નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ એટીએમ કાર્ડ એટલે કે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ અંગે નવા નિયમો રજૂ કર્યા છે. આરબીઆઈએ બેંકોને કહ્યું છે કે ભારતમાં કાર્ડ ઈશ્યૂ કરતા સમયે એટીએમ અને પીએસઓ ઉપર માત્ર ડોમેસ્ટિક કાર્ડના ઉપયોગની જ મંજૂરી આપે. આરબીઆઈ તરફથી આવેલા નિવેદન પ્રમાણે આંતરરાષ્ટ્રીય લેવડદેવડ માટે અલગથી મંજૂરી લેવી પડશે. આ ઉપરાંત ઓનલાઈન લેવદદેવડ, કાર્ડ નહીં હોવાથી લેવડદેવડ અને કોન્ટેક્ટલેસ લેવડદેવડ માટે ગ્રાહકોએ પોતાના કાર્ડ ઉપર સેવાઓ અલગથી સેટ કરાવી પડશે.15 મી જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે કાર્ડનો વપરાશકાર પોતાની મેળે જ ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો કયા કયા હેતુ માટે ઉપયોગ કરવાનું નક્કી કરી શકે અને તે પ્રમાણે કાર્ડને તે પોતે જ ડિસેબલ કે અનેબલ કરી શકે તેવી વ્યવસ્થા કરવા માટે જણાવવામાં આવ્યું છે