફેરફાર કરી ખાનગી માં ટેન્ડર ખોલી તેમને પણ 1.50 કરોડ ટેગ નો વર્ક ઓર્ડર આપ્યો અને અન્ય ટેન્ડર માં ભાગ લેનાર કમ્પનીઓ એ ઉગ્ર વિરોધ કરતા અને ગેરરીતી કરેલ નાફેડ દ્વારા તે બાબતે હાઇકોર્ટ જવાનું કહેતા નાફેડ દ્વારા પણ ટેન્ડર સસ્પેન્ડ કરવામાં આવેલ પરંતુ વગર ટેન્ડર તેમજ નિયમો નો ભંગ કરી તેઓએ પણ આઈ માર્ક કમ્પની ને વગર ટેન્ડરે વર્ક ઓર્ડર આપ્યો ત્યાર બાદ નાફેડ બ્રાન્ચ મેનેજર સંકર શ્રીવાસ્તવ દ્વારા ફરી એજ સસ્પેન્ડ કરેલ ટેન્ડર પુરવઠા નિગમ ને કરવા જણાવેલ જેમાં આજ ની તારીખે 1 મહિના ઊપરાંત નો સમય વીત્યો પરંતુ નિગમ દ્વારા તેમજ નાફેડ દ્વારા 4-4 વખત ટેન્ડરો એક જ વસ્તુ માટે બહાર પાડી ખોલવામાં નિગમ દ્વારા આવ્યું નથી અને શ્રી એસ.કે.મોદી દ્વારા અન્ય ટેન્ડરમાં ભાગ લેનાર વહેપારી ભાઈઓ ને સંતાકૂકડી રમાડી આઈ માર્ક કમ્પની ને ફેબ્રુઆરી ના ટેગ ખરીદી નો ઓર્ડર ટેન્ડર ખોલ્યા વગર આપી દીધો જેનું ચુકવણું પણ કરી દીધું છે. મહત્વની વાત એ છે કે શ્રી એસ કે મોદી ( જનરલ મેનેજર એમ.એસ.પી) દ્વારા આઈ માર્ક કમ્પની ના જે ટેગ બરદાન પર લગાવવામાં આવ્યા છે અને તે મગફળી ભરેલ બરદાન ગુજરાત રાજ્ય વેરહાઉસ ના ગોડાઉન ખાતે જથ્થો સંગ્રહિત થયો છે તે પણ ગોડાઉન ખોલાવી તેમજ ગુજરાત ના તમામ ખરીદ કેન્દ્ર પર ટેગ ની એ.સી.બી તેમજ સી.બી.આઈ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તથા એમ.ડી તેમજ ભ્રષ્ટાચારી એસ.કે.મોદી પર કડક પગલાં ભરવામાં આવે કારણ કે તેઓ દ્વારા આઈ માર્ક કમ્પની ને જે દોઢ કરોડ થી વધુના ટેગ નો ઓર્ડર આપી વગર ટેન્ડરે ખરીદી કરી ઉપયોગ માં લેવા માં આવેલ છે જેની કોણે મન્જૂરી આપી તેની પણ ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ …
કારણકે જેમાં આઈ માર્ક કમ્પની દ્વારા જે દોઢ કરોડ થી વધુ ટેગ ગુજરાત ના તમામ મગફળી ના ખરીદ કેંદ્ર પર ઉપયોગ લીધેલ તમામ ટેગ ગત વર્ષના ઉપયોગ માં લઇ આ વર્ષ ના ખોટા બિલ પાસ કરી એસ.કે.મોદી દ્વારા પાસ કરવામાં આવેલ છે આ સાથે અત્યંત શરમજનક તેમજ ખેડુતો ને પડતા પર પાટુ મારી તેઓ ને તેમજ નિગમ ને ખાડે લઇ જવામાં મહત્વની ભૂમિકા ભજવનાર એસ.કે.મોદી દ્વારા તમામ ખરીદ કેન્દ્ર પર આપવામાં આવેલ તમામ ટેગ હલકી ગુણવત્તા વાળા અને ટેન્ડર ની શરતો તેમજ નિયમો નું ઊલઘન કરી ટેગ ચાઈનીઝ મટીરીયલનું ચાઈના થી મન્ગાવી ઉપયોગમાં લેવામાં આવ્યું છે આ સાથે ટેન્ડર ના નિયમો અનુસાર ટેગ ની જે સાઈઝ નક્કી કરાયેલ તેનાથી નાની સાઈઝ માં ટેગ પ્રિન્ટિંગ કરી લગાડવામાં આવેલ છે , જેમાં વ્યાપક પ્રમાણમાં કરોડોનું કૌભાંડ નિગમ તેમજ એસ.