*શ્રી ગુજરાતી સેવા મંડળ, બળદેવ હોલ, સિકંદરાબાદ માં શ્રી ગુજરાતી બ્રહ્મસમાજ હૈદરાબાદ સિકંદરાબાદના માનદ મંત્રી શ્રી કિરીટભાઈ ભટ્ટ ના આંગણે તેમના પૌત્ર પર્વ મોહિત ભટ્ટ ના ઉપનયન સંસ્કાર (જનોઈ) નો પ્રસંગ ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો.*
*શ્રી સ્વામિનારાયણ મંદિર રસુલપુરા સિકંદરાબાદ ના કોઠારી સ્વામી પૂજ્ય શ્રી આત્મચિંતન દાસ સ્વામી અને પૂજ્ય શ્રી જ્ઞાનમૂર્તિ સ્વામી આ પ્રસંગે બટુક ને આશીર્વાદ આપવા પધારેલા. જેઓનું સન્માન ગુજરાતી બ્રહ્મસમાજ ના અધ્યક્ષશ્રી તરુણભાઈ મહેતા, મંત્રીશ્રી કિરીટભાઇ ભટ્ટ, કમીટી મેમ્બર શ્રી અજય ભાઈ ઓઝા, શ્રી મયુરભાઈ પુરોહિત , શ્રી અનિલભાઈ દવે, શ્રી પંકજભાઈ રાવળ અને અન્ય તરફથી શાલ અર્પણ કરી કરવામાં આવેલું.*
*શ્રી જશમતભાઈ પટેલ “લવ ફોર કાવ ફાઉન્ડેશન”ચેરમેનશ્રી અને ટ્રસ્ટીશ્રી તરુણ મહેતા એ સુરેન્દ્રનગર ગુજરાતના બ્રહ્મસમાજના અગ્રગણ્ય કાર્યકર શ્રી નીતિનભાઈ શુક્લા અને શ્રીમતી લીલાબેન શુક્લા નું લવ ફોર કાવ ફાઉન્ડેશનનો મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરેલ. આ સમયે રાજકોટ થી પધારેલા સી દર્શન ભટ્ટ,ધૈર્ય ભાઈ શુક્લા પણ ઉપસ્થિત રહેલા.*
*લવ ફોર કાવ ફાઉન્ડેશન તરફથી બટુક પર્વ ભટ્ટ ને આશિર્વાદ અને શ્રીમતી ઈલાબેન-કિરીટભાઈ ભટ્ટ,શ્રીમતી ઊર્મિ-મોહિત ભટ્ટ, શ્રીમતી પ્રિતી-પરેશ ભટ્ટ અને સમગ્ર ભટ્ટ પરિવાર ને શુભેચ્છાના પ્રતીક રૂપે ખાસ મોમેન્ટો ચેરમેન શ્રી જસમત ભાઈ પટેલ અને ટ્રસ્ટી શ્રી તરુણભાઈ મહેતા તરફથી અર્પણ કરવામાં આવેલ.*
*સમગ્ર નિમંત્રિત મહેમાનો અને બ્રહ્મસમાજના સભ્યોને આ તબક્કે શ્રી જશમતભાઈ પટેલ તરફથી જણાવવામાં આવેલ કે, “ગૌમાતા આપણી સૌની માતા છે અને તેમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે. હાલના સંજોગોમાં દરેક વ્યક્તિ દરરોજ ગૌશાળા જઈ શકે તેમ નથી.આથી પ્રતિદિન ફક્ત એક રૂપિયો યાદ કરી ગૌમાતા માટે એક ગૌ પાત્રમાં જાતે અગર આપના બાળક દ્વારા જમા કરો અને તે એકઠી થયેલ રકમ આપના પરિવારમાં આવતા જન્મદિન, લગ્નતિથિ, કોઈ પણ સારા નરસા પ્રસંગે ગૌ માતાને યાદ કરી લીલુ ઘાસ વિગેરે તમારી નજીકની ગૌશાળા માં જઈ અર્પણ કરો”. આ સૂચનને સૌએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધેલ. આ ખુશીના ભાગરૂપ ભટ્ટ પરિવાર તરફથી પરિવાર તરફથી શ્રી જસમતભાઈ પટેલનું શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવેલું. આ તબક્કે લુવાણા સમાજના અગ્રગણ્ય વ્યક્તિ શ્રી શૈલેષભાઈ માણેક પણ ઉપસ્થિત રહેલા.*
*તા.૩-૨-૨૦ ના રોજ હિન્દુ ધર્મની પ્રણાલી મુજબ સવારે શ્રીમતી ઊર્મિ ભટ્ટ અને શ્રી મોહિત ભટ્ટ દ્વારા શ્રી ગણેશ પૂજન અને મંડપ મુહૂર્ત, ત્યારબાદ શ્રીમતી પ્રીતિ ભટ્ટ અને પરેશ ભટ્ટ દ્વારા ગ્રહશાંતિ પૂજન કરવામાં આવેલું બપોરના ભોજન સમારંભનું આયોજન કરેલું. તે જ દિવસે રાત્રિના રાજકોટથી પધારેલ સંગીત પાર્ટી દ્વારા સંગીત સંધ્યા અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવેલ. જેમાં સૌ જુના ફિલ્મી ગીતોની ધૂન પર મનભરીને ખૂબ નાચેલા અને પ્રાચીન તથા અર્વાચીન રાસ ગરબાની રમઝટ બોલાવેલી.*
*તા.૪-૨-૨૦ ના ઉપનયન સંસ્કાર (જનોઈ વિધિ) બાદ કાશી યાત્રા માં હૈદરાબાદ સિકંદરાબાદ ના શ્રી ગુજરાતી બ્રહ્મસમાજના પરિવારજનો જોડાયેલા. બપોરના સૌને નિમંત્રિત મહેમાનો અને પરિવારજનો એ પ્રીતિ ભોજન લીધેલ. સાંજે સૈા આ પ્રસંગની યાદગાર પળોને વાગોળતા સૈા વિખૂટા પડેલા.*
*સમગ્ર ઉપનયન (જનોઈ) સંસ્કાર વિધિ શાસ્ત્રોકત વિધિથી ગોરશ્રી અશોકભાઈ ભટ્ટે કરાવેલી.*