NG-257-7-7-2023 pdf NG-258 _8-7-2023 pdf
ગુજરાત ના વિજય રૂપાણી ની સરકાર વખતના નાયબ મુખ્યમંત્રી તરીકે રહેલા નિતીન પટેલને તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ને ભારતીય જનતા પાર્ટીએ ઉપરોક્ત જાહેર કર્યા મુજબ મોટી જવાબદારીઓ સોંપી છે. અત્રે યાદ રહે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીજીને પણ પંજાબના પ્રભારી તરીકે નહીં જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓ આવનાર છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટીની બહુમત સરકારમાં જુદા જુદા નામોની ચર્ચાઓ ચાલી રહી છે અને ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ બદલવાની પણ જોરશોર થી ચર્ચાઓ ચાલે છે તેવા સમયમાં ગુજરાતના સાંસદ એવા મનસુખભાઈ માંડવીયા તેમજ ગુજરાતના રાજકારણમાં ભાજપના શાસનમાં શરૂઆતથી જ પોતાનો દબદબો પ્રસ્થાપિત કરેલા એવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રાજસ્થાનના સહ પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે મનસુખભાઈ માંડવીયાને સહ પ્રભારી તરીકે છત્તીસગઢ રાજ્યમાં મૂકવામાં આવ્યા છે.
આમ આગામી સમયમાં ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તેલંગાના મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં ઉપરોક્ત ચાર્ટ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા દ્વારા આ નિમણૂકો કરી છે.
પાર્ટી દ્વારા જ્ઞાતિય સમીકરણ સાથે ભારતીય જનતા પાર્ટી મા વોટ બેન્ક પ્રમાણે પ્રતિનિધિત્વ બદલાતું જોવા મળે છે..
આમ જોવા જઈએ તો આખા ભારત માં માત્ર બે રાજ્યો મા ભાજપ ને સ્પષ્ટ બહુમત છે..15 રાજ્યો માં તો એન્ટી ભાજપ સરકાર છે.4 રાજ્યો માં અન્ય પક્ષ સહયોગ થી સરકાર ચાલે છે
મહારાષ્ટ્ર મા તો જેમ શિવ સેના ના બે ભાગલા ભાજપ રણનીતિ થી થયા અને ભાજપ નો શાશન માં હાથ રહે તેમ હવે NCP મા પણ બે ભાગલા પડાવી સત્તા માં ભાગીદારી ની લાલચ આપી ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા છે..એક બાજુ શિવસેના ને પણ ગર્ભિત ચેતવણી કે હવે તો એનસીપી પણ અમારા ગઠબંધન માં આવી શકે છે..
આમ ભાગલા પાડી બે માં ત્રીજો ફાવે અને બાકી બધું સત્તાના જોરે…એમ ભજાપ ની રણનીતિ જાહેર મા જોઈ શકાય છે..
ગુજરાત માં તો ભાજપ ની બહુમત છે એટલે મોદીજી મોડેલ સ્ટેટ મનમાની થી ચાલે એવું બદલાતું શાશન બતાવી રહ્યા છે…પ્રત્યેક ભાજપ ના નેતા ની ગુજ્જુ રહેણી કહેણી ઉપર થી બદલાતું શ્રીમંતો નું ભાજપ જોઈ શકાય છે…
હમણાં બનાધિયાર પાણી વાળી સાબરમતી માં 10 કરોડ ના ખર્ચે બનાવેલી તરતી મહાકાય બોટ રેસ્ટોરાં અમદાવાદ રિવર ફ્રન્ટ માં અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલ ઉદઘાટન કરી શરૂ કરવામાં આવી જે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ માં 2000 રૂપિયા ના લંચ થી શરૂવાત થઈ..
એમ સી પ્લેન પણ ફરીથી ચાલુ કરવાની જાહેરાત કરવામાં આવી છે જે પણ તેનો ઉપયોગ રાજનેતાઓ અને શ્રીમંતો જ કેવડીયા જવા કરી શકે..
ગુજરાત માં અમદાવાદ એક એવું શહેર છે કે જ્યાં રેલવે.BRTS,AMTS ની લાલ બસ ,મેટ્રો ટ્રેન… ટ્રાન્સપોર્ટ ઉપલબ્ધ છે..72 કિલોમીટર નો રિંગ રોડ પથરાયેલ છે.અમદાવાદ નો ભાજપ શાશન માં થયેલ વિકાસ ઉબડખાબડ બ્રિજ.ભ્રષ્ટાચાર આક્ષેપો સાથે પણ ચર્ચા માં રહેલ છે. કોન્ટ્રાકટર ને ગૂજરાત ના શહેરી વિકાસ માં આમ તો નેતાઓ ના રાજ મા જલ્સા છે..ભલે અનેક કૌભાંડો બહાર આવે પણ કમલમ ની ડેમેજ કંટ્રોલ ટીમ ધારાસભ્યો ની સાથે કોન્ટ્રાકટર ને પણ કાયદાકીય બચાવવા સક્ષમ છે…જ્યારે વિરોધ પક્ષ ની પીપુડી ગાજે તેટલી વરસતી નથી..
નોધ: અહી કોઈપણ સમાચાર રાગદ્વેષ વિના પ્રસિદ્ધિ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધા જનક લાગે તો તંત્રી નું ધ્યાન દોરી તેવા સમાચાર દૂર કરી શકાશે..તંત્રી♦