કે.મોદી દ્વારા આચરવામાં આવેલ છે, જે માં નિગમના જ ડી.એસ.એમ અધિકારીઓ દ્વારા જાણવા મળેલ છે ……કે આ વર્ષ ની મગફળી માં બારદાન માં પણ આ જ પ્રમાણેનું કૈભાંડ બહાર આવવાની શક્યતાઓ છે જેમાં પણ આઈ માર્ક કમ્પની દ્વારા જ મહાસાગર ઇમપેક્સ નાં નામ થી બારદાન ગોટાળા કરી પધરાવવામાં આવેલ છેઃ
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા મળેલી માહિતી અનુસાર જે ટેન્ડરો બહાર પાડવામાં આવેલ છે તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ જ ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે તેવું જાણવા મળ્યું છે તેનું કારણ એ છે કે ટેન્ડર પ્રક્રિયામાં પ્રથમ નિગમ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવેલ ત્યાર બાદ ટેન્ડર ની શરતો બદલવામાં આવી જે ટેન્ડર ઓપન કર્યા પછી ના બદલી શકાય ત્યાર બાદ ટેન્ડર ના સમય અને તારીખો માં પણ ફેરફાર કરવામાં આવેલ છે જે ગેરરીતિ થયું હોય તેવું સ્પસ્ટ જણાય છે આ સાથે આઈ માર્ક કંપની જે મહાસાગર ઈનપેક્સ નામથી વર્ષોથી નિગમમાં દાળ તેમજ તેલ તથા અનાજનો જથ્થો સપ્લાય કરે છે જેનામાં અગાઉ પણ ભ્રષ્ટાચારની બૂમ રાડ પડી હતી અને પી.એમ.ઓ સુધી ફરિયાદ પહોંચતા સરકારી તંત્ર તેમજ વિજિલન્સ વિભાગ દ્વારા ગાંધીનગર તેમજ દિલ્હીથી આવેલ અધિકારી ઓ એ સયુંકત રેડ કરી પાલનપુર નજીક ચંડીસર જી.આઈ.ડી.સી માં દરોડા પાડ્યા હતા જેમાં કલર વાળી દાળો તેમજ અનાજ, કઠોળ રાજસ્થાન થી હલકી ગુણવત્તા વાળું નિગમ અને ગરીબ પ્રજા ને પધરાવવાનું કારસ્તાન બહાર આવ્યું હતું પરંતુ શ્રી એસ.કે.મોદી દ્વારા ભીનું સંકેલી તે દાળોને રિપ્લેસ કરી એની એ જ દાળ પાછી પધરાવી ગોડાઉન મેનેજરો ને જથ્થો લેવા ફરજ પાડી હતી અને ટેગ ના કૌમ્ભાડી ભાઈ શ્રી વીરેન ને આઈ માર્ક તેમજ મહાસાગર ઇમ્પેક્સ ને નિગમ, ખેડૂતો તથા સરકારશ્રી ને ખાડા માં ઉતારી એક જ વ્યક્તિ વીરેન ને ફાયદો કરાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે જેનો
બનાસકાંઠા જિલ્લા તેમજ ગુજરાત રાજ્યની ગરીબ ભોળી તેમજ નિર્દોષ પ્રજા ભોગ બનેલા છે …
જેથી તાત્કાલિક એસ.કે.મોદી ની સ્થાવર તેમજ જન્ગમ મિલકતો ની તપાસ થવી જોઈએ તેમજ તેઓ ની ઊંડાણ પૂર્વક તપાસ કરી સી.બી.આઈ જેવી તટસ્થ એજન્સી દ્વારા કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી ખેડુંતો તેમજ ભોળી પ્રજા ને છેતરનાર એસ.કે મોદી ને સજા મળવી જોઈએ તેવી ઉગ્ર માંગ છેઃ