હાલ કોડીન યુક્ત કપ સીરપનું વેચાણ prescription વગર નથી થઈ શકતું એનો અર્થ કે ડોક્ટર રોજ પ્રિસ્ક્રિપ્શન લખીને આપે છે અને દર્દીઓ આવી દવાઓ દવાની દુકાનો ઉપરથી મેળવે છે. શું આવી નશા વાળી કફ સીરપની બોટલો તૈયાર કરતી કંપનીઓ
સીરપમાં ગેરકાયદેસર આલ્કોહોલ ઉમેરવામાં આવે છે અને આયુર્વેદિક સીરપ ના નામે નશા યુક્ત સીરપનો ગેરકાયદેસર મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે
તમામ જગ્યાએ પોતાના મેડિકલ રિ પ્રેઝન્ટેટિવ ને મોકલીને ડોક્ટરોને મોટાભાગે સેમ્પલો અને લાલચો અને ગીફટો આપીને તેમને આવા કફ સીરપ પ્રિસ્ક્રિપ્શન માં લખી આપવા માટે નું દબાણ પણ કરવામાં આવે છે પરિણામે ડોક્ટરો પણ લાલચ છે કશું જ જોયા કર્યા વિના આવી દવાઓ લખી આપે છે અને જેના કારણે યુવા વર્ગ આખે આખી બોટલ ઘટઘટાવી જાય છે અને તેને આવો નસો લેવાનો કાયમનો એક શોખ જાગે છે આ આલ્કોહોલ યુક્ત સીરપની બોટલ પણ ધૂમ માર્કેટમાં વેચાઈ રહી છે આવી નશાકારક આયુર્વેદિક સીરપ ના નામે ચાલતી દવાઓનું વેચાણ અટકાવવું કેવી રીતે તે અંગે અત્યારે ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ માટે માથાનો દુખાવો બન્યું છે.
આ બાબતે ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના જશુભાઈ પટેલ તેમજ ગુજરાતના નામાંકિત ડોક્ટરો ની સાથે પણ લાગતા વળગતા સરકારી વિભાગોએ સંપર્ક કહીને માહિતી મેળવી છે અને હાલમાં તો આયુર્વેદિક આવા સીરપની 4200 બોટલો જપ્ત કરવામાં આવી છે. આ કામગીરી એસઓજી દ્વારા રાજકોટના વિછીયા મથી પ્રતિબંધિત સીરપના આવા 4200 બોટલના જથ્થાને પકડી પાડવામાં આવ્યા હતા અને ઓઢવ અમદાવાદ માંથી પણ આવી નશાયુકત કફ સીરપ ની બોટલો પકડાઈ છે 1,255 બોટલ મયુરસિંહ નામના આરોપીની ધરપકડ કરીને રૈયા રોડ રાજકોટ ઉપરથી પકડવામાં આવ્યું છે આમ ગેરકાયદેસર ચાલતા આવવાના સંયુક્ત સીરપની બોટલોનું આખા ગુજરાતમાં ક્યાં ક્યાં વેચાણ થતું હશે તે અંગે ઊંડી તપાસ પણ હવે એસઓજી કરશે. ઇથાઈલ આલ્કોહોલ આઈસો પ્રોપાઈલ આલ્કોહોલ એનો સીરપ સહિત બીજી કેટલીક દવા એમ ઓળખાય છે.
આયુર્વેદિકના અમુક નિયમો એવા છે કે તેના દવાઓ આયુર્વેદિક બનાવવામાં કોઈ લાયસન્સ ની જરૂર પડતી નથી જેને લીધે આયુર્વેદિક ની આડ માં આવા નશાયુક્ત્ દાવાઓ ના નામે મોટા પ્રેમના માં વેચાણ થાય છે.
આલ્કોહોલ બિયર માં દારૂમાં તેમજ સેનેતાઈઝેશન માં ટકાવારી પ્રમાણે વપરાય છે….
આયુર્વેદિક માં ક્યારેય 19 ટકા આલ્કોહોલ હોય જ નહિ..સેડ્યુલ H મા આનો સમાવેશ થાય જ નહિ..
અમરેલી માં પણ નશાયુકત્ સીરપ નો મોટા પ્રમાણ માં બોટલો પકડાઈ છે…મોટે ભાગે રાજકોટ,અમરેલી,ધ્રોલ,વીછીયા,બાબરા અને સમગ્ર સૌરાષ્ટ્ર મા ગેરકાયદેસર દારૂ નું વેચાણ સીરપ ના નામે થઈ રહ્યું છે.
જામખંભાળિયા માં સાત હજાર થી વધારે બોટલો પકડાઈ છે…હવે યુવાધન મેડિકેટેડ ડ્રગ ના રવાડે ચડી ગયું છે..
શાસક સરકાર માં ઘોડ છૂટી ગયા પછી તબેલા ને તાળું મારવાની કાર્યવાહી થઈ રહી છે તે બિલકુલ શંકાશીલ સરકારી કામગીરી દેખાઈ આવે છે..
વિરોધ પક્ષ માં અમિત ચાવડા એ ગઈકાલે જ કહ્યું હતું 2006 થી 2013 શાશન થી પણ અનેક ઘણું વધારે મોદીજી ના શાશન 2014 થી 2022 માં 97,000 કરોડનું ડ્રગ્સ પકડાયું છે તેમાં મોટાભાગનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાયું છે . એટલે કે ગુજરાત એ ડ્રગનું લેન્ડિંગ હબ પ્રોસેસિંગ અને હવે તો એક્સપોર્ટર્સ બની રહ્યું છે જેથી શું આવું ગુજરાત મોડલ મોદી સરકારે બનાવ્યું છે?
અને ગુજરાતમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વિસ્તાર સાણંદના કેરાલા જીઆઇડીસી માંથી તો આ ડ્રગને પ્રોસેસિંગ કરીને એક્સપોર્ટ કરવામાં આવે તેવો પણ 500 કરોડનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે જે ખૂબ જ ગંભીર બાબત છે.
કચ્છ થી રાજકોટ આ જથ્થો આવ્યો હતો અને રૈયા રોડ ઉપર થી એક વ્યક્તિ ની ધરપકડ પણ કરવામાં આવી હતી..
અમદાવાદ ના ઠક્કર બાપા નગર અને ઓઢવ માંથી પણ આવી નશા યુક્ત સીરપ ની બોટલો પકડાઈ છે.
શું ગુજરાત સરકાર પ્રોહિબિષણ એક્ટ હેઠળ આ જ્યાંથી પણ બોટલ પકડાઈ છે તેવા લોકો ને પકડી ને કોઈ કેસ કરીને સજા કરશે કે કેમ?
નોધ: અહી કોઈપણ રાગદ્વેષ વિના સમાચારો પ્રાપ્ય થયે પ્રસિદ્ધિ આપવામાં આવે છે.તેમછતાં કોઈને પણ વાંધાજનક સમાચાર લાગે તો તંત્રી નો સંપર્ક કરીને તેવા સમાચાર અહીથી દુર કરી શકાશે…તંત્રી